Friday, Jul 31, 2026

દિલ્હી રમખાણ કેસમાં પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ, IB અધિકારી હત્યા કેસમાં દોષિત

1 Min Read

દિલ્હીમાં 2020 દરમિયાન થયેલા રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ આરોપીઓને અગાઉ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને રમખાણો સંબંધિત વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

અંકિત શર્માનો મૃતદેહ ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાંથી મળ્યો હતો. આ કેસ દિલ્હી રમખાણોના સૌથી ચર્ચિત કેસોમાંનો એક માનવામાં આવે છે. કોર્ટના આ ચુકાદાને રમખાણ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

Share This Article