Home Blog Page 1299

આજનું રાશિફળ 29 સપ્ટેમ્બર : આ રાશિના જાતકો માટે દિવસ શુભ, આ રાશિના જાતકોએ દરેક બાબતમાં સાચવવું જરુરી

Today’s Horoscope 29 September Gujarat Guardian

મેષ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું

વૃષભ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુન
આવકનું પ્રમાણ જળવાય. હોટેલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક
‌શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

‌સિંહ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ, સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું

તુલા
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ, પ્રતિષ્‍ઠા વધે. સાચુ ખોટી પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃ‌શ્ચિક
બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી, ખાંસીનો ઉપદ્રવ હેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થયમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતી થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબૂ રાખવો.

મકર
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતી થતી જણાય. આવક જળવાશે છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીન
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી, માથાના દુઃખાવા‌ની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળતે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-

Jio Phone 5Gને લઇને મોટી અપડેટ, લીક થઇ કિંમત, જાણો ક્યારે થશે લોન્ચ

0

Big update about Jio Phone 5G

  • જિયો 5G સર્વિસ આગામી મહિને લાઈવ થવાની છે. ટૂંક સમયમા કંપની ડેટા પ્રાઈસ, પ્લાન્સ અને બીજી ડિટેઈલ્સ શેર કરી શકે છે. બીજી તરફ કંપનીના 5G ફોનને લઇને નવી જાણકારી સામે આવી છે. લેટેસ્ટ ડિટેઈલ્સ ફોનની કિંમત સાથે જોડાયેલી છે.

રિપોર્ટસ મુજબ બ્રાન્ડ દમદાર ફીચર્સવાળો એક સસ્તો ફોન લોન્ચ કરી શકે છે. Jio 5G સર્વિસને લોન્ચ થવામાં હવે વધુ સમય થયો નથી. શરૂઆતમાં કંપની દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) જેવા મેટ્રો શહેરમાં પોતાની સર્વિસ પ્રોવાઈડ કરશે. જેનો આખા દેશમાં વિસ્તાર થશે. આ વાત કંપનીએ પોતાની AGM 2022માં જણાવી હતી. એજીએમમાં રિલાયન્સ જિયોએ (Reliance Jio) તેના 5G ફોનને લઇને પણ જાણકારી આપી હતી. હવે બ્રાન્ડના સસ્તા 5G ફોનને લઇને નવી જાણકારી સામે આવી છે.

Jio Phone 5Gની કિંમત 12 હજાર રૂપિયાથી ઓછી

રિપોર્ટસ મુજબ Jio Phone 5Gની કિંમત 12 હજાર રૂપિયાથી ઓછી થશે. જો આ બ્રાન્ડ આ કિંમત પર ફોન લઇને આવે છે તો આ સૌથી સસ્તા 5G સ્માર્ટ ફોનમાંથી એક હશે. આમ તો હવે આ બજેટમાં 5G સ્માર્ટ ફોન આવવા લાગ્યા છે, તો જિયોએ કઈક અલગ કરવુ પડશે. બ્રાન્ડના લેટેસ્ટ ફોન Jio Phone Nextને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો નથી.

કેટલા રૂપિયે હોઇ શકે છે કિંમત ?

એવામાં કંપની 5G ફોનને લઇને નિશ્ચિત રીતે કોઈ અલગ માર્કેટીંગ વ્યૂહરચના અપનાવશે. સ્માર્ટ ફોનની કિંમત સાથે જોડાયેલી લેટેસ્ટ વિગતો કાઉન્ટર પોઈન્ટે એક રિપોર્ટમાં શેર કરી હતી. જો કે રિપોર્ટને હવે કંપનીએ તેની વેબસાઈટ પરથી રિમૂવ કરી દીધો છે.

એક અખબારના રિપોર્ટ પરથી જાણકારી આપવામાં આવી હતી કે હેન્ડસેટ 8 હજાર રૂપિયાથી 12 હજાર રૂપિયા સુધીની કિંમત પર આવી શકે છે. રિપોર્ટ મુજબ 2024 સુધી જિયો એક સસ્તો 5G mm Wave + sub-6GHz સ્માર્ટફોન લોન્ચ કરી શકશે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલાં ગુજરાતમાં અહીં ભાજપ સાથે દાવ થઈ ગયો, નગરપાલિકા હાથમાંથી ગઈ

0

Before the election, here in Gujarat

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યની બોરસદ નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો. બોરસદ નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી દીધી.

ભાજપના 14 સભ્યોએ ક્રોસ વોટિંગ (Cross voting) કરતા બોરસદ નગરપાલિકામાં (Borsad Municipality) ભાજપે સત્તા ગુમાવી દીધી. મહત્વનું છે કે બોરસદ પાલિકામાં ભાજપ પાસે 20 સભ્યો હતા. જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું. આથી વ્હીપના અનાદરને (Disrespect of the whip) લઈ શિસ્ત ભંગના પગલા લેવાયા. જેમાં ભાજપના 14 સભ્યોને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. નોંધનીય છે કે અપક્ષ અને કોંગ્રેસના 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત (motion of no confidence) કરી હતી.

અપક્ષ તેમજ કોંગ્રેસના 16 સભ્યો દ્વારા મૂકાઇ હતી અવિશ્વાસની દરખાસ્ત :

ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસે 16 અન્ય સભ્યોને સાથે રાખીને પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો હતો.

જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું :

મહત્વનું છે કે બોરસદ પાલિકામાં ભાજપના 20 સભ્યો અને અપક્ષના 9 તેમજ કોંગ્રેસના 6 સભ્યો હતા. જ્યારે AAPનો પણ એક સભ્ય જીત્યો હતો. ત્યાર બાદ બોરસદ પાલિકામાં અત્યાર સુધી ભાજપ શાસનની ધુરા સંભાળી રહ્યું હતું. પરંતુ જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું.

આથી વ્હીપના અનાદરના કારણે શિસ્તભંગના પગલા લઇને ભાજપના 14 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે તમને જણાવી દઇએ કે ભાજપના જ 12 સભ્યોની મિલીભગતથી દરખાસ્ત લવાયાની ચર્ચા અગાઉ વહેતી થઇ હતી.

આ પણ વાંચો :-

આણંદ : નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી, અધિકારીઓએ કોન્ટ્રાક્ટરે કર્યો લૂલો બચાવ

0

Anand Part of under-construction bridge

  • આણંદ લોટેશ્વર મહાદેવથી બોરસદ ચોકડી રેલ્વે ક્રોસિંગ ઉપર બનતા દાંડી યાત્રા માર્ગ પરનાં ફ્લાય ઓવર બ્રિજનાં પાયામાં આવેલા પાણીની પાઇપ લાઈન લીક થવાથી આ ધટના સર્જાઈ હતી.

જિલ્લાના મુખ્ય શહેર આણંદની બોરસદ ચોકડીએ (Borsad Chowk) દાંડી યાત્રા માર્ગ પર એક નવા બ્રિજનું નિર્માણ (Construction of a bridge) થઇ રહ્યું છે. આ બ્રિજના નિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે. ત્યારે આ બ્રિજના નીચે પાયામાંથી આણંદ શહેરને (Anand) પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું હતું.

જેને કારણે બ્રિજમાં આવેલા બ્લોકમાંથી પાણી પસાર થવા લાગ્યું હતુ. ત્યારબાદ બ્લોકનો એક ભાગ પણ ધરાશાઈ થયો હતો. જો કે આ બ્રિજ નિર્માણના કાર્યમાં જવાબદારી અદા કરતા કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી અને આણંદ પાલિકાનો બચાવ કરતા નજરે પડ્યા હતા.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

આણંદ પાલિકાનાં ચીફ ઓફિસર એસ. કે. ગરવાલે જણાવ્યું કે બ્રિજ નિર્માણ કાર્ય શરૂ કરતાં પહેલાં કોન્ટ્રાકટરે આણંદ પાલિકા પાસેથી પાઇપ લાઈન ખસેડવા જાણ કરી નથી. આ પાઇપ લાઈન ખસેડવાનો ખર્ચ કોન્ટ્રાકટરે ભોગવવાનો હોય છે. સામે પક્ષે કોન્ટ્રાકટરે જણાવ્યું કે અમારા મંજૂર થયેલા ટેન્ડરમાં આવા કોઇ ખર્ચ અયોજનની જોગવાઇ નથી.

જો કે આ બ્રિજ નિર્માણના કાર્યમાં જવાબદારી અદા કરતા કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી અને આણંદ પાલિકાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. આણંદ લોટેશ્વર મહાદેવથી બોરસદ ચોકડી રેલ્વે ક્રોસિંગ ઉપર બનતા દાંડી યાત્રા માર્ગ પરનાં ફ્લાય ઓવર બ્રિજનાં પાયામાં આવેલા પાણીની પાઇપ લાઈન લીક થવાથી આ ધટના સર્જાઈ હતી.

આ પણ વાંચો :-

Parle-G : તમે જાણો છો પારલે જીમાં ‘G’નો ઉપયોગ કેમ કરવામાં આવે છે ? શું છે સાચો મતલબ ?

0

Parle-G: Do you know why ‘G’ is

  • જો તમારે પારલે-જીનો ઈતિહાસ જાણવો હોય તો તમારે આઝાદી પહેલાની વાત કરવી પડશે. કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કીટ હતું.

દેશભરમાં ભાગ્યે જ કોઈ બાળક કે વૃદ્ધ હશે જેણે પારલે-જી બિસ્કિટ (Parle-G Biscuits) ન ખાધું હોય. ખાસ કરીને બાળપણમાં આ બિસ્કીટ બાળકોનું એકદમ ફેવરિટ હોય છે. એવું કહી શકાય કે બિસ્કીટની ચર્ચા થશે તો લોકોની જીભ પર પારલે-જી (Parle-G) સૌથી પહેલા આવશે. 90ના દાયકાના બાળકોને તેમનો એ યુગ યાદ હશે.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

જ્યારે ચા સાથે પારલે-જીનું કોમ્બિનેશન (A combination of Parle-G) ફેમસ હતું. પારલે-જીની જાહેરાત પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતી. તમે તેના પેકેટ પર છપાયેલી છોકરીની તસવીર વિશે તો ઘણી વાતો સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે બિસ્કિટના રેપર પર G નો અર્થ શું છે.

પારલે-જી પાછળની કહાની :

જો તમારે પારલે-જીનો ઈતિહાસ જાણવો હોય તો તમારે આઝાદી પહેલાની વાત કરવી પડશે, કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકોઝ બિસ્કીટ હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય અને બ્રિટિશ સૈનિકો બંનેમાં લોકપ્રિય હતું. પરંતુ આઝાદી બાદ ગ્લુકોઝ બિસ્કીટનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. વાસ્તવમાં,તેને બનાવવામાં ઘઉંનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે સમયે દેશમાં ખાદ્ય સંકટ હતું. જેના કારણે તેનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું.

બ્રિટાનિયાએ જમાવ્યો કબજો :

પારલે-જી બંધ થયા પછી ભારતીય બજારમાં અન્ય કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવા લાગી હતી. ખાસ કરીને તે સમયે બ્રિટાનિયાએ ગ્લુકોઝ-ડી બિસ્કિટ લોન્ચ કર્યા હતા અને કંપની સમગ્ર માર્કેટને કબજે કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે ગ્લુકોઝ બિસ્કીટ ફરીથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

પારલે-જીની છોકરી અને G નો મતલબ :

લોન્ચિંગ સમયે તેનું નામ પારલે-G રાખવામાં આવ્યું હતું અને કવર પર એક નાની છોકરીનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે પારલે નામ મુંબઈના વિલે-પાર્લે વિસ્તારમાંથી લેવામાં આવ્યું હતું. જ્યાં તેની ફેક્ટરી હતી. જ્યારે પારલે-જીમાં ‘G’ નો અર્થ ‘ગ્લુકોઝ’ થાય છે. ખરેખર પારલે-G એ ગ્લોકઝ બિસ્કિટ છે. જો કે કંપનીએ વર્ષ 2000માં તેનું નામ બદલી નાખ્યું અને ‘G’ એટલે કે ‘જીનિયસ‘ને પ્રમોટ કરવામાં આવ્યું.

આ પણ વાંચો :-

અમદાવાદના ગરબામાં ઘૂસી ગયા વિધર્મી યુવકો, હિન્દુ સંગઠનોએ પકડીને માર માર્યો…

0

Hereditary youths entered Ahmedabad

  • સિંધુભવન રોડ પરના ગરબા પાર્ટી પ્લોટમાં હિન્દુ સંગઠનોએ વિધર્મીઓને પકડીને માર માર્યો… નવરાત્રિમાં વિધર્મીઓની હાજરીને લઈ VHP અને બજરંગ દળનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ.

અમદાવાદના (Ahmedabad) ગરબામાં આવી ચઢેલા વિદ્યમીથી (Vidyami) હોબાળો થયો હતો. ગરબામાં વિધર્મીએ પ્રવેશ કરતા બજરંગ દળના (Bajrang Dal) કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો હતો. સિંધુભવન (Sindhu Bhavan) રોડ પર આવેલા આર કે પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો હતો. વિધર્મીઓ ગરબામાં પ્રવેશી લવજેહાદ (Love Jihad) કરતા હોવાનો બજરંગ દળે આરોપ લગાવ્યો. તેમજ નવરાત્રિ (Navratri 2022) દરમિયાન દરેક જગ્યાએ VHP તિલક કરી પ્રવેશ આપવાનું અને સરપ્રાઈઝ ચેકીંગ ચાલુ રાખશે તેવું જણાવ્યું.

આ વર્ષે બજરંગ દળે ચેતવણી આપી છે કે વિધર્મીઓ ગરબામાં ઘૂસવા ન જોઈએ. ત્યારે નવરાત્રિમાં વિધર્મીઓની હાજરીને લઈ VHP અને બજરંગ દળે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બજરંગ દળને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસી રહ્યાં છે. જેથી બજરંગ દળના સરપ્રાઈઝ ચેકિંગમાં બે વિધર્મી યુવકો પકડાયા હતા.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

આ ગરબાના સ્થળ પર કેટલાક વિદ્યર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતાં તપાસ કરતાં બે વિઘર્મી યુવક મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થઈ હતી ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતાં બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ કાર્યકર્તાઓએ વિધર્મી યુવકના કપડા ઉતરાવ્યા હતા.

આ પણ વાંચો :-

LPG અને CNGના ભાવમાં વધારો થશે કે ઘટાડો ? જાણો 1 ઓક્ટોબરથી થતા ભાવ ફેરફારની તમારા પર કેટલી થશે અસર

0

Will the price of LPG and CNG increase

  •  દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી.

દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની (cooking gas) કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી.

પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની (Commercial cylinder) કિંમતમાં ચોક્ક્સપણે ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને (Commercial users) આશા છે કે આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.

સપ્ટેમ્બર મહિનામાં ઓછી થઈ હતી કિંમત :

એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો સપ્ટેમ્બર મહિનામાં 100 રૂપિયા ઓછી થઈ ગઈ હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક સપ્ટેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા કરી દીધા હતા. ઈન્ડેનના સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કલકત્તામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રાંધણ ગેસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે રાંધણ ગેસ સિલિન્ડર 14 કિલોગ્રામના ભાવમાં કોઈ બદલાવ કરવામાં નહોતા આવ્યા.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ :

દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર 1976.50 રૂપિયાની જગ્યાએ 1,885 રૂપિયામાં મળશે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને 1844 અને ચેન્નઈમાં 2045 રૂપિયા થઈ ગઈ છે. જો કે હવે લોકો અપેક્ષા છે કે સિલિન્ડરની કિંમતો એકવાર ફરીથી ઓછી થશે.

આ પણ વાંચો :-

રાતે હાઈકમાન્ડનો આદેશ આવ્યો અને હસતાં મોઢે…: CM પદ પરથી રાજીનામાં અંગે પહેલીવાર રૂપાણીએ કર્યો ખુલાસો

0

High Command’s order came

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને CM પદ છોડ્યાને એક વર્ષ બાદ મુખ્યમંત્રી પદ છોડવા મુદ્દે વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો.

વિજય રૂપાણીએ (Vijay Rupani) પોતાના CM પદ પરથી રાજીનામું આપવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, ‘રાતે હાઈકમાન્ડે રાજીનામું (High Command Resignation) આપવા મને આદેશ આપ્યો હતો. આથી મે સવારે રાજ્યપાલને (Governor) રાજીનામું આપ્યું હતું. જો કે,પાર્ટીએ મને રાજીનામું આપવાનું કારણ નથી કહ્યું. મે પણ પાર્ટી પાસે રાજીનામું લેવાનું કારણ નથી પૂછ્યું. મે હંમેશા પાર્ટી માટે કામ કર્યું છે.

પાર્ટીએ કહ્યું ત્યારે CM બન્યો અને પાર્ટીએ કહ્યું ત્યારે પદ છોડ્યું. મે હસતા મોઢે રાજીનામું આપ્યું હતું.’ ઉલ્લેખનીય છે કે, તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના CM પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, ‘જો મે કારણ પૂછ્યું હોત તો મને વિશ્વાસ છે કે હાઇકમાન્ડે મને કારણ કીધું હોત.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

પરંતુ હું હંમેશા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનવાનો આદેશ આપ્યો હતો ત્યારે હું CM બની ગયો. જ્યારે પાર્ટીએ મને કહ્યું કે, તેઓ મારું પદ પરત લઇ રહ્યાં છે તો મે તેઓને હસતા મોઢે આ પ્રકારે કરવા જણાવ્યું.’

‘હસતા મોઢે મે રાજીનામું સોંપ્યું’ : વિજય રૂપાણી

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘પોતાની પાર્ટી તરફથી આદેશ પ્રાપ્ત કર્યાના થોડા જ કલાકો બાદ તેઓએ કોઇ પણ પ્રકારના વિરોધ કે ગુસ્સા વગર 21 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. એક સારા કાર્યકર્તાના રૂપમાં હું ક્યારેય પણ પાર્ટી લાઇનની વિરૂદ્ધ નથી ગયો. મે મારું રાજીનામું હસતા ચહેરા સાથે સોંપ્યું હતું. નહીં કે ઉદાસ ચહેરા સાથે.’

આ પણ વાંચો :-

 

રાજપૂતાણીઓનું શૌર્ય, બાઈક પર તલવાર પકડીને કર્યા ગરબા, Video જોઈને કહેશો વાહ

0

Bravery of Rajputanis, Garba done by

  • ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી.

ગુજરાતના ગરબા (Garba of Gujarat) એટલે કંઈ ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace) ખાતે નવરાત્રિની (Navratri) ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું (Rajputani) અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા. મહિલાઓએ બાઈક પર તલવાર પકડીને રાસ કર્યો હતો.

રાજકોટના ભગીની ફાઉન્ડેશન દ્વારા આ અદભૂત આયોજન કરાયુ હતું. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક પર તલવાર સમેણવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 100 બહેનોએ તલવાર સમેંણી કર્યા હતા.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

ઉલ્લેખનીય છે કે રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે છે. આ ગરબામાં નવરાત્રિમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સમેણવામાં આવી હતી.

આ પ્રસંગે મહારાણી કાદંબરી દેવીએ કહ્યું કે રાજપૂત સમાજની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે અમે દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ. પરંપરા ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય છે. આધુનિક યુગમા પણ હિન્દુ સંસ્કૃતિની જાળવી રાખવી જરૂરી છે. તમામ મહિલાઓ સક્ષમ છે અને વર્ષોથી આ કામ કરે છે. તેમનાથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે છે.

આ પણ વાંચો :-

એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે

0

Withdrawing money from ATMs

  • ઓનલાઈન પેમેન્ટ એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે.

ઓનલાઈન પેમેન્ટ (Online payment) એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન (transaction) માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે. દેશભરની તમામ મોટી સરકારી અને પ્રાઈવેટ બેંકે એટીએમમાંથી (Atm) કેશ વિથડ્રોઅલ અંગે નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક પૈસા કાઢવાના નામ પર હવે 15થી 25 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે. આ ચાર્જથી તમે કેવી રીતે છૂટકારો મેળવી શકો? સૌથી પહેલા તો બેંકના આ નવા નિયમો વિશે જાણો.

SBI ATM Charge  :

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડ યૂઝ કરો છો તો અહીં મફત લેવડદેવડની સંખ્યા 3 સુધી મર્યાદિત છે. મફત મર્યાદા સુધીમાં વપરાશ કરવાથી બેંક ચાર્જ નથી કરતી પરંતુ મર્યાદા પૂરી થતા દરેક કેશ ઉપાડ પર 10 રૂપિયા ચાર્જ લાગે છે. જો તમે બીજી બેંકના એટીએમથી કેશ ઉપાડ કરો તો SBI પ્રતિ લેવડદેવડ 20 રૂપિયા વસૂલે છે. આ ઉપરાંત ગ્રાહક પાસેથી જીએસટી પણ વસૂલવામાં આવે છે.

PNB ATM Charge  :

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડ વાપરતા હોવ તો અહીં મફત લેવડદેવડની સંખ્યા 5 સુધી સિમિત છે. મફત મર્યાદા કરતા વધુ યૂઝ કરો તો બેંક દરેક કેશ ઉપાડ પર 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે બીજી બેંકના એટીએમનો કેશ ઉપાડવા માટે ઉપયોગ કરો તો મેટ્રો સિટીમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને બિન મેટ્રો સિટીમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનનો નિયમ છે.

પ્રતિ ટ્રાન્ઝેક્શનની રકમ :

અત્રે જણાવવાનું કે બેંકના એટીએમથી છ મેટ્રો શહેરોમાં પહેલા 3 ટ્રાન્ઝેક્શન બિલકુલ મફત હોય છે. આ છ શહેરોમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદનો સમાવેશ થાય છે. જેમાં ફાઈનાન્શિયલ અને નોન ફાઈનાન્શિયલ એમ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ છે. જ્યારે બિન મેટ્રો શહેરોમાં 5 વાર સુધી એટીએમમાંથી પૈસા કાઢી શકાય છે.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

નિર્ધારિત મર્યાદા બાદ મેટ્રો શહેરોમાં ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તરીકે આપવા પડતા હતા. જેને વધારીને હવે 21 રૂપિયા કરી દેવાયા છે. એટીએમ મશીન લગાવવાના અને તેની દેખરેખ સંલગ્ન ખર્ચ વધવાના કારણે ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવાયો છે.

આ રીતે બચી શકશો ચાર્જથી :

જો આ ચાર્જની ઝંઝટથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમે ICICI બેંકના વેલ્થ એકાઉન્ટને યૂઝ કરી શકો છો. કારણ કે આ ખાતામાં તમારે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી પણ નહીં આપવી પડે અને જો તમે ICICI બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તો તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ વસૂલાશે નહીં. જો કે તમે બીજી બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો :-