બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન ? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આરામ

Share this story

Are you troubled by cough-cough in the changing

  • હવામાન બદલાઈ રહ્યું છે એવામાં લોકો બિમાર પણ થઇ રહ્યાં છે. અત્યારે મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન રહે છે. જેના કારણે લોકોના ગળામાં દુ:ખાવાની અને ઉધરસની સમસ્યા જોવા મળે છે. એવામાં વરાળ લેવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે ઉધરસ (Cough) થવાથી પાણીમાં શુ મિક્સ કરીને તેની વરાળ લેવી? ચાલો, અમે અહીં તમને જણાવીશુ કે ઉધરસ થવાથી પાણીમાં તમે કઈ વસ્તુને મિક્સ કરીને સ્ટીમ લો.

ઉધરસ થતા વરાળ લેવા માટે પાણીમાં મિક્સ કરો આ વસ્તુ  :

ફૂદીનાનુ તેલ :

ફૂદીનાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આ બંધ નાકને ખોલવા અને ગળાના સોજાને ઘટાડવાનુ કામ કરે છે. તેથી જો તમને શરદી અથવા ઉધરસ છે તો તમે પાણીમાં 4 ટીપા ફૂદીનાના તેલના નાખીને આ પાણીની વરાળ લઇ શકો છો. આ ગળાની ખારાશ અને બલગમને દૂર કરવાનુ કામ કરશે.

સિંધાલુ નાખો :

આ વરાળ લેવા માટે સૌથી સરળ રીત છે. જેના માટે તમે પાણીમાં સિંધાલુ નાખીને વરાળ લો. આમ કરવાથી તમને શરદી, ઉધરસ અને ગળાની ખારાશ, સોઝો અને ગળાના દુ:ખાવાની સમસ્યામાંથી આરામ મળશે.

તુલસીના પત્તા, હળદર :

ઉધરસમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાન, અજવાઈન અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે આ પાણીનો વરાળ માટે ઉપયોગ કરો. આ પાણીને તમે પણ પી શકો છો. આમ કરવાથી તમને ઉધરસમાંથી તાત્કાલિક છૂટકારો મળી જશે.

આ પણ વાંચો :-