Home Blog Page 1282

ક્રિકેટ બાદ હવે ફિલ્મી દુનિયામાં પણ ધમાલ મચાવશે શિખર ધવન, જાણીતી અભિનેત્રી સાથે કરશે બોલીવુડમાં ડેબ્યૂ

Shikhar Dhawan will make a splash in the

  • ક્રિકેટર શિખર ધવન હવે ફિલ્મ ‘ડબલ એક્સએલ’થી હુમા કુરેશી તથા સોનાક્ષી સિંહા સાથે પોતાનો બૉલીવુડ ડેબ્યૂ કરશે. જુઓ તસવીરો

ક્રિકેટના મેદાન પર ચોક્કા – છગ્ગાથી ફેન્સના દિલો પર રાજ કરનારા ભારતના ઓપનર શિખર ધવન (Opener Shikhar Dhawan) હવે ફિલ્મી પરદા પર જોવા મળશે. તેઓ એક હિન્દી ફિલ્મમાં જોવા મળશે. શિખર સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને હુમા કુરેશી (Huma Qureshi) પણ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા આ વાતની પુષ્ટિ પણ થાય છે.

શિખર ધવનનો બોલીવુડ ડેબ્યૂ :

ટીમ ઈન્ડિયામાં પોતાની કપ્તાનીથી દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં જીત અપાવ્યા બાદ શિખર દગવાં હવે ફિલ્મી પડદા પર પોતાનો જાદૂ વિખેરશે. તેઓ હુમા કુરેશી, સોનાક્ષી સિંહા સાથે પોતાનો બોલીવુડ ડેબ્યૂ કરશે.

‘ડબલ એક્સએલ’ થી કરશે શરૂઆત  :

બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીએ શિખર ધવન સાથે પોતાની તસવીરો શેર કરી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની તસવીરો છે. આમાંથી એક તસવીરમાં શિખર અને હુમા રોમેટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.  બીજી તસવીરમાં શિખર અને હુમા હસતાં જોવા મળે છે.

સોનાક્ષી અને હુમા એકસાથે  :

‘ડબલ એક્સએલ’ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી બંને શિખર સાથે જોવા મળશે. ફિલ્મમાં ઝહીર ઇકબાલ પણ છે. ફિલ્મના નિર્દેશક સતરામ રમાની છે.

આ પણ વાંચો :-

દિવાળી પહેલા જ સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનેદારે તાપીમાં લગાવી મોતની છલાંગ, એવી તો શું આફત આવી પડી?

0

Just before Diwali, an embroidery factory in

  • આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. તેમાં પણ હવે તો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

હિસાબ-કિતાબને લઈને ધંધાદારીઓમાં (Entrepreneurship) ઉઘરાણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં ક્રિકેટ (Cricket) મેચના સટ્ટામાં દેવું વધી જતા એમ્બ્રોડરી (embroidery) કારખાનેદારે ડબ્બા ટ્રેડીંગવાળાની (Bin trading) ઉઘરાણીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે.

કરોડોનું નુકસાન જતા તણાવમાં રહેતો હતો :

મળતી માહિતી અનુસાર ચિરાગ પારેખ સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. તે એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો. તેમજ કારખાનાની સાથે તેણે શેરબજારમાં રોકાણ કરવા માટે ડબ્બા ટ્રેડિગમાં પોતાનું આઇડી ખોલાવ્યું હતું. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં કરોડો રૂપિયાનું નુકશાન થતા છેલ્લા કેટલાક સમયથી ચિરાગ માનસિક તણાવમાં રહેતો હતો.

સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ લખી :

માનસિક તણાવને કારણે ચિરાગે બે દિવસ અગાઉ ડબ્બા ટ્રેડિંગમાં થયેલા નુકશાન સામે ઉઘરાણી કરનાર પંકજ દુધાત, જયદીપ મેર ઉપરાંત જેમની પાસેથી ઉઘરાણી બાકી છે તેવા હરેશભાઇ અને પરાગ રમેશ સાગર કે જેઓ મને મારા રૂપિયા આપતા ન હતા જેથી કંટાળીને આપઘાત કરી રહ્યાની સુસાઇડ નોટ સોશ્યિલ મિડીયા પર મુકી હતી.

ત્યારબાદ તેની લાશ તાપી નદીના કિનારે પાણીમાંથી મળી આવી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :-

વધુ એક મહત્વનો નિર્ણય : ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG-ઇલેક્ટ્રિક બસ સેવા, સરકારે ફાળવ્યાં 121 કરોડ

0

Another important decision: CNG-electric

  • શહેરી પરિવહન સુવિધાને ધ્યાને રાખતા ગુજરાત સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે રૂ. 121 કરોડની ફાળવણી કરી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી ગઇ છે એટલે કે નજીકના દિવસોમાં તેની તારીખ પણ જાહેર કરી દેવાશે. એ પહેલાં ગુજરાત સરકાર (Gujarat Govt) એકબાદ એક મહત્વના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરી રહી છે તેમજ મહત્વના નિર્ણયો પણ લઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારે (State Govt) જનતા હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે રૂ. 9.03 કરોડની ફાળવણી :

ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થાને લઈને રૂપિયા 121 કરોડની ફાળવણી કરી છે. સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે રાજકોટમાં 50 ઈલેક્ટ્રિક બસ સંચાલન માટે રૂપિયા 91.25 કરોડની ફાળવણી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ માટે રૂ. 20.44 કરોડની સરકારે ફાળવણી કરી છે. તો ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે રૂ. 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાના કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતુ જાય છે. તદુપરાંત રાજ્યમાં માર્ગ અકસ્માતો તેમજ અસલામત પરિવહનની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. ત્યારે રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે સરળ અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી છે.

કુલ 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી :

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો લાભ મળે તેવા અભિગમથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળીને કુલ 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

મહત્વનું છે કે મંજૂરીની વાત કરીએ તો અમદાવાદમાં 625, વડોદરામાં 50, સુરતમાં 400, જૂનાગઢમાં 25 અને જામનગરમાં 10 એમ 1110 બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓ પૈકી 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

બસ, બે દિવસ બાકી…ચૂંટણી પહેલા શાંત દેખાતી કોંગ્રેસ 15 ઓક્ટોબરે કરી શકે છે મોટી જાહેરાત

0

That’s it, two days left…Congress, which seems calm

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 15 ઓક્ટોમ્બરની આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને (Voters) રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની (Gujarat Congress) રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી (Diwali) પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નથી કરાઈ જાહેરાત  :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.

15 ઓક્ટોમ્બર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી કરી શકે છે જાહેર  :

આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપી દેવાશે.

કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી 15 ઓક્ટોબરની આસપાસ જાહેર થઈ શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. જો કે આ અંગે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ત્રણથી ચાર તબક્કામાં જાહેર કરાશે ઉમેદવાર : રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવારો જાહેર કરાશે અને પ્રથમ યાદી દિવાળી પહેલા જાહેર કરાશે. તો તેમણે મુખ્યમંત્રી ચહેરાને લઈને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે. કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરાતું નથી.

આ પણ વાંચો :-

Paper Leak : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય, હવેથી તમામ પરીક્ષાઓમાં આ સ્ટાઈલથી પેપરો કઢાશે

0

Paper Leak: Saurashtra University has

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) પેપર લીક થયા બાદ નિર્ણય લીધો છે કે હવેની તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કઢાશે. પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં (Question Papers Hardcopy) મોકલવામાં નહીં આવે.

હવેથી તમામ કોલેજોને સોફટકોપીમાં (Soft copy) પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે BBAની પરીક્ષાનું પેપર યુનિવર્સિટી (University) દ્વારા ગઈકાલે રાત્રે જ તાત્કાલિક બદલી દેવાયું હતું. જ્યારે B.COMના પેપરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ : 

મહત્વનું છે કે ગુજરાતમાં હવે તો જાણે કે પેપર ફૂટ્યાની ઘટનાની તો જાણે કોઇ જ નવાઇ નથી રહી એવું દેખાઇ રહ્યું છે. કારણ કે રાજ્યમાં પેપર ફૂટ્યાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક પેપર ફૂટ્યાની ઘટના ઘટી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર BBA અને BComની પરીક્ષાના પેપર ફૂટી ગયા છે.

જો કે આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવતા પૂછ્યું કે ‘આવાં તત્વો સામે યુનિવર્સિટી ફરિયાદ દાખલ શા માટે નથી કરતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.’

ધોરાજીમાં પણ વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો :

બીજી બાજુ ધોરાજીમાં પણ વિધાર્થીઓએ પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનો આક્ષેપ લગાવ્યો. ધોરાજીના કોલેજના વિધાર્થીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો :-

જેલમાં જ લાઈફ-પાર્ટનર સાથે એકાંત માણી શકશે કેદી, વંશ વધારવા માટે કોર્ટે આપી સ્પેશ્યલ મંજૂરી

0

Prisoner can enjoy solitude with life-partner

  • પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે નિર્ણય લીધો છે કે હવે જેલમાં પણ કેદી પોતાના વંશને આગળ વધારી શકશે. આ માટે જેલમાં અલગ રૂમ પણ બનાવવામાં આવશે. જાણો વિગતવાર

જેલ પણ હવે વંશ વધારવાની સાક્ષી બનશે. જેલમાં કેદ પતિ અથવા પત્ની (Imprisoned husband or wife) પોતાના લાઈફ પાર્ટનરને (Life partner) એકાંતમાં મળી શકશે. આ પહેલ પંજાબ સરકારે (Punjab Govt) કરી છે અને આનું કારણ છે પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં (Haryana High Court) આ વર્ષે પહોંચેલા મામલાઓ. આ કેવી રીતે શક્ય થયું એ પહેલા જાણી લઈએ કે કઈ કઈ દલીલો સાથે આવી પેટીશન પહોંચી.

પહેલો મામલો :

માર્ચ 2022મા ગુરુગ્રામની એક મહિલા પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટ પહોંચી હતી. તેની પેટીશન બીજા કેસ કરતાં થોડી અલગ હતી. મહિલાએ જેલમાં કેદ પતિ સાતે શારીરિક સંબંધ બનાવવાની મંજૂરી માંગી. મહિલાએ દલીલ કરી કે તે જેલમાં કેદ પતિ સાથે પોતાના વંશને આગળ વધારવા માંગે છે. તેણે કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય અપરાધોનો દોશી ઠેરવ્યો છે. 2018 બાદથી જ તે ભોંડસી જિલ્લાની કેન્દ્રીય જેલમાં કેદ છે.

બીજો મામલો  :

આ પહેલા જાન્યુઆરી 2022નાં રોજ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પત્નીએ પોતાના પતિથી અલગ રૂમમાં મળવાનો સમય માંગ્યો હતો. તેણે બંધારણનાં આર્ટીકલ 21નો સહારો લીધો. જેમાં તેને આ અધિકાર આપવામાં આવ્યો છે.

ત્રીજો મામલો :

જસવીર સિંહે અરજી દાખલ કરી હતી કે તે પોતાનો વંશ આગળ વધારવા માંગે છે. પત્ની ગર્ભવતી થવા સુધી તેને પણ જેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. હાઇકોર્ટે આ માંગને રદ્દ કરી હતી.

હાઇકોર્ટનો નિર્ણય  :

આ જ જસવીર સિંહ તથા પંજાબ સરકાર વચ્ચેના કેસમા હાઇકોર્ટે હરિયાણા, પંજાબ અને ચંદીગઢની જેલ રીફોર્મ્સ કમિટી બનાવીને આ વિશે નીતિ બનાવવા કહ્યું હતું.

પંજાબની ચાર જેલોમાં સુવિધા મળી :

પંજાબ સરકારે માહત્વની પહેલ કરી. અહીંની જેલના કેદીઓને જીવનસાથી સાથે એકાંતમાં થોડો સમય વિતાવવાની મંજૂરી આપી દીધી. આ માટે જેલમાં અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ સુવિધા ઈંદવાલ સાહિબ, નાભા, લુધિયાણા અને બઠિંડા જેલમાં શરૂ થઈ ચૂકી છે. આ સુવિધા બધી જ જેલોમાં શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

સુવિધા ગેંગસ્ટર અને યૌન અપરાધીઓ માટે નહીં  :

આ સુવિધા દરેક અપરાધી માટે નથી. કુખ્યાત અપરાધી, ગેંગસ્ટર અને યૌન અપરાધો સાથે જોડાયેલા મામલાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને આ સુવિધા નહીં મળે. જેલ અધિકારીએ જણાવ્યું કે આ માટે કેદી પહેલા જેલ પ્રશાસનને એપ્લિકેશન આપી શકે છે.

અરજી મંજૂર થયા બાદ સારા આચરણવાળા કેદીઓને બે કલાક સુધી પોતાના જીવનસાથી સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે જેલ પ્રશાસને અલગ રૂમ તૈયાર કર્યા છે, જેમાં અલગ ડબલ બેડ, ટેબલ અને અટેચ બાથરૂમ પણ હશે.

મેડિકલ ટેસ્ટ ફરજિયાત  :

આવી મુલાકાત પહેલા પંજાબ સરકારે કેટલાક નિયમોની યાદી પણ તૈયાર કરી છે. સૌ પ્રથમ લગ્નનું પ્રમાણપત્ર છે. આ માટે તમારે પહેલા પતિ-પત્ની હોવાનું મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડશે. આ પછી બીજું સૌથી મોટું પ્રમાણપત્ર તબીબી પ્રમાણપત્ર હશે. જેમાં એચઆઈવી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી), કોરોના સંક્રમણ અને આવી કોઈ અન્ય બીમારી ન હોવી જોઈએ. આ પછી, જેલ પ્રશાસન બે કલાક આપશે, જેના પર પતિ-પત્ની એકલા સમય પસાર કરી શકશે.

આ પણ વાંચો :-

તાલાલામાં પિતાએ પોતાની જ 14 વર્ષની બાળકીની બલિ ચડાવી હોવાની આશંકા- ઘટના જાણીને ધ્રુજી ઉઠશો

In Talala, father is suspected to have

  • ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગ. વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી. તાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર માર. વાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતી.

ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા (Talala) તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીની બલિ ચઢાવાના મામલે આખરે પોલીસે (Police) ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. અંધશ્રદ્ધાના મામલે બાળકીનો ભોગ લેવાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. વળગાડની વિધીના નામે બાળકીને મોતને ઘાટ ઉતારાઇ હતી અને તાર અને લાકડી વડે બાળકીને ઢોર માર માર્યો હતો.

તલાલા પોલીસે ગુનો નોંધ્યો :

તલાલા પોલીસે સમગ્ર બનાવ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધી હતી. પોલીસે IPC સેક્શન 302, 201, અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. સમગ્ર બનાવમાં ભાવેશ ગોપાલ ભાઈ અકબરી અને દિલીપભાઈ ગોપાલ ભાઈ અકબરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી :

પોલીસે નોંધેલી ફરિયાદમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ફરિયાદમાં માસૂમ બાળકીના પિતા તથા બાળકીના કાકા એ ભેગા મળી ધૈર્યાનો જીવ લઈ લીધો હોવાનો ખુલાસો થયો હતો. માસૂમ બાળકીના પિતાના તથા તેમના.ભાઈને શંકા હતી કે તેની દીકરીને કોઇ વળગાડ છે.

જૂના કપડા સળગાવ્યા :

બાળકી ધૈર્યને બાળકીના પિતા અને તેના ભાઈએ 1લી ઓક્ટોબરના રોજ ચકલીઘર નામની વાડીએ લાવ્યા હતા. ત્યારબાદ તેમણે માસૂમ બાળકીના જુના કપડા સળગાવી દીધા હતા.

બાળકીને 2 કલાક સુધી આગ પાસે બેસાડી :

બનાવની ચોંકાવનારી વિગતો મુજબ માસૂમ બાળકીને આગ પાસે બે કલાક બેસાડી રાખવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ શેરડીની વાડમાં બાળકીને લાકડી તથા વાયર વડે માર મારવામાં આવ્યો હતો.

બાળકી પર અમાનુષી અત્યાચાર :

વળગાડની વિધિના નામે બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. માસૂમ બાળકીના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી હતી. સતત અત્યાચાર ગુજારાતા આખરે માસૂમ બાળકીનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

ત્યારબાદ બાળકીના ભાઈએ પોતાની બહેનની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટમાં લપેટી દીધી હતી. લાશને બાદમાં ફોર વ્હીલર ગાડીની ડેકીમાં મૂકી દેવાઇ હતી અને ચેપી રોગ થયો છે તેમ કહીને સ્મશાને લઈ જઈને અંતિમ વિધિ પૂર્ણ કરી નાંખી હતી.

આ પણ વાંચો :-

માત્ર આટલા રૂપિયામાં આવે છે માત્ર એક સફરજન, નામ છે બ્લેડ ડાયમંડ, આ દેશમાં થાય છે તેની ખેતી 

Only one apple, named Blade Diamond

  • બ્લેક ડાયમંડ સફરજન સામાન્ય સફરજન (Apple) કરતાં વધુ મીઠા અને ક્રન્ચિયર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ડાયમંડ એપલની કિંમત 500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની હોય છે.

બ્લેક ડાયમંડ (Black Diamond) સફરજન (Apple) સામાન્ય સફરજન કરતાં વધુ મીઠા અને ક્રન્ચિયર હોય છે. પરંતુ જો આપણે તેના ફાયદા વિશે વાત કરીએ. તો તે લાલ સફરજન જેટલા ફાયદાકારક નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ડાયમંડ એપલની કિંમત 500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની હોય છે.

સામાન્ય રીતે લોકો જાણે છે કે સફરજન માત્ર લાલ અને લીલા રંગના જ હોય ​​છે. કેટલાકને લાલ કાશ્મીરી સફરજન ખાવાનું ગમે છે તો કેટલાકને લીલા હિમાચલી સફરજન ગમે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સફરજનનો રંગ પણ કાળો હોય છે.

ખાસ વાત એ છે કે આ ઘેરા જાંબલી રંગના સફરજનને બ્લેક ડાયમંડ એપલ તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્લભ સફરજનની ખેતી તિબેટની ટેકરીઓ પર જ થાય છે. ખાસ વાત એ છે કે તિબેટમાં (Tibet) આ સફરજનનું નામ ‘હુઆ નીયુ’ છે. તે તિબેટના સૌથી મહત્વપૂર્ણ ફળોમાંનું એક છે. તેની માંગ આખી દુનિયામાં છે.

આ સફરજન જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. પરંતુ તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી દેશે. દરેક સફરજનની કિંમત $7 અને $20 વચ્ચે હોઈ શકે છે. આ સફરજન મોંઘા પણ છે કારણ કે તેની ખેતી દરિયાની સપાટીથી 3100 મીટરની ઉંચાઈ પર થાય છે. બ્લેક ડાયમંડ સફરજન સફરજન ઉત્પાદકો માટે કોઈ રહસ્યથી ઓછું નથી.

એક રિપોર્ટ અનુસાર બ્લેક ડાયમંડ સફરજન દિવસભર સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી અને રાત્રે ઠંડા તાપમાનને કારણે તેમનો રંગ અને સ્વાદ મેળવે છે. બ્લેક ડાયમંડ એપલની ખાસિયતએ છે કે તેના વૃક્ષો શરૂઆતના પાંચથી આઠ વર્ષ સુધી ફળ પણ આપતા નથી.

કાળા સફરજનના તાજા ફળને જોઈને એવું લાગે છે કે તેના પર મીણ લગાવવામાં આવ્યું છે. તેનું ટેક્સચર જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. એવું નથી કે આ પ્રકારના સફરજનની ખેતી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. બ્લેક એપલની ખેતી વર્ષ 2015થી શરૂ થઈ હતી. આમાંથી મોટા ભાગના સફરજન બેઇજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને શેનઝેનમાં સુપરમાર્કેટમાં ખવાય છે.

બ્લેક ડાયમંડ સફરજન સામાન્ય સફરજન કરતાં વધુ મીઠા અને ક્રન્ચિયર હોય છે. પરંતુ જો આપણે તેના ફાયદા વિશે વાત કરીએ તો તે લાલ સફરજન જેટલા ફાયદાકારક નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ડાયમંડ એપલની કિંમત 500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની હોય છે.

આ પણ વાંચો :-

આ વર્ષનું દિવાળી વેકેશન મોંઘુ પડશે ! ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો

0

This year’s Diwali vacation will be expensive

  • દિવાળીના તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવા લાગે છે. ST નિગમે પણ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો થયો છે.

સુરતમાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના (Private buses) ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યા છે.

ટ્રેનનું બુકિંગ ફૂલ થતા બસોના ભાડામાં વધારો :

સુરતમાં ટ્રેનો ફૂલ થતાં બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200 વસુલવામાં આવી રહ્યું છે.

સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2 હજારે પહોચ્યું :

તો સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલાય રહ્યું છે.

વધારાની બસો દોડવવાનો નિર્ણય :

અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે. આગામી દિવાળીના તહેવારમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1550 જેટલી બસો સુરત વિભાગમાંથી દોડાવાશે :

જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે SP આકરા પાણીએ, મહિલા PSI ની તાબડતોબ શિક્ષાત્મક બદલી

0

In the case of the attack on MLA Anant Patel in

  • ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે શિક્ષાત્મક બદલી કરી મહિલા PSI ને લિવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે.

નવસારીના (Navsari) ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર તાજેતરમાં હુમલાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને લઇને ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મહિલા PSIની બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ ખેરગામના PSI એસ.એસ.માલની બદલીનો ઓર્ડર કર્યો છે. એટલું જ નહિ શિક્ષાત્મક બદલી (Punitive Substitution) કરી મહિલા PSIને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ટાઉન PSI જે.વી.ચાવડાને ખેરગામમાં મુકાયા છે.

મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો :

ગત શનિવારની રાત્રીએ ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામ બજારમાં હુમલો થયા બાદ તેના પ્રત્યાઘાતો હજુ પણ શાંત પડ્યા નથી. હાલ ધારાસભ્ય અનંતભાઈ પટેલ વાંસદા શિવમ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે અને આરોપીઓની ધરપકડ ન થતાં આદિવાસી સમાજ રસ્તા પર ઊતરી પડ્યો છે. તો બીજી તરફ તેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે.

કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે હોસ્પિટલ પહોંચીને અનંત પટેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી. મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો હતો.

આદિવાસી સમાજે નેશનલ હાઇવે નંબર 56 પર કર્યો ચક્કાજામ :

હુમલા બાદ નવસારી જિલ્લા પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે 72 કલાકની સમય મર્યાદા માંગી હતી. જે આજે પૂર્ણ થઈ ગઈ હતી છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી આથી રોષે ભરાયેલા આદિવાસી સમાજે વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ઉપર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો. પ્રકૃતિપુજક આદિવાસી સમાજે હાઇવે પર પ્રકૃતિની પૂજા અર્ચના પણ કરી હતી.

જેના કારણે મહારાષ્ટ્રથી ડાંગ થઈ આવતા વાહનો અને વલસાડથી ધરમપુર થઈ નવસારી અથવા શામળાજી જતા વાહનોની લાગી લાંબી લાઈનો લાગી હતી. આદિવાસીઓએ પોલીસ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સામે રોષ ઠાલવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ વાંચો :-