Maruti એ પાછી મંગાવી નવી નક્કોર 9925 કાર, હવે મફતમાં થશે રિપેરિંગ… જાણો શું છે કારણ

Share this story

Maruti Recalls New Nakkor 9925 Cars

  • દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની 9,000થી વધુ કારને પાછી મંગાવી છે.

જણાવી દઈએ કે આ કારોમાં આવેલ ખામીના કારણે મારુતિ (Maruti) એ આ કારને પાછી મંગવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ કંપની એ કારને ઠીક કરીને તેમના ગ્રાહકોને (customers) પાછી મોકલશે. જણાવી દઈએ કે પાછી બોલાવેલ કારોમાં કંપનીના ત્રણ મોડલનો સમાવેશ થાય છે.

9925 યુનિટ્સને કર્યા રિકોલ :

એક રિપોર્ટ અનુસાર દેશની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકીએ તેમના અમુક કારમાં રિયર બ્રેક એસેમ્બલી પિનમાં સંભવિત ખામીને ઠીક કરવા માટે ત્રણ મોડલની કારોને પાછી મંગાવી છે. જે મોડલ્સને રિકોલ કરવામાં આવ્યા છે તેમાં વેગન આર, સેલેરિયો અને ઇગ્નિસનો સમાવેશ થાય છે. કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 9,925 યુનિટ રિપેર માટે પાછા બોલાવવામાં આવશે.

બ્રેક એસેમ્બલીમાં આવી ખામી  :

મારુતિ સુઝુકી ઈન્ડિયા દ્વારા આ માહિતી કંપનીની વેબસાઈટ પર પણ શેર કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું છે કે રિયર બ્રેક એસેમ્બલી પિન પાર્ટમાં સંભવિત ખામીને કારણે ત્રણ હેચબેક કારને રિકોલ કરવામાં આવી રહી છે. કારના આ ભાગમાં ખામીને કારણે કાર ચલાવતી વખતે તેમાં ઘણો અવાજ આવે છે અને કારની બ્રેક્સનું પર્ફોમન્સ લાંબા ગાળે ઘટી શકે છે.

કંપની કોઈ ચાર્જ લીધા વીના કરી દેશે ઠીક :

કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખામીને કારણે પિનનો ભાગ પણ તૂટી શકે છે અને તેના કારણે જોરથી અવાજ આવી શકે છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે અસરગ્રસ્ત કારોને પરત મંગાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીની ઓફિશિયલ વર્કશોપ આ અંગે ગ્રાહકોનો સંપર્ક કરશે અને તપાસ કર્યા બાદ એવા વાહનોમાં રહેલી ખામીઓને વિનામૂલ્યે સુધારી આપશે.

નોંધનીય છે કે મારુતિ સુઝુકીની કારના વેચાણમાં થયેલા વધારાની અસર તેના ચોખ્ખા નફામાં પણ જોવા મળી રહી છે. કંપની દ્વારા જાહેર કરાયેલા બીજા ક્વાર્ટરના પરિણામો પર નજર કરીએ તો કંપનીનો નફો 4 ગણો વધી ગયો છે. MSILનો નેટ પ્રોફિટ વધીને રૂ. 2,112.5 કરોડ થયો છે.

આ પણ વાંચો :-