Home Blog Page 1405

જેલથી જામીન પર છૂટેલા મિત્રનું વેલકમ પડ્યું મોંઘુ ! એક સાથે થઇ 83 લોકોની ધરપકડ

Released on bail from jail

તિહાડ જેલથી (Tihar Jail) જામીન પર છૂટીને આવેલા સાથી બદમાશના સન્માનમાં રસ્તા પર પરેડ કરવી અને તેને સ્પેશિયલ ફિલ (Special Phil) કરાવવાનો પ્લાન તેના મિત્રોને એટલો મોંઘો પડ્યો કે, તેઓ હવે જેલમાં બંધ છે. વેસ્ટ દિલ્હીના દિલ્હી કૈંટ પોલીસ સ્ટેશન (Delhi Cantt Police Station) વિસ્તારમાં પોલીસે રાતે રસ્તા પર હોબાળો કરવાના અને પબ્લિક ન્યૂસેંસ ક્રિએટ (Public Newssense Create) કરવાના આરોપમાં 83 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 33 ઉપર પહેલાથી જ મર્ડર, હત્યાનો પ્રયત્ન, લૂંટ અને આર્મ્સ એક્ટના કેસ નોંધાયેલા છે. આ તમામ આરોપી તિહાડ જેલથી જામીન પર છૂટેલા મિત્રનું વેલકમ કરવા રસ્તા પર હોબાળો કરી રહ્યા હતા.

આટલું જ નહીં પોલીસે તેમના પાસેથી 19 કાર અને 2 ટુ-વ્હીલરને પણ જપ્ત કરી છે આની માહિતી સાઉથ વેસ્ટ ડિસ્ટ્રિકટ DCP મનોજ સીએ કરી હતી. તેમને આખી ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, તુગલકાબાદ એક્સટેન્શનની ગલી નંબર 6મા રહેતો આબિદ અહમદને કાલે તિહાડ જેલથી જામીન પર રાતમાં રિલીઝ કર્યું હતું, તે વસંત કુંજ નોર્થના એક મામલામાં જેલમાં બંધ હતો.

પોલીસને સૂચના મળી હતી કે, અપરાધી બદમાશને લેવા માટે મોટી સંખ્યામાં તેના મિત્રો આવ્યા છે અને તેને તિહાડ જેલથી લઈને તુગલકાબાદ લઇ જશે. જામીન પર છૂટેલા વ્યક્તિની સાથે મોટી સંખ્યામાં એવા લોકો શામેલ હતા, જેમને પોલીસ બેડ કેરેક્ટર જાહેર કરી ચૂકી છે. આ લોકો ગાડીઓમાં મોટા અવાજમાં સ્પીકર વગાડીને અને હોબાળો કરીને જામીન પર છૂટેલા વ્યક્તિને લઈ જઈ રહ્યા હતા, જેમ કે અપરાધી કોઈ સેલિબ્રિટી હોય.

પોલીસને રાતે 10:30 વાગ્યાની આજુબાજુ સૂચના મળી હતી કે, કિર્બી પ્લેસ પર પોલીસ ટીમે તેમણે રોકી લીધું અને બધાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ લીગલ કાર્યવાહી કરવામાં આવી અને પૂછપરછ પછી 83 લોકોની ધરપકડ કરવામાં આવી. કેમ કે, આ તમામ લોકો પબ્લિક પ્લેસમાં હોબાળો કરી રહ્યા હતા, તેઓ જે ગાડીઓ પર મસ્તી કરી રહ્યા હતા, તે ગાડીઓને પણ જપ્ત કરવામાં આવી છે. હવે આ મામલામાં આગળની કાર્યવાહી પોલીસ ટીમ કરી રહી છે. પોલીસ અનુસાર, 83ના ઉપરાંત એક સગીરને પણ અરેસ્ટ કર્યું હતું, જેને બાદમાં છોડી દેવામાં આવ્યું.

આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં કેવો રહેશે માહોલ

0

In the next two days

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં (Gujarat) વરસાદને લઇને હવામાન વિભાગે (Department of Meteorology) વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ વરસશે.’ હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ :

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જણાવી દઇએ કે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો :

વધુમાં જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

 શિવસેનામાં ભંગાણ, ઉદ્ધવ-રાઉતના આકરા પ્રહાર છતાં BJP મૌન કેમ ? BJPનું મૌન પાછળનું કારણ જાણો !

0

Why is the BJP silent

  • મહારાષ્ટ્રમાં હાલ શિવસેના વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જોવા મળી રહી છે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે 37થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના 40થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જોડાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ શિવસેના (Shiv Sena) વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જોવા મળી રહી છે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે 37થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે (Eknath Shinde) હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના 40થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જોડાઈ શકે છે.

શું છે ભાજપની રણનીતિ ?

ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વ છોડવાનો આરોપ લગાવતા શિંદે હવે બાળાસાહેબ ઠાકરેના વારસા, શિવસેા અને તેમના ચૂંટણી ચિન્હ સુદ્ધા પર પોતાની દાવેદારી જતાવી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં સામેલ એનસીપીના સુપ્રીમો શરદ પવારે પણ શિવસેનાના સુરમાં સુર મેળવતા આ રાજકીય ધમાલ માટે સીધી રીતે ભાજપને જવાબદાર ઠેરવી દીધુ. પરંતુ જે ભાજપ પર તેઓ આ આરોપ લગાવી રહ્યા છે તે પણ હવે તેને શિવસેનાનો આંતરિક મામલો ગણાવીને આ લડતના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યું છે.

વાત જાણે એમ છે કે શિવસેનામાં મચેલા આ ઘમાસણને લઈને ભાજપનું અત્યાર સુધીનું સ્ટેન્ડ એવું રહ્યું છે કે સત્તા માટે હિન્દુત્વ છોડનારી શિવસેનામાં મોડે મોડે પણ આવું થવાનું જ હતું. ભાજપ હજુ પણ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારને અસ્વાભાવિક ગઠબંધન ગણાવીને એવું જ કહે છે કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેનાને જનાદેશ આપ્યો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવાના મોહમાં તેમને (ભાજપ) દગો કરીને કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવી લીધો.

ઉતાવળ કરવાના મૂડમાં નથી ભાજપ :

અજિત પવાર પ્રકરણમાં પછડાટ ખાઈ ચૂકેલું ભાજપ આ વખતે કોઈ પણ ઉતાવળ કરવાના મૂડમાં નથી. આથી તે શિવસેના વિરુદ્ધ શિંદેની લડતમાં છેલ્લા પરિણામની રાહ જોઈ રહ્યું છે. ભાજપને એકનાથ શિંદેની ઓફર પર ઉદ્ધવ ઠાકરેના અંતિમ નિર્ણયનો પણ ઈન્તેજાર છે. જેમાં શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને એનસીપી-કોંગ્રેસનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે આવવાની સલાહ આપી હતી.

પાર્ટીના અનેક નેતાઓનું માનવું છે કે જો સરકાર અને પાર્ટી બંને હાથમાંથી જતા જોઈને બચવાનો કોઈ બીજો રસ્તો નહીં દેખાય તો ઉદ્ધવ ઠાકરે ગંઠબંધનના જૂના સાથે તરફ ફરીથી ઢળી શકે છે. આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓના આકરા હુમલા અને આરોપો છતાં ભાજપનું ટોચનું નેતૃત્વ હાલ શાંત છે.

WhatsAppનું નવું અપડેટ, હવે તમે ગ્રુપ કોલમાં કોઈ પણ વ્યક્તિને મ્યૂટ કરી શકશો , જાણો કેવી રીતે કરી શકશો મ્યુટ 

WhatsApp’s latest update

  • અગાઉ, એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ લાસ્ટ સીન અને પ્રોફાઇલ ફોટોના પ્રાઇવસી સેટિંગ્સમાં એવરીવન, માય કોન્ટેક્ટ્સ અને નોબડીનો વિકલ્પ જોતા હતા.

વોટ્સએપે (WhatsApp) છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ફીચર્સ બહાર પાડ્યા છે. હવે કંપનીએ ગ્રુપ કોલમાં (Group call) કોઈપણ એક સભ્યને મ્યૂટ કરવાનો વિકલ્પ આપ્યો છે. આ જાણકારી સૌથી પહેલા એન્ડ્રોઈડ સેન્ટ્રલ (Android Central) દ્વારા આપવામાં આવી હતી. આનો ફાયદો એ છે કે જો કોઈ ગ્રુપ કોલ દરમિયાન પોતાનું માઈક બંધ કરવાનું ભૂલી જાય તો એડમિન મેમ્બરને (Admin member) મ્યૂટ કરી શકશે.

ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી વિડિયો કોલિંગ એપમાં આવી સુવિધાઓ પહેલેથી જ છે. તમને જણાવી દઈએ કે હવે તમે એક સાથે 32 લોકો સાથે વોટ્સએપ વોઈસ કોલમાં જોડાઈ શકશો. આ સિવાય ગ્રુપ કોલ માટે બીજું એક મોટું ફીચર આવી રહ્યું છે, જે પછી જો કોઈ પહેલાથી ચાલી રહેલા ગ્રૂપમાં જોડાય છે, તો તેમાં જોડાયેલા તમામ લોકોનું બેનર જોવા મળશે. આ પહેલા, તાજેતરમાં જ WhatsAppએ એક નવું અપડેટ બહાર પાડ્યું છે, જેના પછી તમે પસંદ કરેલા સંપર્ક નંબરો પરથી તમારો પ્રોફાઇલ ફોટો અને છેલ્લે જોવામાં આવેલો ફોટો છુપાવી શકશો.

પહેલા એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ લાસ્ટ સીન અને પ્રોફાઈલ ફોટોના પ્રાઈવસી સેટિંગમાં એવરીવન, માય કોન્ટેક્ટ્સ એન્ડ નોબડીનો ઓપ્શન જોતા હતા અને હવે માય કોન્ટેક્ટ સિવાય ચોથા વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યો છે. આ વિકલ્પ પર ક્લિક કરીને, વપરાશકર્તાઓ ચોક્કસ સંપર્કો પસંદ કરી શકે છે જેઓ પ્રોફાઇલ ફોટો અને છેલ્લે જોવાયેલો જોઈ શકશે નહીં.

 

24 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક સ્થિતિ રહેશે સારી

June 24, 2022, Horoscope: Gujarat Guardian

મેષઃ- દિવસ દરમ્યાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા. તામસી પ્રકૃતિ વધતી જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફથી મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવુું.

વૃષભઃ- આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુનઃ- સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનો ને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ- દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે, ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યકિતનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન, વધતા જણાય.

સિંહઃ- રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યાઃ- વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે એકાઉન્ટનો વ્યવસાય ધરાવતી વ્યકિત માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધા માં સાનુકુળતા રહે.

તુલાઃ- ધારેલા શોખ પૂરા કરવામાં મુશકેલી આવે. જલ્દી ખોટું જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. પણ પ‌ત્નિ ના ગુસ્સા નો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો – બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધનઃ- નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાન ની તબયિત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથી ની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જમાણય.

મકરઃ- આજે આપ સુખ, શાંતિ,સમૃદ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિ ની તબિયતની કાળજી રાખવી હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભઃ- પોતાનો કકકો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવાર ના સ્ત્રી સ્ભયોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીનઃ- સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્ઠા માં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય.  કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન નું આરોગ્ય સાચવવું ભાગ્ય માં વૃદ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

કમલ હાસનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હંગામો, કલેક્શન 350 કરોડને પાર

Kamal Haasan’s film

નિર્દેશક લોકેશ કનકરાજની (Director Lokesh Kankaraj) એક્શન એન્ટરટેનર ફિલ્મ ‘વિક્રમે‘ (Vikram) બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાનું શરૂ રાખ્યું છે. આની સાથે જ આ ફિલ્મ આ અઠવાડિયાના અંતે 350 કરોડ રૂપિયાના જાદુઈ આંકડાને પાર કરવા માટે સારી રીતે તૈયાર છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના (Entertainment Industry) ટ્રેકર શ્રીધર પિલ્લઈએ (Shridhar Pillai) IANS સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ અઠવાડિયાના અંતે વિક્રમનો ગ્રોસ થિએટ્રીકલ કલેક્શન 350 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે.

શુક્રવારે ‘વિક્રમ’ની ટીમે એક મોટી સક્સેસ મીટનું આયોજન કર્યું, જેમાં ફિલ્મે રેકોર્ડ તોડ કમાણી કરી, આ કાર્યક્રમમાં નિર્દેશક લોકેશ, અભિનેતા કમલ હાસન, સંગીત નિર્દેશક અનિરુદ્ધ અને ઉદયનિધિ સ્ટાલિન સહિત ઘણા ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો.

AP ઇન્ટરનેશનલના પ્રબંધ નિર્દેશક સંજય વાઘવા, જે ફિલ્મનના આંતરરાષ્ટ્રીય વિતરણ ભાગીદાર છે, તેમણે કહ્યું કે ફિલ્મે દરેક દેશમાં રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે કહ્યું, મને તમને એ જણાવતા ખુશી થશે કે ‘વિક્રમ’નું વિદેશી કલેક્શન સોમવાર સુધીમાં 100 કરોડ રૂપિયા પર પહોંચી જશે.

કેરળમાં ફિલ્મ જેને નિર્માતા શિબૂ થમેન્સ દ્વારા વિતરિત કરવામાં આવી હતી, તેણે પહેલા જ શુક્રવારે 35 કરોડ રૂપિયા કમાણી કરી હતી. જે કેરળમાં અત્યાર સુધીમાં એક તામિલ ફિલ્મ માટે સૌથી વધુ છે. ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે, ફિલ્મ જોરદાર ચાલી રહી છે અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન 375 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.

દિગ્ગજ ટ્રેકટનું કહેવું છે કે, આ ગ્રોસ કલેક્શન છે અને આ સિવાય, ફિલ્મના OTT અને સેટેલાઈટ સહિત અન્ય તમામ રાઇટ્સ 150 થી 175 કરોડ રૂપિયામાં પ્રિ-સેલ કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઉદ્યોગ અને સિનેમાઘરો બંને માટે એક ગોંડસેન્ડના રૂપમાં આવી છે, જે મહામારીથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે, ફિલ્મનું શાનદાર પ્રદર્શન ફિલ્મ વ્યવસાયને પ્રોત્સાહન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કમલ હસનના ફિલ્મી કરિયરની પહેલી 300 કરોડની ફિલ્મ બની ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ ડિરેક્ટર સાથે લોકેશ કનકરાજ પણ આ ફિલ્મના ત્રીજા ભાગની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે.

અમદાવાદમાં એક કલાક માટે લોકડાઉન લાગ્યું, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો, લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા

0

Ahemdabad Police Lockdown Mockdrill

  • Ahemdabad Police Lockdown Mockdrill : કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે, સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.

લોકડાઉન (Lockdown) શબ્દ સાંભળીને જ લોકો ગભરાઈ જાય છે. બે વર્ષ પહેલા પહેલીવાર લગાવવામા આવેલ લોકડાઉનમાં લોકો ત્રણ મહિના સુધી ઘરમાં પૂરાયા હતા. કેટલાકને ખાવાના ફાંફા પડ્યા હતા. પરંતુ હવે દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે લોકડાઉન ન લાગે. ત્યારે બુધવારની રાતે એક કલાક માટે અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓ થંભી ગયા હતા. શહેર એકાએક લોક થયું હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. લોકોને સમજાયુ ન હતું એ આખરે શું થઈ રહ્યુ છે, ત્યારે લોકોને શ્વાસ થંભી ગયો હતો. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ એક કલાક માટે લોકો જ્યા હતા ત્યાં તેમને રોકી દેવાયા હતા.

રાત્રે 11.30 વાગ્યે થંભી ગયું હતું શહેર :

કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. આ મેસેજ આવતા જ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દોડતા થયા હતા. ગણતરીની મિનિટમાં પોલીસની ફોજ નાકાબંધીના કામમા લાગી ગઈ હતી, અને પોલીસ ચેકિંગમાં ગોઠવાઈ ગઈ હતી. તાત્કાલિક બેરિકેડ્સ મૂકાયા હતા. લોકોને અટકાવી દેવાયા હતા. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.

આખરે આ કેમ થઈ રહ્યુ છે તો લોકોને સમજાયુ ન હતું, પણ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. નાકાબંધી બાદ વાહનોનું ચેકિંગ અને પૂછપરછ વધારી દેવાયુ હતું. દરેક વાહનોને ચેક કરવામા આવ્યા હતા. આખુ શહેરમાં રાતે 11.30 વાગ્યાની આસપાસ પોલીસે બાનમાં લીધુ હતું. આખરે પકવાન ચાર રસ્તા પાસે આ કાર મળી આવી હતી, જેથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આખરે શું હતું આ…

આ વિશે ગુજરાત પોલીસે ખુલાસો કર્યો હતો કે, તે પોલીસ કામગીરીને ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલ હતી. જેને લોકડાઉન પ્રોસેસ કહેવાય છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે તે જાણવા મળે છે. પોલીસ કેટલી એલર્ટ છે તે આ પ્રોસેસ થકી જાણી શકાય છે. સાથે જ 1 જુલાઈએ જગન્નાથ યાત્રા યોજાવાની છે, તેમાં અગમચેતીના ભાગરૂપે આ પ્રક્રિયા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પોતાની જ ટીમને દોડતી કરવા માટે આ એક લોકડાઉન મોકડ્રીલ હતી, પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસ કર્મીઓ જ નીકળ્યા હતા.

ભારતના ઇતિહાસનું સૌથી મોટું બેંક કૌભાંડ- કૌભાંડનો આંકડો જ એવડો મોટો છે કે નીરવ અને વિજયને નીચું જોવું પડે !

0

The biggest bank scandal

  • ભારતમાં હવે કૌભાંડ બહાર આવવાં એક સામાન્ય વાત બની ગઈ છે. ખાસ કરીને બેન્ક કૌભાંડનાં સમાચાર તો છાશવારે ને છાશવારે સાંભળવા મળે છે ત્યારે વધુ એક બેન્ક કૌભાંડ સામે આવ્યું છે.

થોડા વર્ષો પહેલા સુધી તમે બોલિવૂડના (Bollywood) બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને DHFL ની જાહેરાત કરતી વખતે જોયો જ હશે. જ્યારે કોઈ મોટો સ્ટાર (Big star) અમને કંપની, પેસ્ટ, તેલ અથવા સેવાઓ વિશે કહે છે, ત્યારે અમે તે કંપની પર 100 ટકા વિશ્વાસ કરીએ છીએ. આવું ઘણા દાયકાઓથી થઈ રહ્યું છે. પરંતુ આ DHFL છેતરપિંડી (DHFL fraud) કરવામાં માહેર હોવાનું બહાર આવ્યું છે. એક પછી એક મોટા ખેલો સામે આવી રહ્યાછે.

એક વર્ષ પહેલા, એવું જાણવા મળ્યું હતું કે DHFL એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી ગરીબોને ઘર આપવાના નામે સબસિડીની છેતરપિંડી કરી હતી. હા આ ખાનગી ફાઇનાન્સ કંપનીએ 80,000 નકલી ખાતા ખોલ્યા, આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બનાવટી બનાવ્યા, તેમને લોન આપી અને સરકારની છૂટછાટો ખાધી. બેંકોએ લગભગ 1900 કરોડનું રિબેટ બે હપ્તામાં વાધવાન બ્રધર્સની કંપનીને ટ્રાન્સફર કર્યું હતું. મતલબ કે ગરીબોના ઘર કાગળ પર બની ગયા અને વાસ્તવમાં સબસિડી વાધવાન ભાઈઓ સુધી પહોંચી. તેને 14 હજાર કરોડનું કૌભાંડ કહેવામાં આવ્યું હતું. DHFL, યસ બેંક સાથે મળીને, ઘણી આંતરિક વિક્ષેપ પણ કરી છે. પહેલા આપણે 9,000 કરોડ, 14 હજાર કરોડ, 23 હજાર કરોડને મોટું કૌભાંડ માનતા હતા, પરંતુ હવે DHFL સાથે સંબંધિત 34,615 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.

સીબીઆઈના 50 અધિકારીઓની ટીમ પત્રની તપાસ કરી રહી છે :

હા, આ સીબીઆઈ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી બેંક ફ્રોડ તપાસ હોવાનું કહેવાય છે. કંપનીના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવન વિરુદ્ધ બેંક ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ છે કે કંપનીએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 17 બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરી હતી. સીબીઆઈના 50થી વધુ અધિકારીઓની ટીમે થોડા કલાકો પહેલા મુંબઈમાં આરોપીઓના 12 સ્થળો પર સર્ચ કર્યું હતું. વાધવાન બંધુઓ યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર વિરુદ્ધ નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આરોપી છે.

કેવી રીતે થયું કૌભાંડ ?

આ રમત વર્ષ 2010 થી શરૂ થાય છે. UBIનો આરોપ છે કે DHFL કંપનીએ વિવિધ વ્યવસ્થાઓ હેઠળ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન લેવાનું શરૂ કર્યું. 2018 સુધીમાં તે રૂ. 42,871 કરોડે પહોંચ્યો હતો. પરંતુ મે 2019 થી ચુકવણીમાં ડિફોલ્ટ થવાનું શરૂ કર્યું. આ રીતે DHFL એ 17 બેંકો સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

એનપીએ અને ઓડિટ રિપોર્ટ :

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધિરાણ આપતી બેંકોએ જુદા જુદા સમયે ખાતાઓને NPA (નોન-પરફોર્મિંગ એસેટ) તરીકે જાહેર કર્યા છે. UBIએ દાવો કર્યો હતો કે KPMG એ ઓડિટ હાથ ધર્યું હતું અને પછી મોટી નાણાકીય ગેરરીતિઓ, ભંડોળનો ગેરઉપયોગ, દસ્તાવેજોમાં બનાવટી વગેરે મળી આવ્યા હતા.

એક સમયે ખાનગી ક્ષેત્રમાં સિક્કા ચલાવતા વાધવાન બંધુઓ હવે જેલના સળિયા પાછળ છે. કપિલ અને ધીરજ વાધવનની મે 2020માં ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે કેસ યસ બેંકની છેતરપિંડી સાથે સંબંધિત હતો. પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ (PCHF) એ DHFLને રૂ. 34,250 કરોડમાં હસ્તગત કરી છે.

એબીજી શિપયાર્ડ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ હતું :

DHFL કેસ ખોલે તે પહેલાં, એવું માનવામાં આવતું હતું કે ABG શિપયાર્ડની રૂ. 23,000 કરોડની છેતરપિંડી એ સૌથી મોટું બેંક કૌભાંડ હતું. સીબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં એબીજી શિપયાર્ડ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલની રૂ. 22,848 કરોડના કથિત બેંક કૌભાંડની તપાસના સંદર્ભમાં પૂછપરછ કરી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કેન્દ્રીય એજન્સી દ્વારા નોંધાયેલ આ પ્રકારનો આ સૌથી મોટો કેસ છે. 25 ઓગસ્ટ, 2020 ના રોજ એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે 7 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યા પછી સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

 VIDEO : ‘પુષ્પા’ના સોંગ પર નાચી યુવતી, એવો ડાન્સ કર્યો કે લોકો ટોળે વળ્યા

VIDEO: Girl dancing to ‘Pushpa’ song

  • દેશમાં એકબાજુ જ્યા લોકોમાં ડાન્સ માટે ગજબનો ક્રેઝ છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં દરરોજ અનેક લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા રહે છે. એવામાં કેટલાંકનો ડાન્સ વાયરલ થાય છે અને લોકોની વચ્ચે ફેમસ થાય છે.

યુવતીને યુઝર્સનો ભરપૂર પ્રેમ મળ્યો :

આ યુવતીને અનેક યુઝર્સનો ભરપૂર પ્રેમ મળ્યો. એક યુઝર્સે તો એવુ કહ્યું કે આ યુવતીએ સામંથાને પણ ફેલ કરી નાખી. તો અમુક યુઝર્સ તેની સુંદરતા પર અને અમુક યુઝર્સે તેના ડાન્સ સ્ટેપ્સ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી.

ખાનગી પેટ્રોલ કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું, સીધાં વધારી દીધાં આટલાં રૂપિયા 

0
  • ખાનગી કંપનીઓને પેટ્રોલ-ડીઝલનો ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલે મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું. સરકારના એક નિર્ણયથી ખાનગી પેટ્રોલ કંપનીઓએ મનમાની શરૂ કરી, ડીઝલના બેફામ ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવાનુ શરૂ કર્યું .

રશિયા-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine war) જ્વાળાઓ હજી પણ અનેક વસ્તુઓ પર ભાવ વધારો બનીને પ્રકટી રહી છે. આ યુદ્ધને કારણે જેમાં સૌથી વધુ અસર પડી છે તે પેટ્રોલ-ડીઝલના (Petrol-diesel) ભાવ છે. જ્યારથી યુદ્ધ શરૂ થયા છે, ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી ગયા છે. આવામાં ખાનગી કંપનીઓ (Private companies) મનફાવે તેમ ભાવો વધારીને ગ્રાહકોને લૂંટી રહી છે. એક તરફ મોંઘવારીનો માર, અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવ. જ્યાં સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીના પંપ પર ડીઝલમાં લગભગ 25 થી 31 રૂપિયાનો ભાવ ફેર બતાવે છે. સરકારના જ એક પરિપત્રને કારણે આ નોબત આવી છે.

અમદાવાદમાં ડીઝલનો ભાવ ઐતિહાસિક 125 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. તો પેટ્રોલનો ભાવ પણ 105 થી વધુ નોંધાયો છે. પરંતુ આ ભાવ વધારા વચ્ચે એક વાત આંખે ઉડીને વળગે તેવી છે કે, ખાનગી કંપનીના પંપ અને સરકારી પંપ પર મોટો ભાવ ફેર જોવા મળ્યો છે. ડીઝલમાં સરકારી અને ખાનગી કંપનીના ડીઝલના ભાવમાં 31 રૂપિયાનો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સરકારી કંપની એચપી, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલમાં ભાવ એક સમાન છે, પરંતુ શેલ, નાયરા અને રિલાયન્સ કપંનીઓના પેટ્રોલ પંપ પર વધુ ભાવ લેવાઈ રહ્યાં છે. એમ કહો કે ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે.

સરકારી કંપનીઓના પંપ કરતા ખાનગી કંપનીઓએ વધારે ભાવ લેવાની શરૂઆત કરી છે. આખરે ખાનગી કંપનીઓએ આ મનમાની કેમ શરૂ કરી છે. પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ખાનગી કંપનીઓ બેફામ બની છે. જે પાછળ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ યુએસઓ છે. ભારત સરકારના એક પરિપત્રથી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓને મનફાવે એ ભાવ લેવાનો પરવાનો મળી ગયો છે. તાજેતરમાં પંપો પર ડીઝલ-પેટ્રોલની અછતના બનાવો બાદ સરકારે કંપનીઓ માટે યુએસઓ ઓર્ડર કર્યો છે. આ યુએસઓ હેઠળ પેટ્રોપ પંપ પર જથ્થો રાખવો ફરજિયાત છે. સાથે જ ખાનગી કંપનીઓને ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલ મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ત્યારે ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું છે.

ખાનગી કંપનીઓની વાત કરીએ તો નાયરાના પંપમાં ડીઝલમાં 3 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. નાયરા કંપની ડીઝલના 97.18 રૂપિયા ભાવે ડીઝલ વેચી રહી છે. તો શેલ કંપનીએ ડીઝલ પર સીધો 31 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ વિશેનુ કારણ જણાવ્યુ કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર હજી પણ ભારત પર પડી રહી છે. આ કારણે અને પેટ્રોલિયમનો પુરતો સપ્લાય ન હોવાનો કારણે ક્રુડના ભાવ ઉંચકાયા છે. ઓપેક ભાવ ઘટાડવા સહમત ન હોવાથી ભાવ આસમાને ગયા છે. પેટ્રોલ પંપ પર ઇંધણની તંગી દુર કરવા સરકારે યુએસઓની જાહેરાત કરી છે. તેને કારણે જ ખાનગી અને સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર ભાવમા ભારે તફાવત છે. સરકારી કંપનીની સરખામણીમાં ખાનગી કંપનીમાં ડીઝલમાં 5 રૂપિયાથી માંડી 31 રૂપિયા જેટલુ મોંઘું છે. રશિયા પાસેથી ભારતે ખરીદેલુ ક્રુડ આવતા હજુ બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે.

શું છે યુએસઓ (યુનિવર્સિલ સર્વિસ ઓર્ડર) :

તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની અછતને પગલે પેટ્રોલ પંપ બંધ રહેતા સરકાર એક્શનમાં આવી હતી. ખાનગી કંપનીઓ પોતાનું નુકસાન ટાળવા માટે પેટ્રોલ પંપ બંધ કરી રહી હતી. આ સ્થિતિને રોકવા માટે સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ) નો વ્યાપ વિસ્તાર્યો છે. જે મુજબ, જે કંપનીઓએ પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવ્યું છે, તેમણે તેમના તમામ પેટ્રોલ પંપ પર અમુક સમય માટે એટલે કે નિર્ધારિત કામના કલાકોમાં તેલ વેચવું પડશે. પેટ્રોલ પંપ પણ દૂરના વિસ્તારોમાં ન હોવા જોઈએ. ખાનગી પેટ્રોલ પંપોએ હવે તમામ સંજોગોમાં તેલ વેચવું પડશે. ભલે તે માત્ર થોડા કલાકો માટે પણ કેમ ન હોય.

ઓઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, તમામ પેટ્રોલ પંપને USOના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી હવે જે પણ કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે લાયસન્સ મળ્યું છે. તેણે તેના તમામ રિટેલ આઉટલેટ્સ પર તેલ વેચવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું લાઇસન્સ રદ થઈ શકે છે.