Home Blog Page 1292

ખેડા : ગરબામાં પથ્થરમારો કરનાર આરોપીઓની જાહેરમાં સરભરા, પોલીસે થાંભલા સાથે બાંધીને ડંડા માર્યા

0

Kheda: Accused of stone pelting in

  • ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગરબાના કાર્યક્રમમાં તોફાન મચાવનાર આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. જે જગ્યાએ પથ્થરમારો કર્યો તે જગ્યાએ પોલીસ આરોપીઓને પકડીને લાવી હતી.

રાજ્યમાં નવરાત્રિનો (Navratri) તહેવાર ચાલી રહ્યો છે. રાત્રે રાજ્યભરમાં લોકો ગરબે રમી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલીક અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી છે. કોઈ જગ્યાએ વિધર્મી યુવકો (Heretical youths) ગરબામાં ઘુસી જતા મામલો ગરમાયો હતો.

તો ખેડાના ઉંઢેલા ગામે અસામાજિક તત્વોએ (Antisocial elements) આઠમાં નોરતે ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબા પર પથ્થરમારાની (stoning) ઘટના બાદ પોલીસ સક્રિય થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.

10 આરોપી ઝડપાયા :

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે તત્કાલ તપાસ શરૂ કરી અને 10 આરોપીઓની ધરપકડ કરી છે.

Khera Garba Controversy: भारी पड़ा गरबा पर पथराव, आरोपियों को भीड़ के सामने खंभे से बांधा, फिर लाठी मारकर मंगवाई माफी

ત્યારબાદ પોલીસ આ આરોપીઓને ગામમાં લાવી પહોંચી હતી. ત્યારબાદ ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની ખેડા એલસીબી પીઆઈ અશોક પરમારે જાહેરમાં સરભરા કરી હતી.

આરોપીઓએ હાથ જોડી માફી માંગી :

પોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તમામ 10 આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

શું છે મામલો :

ખેડાના એસપી રાજેશ ગઢિયા પ્રમાણે જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં સોમવારે રાત્રે તુલજા માંના મંદિર પાસે ગામના સરપંચ ઇંદ્રવદન પટેલે ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં અસામાજિક તત્વો બળજબરીથી ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક હોમગાર્ડ સહિત 6-7 મહિલાઓને ઈજા પહોંચી હતી.

આ દિવાળી ઘરે લઈ આવો બજેટ ફ્રેન્ડલી કાર, 5 લાખની અંદર મળી જશે બેસ્ટ માઈલેજ આપતી આ 5 ગાડીઓ

0

Bring home a budget friendly car this Diwali

  • આ બજેટ કાર્સની માઈલેજ શાનદાર છે. આનાથી તમારા ખિસ્સા પર પણ ઓછો બોજ પડશે અને તમે કોઈપણ ટેન્શન વગર કારનો આનંદ માણી શકો છો.

દિવાળીમાં જો તમે પણ બજેટ ફ્રેન્ડલી (Budget friendly) કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 5 મોડલ્સ વિશે તમારે ખાસ જાણી લેવું જોઈએ. આ બજેટ કાર્સની માઈલેજ (Mileage of cars) શાનદાર છે. આનાથી તમારા ખિસ્સા પર પણ ઓછો બોજ પડશે અને તમે કોઈપણ ટેન્શન વગર કારનો આનંદ માણી શકો છો.

Maruti Suzuki Alto K10 :

બજેટ કારમાં મારુતિ સુઝુકીની અલ્ટો K10 કાર નંબર વન પર છે. આ 5 સીટર કાર 796 CC એન્જિન સાથે 22 kmpl સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. આ કારની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થઈને 5 લાખ રૂપિયા સુધી છે.

Renault KWID :

બજેટ કારમાં બીજા નંબર પર 5 સીટર રેનોલ્ટ ક્વિડ છે. આ કાર 799 cc થી 999 cc સુધીના એન્જિન સાથે 10 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 4.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6.09 લાખ રૂપિયા સુધી જાય છે.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

Maruti S-Presso  :

મારુતિ S-Presso 5 સીટર કાર 998 cc BS6ની સાથે ટ્રાન્સમિશન અને 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 4.25 લાખ રૂપિયાથી 5.99 લાખ રૂપિયા સુધીની છે.

Duston redi-GO  :

Duston redi-GO એ 5 સીટર કાર છે. તે 999 CC એન્જિન, બે ટ્રાન્સમિશન, 5 વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે તેની માઈલેજ 22 kmpl સુધી છે. આ કારની કિંમત 3.98 લાખ રૂપિયાથી 4.96 લાખ રૂપિયા સુધીની છે.

Maruti Celerio

મારુતિ સેલેરિયો 5 સીટર કાર છે. જેમાં 998 cc એન્જિન, BS6 સ્ટાન્ડર્ડ, 2 ટ્રાન્સમિશન અને 8 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત 5.25 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીની છે.

આ પણ વાંચો :-

તમારી આ નાની નાની ભૂલો પણ પડી શકે છે ભારે ! વાળને ખરતા અટકાવવા હોય તો આજથી જ આટલી વસ્તુઓ છોડી દો

Even these small mistakes of yours can be huge

  • એક સમય હતો જ્યારે વાળ ખરવાની અને પાતળા થઈ જવાની સમસ્યા એક ઉંમર પછી જ થતી હતી. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.

દરેક ઋતુમાં વાળ ખરવા (Hair loss) એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ટાલ પડવી હોય કે વાળનું વધુ પડતા પાતળા થઈ જવા આ બધી સમસ્યાઓના કારણો અલગ અલગ હોઈ શકે છે. કેટલીકવાર કોઈ સ્વાસ્થ્ય (Health) સમસ્યાને કારણે આડઅસરને કારણે વાળ વધુ ખરતા હોય છે. પરંતુ જ્યારે તેમની અવગણના કરવામાં આવે ત્યારે આ સમસ્યા ટાલ પડવા તરફ દોરી શકે છે. તેથી આ સમસ્યાનો સમયસર ઉકેલ લાવવો જરૂરી છે.

તેલ માલિશ કરવાથી મળશે રાહત  :

જો તમે ઇચ્છો છો કે તમારા વાળ કાયમ જાડા, ચમકદાર અને લાંબા રહે, તો આ માટે તમારા માથાની મસાજ ચોક્કસ કરો. નારિયેળ તેલ, આંબળાનું તેલ, ભૃંગરાજ તેલ, ઓલિવ ઓઈલ અને સરસવના તેલથી માથાની મસાજ માટે શ્રેષ્ઠ કહેવાય છે. તેમની સાથે માલિશ કરવાથી બ્લડ સક્યુલેશન સુધરે છે.

આ સાથે આ કુદરતી ઓઈલ આપણા વાળના મૂળને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. વાળને યોગ્ય પોષણ આપવા માટે વાળ ધોવાના એક દિવસ પહેલા રાત્રે તેલની મદદથી તમારા વાળની માલિશ કરો. બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ કરો. આમ કરવાથી પોષણની સાથે તમારા વાળ ડ્રાય અને નબળા થવાથી પણ બચી જશે.

સારી ડાયેટ પણ છે જરૂરી  :

પોષણના અભાવે પણ આપણા વાળ તૂટવા લાગે છે. તેથી તમારી ડાયેટમાં બિલકુલ પણ બેદરકારી ન રાખો. નહિંતો ઉંમર પહેલા તમારા વાળ જઈ શકે છે. તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલું અનાજ, લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો :-

05 ઓક્ટોબરનું રાશિફળ : આ રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે 

Horoscope of October 05: Gujarat Guardian

મેષ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક જળવાય. આવક અંગે નવી તકો પ્રાપ્‍ત થાય. પરિવારમાં શાંતિ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના.

વૃષભ
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. ગેસ ટ્રબલ તથા પેટની તકલીફ રહે.

મિથુન
સ્વભાવમાં જીદ્દીપણાનો અનુભવ થાય. દીલ દુભાય એવા પ્રસંગો બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.

કર્ક
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે.

સિંહ
શરદી-ખાંસી-તાવની સમસ્યાનો સામનો કરવો પડે. માથાની ઈજાથી સાવધાની જરૂરી. ખોટા વિચારોને કારણે ડિપ્રેશનમાં ન અવાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ.

કન્યા
સંતાન સુખમાં વૃદ્ધિ. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. જુના મિત્રોની મુલાકાત શક્ય બને તથા એમના તરફથી સહકાર મળતો જણાય.

તુલા
નવા વાહન, મિલકતની ખરીદી શક્ય બને. માતાની તબિયત સારી રહે. માતૃસુખમાં વધારો થાય. નોકરિયાતને બઢતીના યોગ, ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં વિશેષ ફાયદો.

વૃશ્ચિક
પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સાથે મતભેદ ટાળવા.

ધન
ઉત્તમ વિચારની પ્રાપ્તિ થાય. સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવકનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. બહેનોને ગર્ભાશય સંબંધી સમસ્યાથી સાવધાની જરૂરી.

મકર
દૃઢ મનોબળનો અનુભવ થાય છતાં થોડી ઉદાસીનતા વર્તાય. વૈવાહિક જીવનમાં અશાંતિના પ્રસંગો બને. ધંધામાં સાવધાનીથી કાર્ય કરવું. પડવા-વાગવાથી સાચવવું. આંખની કાળજી રાખવી.

કુંભ
નાણાંની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નાણાં ઉધાર લેવા કે આપવા નહીં. આવક સામાન્ય રહેશે. ખોટા ખર્ચ ટાળવા. સંતાન સાથે લાગણીશીલતા વધે. મિત્રોથી સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.

મીન
આત્મવિશ્વાસ સાથે ગુસ્સાનો અનુભવ થાય. નવા મિત્રોની ઓળખાણ થાય. તથા તેમનો સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

આ પણ વાંચો :-

કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે BALI : સસ્તા મળશે શાનદાર સુવિધાઓ, પ્લાન બનાવતા પહેલા જાણી લેજો આ વાતો

BALI is the best destination for couples

  • લાંબા સમયથી બાલી ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો.

બાલી ભારતીયો (Bali Indians) વચ્ચે સૌથી વધુ જોવાવાળી એક ઈન્ટરનેશનલ જગ્યાઓ માંથી એક છે. તેનું પહેલુ કારણ એ છે કે ત્યાં બજેટની અંદર ફરી શકાય છે. જો તમે પણ લાંબા સમયથી બાલી ફરવાની (Traveling to Bali) પ્લાનિંગ કરી રહ્યા છો તો ચિંતા ન કરો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો. ટિપ્સ જણી લીધા પછી તમારી પત્ની સાથે જરૂરથી ત્યાં ફરવા જજો.

પહેલાથી જ બુકિંગ કરો  :

જો તમે ઈચ્છો છો કે તમારું ટુર સસ્તામાં થઈ જાય તો પહેલા ફ્લાઇટથી જોડાયેલ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યાત્રાના થોડા દિવસ પહેલા જ ફ્લાઇટ બુક કરી દો તો તમને ટિકિટ ઘયની સસ્તી પડી શકે છે. જેટલું પાછળથી બુકિંગ કરશો એટલી ટિકિટની કિંમત વધતી જાય છે.

બાલી જવા માટે વિઝાની જરૂર પડે છે ? 

ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માટે દરેક લોકોને સૌથી પહેલા વિઝાની ચિંતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે 30 દિવસ માટે બાલી જવાવાળા ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી. બસ તમારે ઈમિગ્રેશન કાઉન્ટરથી વિઝા છૂટ સ્ટેમ્પ મેળવી શકો છો જેમાં તમારે એક રૂપિયાનો પણ ખર્ષ આવશે નહીં. જો તમે 30 દિવસથી વધુ સમય માટે જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે ઈન્ડોનેશિયામાં એન્ટ્રી કરતાંની સાથે જ વિઝા ઓન આરાઇવલ માટે આવેદન કરવું પડશે.

બાલીની કરન્સી  :

ઇન્ડોનેશિયાની કરન્સી કે આઇડિઆર છે અને તમને જાણીને ખુશી થશે કે અહિયાંના એક રૂપિયા =  IDR 188 થાય છે. આમ તમે બાલીમાં રહીને ખુદને અમિર પણ સમજી શકો છો.

કેટલા દિવસની ટ્રીપ કરવી જોઈએ ટ્રીપ ?

બાલીમાં રહીને ફરવાનો પૂરતો અનુભવ લેવો હોય તો તમારે એક અઠવાડિયાનો સમય લઈને જવું જોઈએ. જો તમારી પાસે આનાથી વધુ સમય છે અને બજેટ પણ છે તો બાલીથી તમે આસપાસ બીજી જગ્યા પર પણ ફરી શકો છો.

બાલીમાં હોટલ કેટલી મોંધી છે ? 

બજેટ બગાડ્યા વિના શાનદાર હોટલ કે રિસોર્ટ કે હોમ સ્ટેમાં તમે રોકાઈ શકો છો. જો તમે પૂરતું રિસર્ચ કરીને જાઓ તો ત્યાં તમે 800-1000 રૂપિયાની વચ્ચે એક રેટ માટે હોટલમાં રહી શકો છો.

બાલીમાં ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા  :

સમકાલીન અને આધુનિક યુગના ખૂબ સારા મિશ્રણવાળા બાલીમાં તમને ઘણી સુંદર અને આકર્ષિત જગ્યાઓ જોવા મળશે. જેવી કે જતીલૂવ \ રાઈસ ટેરેસ, માઉન્ટ બટુર, જીમ્બરન બે, તનાહ લોટ મંદિર, નુસા પેનિડા દ્વીપ અને ઉલૂવાતુ મંદિર.

આ પણ વાંચો :-

Malaika Arora ફરી કેમ આવી રહી છે અરબાઝની નજીક ? છૂટાછેડા પછી કેમ આવ્યો પૂર્વ પતિ પર પ્રેમ ?

Why is Malaika Arora getting close to

  • મલાઈકા અરોરા અરબાઝ ખાનના સંબંધોમાં સમયની સાથે સતત સુધારો થઈ રહ્યો છે. જોકે, બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એકબીજાથી છૂટાછેડા લીધા બાદ ફરી એકવાર સાથે હોવાની ચર્ચાને કારણે સોશિયલ મીડિયા પર હિલચાલ વધી છે.

છૈયા-છૈયા ગર્લ તરીકે જાણીતી બોલીવુડની ‘મુન્ની (Bollywood’s ‘Munni’)’ ફરી એકવાર થઈ રહી છે બદનામ! આ વખતે એક એવા સમાચાર ચર્ચામાં છે કે જેને કારણે મલાઈકા અરોરાના (Malaika Arora) બોયફ્રેન્ડ અર્જુન કપૂરની (Arjun Kapoor) ઉંઘ હરામ થઈ ગઈ છે. સૌ કોઈ જાણે છે કે મલાઈકાએ અરબાઝ ખાન (Arbaaz Khan) સાથે છૂટાછેડા લઈ લીધાં છે.

જો કે છેલ્લાં કેટલાંક સમયથી આ બન્ને ફરી એકબીજાની નજીક આવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. એ પ્રકારના સમાચારો વાયુવેગે વહેતા થવાને કારણે આ ચર્ચા શરૂ થઈ છે. જો કે આ પરિસ્થિતિને કારણે હાલ અર્જુન કપુરને પરસેવો છુટી ગયો છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એકબીજાથી છૂટાછેડા લીધા બાદ હવે તેમના જીવનમાં આગળ વધ્યા છે. મલાઈકા અરોરા હવે અર્જુન કપૂર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં છે. જ્યારે અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. છૂટાછેડાએ તેમના ચાહકોને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. છૂટાછેડા પછી પણ અરબાઝ મલાઈકાએ પુત્ર અરહાન માટે સારી મિત્રતા જાળવી રાખી હતી. હવે મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછીના સંબંધો વિશે વાત કરી છે.

મલાઈકા અરોરાએ આ વાત કહી :

હાલમાં જ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ જણાવ્યું કે છૂટાછેડા પછી હવે તેના અને અરબાઝ ખાનના સંબંધો કેવા છે. મલાઈકાએ કહ્યું, “મારું અને અરબાઝ વચ્ચે હવે સારું સમીકરણ છે. અમે બંને પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયા છીએ.

હવે અમે ખુશ અને શાંત વ્યક્તિ બની ગયા છીએ. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. હું હંમેશા પ્રાર્થના કરીશ કે દરેક વ્યક્તિ તેના જીવનમાં બધું જ ચાલુ રાખે. સારું. કેટલીકવાર લોકો સારા હોય છે પરંતુ તેઓ સારી રીતે મળતા નથી. તે એવું જ હતું. હું હંમેશા તેમની સાથે સરસ રહેવા માંગુ છું.”

શું અરબાઝ મલાઈકાના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે ?

મલાઈકા અરોરાએ આ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે છૂટાછેડા પછી તેના અને અરબાઝ ખાન વચ્ચેના સંબંધો પહેલા કરતા સારા થઈ ગયા છે. અભિનેત્રીના આ ઈન્ટરવ્યુથી તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ માટે મલાઈકા અરોરાને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ સાથે કેટલાક લોકોનું કહેવું છે કે મલાઈકાની આ વાત સાંભળીને બોયફ્રેન્ડ અર્જુન કપૂરને ખરાબ લાગી શકે છે.

અરબાઝ મલાઈકાના લગ્ન :

મલાઈકા અરોરાએ વર્ષ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 18 વર્ષ પછી બંને કલાકારોએ અલગ થવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 2017માં એકબીજાથી છૂટાછેડા લીધા હતા. અરબાઝથી અલગ થયા બાદ મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર પાર્ટી અને હોલિડે એન્જોય કરતા જોવા મળે છે.

આ પણ વાંચો :-

દિવાળી સુધરશે ! સરકારી કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમાં આપવા લેવાયો નિર્ણય, આ તારીખે ખાતામાં જમા થઈ જશે પૈસા

0

Diwali will improve! It has been decided to

  • દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે તમામ સરકારી કર્મચારીઓનો પગાર 20 ઓક્ટોબરે થઈ જશે.

નવલી નવરાત્રી (Navli Navratri) વિદાય લઈ રહી છે. 20 દિવસ બાદ દિવાળી (Diwali) આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના (Gujarat Govt) તમામ કર્મચારીઓ (employees) દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.

20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે પગાર :

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં વેસુના ગરબા આયોજનમાં હોબાળો ! મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ઉહાપોહ મચી ગયો, જુઓ VIDEO

Uproar in planning Vesu Garba in Surat

  • હોબાળાને પગલે પોલીસ (Surat Police) કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો,જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

નવરાત્રીનો (Navratri) પર્વ સમાપન પર છે. ત્યારે સુરતમાં વેસુ (Vesu) ખાતે આવેલ ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે આઠમની રાત્રીએ ભારે હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ નવરાત્રીના તહેવારમાં વિધર્મીઓને જો પ્રવેશ આપવામાં આવશે. તો તેનો ઉગ્ર વિરોધ (protest) કરવામાં આવશે તેવી ચીમકી પહેલાથી જ હિન્દૂ સંગઠનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. જો કે સુરતમાં (Surat) પણ ગઈકાલે આ જ મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

 

વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે વિવાદ સર્જાયો :

વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) અગ્રણીએ આ મામલે જણાવ્યું હતુ કે, અમને એવો મેસેજ મળ્યો હતો કે વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં જે બાઉન્સરો મુકવામાં આવ્યા છે, એ તમામ વિદ્યર્મીઓ જ છે. આવા એક બે નહિ પણ 50 બાઉન્સરો વિધર્મી હતા.

જેની સામે અમારો વિરોધ હતો. અમે આયોજકોને આ બાઉન્સરોને દૂર કરવા રજુઆત કરવા માટે ગયા હતા. જો કે આયોજકો કોઈ બાબતે અમારી સાથે સંમત થયા હતા. આ મામલો ઉગ્ર બનતા કેટલાક આગેવાનો દ્વારા બાઉન્સરોને (Bouncer) માર પણ મારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ હોબાળામાં થોડા સમય માટે ગરબા અટકાવવાની પણ ફરજ પડી હતી. મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે પોલીસને ફોન કરવામાં આવતા ગરબા સ્થળ પર પહોંચીને તેમણે પરિસ્થિતિને કાબુમાં કરી હતી. તમને જણાવી દઈએ કે આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચો :-

બાપુ ઈઝ બેક ? શંકરસિંહ વાઘેલાને લઈને સૌથી મોટા સમાચાર, મોઢવાડીયાએ આપ્યા સંકેત

0

Bapu is back? Biggest news about

  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સંકેત આપતા શંકરસિંહ વાઘેલાની ગુજરાતના રાજકારણમાં સક્રિય થવાની અટકળોનો હવે અંત આવશે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ગુજરાતના રાજકારણને (Politics of Gujarat) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની (Shankar Singh Vaghela) રાજકારણમાં એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં શંકરસિંહ બાપુના (Shankar Singh Bapu) રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની અટકળોનો અંત આવશે તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે ખુદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ (Arjun Modhwadia) શંકરસિંહ વાઘેલાને લઈને મોટા સંકેત આપ્યા છે.

તમારી આતુરતાનો જલ્દી અંત આવશે : અર્જુન મોઢવાડીયા

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ બાપુના રાજકારણમાં જોડાવવા અંગે સંકેત આપતા કહ્યું કે, ‘તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. પ્રદેશના નેતાઓની પણ એવી લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાય.’

અગાઉ ખુદ બાપુએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે.

અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે. એટલે કે જે-તે સમયે અગાઉ પણ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા.

આ પણ વાંચો :-

ગરબામાં આકાશથી ઉતરે છે ગરુડ ! વિમાનમાંથી માતાજીના વેશ ધરીને ઉતરે છે બાળાઓ

0

Garuda descends from the sky in Garba

  • ગીલા રાજકોટમાં રાસ-ગરબાની રંગત પણ કંઈક અલગ જ હોય છે. એમાંય વાત રાજકોટના રામનાથપરામાં તો વર્ષોથી અલગ પ્રકારે જ નવરાત્રિની ઉજવણી થતી આવી છે. રામનાથપરા વિસ્તારમાં અંબાજીનો એક પ્રાચીન ગઢ આવેલો છે.

કોરોના કાળ બાદ આવેલી નવરાત્રિમાં (Navratri) આ વખતે યુવા હૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે ઘણાં એવા સ્થળો છે જ્યાં વર્ષોથી અનોખી રીતે અનોખી પરંપરાથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આવું જ કંઈક રાજકોટ જિલ્લામાં પણ છે. રાજકોટના (Rajkot) રામનાથપરામાં (Ramnathpara) વર્ષોથી વિશેષ રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.

બદલાતા સમય સાથે નવરાત્રિનો ટ્રેન્ડ પણ સતત બદલાઈ રહ્યો છે. તેમ છતાં આજે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. 125 વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી આજે પણ થઇ રહી છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

રંગીલા રાજકોટમાં રાસ-ગરબાની રંગત પણ કંઈક અલગ જ હોય છે. એમાંય વાત રાજકોટના રામનાથપરામાં તો વર્ષોથી અલગ પ્રકારે જ નવરાત્રિની ઉજવણી થતી આવી છે. રામનાથપરા વિસ્તારમાં અંબાજીનો એક પ્રાચીન ગઢ આવેલો છે. પહેલા ગઢપર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા, ત્યાં માઁ અંબાની સ્થાપ્ના કરવામાં આવેલી ત્યારથી જ આ ગરબી રમાડવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે માં અંબા ગઢમાથી ગરબી રમવા નીચે આવે છે જેથી વર્ષ 1947માં આઝાદી કાળમાં સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવી આપેલું જે ત્યારથી લઈ આજ સુધી યથાવત છે.

એવું માનવામાં આવે છે કે ગરૂડની સવારી કરીને જે બાળક નીચે ઉતરે છે, તે બાળક આખુ વર્ષ બીમાર નથી પડતું. આ તમામ આયોજન ‘જય અંબે’ ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગરૂડ ગરબીમાં ગરબીની 37 બાળાઓ સૌપ્રથમ સ્વાગતમાં માં-અંબા જોગણી સ્વરૂપ ગરૂડમાંથી ઉતરે છે અને રાસગરબાની શરૂઆત કરે છે.

આ ગરબીનાં હુડો રાસ, નડિયાદી ફુદેડી રાસ, ત્રિશૂલ રાસ, મશાલ રાસ, સ્ટેચ્યુ રાસ, ઘુમટા રાસ, સિંધી રાસ ખુબ પ્રચલિત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પ્રાચીન અને પ્રખ્યાત એવી ગરુડની ગરબી ખાતે આસ્થાથી દર્શન કરવાં માટે દર વર્ષે હજારો લોકો ઉમટી પડતાં હોય છે. જયારે ગરબીમાં રમતી 37 બાળાઓ સાક્ષાત નારી શક્તિના દર્શન લોકોને કરાવે છે.

આ પણ વાંચો :-