આઉટ થઈ શકતો હતો છતાં અશ્વિને મિલરને કેમ છોડ્યો ? પરાજય બાદ ઉઠી રહ્યા છે સવાલ

Share this story

Why did Ashwin leave Miller even though

  • પર્થમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની સામે ટી 20 વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટથી પરાજય મળ્યો છે. ઓફ સ્પિનર અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી. પરંતુ તેણે છોડી દીધી.

ભારતીય ઓફ સ્પિનર (Indian off spinner) રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ટી20 વર્લ્ડ કપની મેચમાં રવિવારે ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 10થી પણ વધુ ઈકોનોમી રેટથી રન આપ્યાં. આ દરમ્યાન અશ્વિનની પાસે એક એવી તક હતી જ્યારે તે ડેવિડ મિલરને (David Miller) આઉટ કરી શકતો

નંબર-2 પર આવ્યું ભારત  :

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપની હાલની એડિશનમાં પહેલી વખત હારનો સામનો કર્યો. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને પર્થમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટથી હરાવી. ભારત હવે પોતાના ગ્રુપમાં નંબર-2 પર જતુ રહ્યું છે. ભારતીય ટીમના ત્રણ મેચમાંથી 4 પોઈન્ટ છે. જ્યારે ટોપમાં રહેલી દક્ષિણ આફ્રિકાના આટલી જ મેચમાં 5 પોઈન્ટ થયા છે. ત્રીજા નંબરે બાંગ્લાદેશ છે. જેના 4 પોઈન્ટ છે અને 3 પોઈન્ટની સાથે ઝીમ્બાબ્વે ચોથા ક્રમાંકે છે.

અશ્વિને ગુમાવી તક :

આ દરમ્યાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પર્થ ટી-20 વખતનો છે. આ મેચમાં અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી, પરંતુ તેણે છોડી દીધી. ટી20 વર્લ્ડ કપના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. અશ્વિને આ મેચમાં 4 ઓવરમાં 43 રન આપ્યાં અને એક વિકેટ લીધી.

આ પણ વાંચો :-