Home Blog Page 1269

મોરબી દુર્ઘટના : નીતિન પટેલે કહ્યું સરકારનો આમાં કોઈ રોલ નથી, તંત્ર દ્વારા રિનોવેશન થયું

0

Morbi Tragedy: Nitin Patel said the government

  • બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી: નીતિન પટેલ

મોરબીમાં (Morbi) ઝૂલતો પૂલ (Swinging pool) તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યાં છે. જોકે આ દરમ્યાન હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું (Former Chief Minister Nitin Patel) નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે મોરબી બ્રિજનું નવીનીકરણ (Renovation of Bridges) અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જોકે અહી મહત્વનું છે કે હજી ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.

શું કહ્યું નીતિન પટેલે

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છે. તેવામાં ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અગાઉ શું કહ્યું હતું નીતિન પટેલે

મહત્વનું છે કે ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં નીતિન પટેલે કહ્યું હતું કે આ જવાબદારી અમારી છે. કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા.

આ કોઈ છૂપી વાત નથી તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે જે બાદમાં આમાં કોની ભૂલ છે તે શોધી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ઈન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરી રહ્યું છે લોકોના એકાઉન્ટ ? વોટ્સએપ બાદ આ સોશિયલ પ્લેટફોર્મ પર સમસ્યા

0

Instagram is suspending people’s accounts

  • ઘણા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે આ વિશે માહિતી આપી છે.

થોડા દિવસ પહેલા કલાકો સુધી વોટ્સએપ ડાઉન (WhatsApp down) રહ્યું જેનાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામની (The networking app Instagram) સાથે આવી સમસ્યા આવી છે.

લોકોનો દાવો છે કે લોગ ઇન કરવા પર એકાઉન્ટ સસ્પેન્ડ હોવાનું નોટિફિકેશન જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સ્ક્રીનશોટ (screenshot) શેર કરી રહ્યાં છે. તો શું ખરેખર ઈન્સ્ટાગ્રામ લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યું છે?

ઈન્સ્ટાગ્રામની કમ્યુનિકેશન ટીમે ટ્વીટ કરી કહ્યું, અમને આ વાતની જાણકારી છે કે તમારૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પરેશાની માટે ખેદ છે. એક યૂઝરે લખ્યું- ઈન્સ્ટાગ્રામ આ શું થઈ રહ્યું છે? કોઈ કારણ વગર મારૂ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ. જ્યારે હું કોડ વેરિફાઈ કરવાનો પ્રયાસ કરૂ છું તો એરર દેખાડે છે. શું કોઈ અન્યને પણ આવી સમસ્યા થઈ રહી છે ?

જાણકારો પ્રમાણે સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે સર્વર પર સાઇબર એટેક થાય છે. ટ્વિટરની સામે પણ આવી મુશ્કેલી આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે હેકરે બેન્કેડનું એક્સેસ લઈ લીધુ હતું. પરંતુ કોઈપણ સોશિયલ પ્લેટફોર્મે હેકિંગની જાણકારી ક્યારેય આપી નથી.

રિયલટાઇમ ઓનલાઇન આઉટેઝ ટ્રેકર ડાઉન ડિટેક્ટરની વાત કરીએ તો તેમાં દેખાડવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક કલાકમાં આશરે 7 હજાર યૂઝર્સને આ પ્રકારની સમસ્યા આવી રહી હતી. જાણવા મળી રહ્યું છે કે ઘણા યૂઝર્સના ફોલોઅર પણ અચાનક ઘટવા લાગ્યા છે.

આ પણ વાંચો :-

Rental Agreement : ભાડા કરારનો સમયગાળો 11 મહિનાનો જ કેમ ? શું આપ જાણો છો તેનું કારણ

0

Rental Agreement: Why the period of rental

  • જો તમે કોઈ મિલકત ભાડે રાખેલી હોય કે આપેલી હોય તો તમે ભાડા કરાર કર્યો હશે અને સામાન્ય રીતે તેના કરારનો સમયગાળો 11 મહિનાનો હશે. તમને પ્રશ્ન થશે કે આવું કેમ ? ચાલો જાણીએ કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે હોય છે.

જો તમે ક્યારેય મિલકત ભાડે (Property for rent) લીધી હોય અથવા ભાડાના મકાનમાં રહેતા હો, તો નિયમ અનુસાર તમારે ભાડા કરાર બનાવવો જોઈએ. જેનો સમયગાળો તમે ગમે તેટલો રાખી શકો છો, પરંતુ તમે જોયું હશે તો મોટાભાગના કરાર 11 મહિનાના (Contract 11 months) હોય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે છે? ઘણીવાર, મકાનમાલિક કે ભાડૂત અને રિયલ એસ્ટેટ એજન્ટ પણ જાણતા નથી. તો ચાલો જાણીએ કે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કેમ.

ભાડા કરાર :

ભાડા કરાર એ મિલકતના માલિક / મકાન માલિક અને ભાડૂત જે ભાડું આપે છે તે વચ્ચેનો લેખિત કરાર છે. કરારમાં એ નિયમો અને શરતોનો સમાવેશ થાય છે કે જે મિલકત ભાડે આપેલી છે. જેમાં મિલકતનું વર્ણન (સરનામું, પ્રકાર અને કદ), માસિક ભાડું, સિક્યોરિટી ડિપોઝિટ, હેતુ કે જેના માટે મિલકતનો ઉપયોગ કરવાનો છે (રહેણાંક અથવા વ્યાપારી), અને કરારની મુદત જેવી બાબતો સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે.

તેના નિયમો અને શરતો પર વાટાઘાટો કરી શકાય છે પરંતુ એકવાર તેના પર હસ્તાક્ષર કર્યા પછી તે મકાનમાલિક અને ભાડૂત બંને માટે બંધનકર્તા છે. તે એવી શરતો પણ સ્પષ્ટ કરે છે કે જેના હેઠળ કરારને સમાપ્ત કરી શકાય છે.

11 મહિના જ કેમ :

  1. સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય શુલ્ક ટાળવા માટે મોટાભાગના ભાડા કરાર અથવા લીઝ કરારો 11 મહિના માટે સહી કરવામાં આવે છે. નોંધણી અધિનિયમ 1908 મુજબ, જો લીઝિંગનો સમયગાળો 12 મહિનાથી વધુ હોય, તો લીઝિંગ કરારની નોંધણી ફરજિયાત છે.
  2. જો સિક્યોરિટી ડિપોઝિટ કરારનો ભાગ છે, તો 100 રૂપિયાની ફ્લેટ ફી પણ વસૂલવામાં આવશે. 5 વર્ષથી વધુ પરંતુ 10 વર્ષથી ઓછા સમયગાળા માટે, તે એક વર્ષ માટે સરેરાશ વાર્ષિક ભાડા મૂલ્યના 3% છે.
  3. 10 વર્ષ અને તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછા માટે, તે એક વર્ષ માટે સરેરાશ વાર્ષિક ભાડા મૂલ્યના 6% છે. આ સિવાય 1,100 રૂપિયાની ફ્લેટ રજિસ્ટ્રેશન ફી ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) દ્વારા ચૂકવવાની રહેશે.

સમજો સંપૂર્ણ ગણિત :

  1. જો કોઈ મિલકત 24 મહિના માટે ભાડે આપવામાં આવે છે. જેમાં પ્રથમ 12 મહિનાનું માસિક ભાડું રૂ. 20,000 છે અને પછીના 12 મહિના માટેનું ભાડું રૂ. 22,000 પ્રતિ માસ છે.
  2. આ કરારની નોંધણી કરવા માટેની ફી હશે: 12 મહિનાના સરેરાશ ભાડાના 2%: રૂ. 5,040 (સરેરાશ માસિક ભાડું રૂ. 21,000, સરેરાશ વાર્ષિક ભાડું 21000 x 12 અને આના 2% રૂ. 5,040 છે).
  3.  આ સિવાય જો સિક્યોરિટી ડિપોઝીટને કરારમાં સામેલ કરવામાં આવે તો 100 રૂપિયા અને 1100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે કે કુલ 6,240 રૂપિયા ચૂકવવા પડશે. આમાં પેપરવર્ક માટે લેવામાં આવતી ફીનો સમાવેશ થતો નથી.

આ શુલ્ક ચૂકવવાનું ટાળવા માટે, ઘણા મકાનમાલિકો અને ભાડૂતો પરસ્પર સંમતિથી કરારની નોંધણી કરતા નથી. જો મિલકતના માલિક અને ભાડૂત લીઝ કરારની નોંધણી કરાવવા માંગતા હોય, તો બંને ખર્ચ વહેંચવા માટે સંમત થઈ શકે છે.

આ પણ વાંચો :-

Whatsapp દૂર કરી દેશે તમારી મોટી પરેશાની, આવી રહ્યું છે જોરદાર કામનું ફીચર

Whatsapp will remove your big hassle

  • Whatsapp પર ટૂંક સમયમાં નવુ ‘Messages with Yourself’ એન્ટ્રી કરવાનુ છે, જે યુઝર્સને પ્લેટફોર્મ પર પોતાને મેસેજ કરવામાં સક્ષમ બનાવશે. જાણો કેવીરીતે કામ કરશે નવુ ફીચર.

Whatsapp ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જે આગામી મહિનામાં તેના પ્લેટફોર્મ પર આવવાની આશા છે. આ યાદીમાં કેપ્શનની સાથે મીડિયાને ફોરવર્ડ કરવું. વોટ્સએપના ડેસ્કટોપ (Desktop) એપ માટે એક નવુ બ્લર ટૂલ અને અન્ય વસ્તુઓની સાથે એક નવો પોલ ફીચર સામેલ છે.

હવે એક નવા રિપોર્ટમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે મેટાની માલિકીની મેસેજિંગ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે. જે યુઝર્સને પ્લેટફોર્મ પર પોતાને મેસેજ કરવામાં સક્ષમ બનાવશે.

આવી રહ્યું છે Messages with Yourself ફીચર 

વોટ્સએપના નવા ફીચર ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoના એક રિપોર્ટ મુજબ, ‘Messages with Yourself’ નામનુ ફીચર વોટ્સએપ યુઝર્સને એક ઈન્ડિવિજ્યુઅલ ચેટમાં પોતાના મેસેજ ડ્રોપ કરવાની સુવિધા આપે છે, જેમ કે આ પ્લેટફોર્મ પર અન્ય કોન્ટેક્ટ્સના મામલામાં કરે છે.

બ્લોગ સાઈટ દ્વારા શેર કરવામાં આવેલા ડેવલપમેન્ટ ફીચરના એક સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે જ્યારે ફીચર તૈયાર થશે તો યુઝર એપના ઉપરના જમણા ખૂણે આપવામાં આવતા ‘New Chat‘ બટનને ટેપ કરીને પોતાની સાથે વાતચીત શરૂ કરવામાં સક્ષમ થશે.

નવી અપડેટ એપમાં જોડશે આ નવા ઓપ્શન  :

અત્યાર સુધી ન્યુ ચેટ પર ટેપ કરતા New Group અને New Contact બટન દેખાય છે, ત્યારબાદ અલ્ફાવેટિકલ ઓર્ડરમાં બધા વોટ્સએપ કોન્ટેક્ટ્સની યાદી દેખાય છે. જો કે જ્યારે આ અપડેટ જાહેર કરવામાં આવશે તો મેસેજિંગ એપ ન્યુ ગ્રુપ અને ન્યુ કોન્ટેક્ટ બટન બતાવ્યાં સિવાય ન્યુ કોમ્યુનિટી બટન બતાવવામાં આવશે. ત્યારબાદ વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટ હશે. આ યાદીમાં પોતાનુ નામ ટેપ કરીને વોટ્સએપ યુઝર્સ પોતાની સાથે વાતચીત શરૂ કરી શકશે.

આ પણ વાંચો :-

01 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે આ 4 રાશિના જાતકો પર મહાદેવની અસીમ કૃપા રહેશે, ધંધામાં મળશે મોટી સફળતા

01 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. ‌પરિવારમાં મત-ભેદ ન થાય એનું ધ્યાન રાખવું. સ્થાવર-જંગમ મિલકતમાં કરેલા રોકાણોથી લાભ સંભવે. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય.

વૃષભઃ
ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસનો યોગ બને છે. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. આવક અને ખર્ચ બન્ને થોડા-થોડા વધતા જણાય. દિવસ દરમ્યાન આનંદ જળવાય.

મિથુનઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એવું ધ્યાન રાખવું. નાણાંકીય ક્ષેત્રે ઘટાડાનો અનુભવ થાય. શરદી-કફનો ઉપદ્રવ રહે. માતાની તબિયત સાચવવી. નોકરી ધંધામાં સામાન્ય.

કર્કઃ
જીવનસાથી સાથે આનંદમાં દિવસ વ્યતિત થાય. પ્રેમી પાત્રના મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. શેરબજારથી લાભ, સ્નાયુનો દુઃખાવો અનુભવી શકાય. વાણી ઉપર કાબુ જરૂરી.

સિંહઃ
માન-સન્માન વધતા જણાય. સફેદ વસ્તુની ખરીદી થાય. સંતાન અંગે ચિંતા રહે. મગજની ઇજાથી સાચવવું. પરિવારમાં આનંદનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય.

કન્યાઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય. વાણી દ્વારા અર્થોપાર્જન શક્ય બને. હાડકાનો દુઃખાવો અનુભવાય. જુના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. લક્ષ્મીનો લાભ મળતો જણાય. નાના-ભાઇ બહેનની ચિંતા રહે.

તુલાઃ
સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. કરેલા રોકાણો ફળદાયી બનતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. પેટની ગરબડ રહે. આરોગ્ય જ‍ળવાય. સાંસારિક જીવનમાં આનંદ વર્તાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો નથી. આવકનું પ્રમાણ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. જીદ છોડવી.

ધનઃ
નિર્ણયો લેવામાં અવઢવનો અનુભવ થાય. પાણીથી દૂર રહેવું. આવક જળવાય.પરિવારના સ્ત્રી સભ્યોની પ્રગતિ થતી જણાય. ખોટા વિચારથી દૂર રહેવું. એકંદરે સામાન્ય દિવસ.

મકરઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. આવક આવતી અનુભવાય. કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
દિવસ દરમ્યાન તમામ બાબતોમાં સાવધાની જરૂરી. નાણાં ઉછીના આપવા નહીં. શેરબજારમાં જોખમ ટાળવું. પ્રવાસ દરમ્યાન સાચવવું. ભાગ્યનો સાથ મળતો નથી. વિચારો પર કાબુ જરૂરી.

મીનઃ
મિત્ર વર્તુળના સહકારને કારણે આવકનું પ્રમાણ વધે. સંતાન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભવે.સ્વાસ્થ્ય સારૂં રહે.

આ પણ વાંચો :-

કોંગ્રેસે માંગ્યું CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું, કહ્યું અમે સવાલ નહીં કરીએ તો લોકો માફ નહીં કરે

0

Congress demanded resignation of CM Bhupendra Patel

  • મોરબી હોનારત મામલે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે.

ગતરોજ મોરબીમાં (Morbi) બનેલી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ (suspension bridge) તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે.

કોંગ્રેસે માંગ્યુ ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું :

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પાસે નિષ્પક્ષ અને સમય બદ્ધ તપાસની પણ માંગ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટનામાં રાજીનામું આપી દીધું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપી રહ્યા છે કે તેમને કાઢવામાં આવી રહ્યા છે અમે એ જાણવા માંગીએ છીએ. કોની જવાબદારી છે આ રાજ્યની? કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? આ દરેક સવાલ એક-એક હિન્દુસ્તાનીના મગજમાં છે.

આ પણ વાંચો :-

 

 સાઉથનો આ સુપરસ્ટાર છે ઉર્વશી રૌતેલાનો અસલી RP ! પોસ્ટ વાયરલ થતાં પંતના ચાહકો પણ ચોંક્યા

This superstar of South is Urvashi Rautela

  • ઋષભ પંત અને ઉર્વશીની સ્ટોરીમાં આવ્યો મોટો વળાંક, જાણો કોણ છે ઉર્લશી રૌતેલાના જીવનનો રીયલ RP.

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) છેલ્લા ઘણા મહિનાઓથી હેડલાઈન્સમાં છે. હકીકતમાં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આરપી નામનો વ્યક્તિ આખી રાત લોબીમાં તેની રાહ જોતો હતો. એવામાં લોકોને ગેર સમજ થઈ કે આ આરપી કોઈ બીજુ નહી પરંતુ ક્રિકેટર ઋષભ પંત (Cricketer Rishabh Pant) છે. બન્નેની વચ્ચે સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વિવાદ જોવા મળ્યો હતો.

ઉર્વશીએ અફવાઓનો લાવી દીધો અંત  :

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ દરેક અફવાઓનો અંત લાવી દીધો છે અને રિયલ આરપી સાથેની એક તસવીર શેર કરી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રામ પોથિનેની છે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં આ ગલતફેમીના કારણે ઋષભ પંત પાસેથી માફી પણ માંગી હતી.

ઉર્વશીએ શેર કર્યો ફોટો :

ઉર્વશી રૌતેલાએ રામની સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- #આરપી… સાથે રોઝ અને હાર્ટ વાળુ ઈમોજી પણ શેર કર્યું છે.

ઉર્વશી અને રામની તસવીર પર ફેન્સની ફની કોમેન્ટ જોવા મળી રહી છે. જેને વાંચીને તમે ચોક્કસ હસવું નહીં રોકી શકો. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- આચ્છા આ હતો RP… બીચારો ઋષભ પંથ.. ત્યાં જ બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે- આ આર પીને તો આ સ્ટોરીમાં ફિલ્મી કહાની કરતા પણ વળાંક આવી ગયો છે.

આ પણ વાંચો :-

મોરબીનો “ઝુલતો પુલ” મચ્છુમાં ડુબ્યો, મુસાફરો ભરેલી આખી ટ્રેન નદીમાં ખાબકી… આ છે 22 વર્ષ, 11 સૌથી ભયાનક પુલ દુર્ઘટનાઓ

0

Morbi’s “suspension bridge” sinks in Machhu

  • મોરબી પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, આ પ્રથમ વખત નથી કે અધિકારીઓની બેદરકારીના કારણે પુલ અકસ્માતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોય. આવો અમે તમને જણાવીએ પાછલા વર્ષોના કેટલાક સૌથી ભયાનક પુલ અકસ્માતો…

30 ઓક્ટોબરની મોડી સાંજે ગુજરાતના મોરબીમાં (Morbi) મચ્છુ નદી (Machhu river) પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. રિનોવેશન (Renovation) બાદ માત્ર 5 દિવસ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેના કારણે સંબંધિત અધિકારીઓની બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી. બેદરકારીના કારણે પુલ અકસ્માતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો અમે તમને જણાવીએ પાછલા વર્ષોના કેટલાક સૌથી ભયાનક પુલ અકસ્માતો…

1.) કાદલુંડી નદી પુલની ઘટના (કેરળ, 2001)

કેરળમાં 2001માં કાદલુન્ડી નદી રેલ પુલ દુર્ઘટનામાં 50 થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 300 લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા 57 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે. ટ્રેન કેરળના કોઝિકોડ પાસે કાદલુન્ડી નદી પર પુલ પાર કરી રહી હતી. જ્યારે એક કોચ તૂટી પડ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ભારે ચોમાસા અને ટ્રેનમાં જ કેટલીક ખામીઓને કારણે આ દુર્ઘટના બની હતી.

2) રફીગંજ રેલ બ્રિજ (બિહાર, 2002)

10 સપ્ટેમ્બર 2002ના રોજ ઉત્તર-મધ્ય ભારતમાં ધાવે નદી પરના પુલ પર ઝડપી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 130 લોકોના મોત થયા હતા. શરૂઆતમાં અકસ્માતનું કારણ જૂના બ્રિજમાં કાટ લાગવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે આ દુર્ઘટના વિસ્તારના નક્સલવાદીઓ દ્વારા જાણી જોઈને કરવામાં આવી હતી.

3) વેલીગોંડા રેલ્વે બ્રિજ (તેલંગાણા, 2005)

હૈદરાબાદ નજીક વેલીગોંડા ખાતે આવેલ એક નાનો પુલ અચાનક પૂરના કારણે ધોવાઈ ગયો હતો. 29 ઓક્ટોબર 2005ના રોજ એક ટ્રેન પુલના આ ભાગને પાર કરી રહી હતી. બ્રિજનો એક ભાગ ગાયબ હોવાની ટ્રેનને જાણ નહોતી અને ટ્રેન તેના મુસાફરો સહિત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 114 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

4) ભાગલપુર (બિહાર, 2006)

ડિસેમ્બર 2006માં હાવડા જમાલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર 150 વર્ષ જૂનો ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં લગભગ 30 લોકોના મોત થયા હતા.

5) પંજગુટ્ટા બ્રિજ (તેલંગાણા, 2007)

સપ્ટેમ્બર 2007માં હૈદરાબાદના પંજગુટ્ટા ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર ક્રેશ થયો હતો. ફ્લાયઓવરનો કાટમાળ બ્રિજની નીચેથી પસાર થતા વાહનો પર પડ્યો હતો, જેના કારણે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત પણ થયા હતા.

6) કોટા ચંબલ બ્રિજ (રાજસ્થાન, 2009)

ડિસેમ્બર 2009 માં રાજસ્થાનના કોટા જિલ્લામાં ચંબલ નદી પર એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જેમાં 28 કામદારો કાટમાળ નીચે દટાઇ મર્યા હતા. પ્રોજેક્ટના ઈન્ચાર્જ હ્યુન્ડાઈ અને ગેમનના 14 અધિકારીઓ સામે પણ બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

7) કોલકાતા ફ્લાયઓવર (પશ્ચિમ બંગાળ, 2016)

31 માર્ચ 2016 ના રોજ, કોલકાતામાં નિર્માણાધીન વિવેકાનંદ ફ્લાયઓવર તૂટી પડ્યો જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો અને 80 જેટલા ઘાયલ થયા. કન્સ્ટ્રક્શન ફર્મ, IVRCL વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

8) મુંબઈ-ગોવા હાઈવે બ્રિજ (મહારાષ્ટ્ર, 2016)

2 ઓગસ્ટ 2016ની મોડી રાત્રે મુંબઈ-ગોવા હાઈવે પર સાવિત્રી નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 41 લોકોનાં મોત થયાં હતાં. લગભગ એક ડઝન વાહનો નદીમાં પડ્યા. જેમાં અનેક લોકો ઘાયલ થયા.

9) મુંબઈ ફૂટ ઓવર બ્રિજ, (મહારાષ્ટ્ર, 2017)

એલ્ફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશન પર 29 સપ્ટેમ્બર, 2017 ના રોજ એક ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 29 મુસાફરોના મોત થયા હતા.

10) માજેરહાટ બ્રિજ, કોલકાતા (પશ્ચિમ બંગાળ, 2018)

કોલકાતામાં 04 સપ્ટેમ્બર, 2018ના રોજ એક મોટો પુલ ધરાશાયી થયો હતો. માજેરહાટ બ્રિજ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ કોલકાતા વચ્ચેના મુખ્ય જોડાણોમાંનો એક હતો. સાંજના ટ્રાફિકના ભારણને કારણે આખો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા.

11) પેડેસ્ટ્રિયન બ્રિજ, મુંબઈ (મહારાષ્ટ્ર, 2019) 

14 માર્ચ, 2019 ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર એક ઓવરહેડ પેડેસ્ટ્રિયન બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

 

બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન ? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આરામ

Are you troubled by cough-cough in the changing

  • હવામાન બદલાઈ રહ્યું છે એવામાં લોકો બિમાર પણ થઇ રહ્યાં છે. અત્યારે મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન રહે છે. જેના કારણે લોકોના ગળામાં દુ:ખાવાની અને ઉધરસની સમસ્યા જોવા મળે છે. એવામાં વરાળ લેવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે ઉધરસ (Cough) થવાથી પાણીમાં શુ મિક્સ કરીને તેની વરાળ લેવી? ચાલો, અમે અહીં તમને જણાવીશુ કે ઉધરસ થવાથી પાણીમાં તમે કઈ વસ્તુને મિક્સ કરીને સ્ટીમ લો.

ઉધરસ થતા વરાળ લેવા માટે પાણીમાં મિક્સ કરો આ વસ્તુ  :

ફૂદીનાનુ તેલ :

ફૂદીનાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આ બંધ નાકને ખોલવા અને ગળાના સોજાને ઘટાડવાનુ કામ કરે છે. તેથી જો તમને શરદી અથવા ઉધરસ છે તો તમે પાણીમાં 4 ટીપા ફૂદીનાના તેલના નાખીને આ પાણીની વરાળ લઇ શકો છો. આ ગળાની ખારાશ અને બલગમને દૂર કરવાનુ કામ કરશે.

સિંધાલુ નાખો :

આ વરાળ લેવા માટે સૌથી સરળ રીત છે. જેના માટે તમે પાણીમાં સિંધાલુ નાખીને વરાળ લો. આમ કરવાથી તમને શરદી, ઉધરસ અને ગળાની ખારાશ, સોઝો અને ગળાના દુ:ખાવાની સમસ્યામાંથી આરામ મળશે.

તુલસીના પત્તા, હળદર :

ઉધરસમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાન, અજવાઈન અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે આ પાણીનો વરાળ માટે ઉપયોગ કરો. આ પાણીને તમે પણ પી શકો છો. આમ કરવાથી તમને ઉધરસમાંથી તાત્કાલિક છૂટકારો મળી જશે.

આ પણ વાંચો :-

આઉટ થઈ શકતો હતો છતાં અશ્વિને મિલરને કેમ છોડ્યો ? પરાજય બાદ ઉઠી રહ્યા છે સવાલ

0

Why did Ashwin leave Miller even though

  • પર્થમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની સામે ટી 20 વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટથી પરાજય મળ્યો છે. ઓફ સ્પિનર અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી. પરંતુ તેણે છોડી દીધી.

ભારતીય ઓફ સ્પિનર (Indian off spinner) રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ટી20 વર્લ્ડ કપની મેચમાં રવિવારે ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 10થી પણ વધુ ઈકોનોમી રેટથી રન આપ્યાં. આ દરમ્યાન અશ્વિનની પાસે એક એવી તક હતી જ્યારે તે ડેવિડ મિલરને (David Miller) આઉટ કરી શકતો

નંબર-2 પર આવ્યું ભારત  :

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપની હાલની એડિશનમાં પહેલી વખત હારનો સામનો કર્યો. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને પર્થમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટથી હરાવી. ભારત હવે પોતાના ગ્રુપમાં નંબર-2 પર જતુ રહ્યું છે. ભારતીય ટીમના ત્રણ મેચમાંથી 4 પોઈન્ટ છે. જ્યારે ટોપમાં રહેલી દક્ષિણ આફ્રિકાના આટલી જ મેચમાં 5 પોઈન્ટ થયા છે. ત્રીજા નંબરે બાંગ્લાદેશ છે. જેના 4 પોઈન્ટ છે અને 3 પોઈન્ટની સાથે ઝીમ્બાબ્વે ચોથા ક્રમાંકે છે.

અશ્વિને ગુમાવી તક :

આ દરમ્યાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પર્થ ટી-20 વખતનો છે. આ મેચમાં અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી, પરંતુ તેણે છોડી દીધી. ટી20 વર્લ્ડ કપના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. અશ્વિને આ મેચમાં 4 ઓવરમાં 43 રન આપ્યાં અને એક વિકેટ લીધી.

આ પણ વાંચો :-