ઐતિહાસિક ક્ષણ ગુજરાતીઓ માટે પાવાગઢમાં 500 વર્ષે મંદિર પર લહેરાઈ ધજા, વડાપ્રધાન મોદીના હસ્તે થયું ધજારોહણ

Share this story

Historical moment Gujaratis

  • તું કાળીને કલ્યાણી રે મા… પાવાગઢમાં 500 વર્ષે લહેરાઈ ધજા, PM મોદીના હસ્તે થયું ધજારોહણ

આજે પાવાગઢ (Pavagadh) અને ગુજરાત (Gujarat) માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે 500 વર્ષ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાઈ રહી છે. PM મોદીના (PM Modi) હસ્તે ધજારોહણ (Flag hoisting) કરવામાં આવ્યું છે ત્યારે માતાજીના ભક્તોને આજે અનેરો આનંદની લાગણી અનુભવાઈ રહી છે.

નોંધનીય છે કે મહોમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવાયું છે.

સોનાનો કળશ અને ધજાદંડ :

નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે.

મંદિર પર કેમ ન હતી ધજા ? 

નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે.

દરગાહ વિવાદનો સુખદ અંત :

પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.

PM Modi વડોદરાથી Live :પ્રધાનમંત્રીએ પાવાગઢમાં ધજા ફરકાવી, હજારો વર્ષો બાદ મંદિરમાં ધજા ફરકી

મહત્વનું છે કે પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે.

પાવાગઢમાં હજુ પણ કરાશે કરોડોના કામો  :