ફોટો પાડીને WhatsApp પર ખબર પડી જશે કે મોતિયો છે કે નહીં, જાણો શું છે નવી જોરદાર ટેકનિક

Share this story

Take a photo and you will

  • Cataract એટલેકે મોતિયાની જાણકારી (Cataract information) લગાવવા માટે હવે એવી ટેકનિક આવી ગઇ છે, જેનાથી ચપટી વગાડતા ખબર પડી જાય કે તમને આ બિમારી છે કે નહીં. બસ એક WhatsApp પિક્ચર અને 1 મિનિટમાં આ ખબર પડી જશે કે તમારી આંખની રોશની ઓછી હોવાનુ કારણ મોતિયો છે કે નહીં.

આંખની તસ્વીર પરથી ખબર પડે છે મોતિયો :

સૌથી પહેલા તમને એ જણાવીશું કે આ કેવીરીતે થશે. હકીકતમાં તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે. આ ફોટોને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત WhatsApp chat bot પર અપલોડ કરવામાં આવશે. 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં આ વોટ્સએપ ચેટ બોટ તમને જણાવશે કે તમારી આંખોમાં મોતિયો છે કે નહીં.

ટેસ્ટમાં 92 ટકા સુધી સફળ છે ટેકનિક :

આ ટેકનિકનો ઉપયોગ દિલ્હીના એક ખાનગી આઈ સેન્ટર પર થઇ રહ્યો છે. દિલ્હીના Sharp sight centreના ડાયરેક્ટર ડૉ. સમીર સુદ મુજબ આ ટેકનિક algorithm પર આધારિત છે. જેનાથી મળતા પરિણામોને ડૉકટરોએ પોતાના રેગ્યુલર ટેસ્ટથી મળીને પણ જોયુ છે. 10 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં. ટેકનિકથી આવનારા પરિણામ 92 ટકા સાચા છે. હોસ્પિટલ પહોંચેલા દર્દી બ્રહમ બંસલની ફોટો ખેંચતા જ જણાવવામાં આવ્યું કે તેમને મોતિયો આવ્યો છે, પરંતુ તેમને તેની ખબર જ નથી.

હૈદરાબાદની કંપનીએ કર્યુ ટેકનિકનું નિર્માણ :

આ ટેકનિક હૈદ્રાબાદની આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીએ બનાવી છે અને દિલ્હીના એક ખાનગી આઈ કેર સેન્ટર પરથી શેર કરી છે. જેના માટે અત્યારે કોઈ ફી વસૂલવામાં આવતી નથી. ગામેગામ WhatsApp દ્વારા સ્ક્રીનિંગ કરી દર્દીઓની તપાસ કરાઈ રહી છે.