Home Blog Page 1261

ઉત્તર ગુજરાતની આ બેઠક પરથી લોક ગાયક જીગ્નેશ કવિરાજ લડી શકે છે ચૂંટણી, જાણો કયા પક્ષમાંથી

0

Folk singer Jignesh Kaviraj can contest elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક જીગ્નેશ બારોટ (કવિરાજ) અપક્ષ ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની દસમી યાદી આજે જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લોક ગાયક જીગ્નેશ બારોટ (Jignesh Barot) (જીગ્નેશ કવિરાજ) ચૂંટણી લડી શકે છે.

જીગ્નેશ ખેરાલુથી લડી શકે છે અપક્ષ ચૂંટણી : સૂત્ર 

ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વખતે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

તેઓ ખેરાલુ બેઠક પર અપક્ષ ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. તેઓ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે.

કોણ છે જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ) ?

– જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.
– તેમના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.
– તેમને પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો.
– જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે.
– આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છવાયેલું છે.

આ પણ વાંચો :-

ધૂમ સ્ટાઈલમાં વાહન ભગાવવા પડશે ભારે ! અમદાવાદમાં હાઈ સ્પીડમાં જતા વાહનો પર નજર રાખશે ખાસ કેમેરા

0

The vehicle has to be driven in the style of Dhoom

  • અમદાવાદમાં હવે રોડ સાઈડ રોમિયોગીરી અને રોડ પર વાહનોના સ્ટંટ કરનારની હવે ખૈર નથી. આવા તત્વોને ઝડપી પાડવા માટે પણ સરકારી તંત્ર સજાગ બન્યું છે. તેથી મોટાભાગના રોડ પર હાઈસ્પીડ વાહનોની ઓળખ માટે ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દિન પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ વધતી જાય છે. તેનું સૌથી મોટું કારણ છે હાઈસ્પીડ વાહનો (High speed vehicles) પરનું બેફામ ડ્રાઈવિંગ. આ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદમાં મોટાભાગના જાહેર માર્ગો પર ખાસ પ્રકારના કેમેરાનું નેટવર્ક ઉભું કરવામાં આવશે.

આ કેમેરા એટલા ખાસ હશે કે હાઈસ્પીડ વાહનોની ગમે તેટલી ઝડપ હોવા છતાં તેમની નંબર પ્લેટ કેચ કરી લેશે. તેના આધારે જેતે વાહનોની ઓળખ કરવી આસાન બનશે. અમદાવાદમાં હવે રોડ સાઈડ રોમિયોગીરી અને રોડ પર વાહનોના સ્ટંટ (Vehicular Stunts) કરનારની હવે ખૈર નથી. આવા તત્વોને ઝડપી પાડવા માટે પણ સરકારી તંત્ર (Government system) સજાગ બન્યું છે.

તેથી મોટાભાગના રોડ પર હાઈસ્પીડ વાહનોની ઓળખ માટે ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિવિધ સ્થળે 2100 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા એટલાં ખાસ હશે કે ગમે તેટલી સ્પીડમાં જતા વાહનની પણ ઓળખ થઈ શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એ અંતર્ગત અમદાવાદ મનપા દ્વારા ઈ-મેમો આપતાં હાઈ રિઝોલ્યુશન કેમેરા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. મ્યુનિ.એ ટ્રાફિક પોલીસની સહાય માટે 2142 સીસીટીવી કેમેરાના મેઈન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના માટે ટેન્ડર બહાર પાડ્યા છે.

કંપનીને 5 વર્ષ માટે આ પ્રોજેક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવશે. શહેરમાં અત્યારે લગભગ તમામ ચાર રસ્તા પર સીસીટીવી છે. મ્યુનિ.એ ટેન્ડરમાં એ‌વી શરત મૂકી છે કે તેમને 2142 જેટલા એવા સીસીટીવી કેમેરા જોઇએ છે જે હાઈસ્પીડમાં પણ એચએસઆરપી નંબર પ્લેટને કેચ કરી શકે. એટલું જ નહીં અમદાવાદ મનપા દ્વારા મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈટના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે. આ સાથે જ ઈ-ચલણ પણ જનરેટ કરી શકે.

મોનિટરિંગ માટે ખાસ પ્લાન :

રસ્તા પર જતા વાહનોના મોનિટરિંગ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત અમદાવાદના પાલડી અને દાણાપીઠ ખાતેના મોનિટરિંગ સ્ટેશનો પર પણ વિશેષ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ શહેરમાં વિવિધ વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઇટનું મેઈન્ટેનન્સ કરવા તેને બંધ-ચાલુ કરવા, સ્વિચને લગતી કામગીરી માટે પણ ટેન્ડર મગાવાયા છે.

આ પણ વાંચો :-

હૈયાની વાત હોઠ પર આવી : AAP કરતા ભાજપને વોટ આપજો.. જાણો એવું કેમ કહ્યું લલિત વસોયાએ

0

Haiya’s words came to the lips

  • ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ કહ્યું- આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતાં ભાજપને વોટ આપજો… શું હૈયાની વાત હોઠ પર આવી ?

સૌરાષ્ટ્રમાં (Saurashtra) કોંગ્રેસનું મિશન ચૂંટણી સક્રિય થઈ ગયું છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા આખા સૌરાષ્ટ્રમાં ફરી રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા એન ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી. ધોરાજીમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) ઉપસ્થિતિમાં ધોરાજીના (Dharaji) લેઉવા પટેલ સમાજ ખાતે જાહેર સભા યોજાઈ હતી.

આ સભામાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો (Lalit Vasoya) ભાજપ પ્રેમ ઉમટી આવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા માટે હાકલ કરી હતી. આવું કેમ કહ્યું તે જાણીએ.

સતત ભાજપના નેતાઓ સાથે ચર્ચામાં રહેતા લલિત વસોયાએ ફરી એકવાર ભાજપ તરફથી પોતાનો ઝુકાવ બતાવ્યો હતો. જાહેર મંચ પરથી લલિત વસોયાના આ નિવેદનથી કોંગ્રેસમાં કાનાફૂસી શરૂ થી છે. અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મતદાન કરવાને બદલે ભાજપને મતદાન કરવા માટે હાકલ કરી હતી.

લલિત વસોયાએ મંચ પરથી કહ્યુ હતું કે, તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહુ છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો. આ આપની વાત કરુ તો રામાયમણમાં એક પ્રસંગ છે. રાવણને સીતા માતાનું અપહરણ કરવુ હતું. લક્ષ્ણજી રેખા ખેંચીને ગયા હતા. રાવણમાં તાકત ન હતી કે તે સીતા માતાનું અપહરણ કરે. તેથી રાવણે બ્રાહ્મણનો વેશ લીધો.

ભાજપ તમને પહોંચે એમ નથી, તેથી આમ આદમી પાર્ટી બ્રાહ્મણના કપડા પહેરી, ગરીબોની વાત કરી, 300 વીજળી મફતની ગેરેન્ટી લઈને આપણી વચ્ચે આવી છે. તેથી કોઈએ ભરમાવાની જરૂર નથી. આ પાર્ટી માત્ર મત તોડવા આવી છે, તો કોંગ્રેસના વોટ તોડવા આવી છે.

તેમણે કહ્યુ હતું કે, 2017 માં ચૂંટણીમાં ધોરાજીમાં ઈતિહાસ સર્જાયો હતો અને ઔતિહાસિક લીડથી જીત્યા હતા. ચૂંટણીમાં તાકાત લગાવીને અમે લડાઈ કરી હતી. અમે ચૂંટણી વખતે વચનો આપ્યા તે પૂરા કર્યાં. ભાજપની તાકાત નથી કે ધોરાજીમાં કોંગ્રેસને હરાવી શકે. તેથી ભાજપ તેની બી ટીમને લઈને ચૂંટણી લડવા આવ્યું છે. કોંગ્રેસ 2017 માં જે તાકાત અને મુદ્દાઓથી લડયા હતા. તેનાથી વધુ તાકાતથી આ વખતે લડીશું.

આ પણ વાંચો :-

 

આ વખતે આદિવાસીઓ ભાજપની અપેક્ષિત જીત માટે નિર્ણાયક પુરવાર થશે

This time the tribals will be the decisive

  • વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં છેવાડાના અને આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા નાનાપોંઢા ખાતેથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશની સુચક શરૂઆત કરી; ૨૬ બેઠકો કબજે કરવાનું આસાન બની રહેશે.
  • ભાજપનાં આંતરકલહ નુકસાન પહોંચાડી શકે, પાટીદારોને પણ પૂર્ણ સંતોષ નથી તો સામે પક્ષે કોંગ્રેસમાં બખેડાનો પાર નથી, નેતૃત્ત્વનાં કોઈ ઠેકાણા નથી, કોંગ્રેસની હાલત ધણી વગરનાં… જેવી છે; હજુ ઘણાં લોકો તબેલામાંથી ભાગી જશે.
  • અમદાવાદ પછીનું સૌથી મોટું મહાનગર ગણાતા સુરતમાં કોંગ્રેસનું પોતાનું કાર્યાલય પણ નથી, ગણ્યા ગાંઠ્યા નેતાઓ કફનીમાં હાથ નાંખીને ફરે છે, કદીર પીરઝાદા જેવા આધ્યાત્મિક ગાદીપતિ હોવા છતાં હજુ નેતાગીરી કરવાનો મોહ છૂટતો નથી.
  • કોંગ્રેસ ભલે વેરવિખેર છે, પરંતુ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ ભાજપ માટે સૌથી વધુ ચિંતાજનક; ‘આપ’ની સરકાર બનવાની નથી, પરંતુ એકાદ, બે બેઠકો લઈ જશે તો પણ ભાજપ માટે પડકારરૂપ બની રહેશે.
  • પાછલી ત્રણ ચૂંટણીઓમાં ભાજપે સતત બેઠકો ઓછી કરી છે, છેલ્લી ચૂંટણીમાં શંકરસિંહ આડા ફાટ્યા ન હોત તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની હોત, ત્યાર પછી ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યો તોડી લાવવાનું શરૂ કર્યું હતું પરંતુ ખરીદ-વેચાણથી ક્યાં સુધી સરકાર ટકાવી શકાય.

આ વખતે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીઓ કશ્મકશભરી બની રહેશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) વચ્ચે લડાતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party) પરિબળ ઉમેરાવા ઉપરાંત ભાજપનો આંતરિક અસંતોષ પણ ચરમસીમાએ છે. બહારથી બધુ સમુસુથરુ દેખાય છે, પરંતુ ભાજપનાં આગલી હરોળનાં નેતાઓમાં અસંતોષનો લાવા ખદબદી રહ્યો છે. કોઈ ભાજપ છોડવા માંગતુ નથી, પરંતુ પોતાના કરતાં આગળ નીકળી ગયેલા લોકોને પછાડવાની જબરજસ્ત ટાંટીયા ખેંચની બિમારી ભાજપને ભરડો લઈ રહી છે. આ સ્થિતિ સમગ્ર ગુજરાત ભાજપનાં એકમમાં હોવાથી ઉમેદવારો ફાઈનલ (Candidates Final) થયા પછી સ્થિતિ વધુ વકરવાનો ભય દેખાઈ રહ્યો છે. જેના કારણે ટોચની નેતાગીરી વધુ ચિંતામાં છે.

આગામી ૨૦૨૪નાં વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. આવા સંજોગોમાં ભાજપને ગુજરાતની ચૂંટણીનું પરિણામ નબળુ આવે એ હવે પરવડે તેમ નથી. ગત ચૂંટણીઓમાં પણ માંડમાંડ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યાં બાદ કોંગ્રેસમાં તોડફોડ કરીને કેટલાંક ધારાસભ્યો ભાજપમાં લઈ આવ્યા હતા, પરંતુ માણસો ખરીદવાનું ક્યાં સુધી પરવડી શકે? વળી માણસો ખરીદવાની પ્રવૃત્તિ પણ આખરે તો નૈતિક મૂલ્યોનું ધોવાણ કહી શકાય. પરંતુ ભાજપનાં નેતૃત્ત્વ માટે સત્તા ટકાવી રાખવા માટે જે કંઈ પણ કરવું પડે તે યથાયોગ્ય છે.

આ તરફ ગુજરાત કોંગ્રેસનું માળખુ વેરવિખેર હાલતમાં છે. ખરેખર તો લોકોમાં કોંગ્રેસ જીવે છે. મતલબ હજુ પણ કોંગ્રેસની વિચારધારામાં માનનારા લોકો છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્ત્વ સાવ તળિયે જઈને બેઠું છે. ગુજરાતનાં મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેરમાં કોંગ્રેસની હાલત અત્યંત દયાજનક છે. કોંગ્રેસ કાર્યાલયોમાં કોઈ નવિનતા જોવા મળતી નથી. થોડા લોકોના નવરા ટોળા બેઠા હોય છે. પરંતુ નવો વિચાર કે કોંગ્રેસને બેઠી કરવાના કોઈ જ પ્રયાસો જોવા મળતા નથી. ગુજરાતમાં અમદાવાદ પછી બીજા ક્રમનું મહાનગર ગણાતા અને લગભગ ૭૦ લાખની વસ્તી ધરાવતા સુરત મહાનગરમાં કોંગ્રેસ પાસે પોતાનુ કહી શકાય એવું કાર્યાલય પણ નથી. છાશવારે એક માત્ર નૈષધ દેસાઈનાં નિવાસ સ્થાને બેઠકો કરવામાં આવે છે. ઘણાં લોકોને તો એ પણ ખબર નહીં હોય કે સુરત શહેર કોંગ્રેસનાં પ્રમુખ કોણ છે?

આવી દયનીય હાલતમાં પણ કોંગ્રેસીઓ ટિકિટ મેળવવા માટે બખાડા કરતાં જોવા મળે છે. અલબત્ત ટિકિટ મેળવવા પાછળનું ગણિત સામાન્ય નાગરિકને નહીં સમજાય પણ રાજકારણને નજીકથી ઓળખતા લોકો ચોક્કસ કોંગ્રેસીઓની ટિકિટ મેળવવા પાછળની મુરાદને સમજી જતાં હશે. ખરેખર જોવા જઈએ તો સુરત કોંગ્રેસમાં ‘હું તું અને મગનિયો’ જેવી હાલત છે. કોઈ નવા ચહેરા નથી. કોઈ નવો વિચાર નથી અને જે કોઈ ચહેરા અથડાયા કરે છે એ ચહેરાથી લોકો અને કાર્યકરો પણ થાકી ગયા હશે.

એક સજ્જન વ્યક્તિ તરીકે કદીર પીરઝાદાને અલગ તારવી શકાય. કદીર પીરઝાદા એક ધાર્મિક સ્થળનાં ગાદીપતિ હોવા છતાં તેમનો રાજકારણનો મોહ હજુ છુટતો નથી અને છાશવારે નેતાઓને મળવા દોડી આવે છે. તેઓ હજુ પણ એવા વહેમમાં છે કે, તેઓ જ કોંગ્રેસનાં સુકાની છે. ખરેખર તો કોંગ્રેસનાં બદલાયેલા ‘કુળ’ને જોતા કદીર પીરઝાદાએ રાજકારણને તિલાંજલિ આપીને પીરાણાની ગાદી સંભાળી લઈને તેમના અનુયાયીઓને કલ્યાણનો માર્ગ બતાવવો જોઈએ. પણ એક ધાર્મિક સંસ્થાનાં ગાદીપતિ કદીર પિરઝાદાને આ વાત કોણ સમજાવે?

ખેર, પાછલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોવામાં આવે તો છેલ્લી ચાર ચૂંટણીઓમાં ભાજપે બેઠકોનું સતત નુકસાન કર્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૨નાં વર્ષમાં ભાજપને ૧૨૭ અને કોંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી. ત્યાર બાદ ૨૦૦૭માં ભાજપની બેઠકો ઘટીને ૧૧૭ થઈ ગઈ હતી અને કોંગ્રેસને ૫૯ બેઠકો મળી હતી. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં ૨૦૧૨માં પણ ભાજપે સતત નુકસાન કર્યું હતું અને બે બેઠકોનાં નુકસાન સાથે ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી.

જ્યારે ૨૦૧૭ની છેલ્લી ચૂંટણીમાં ભાજપની સ્થિતિ અત્યંત બદ્દતર હતી. શંકરસિંહ બાપુએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો ન હોત તો કદાચ આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત અને ભાજપ વિપક્ષની પાટલી ઉપર બેઠો હોત.

મત ગણતરીનાં દિવસે ભાજપ નેતાગીરીનાં શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ભાજપની બેઠકોનો આંકડો ૧૦૦ અંકને પાર કરી શક્યો નહોત અને ૯૯ બેઠકો ઉપર આવીને અટકી ગયો હોત. જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. મતલબ ખુબ જ પાતળી સરસાઈથી ભાજપ સરકાર બની હતી. ૨૦૧૭માં એક ફાયદો હતો કે, એક તરફ પાટીદાર આંદોલનકારીઓ હતા અને બીજી તરફ કોંગ્રેસ હતી.

પરંતુ આ વખતે ચિત્ર જુદુ જ છે. કોંગ્રેસ પાસે સબળ નેતૃત્ત્વ નથી અને આર્થિક સ્થિતિ પણ સારી હોય એવું લાગતુ નથી. વળી દેશનાં ઉદ્યોગગૃહો પણ ભાજપનાં ડરથી કોંગ્રેસને આર્થિક મદદ કરવાની હિંમત કરે એવું પણ લાગતુ નથી. એટલે કે, ભાજપ માટે કોંગ્રેસ મોટો ચિંતાનો વિષય નથી, પરંતુ પંજાબમાં સરકાર બનાવવામાં અપેક્ષા બહાર સફળતા મળતા ‘આમ આદમી પાર્ટી’નાં સંયોજક અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં પગદંડો જમાવવા માંગે છે. અલબત્ત અરવિંદ કેજરીવાલને પણ ચોક્કસ ખ્યાલ હશે જ કે, ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનવાની નથી. પરંતુ ગણતરીની બેઠકો સાથે ગુજરાત વિધાનસભામાં ‘આપ’ના ધારાસભ્યોની હાજરી ખુબ જ મહત્ત્વની બની રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ગૃહરાજ્યમાં આમ આદમીનો પ્રવેશ દેશભરનાં રાજકીયક્ષેત્રે મહત્ત્વનો બની રહેશે. ભાજપનાં સદ્નસીબે આપ અને કોંગ્રેસ વચ્ચે મનમેળ નથી. બંને હાથ મીલાવે એ શક્યતા દૂરદૂર સુધી પણ દેખાતી નથી. અન્યથા ભાજપ માટે ગુજરાતમાં ઘરઆંગણે મુશ્કેલીનો પહાડ ઊભો થઈ શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં બદલાયેલા રાજકીય સમીકરણોને બરાબર ઓળખી ગયા છે અને એટલે ગુજરાતની ચૂંટણીની બાગડોર બંનેએ હાથમાં લીધી છે. અમિત શાહનો સતત ગુજરાતમાં પડાવ અને વડાપ્રધાન મોદીની રાજ્યભરનાં ખૂંણે ખૂંણે ઉપરાછાપરી જાહેરસભાઓનો દોર જોતા ગુજરાત આખુ ધમરોળી નાંખ્યુ છે અને ચૂંટણી જંગ જીતવા જે કંઈ કરવું પડે તે કરવાની તૈયારીઓ કરી લીધી છે. શામ, દામ, દંડ, ભેદની નીતિ અનુસાર કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવકારવા દરવાજા મોકળા મુકવામાં આવ્યાં છે. તો સામાજિક પ્રભુત્ત્વ ધરાવતા આગેવાનોને અડધી રાતે મળવા વડાપ્રધાન મોદી અને અમિત શાહ આતુરતા બતાવી રહ્યાં છે. આ ઘટનાઓનો દોર જોતાં મતદાનનો દિવસ આવતા સુધીમાં લગભગ બધુ થાળે પાડી દેવાયું હશે.

આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ગુજરાતમાં લગભગ ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ રાજ્યનાં આદિવાસી વિસ્તારોને ભાજપે મતો માટે લક્ષ્યાંક બનાવ્યા નથી અને પરિણામે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની વિચારધારા આજે પણ પ્રભાવિત છે. ગુજરાતનાં માઉન્ટ આબુ એટલે કે, અંબાજી યાત્રા ધામથી શરૂ કરીને દ‌િક્ષણ ગુજરાતનાં વલસાડ અને ધરમપુરનાં મહારાષ્ટ્રને જોડતા આદિવાસી પટ્ટામાં વિધાનસભાની કુલ ૨૬ બેઠકો છે. આ બેઠકો જ આ વખતે ભાજપ માટે તારણહાર પુરવાર થશે. ૨૬ બેઠકો પૈકી ૧૪ બેઠકો કોંગ્રેસ પાસે અને ૦૯ બેઠકો ભાજપ પાસે છે અને બે બેઠકો ભરૂચ જિલ્લાનાં છોટુ વસાવાની પાર્ટી ‘બીટીપી’ પાસે છે અને મોરવાહડફની એક બેઠક ખાલી પડી છે.

ગુજરાત વિધાનસભાના ૨૦૨૨ના કટોકટીભર્યા જંગમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જુથનો અસંતોષ અને ભાજપ અધ્યક્ષ સામેની નારાજગી ચૂંટણીનાં મતદાન ઉપર ચોક્કસ પ્રભાવ પાડશે. કોઈ ઝંડો લઈને વિરોધ કરવા નહીં નીકળે, પરંતુ ભૂર્ગભમાં નિષ્ક્રિયતા દાખવશે તો પણ ભાજપને નુકસાન થઈ શકે. મોટુ નહીં પરંતુ એકાદ બે બેઠકનું નુકસાન પણ આ વખતે ભાજપને પાલવે તેમ નથી. વળી પાટીદારોની ભૂર્ગભ નારાજગી પણ એક પરિબળ ગણી શકાય. ખોડલધામનાં નરેશ પટેલ સહિત આગેવાનો વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પરંતુ ‘અહંમ્’ સંતોષાયો હોય એવું લગાતુ નથી. ભાજપ સત્તામાં છે એટલે સીધા ‘શિંગડા’ નહીં ભરવે. પરંતુ ભાજપને નુકસાન થાય એવી ભાવના ચોક્કસ આકાર લઈ રહી હશે.

ખેર, નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીનો જંગ જીતવા હવે જવાબદારી પોતાના માથે લઈ જ લીધી છે અને વ્યૂહરચનાનાં ભાગરૂપે જ ગુજરાતનાં છેક છેવાડાનાં અને આદિવાસીઓની વસ્તી ધરાવતા વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા ખાતેથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કરીને ચૂંટણી જંગનો પ્રારંભ કરાવ્યો હતો અને વડાપ્રધાનની ગણતરી પાર પડશે તો આ વખતે ગુજરાતનાં આદિવાસી મતદારો ભાજપનો પ્રભાવ અને વિશ્વાસ વધારવામાં નિર્ણાયક પુરવાર થશે. વડાપ્રધાન મોદીએ પણ તેમના વક્તવ્ય દરમિયાન ઘણી સુચક વાતો કરી હતી અને પાછલી ચૂંટણીનાં તમામ રેકોર્ડ તોડીને ભાજપને ભવ્ય જીત અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આદિવાસીઓ સાથેનાં તેમના જુના સંબંધો તાજા કર્યા હતા અને આદિવાસી આગેવાન રત્નુભાઈને પણ યાદ કર્યા હતા તથા નાનાપોંઢાનાં તારકેશ્વર મહાદેવને યાદ કરીને લોકોની લાગણીઓ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લે તેમણે ઉમેદવારને ઓળખીને નહીં પરંતુ ભાજપનાં ‘કમળ’ને ઓળખીને જંગી મતદાન કરવા અપીલ કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની પણ ભરપેટ સરાહના કરી હતી.

આ પણ વાંચો :-

 

દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પરથી 16 લાખની બિન હિસાબી રોકડ પકડાઈ

Unaccounted cash worth 16 lakhs

  • દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પથી રોકડ જપ્ત થઈ. જંબુરી ચેકપોસ્ટથી 16 લાખની બિનહિસાબી રોકડ પકડાઈ. દમણના ફૂડ કોર્નર સ્ટોરના સંચાલક પાસેથી પકડાઈ રકમ

વલસાડ (Valsad) જિલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના બોર્ડર પર આવેલા બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની (Maharashtra) હદ પારની ચેકપોસ્ટો પર પોલીસની સાથે અન્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે અને બંને સંઘ પ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ભીલાડ નજીકની જંબુરી ચેકપોસ્ટ પરથી વાહન તપાસ દરમિયાન એક કારમાંથી 16.5 લાખ રૂપિયા જેટલી મોટી રોકડ રકમ ઝડપાઈ હતી. આથી તંત્ર દ્વારા આવકવેરા વિભાગને પણ તેની જાણ કરવામાં આવી હતી.

લાખોની રોકડ લઇને ક્યાં જઈ રહ્યા હતા ?

પ્રાથમિક માહિતી મુજબ આ રોકડ રકમ દમણ અને ઉમરગામમાં શ્રી ફૂડ કોર્નર નામના સુપર સ્ટોર ચલાવતા સંચાલકોની હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી હર્ષ રાણા અને રમીઝ અહેમદ નામના બે વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા આ રોકડ રકમ શ્રી ફૂડ કોર્નરના સંચાલકોની હોવાનું બહાર આવ્યું હતું. તેઓ દમણ અને ઉમરગામમાં ત્રણ સુપર સ્ટોર ચલાવે છે.

સેલવાસ રહેતા તેમના મામાને રોકડની જરૂર હોવાથી તેઓ દમણના સુપર સ્ટોરમાં જમા થયેલી આ રોકડ રકમ સેલવાસ રહેતા તેમના મામાને આપવા જઈ રહ્યા હતા .એ દરમિયાન જંબુરી ચેકપોસ્ટ પરથી ટીમોના હાથે ઝડપાયા હતા. આથી ટીમોએ આવકવેરા વિભાગને પણ તેની જાણ કરી હતી.

આમ આચારસંહિતાના અમલ દરમિયાન 16.5 લાખ રૂપિયા ની રોકડ રકમ જપ્ત કરતાં જ જિલ્લામાં મોટી નાણાકીય હેરફેર કરતા વ્યવસાયો અને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જો કે અત્યારે આ સમગ્ર પ્રકરણ અંગે સંબંધિત ટીમો ઊંડાણપૂર્વક તપાસમાં લાગી છે.

આ પણ વાંચો :-

07 નવેમ્બર 2022 રાશિફળ : આ 7 રાશિના લોકો પર કૃપા વર્ષાવશે ખોડિયાર માં – થશે ધનનો વરસાદ

07 November 2022 : Gujarat Guardian

મેષઃ આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારું જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન, વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સનમાન હણાતું જણાય. અગ્યન રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રખવી.

મીનઃ દિવસ દરમિયાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

27 વર્ષથી સત્તા છતાં ગુજરાતની આ બેઠકો ક્યારેય જીતી નથી શક્યું ભાજપ ! આ વખતે બનાવી સ્પેશ્યલ સ્ટ્રેટેજી 

0

Despite being in power for 27 years

  • એવી બેઠકો જ્યાં ભાજપના છૂટી ગયા પરસેવા, 5 વાર ચૂંટણી થઈ, હાર બાદ હાર મળી

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) આક્રમક રીતે પ્રચાર કરી રહી છે.

ત્યારે કોંગ્રેસ એક ખાસ રણનીતિ હેઠળ અલગ રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ ભાજપને આશા છે કે ફરી એકવાર સરકાર બનશે. ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને રાજ્યમાં થયેલા કામોનું સમર્થન છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે.

જો આપણે છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો 1998 થી 2017 વચ્ચે હજુ પણ એવી ઘણી બેઠકો છે જે ભાજપ જીતી શકી નથી. એવી એક ડઝન જેટલી બેઠકો છે જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં ગુજરાતમાં ભાજપ જીતી શકી નથી. ફરી એકવાર આ બેઠકોને લઈને ચર્ચા શરૂ થઈ છે કે શું આ વખતે પરિણામ અલગ આવશે.

એવી બેઠકો કે જ્યાં 5 ચૂંટણીથી કમળ નથી ખીલ્યું  :

ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં હોવા છતાં ભાજપ આ બેઠકો જીતી શક્યું નથી. ચૂંટણી પંચના ડેટા મુજબ છેલ્લી 5 ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે બેઠકો જીતી શકી ન હતી. તેમાં રાજકોટની જસદણ અને ધોરાજી, ખેડા જિલ્લાની મહુધા, આણંદની બોરસદ, ભરૂચની ઝઘડિયા, બનાસકાંઠા જિલ્લાની દાંતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના ભિલોડા અને તાપી જિલ્લાના વ્યારાનો સમાવેશ થાય છે. ગુજરાતના વલસાડ જિલ્લાની કપરાડા પણ આવી જ એક બેઠક છે. જે 1998 પછી યોજાયેલી કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી શકી નથી.

આ પણ વાંચો :-

નરેશ પટેલ-રમેશ ટિલાળાની અમિત શાહ સાથે મુલાકાત, અડધી રાતે રાજકોટથી ઉડીને આવ્યા અમદાવાદ

0

Naresh Patel-Ramesh Tilala met Amit Shah

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ રાજકારણ ગરમાયુ છે. એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણના અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામના અધ્યક્ષ (Chairman of Khodaldham) અને સૌરાષ્ટ્રમાં પાટીદારનો મજબૂત ચહેરો ગણાતા નરેશ પટેલ (Naresh Patel) અને પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાએ (Patidar leader Ramesh Tilala) અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કર્યાના અહેવાલ મળ્યા છે.

મહત્વનું છે કે આ મુલાકાત તેમણે રાજકોટ દક્ષિણની ઉમેદવારી માટે કરી હોવાની ચર્ચા છે. નરેશ પટેલે અગાઉ દિગ્ગજ રાજનેતાઓ સાથે બંધ બારણે કરેલી બેઠક બાદ પોતે રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે એવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ બાદમાં અહેવાલ હતા તેઓ રાજકારણમાં સામેલ નહીં થાય.

પરંતુ અમિત શાહ સાથે કરેલી મુલાકાત બાદ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. નરેશ પટેલે આ બેઠક રમેશ ટિલાળાને સૌરાષ્ટ્ર દક્ષિણની ઉમેદવારી માટે કરી હોવાનું મનાય છે. ત્યારે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાતનું કારણ પણ આ જ હોઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવો પાટીદાર ચહેરાઓમાં ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાનું નામ પણ સામેલ છે. બોઘરા સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ત્યારે નરેશ પટેલ અને રમેશ ટિલાળાએ શાહ સાથે કરેલી મુલાકાતથી બોઘરા v/s ટિલાળાનો ઘાટ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો :-

 

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો

0

The centenary festival of Pramukh Swami Maharaj

  • અમદાવાદમાં આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વ ઉજવણી કરવામાં આવશે.

મહોત્સવ (Festival) સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના (Brahmaswarup Pramukhswami Maharaj) વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે. જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.

અમદાવાદમાં (Ahmedabad) નજીકના ભવિષ્યમાં ક્યારેય ન જોયો હોય તેવો મહોત્સવ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ જોઈ આખા વિશ્વની આંખો અંજાઈ જશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે (Internationally) પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે.

લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર સ્વ. પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.

સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ આપવા આ મહોત્સવમાં ઊમટશે. આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા મહિનાઓથી કામ ચાલી રહ્યુ છે. સમાજનો દરેક વ્યક્તિ આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે. જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે. ચાલો જાણીએ આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી વિગતવાર.

પ્રમુખસ્વામી મહારાજ નગર :

એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યુ છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે.

મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો..! 

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે.

મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે. જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા :

નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે.

ભવ્ય અક્ષરધામ મહામંદિર :

નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોનાં દર્શન-પ્રાર્થના કરી શકાશે.

વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો :

પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો :

મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્ત્વનું આકર્ષણ હશે – લાઈટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળની રાત્રિ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. 300 કરતાં વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે – પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે.

આ પણ વાંચો :-

06 નવેમ્બર 2022 રાશિફળ : આજે રવિવારના રોજ આ 7 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે કષ્ટભંજન દેવ

0

06 November 2022 Horoscope: Today on Sunday

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારું છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને  આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આ‍વે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમિયાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવ રોકાણ કરી શકાય. નાના ભાઈ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય.ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા-અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઈ-બહેનને વાઈરલ ઈન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાાથી દૂર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-