Home Blog Page 1310

ભૂપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ વિધાનસભા સત્ર, લેવાઈ શકે છે મોટા નિર્ણયો

0

Bhupendra Patel government’s final

  • બુધવારથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર શરૂ થવાનું છે. આ વર્તમાન સરકારનું છેલ્લું સત્ર હશે. તો કોંગ્રેસે પણ બે દિવસીય સત્રમાં સરકારને ઘેરવા માટે પોતાની રણનીતિ બનાવી લીધી છે.

21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બે દિવસીય સત્ર મળવાનું છે. ગુજરાતની 14મી વિધાનસભાનું આ અંતિમ સત્ર હશે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. તેવામાં આ ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારનું આ અંતિમ સત્ર હશે. વિધાનસભાનું આ ટૂંકુ સત્ર હંગામેદાર રહી શકે છે. વિધાનસભામાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) પણ તૈયારી કરી લીધી છે.

કોંગ્રેસ દ્વારા કામકાજ સલાહકાર સમિતિની યોજાયેલી બેઠકમાં સત્ર લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર માત્ર બે દિવસીય સત્ર યોજવાની છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. બીજીતરફ ઘણા કર્મચારીઓ વિવિધ માંદોને લઈને ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.

રાજ્યમાં આંદોલનનો દૌર :

ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓ પોત-પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યાં છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર કર્મચારીઓના અસંતોષને ઠારવામાં સંપૂર્ણ પ્રમાણે સફળ નિવળી નથી. બીજી તરફ માલધારીઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે.

વિધાનસભામાં કુલ 7 બિલ રજૂ કરાશે :

ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં બે દિવસમાં બે બેઠક યોજાવાની છે. રાજ્ય સરકાર આ દરમિયાન 7 બિલ ગૃહમાં રાખશે. વિધાનસભાની પ્રથમ બેઠકમાં ચાર અને બીજી બેઠકમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. તો સત્રમાં ટૂંકી મુદત્તના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે આ જાહેરાત કરી હતી.

આ સુધારા બિલ વિધાનસભામાં રજૂ થશે :

1. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
2. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક, 2022
3. ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
4. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા), વિધેયક 2022
5. ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક, 2022
6. ઢોર નિયંત્રણ અને સુધારા વિધેયક

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ : રીટાયર્ડ થતાં પહેલા જ બની જશો કરોડપતિ, જાણી લો ફટાફટ વિગત

0

Post Office’s Big Scheme: Become a

  • લાંબા ગાળાના રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ખૂબ જ સારું વળતર મળે છે.

જો તમે પણ કરોડપતિ (millionaire) બનવા માંગો છો, તો હવે તમારો સમય આવી ગયો છે. કરોડપતિ બનવા માટે આજથી જ રોકાણ શરૂ કરી દો. આ માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર થોડા રૂપિયા જ દર મહિને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં (Provident Fund) રોકાણ કરવું પડે છે. જો તમે અહીં જણાવેલી રીતે રોકાણ કરતા રહેશો તો નિવૃત્તિ પહેલાં તમે કરોડપતિ બની જશો.

લાંબા ગાળાનું રોકાણ :

લાંબા ગાળાના રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ખૂબ જ સારું વળતર મળે છે. પીપીએફમાં તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા એટલે કે મહીને 12,500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. કરોડપતિ બનવું હોય તો તમારે દર મહિને કેટલું અને કેટલા સમય સુધી રોકાણ કરવું પડશે તે જાણવું પડશે. ચાલો આપને આ 3 રીત જોઈએ જે તમે અનુસરીને કરોડપતિ બની શકો છો.

પીપીએફ પર મળશે 7.1 ટકા વ્યાજ :

હાલ સરકાર પીપીએફ એકાઉન્ટ પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ ચૂકવે છે. અહી રોકાણ 15 વર્ષ માટે કરવામાં આવે છે. તે મુજબ મહિના માટે 12500 રૂપિયાના રોકાણની કુલ કિંમત 15 વર્ષ પછી 40,68,209 રૂપિયા થશે. કુલ રોકાણ 22.5 લાખ રૂપિયા છે અને વ્યાજ 18,18,209 રૂપિયા છે.

આ રીતે જમા થશે એક કરોડ રૂપિયાનું ફંડ :

1. માની લો કે આ સમયે તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે પીપીએફ માં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે.
2. 15 વર્ષ સુધી પીપીએફમાં દર મહિને 12500 રૂપિયા જમા કરાવ્યા બાદ તમારી પાસે 40,68,209 રૂપિયા હશે.
3. હવે આ પૈસા ન ઉપાડો, તમે 5-5 વર્ષના ગાળામાં પીપીએફને આગળ વધારતા રહો
4. 15 વર્ષ બાદ વધુ 5 વર્ષ માટે રોકાણ કરતા રહો એટલે કે 20 વર્ષ બાદ આ રકમ થશે – 66,58,288 રૂપિયા
5. જ્યારે 20 વર્ષ થાય, ત્યારે આગામી 5 વર્ષ માટે રોકાણ વધારો, એટલે કે, 25 વર્ષ પછી રકમ હશે – 1,03,08,015 રૂપિયા થઇ જશે.

તો આ રીતે બનશો કરોડપતિ :

જો તમે 30 વર્ષની ઉંમરે પીપીએફમાં દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 25 વર્ષ પછી એટલે કે 55 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશો. જણાવી દઈએ કે પીપીએફ ખાતાની પરિપક્વતા 15 વર્ષ છે. જો આ એકાઉન્ટને 15 વર્ષથી વધુ વધારવું હોય તો પાંચ-પાંચ વર્ષ પ્રમાણે આ એકાઉન્ટને વધુ વર્ષો માટે વધારી શકાય છે.

આ પણ વાંચો :-

શું તમને પણ ડાયાબિટીસ છે ? બપોરે જમતી વખતે ડાયેટમાં સામેલ કરો આ ચીજ, મળશે અઢળક ફાયદાઓ

Do you also have diabetes? Include this item

  • જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો જાણો ક્યા પ્રકારનો ખોરાક તમારા માટે ફાયદાકારક રહેશે.

ડાયાબિટીસનાં (Diabetes) દર્દીઓએ લાઈફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખાનપાનમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે જરાક પણ બેદરકારી કરી તો તમારા સ્વાસ્થ્યને (Health) નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ અને ક્યા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

આવામાં આજે અમે તમને જણાવશું શુગર પેશન્ટનાં બપોરાના ડાયેટ વિશે. તો આવો જાણીએ ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરની થાળીમાં ક્યા ખોરાકને સામેલ કરવો જોઈએ.

અનાજ અને દાળ :

ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરના ખાવામાં અનાજ અને દાળનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ. આના સેવનથી ડાયાબિટીસનાં દર્દીઓને પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળે છે.

દહીં :

દહીં ખાવું તો ઘણા લોકોને અત્યંત પસંદ હોય છે. જો થાળીમાં દહીં મળી જાય તો ખાવાની મજા જ ડબલ થઇ જાય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શુગરનાં દર્દીઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં બપોરના ભોજનમાં જરૂર સામેલ કરો.

આમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં સીએલએ પણ હોય છે, જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદરૂપ છે. સાથે જ વજન ઘટાડવાથી લઈને ઈમ્યૂનીટી મજબૂત કરવામાં પણ સહાયતા આપે છે.

ડાયાબિટીસ પેશન્ટ બપોરના ભોજનમાં ઈંડાનો સમાવેશ કરી શકે છે. શુગર પેશન્ટ રોજ એક ઈંડાનું સેવન કરે, તો તેનાંથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ થશે. તેમના પ્રોટીન સિવાય એમીનો એસીડ પણ હોય છે, જે તમને હેલ્ધી રાખવાની સાથે સાથે શુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો :-

હવે લોન્ચ થશે ત્રણ પૈડાં વાળી ઇલેક્ટ્રિક કાર ! કિંમત માત્ર 4.5 લાખ રૂપિયા ! આજે જ કરાવી લો બુકિંગ

Electric car with three wheels will be launched

  • ઈલેક્ટ્રીક કારનુ નામ આવતા જ મોંઘી ગાડીની વાત સામે આવે છે, પરંતુ હવે આવુ નહીં થાય. જ્યારે તમે ઈલેક્ટ્રીક કારની મજા ઑલ્ટોના ભાવમાં લઇ શકશો.

આ કારની આમ તો ઘણી ખાસિયત છે. પરંતુ તેની સૌથી મોટી ખાસિયત છે તેની રેન્જ. આ એક વખત ફૂલ ચાર્જ (Full charge) કરવાથી 200 કિમીનો પ્રવાસ પૂર્ણ કરશે. નાની કિંમત અને નાની સાઈઝ હોવા છતા આ કારની રેન્જ ખૂબ જ સારી રાખવામાં આવી છે. સ્ટ્રોમ આર (Strom R) 3ની કિંમત અંગે કંપનીએ હજી ખુલાસો કર્યો નથી.

પરંતુ સુત્રો મુજબ આ 4.5 લાખ રૂપિયામાં લોન્ચ કરી શકાય છે. જો આમ થાય છે તો આ ઈલેક્ટ્રીક કારને મોટી ટક્કર આપશે. નાની સાઈઝ અને કિંમતને પગલે લોકોની વચ્ચે આ કાર લોકપ્રિય થઇ રહી છે. આ એક નવી ડિઝાઈનની સાથે દેશમાં લોન્ચ કરવામાં આવશે. જે ખૂબ જ અલગ હશે.

કારને તમે 10 હજાર રૂપિયાથી બુક કરાવી શકો છો :

આર 3નુ બુકિંગ છેલ્લાં લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેનુ લોન્ચ થવાની લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. આ કારને તમે કંપનીની સત્તાવાર સાઈટ પર જઇને 10 હજાર રૂપિયાથી બુક કરાવી શકો છો. આ વર્ષની શરૂઆતમાં બુકિંગ ઓપન થયા બાદ સ્ટ્રોમે દાવો કર્યો હતો કે માત્ર 4 દિવસમાં 750 કરોડ રૂપિયાની કારો બુક થઇ છે.

આ ત્રણ પૈડાવાળી કાર હશે :

આ કારની ખાસિયત છે કે આ ત્રણ પૈડાવાળી કાર હશે અને તેમાં બે લોકો સરળતાથી બેસી શકશે. આ સાથે કંપનીએ તેમાં સનરૂફ પણ આપ્યું છે. આ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આવશે. કારની ખાસિયત તેની ડાયમંડ કટ ડિઝાઈન પણ છે. આ ખૂબ જ કૂલ લુકની સાથે એક અલ્ટ્રા કૉમ્પેક્ટ વેહીકલ હશે. જેને શહેરમાં ચલાવવી ખૂબ સરળ રહેશે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 21 સપ્ટેમ્બર : કઈ રાશિ માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે ? કોને પડશે મુશ્કેલી ?

Today’s Horoscope September 21 Gujarat Guardian

મેષ
મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિણામે આવકનું પ્રમાણ ખૂબ વધવા પામે, બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા, ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભ
આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુન
સરળ અને સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી.

કર્ક
બપોર સુધી માનસકિ સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહ
આવક ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું . આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલા
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઈ બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિક
આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્યજીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધન
માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાનીપૂર્વક કરવા. મહત્ત્વના નિર્ણયો મુલતવી રાખવા. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકર
આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઈલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સિંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ, આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભ
માનસિક વ્યગ્રતા રહે. નાણાનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઈ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્‍નીના ગુસ્સાનો સામનો કરવો પડે.

મીન
પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્‍ની સાથે મતભેદ ટાળવા.

આ પણ વાંચો :-

વડોદરામાં કેજરીવાલની એન્ટ્રી પર કોણે લગાવ્યાં મોદી-મોદીના નારા ? જાણો પછી કેજરીવાલે શું કર્યું

0

Who raised Modi-Modi slogans at Kejriwal’s

  • એક સવાલ એ થાય કે, ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં.

ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવતો જાય છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) વચ્ચે લડાઈ લડાતી હતી. જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ મેદાનમાં ઉતરી છે.

તેથી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. એવામાં ગુજરાત પ્રવાસે આવેલાં દિલ્લીના સીએમ અને આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલને એરપોર્ટ પર જ વિચિત્ર સ્વાગતનો અનુભવ થયો. વડોદરા એરપોર્ટ પર જેવી કેજરીવાલની એન્ટ્રી થઈ એવા જ લાગ્યા મોદી-મોદીના નારા…

એક સવાલ એ થાય કે ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં. બે ઘડી તો આ નારેબાજીના કારણે કેજરીવાલ પણ ડઘાઈ ગયા હતાં. જ્યારે સામેથી મોદી-મોદીના નારા દેખાવા લાગ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની શું પ્રતિક્રિયા હતી તે પણ જાણવા જેવું છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે ફરી એકવાર વડોદરા પહોંચ્યા હતા. જોકે  કેટલાક લોકોએ એરપોર્ટ પર તેમની સામે મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

ફરી ખખડ્યા થાળી અને વેલણ, મહિલા પોલીસ કર્મીઓ પર જોરદાર બગડ્યો પોલીસકર્મી, જોઈ લો વીડિયો

જવાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ કેજરીવાલ-કેજરીવાલના નારા લગાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના સીએમ જાણે કંઈ બન્યુ જ ન હોય તેમ હસતા હસતા આગળ વધ્યા હતા. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યાં હતાં. વડોદરામાં ‘ટાઉન હોલ’ કાર્યક્રમને સંબોધવા પહોંચેલા કેજરીવાલની સામે જ એરપોર્ટ પર અચાનક મોદી-મોદીના નારા લાગ્યા.

 આ વર્ષના અંતમાં ભાજપ શાસિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને AAP નેતાએ લોકો સુધી પહોંચવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં સતત 27 વર્ષથી ભાજપની સરકાર છે.

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સિવાય આ વખતે દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી AAP પણ પુરી તાકાતથી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરના સમયમાં મહિલાઓને મફત વીજળી, રોજગાર અને દર મહિને 1000 રૂપિયાની માસિક મદદ જેવા ઘણા વચનો આપ્યા છે.

આ પણ વાંચો :-

ચંડીગઢ MMS લીકનું પગેરું ગુજરાત સુધી પહોંચ્યું, જલદી થઈ શકે છે ચોથી ધરપકડ

0

Chandigarh MMS leak trail reaches

  • ચંડીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.

ચંડીગઢ MMS લીક (Chandigarh MMS Leak) કાંડના તાર મુંબઈ (Mumbai) અને ગુજરાત (Gujarat) સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.

સોમવારે મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સટીની ગર્લ્સ હોસ્ટલ એમએમએસ કાંડમાં ધરપકડ કરાયેલી વિદ્યાર્થીની અને બે યુવકને કોર્ટમાં રજૂ કરાયા હતા.

કોર્ટે ત્રણેયને સાત દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. SIT રિમાન્ડ બાદથી જ આ મામલે તપાસમાં લાગી ગઈ છે અને સોમવારે સાંજથી આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

SIT સાથે જોડાયેલા એક DSP એ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે પૂછપરછ કરી. હવે આ મામલાના તાર મુંબઈ અને ગુજરાત સાથે પણ જોડાઈ રહ્યા છે.

Chandigarh university 60 girls nude taking bath video viral fellow student  send shimla know mpsn | Chandigarh university: 60 लड़कियों के MMS वायरल  वीडियो पर पुलिस का बड़ा बयान, जानिए | Hindi News, Madhya Pradesh

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપીઓના મોબાઈલ ફોન પર ગુજરાત અને મુંબઈથી પણ ફોન આવ્યા છે. તેમનું તેની સાથે શું કનેક્શન છે તે અંગે SIT ટીમ પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આ મામલે એક અન્ય વ્યક્તિ પણ છે જે યુવતીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો.

તેની ધરપકડ થવાની બાકી છે. તેને પકડવા માટે ટીમ નીકળી ચૂકી છે. આરોપી વિદ્યાર્થીની તેના બોયફ્રેન્ડ સન્નીને જે વીડિયો મોકલતી હતી તે વીડિયોને સન્ની એક ડિવાઈસમાં સ્ટોર કરતો હતો. સન્ની પાસેથી તે ડિવાઈસ રિકવર કરી લેવાયું છે અને તેને ફોરેન્સિક ટીમને મોકલી દેવાયું છે.

આ પણ વાંચો :-

નશામાં ધૂત પંજાબ CM ભગવંત માનને જર્મનીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા, વિપક્ષે રાજીનામું માંગ્યું 

0

Drunk Punjab CM Bhagwant Mann kicked

  • પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન એક વખત ફરીથી વિવાદોમાં સપડાયા છે.

ભગવંત માનને જર્મનીમાં (Bhagwant Mann Germany Visits) એક પ્લેનમાંથી નીચે ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીથી પરત ફર્યાં છે, પરંતુ તેમના એક દિવસ બાદ પરત ફરવાને લઈને વિપક્ષી પાર્ટીઓએ (Opposition part) તેમને ઘેર્યાં છે અને જવાબ માંગ્યો છે.

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ, સીનિયર નેતા બિક્રમસિંહ મેજીઠિયા, કોંગ્રેસના પ્રતાપસિંહ બાજવા, સુખપાર સિંહ ખૈહરા વગેરેએ સ્પષ્ટતા માંગી છે.

સુખબીર બાદલે એક ટ્વીટ કરતાં કહ્યું છે કે, જર્મની પ્રવાસ પર ગયેલા મુખ્યમંત્રી ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સની ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માન એટલા નશામાં હતા કે, તેઓ ચાલી પણ નહતા શકતા. તેમના કારણે ફ્લાઈટ પર 4 કલાક મોડી પડી. આ ઘટના વિશ્વભરના પંજાબીઓ માટે શરમજનક છે.

એક સાથી મુસાફરના ટ્વીટના આધારે સુખબીરે જણાવ્યું કે, આ પ્રકારના રિપોર્ટોએ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને પરેશાન કર્યાં છે. આ સાથે જ તેમને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ખાસ વાત છે કે, મુખ્યમંત્રીના આ રિપોર્ટ પર આમ આદમી પાર્ટીએ ચૂપકિદી સાધી છે. તેમણે કેજરીવાલ પાસે સ્પષ્ટતા માંગી છે.

Image

આ સાથે જ તેમણે ભારત સરકાર સમક્ષ હસ્તક્ષેપ કરવાની માંગ કરતા જણાવ્યું છે કે, આ બાબત દેશ અને પંજાબના ગૌરવનો સવાલ છે. સરકારે આ બાબતે જર્મન સરકાર સાથે વાત કરવી જોઈએ.

પંજાબમાં નેતા વિપક્ષ પ્રતાપસિંહ બાજવાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને જર્મનીમાં જે હાલતમાં ફ્લાઈટમાં ઉતારી દેવામાં આવ્યાં છે. તેને જોતા મુખ્યમંત્રીએ નૈતિક્તાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. તેમની આ હરકતે સમગ્ર દેશનું માથું શરમથી ઝૂકાવી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભગવંત માન વધારે દારુ પીવાના કારણે વિવાદોમાં સપડાઈ ચૂક્યાં છે. અગાઉ પણ માન દારુના નશામાં પંજાબમાં કેમ્પેઈન કરતા જોવા મળ્યા હતા.

 આ પણ વાંચો :-

વજન ઘટાડવા માટે ગરમ પાણી પીતા લોકો સાવધાન ! શરીરને પહોંચી શકે છે આ ગંભીર નુકસાન

People who drink hot water to lose weight,

  • વજન ઘટાડવા માટે કેટલાક લોકો ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. આ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.

દરેક વ્યક્તિ ફિટ દેખાવા (Look fit) માંગે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે નિયમિત કસરત અને ડાયેટનું પાલન કરવું પૂરતું નથી. ખરાબ જીવનશૈલીના કારણે લોકોનું વજન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી (hot water) પીવાનું શરૂ કરી દે છે.

પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી પીવાથી અથવા વધારે માત્રામાં ગરમ ​​પાણી પીવાથી તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. મહત્વનું છે કે વધુ પડતું ગરમ ​​પાણી પીવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગરમ પાણી પીતા પહેલા તેના ગેરફાયદા વિશે ચોક્કસથી જાણી લો.

ગરમ પાણી પીવાથી થતું નુકસાન :

  • જો તમે વધારે પ્રમાણમાં ગરમ ​​પાણી પીઓ છો તો તેની તમારી ઊંઘ પર નકારાત્મક અસર પડશે. તમને જણાવી દઈએ કે વારંવાર યુરિન આવવાના કારણે તમે અનિદ્રાનો શિકાર પણ બની શકો છો.
  • વધુ પડતા ગરમ પાણીનું સેવન તમારા શરીરના આંતરિક અંગોને અસર કરી શકે છે. જો તમે વધુ ગરમ પાણી પીશો તો તમારા આંતરડા પર નકારાત્મક અસર થઈ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં ગરમ ​​પાણી પી રહ્યા છો, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
  • જો તમે ગરમ પાણીનું સેવન કરો છો તો તમને હીટસ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. ધ્યાન રાખો કે જો તમે તડકામાં બહાર જવાના હોવ તો ભૂલીને પણ ગરમ પાણી ન પીવો. સાદા પાણીનું જ સેવન કરો. આ સિવાય ગરમ પાણી પીવાથી તમારી જીભને નુકસાન થઈ શકે છે. ગરમ પાણી તમારા ગળા અને હોઠને પણ અસર કરી શકે છે.
  • મહત્વનું કે જો તમે નિયમિતપણે વધુ પડતા ગરમ પાણીનું સેવન કરો છો, તો તમને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

 આ પણ વાંચો :-

ભાજપના નેતા અને શિક્ષિકા વચ્ચેની બિભત્સ ચેટ વાયરલ ! જમીની ફાઈલ ક્લીયર કરવા માંગ્યા રૂપિયા

A nasty chat between BJP leader and teacher

  • ભાજપના પાર્થે જમીનની ફાઇલ ક્લીયર કરવા 7 લાખ રૂપિયા માગ્યા હોવાની ઓડિયો ક્લીપ સામે આવી છે. એટલું જ નહીં આ ઉપરાંત ઉત્તર ગુજરાતની શિક્ષિકા સાથેની બિભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. એટલું જ નહીં હવે ફરી એકવાર ઓડિયો અને વીડિયો ક્લીપ (Video clip) વાયરલ થવાનો દોર શરૂ થઈ ગયો છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં શહેર ભાજપના નેતા પાર્થની એક ઓડિયો ક્લીપ અને એક શિક્ષિકા (Teacher) સાથેની બિભત્સ ચેટિંગ (Nasty chatting) વાયરલ થતાં હાલ ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ હોટલમાં રોકાઈ હતી. ઉત્તર ગુજરાતમાં આવેલી એક સ્કૂલનો ભાડા પટ્ટો વધારવા માટે શહેર ભાજપના પાર્થે 7 લાખ રૂપિયામાં કામ કરાવી આપશે તેમ કહી ટ્રસ્ટની શિક્ષિકાને વડોદરા બોલાવી હતી.

જેમાં પાર્થે યુવતી સાથે બીભત્સ ચેટિંગ કરી હોવાના પણ સ્ક્રીન શોટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલી સ્કૂલની જમીનનો ભાડાપટ્ટો વધારવા માટે ત્યાંની એક શિક્ષિકાએ વડોદરાના વકીલનો સંપર્ક કરી વડોદરા શહેરના ભાજપના પાર્થ સાથે વાતચીત કરાવી હતી. જેમાં આ કામગીરી કરવા માટે પાર્થે 7 લાખ રૂપિયાની માંગ કરી પહેલાં 3 લાખ રૂપિયા અને ખર્ચના 50 હજાર રૂપિયા લઈ લેવા જણાવ્યું હતું.

એડવોકેટ ભાવિન વ્યાસ-ભાજપ નેતા પાર્થની ઓડિયો વાયરલ :

પાર્થ : પેલામાં 6.50થી 7 જેવો ખર્ચ થશે, બીજી વસ્તુ કે એ આપણે ધક્કા થશે એનો ખર્ચ કોણ કાઢશે?

ભાવિન : એ લોકો જ આપશે ને

પાર્થ : બીજું કે સાહેબ તો નીકળી ગયા છે, વાત થઈ નથી હું રાતે વાત કરું છું

ભાવિન : અમે પણ નીકળી ગયા હતા ખંડેરાવ માર્કેટમાં ચિંતનભાઈ ની ઓફિસમાં

પાર્થ : 7 પેટી કહી દે, હમણાં લાખ આપે, 50 હજાર આપણા ખર્ચના.

ભાવિન : સાડા ત્રણ લાખ.

પાર્થ : અને બીજા પોણા ચાર રહ્યા એવું કહી દે.

ભાવિન : થઈ જશે કહી દઉં ને

પાર્થ : એ તો જોઈએ ત્યાં સુધી કંઈ કહેવાય નહીં, મારે વાત થઈ પણ આપણે જે સવાલ છે ને એ જ લોકોના માઇન્ડમાં છે, ક્રિશ્ચન ટ્રસ્ટ છે.

ભાવિન : એટલે મેઇન ટ્રસ્ટી જોડે વાત કરી લઉં.

પાર્થ : બીજી એવી વાત છે જે હું ક્લિયર કરું છું આપણે કામ પહેલા, જઈને આવીએ ત્યાર પછી 500 ના સ્ટેમ્પ પેપર પણ લખાણ લખાવવાનું છે. આ પેમેન્ટ કરે છે તે કોઈ જમીન વિશે એક નથી.

ભાવિન : લીગલ એડવાઇસ

પાર્થ :ના, જમીનની મેટર નથી લેવાની, તેમાં અમારી શાળામાં રમત ગમતની તાલીમ આપવા મારી એકેડેમીનું નામ આપી દઈશ,તેઓએ 2020-21 અને 22માં તાલીમ આપેલી હતી. તે પેટેના 7 લાખ ચૂકવી રહ્યા છે.

ભાવિન : બરાબર

પાર્થ : જેની તાલીમ જુલાઈ 2022 ના રોજ ખતમ થઈ છે અને અમે પેમેન્ટ ચૂકી રહ્યા છે. જમીનનો વિષય ન આવે. કાલે ઉઠીને કોઈ વિષય એવો બને કે મારા ફ્યુચર પોલિટિકલ પર અસર થાય, મારા પર જમીનનો આક્ષેપ થાય તો મારી પાસે સોગંદનામં હોય. આપણા ભવિષ્યનો વિચાર કરી રહ્યો છું. 5 વર્ષ પછી પલટી જઈ અને દાવ લઈને આવે તો શું કરવાનું ?

ભાવિન : હા બરાબર, હું પણ ભરોસો નથી કરતો

પાર્થ : આપણે બે દિવસથી ઓળખીએ છીએ.

શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ સુધી હોટલમાં રોકાઈ હતી. જ્યાં પાર્થ તેને મળ્યો હતો અને ફાઇલ વિશે ચર્ચા કરી હતી. જોકે ત્યારબાદ સાહેબને મળવા માટે 7 લાખમાં કામ થશે તેમ જણાવી હૈયાધારણા આપી હતી, પરંતુ કોઈ કારણસર કામ ન થતાં તે કામગીરી થઈ શકી નહતી.

શહેરના વકીલ અને પાર્થ વચ્ચે વાઇરલ થયેલા ઓડિયોમાં રૂા. 500 સ્ટેમ્પ પર રૂા. 7 લાખ જમીન પેટે નહિ, પરંતુ પાર્થની એકેડેમીએ શાળામાં તાલીમ આપી હોવાથી ચૂકવી રહ્યા હોવાનું લખાવવાની વાત થઈ છે. જોકે આ ઓડિયો સાથે શિક્ષિકા સાથે પાર્થે કરેલી બીભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

આ પણ વાંચો :-