Home Blog Page 1417

15 જૂન 2022, રાશિફળ : વિઘ્નહર્તાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં મળશે સફળતા

June 15, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણયશક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભ :
મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈબહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતો મિશ્ર ફળ મળતું જણાય.

મિથુન :
નાણાકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્યસુધમાં વૃદ્ધિ થતી જણાય.

કર્ક : 
દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહ :
નાણાની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યા :
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલા :
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિક :
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર ‌જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધન :
માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકર :
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટીની ભાવના પેદા થાય. નાણાનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય.

કુંભ :
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીન :
નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે.

બોલીવુડમાં કોણ-કોણ છે ડ્રગ્સના નશાનું બંધાણી ? જુઓ રૂપેરી પડદા અને સોનેરી ચમક પાછળનો કાળો ચહેરો

0

Who are the drug addicts in Bollywood

સિદ્ધાંત કપૂર જે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના (Actress Shraddha Kapoor) ભાઈ છે. હવે સિદ્ધાંત કપૂર પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, સિદ્ધાંત કપૂરની બેંગ્લોર પોલીસે (Bangalore Police) અટકાયત કરી છે અને પૂછતાછ ચાલુ છે. સિદ્ધાંત કપૂર એકટર નથી. પરંતુ આ પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સના નામ સામે આવી ચુક્યા છે. આવા સ્ટાર્સના નામ જણાવીએ જેમની ડ્રગ કેસમાં એનસીબીએ પૂછપરછ કરી છે.

આર્યન ખાન :

આર્યન ખાન

આર્યન ખાન. જે શાહરૂખ ખાનના પુત્ર છે. આર્યન ખાન પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.પરંતુ તેને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ક્રુઝ પર યોજાયેલી પાર્ટીમાં આર્યન ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.જે બાદ આર્યન ખાનને એક મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

ભારતીસિંહ :

ભારતીસિંહ 

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયનની પણ પૂછપરછ કરવામાં આવી છે.વાસ્તવમાં, પોલીસે કોમેડિયનના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આટલું જ નહીં, જ્યારે NCBએ તેમની પૂછપરછ કરી ત્યારે દંપતીએ કબૂલ્યું કે તેઓ ડ્રગ્સનું સેવન કરતા હતા અને NCBએ તેમના ઘરેથી 86.5 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.

દીપિકા પાદુકોણ :

દીપિકા પાદુકોણ

સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મુદ્દે NCBએ દીપિકાની પૂછપરછ કરી હતી.

રકુલ પ્રીત સિંહ :

રકુલ પ્રીત સિંહ

અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું નામ પણ આ યાદીમાં સામેલ છે.એનસીબીએ રકુલ પ્રીત સિંહને પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી હતી. સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન NCBએ રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવ્યું હતું.

રિયા ચક્રવર્તી :

રિયા ચક્રવર્તી

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું નામ સૌથી પહેલા આવ્યું હતું.જે પછી NCBએ રિયાની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિયાની ગયા વર્ષે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી.

અમદાવાદની દીકરીની વ્હારે આવ્યો બોલીવુડનો આ સુપરસ્ટાર – એકટરના એક ટ્વીટથી દોડતી થઇ અમદાવાદ પોલીસ

This Bollywood superstar came

બોલીવૂડ (Bollywood)ના એક્ટર (Actor) સોનુ સૂદ (Sonu Sood) હંમેશા લોકોની મદદ માટે આગળ રહેતા હોય છે. અને તેઓ આ બાબતને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. તઓએ પોતાના આ સમાજસેવાના કાર્યથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે વધુ એક બોલીવૂડ એક્ટરની દરિયાદિલી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, એક્ટર વરુણ ધવન (Varun Dhawan) એક પીડિત દીકરીની મદદે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, એક દારૂ઼ડિયો તેની પત્ની અને દીકરીને ભૂ્ખ્યા-તરસ્યા રાખીને ખુબ જ માર મારતો હતો. આ ત્રાસથી કંટાળી દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી. આ દરમિયાન વરુણ ધવનના નજરે આ ટ્વીટ ચડતા વરુણ ધવને અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને મદદ માંગી હતી. સાથે જ વરુણ ધવનની ટીમે પીડિત પરિવારની મદદે પોતાની ટીમ પણ પહોંચાડી હતી.

વાસ્તવમાં, અમદાવાદના હાથીજણના વિવેકાનંદનગરમાં રહેતો એક પરિવાર હાલ ચર્ચામાં આવ્યો છે. અહી એક દારૂડિયો દારૂના નશામાં પોતાની પત્ની અને દીકરીને માર મારતો હતો. આ પરિવારની હાલત દારૂને કારણે ખરાબ બની હતી. તેથી પીડિત દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી. આ દીકરીએ 22 મેના રોજ એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, ‘મારા પિતા મને અને મારી માતાને અનેક વખત માર મારે છે. તેઓ આવું રોજ કરે છે, અમને જમવા પણ દેતા નથી અને ગંદી ભાષામાં વાત કરે છે. એક વખત મારી માતાએ દારૂની બોટલ નાખી દેવાનો પ્રયાસ કર્યો તો તેને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. મને અને મારી માતાને મારા પિતા બાંધીને રાખતા હતા.’

1 29 - Trishul News Gujarati Actor, ahmedabad, bollywood, Sonu Sood, Tweet, twitter, Varun Dhawan, અમદાવાદ

દીકરી મદદ માટે કરેલી આ ટ્વીટ એક્ટર વરુણ ધવનના નજરે ચડી હતી. જેથી તેણે આ પીડિત દીકરીની ટ્વીટને રાત્રે બે વાગ્યે રિપ્લાય કરીને અમદાવાદ પોલીસને મદદ માટે ટેગ કર્યા હતા. એટલુ જ નહિ, દીકરીની મદદ માટે વરુણ ધવને પોતાની ટીમને પણ મોકલી હતી. વરુણ ધવને આ મામલે ખૂદ પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યા સુધી તે મદદ કરશે. તેમજ અમદાવાદ પોલીસ પીડિત દીકરીની મદદે પહોંચી હતી. અમદાવાદ પોલીસે તેના પરિવારને બનતી મદદ કરી હતી.

આ સિવાય વરુણની ટીમે દીકરીની મદદ કરીને તેને ખાવાનુ પણ મોકલ્યુ હતું. ભલે સમસ્યા સોલ્વ થઈ ગઈ હોય, પરંતુ વરૂણ ધવનની ટીમ રોજ એકવાર ફોન કરીને દીકરી અને તેના પરિવારના હાલચાલ પૂછી લે છે. તેણે કહ્યુ કે, આ કિસ્સામા અમે બને તેટલી મદદ કરીશું. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા દારૂડિયા પિતા સામે કાર્યવાહી કરવામા આવી હતી.

વીડિયો વાઇરલ : અરવલ્લીમાં પંચાયત સદસ્ય યુવતી સાથે અશ્લીલ હરકતો કરતો હતો, ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઊતર્યા

0

Video viral

  • આધેડ સદસ્યની પ્રતિષ્ઠા બચાવવા રાજકીય આગેવાનોના ધમપછાડા. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા .

અરવલ્લી (Aravalli) જિલ્લાની એક ગ્રામ પંચાયતના સભ્યનો 3 મિનિટ અને 23 સેકન્ડનો વીડિયો કોલિંગ દ્વારા નિર્વસ્ત્ર અવસ્થામાં (Naked state) રહેલી સ્વરૂપવાન મહિલા સાથે અશ્લીલ હરકતો (Obscene gestures) કરતો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ વીડિયોમાં સ્વરૂપવાન મહિલા અશ્લીલ ચેનચાળા કરતાં અને વીડિયોમાં ગંદી હરકતો કરતી દેખાતા ચકચાર મચી જવા પામી છે.

વીડિયો વાયરલ થતા ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા :

આ વીડિયો વાયરલ થતાં અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. વાયરલ થયેલ વીડિયોમાં આગેવાન શિક્ષણ ખાતે ઊંચુ નામ ધરાવે છે અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કોપ સભ્ય છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પ્રતિષ્ઠા બચાવવા રાજકીય ધમપછાડા શરૂ કરવા લાગ્યા હતા.

કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો :

​​​​​​​આધેડ વયની ઉંમરે પહોંચેલા આ શખ્સનો 3.23 મિનિટનો મહિલા સાથે અર્ધનગ્ન હાલતમાં અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ થતાં જિલ્લામાં કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. વીડિયો કોલિંગ દ્વારા સામેની મહિલા બિલકુલ નિર્વસ્ત્ર અવસ્થામાં અશ્લીલ ચેનચાળા કરે છે.

 સુરતના સૌથી ઊંચા બ્રિજનું આ તારીખે થશે લોકાર્પણ, રિંગરોડ ફ્લાયઑવર પણ ફરી શરૂ થશે 

0

Surat’s tallest bridge

  • ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે .

સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું (Newly built Sahara Gate Bridge) 19 જૂને લોકાર્પણ (Dedication) કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ  મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી 19 જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે  રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતનો સૌથી ઊંચો બ્રિજ :

નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને 19 જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.

IND vs SA : ટીમ ઈન્ડિયાના ભલા માટે આ ખેલાડીને બહાર થવું પડશે, ટીમ ઈન્ડિયા માટે બોજ સમાન 

0
IND vs SA: For the good of Team India
  • IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમમાં રમાશે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારી આ મેચ ભારત માટે ‘કરો યા મરો’ જેવી હશે.

IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા (India and South Africa) વચ્ચે ત્રીજી T20 મેચ વિશાખાપટ્ટનમના (Visakhapatnam) ACA-VDCA સ્ટેડિયમમાં રમાશે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારી આ મેચ ભારત માટે ‘કરો યા મરો’ જેવી હશે. આ શ્રેણીમાં જીવંત રહેવા માટે ટીમ ઈન્ડિયાએ આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે કારણ કે આ પાંચ મેચની ટી20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા પહેલાથી જ 2-0થી આગળ છે. વધુ એક હાર ટીમ ઈન્ડિયાને શ્રેણી જીતવાની રેસમાંથી બહાર કરી દેશે.

ટીમ ઈન્ડિયાના ભલા માટે આ ખેલાડીને આઉટ કરવો પડશે :

ટીમ ઈન્ડિયાના સારા દેખાવ માટે કોઈ ખેલાડીનું ત્રીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હોવું જરૂરી છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે બોજ બની રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં આ ખેલાડીના ફ્લોપ પ્રદર્શનને કારણે ભારત સતત બે મેચ હારી ગયું છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અવેશ ખાન છે.

ટીમ ઈન્ડિયા પર બોજ સમાન  :

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અવેશ ખાન સાઉથ આફ્રિકા સામેની વર્તમાન T20 સિરીઝમાં એક પણ વિકેટ લઈ શક્યો નથી. પ્રથમ T20 મેચમાં અવેશ ખાને 4 ઓવરની બોલિંગમાં એકપણ વિકેટ લીધા વિના 35 રન આપી દીધા હતા. આ પછી બીજી ટી20 મેચમાં પણ અવેશ ખાન 3 ઓવરની બોલિંગમાં 17 રન આપીને એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ ખરાબ પ્રદર્શનને કારણે અવેશ ખાનનું પત્તું ત્રીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી કપાઈ જાય તેવું લાગી રહ્યું છે.

ટીમ ઈન્ડિયા માટે ખરાબ પ્રદર્શન :

સતત બે મેચમાં આ ખરાબ પ્રદર્શન બાદ અવેશ ખાનની ટીમને ભારતમાં જગ્યા મળી નથી. ફાસ્ટ બોલર ઉમરાન મલિક અવેશ ખાનની જગ્યાએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો હકદાર છે. જે 150 Kmph થી વધુની ઝડપે સતત બોલિંગ કરે છે. હવે કદાચ ઉમરાન મલિકને જોવાનો સમય આવી ગયો છે. ઉમરાન મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ચાર અને એકવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન, વર્ષે એક જ વાર મળે છે આવો લ્હાવો

0

Lord Jagannath after the voyage

  • સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. આ જળયાત્રા (Voyage) મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. જે બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવાઆવ્યો હતો.

ભક્તોએ અખાડાના કરતબ બતાવ્યા :

સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાબરમતીના મધ્યેથી કળશમાં જળ ભરીને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. અખાડાના કેટલાક કરતબો પણ બતાવ્યા હતા. ખાસ કરીને બે યુવતીઓએ પણ અખાડાના કરતબ મંદિરના પ્રાંગણમાં દર્શાવ્યા હતા.

બે વર્ષ બાદ રથયાત્રાનું રંગેચંગે આયોજન :

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાના પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યજાશે.

જળયાત્રામાં આ દિગ્ગજો રહ્યાં ઉપસ્થિત :

આ જળયાત્રામાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો , મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યાં

દોઢ વર્ષમાં કરો આટલી ભરતી : PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા આદેશ

0

Recruitment in a year and a half

  • મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની (Human resources) સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે.

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.

શું કહ્યું વડાપ્રધાન કાર્યાલયે ? 

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં શું કહ્યું ? 

ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર 

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.

2016-17 થી 2020-21 કેટલી ભરતી થઈ ? 

2016-17થી 2020-21 દરમ્યાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.

અગાઉ મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમ્યાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.

દહેજ માટે હેવાનિયતની હદ વટાવી, પત્નીનાં પ્રાઇવેટ પાર્ટમાં બોટલ નાખીને……. સાસરાવાળા હસતાં રહ્યા

Exceeding the level of bullying

  • બરેલી એસએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલામાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) બરેલીમાં હેવાનિયતની (Bestiality) હદ પાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવતા એસએસપી બરેલી પાસે ફરિયાદ કરી છે.

પીડિતાએ જણાવ્યું કે પતિ દરરોજ તેની સાથે મારપીટ કરે છે. મહિલાનો આરોપ છે કે પતિએ એક દિવસ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી દીધી હતી. આટલું જ નહીં તાપમાં લઈ જઈને તેને મરઘો બનવા મજબૂર કરી હતી અને પછી તેની પીઠ પર ઈંટ મુકી હતી. મહિલાએ જણાવ્યું કે પતિની આ બધી વસ્તુઓ રોકવાની જગ્યા પર સાસરીના લોકો તેના પર હસતા હતા. ત્યાં જ આ વાત પર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

દહેજ માટે બન્યા હેવાન :

 હકીકતે જિલ્લાના કિલા સ્ટેશન ક્ષેત્રની રહેવાસી મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના લગ્ન 2018માં થયા હતા. થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યુ પરંતુ ત્યાર બાદ પતિ અને સાસરીના લોકો તેને મારવા લાગ્યા.

સાથે જ એક લાખ રૂપિયા દહેજ માટે કહેવા લાગ્યા રૂપિયા ના આપવા પર મારપીટ કરતા હતા અને તલાકની પણ ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે નિકાહ વખતે માતા-પિતાએ તેમના પ્રમાણે જધારે જ દહેજ આપ્યું હતું પરંતુ સાસરીવાળા નાખુશ છે. હવે તે વારંવાર 1 લાખ રૂપિયા દહેજ લાવવાની વાત કરી રહ્યા છે.

પ્રાઈવેટ પાર્ટમાં નાખી બોટલ :

પીડિતાએ આરોપ લગાવ્યો કે એક દિવસ મારપીટ કરતા પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી હતી અને તાપમાં લઈ જઈને મરઘો બનવા મજબૂર કરી અને પછી મારા પર ઈંટ મુકી દીધી. આ બધી વસ્તુઓ જોઈને સાસરીવાળા પતિને રોકવાની જગ્યા પર તેની પર હસી રહ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેનો પતિ દહેજ ન આપવા પર વારંવાર ડિવોર્સ આપવાની ધમકી આપે છે.

મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી તો તેની સાથે મારપીટ ન કરવામાં આવી પરંતુ બાળકી આવતા બાદમાં ફરી પતિ અને સાસરીયાના લોકો ડિવોર્સની વાત કરવા લાગ્યા. મહિલા ગમે તે રીતે પોતાની માતાની પાસે પહોંચી અને સમગ્ર વાત જણાવી. પરીવારના લોકોએ મહિલાના પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો. ત્યાર બાદ મહિલાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું.

એસએસપીએ આપ્યા તપાસના આદેશ :

હવે પીડિતાએ બરેલી એસએસપીને પોતાની મુશ્કેલી જણાવી છે. મહિલાએ પતિ પર અન્ય કોઈ મહિલા સાથે અવૈધ સંબંધનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તે બીજા નિકાહ કરવા માંગે છે.

તે હંમેશા તલાકની ધમકી આપે છે અને કહે છે કે તે ઘરથી બાળકને ળઈને નિકળી જશે. આ સંપૂર્ણ મામલામાં બરેલીના એસએસપી રોહિત સિંહ સજવાણીએ જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલાની ભૂતા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

કુવૈત : નુપુરનો વિરોધ કરી રહેલા ભારતીયોને મળશે કડક સજા, જાણો કુવૈતના નિયમ કે જેના હેઠળ તેમણે પરત ફરવું પડશે

To the Indians who are opposing Nupur

  • 10 જૂને ભારતીયો સહિત બિન-નિવાસી એશિયન નાગરિકોએ કુવૈતમાં નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પછી કુવૈત સરકારે તેની ધરપકડ કરી અને તેને તેના દેશમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો. કુવૈત એ દેશોમાંથી એક છે જેણે નુપુરની ટિપ્પણી બાદ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા.

ખાડી દેશ કુવૈતમાં (Gulf country Kuwait) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Former BJP spokesperson Nupur Sharma) સામે વિરોધ કરી રહેલા ભારતીયો ફરી ક્યારેય કુવૈત (Kuwait) પરત ફરી શકશે નહીં. ટૂંક સમયમાં જ તેઓને ભારત પરત મોકલવામાં આવશે. આ પછી ભાગ્યે જ કુવૈત સરકાર (Government of Kuwait) તેમને પાછા આવવા દેશે. ખરેખર, કુવૈતમાં ઇમિગ્રન્ટ્સ માટેના શ્રમ કાયદા એટલા કડક છે કે તેનું ઉલ્લંઘન કરવું એ ત્યાં ‘પાપ’ સમાન છે. અને જો કુવૈત સરકાર કાયદાનું પાલન ન કરે તો તેમાં નમ્રતાને અવકાશ નથી.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ શ્રમ કાયદાના મામલામાં ઈમિગ્રન્ટ્સ માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાં પરપ્રાંતીય કામદારોને કુવૈતમાં કોઈપણ પ્રકારનું પ્રદર્શન કે ધરણાં કરવાની મંજૂરી નથી. આ પછી પણ ત્યાં રહેતા ભારતીયો અને એશિયાઈ નાગરિકોએ નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેના પછી તેને ભારત પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેમને ટૂંક સમયમાં પરત મોકલી દેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

કુવૈતમાં 10 જૂને ભારતના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફહેલ વિસ્તારમાં આ પ્રદર્શનમાં ભારતીયો સહિત બિન-નિવાસી એશિયન નાગરિકોએ ભાગ લીધો હતો. આ પછી કુવૈત સરકારે તેની ધરપકડ કરી અને તેને તેના દેશમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો.

કુવૈત ફરી પાછા ફરી શકશે નહીં :

નિયમો હેઠળ, કુવૈત સરકાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલે છે. આ સિવાય તે ફરીથી તેમના દેશમાં આવવા પર પણ પ્રતિબંધ મૂકે છે. આવી સ્થિતિમાં વિરોધ કરી રહેલા ભારતીયો ફરીથી કુવૈત જઈ શકશે નહીં.

ભારત સરકાર તરફથી કોઈ મદદ મળશે નહીં :

આ મામલે ભારત સરકાર તરફથી કોઈ મદદ મળવાની આશા નથી. હકીકતમાં, કુવૈતમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ મામલે પહેલાથી જ એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. દૂતાવાસનું કહેવું છે કે અહીં કામ કરતા કામદારોએ કુવૈતના નિયમોનું પાલન કરવું પડશે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ તેમની મદદ કરી શકશે નહીં.