HomeNationalઆસામમાં પૂરે લીધો ભયંકર વળાંક! મૃત્યુઆંક 80, સરકાર સતત એલર્ટ

આસામમાં પૂરે લીધો ભયંકર વળાંક! મૃત્યુઆંક 80, સરકાર સતત એલર્ટ

Date:

Related stories

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...
spot_img

આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની રહી છે. રાજ્યમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે હજારો પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત નોંધાતા આ વર્ષે પૂરના કારણે મૃત્યુઆંક વધીને 80 પર પહોંચી ગયો છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે સેંકડો ગામો અને હજારો હેક્ટર ખેતી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.


આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના તાજેતરના અહેવાલ મુજબ ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, ધેમાજી અને નાગાંવ સહિતના જિલ્લાઓમાં કુલ 2,12,441 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે 21 મહેસૂલ મંડળો હેઠળ આવેલા 437 ગામોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે.
પૂરના પાણીથી રાજ્યમાં અંદાજે 17,198.09 હેક્ટર વિસ્તારમાં ઉભેલો પાક નષ્ટ થયો છે. કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાનને કારણે અનેક ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શિવસાગર જિલ્લામાં બે લોકોના મોત નોંધાતા આ વર્ષની પૂરજન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 80 સુધી પહોંચ્યો છે.


પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વહીવટી તંત્રે વિસ્થાપિત પરિવારો માટે 21 રાહત શિબિરો શરૂ કરી છે, જ્યાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન, બચાવ દળો અને અન્ય સરકારી એજન્સીઓ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરીમાં વ્યસ્ત છે.
આ દરમિયાન ASDMAએ નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ નજીક ધનસિરી (દક્ષિણ) નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નદીના કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે રાજ્ય સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાની રાહત વ્યવસ્થાઓ ગોઠવી રહી છે.

Subscribe

Latest stories

spot_img