Home Blog Page 1411

જો તમે ઘરમાં 100 વાંદા રાખશો તો કંપની આપશે દોઢ લાખ રૂપિયા , જાણો કેવી રીતે આપશે રૂપિયા

half lakh rupees

મચ્છર, ગરોળી, વાંદાઓ, કરોળિયો અને માંકડથી લોકો તો બચીને જ રહેવા માંગે છે. તેઓ એમને ભગાડવા માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. રસોડું તો ભાઈ… એવી જગ્યા છે જ્યાં વાંદાઓનો (Wanda) ત્રાસ રહેતો જ હોય છે. એવામાં અમેરિકાની (America) એક કંપનીની વાંદાઓને લગતી એક અનોખી ઓફર સોશિયલ મીડિયામાં (Social media) ચર્ચાનો વિષય બની ગઈ છે. આમ જોવા જઈએ તો ‘વાંદાઓને પાળવા’ માટે લોકોને દોઢ લાખ રૂપિયા આપવા તૈયાર થઇ છે.

એક અહેવાલ મુજબ અમેરિકામાં નોર્થ કેરોલિના (North Carolina) સ્થિત ‘પેસ્ટ કંટ્રોલ કંપની’ (Pest control company) તેની નવી પેસ્ટ કંટ્રોલ દવા પર સંશોધન કરી રહી છે. તેમના આ સંશોધન માટે તેમણે વાંદાવાળા ઘરની જરૂર છે.  જેથી કરીને તે એના પર પોતાની આ ખાસ દવાનો ટેસ્ટ કરી શકે. એના કારણે આ કંપની 5-7 એવા ઘરોની તલાશ કરી રહી છે કે જેમાં તે ઓછામાં ઓછા 100 વાંદાઓ છોડી શકે. જો તે કંપનીને આવું ઘર મળે તો તે ઘરના માલિકને 2000 ડોલર (ભારતમાં દોઢ લાખ રૂપિયાથી પણ વધારે) ની રકમ આપશે.

કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે તે 100 વાંદા ઘરમાં છોડશે ત્યારથી લઇને 30 દિવસ સુધી તે ઘરના માલિક કોઈપણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ ટેક્નિકનો ઉપયોગ કરશે નહીં. કંપની તેની રીતે તે વાંદાઓને દૂર કરશે. જો ‘પેસ્ટ ઇન્ફોર્મર’ કંપનીના પૂરા મહિનાના સંશોધન પછી પણ તે ઘરમાં વાંદાઓ બચશે તો કંપની તેને ભગાડવા માટે પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરશે.

સાથે જ એમણે દાવો કર્યો કે આ પ્રયોગ કુટુંબ અને તેના ઘરેલુ પ્રાણી માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સ્કીમ માટે તે ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.

સમય પહેલા સફેદ વાળ આવી ગયા છે તો ચિંતા ના કરશો, કરો આ ઉપાય વાળ બનાવશે કાળા અને શાઈની

Premature white hair

  • હવે સફેદ વાળ સરળતાથી કાળા કરી શકાય છે. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એ જાણીએ કે એવી કઈ કઈ સરળ રીતો છે.

સફેદ વાળની (White hair) ​​સમસ્યાથી પીડિત લોકોને જણાવી દઈએ કે તમારા ડાયટમાં (Diet) કેટલાક એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે જેથી તમારા વાળ સફેદ ન થાય કારણ કે ઘણી વખત તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા જેના કારણે વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે એવી વસ્તુઓ છે જેના કારણે તમારા વાળ કાળા (Hair black) થઈ શકે છે.

ડાયેટમાં શામેલ કરો ઈંડા :

ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. વાળને સુધારવા અને સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.

ડાયેટમાં શામેલ કરો મેથી :

મેથી વાળને કાળા કરવામાં મદદ કરે છે. હકીકતે મેથીમાં આયર્ન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. જે વાળમાં મેલાનિન નામના તત્વને વધારવામાં સક્ષમ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેલાનિનની ઉણપને કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે. એટલા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં મેલાનિન હોય.

લીલા શાકભાજી પણ કરશે મદદ  :

 

આ સિવાય તમારે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. લીલા શાકભાજીમાં વિટામિન B-6, વિટામિન B-12 અને અન્ય પોષક તત્વો મળી આવે છે.

દાઢી-મૂછ અને વનપીસ પહેરીને સોનમ કપૂરના બેબી શાવરમાં પહોંચ્યો આ શખ્સ, લોકો કરી રહ્યા ટ્રોલ

The man arrived at Sonam Kapoor

  • સોનમ કપૂર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ લંડનમાં બેબી શાવર પાર્ટી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર (Sonam Kapoor) ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ લંડનમાં (London) બેબી શાવર પાર્ટી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ફંક્શનમાં સોનમ કપૂરની બહેન રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની સિવાય ઘણા મહેમાનો આવ્યા હતા. જો કે, આ પાર્ટી દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચનાર વ્યક્તિ દાઢી અને મૂછ સાથે વન-પીસ ડ્રેસમાં જોવા મળેલો એક શખ્સ છે.

કોણ છે આ વ્યક્તિ  :

સોનમ કપૂરના બેબી શાવરમાં પહોંચેલી આ વ્યક્તિ બ્રિટિશ પાકિસ્તાની સંગીતકાર લિયો કલ્યાણ છે. લિયો કલ્યાણે પણ બેબી શાવર દરમિયાન અનિલ કપૂરની લોકપ્રિય ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’ના ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ અને સોનમ કપૂરની ‘દિલ્હી 6’ના ‘મસાકલી’ ગીતો પર પરફોર્મ કર્યું હતું. લીઓ કલ્યાણ વન પીસ સ્કર્ટ સાથે દાઢી અને મૂછમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો.

કોણ છે લિયો કલ્યાણ ? 

લીઓ કલ્યાણ એક બ્રિટિશ-પાકિસ્તાની સિંગર, સોન્ગ રાઈટર અને મ્યુઝિક કમ્પોઝર છે. આ સાથે તે એક ગે આર્ટિસ્ટ પણ છે. લીઓએ 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. લીઓ કલ્યાણ તેના મેલોડી ગીતો માટે પ્રખ્યાત છે. લિયોએ ફિંગરટિપ્સ, ગેટ યોર લવ, ડે ડ્રીમ જેવા ઘણા ગીતો પર કામ કર્યું છે. લિયો કલ્યાણ હિન્દીમાં ગીતો પણ ગાય છે.

પરિવારે ઉમરાવ જાનનું ગિત ગાત જોયો ત્યારે…

લિયો કલ્યાણના કહેવા પ્રમાણે, તે બાળપણથી જ ગીતો ગાતો આવ્યો છે. એકવાર મારા પરિવારના સભ્યોએ મને ફિલ્મ ઉમરાવ જાનનું ગીત ગાતા પકડ્યો. જોકે, મારા પરિવારના સભ્યોએ મને ક્યારેય ગાવામાં સપોર્ટ કર્યો નથી. તમને જણાવી દઈએ કે 20 વર્ષીય લિયો કલ્યાણનો ઉછેર લંડનમાં જ થયો છે.

ગે આર્ટિસ્ટ પણ છે લીઓ કલ્યાણ :

લીઓ કલ્યાણ એક ગે આર્ટિસ્ટ છે. તે માને છે કે અત્યાર સુધી કોઈ કલાકારે ખુલ્લેઆમ પોતાની જાતીયતા વ્યક્ત કરી નથી. પરંતુ તેને આમ કરવામાં કોઈ સંકોચ નથી. તમને જણાવી દઈએ કે લીઓના ઈન્સ્ટાગ્રામ પર 84 હજાર ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. તમને જણાવી દઈએ કે લિયો દ્વારા લખવામાં આવેલા ઘણા ગીતો એક ગેનું અંગત જીવન દર્શાવે છે.

ઈ-મેમો નહીં ભરનારા 10 હજાર લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની નોટિસ, 26 જૂનના રોજ કરાશે કાર્યવાહી

0

No e-memo fillers

  • ઇ-મેમો નહીં ભરનાર સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરતા એક જ દિવસમાં 10 હજાર લોકોને નોટિસ ફટકારી છે. નોટિસ બાદ ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરાશે.

ઇ-મેમો (E-memo) નહીં ભરનાર સામે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) બાદ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી છે. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી. 26 જૂને લોક અદાલતમાં (Lok Adalat) ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી થશે. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનારા સામે કોર્ટ કાર્યવાહી કરશે. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી 90 હજાર ઇ-મેમો ભરવાના બાકી છે.

રાજ્યમાં ઈ-મેમો ન ભરનારા સામે FIR કરવાની ગુજરાત હાઇકોર્ટની ટકોર :

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટ્રાફિક નિયમોને કડક બનાવવા ગુજરાત હાઇકોર્ટે પણ ઇ-મેમો ન ભરનારા વિરૂદ્ધ ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા છે. રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’

અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી :

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાની સાથે મોટા ભાગના સગીરો ટુ-વ્હીલર વાહનો લઈને શાળાએ જતા થયા છે. જેને લઈને અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ સ્કૂલ અને કોલેજ પાસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી તેમજ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

જે ટ્રાફિક ડ્રાઈવમાં સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ-વ્હીલર હાંકતા ઝડપાશે તો તેની પાસેથી 2 હજારનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે ટુ-વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા ઝડપાશે તો રૂ.3 હજાર દંડ વસૂલવામાં આવશે. જ્યારે પ્રથમ વખત ડાર્ક ફિલ્મ લગાવેલી કાર ઝડપાશે તો 500 રૂપિયા અને બીજી વખત ઝડપાશે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે.

દારૂબંધીવાળા ગુજરાતનું આ ગામ મિનિ દીવ બની જતા સરપંચે દારૂબંધીનો અમલ શરૂ કર્યો

0

Gujarat with alcohol ban

  • ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે.

ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ દારૂબંધીનો (Alcoholism) કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. તો બીજી તરફ ગુજરાતના અલગ-અલગ ગામડાઓમાં અલગ અલગ સંગઠનો દ્વારા દારૂબંધી બાબતે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધી છતાં અમુક જગ્યા પર દારૂનું દુષણ દુર થયું નથી અને તેના જ કારણે ગુજરાતના એક ગામના સરપંચે દારૂબંધી માટે અનોખો રસ્તો અપનાવ્યો છે.

સરપંચ દ્વારા ઢોલ વગાડીને દારૂ બનાવતા અને દારૂ પીતા લોકોને સુધરી જવાની સખત ચેતવણી આપવામાં આવી છે અને આ બાબતે નો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં (Social media) જે વિડીયો વાયરલ થયો છે તે વિડિયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા પસવાડા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ દ્વારા ઢોલીના માધ્યમથી એક સૂચના ગામ લોકોને આપવામાં આવી હતી કે, 8/06/2022થી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈ એ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહી. જો કોઈ દારૂ પીશે કે, દારૂ પાડશે તો સરપંચ કાયદેસરની કાર્યવાહી કરશે.

આ બાબતે ગામના સરપંચે જયસિંહ ભાટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગામની અંદર દારૂની પ્રવૃત્તિ ખૂબ જ મોટા પ્રમાણમાં છે દારૂ પીવા વાળા અને દારૂ ઉતારવા વાળા એટલે કે દારૂ બનાવવા વાળા વધી ગયા છે. સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મારા ગામની છાપ મીની દીવ તરીકેની પડી ગઈ છે અને નાની ઉંમરના યુવાનો દારૂ પીવાના કારણે મૃત્યુ પામ્યા હતા. જેથી તેમના ઘર પરિવાર કે તેમની પાછળના વ્યક્તિઓને પરેશાની થતી હતી. દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ઘટી ગયો છે. સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બધા કારણો જોઈને ગામમાં દારૂબંધીનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો. સરપંચનો આક્ષેપ છે કે, આ ગામ ગીર જંગલનો છેવાડાનું ગામ હોવાના કારણે તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.

પસવાડા ગામ જૂનાગઢથી આશરે 40 કિલોમીટર દૂર આવેલું છે અને 700 જેટલા લોકો આ ગામમાં રહે છે. મોટાભાગના લોકો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તો અત્યાર સુધીમાં ગામમાં 15થી 22 જેટલી મહિલાઓ દારૂના દૂષણના કારણે વિધવા બની છે.

સરપંચે એવું પણ કહ્યું હતું કે ઢોલ વાગ્યા પહેલા ગામમાં લોકો ગમે ત્યાં દારૂ પીતા હતા અને બધાને હેરાન કરતા હતા પરંતુ ઢંઢેરો પીટાવ્યા બાદ આ બધું બંધ થઈ ગયું છે અને ગામમાં શાંતિ છે. ગામના લોકો પણ કહી રહ્યા છે કે સરપંચે સૂચના આપ્યા બાદ હવે ગામમાં દારૂ મળતો નથી અને કોઈ વ્યક્તિ દારૂ પીને કોઈને હેરાન પણ કરતો નથી.

તો ગામના એક વડીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગામમાં દારૂબંધી થઈ તે ખૂબ જ સારું છે કારણ કે દારૂના દૂષણના કારણે તેમને બે ભત્રીજા ગુમાવ્યા છે. તો ગામના એક વૃદ્ધા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગામમાં અત્યારે નાની-મોટી પ્રજાપતિ ઘણી દારૂની શોખીન છે તેમની બાજુમાં બે યુવાનો નાની ઉંમરમાં જ ગુજરી ગયા હતા. હાલ આ બંને યુવાનોની વિધવા પત્ની મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે એક યુવકના ઘરે ત્રણ અને બીજા યુવકના ઘરે ચાર બાળકો હતા.

તો બીજી તરફ ગામના સરપંચ બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે એટલા માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. ગામના બાળકો માટે સરપંચ રાત્રી શાળા ચલાવે છે

PM Modi Gujarat Visit : PM મોદીએ માતા હીરાબાનો 100મો જન્મદિવસ આ રીતે ઉજવ્યો, જુઓ ભાવુક તસવીરો

0

PM Modi Gujarat Visit

  • આજે (18 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) માતા હીરાબાનો (Hiraba) 100મો જન્મદિવસ છે. આ અવસર પર પીએમ મોદી તેમને મળવા ગુજરાતના ગાંધીનગરમાં (Gandhinagar) માતાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ માતાના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા.

પીએમ મોદીએ માતા હીરાબેનને તેમના જન્મદિવસ પર શાલ ભેટમાં આપી હતી.પીએમ મોદીએ માતા હીરાબેનના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

તેમની માતાના 100માં જન્મદિવસ પર, વડા પ્રધાન મોદીએ તેમના પગ ધોયા અને તેમની આંખોથી ચરણામૃત લગાવ્યું. જણાવી દઈએ કે પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તે સૌથી પહેલા તેની માતાના આશીર્વાદ લેવા તેના ઘરે આવ્યો હતો.

માતા સાથેની મુલાકાત દરમિયાન પીએમએ ઘરમાં મંદિરમાં પૂજા કરી અને પ્રસાદ ચડાવ્યો. વડા પ્રધાન મોદીની તેમની માતા સાથેની ભાવનાત્મક તસવીરો પણ અગાઉ સામે આવી છે. તે અવારનવાર તેની માતાને મળવા ગુજરાત જાય છે.

આ કારણોસર બોક્સ ઓફિસ પર ફ્લોપ જઇ શકે છે રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ , આ 2 મોટી ફિલ્મો તો થઈ જ છે ફ્લોપ

For this reason, Ranbir-Alia’s ‘Brahmastra’

  • Brahmastra Trailer Out: આલિયા ભટ્ટ- રણબીર કપૂરની (Alia Bhatt- Ranbir Kapoor) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ સાથે જ મૂવીનાં ટ્રેલર રિવ્યૂ પણ સામે આવવાં લાગ્યા છે. મોટાભાગનાં લોકોને લાગે છે કે આ ફિલ્મ સુપર ડુપર હિટ થશે. જ્યારે કેટલાંકનું માનવું છે કે, કેટલાંક કારણો છે જે ફિલ્મને ફ્લોપ કરી શકે છે.

આલિયા ભટ્ટ-રણબવીર (Alia bhatt-Ranbir Kapoor)નીમોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra) રિલીઝ થતા જ ફિલ્મ અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મ 9 સ્પટેમ્બરનાં રોજ રિલીઝ થશે. ગત રોજ જેમ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું સોશિયલ મીડિયા (Social media) પર તે છવાઇ ગયુ છે. અમિતાભ બચ્ચનનાં (Amitabh Bachchan) અવાજથી શરૂ થતા આ ટ્રેલરને અત્યાર સુદઈમાં જ 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને મિક્સ રિસ્પોન્સ (Mix response) આપ્યો છે. મોટાભાગનાં લોકોનું માનવું છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ થશે. જ્યારે અમુકનું માનવું છે કે, કેટલાંક કારણો છે જે ફિલ્મને ફ્લોપ કરી શકે છે.

અયાન મુખર્જીનાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને પૂર્ણ થવામાં 9 વર્ષનો સમય લાગ્યો હતો. એવામાં લોકોને આશા છે કે, ફિલ્મ ઘણી ખાસ છે. અને તેમાં ઘણું બધુ જોવા મળશે. ટ્રેલર સામે આવતા જ લોકોમાં ફિલ્મ પ્રત્યેની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે. જો આ ફિલ્મ હિટ થશે તો તેની પાછળનાં કારણો શું હોઇ શકે અને જો ફ્લોપ થશે તો તેની પાછળનાં શું કારણ હોઇ શકે તેનાં પર કરીએ એક નજર

1. ફિલ્મનાં વીએફ એક્સ (VFX) તેને હિટ કરાવી શકે છે. અયાન મુખર્જીએ જે દુનિયા દેખાડવાનો પ્રયાસ કર્યો છે તેને વીએફએક્સથી દર્શકો સામે રજૂ કરવામાં આવશે જે ફિલ્મને એક અલગ લેવલ પર લઇ જાય છે. જે હોલિવૂડની માર્વલ મૂવીઝની જેમ સાબિત થઇ શકે છે.

2. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલી વખત ઓન સ્ક્રિન સાથે જોવા મળી રહ્યાં છે. આ જોડીએ ફિલ્મની સૌથી મોટી યુએસપી છે. ફિલ્મમાં તેમનાં વચ્ચે ઇન્ટેન્સ લવ પણ જોવા મળી રહ્યો છે. ઇશા કેવી રીતે તેનાં શિવાનો સાથ આપે છે તે જાણવાં લોકો થિએટર સુધી જઇ શકે છે.

3. નાગાર્જુનન અંગે મેકર્સે મૂવીને સાઉથમાં હિટ કરવાની યોજના બનાવી છે. નાગાર્જુન સાઉથનાં સુપરસ્ટાર છે. તેમને જોવા માટે સિનેમાઘરોમાં દર્શકોની લાઇન લાગી છે. આ એક કારણે એવું માનવામાં આવે છે આ ફઇલ્મ સાઉથમાં પણ કમાલ કરી શકે છે.

આ ચાર કારણે ફ્લોપ થઇ શકે છે અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’

1. ‘બ્રહ્માસ્ત્ર‘ ધાર્મિક બેઝ લઇને બનાવવામાં આવેલી ફિલ્મ છે આ પહેલાં આ બેઝ પર ‘રુદ્રાક્ષ’ અને ‘નક્શા’ આવી હતી. જે દર્શકોને પસંદ પડી ન હતી. ‘રુદ્રાક્ષ’ની કહાનીમાં સુનીલ શેટ્ટાને રાવણનું રુદ્રાક્ષ મળે છે. એને તેને રાક્ષસી શક્તિ મળે છે. તો સંજય દત્ત વેદ પુરાણમાં મહારથ હાસેલ કરેલો છે અને વગર કોઇ વસ્તુને અડે તે જે તે વસ્તુને હલાવી શકવાની તાકત રાખે છે. સુનીલ શેટ્ટીને હરાવવા સંજય દત્ત સામે આવે છે. તો ‘નક્શા’ ફિલ્મમાં સની દેઓલ, વિવેક ઓબેરોય, સમીરા રેડ્ડી, જેકી શ્રોફ હતાં. આ પણ મહાભારતનાં કર્ણનાં કવચથી લઇ કાનનાં કુંડળ શોધવાની કહાની હતી. આ બંને મૂવી બોક્સ ઓફિસ પર તદ્દન ફ્લોપ થઇ હતી. આ બંને મૂવીની જે પરિસ્થિતિ જોઇ છે તે કદાચ દર્શક ‘બ્રહ્માસ્ત્ર’ ની સાથે ન થાય.

2. ‘ક્રિશ’ને છોડી દઇએ તો ભારતનાં લોકો સુપરહીરો કોન્સેપ્ટને જલ્દી જ પચાવી ન શક્યા. શાહરૂ ખ ખાનની રા.વન અને ટાઇગર શ્રોફની ‘એ ફ્લાઇંગ જાટ’ જેવી ફિલ્મો નિષ્ફળ થઇ હતી. રા.વનમાં વીએફએક્સ (VFX)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં મૂવી ન ચાલી.

3. બ્રહ્માસ્ત્ર ફિલ્મનાં વિઝ્યુઅલની સરખામણી હોલિવૂડથી કરવામાં આવી રહી છે. એમ જેમ કંગના રનૌટની ફિલ્મ ‘ધાકડ’ની કરવામાં આવી રહી હતી. ફિલ્મનાં શું હાલ થયા તે સૌ કોઇને ખબર છે. ખુબજ ખરાબ રીતે આ ફિલ્મ ફ્લોપ થઇ હતી. જો બ્રહ્માસ્ત્રની વિઝુઅલ ટ્રિટમેન્ટ લોકોને પસંદ ન આવી તો ફિલ્મ પિટાઇ શકે છે.

4. મૌની રોયને વિલનનાં કિરદાર જોઇ અયાન મુખર્જીએ મોટો દાવ રમ્યો છે. જો તે વિલનનાં રોલમાં ફિટ નહીં બેસે તો આ કારણે પણ ફિલ્મ ફ્લોપ થઇ શકે છે.

ચાર છોકરા-શિક્ષક મને…: વર્ષથી પીડાતી હતી દીકરી, ભાજપ નેતાની સ્કૂલ હોવાથી ફરિયાદ ન થઈ, આખરે..

Four boys-teachers to me

  • બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાના 10 દિવસ બાદ પોલીસે આ ઘટનામાં એક શિક્ષકની ધરપકડ કરી છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું આ સ્કૂલ ભાજપ નેતાની હોવાના કારણે પોલીસ આ મામલાને છાવરી રહી છે.

એક તરફ ગુજરાત સરકાર (Government of Gujarat) રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. જ્યારે બીજી બાજુ એક દીકરીએ છેડતીના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓની સલામતી જોખમાઇ રહી છે. કારણ કે બનાસકાંઠામાં (Banaskantha) 10 દિવસ અગાઉ ભાભરની ભાજપ નેતાની (BJP leader) રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. ત્યારે ધોરણ-11ની વિદ્યાર્થિનીના આપઘાતનો આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે વિદ્યાર્થિનીના મોતના 10 દિવસ બાદ પોલીસે ફરિયાદ (Police complaint) દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે, સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે ફરિયાદ લીધી.

દીકરીએ સુસાઇડ નોટમાં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો :

તમને જણાવી દઇએ કે, 10 દિવસ અગાઉ બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીએ જૂન-2021માં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે છેડતીનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ વિદ્યાર્થિની સતત તણાવમાં રહેતી હતી. તેમ છતાં પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ ન હોતી કરી.

આ મામલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિતાના સગાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવ્યો છે. આ મામલે દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’

શું ભાજપના નેતાની સ્કૂલ હોવાથી પોલીસે ફરિયાદ નથી લીધી ?

એવું કહેવાઇ રહ્યું છે કે, આ સ્કૂલ એક ભાજપ નેતાની છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે, શું ભાજપના નેતાની સ્કૂલ હોય તો ફરિયાદ નહીં લેવાની. ભાજપના નેતાની સ્કૂલ હોય અને એ સ્કૂલમાં આ પ્રકારની જો ઘટના થાય તો શું આરોપીઓને નહીં પકડવાના? શું તેમની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની? મહત્વનું છે કે, ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા કે અન્ય કોઇ પણ પક્ષના નેતા હોય પરંતુ આવી ઘટનામાં પોલીસની એ જવાબદારી બને છે કે, આરોપીને સજા કરવાની. એક દીકરી જ્યારે સુસાઇડ નોટમાં નામ લખીને જાય છે છતાં તંત્ર ધ્યાન નથી આપતું. દીકરી એટલે સુધી સુસાઇડ નોટમાં જણાવે છે કે, જો તમે પગલાં નહીં લો તો હું સુસાઇડ કરી લઇશ. અંતે આ દીકરી સુસાઇડ પણ કરી લે છે.  ત્યારે અહીં કેટલાંક સળગતા સવાલો ઊભા થાય છે.

જુઓ દીકરીએ સુસાઇડ નોટમાં શું લખ્યું હતું ?

દીકરીએ સુસાઇડ નોટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘રાધે માં મુ ભણવા જતી ગતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી મું ડરતી હતી…..’

સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘૂસે એ પહેલા જ પોલીસે પકડી પડ્યો માસ્તર માઈન્ડ ટોળકીનો ખેલ

0

Millions of rupees worth

અમદાવાદ (Ahmedabad)ની NCB અને સચિન (Sachin) પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઓરિસ્સા (Orissa)ના ગંજમ જિલ્લામાંથી 33 કલાકમાં 1616 કિમીનું અંતર કાપીને સુરત (Surat)માં ગાંજા સપ્લાય કરતી ટ્રકના ડ્રાઈવર સહિત છ લોકોની ધરપકડ કરી છે. ઓરિસ્સાના (Orissa) ડ્રગ ડીલર રાકેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. રાકેશ (Rakesh)ના કહેવા મુજબ ડ્રાઈવર સુરતમાં અન્ય વેપારીઓને ગાંજો સપ્લાય કરવાનો હતો. મહારાષ્ટ્ર (Maharashtra)માંથી પસાર થતી ટ્રકમાં ડ્રાઇવરની કેબિન પાછળ એક ચોરખાનું (Thieves) મળી આવ્યું હતું. જેમાંથી 724 કિલો ગાંજાના 243 પેકેટ મળી આવ્યા હતા.

શંકા ન જાય તે માટે ટ્રકનો પાછળનો ભાગ ખાલી હતો. પોલીસ દ્વારા રૂ.72.40 લાખની કિંમતનો ગાંજો અને રૂ.15 લાખની ટ્રક તેમજ 3 લાખની કિંમતના ફોર વ્હીલર મળીને કુલ 90.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાસિકનો હેમરાજ ઠાકરે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ટ્રકમાં ગાંજા લાવ્યો હતો અને તેની સાથે ફરહાન પઠાણ ટ્રકમાં બેઠો હતો.

1 38 - Trishul News Gujarati gujarat, Surat, trishul news, ગુજરાત, સુરત

આ ઉપરાંત અરુણ ગૌડા અને ફારૂક શેખ અને તેનો પુત્ર સાબીર શેખ અને ફારૂકની સાળીનો છોકરો શકીલ શેખ ડસ્ટર કારમાં ગાંજો લેવા આવ્યા હતા. સચિન પોલીસ દ્વારા બુધવારે સવારે અમદાવાદ NCB સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર ફારુક શેખના જમાઈની હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા લોકોમાં ગાંજાના પાંચ સપ્લાયર અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

હેમરાજ ભીખન ઠાકરે ટ્રકનો ચાલક, ફરહાન નાસીર પઠાણ(સપ્લાયર), અરૂણ ગૌડા તીનાસ ગૌડાં(સપ્લાયર), ફારુક ચાંદ શેખ(સપ્લાયર), સાબિર ફારૂક શેખ(સપ્લાયર), શકીલ મહંમદ શેખ(સપ્લાયર)ની અટકાયત કરવામાં આવી છે.

અગ્નિપથના વિરોધમાં દેશભરમાં હિંસા બાદ કેન્દ્ર એક્શનમાં, રાજનાથ સિંહ કરશે ઈમરજન્સી મીટિંગ

0

Opposition to Agneepath

  • અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે.

અગ્નિપથ (Agneepath) યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે આજે  બેઠક માં અગ્નિપથ યોજનાને લઈને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ (Agneepath Military Recruitment) યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા ‘ફોર્મેટ’ હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.

બિહારમાં સતત ચોથા દિવસે પરિસ્થિતિ અતિ ભયાનક  :

ઉલ્લેખનીય છે કે,  કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે, અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે.  શનિવારે જહાનાબાદ માં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્યાઑ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પણ ભીડની સામે બેબસ દેખાઈ રહી હતી.

ભભૂકી રહ્યું છે બિહાર :

બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી.

15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ  :

સતત બગડતી પરિસ્થિતિને જોતાં બિહારમાં 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે, આ આદેશ 19 જૂન સુધી લાગુ રહેશે.