Home Blog Page 1311

જૂનાગઢના બુટગલેરે વીડિયો બનાવી પોલીસને ધમકી આપી, ગોળી મારવી હોય તો મારી દો…

0

Junagadh bootlegger made a video and threatened the police

  • બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે.

જૂનાગઢમાં (Junagadh) સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા પડ્યા છે. જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત સાત જેટલા લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમા તે કોઇ પણ પ્રકારના ખૌફ વિના પોલીસને ધમકી આપી રહ્યો છે.

બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે જેમા તે કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. જો આવી રીતે જ મને હેરાન કરવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઇશ.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

તમને જણાવી દઇએ કે આ પહેલા 22.40 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનું કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને આ દારૂ લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગરનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં ધીરેન કારિયાએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, તે પોતાના પિતાના શ્રાધમાં હતો અને તેની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે સાથે જ ધીરેન કારિયાએ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેનો કેસ વંથલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસ પરત ખેંચવા માટે જ પોલીસે તેના પર ખોટો કેસ કર્યો છે.

આ પણ વાંચો :-

VIDEO : પાકિસ્તાનથી દુબઈ જઇ રહેલી ફ્લાઈટમાં યુવક પઢવા લાગ્યો નમાઝ, ક્રૂએ રોક્યો તો ફ્લાઈટમાં કરી તોડફોડ

ગુજરાતમાં આવેલું છે દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર, માંસ પર છે સંપૂર્ણ પ્રતિબંધ, શું તમારું શહેર તો નથી 

0

Gujarat is home to the world’s first vegetarian

  • ગુજરાતનું પાલીતાણા શહેર દુનિયાનું સૌથી મોટું શાકાહારી શહેર છે. અહીં માંસ સંપૂર્ણપણે બેન છે. જાણો આ શહેર વિશે વિગતવાર

ભારતનાં (India) દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ હોય છે. આ જ પરંપરાઓ અને રિવાજોને કારણે ભારત વિવિધતાસભર દેશ બની જાય કે. એવું માનવામાં આવે છે કે દર 10 કિલોમીટર પર ભારતમાં (India) પરિવર્તન જોવા મળે છે. અમુક એવી જગ્યાઓ હોય છે.

જેની અનોખી પરંપરાથી ભારતની એક અલગ ઓળખાણ બની જાય છે. આમાં ગુજરાતનો એક એવો પ્રદેશ છે, જેના વિશે સૌ કોઈ જાણે છે. આ રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે. જે સંપૂર્ણ રીતે શાકાહારી (Vegetarian) છે. પાલીતાણા શહેરની આપણે વાત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. આ શહેરમાં માંસ સપૂર્ણ રીતે ગેરહાજર છે.

દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર  :

ગુજરાતનાં પાલીતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માંઆ 200થી વધારે જૈન મુનિ અને સંતોએ હન્ગર સ્ટ્રાઈક કરી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લૉટર હાઉસ પર બેન લગાવવામાં આવે.

આ સ્ટ્રાઈકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું. તમને જણાવી દઈએ કે  આ શહેર ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં સ્થિત છે. અહીં શત્રુજયની પહાડીઓ છે. આ શહેરમાં લગભગ 1000થી વધારે મંદિર છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

અહીં જૈન ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. આવામાં ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની માંગ હતી, આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત માની લીધી. આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો અને લોકોને ચેતવણી આપવામાં આવી કે આ પ્રકારની ગતિવિધિઓમાં જો કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પાલીતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બની ગયું છે.

જૈન ધર્મનું સૌથી પવિત્ર સ્થળ  :

ગુજરાતનાં પાલીતાણા શહેરમાં સુંદર પહાડોની શૃંખલા છે. આ જૈન ધર્મનાં અનુયાયીઓ માટે કેન્દ્ર માનવામાં આવે છે. આવા અહીં ઘણાઆ મંદિરો છે, જે મુખ્ય રૂપથી જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે. સૌથી મોટું ચોમુખા મંદીઓર છે. આ ઉપરાંત કુમારપાળ, સમપ્રતિ રાજ, વિમલ શાહ મંદિર પણ અહીં જ છે. મંદિરોના વાસ્તુ કળાને જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

સંગેમરમરનાં પત્થરોથી નિર્મિત આ મંદિર પોતાની વાસ્તુકળાને લઈને એક અલગ જ છાપ છોડે છે. 11મીથી 12મી સદી દરમિયાન અહીં જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે એ કે ઋષિ મુનિઓને મોક્ષની પ્રાપ્તિ અહીં જ થઈ હતી અને એટલા માટે પાલીતાણાને જૈન અનુયાયીઓ માટે સૌથી પવિત્ર શહેરના ઉપમા જોવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

સુરતના Dumas Beachને કેમ ભૂતિયા હોવાની વાત ફેલાવે છે લોકો ? રહસ્યોથી ઘેરાયેલી છે કહાની

0

Why do people spread the word that Dumas Beach

  • ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે.

દરિયા કિનારે (on the seashore) જઈને લોકોને ઘણી શાંતિ મળે છે. પણ ઘણા એવા બીચ છે જ્યાં જવા માટે હિંમતની જરૂર પડે છે. એ અમુક બીચની કહાનીઓ ભૂતથી જોડાયેલ છે અને તેને ભૂતિયા બીચ (Haunted Beach) તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ મહત્વ અને કહાનીઓ ધરાવતા આ બીચ વિશે ચાલો જાણીએ.

આજ સુધી ભૂતિયા ઘર અને જગ્યાઓ વિશે સાંભળ્યું હશે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દરિયાકિનારો ભૂતિયા હોય? આપણા ગુજરાતના સુરતમાં આવેલો ડુમસ બીચ સ્થાનિકોમાં તો ઘણો ફેમસ અને ચર્ચિત છે પણ ડુમસ બીચને ઈન્ટરનેટ પર લોકો એક અલગ રીતે ઓળખી રહ્યા છે. આ બીચનું નામ પડતા જ લોકો ડરવા લાગે છે.

ડુમસ બીચ – Dumas Beach :

ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે. ડુમસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલ છે. ત્યાં જોડાયેલ સ્થાનિક વાર્તાઓને અનુસાર કહેવામાં આવે છે કે એ દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો અને તેને કારણે જ એ દરિયા કિનારાની રેતી કાળી છે.

આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

જો કે ઘણા લોકો આ વાત માનતા નથી પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો આ બીચ પર રાત્રે એકલા ગયા છે એ ક્યારેય પાછા ફર્યા નથી. અને તેને કારણેજ સુરતના ડુમસ બીચનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. રાતના સમયે આ બીચની આસપાસ કોઈ વ્યક્તિ ભટકતુ પણ નથી.

ચાંદીપૂર બીચ – Chandipur Beach :

બંગાળની ખાડીના કિનારે આવેલ આ બીચને સુપ્ત સમુદ્ર તટ પણ કહેવામાં આવે છે કારણકે ત્યાંના દરિયામાં આવતા મોજા લો ટાઈડ એટલે કે ઓરતીને કારણે 5 કિલોમીટર સુધી પાછળ ચાલ્યા જાય છે. કહેવાય છે કે આ ઘટના દિવસમાં 2 વખત થાય છે.

મુઝપ્પિલંગડ બીચ – Muzhappilangad Beach :

આ બીચ એશિયામાં સૌથી લાંબી ડ્રાઇવ માટે જાણીતો છે. આ  જગ્યા પર તમે બીચ રોડ ટ્રિપ લઈ શકો છો. મુઝપ્પિલંગડ બીચ કેરળના કન્નુરમાં લગભગ 5 કિલોમીટર જેટલો લાંબો પટ છે. લોકો અહીંઅલગ અલગ વોટર સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવે છે. આ સાથે, તમે અહીં બેસ્ટ સીફૂડનો પણ આનંદ લઈ શકો છો.

આ પણ વાંચો :-

3300GB ડેટા, 75 દિવસની વેલીડિટી…કિંમત ફક્ત 275 રૂપિયા, આ કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર

3300GB data, 75 days validity…

  • આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે, આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.

આજકાલ વધતાં કોમ્પિટિશન વચ્ચે ટેલિકોમ કંપનીઓ (Telecom company) અલગ અલગ ઓફર્સ રાખીને ગ્રાહકોને તેની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે આ બધા વચ્ચે BSNL પણ યુઝર્સને ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. BSNL એ થોડા સમય પહેલા સ્વતંત્રતા દિવસની (Independence Day) ઓફર રજૂ કરી હતી.

જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થાય છે.  જો કે જણાવી દઈએ કે ફક્ત BSNL બ્રોડબેન્ડ યુઝર્સ જ આનો લાભ લઈ શકે છે. BSNLની આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.

BSNL બ્રોડબેન્ડ યુઝર્સને મળે છે 3300GB હાઇ સ્પીડ ડેટા :

આ પ્લાન સાથે BSNL બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB હાઈ સ્પીડ ડેટા પણ મળે છે. આ 3300GB ડેટા 60Mbps હાઈ સ્પીડ સાથે આપવામાં આવે છે. પ્લાનમાં ડેટા પૂરા થયા પછી સ્પીડ ઓછી થઈ જાય છે અને તમારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

BSNLના આ બ્રોડબેન્ડ પ્લાન સાથે યુઝર્સને વધુ એક ફાયદો મળી રહ્યો છે અને એ છે યુઝર્સ પાસેથી કંપની કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ વસૂલતી નથી. એટલા માટે જો તમારું બજેટ ઓછું છે અને ઘર પર સસ્તું બ્રોડબેન્ડ સર્વિસ મેળવવા માંગતા હોય તો આ પ્લાન સારો છે.

જણાવી દઈએ કે હાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ 5G સર્વિસ સાથે તમને ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળી શકે છે. જોકે હાલ પ્રારંભિક તબક્કામાં આ 5G સર્વિસ માત્ર મેટ્રો શહેરોમાં જ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

 

આજનું રાશિફળ 20 સપ્ટેમ્બર : કન્યા-કુંભ રાશિના જાતકોને ધંધામાં લાભ થવાના સંકેત, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope September 20 Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્ની સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવા.

મિથુન
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતી થતી જણાય. સત્ય વાત શાંતીથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ, આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્ક
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યા
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાન દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા-પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્યદાયક બનતી જણાય. પોતાના અહ‍્મનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધન
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકર
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાના દુખાવો રહે.

કુંભ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીન
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિ સ્પર્ધીઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પતિ બેન્કર અને પત્ની CA, નોકરી છોડી બંનેએ શરૂ કરી ખેતી, હવે વર્ષે દહાડે કરે છે કરોડોની કમાણી

0

Husband banker and wife CA, both quit their

  • અભ્યાસ કર્યા બાદ લોકો નોકરી શરૂ કરે છે અને કેટલાક લોકોને એકદમ ઓછા સમયમાં સફળતા મળી જાય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સારી એવી નોકરી છોડીને કોઇ ખેતી (Organic Farming) શરૂ કરી દીધી છે.

જોધપુરના એક કપલે એવું કર્યું છે કે જામેલી નોકરી છોડીને ખેતી શરૂ કરી અને આજે તેમનો વાર્ષિક નફો લગભગ 1 કરોડ રૂપિયા છે.

જોધપુરના (Jodhpur) રહેવાસી લલિતે (Lalite) એમબીએ કર્યા બાદ બેંકમાં નોકરી જોઇન કરી, જ્યારે તેમની પત્ની ખુશ્બુ ચાર્ટર્ડ એકાઉન્ટેટ હતી. ત્યારબાદ તેમણે જોબ છોડીને ઓર્ગેનિક ખેતી (Organic Farming) શરૂ કરી અને તેને પ્રોફિટનો બિઝનેસ (Business of profit) બનાવી દીધો. આજે લલિત અને ખુશ્બુ બીજા માટે ઉદાહરણ બની ગયા છે. જે ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે.

નોકરી દરમિયાન લલિત ઓર્ગેનિક ખેતી વિશે વધુ જાણતા નથી અને તેના વિશે બસ તેમણે સાંભળ્યું હતું. જોકે તેની શરૂઆત કરતાં પહેલાં જૈનિક ખેતી પર સંપૂર્ણ રિસર્ચ કર્યું અને જોધપુર આવીને ઉદ્યાન વિભાગમાંથી ટ્રેનિંગ લીધી. તેમણે પોલીહાઉસ અને ગ્રીન હાઉસ વિશે સમજ્યા. જયપુરમાં કૃષિ રિસર્ચ સેન્ટરમાં ઉદ્યાન વિભાગના અધિકારીઓ પાસેથી બારીકીઓ શીખી.

જ્યારે લલિતે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી ત્યારે લોકોએ તેમને ડરાવ્યા કે આ સક્સેસ નથી, પરંતુ તેમણે તેની ચિંતા કરી નહી અને આ ક્ષેત્રમાં ઉતરવાનો નિર્ણય કર્યો. લલિતે કહે છે કે તેના માટે જ્યારે તેમણે પિતાના પૂર્વજોની જમીન માંગી તો શરૂઆતમાં તે રાજી થયા નહી, પરંતુ પછી ધીમે ધીમે માની ગયા.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

ટ્રેનિંગ બાદ લલિતે પોતાના ફાર્મ પર શેડનેટ હાઉસ લગાવી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે પોલીહાઉસ પણ લગાવ્યું. તેમણે ઉદ્યાન વિભાગ પાસે ગ્રાન્ટ લઇને ખીરાનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું અને તેના માટે તુર્કીથી બીજ મંગાવ્યા. વર્ષ 2015-16 માં અડધા વિના જમીન પર કુલ 28 ટન ખીરા કાકડીનું ઉત્પાદન શરૂ કયું અને ચાર લાખ રૂપિયાના ખર્ચે 12 થી 13 લાખ રૂપિયાનો શુદ્ધ ફાયદો થયો.

ત્યારબાદ લલિતે નર્સરીની શરૂઆત કરી અને તે સમયે તેમનું ટર્નઓવર 23 થી 30 લાખ રૂપિયા હતું. ત્યારબાદ ધીમે ધીમે આ 60 થી 80 લાખ રૂપિયા સુધી પહોંચ્યું. આજે તેમની વાર્ષિક કમાણી 1 કરોડ રૂપિયાથી વધુ છે.

લલિતની પત્ની ખુશ્બુ સીએ છે અને શરૂઆતમાં તેમને ઓર્ગેનિક ખેતી વિશે કંઇપણ જાણકારી ન હતી. જોકે તેમણે પોતાના પતિને પુરો સપોર્ટ કર્યો અને હવે તે સંપૂર્ણ બિઝનેસને સંભાળી રહ્યા છે. ખુશ્બુ કહે છે કે આજે તે લોકો અત્યાર સુધી 60 હજારથી વધુ ખેડૂતોને ખેતીના ગુણ શીખવાડી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

નવરાત્રિમાં વરસાદ અંગે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, ખેલૈયાઓ આ વાંચીને પછી કરજો પ્રેક્ટિસ

0

Meteorological Department’s Biggest Forecast   Then

  • આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. કોરોના કાળમાં બે વર્ષ ખેલૈયાઓ અને ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. આ વખતે કોરોનાનું જોખમ ઓસરતા ખેલૈયાઓ અને યુવા હૈયાઓ નવરાત્રિમાં નવ દિવસ મનમુકીને ગરબા રમવાના ઓતરા લઈને બેઠાં છે.

ગુજરાતમાં (Gujarat) નવરાત્રિ (Navratri) અંગે સૌથી મોટા સમાચાર. ગરબે ઘુમવાની (Wander around) મહેચ્છાઓ સાથે થનગની રહેલાં ખેલૈયાઓ માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. નવરાત્રિમાં (Navratri 2022) વરસાદ વિલન બનીને મજા બગાડશે એવી દ્વિધા ઘણાં સમયથી ગરબા રસિકો અને ગરબા આયોજકોને સતાવી રહી હતી.

વચ્ચે ક્યાંક ક્યાંક એવા સમાચારો પણ વહેતાં થયા હતા કે વરસાદ વિલન બનીને ગરબાની મજા બગાડી શકે છે. જોકે, આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે કરેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છેકે, આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

ઉલ્લેખનીય છેકે, આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. કોરોના કાળમાં બે વર્ષ ખેલૈયાઓ અને ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. આ વખતે કોરોનાનું જોખમ ઓસરતા ખેલૈયાઓ અને યુવા હૈયાઓ નવરાત્રિમાં નવ દિવસ મનમુકીને ગરબા રમવાના ઓતરા લઈને બેઠાં છે. ત્યારે એક સંભાવના એવી ચર્ચામાં હતી કે, આ વખતે વરસાદ પાછો ખેંચાયો છે, તેને પગલે નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન બનીને રંગમાં ભંગ પાડી શકે છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

જો કે હવામાન વિભાગે આ વાતને અફવા ગણાવીને તેનો છેડ ઉડાડી દીધો છે. હવામાન વિભાગે હાલમાં જ કરેલી આગાહી મુજબ આગામી 26 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આ સમાચારથી ગરબા રસિકોને ચોક્કસથી મનમાં હાશકારો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, આ ઉપરાંત હાલ પુરતો રાજ્યમાં ક્યાંય કોઈ વરસાદી મહોલ નથી.

આજે દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી મહત્ત્વની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધી શકે છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા એના કચ્છમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ એક્ટીવ થઈ રહી છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો રાજ્યના દક્ષિણ ઝોન એટલે કે, સુરત, તાપી, વાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વરસાદ પડી શકે છે. જોકે, એકંદરે નવરાત્રિમાં વરસાદ નહીં પડે તેવી આગાહીથી ખેલૈયાઓને મોજ પડી જશે.

આ પણ વાંચો :-

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંઘનો કથિત અશ્લિલ VIDEO વાયરલ, રડતાં રડતાં અભિનેત્રીએ કરી કબૂલાત

Bhojpuri actress Akshara Singh’s alleged

  • ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહનો MMS વીડિયો લીક થવાનો મામલો સામે આવ્યો હતો અને એ પછી તુરંત અભિનેત્રીનો રડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલા કચ્ચા બદામ ગર્લ (Raw Nut Girl) અંજલિ અરોરાનો (Anjali Arora) એક MMS વીડિયો લીક થયો હતો અને તેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો પણ અંજલિએ સાફ કહી દીધું હતું કે આ વિડીયો તેનો નહતો પણ એ છતાં પણ આ મામલો શાંત નહતો થયો.

એમાં આ દરમિયાન વધુ એક MMS લીકના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે આ વાયરલ થયેલ MMS ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનો છે. જણાવી દઈએ કે આ MMS વીડિયો લીક થયા પછી અક્ષરા સિંહનો બીજો એક રડતો વીડિયો વાયરલ થયો છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

હાલમાં જ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહનો MMS વીડિયો લીક થવાનો મામલો સામે આવ્યો હતો અને એ પછી તુરંત અભિનેત્રીનો રડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અક્ષરા સિંહ કહેતી જોવા મળી હતી કે તેને નિશાનનો બનાવીને કોઈ ફેક ન્યૂઝ ચલાવી રહ્યો છે અને કોઈ પર કટાક્ષ કરતાં કહે છે કે જો તમે મોટા છો તો તમારા કામથી પણ મોટા બનો.

જો કે આમાં પણ એક ટ્વીસ્ટ છે અને અક્ષરા સિંહનો રડતા જે કથિત વીડિયો વાયરલ થયો છે એ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે. તેના આ કથિત વીડિયોમાં અભિનેત્રી હાથ જોડીને જોવા મળી રહી છે. એ વાયરલ વીડિયોમાં અક્ષરા કહી રહી છે કે તેને મને હેરાન કરી છે. જો કે તમને જણાવી દઈએ કે એક યુટ્યુબ ચેનલે દાવો કર્યો હતો કે આ MMS વિડિયો અક્ષરા સિંહનો છે અને એ પછી એમનો MMS વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-