Home Blog Page 1290

WhatsApp પર નહીં લઈ શકો સ્ક્રીનશોટ ! આ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું નવું ફીચર, જાણો ડિટેલ્સ

0

Can’t take screenshots on WhatsApp

  • હાલ ફરી એક વખત વોટ્સએપ નવું ફીચર લાવી રહ્યું છે અને આ નવા ફીચર્સમાં વોટ્સએપની ચેટનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં.

વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ આજે લગભગ દરેક લોકો કરતા જ હશે. અ માટે જ તેનો સમાવેશ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી એપમાં થાય છે. વોટ્સએપમાં સરળ અને વધુમાં વધુ ફીચર્સ (Features) આપવામાં આવ્યાં છે. જે તેની લોકપ્રિયતા ઘણી વધી છે.

આ સાથે જ વોટ્સએપ સતત નવી સુવિધાઓ રજૂ કરીને તેના યુઝર્સના અનુભવમાં વધારો કરે છે. હાલ ફરી એક વખત કંપની નવું ફીચર લાવી રહી છે. આ નવા ફીચર્સમાં વોટ્સએપની ચેટનો સ્ક્રીનશોટ (Screenshot of the chat) લઈ શકાશે નહીં.

વ્યૂ વન્સથી મોકલવામાં આવેલી તસવીરોનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. :

જો કે જણાવી દઈએ કે આ ફીચર્સ ફક્ત વ્યૂ વન્સથી મોકલવામાં આવેલી તસવીરો માટે જ લાગુ કરવામાં આવશે. એટલે કે જો કોઈએ હવે વ્યુ વન્સ ફીચરથી બીજી વ્યક્તિને કોઈ ઈમેજ મોકલી હોય તો એ વ્યક્તિ તેનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે.

વ્યૂ વન્સ ફીચરથી મોકલવામાં આવેલી ઈમેજનો સ્ક્રીનશોટ લઈને યુઝર્સ તેને સેવ કરતાં હતા એટલા માટે વ્યૂ વન્સ ફીચર લોકો માટે આટલું કારગાર સાબિત નહતું થયું. એટલે હવે વોટ્સએપ આ નવું ફીચર્સ લઈને આવી રહ્યું છે.

સ્ક્રીન રેકોર્ડિંગમાં કરવા પર પણ થઈ જશે બ્લોક :

વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનાર એક વેબસાઇટએ જાણકારી આપી હતી કે આ ફીચર અમુક સિલેક્ટેડ બીટા યુઝર્સ માટે બહાર પાડવામાં આવી રહ્યું છે અને આ ફીચરને કારણે યુઝર્સ વ્યુ વન્સથી મોકલેલી ઈમેજને સ્ક્રીનશોટ લઈને સેવ નહીં કરી શકે. આ સાથે જ જો યુઝર્સ વ્યૂ વન્સથી મોકલવામાં આવેલ ઇમેજને સેવ કરવા માટે સ્ક્રીન રેકોર્ડિંગ કરશે તો પણ એ બ્લોક થઈ જશે.

આવું ફીચર Netflix, Disney + Hotstar અને Amazon Prime Video જેવી ઘણી OTT એપ્સમાં પણ જોવા મળે છે. હાલ પૂરતું આ ફીચર બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે પણ થોડા જ સમયમાં તે બાકીના યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો :-

07 ઓકટોબર 2022: આ રાશિના લોકો પર હંમેશા રહે છે રામદેવપીરની કૃપા- જીવનમાં ક્યારેય નથી આવતું દુઃખ

0

07 October 2022 Gujarat Guardian

મેષઃ
આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. નાણાંકીય પાસુ મજબૂત બનતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. સંતાનો તરફથી આનંદના સમાચાર મળે. જુના મિત્રોને મળવાના યોગ બને છે.

વૃષભઃ
ધંધાકીય ક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખી શકો. નોકરીયાતને ઉપરી અધિકારીની સરાહના મળે. વાહન સુખમાં વધારો. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મેળવવામાં સરળતા વર્તાય. આર્થિક પાસુ બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના સંજોગ પેદા થતા જણાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે.

કર્કઃ
કાર્યક્ષેત્રે દળી દળીને કુલડીમાં નાંખવા જેવો ઘાટ થાય. અગત્યના આર્થિક વ્યવહારો મુલતવી રાખવા. શરદી-ખાંસીની સમસ્યા રહે. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

સિંહઃ
જીવનસાથી સાથે ઉષ્માપૂર્ણ વ્યવહાર રહે. કાર્યક્ષેત્રે પત્નિનો સાથ મળતો જણાય. ગુસ્સાનો ત્યાગ કરવો. નકારાત્મક વિચારો ટાળવા. પાણીથી થતા રોગોથી સાવચેતી જરૂરી.

કન્યાઃ
વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. હાંડકાના દુઃખાવા તથા માથાના દુઃખાવાની પરેશાની રહે. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

તુલાઃ
ધારેલો આર્થિક લાભ મેળવવામાં સરળતા રહેશે. સંતાનોની સમસ્યાનું નિરાકરણ આવતું જણાય. સંતાન તથા મિત્રો તરફથી સારા સમાચારની પ્રાપ્‍ત‌િ‍ થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
નવા વાહનની ખરીદી શક્ય બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકો. મિલકતના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતા-પિતાના સુખમાં વધારો થાય. આવક જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

ધનઃ
સામાજીક કાર્યોમાં અગ્રેસર થવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થતી જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય.

મકરઃ
આવકનું પ્રમાણ વધે છતાં માનસિક ઉદાસીનતા વર્તાય. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી.

કુંભઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. મનની ચંચળતા વધે. ઉત્તમ દામ્પત્ય સુખની પ્રાપ્‍ત‌િ થાય. આવકનું પ્રમાણ વધતું જણાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો.

મીનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. કાર્યક્ષેત્રે વધુ સંઘર્ષ કરવો પડે. માન-સન્માનમાં વધારો થાય. મુત્રાશય સંબંધી રોગોથી સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી હર્ષ. કરોડરજ્જુ સંબંધીત સમસ્યાઓથી સાચવવું.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પતિદેવોમાં ફફડાટ, લગ્ન કરશો તો હવે નઈ ચાલે લાલિયાવાડી

0

With the verdict of the Supreme Court

  • લગ્ન બાદ કોઈક વિવાદ કે ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને તો પતિએ ભરણપોષણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટે આ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

ઘણીવાર લગ્ન જીવનમાં (married life) કોઈને કોઈક કારણે ખટરાગ થતો હોય છે. ઘણીવાર લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતને લઈને અણબનાવ કે તકરાર થતી હોય છે. જો કે ક્યારેક આ વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી સ્થિતિમાં પત્ની (Wife) અને જો બાળકો હોય તો તેમની જવાબદારી કોની ? આ એક મોટો સવાલ છે. આવા કિસ્સામાં મહિલા દ્વારા કોર્ટના ધ્વાર ખખડાવવામાં આવતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) જ હવે આ પ્રકારના કેસોને ધ્યાનમાં રાખીને મહત્ત્વનું ચુકાદો આપી દીધો છે.

પત્ની અને બાળકોના ભરણપોષણ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિએ પોતાની પત્ની અને સગીર બાળકોને શારીરિક શ્રમ કરીને આર્થિક મદદ કરવી જોઈએ જે તેની ફરજ છે. ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે અવલોકન કર્યું કે CrPC ની કલમ 125 હેઠળ જાળવણી માટેની જોગવાઈ એ સામાજિક ન્યાયનું એક સાધન છે.

જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે રચાયેલ છે. આ નિર્ણય સાથે કોર્ટે એક વ્યક્તિની અરજીને ફગાવી દીધી જેમાં તેણે કહ્યું હતું કે તેનો વ્યવસાય બંધ થવાને કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “પતિ શારીરિક રીતે સક્ષમ હોવાના કારણે તે તેની ફરજ છે કે તે કાયદેસર રીતે કમાય અને તેની પત્ની અને સગીર બાળકોનું ભરણપોષણ કરે. પત્નીની અપીલ અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે જણાવ્યું હતું કે પતિ પાસે આવકના પૂરતા સ્ત્રોત હોવા છતાં અને શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ભરણપોષણમાં નિષ્ફળ ગયો છે અને તેમની ઉપેક્ષા કરી છે.

આ પણ વાંચો :-

ગાયના દૂધથી બનેલું ઘી કે ભેંસના દૂધથી બનેલું ઘી ? જાણો કયું છે વધારે ફાયદાકારક

Ghee made from cow milk or ghee made

  • દેશી ઘીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન K ભરપૂર માત્રામાં હોય છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ સારા રહે છે.

દેશી ઘી (Desi Ghee) માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરમાં પોષક તત્વોની (Nutrients in the body) ઉણપને પણ દૂર કરે છે. આ જ કારણ છે કે સદીઓથી ભારતીયો દરરોજ ઘીનું સેવન કરે છે. દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન Kથી ભરપૂર છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ (Hair) સારા રહે છે.

દેશી ઘી ભોજનને જલ્દી અને સારી રીતે પચાવવા અને હાર્ટ હેલ્થ માટે યોગ્ય માનવામાં આવે છે. બજારમાં અનેક પ્રકારના ઘી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મૂંઝવણમાં છે કે ગાયના દૂધમાંથી ધી સારું હોય છે કે ભેંસના દૂધમાંથી બનેલું ઘી સારૂ હોય છે. ચાલો જાણીએ કયું ઘી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

ગાયના ઘી અને ભેંસના ઘી વચ્ચેનો તફાવત :

ગાયનું કે ભેંસનું બન્ને પ્રકારના ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ભેંસના ઘીનો રંગ સફેદ હોય છે. જ્યારે ગાયના ઘીનો રંગ પીળો હોય છે. ફાયદાની વાત કરીએ તો ગાયનું ઘી ભેંસના ઘી કરતાં વધુ ફાયદાકારક છે. ગાયના ઘીમાં રહેલા પોષક તત્વો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે.

ગાયને ઘીને માનવામાં આવે છે શ્રેષ્ઠ :

આયુર્વેદમાં ગાયના ઘીનો ઉપયોગ શ્રેષ્ઠ કહેવાય છે. ગાયના ઘીનો ઉપયોગ અનેક ઉપચારાત્મક કાર્યોમાં થાય છે. ગાયના ઘીમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાં જ ભેંસના ઘીમાં ખૂબ ચરબી હોય છે.

આ પણ વાંચો :-

છાનીમાની રીતે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને OTT પ્લેટફોર્મ પર કરવામાં આવી રિલીઝ, ફેન્સ પણ ચોંકી ગયા

Aamir’s film Lal Singh Chadha was released

  • આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાને લઈને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને OTT પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ (Big movie) બનશે. પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. રીલીઝ બાદથી જ લાલ સિંહ ચઢ્ઢાએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને ફરી એક વખત આમિર ખાનની (Aamir Khan) એ જ ફિલ્મ એ બધાને ચોંકાવી દીધા છે.

એક મીડિયા રીપોર્ટ અનુસાર આમિર ખાને આ ફિલ્મને ચાર વર્ષ આપ્યા હતા પણ તેના ચાર વર્ષની મહેનત પાણીમાં ગઈ હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થઇ હતી અને હવે આ ફિલ્મ ખૂબ જ શાંતિથી OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી છે. (The film Lal Singh Chadha turned out to be a disaster at the box office and now the film has quietly been released on the OTT platform Netflix.)

આપણે બધા જાણીએ જ છીએ કે ફિલ્મની રિલીઝ પહેલા આમિર ખાને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ તેની ફિલ્મ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને Netflix પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા‘ નેટફ્લિક્સ પર 6 ઓક્ટોબરે એટલે કે આજે રિલીઝ કરવામાં આવી. આ રીતે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાના 55 દિવસ પછી જ OTT પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ પાછળનું કારણ એમ કહેવામાં આવી રહ્યું છે કે ‘ફિલ્મને થયેલ મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવ્યું છે.’

લાલ સિંહ ચઢ્ઢાના બજેટની વાત કરીએ તો તે લગભગ 180 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 60-70 કરોડનું ક્લેશન કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન હતા અને ફિલ્મની વાર્તા અતુલ કુલકર્ણીએ લખી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક હતી પણ દર્શકોને આ વાર્તા પસંદ આવી નથી.

આ પણ વાંચો :-

રાજકારણ ! શિવસેના બાદ ઠાકરે પરિવારમાં ભાગલા, ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા

0

Politics! After Shiv Sena split in Thackeray family

  • ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા.

શિવસેના પ્રમુખ (Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) મોટા ભાઈ જયદેવ ઠાકરે (Jaydev Thackeray) બુધવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શિવસેના સામે બળવો કરનાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથ દ્વારા આયોજિત દશેરા રેલીના (Dussehra rally) સ્ટેજ પર દેખાયા હતા.

બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર શિંદેના નેતૃત્વવાળા જૂથની રેલીમાં જયદેવ ઠાકરેથી અલગ થઈ ગયેલી તેમની પત્ની સ્મિતા પણ હાજર હતી અને ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ દિવંગત બિંદુમાધવ ઠાકરેનો પુત્ર નિહાર પણ હાજર હતો.

રસપ્રદ વાત એ છે કે થાણેમાં અંતિમ રેલી દરમિયાન શિવસેના સંસ્થાપક બાલ ઠાકરે દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ખુરશી સ્ટેજ પર વચ્ચે ખાલી રાખવામાં આવી હતી. શિંદેના સ્ટેજ પર ઉદ્ધવ ઠાકરેના ભાઈ અને ભત્રીજા ઉપરાંત બાળ ઠાકરેના 27 વર્ષથી નજીકના સાથી ચંપા સિંહ થાપા પણ હાજર હતા.

પત્રકારો સાથે વાત કરતા સ્મિતા ઠાકરેએ કહ્યું કે શિંદેએ તેમને રેલી માટે આમંત્રણ આપ્યું હતું. બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેને તેમના નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ન હોવાનું કહેવાય છે.

પોતાના સંક્ષિપ્ત ભાષણમાં જયદેવ ઠાકરેએ શિંદેના ‘સાહસિક કદમ’ ની પ્રશંસા કરી હતી અને કાર્યકર્તાને તેમનો સાથ ન છોડવાની વિનંતી કરી હતી. બીજી તરફ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે જૂથે મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં પોતાની દશેરા રેલીનું આયોજન કર્યું હતું.

શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને પોત પોતાની ટીમને ‘સાચી’ શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે શિંદેના બળવાને કારણે 29 જૂને શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી.

આ પણ વાંચો :-

વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની ફરીવાર બદલીના એંધાણ, CR પાટીલે આપ્યું મોટું નિવેદન

0

Vadodara Manpa Commissioner Banchanidhi Pani

  • વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની બદલી મુદ્દે સુરતથી CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત રીતે શરૂ છે. તાજેતરમાં જ સુરત અને વડોદરાના (Vadodara) મનપા કમિશનરની (Municipal Commissioner) આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલનું બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.

CR પાટીલે સુરતના એક કાર્યક્રમમાં હાલ વડોદરા મનપા કમિશનર તરીકે ફરજ બજાવનાર બંછાનિધિ પાનીને લઇને નિવેદન આપતા કહ્યું કે, ‘બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઈચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.’ (We want Banchanidhi Pani to go to Ahmedabad. The post of Ahmedabad Commissioner is vacant)

તાજેતરમાં જ બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી :

ઉલ્લેખનીય છે કે હજુ ચાર-પાંચ દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરોની પરસ્પર બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા હતા તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. બંછાનિધિ પાની કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે રહ્યાં હતા.

બંછાનિધિ પાની કે જેઓ હવે વડોદરા મનપાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકાર સુધી લેવાઈ હતી.

આ પણ વાંચો :-

વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો !

0

Everyone’s eyes are fixed on Virat’s watch

  • દુનિયાના ધુરંધર બેટ્સમેનમાં સામેલ વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર પ્લેયર્સ સાથે એક તસવીર લીધી હતી. જેમાં માત્ર વિરાટની ઘડિયાળની જ ચર્ચા થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા (Australia) જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે.

ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. જીતના લક્ષ્યાંક સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીએ શેર કરી તસવીર :

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી પ્લેયર્સ સાથેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તેમની સાથે યજુવેન્દ્ર ચહલ અને  હર્ષલ પટેલ નજર આવી રહ્યાં છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયા માટે જવા રવાના. આવનારા દિવસો શાનદાર હશે. તેની સાથે જ ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યાં છે.

વિરાટની ઘડિયાળ તો જુઓ :

વિરાટ કોહલીની આ તસવીરમાં તેમની ઘડિયાળ પણ નજર આવી રહી છે. તેના પર અનેક ફેન્સની નજર અટકી ગઈ હતી. લોકોએ તેની કિંમત પણ માલૂમ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે આ રોલેક્સ કંપનીની ઘડિયા છે.

રોલેક્સની સાઈટ પરથી માલૂમ પડ્યું કે આ મોડલ Dayton છે. જેની કિંમત 28 લાખ રૂપિયા છે. એટલુ જ નહિ, આ મોડલને પોતાના ઈચ્છા મુજબ બનાવી શકાય છે. વિરાટે જે મોડલ પહેર્યું છે તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે અનેક ઘડિયાળનું કલેક્શન છે.

આ પણ વાંચો :-

નેપાળી ચોકીદારે 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલો લૂંટ્યો, રાજકોટના પોશ એરિયામાં લૂંટથી ચકચાર

0

Nepali watchman takes 14-year-old boy

  • નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને બંગલામાં લૂંટ મચાવી

રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં (A posh area of Rajkot) દિલ ધડકાવી દે તેવી લૂંટની ઘટના બની છે. રોયલ પાર્ક 7 માં આવેલ માતોશ્રી બંગલામાં પરિવારના 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલામાં (Bungalow) જ કામ કરતા શખ્સે લૂંટને અંજામ આપી હતી.

14 વર્ષનો બાળક ઘરે એકલો હતો ત્યારે બંગલામાં કામ કરતો નેપાળી શખ્સે અન્ય નેપાળી મિત્રોને (Nepali friends) બોલાવી લૂંટ કરી હતી. લૂંટારુંઓ 10 લાખ રોકડ અને અંદાજીત 25 લાખના દાગીના લૂંટીને ભાગી ગયા. વહેલી સવારે 6:30 થી 7 વાગ્યે નેપાળી ચોકીદાર અનિલે મિત્રો સાથે મળીને ઘટનાને અંજામ આપી હતી.

14 વર્ષના કિશોરને બાંધી લૂંટ ચલાવી  :

બન્યું એમ હતું કે રાજકોટના રોયલ પાર્ક શેરી નંબર 7 માં માતોશ્રી બંગલો આવેલો છે. બંગલામાં પ્રભાતભાઈ દૂધાતનો પરિવાર રહે છે. પ્રભાતભાઈ દૂધાત પરિવાર સાથે કામ સંદર્ભે અમદાવાદ ગયા હતા. તેમનો 14 વર્ષનો પુત્ર જશ દૂધાત ઘરમાં એકલો હતો. ત્યારે બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદાર અનિલે ઘરમાં લૂંટ ચલાવી હતી. નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને લૂંટને અંજામ આપ્યો હતો.

હાઈફાઈ લૂંટથી પોલીસ દોડતી થઈ :

લૂંટની પગલે રાજકોટના ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2 સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપી ચોકીદારે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ આરંભી છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

રાજકોટ પોલીસે આરોપીના ફોટા જાહેર કર્યાં :

તો બીજી તરફ પોશ વિસ્તારમાં થયેલી ઘટનાથી રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. ઘરઘાટી નેપાળી શખ્સ અનિલ સહિતના શંકાસ્પદ શખ્સોને ફોટા જાહેર કર્યાં છે. ફોટામાં દેખાતા આ શખ્સો ક્યાંય જોવા મળે તો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી થઈ, ટપોરીના હુમલાથી કિશોરીનો ગાલ ચીરાયો, 17 ટાંકા આવ્યા

Grishmawali hits again in Surat, girl’s

  • પાંડેસરામાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના થતી રહી ગઈ, યુવક સંબંધ રાખવા દબાણ કરતો હતો, 14 વર્ષની કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચ્યું, ગાલ ચીરાઈ ગયો, 17 ટાંકા આવ્યા.

સુરતીઓ ગ્રીષ્મા વેંકરિયાની (GRISHMA VENKARIA) દર્દનાક ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં તેનુ ગળુ કપાયું હતું તે યાદ કરીને હચમચી જવાય છે. ત્યારે સુરતના પાંડેસરામાં (Pandesara of Surat) ગ્રીષ્મા વેંકરિયા હત્યાકાંડ (massacre) જેવી ઘટના થતી રહી ગઈ. 14 વર્ષની કિશોરી પર એક ટપોરીએ હુમલો કર્યો હતો. યુવકે તેને સંબંધ બાંધવા દબાણ કરીને કિશોરીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનો ગાલ ચીરાયો હતો. લોહી લુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ગાલ પર 17 ટાંકા લેવામાં આવ્યાં છે. 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.  (A young man has fled to Maharashtra after fatally attacking a 14-year-old girl. Then the police have set in motion to find him.)

પીડિત કિશોરીએ પોલીસને જણાવ્યું કે પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. બુધવારના રોજ તે તેના રૂમમાંથી બહાર નીકળી બાથરૂમમાં ગઈ હતી. તે જ સમયે કાલુ નામના યુવકે તેની નજીક આવી તારૂ કોની સાથે લફડુ ચાલે છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ગાલ ચીરાઈ ગયો હતો. તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

કિશોરીએ જણાવ્યું કે કાલુ નામનો યુવક કેટલાય દિવસોથી તેનો પીછો કરતો હતો. તે તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો. મારા પાડોશમાં એક મહિલા રહે છે. જેના ઘરે તે આવતોજતો હતો. યુવકે અનેકવાર કિશોરી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ તેની સાથે વાત કરી ન હતી. છતા યુવક તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી ગુસ્સાયેલા કાલુએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો.

યુવકે બપોરના સમયે કિશોરી પર હુમલો કર્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. કિશોરી પર સર્જરી કરાતા તેના ચહેરાના ભાગ પર 17 ટાંકા લેવા પડ્યા હતા.

આ પણ વાંચો :-