Home Blog Page 1291

વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો !

0

Everyone’s eyes are fixed on Virat’s watch

  • દુનિયાના ધુરંધર બેટ્સમેનમાં સામેલ વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર પ્લેયર્સ સાથે એક તસવીર લીધી હતી. જેમાં માત્ર વિરાટની ઘડિયાળની જ ચર્ચા થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા (Australia) જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે.

ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. જીતના લક્ષ્યાંક સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીએ શેર કરી તસવીર :

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી પ્લેયર્સ સાથેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તેમની સાથે યજુવેન્દ્ર ચહલ અને  હર્ષલ પટેલ નજર આવી રહ્યાં છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયા માટે જવા રવાના. આવનારા દિવસો શાનદાર હશે. તેની સાથે જ ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યાં છે.

વિરાટની ઘડિયાળ તો જુઓ :

વિરાટ કોહલીની આ તસવીરમાં તેમની ઘડિયાળ પણ નજર આવી રહી છે. તેના પર અનેક ફેન્સની નજર અટકી ગઈ હતી. લોકોએ તેની કિંમત પણ માલૂમ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે આ રોલેક્સ કંપનીની ઘડિયા છે.

રોલેક્સની સાઈટ પરથી માલૂમ પડ્યું કે આ મોડલ Dayton છે. જેની કિંમત 28 લાખ રૂપિયા છે. એટલુ જ નહિ, આ મોડલને પોતાના ઈચ્છા મુજબ બનાવી શકાય છે. વિરાટે જે મોડલ પહેર્યું છે તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે અનેક ઘડિયાળનું કલેક્શન છે.

આ પણ વાંચો :-

નેપાળી ચોકીદારે 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલો લૂંટ્યો, રાજકોટના પોશ એરિયામાં લૂંટથી ચકચાર

0

Nepali watchman takes 14-year-old boy

  • નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને બંગલામાં લૂંટ મચાવી

રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં (A posh area of Rajkot) દિલ ધડકાવી દે તેવી લૂંટની ઘટના બની છે. રોયલ પાર્ક 7 માં આવેલ માતોશ્રી બંગલામાં પરિવારના 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલામાં (Bungalow) જ કામ કરતા શખ્સે લૂંટને અંજામ આપી હતી.

14 વર્ષનો બાળક ઘરે એકલો હતો ત્યારે બંગલામાં કામ કરતો નેપાળી શખ્સે અન્ય નેપાળી મિત્રોને (Nepali friends) બોલાવી લૂંટ કરી હતી. લૂંટારુંઓ 10 લાખ રોકડ અને અંદાજીત 25 લાખના દાગીના લૂંટીને ભાગી ગયા. વહેલી સવારે 6:30 થી 7 વાગ્યે નેપાળી ચોકીદાર અનિલે મિત્રો સાથે મળીને ઘટનાને અંજામ આપી હતી.

14 વર્ષના કિશોરને બાંધી લૂંટ ચલાવી  :

બન્યું એમ હતું કે રાજકોટના રોયલ પાર્ક શેરી નંબર 7 માં માતોશ્રી બંગલો આવેલો છે. બંગલામાં પ્રભાતભાઈ દૂધાતનો પરિવાર રહે છે. પ્રભાતભાઈ દૂધાત પરિવાર સાથે કામ સંદર્ભે અમદાવાદ ગયા હતા. તેમનો 14 વર્ષનો પુત્ર જશ દૂધાત ઘરમાં એકલો હતો. ત્યારે બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદાર અનિલે ઘરમાં લૂંટ ચલાવી હતી. નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને લૂંટને અંજામ આપ્યો હતો.

હાઈફાઈ લૂંટથી પોલીસ દોડતી થઈ :

લૂંટની પગલે રાજકોટના ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2 સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપી ચોકીદારે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ આરંભી છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

રાજકોટ પોલીસે આરોપીના ફોટા જાહેર કર્યાં :

તો બીજી તરફ પોશ વિસ્તારમાં થયેલી ઘટનાથી રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. ઘરઘાટી નેપાળી શખ્સ અનિલ સહિતના શંકાસ્પદ શખ્સોને ફોટા જાહેર કર્યાં છે. ફોટામાં દેખાતા આ શખ્સો ક્યાંય જોવા મળે તો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી થઈ, ટપોરીના હુમલાથી કિશોરીનો ગાલ ચીરાયો, 17 ટાંકા આવ્યા

Grishmawali hits again in Surat, girl’s

  • પાંડેસરામાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના થતી રહી ગઈ, યુવક સંબંધ રાખવા દબાણ કરતો હતો, 14 વર્ષની કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચ્યું, ગાલ ચીરાઈ ગયો, 17 ટાંકા આવ્યા.

સુરતીઓ ગ્રીષ્મા વેંકરિયાની (GRISHMA VENKARIA) દર્દનાક ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં તેનુ ગળુ કપાયું હતું તે યાદ કરીને હચમચી જવાય છે. ત્યારે સુરતના પાંડેસરામાં (Pandesara of Surat) ગ્રીષ્મા વેંકરિયા હત્યાકાંડ (massacre) જેવી ઘટના થતી રહી ગઈ. 14 વર્ષની કિશોરી પર એક ટપોરીએ હુમલો કર્યો હતો. યુવકે તેને સંબંધ બાંધવા દબાણ કરીને કિશોરીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનો ગાલ ચીરાયો હતો. લોહી લુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ગાલ પર 17 ટાંકા લેવામાં આવ્યાં છે. 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.  (A young man has fled to Maharashtra after fatally attacking a 14-year-old girl. Then the police have set in motion to find him.)

પીડિત કિશોરીએ પોલીસને જણાવ્યું કે પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. બુધવારના રોજ તે તેના રૂમમાંથી બહાર નીકળી બાથરૂમમાં ગઈ હતી. તે જ સમયે કાલુ નામના યુવકે તેની નજીક આવી તારૂ કોની સાથે લફડુ ચાલે છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ગાલ ચીરાઈ ગયો હતો. તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

કિશોરીએ જણાવ્યું કે કાલુ નામનો યુવક કેટલાય દિવસોથી તેનો પીછો કરતો હતો. તે તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો. મારા પાડોશમાં એક મહિલા રહે છે. જેના ઘરે તે આવતોજતો હતો. યુવકે અનેકવાર કિશોરી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ તેની સાથે વાત કરી ન હતી. છતા યુવક તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી ગુસ્સાયેલા કાલુએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો.

યુવકે બપોરના સમયે કિશોરી પર હુમલો કર્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. કિશોરી પર સર્જરી કરાતા તેના ચહેરાના ભાગ પર 17 ટાંકા લેવા પડ્યા હતા.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો કોલ

0

Threat to kill Ambani family, call received

  • મુંબઈ પોલીસે જણાવ્યું કે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી અને અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને ધમકી આપવામાં આવી છે.

મુંબઈમાં (Mumbai) ગઈ કાલે બપોરે 12 કલાક 57 મિનિટ પર તે સમયે હડકંચ મચી ગયો જ્યારે શહેરની એક હોસ્પિટલને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. મુંબઈ પોલીસે આપેલા નિવેદન પ્રમાણે મામલો સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Foundation Hospital) સાથે જોડાયેલો છે. હોસ્પિટલના લેન્ડલાઇન પર અચાનક ફોન આવ્યો. કોલ કરનારે હોસ્પિટલને (Hospital) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસ પ્રમાણે કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રો પ્રમાણે કોલરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ જાનથી મારવાની ધમકી આપી. પોલીસે કહ્યું કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. પોલીસ પ્રમાણે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  (Police said that a case has been registered at DB Marg police station in this incident. According to the police, the matter is being investigated.)

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

આ પહેલા પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલના લેન્ડ લાઈન પર કોલ આવ્યો હતો અને કોલરે અંબાણી પરિવારને ધમકી આપી હતી. આ મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

હોટલ લીલાને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી :

ઓગસ્ટ મહિનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈની જાણીતી લીલા હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં 5 કરોડની માંગ કરનાર બે શંકાસ્પદોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ મામલામાં હોટલમાં કોલ કરી પાંચ કરોડની માંગ કરવામાં આવી હતી. બાદમાં ત્રણ કરોડની માંગ કરવામાં આવી હતી. ફોન પર એક વ્યક્તિએ ધમકી આપી હતી કે બ્લાસ્ટે તે માટે હોટલ તંત્રને પાંચ કરોડ આપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 6 ઓક્ટોબર: આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0

Today’s Horoscope October 6 Gujarat Guardian

મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ-સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખામાં વધારો થાય.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઊભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે.

ધનઃ
વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઈ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
મોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષક, ફાયનાન્સ તથા મીકેનીકલ એંજીનીયરીંગના ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટ તથા કીડની સંબંધીત રોગોથી સાવધઆની રાખવી.

મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

આ પણ વાંચો :-

રૂપાલની પલ્લીમાં વહીં ઘીની નદીઓ ! પ્રાંતિજમાં પણ જળવાઈ રહી પલ્લીની પરંપરા

0

Rivers of ghee flowed in Rupal’s village

  • ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો.

પૈસા અને ધન (Money and Wealth) સંપત્તિની વાત આવે ત્યારે એવું કહેવત કહેવામાં આવે છે કે અહીં તો દૂધ-ઘીની નદીઓ વહે છે. જો કે આવો જ કંઈક નજારો ગુજરાતના એક શહેરમાં દર વર્ષે સર્જાય છે. અને લાખો લોકો તેને નજરે જોઈને તેના સાક્ષી બને છે. આ આર્ટિકલમાં અમે વાત કરી રહ્યાં છીએ આસ્થાના અભિષેકની. (of the anointing of faith)

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આપેલાં રૂપાલ ગામમાં (Rupal village) વર્ષોથી પરંપરાગત રીતે દશેરાના દિવસે પલ્લી નીકળે છે. આ પલ્લીમાં લાખો લિટર ઘીથી અભિષેક (Abhishek with ghee) કરવામાં આવે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વિજયાદશમીના (Vijayadashami) પર્વ નિમિત્તે રૂપાલમાં પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી. જેના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દૂરદૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા અને માતાજીના દર્શનનો લ્હાવો લેવા અહીં આવ્યા હતા.

ગઈકાલે રાત્રે 12 મા વરદાયિની આ પરંપરાગત પલ્લીનો પ્રારંભ થયો હતો. જે ગામના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી. દરેક સ્થળે પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. મોડી રાતથી શરૂ થયેલી આ પલ્લી વહેલી સવારે નીજ મંદિરે પહોંચી હતી. ગામના તમામ માર્ગો પર ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા માટે દર્શને આવ્યા હતા.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો હોવાને લીધે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે અને જેમાં શ્રદ્ધાળુઓ ઘી ચઢાવી પલ્લીના દર્શનનો લાભ છે. દર વર્ષે દશેરાના પર્વ નિમિત્તે ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યાએ પલ્લી નિકળતી હોય છે. જોકે કોરોનાના બે વર્ષ બાદ પલ્લીમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ પણ વાંચો :-

અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીની ચેતવણી ! ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે

0

Harsh Sanghvi’s warning to anti-social

  • ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ પાડવામાં આવી હતી. અસામાજિક તત્વોના ટોળાએ અચાનક આવીને ચાલુ ગરબા પર પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકોને ઈજા પહોંચી હતી.

ગુજરાતમાં નવરાત્રિ (Navratri 2022) દરમિયાન ક્યાંક-ક્યાંક તોફાનો, પથ્થરાવના બનાવો સામે આવ્યાં છે. જેમાં અસામાજિક તત્વો (Antisocial elements) દ્વારા ઈરાદા પૂર્વક રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.

ત્યારે આજે દશેરાના (Dussehra) દિવસે ખેડાના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં ગૃહ રાજ્યમંત્રીએ (Minister of State for Home Affairs) પણ મહત્ત્વનું નિવેદન આપ્યું. હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું કે ગુજરાત દેશનું સૌથી સલામત અને શાંતિપ્રિય રાજ્ય છે. જો કોઈ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કોઈ સમાજ દ્વારા નહીં પણ અસામાજિક તત્વો દ્વારા કરાયો હતો. આવા લોકો કોઈ સમાજના નથી હોતા. પણ આવી કોઈપણ ગુનાઈત પ્રવૃતિને સાંખી નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેડામાં અસામાજિક તત્ત્વો દ્વારા ચાલુ ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. (But any such criminal activity will not be recorded. It is worth mentioning that stones were pelted by anti-social elements in Kheda during Navratri festival.)

ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરાતા વાતાવરણ ડહોળ્યુ હતું. ઉંઢેરા ગામમાં રાત્રે ચાલુ ગરબામાં પથ્થરમારાની ઘટનાને પગલે દોડભાગ મચી ગઈ હતી. અને શાંતિપ્રિય વાતાવરણમાં ચાલતા ગરબામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી થઈ હતી. અસામાજિક તત્ત્વો દ્રારા રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માતર તાલુકાના ઊંઢેલા ગામે આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ખેડા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી તમામની જાહેરમાં જ ધુલાઈ કરી હતી. આરોપીઓની જાહેરમાં જ ધુલાઈ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો :-

રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાનું પ્રથમ નિવેદન, કહ્યું હું ગદ્દાર નથી પણ કોંગ્રેસ દિશાહીન છે

0

Harshad Ribadia’s first statement after resignation

  • ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ જણાવ્યું છે.

87-વીસાવદર (Visavadar) મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ (Congress MLA Harshad Ribadia) ગઈ કાલે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના (Dr.Nimaben Acharya) નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્ય પદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે : હર્ષદ રિબડિયા

હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે,  ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપું  છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે, ક્યાંય કોઇ મદદ ન મળે અમને, વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે, પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન, મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે.

ભાજપમાં જોડવવાનું પાક્કું, આધિકારીક જાહેરાત બાકી ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.

જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની ખરી પડી છે. તે હવે ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

ગરબામાં ખેલ પડ્યો.!

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.

આ પણ વાંચો :-

ઢોર રખડતું મુકતા પહેલા 100 વાર વિચારજો ! ગુજરાતમાં પ્રથમ વખત ભ્રષ્ટ અધિકારી અને પશુ માલિક વિરુદ્ધ નોંધાયો માનવવધનો ગુનો, જાણો કેસ

Think 100 times before letting cattle roam

  • અમદાવાદમાં ઢોરની અડફેટે ચડેલા યુવાનનું મોત નીપજ્યું હતું આ પ્રકરણમાં ગુજરાતમાં પ્રથમ વખત AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અમદાવાદમાં (Ahmedabad) રસ્તે રખડતાં ઢોરના (Stray cattle) કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ધટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવ વધનો (Human death) ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં (Accident) જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુન્હ :

તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ  ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલને ટોરેન્ટ પાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો હતો.

મૃતકનો પરિવાર  કરી રહ્યો છે ન્યાયની માંગ :

રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો ગુમાવ્યો તો પત્નીએ જીવન સાથીનો સાથ ખોયો, આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસાર ઉજાડી દીધો છે. હાલ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. હાઈકોર્ટએ પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

આજે અંદાજે 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે અમદાવાદીઓ ! માર્કેટમાં આવી અફઘાન જલેબી

0

Ahmedabadites will eat approximately

  • એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલેકે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે.

 ખાણી-પીણીની (food and drink) વાત આવે ત્યારે ગુજરાતીઓ ક્યાંય પાછા પડે તેમ નથી. ગુજરાતીઓ કોઈને કોઈ કારણે અવનવી વાનગીઓ (dish) આરોગવાનું બહાનું શોધી કાઢતા હોય છે. અને એમાંય અમદાવાદીઓની (Ahmedabadi) તો વાત જ કંઈક અલગ છે. આજે છે દશેરાનો (Dussehra) પાવન પર્વ.

દશેરાના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ફાફડા જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે. ત્યારે દશેરા નિમિત્તે દર વર્ષે માત્ર અમદાવાદમાં જ ફાફડા-જલેબીની 10 હજાર કરતા વધુ દુકાનો-સ્ટોલ ઉભી થઈ જાય છે. સ્વાદના શોખીન અમદાવાદીઓ કોઈને કોઈક તહેવારના નામે ખાણી-પીણીનું બહાનું શોધી કાઢે છે.

એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલે કે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

માર્કેટમાં હાલ 600થી લઈ 1000 રૂપિયા સુધીના ભાવે 1 કિલો ફાફડા મળી રહ્યાં છે. જ્યારે એક કિલો જલેબીનો ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. શહેરમાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ મળી આંકડો લગભગ 10 હજારને પાર પહોંચી ગયો છે.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો ભાવનો વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખએ જણાવ્યું કે, સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગનાના લોકો ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડશે અને અમદાવાદમાં આશરે 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે. બજારમાં આ વખતે નોર્મલ જલેબી, કેસર જલેબી, અફઘાન જલેબી, ઈમરતી જલેબી અને પનીર જલેબી જેવી વેરાઈટી પણ ઉપલબ્ધ છે. જેનો ભાવ 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-