ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વીમા ક્લેમ સુધી, 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર

Share this story

From gas cylinder prices to insurance claims

  • નવેમ્બર મહિનાની શરૂઆતથી કયા 5 બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

ઓક્ટોબર (October) મહિનો આજે પૂરો થઈ જશે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એવા માં દર મહિનાની જેમ નવેમ્બરની શરૂઆતમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ ફેરફારની અસર ફક્ત તમારા ખિસ્સા પર જ નહીં પણ તમારા જીવનમાં પણ પડશે.

જણાવી દઈએ કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સાથે વીમા દાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. સાથે આ બધા સિવાય ભારતીય રેલવે ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરી શકે છે. નવેમ્બર મહિનાથી કયા કયા બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવીશું.

ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર :

દર મહિનાની પહેલી તારીખની જેમ આવતીકાલે પણ 1 નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે અને નવી કિંમત બહાર પાડવામાં આવશે. જણાવી દઈએ કે કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં 14 કિલોવાળા ઘરેલું અને 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બદલાવ કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી પણ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારાને જોતા એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે.

OTP કહ્યા પછી જ ગેસ સિલિન્ડરની ડિલિવરી :

1 નવેમ્બરથી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત ફેરફાર થવા જઈ રહ્યો છે. નવેમ્બરની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિલિવરી હવે વન ટાઇમ પાસવર્ડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. એટલે કે ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે અને એ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનું રહેશે. સિસ્ટમને OTP સાથે મેચ કર્યા પછી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.

વીમા ક્લેમના નિયમો બદલાશે :

વીમા નિયમનકાર IRDAI તરફથી નવેમ્બરની પહેલી તારીખથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે વીમા કંપનીઓ માટે 1 નવેમ્બર, 2022 થી KYC વિગતો આપવી ફરજિયાત બનાવી શકાય છે. હાલ નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે પણ આવતીકાલથી તેને ફરજિયાત બનાવવામાં આવી શકે છે. એટલે કે જો વીમાના ક્લેમ સમયે KYC દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. તો દાવો રદ કરી શકાય છે.

GST રિટર્નમાં કોડ આપવાનો રહેશે :

આવતીકાલથી GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર મુજબ હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GST રિટર્નમાં ચાર અંકનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. આ પહેલા પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલથી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટથી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-