HomeGujaratઅમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

Date:

Related stories

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...
spot_img

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું મકાન ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મકાનનો કાટમાળ ધસી પડતાં ચાર લોકો તેની નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં દટાયેલા તમામ ચાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી 45 વર્ષીય સોનલ રાણાનું મોત થયું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ખાડિયા વિસ્તારમાં આવેલી એક સાંકડી ગલીમાં બની હતી. જૂનું બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યૂ દરમિયાન ફાયરકર્મીઓએ શરૂઆતમાં બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને કાટમાળ દૂર કરવાની કામગીરી કરીને બે મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી. બચાવાયેલા ચારેય લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાદસામાં 45 વર્ષીય સોનલ રાણા, 27 વર્ષીય જાનવી રાણા, 23 વર્ષીય પાર્થ રાણા અને 42 વર્ષીય આશાબેન કાટમાળ નીચે દટાયા હતા. સોનલ રાણાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આલાપ શાહે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જાનવી રાણા, પાર્થ રાણા અને આશાબેનને ઈજાઓ થતાં તેમની સારવાર ચાલી રહી છે.

હાલ સુધી મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ મકાન અચાનક કેમ ધરાશાયી થયું તેની સત્તાવાર માહિતી સ્પષ્ટ થશે.

Subscribe

Latest stories

spot_img