23 જુન 2022, રાશિફળ : વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

Share this story

June 23, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઇ શકાશો. પરિવાર ના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણો ના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ- ધનથી સંકળાયેલ બાબતો માટે સાનચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય. એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપની ઓમાં કાર્ય કરતી વ્યકિત માટે શુભ. દામ્પત્ય જીવનમાાં આનંદ અનુભવાશે.

મિથુનઃ- નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારીક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂં જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ- માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી ધંધા માંથી સારા સમાચાર. પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ- આકસ્મિક દન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ- દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું  પ્રમાણ ધટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે .

તુલાઃ- જીવનસાથી સાથે આનંદની અનુભૂ‌િત કરવાનો દિવસ છે. પ્રિય મિત્ર સાથે ઉત્તમ પ્રેમ જમવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અન‌ુભવી શકાશે.

વૃશ્ચિકઃ- આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસી ની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શકયતા વધતી જણાય. નોકરી-ધંધા માં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ- થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાન ની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતી કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માન માં વધારો થતો અનુભવાય.

મકરઃ- માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન, મકાન, વહાન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિ થી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ- પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે પગલા પાછળ ચાલતું જણાય. મેહનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતું જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી સામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ- દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હ્રદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.