એક તરફ આયોધ્યાના રામ મંદિરમાં ટ્રસ્ટના કર્મચારિઓ જ કરોડો રૂપયાનું દાન ચોરી કર્યાના આક્ષેપો છે તોહ બીજી તરફ દાતાઓએ રામ મંદિરને દાન પેટે આપેલ કરોડો રૂપયાના ચેક બાઉન્સ થાય છે. આ ઘટના ઘોર કળયુગના પુરાવા આપે છે.
અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપવાની વાત વચ્ચે હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને સૌ કોઈ ચોંકી જશે. ચેન્નાઈની એક મહિલા શ્રદ્ધાળુએ મંદિરના કર્મચારીઓની સુવિધા અને પગારમાં સુધારો કરવા માટે આપેલો ₹4 કરોડનો ચેક બાઉન્સ થઈ ગયો છે. તપાસ દરમિયાન સંબંધિત બેંક ખાતામાં માત્ર ₹3 જ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ચેન્નાઈની એસ. નાગલક્ષ્મીએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. તેમની ઇચ્છા હતી કે આ રકમનો ઉપયોગ મંદિરના કર્મચારીઓના કલ્યાણ માટે કરવામાં આવે. આ ઉપરાંત તેમણે રામલલાના દર્શન દરમિયાન અલગથી ₹10,000નું દાન પણ આપ્યું હતું. આ ₹4 કરોડના ચેકની રસીદ પણ આપવામાં આવી હતી.
ચેક બેંકમાં રજૂ થયા બાદ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી તેનું પેમેન્ટ થઈ શક્યું નહોતું. હવે બેંક દ્વારા દાતાને નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ ઘટના સામે આવ્યા બાદ રામ મંદિરને મળતા મોટા દાન અને તેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.


