Home Blog Page 1309

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, સાંભળીને થઇ જશો ખુશ

0

Finance Minister made a big announcement

  • પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી પરેશાન લોકો માટે કામના સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે.

પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) વધતા જતા ભાવથી પરેશાન લોકો માટે કામના સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે. જોકે આંતરરાષ્ટ્રીય કિંમતોને (International prices) ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા ટેક્સની સમીક્ષા દર પંદર દિવસે કરવામાં આવશે.

નાણામંત્રીએ કહી મોટી વાત :

નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ એક મુશ્કેલ સમય છે અને વૈશ્વિક સ્તર પર ઓઇલના ભાવ બેલગામ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ‘અમે નિર્યાતને હતોત્સાહિત કરવા માંગતા નથી પરંતુ ઘરેલૂ સ્તર પર તેની ઉપલબ્ધતા વધારવા માંગીએ છીએ. જો ઓઇલ ઉપલબ્ધ નહી થાય અને નિર્યાત અપ્રત્યાશિત લાભ સાથે રહેશે તો તેમાં ઓછામાં ઓછો ભાગ પોતાના નાગરિકો માટે પણ રાખવો જરૂરી રહેશે.

પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ પર નિર્યાત ટેક્સ :

સરકારે શુક્રવારે જ પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણના નિર્યાત પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને એટીએફના નિર્યાત પર છ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના નિર્યાત પર 13 રૂપિયા પ્રતિ લીટરના દરથી ટેક્સ લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ નવો નિયમ એક જુલાઇથી લાગૂ થઇ ગયો છે.

સ્થાનિક સ્તર પર ઉત્પાદિત ઓઇલ પર પણ ટેક્સ :

રૂપિયાના ઘટાડા પર નાણામંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર આયાત પર રૂપિયાના મૂલ્યની અસરને લઇને પણ સંપૂર્ણપણે સચેત છે.

આ પણ વાંચો :-

ગુડ્ડુભૈયા ચડશે ઘોડીએ, ભોલી પંજાબન સાથે કરશે લગ્ન, લાંબા સમયથી પ્રેમમાં ગળાડૂબ કપલ આખરે પરણી જશે

0

Guddubhaiya will ride a horse, Bholi will

  • બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અલી ફઝલ સાથે 4 ઓક્ટોબરના રોજ લગ્ન કરશે.

અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadha) તેના પ્રેમી અલી ફઝલ (Ali Fazal) સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને જ્યારે ચાહકો તેમના લગ્ન કેવા હશે તે વિશે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે તેના લગ્નની (Marriage) તારીખ 4 ઓક્ટોબર છે.

4 ઓક્ટોબરના રોજ થશે લગ્ન  :

તેમના લગ્નના રિવાજો 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. લગ્ન પહેલાના ત્રણ ફંક્શન્સ – કોકટેલ, સંગીત અને મહેંદી થવાની સંભાવના છે. આ ત્રણેય પ્રસંગો નવી દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે.

આ દરમિયાન સમાચારો સામે આવી રહ્યા છે કે રિચા ચઢ્ઢાના લગ્ન માટે આભૂષણો બિકાનેરના એક 175 વર્ષ જૂના જ્વેલર પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવશે. જે દુલ્હનના આભૂષણો બનાવવા માટે પ્રચલિત છે.  દિલ્હીના સમારોહ માટે, રિચાના આભૂષણોને તૈયાર કરવામાં આઆવી રહ્યા છે.

રિચા ચઢ્ઢા-અલી ફઝલનું પ્રી વેડિંગ સેલિબ્રેશન  :

બંનેનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ભારતના સૌથી જૂના ક્લબમાં થશે. આ ક્લબ દિલ્હીના જીમખાના ક્લબના નામથી પ્રચલિત છે. 1913માં ક્લકબની સ્થાપના થઈ હતી. એવું કહેવાય છે કે અહીં સભ્યપદ માટે લગભગ 37 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે.

આ પણ વાંચો :-

બાળપણમાં ઇંદિરા ગાંધી જેવી દેખાતી હતી કંગના રનૌત, પરિવારે પણ એક્ટ્રેસને આપ્યું હતું આ ખાસ નામ

Kangana Ranaut looked like Indira Gandhi

  • બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે.

આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની (Former Prime Minister Indira Gandhi) ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર 14 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં એક્ટ્રેસના લુક્સ અને એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. કંગના બિલકુલ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) જેવી લાગે છે. આ દરમિયાન એક્ટ્રેસે તેના બાળપણની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે જણાવી રહી છે કે તે બાળપણથી જ ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી.

કંગનાએ બાળપણની તસવીરો શેર કરી :

એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બાળપણની બે તસવીરો શેર કરીને પોતાની સરખામણી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી સાથે કરી હતી. એક તસવીરમાં કંગના સ્કૂલ યુનિફોર્મમાં છે. તેના કેપ્શનમાં તે લખે છે, ‘આ માત્ર સંયોગની વાત છે કે બાળપણમાં તેના સંબંધીઓ તેને ઈન્દિરા ગાંધી કહેતા હતા કારણ કે તેની હેરસ્ટાઈલ બિલકુલ તેમના જેવી જ હતી.’

બીજી તસવીર શેર કરતા કંગનાએ કહ્યું કે તેણે કોઈની હેરસ્ટાઈલ કોપી નથી કરી. તેને શરૂઆતથી જ તેની સ્ટાઈલ ગમતી હતી. તે વાળંદ પાસે જઈને તેની પસંદગી મુજબ તેના ટૂંકા વાળ કપાવી લેતી. કારણ કે કંગનાના વાળ વાંકડિયા છે, આ કારણે તેને ટૂંકા વાળમાં ઈન્દિરા ગાંધી કહેવામાં આવતી હતી.

કંગનાએ ઈન્દિરા ગાંધીના લૂકમાં તેના પાત્રની ઝલક દેખાડી હતી :

કંગના રનૌતની ‘ઇમરજન્સી’ 1975ની ઇમરજન્સી પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મનું પ્રોડક્શન કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે અને તે ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. થોડા દિવસો પહેલા કંગનાએ સેટ પરથી એક તસવીર શેર કરી હતી.

જેમાં તે ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી. કેપ્શનમાં પોતાની ઓળખ અંગે ચિંતા વ્યક્ત કરતાં કંગનાએ લખ્યું કે, એક એક્ટર તરીકેના પાત્રમાં આવ્યા પછી તમે ક્યારેય એવા વૃદ્ધ નથી રહેતા. પાત્રના નિશાન એક નિશાનીની જેમ એક્ટર સાથે રહે છે.

ફિલ્મ ક્યારે આવી રહી છે ?

ફિલ્મ ‘ઇમરજન્સી’ 1975માં કયા સંજોગોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઈમરજન્સીની ઘોષણા પછીના પરિણામો પણ બતાવવામાં આવશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી કારણ કે તેનું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :-

શખ્સે ગરમીથી બચવા અપનાવ્યો ગજબ જુગાડ ! માથા પર જ ફિટ કરી દીધો પંખો, VIDEO જોઇને મગજ ચકરાવે ચડી જશે

0

The man adopted a great game to escape

  • સોશિયલ મીડિયા પર હાલ એક જુગાડનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેના માથા પર સોલર ફેન ફિટ કરીને ચાલતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા (Social media) પર આપણે દરરોજ કોઈને કોઈ વ્યક્તિને પોતાના મુશ્કેલ કામોને સરળ બનાવવા માટે ગજબના જુગાડ કરતા જોઈએ છીએ. તે જ સમયે આવા જુગાડ ઘણી વખત આપણને ચોંકાવનારા પણ હોય છે. તો અમુક લોકો આવા જુગાડનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. જો બાદમાં ખૂબ જ વાયરલ થઈ જાય છે.

હાલમાં જ એક વૃદ્ધ વ્યક્તિને ગરમીથી છુટકારો મેળવવા માટે અનોખો જુગાડ લગાવતા જોવામાં આવ્યો છે. જેને જોઈને સારા સારા એન્જિનિયરોના મગજ પણ ચકરાવે ચઢી જશે. વીડિયોમાં જોવા મળી રહેલા વૃદ્ધ શખ્સે માથા પર બાંધેલા કપડા પર એક હેલમેટ પહેર્યું છે. તેના પર એક પંખાને લટકેલો જોઈ શકાય છે. જે ચાલું છે અને કામ કરી રહ્યો છે. વૃદ્ધ શખ્સે આ પંખાને ચલાવવા માટે સોલર એનર્જીનો ઉપયોગ કર્યો છે.

હેલમેટ પર ફિટ કર્યો સોલર ફેન :

વિડિઓમાં વ્યક્તિના હેલમેટ પર ફેન તેમજ સોલર પ્લેટ જોવા મળે છે. જેમાંથી ફેન ચલાવવા માટે  વીજળી બની રહી છે. હાલમાં વીડિઓ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સ આ જોઈને ચોંકી ઉઠ્યા છે.

જુગાડ થયો વાયરલ :

સમાચાર વખાયા ત્યાં સુધી સોશિયલ મીડિયા પરની વીડિઓને કરોડો વ્યૂઝ મળી ચુક્યા છે. હાલમાં, વીડિઓ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેમની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘આ ટેક્નોલોજી ઈન્ડિયાની બહાર ન જવી જોઈએ’. બીજા વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને ‘ટેક્નિકલ બાબા’ કહ્યા છે. જ્યારે બીજાએ વૃદ્ધ વ્યક્તિને ‘અજુબા બાબા‘ કહ્યા છે.

આ પણ વાંચો :-

લક્ઝરી કારના શોખીન રાજુ શ્રીવાસ્તવ હતા કરોડોના આસામી, જાણો કેટલું છે નેટવર્થ

Luxury car enthusiast Raju Srivastava

  • કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવનું નામ પણ સામેલ હતું. બધાને હસાવતા રાજુ શ્રીવાસ્તવ આજે બધાને રડાવીને દુનિયાને અલવિદા કહી દીધુ છે.

કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવનું (Raju Srivastava) નામ પણ સામેલ હતુ. બધાને હસાવતા રાજુ શ્રીવાસ્તવ આજે બધાને રડાવીને દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેઓ છેલ્લા 40થી વધુ દિવસોથી હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. સ્ટેન્ડઅપ કોમેડીથી (Standup comedy) ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) આ મુકામ પર પહોંચ્યા છે.

બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા 40થી વધુ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. તેમને 10 ઓગસ્ટનથી જ દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા અને ડોક્ટર્સે તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.

સ્ટેન્ડઅપ કોમેડીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ આ મુકામ પર પહોંચ્યા છે. એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ આજે આલિશાન મકાનમાં રહેતા હતા. તેઓ કરોડોની કિંમતની કાર ચલાવે છે. ચાલો જાણીએ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવની કમાણી, ઘર, કાર અને નેટવર્થ વિશે.

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું. તેઓ પોતે કવિ છે અને બલાઈ કાકા તરીકે જાણીતા છે. રાજુને પણ તેમના પિતા પાસેથી પ્રતિભા મળી. તેઓ નાનપણથી જ સારી મિમિક્રી કરતો હતો.

રાજુએ નાનપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે રાજુ શ્રીવાસ્તવે ઘણા સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર રાજુ શ્રીવાસ્તવ પોતાના દરેક સ્ટેજ શો માટે 4થી 5 લાખ રૂપિયા જેટલી ફી લે છે. રાજુ સાથે જાહેરાત, હોસ્ટિંગ અને ફિલ્મોમાંથી પણ રાજુ શ્રીવાસ્તવ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર રાજુ શ્રીવાસ્તવની ટોટલ નેટવર્થ 20 કરોડ રૂપિયા છે. તે સાથે રાજુ શ્રીવાસ્તવની પાસે આલીશાન ઘર પણ છે. તેમના ઘરમાં તમામ સુવિધાઓ છે. તે સાથે તેમની પાસે કાનપુરમાં પણ પોતાનું ઘર છે.

રાજુ શ્રીવાસ્તવ લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે કારનું સારું કલેક્શન છે. તેમના કારના કાફલામાં ઈનોવા, BMW 3ની કિંમત 46.86 લાખ રૂપિયા છે અને ઓડી Q7ની કિંમત 82.48 લાખ રૂપિયા છે. રાજુ શ્રીવાસ્તવ ‘બાઝીગર’, ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’, ‘મેં પ્રેમ કી દિવાની હૂં’ અને ‘કેદી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સાથે જ તેમણે ટીવી શો ‘શક્તિમાન’માં પણ કામ કર્યું છે, પરંતુ રાજુ શ્રીવાસ્તવને સ્ટેન્ડઅપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ ની પહેલી સિઝનમાં ભાગ લીધા બાદ ઓળખ મળી હતી. તેના પછી રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

રાજુના અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1 જુલાઈ 1993ના રોજ શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ દર મહિને લગભગ 10 લાખ સુધી કમાય છે. રાજુ શ્રીવાસ્તવ લગભગ 15થી 20 કરોડની સંપત્તિના માલિક છે.

આ પણ વાંચો :-

દુબઈનો મુસાફર પેટમાં એક કિલો સોનું લઈને આવ્યો : ચાર કેપ્સૂલ પેટમાં સંતાડી રાખી હતી, જાણો કઈ રીતે ભાંડો ફુટ્યો

Dubai passenger brought one kg of

  • દુબઈનો એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેને સોમવારે કેરલના કરીપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે.

દુબઈનો (Dubai) એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેને સોમવારે કેરલના (Kerala) કરીપુર એરપોર્ટ (Karipur Airport) પરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખાણ રાજ્યના મલપ્પુરમ (Malappuram) જિલ્લાના વરિયામકોડના મૂળ નિવાસી નૌફલ (36) તરીકે થઈ છે.

નૌફલ સોમવારે દુબઈના કરીપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેને પેટમાં ચાર કેપ્સૂલ છુપાવીને 1.063 કિલો સોનું તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના શરીર અને સામાનનું ચેકીંગ કર્યું, પણ સોનું શોધવામાં નિષ્ફળ રહ્યા.

ત્યાર બાદ તેને કોંડોટ્ટીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સરેમાં તેના પેટની અંદર સોનાની ચાર કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા અમુક મહિનામાં કરીપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીનો આ 59મો કિસ્સો છે.

આ અગાઉ જયપુર એરપોર્ટ પર 1 કિલો સાનું જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત લગભગ 55 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. સોનાની ત્રણ અલગ અલગ તસ્કર શાહજહાંથી લઈને આવ્યા હતા. ત્રીજો જણ સોનાના ચાર બોલ ગળી ગયો હતો. તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. ડોક્ટરની મદદથી તેના પેટમાંથી સોનું બહાર કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

કેવી રીતે બદલાય છે ક્રિકેટના નિયમો ? જાણો કોને પૂછીને કરવામાં આવે છે નિયમોમાં બદલાવ

0

How do the rules of cricket change

  • ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવાના છે.

સમયાંતરે ક્રિકેટની રમતમાં (The game of cricket) નિયમો સતત બદલાતા રહે છે. સમયને અનુરૂપ આ નિયમોમાં પરિવર્તન આવશ્યક છે. ત્યારે તમને થતું હશે કે આખરે આ ક્રિકેટની રમતના (Cricket) નિયમો કોણ બનાવે છે ? બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં (Fielding) શું ફેરફાર કરવા ? ક્યારે નો બોલ આપવો ક્યારે એકસ્ટ્રા રનને માન્યતા આપવી ક્યારે આઉટ આપવો આ બધું કેવી રીતે નક્કી થાય છે ?

તો ક્રિકેટ અને તેના નિયમો અંગેના તમારા સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળશે. ક્રિકેટના નિયમો મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) નામની સંસ્થા બનાવે છે. આ સંસ્થા સમયે જતા નિયમોમાં ફેરફાર કરતી રહેતી હોય છે. આ સંસ્થા 1787માં બની હતી. 1814માં લોર્ડ્સમાં આની હેડ ઑફિસ બની હતી. 1993માં MCCના એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નેંસ કામોને ICCને સોંપી દેવામાં આવશે. હવે MCCની પાસે માત્ર નિયમો અને તેના સંબંધિત કાર્યો જ રહ્યા છે.

MCCમાં 18 હજાર ફુલ મેમ્બર અને 5 હજાર એસોશિએટ મેમ્બર છે. કોઈપણ મનિયમમાં બદલાવ માટે બે સભ્યોની અનુમતિ જરૂરી છે. સંસ્થા નવા નિયમ બનાવતી પહેલા અંપાયર્સ, સ્કોરર અને પ્લેયર્સ કમિટી સાથે ચર્ચા વિચારણા કરે છે. આ બધાની જ અનુમતિ પછી સંસ્થા ICCને પ્રસ્તાવ મોકલે છે. આ પછી ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીની મિટિંગમાં જેતે નિયમોને મંજૂરી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છેકે, ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ ક્રિકેટના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની રમતમાં માંકડિંગ આઉટનો નિયમ માન્ય નહિ ગણાય તેને બદલે ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખવાનું નક્કી કર્યું છે. ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે.

ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં બનેલી કમિટીના આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ આ બદલાયેલા નિયમોની હેઠળ રમાશે.

આ પણ વાંચો :-

અમદાવાદના મકાનના ધાબા પરથી 9 મહિલા ઝડપાઇ, કરતી હતી ન કરવાનું કામ

9 women were caught from the roof

  • જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.

સામાન્ય રીતે સાતમ આઠમમાં દરમિયાન જુગાર રમવાનો (To gamble) ક્રેઝ જોવા મળતો હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. એટલું જ નહીં હવે તો મહિલાઓ પણ જુગાર રમી રહી હોય તેમ અનેક જગ્યાએ પોલીસે રેડ કરી જુગાર રમતી મહિલાઓએ (Gambling women) ઝડપી લીધી છે. ત્યારે શહેરના ક્રુષ્ણનગર વિસ્તારમાંથી મકાનનાં ધાબા પર જુગાર રમતી નવ મહિલાઓને પોલીસે ઝડપી લીધી છે.

કૃષ્ણનગર પોલીસ પેટ્રોલિંંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે વિભાગ 1ના મકાન નંબર ઇ 520માં મહિલાઓ ખુલ્લામાં ધાબા પર ગંજીપાના તેમજ પૈસા વડે હાલ જીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.

આ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 5980, દાવના નાણાં રૂપિયા 700 અને મોબાઈલ ફોન 3 નંગ સહિત રૂપિયા 16,180 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે મહત્વની બાબત તો એ છે કે આ તમામ મહિલાઓ ધાબા પર જુગાર રમી રહ્યા હતા. પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી લીધી છે.

આ મહિલા ઓ કેટલા સમયથી અહીં જુગાર રમતાં હતાં. અને જુગાર કોણ રમાડતું આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.  આ સિવાય પણ અગાઉ અનેક જગ્યા એ મહિલાઓને જુગાર રમતા પોલીસે પકડી પાડેલ છે.

આ પણ વાંચો :-

‘દૂધ નહીં મળે’ અફવાથી દૂર રહો : દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, રાત્રે થઈ હતી પડાપડી

0

Stay away from ‘no milk available’ rumour

  • ગઇકાલે મોડી રાત્રે ‘દૂધ નહીં મળે’ એવી અફવા ફેલાવાના કારણે અનેક શહેરોમાં પાર્લર પર દૂધ લેવા પડાપડી થઇ હતી.

માલધારી સમાજ (Merciful society) દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર (Gujarat Govt) વિરૂદ્ધ લડત આપી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા તેમજ સરકાર સુધી અવાજ પહોંચાડવા આજે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. જેને લઇને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ (Ahmedabad), રાજકોટ સહિતના શહેરોમાં દૂધની ડેરીઓ (Milk dairy) બહાર દૂધ લેવા લોકોએ પડાપડી કરી હતી.

અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ ઉપલબ્ધ :

દૂધ નહીં મળેની અફવાના કારણે ગઇકાલે મોડી રાત્રે અમૂલ પાર્લર પર દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી. ત્યારે અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ મળી રહ્યું છે. દૂધ નહીં મળે તેવી અફવાથી દૂર રહો. મહત્વનું છે કે માલધારીઓ દૂધ નહીં ભરે તેવી અફવા ફેલાઈ હતી. આથી મોડી રાત્રે દૂધ પાર્લર ઉપર દૂધ લેવા પડાપડી થઈ હતી.

સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં અસામાજિક તત્વોએ કરી હતી તોડફોડ :

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી. ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અમુક શહેરોમાં દૂધ ન મળવાની આશંકાએ દૂધ લેવા માટે પડાપડીની ઘટના ઘટી છે.

ત્યારે સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ સુરત જિલ્લામાં 3થી વધુ દૂધના ટેમ્પોમાં તોડફોડ કરી છે. આ સાથે ટેમ્પોમાં રહેલું દૂધ પણ રસ્તામાં ઢોળી દીધું હતું. જેથી સુમુલ ડેરીએ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે દૂધનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો :-

નવરાત્રી દરમિયાન અંબાજી દર્શને જવાના હોય તો ખાસ વાંચી લો, દર્શન-આરતીના સમયમાં થયો ફેરફાર

0

If you want to visit Ambaji during Navratri

  • નવરાત્રી દરમિયાન બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે.

આધ્યાશક્તિ માં અંબાની (Amba in Adhyashakti) આરાધનાના પર્વ નવરાત્રી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રી દરમિયાન જગવિખ્યાત અંબાજી મંદિરમાં (Ambaji temple) દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે. આગામી એકમથી આરતી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે.

માઈ ભક્તોની સગવડાતાને પગલે લેવાયો નિર્ણય :

નવરાત્રીમાં શક્તિ આરાધનાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરતા હોય છે ત્યારે ભક્તોની ભીડને ધ્યાને લઇને મંદિરમાં આરતીના સમયમાં અને દર્શન સમયમાં ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો છે.

લોકોને મુશ્કેલી ન પડે તે માટે મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે. એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી  કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.

નવરાત્રીમાં અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર :

  • એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી આરતી થશે
  • સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે
  • દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી કરી શકાશે
  • બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે
  • સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
  • બપોરે 12.00 વાગ્યે માં અંબાને રાજભોગ ધરાવાશે
  • આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે
  • આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
  • આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
  • આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
  • આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે થશે આરતી

આ પણ વાંચો :-