Home Blog Page 1248

ફક્ત 25 હજારમાં શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ ! સરળતાથી થશે 30 લાખથી વધારેની કમાણી, સરકાર આપશે સબસિડી

0

Start this crazy business in just 25 thousand

  • જો તમે તમારી નોકરીથી કંટાળ્યા છો અને કોઈ બિઝનેસ કરવા માંગો છો તો આ બિઝનેસ આઈડિયા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમે પણ નોકરીના પ્રેશરમાંથી બહાર આવવા માંગો છો અને બિઝનેસમાં (Business) પોતાની ઘાર જમાવવા માંગો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા (Business idea) લઈને આવ્યા છીએ. જેમાં તમે માત્ર 25 હજાર રૂપિયા ખર્ચીને દર મહિને 3 લાખથી વધુ કમાઈ શકો છો.

સૌથી મહત્વની વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળી શકે છે. આ એક ખાસ બિઝનેસ છે – મોતીની ખેતીનો (Pearl Farming). અમે તમને જણાવી દઈએ કે તમે આ બિઝનેસમાંથી લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો.

દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી  :

તમને જણાવી દઈએ કે આ બિઝનેસથી તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. સૌથી સારી વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા પર સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળે છે. આ એક ખાસ બિઝનેસ છે – મોતીની ખેતીનો. છીપ અને મોતીના ધંધામાં લોકોની રુચિ વધી છે અને ઘણા લોકો તેનાથી ઘણી કમાણી પણ કરી રહ્યા છે. તમારે આ બિઝનેસમાં વધારે રોકાણ કરવાની જરૂર નથી.

આ માટે તમારે ત્રણ વસ્તુઓની જરૂર છે : 

એક તળાવ, સીપ અને ટ્રેનિંગ. તેમાં સૌથી મહત્વપૂર્ણ તળાવ છે. જે તમે જાતે ખોદાવી શકો છો. આ માટે સરકાર તરફથી 50% સબસિડી મળે છે. જેનો તમે લાભ લઈ શકો છો. બીજી વસ્તુ સીપ હોય છે. જે ભારતના ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ક્વોલિટી સારી છે. આટલું જ નહીં તેની ટ્રેનિંગ માટે દેશમાં ઘણી સંસ્થાઓ છે. જો તમે ઈચ્છો તો તમે મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતી ઉછેરની ટ્રેનિંગ લઈ શકો છો.

જાણો ખેતીની પ્રોસેસ  :

હવે પ્રક્રિયા વિશે વાત કરીએ તો મોતીની ખેતી કરવા માટે છીપને જાળીમાં બાંધીને 10 થી 15 દિવસ સુધી તળાવમાં મુકવામાં આવે છે. જેથી તેઓ પોતાનું એયરમેન્ટ ક્રિએટ કરી શકે. આ પછી છીપને બહાર કાઢવામાં આવે છે અને તેની સર્જરી કરવામાં આવે છે.

આ સર્જરીમાં દરેક છીપની અંદર એક મોલ્ડ નાખવામાં આવે છે. આ મોલ્ડ પર કોટિંગ કર્યા પછી છીપ લેયર બનાવે છે. જે પાછળથી મોતી બની જાય છે. એટલે કે તમારે આમાં વધારે રાહ જોવાની જરૂર નથી.

એક છીપ તૈયાર કરવામાં થાય છે આટલો ખર્ચ  :

તમને જણાવી દઈએ કે એક છીપ તૈયાર કરવા માટે 25 થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે અને એક છીપમાંથી 2 મોતી નીકળે છે. જો તેની કિંમતની વાત કરીએ તો એક મોતી લગભગ 120 થી 200 રૂપિયામાં વેચાય છે.

એટલું જ નહીં જો તે સારી ગુણવત્તાની હોય તો તેને રૂ.200થી વધુ મોંઘી વેચી શકાય છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ વ્યવસાયમાં મદદ કરી શકે છે. એટલે કે તમે ઓછા રોકાણમાં વધુ નફો કમાઈ શકો છો.

જાણો કેટલો થશે નફો  :

હવે જો આપણે કુલ નફાની વાત કરીએ તો જો તમે એક એકરના તળાવમાં 25000 છીપને મોતીની ખેતી માટે મુકો તો તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા થાય છે. પરંતુ આમાંના કેટલાક છીપ ખરાબ પણ હોય છે.

તેમ છતાં 50% થી વધુ છીપ સરળતાથી નિકળી જાય છે અને અમે પહેલે કહ્યું એમ એક મોતીની કિંમત લગભગ 120 થી 200 રૂપિયા છે. આ મુજબ તમામ ખર્ચને બાદ કરીને આ વ્યવસાય સરળતાથી વાર્ષિક 30 લાખ રૂપિયા કમાણી કરાવી શકે છે.

આ પણ વાંચો :-

બેંકના કામો આજ-કાલમાં જલ્દીથી પૂર્ણ કરી લો, આ તારીખે બેંકમાં રહેશે હડતાળ

0

Complete the bank works today as soon

  • Bank Strike on 19 November : લગ્નની સિઝનમાં બેંકોમાં જનારા લોકોની સંખ્યા વધી જાય છે. આવા સમયે બેંક હડતાળ ગ્રાહકો માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. ખાસ વાત એ છે કે 19મી નવેમ્બરે બોલાવવામાં આવેલી આ હડતાળના બીજા દિવસે રવિવારથી સાપ્તાહિક રજા હોવાના કારણે બેંકો બંધ રહેશે.

જો તમારે આ અઠવાડિયે બેંક (Bank) સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરી લો. જો તમે આ નહી કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે શનિવારે બેંકોની દેશવ્યાપી હડતાળ (A nationwide strike) છે અને આ દરમિયાન તમામ બેંકોમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જશે. તેમની માંગણીઓના સંબંધમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનએ આ હડતાળ બોલાવી છે.

19 નવેમ્બરે હડતાળની જાહેરાત :

AIBEA દ્વારા 19 નવેમ્બરે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે અને ત્રીજા શનિવારના કારણે બેંકમાં રજા નથી. બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ભારતીય બેંક એસોસિએશનને હડતાલ અંગે નોટિસ મોકલી છે. તેમના જણાવ્યા અનુસાર શનિવારે બેંક હડતાલની દરખાસ્ત છે. આ હડતાલને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.

બેંક હડતાલનું કારણ :

બેંક હડતાલ બોલાવવાના કારણો વિશે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બેંકોના ખાનગીકરણ સામે અને બેંક કર્મચારીઓની સુરક્ષા માટે વિરોધ કર્યો અને હડતાલ કરી રહ્યા છે. આ બે દિવસોમાં તમારી બેંકો સાથે સંબંધિત કામ પતાવવું પણ જરૂરી છે. કારણ કે શનિવાર પછી રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. એટલે કે બે દિવસ સુધી બેંકમાં કામકાજ થઇ શકશે.

ઓનલાઇન બેંકિંગનો ઉપયોગ કરો :

બેંકની શાખાઓ બંધ થયા પછી પણ લોકો ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે. પૈસાની લેવડદેવડથી લઈને ખરીદી સુધી આ સેવાઓનો ઉપયોગી થઈ શકે છે. બેંકોની આ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે. જો કે આ દેશવ્યાપી હડતાળ દરમિયાન વિવિધ બેંકોના ATMમાં રોકડની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં હડતાળ પહેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ફાયદાકારક છે.

બેંકોનો ગ્રાહકોને મુશ્કેલીમાંથી બચાવવાનો પ્રયાસ :

જો કે દરેક બેંક પોતાના ગ્રાહકોને મુશ્કેલીમાંથી બચાવવાના પ્રયાસો કરી રહી છે. બેંક ઓફ બરોડા વતી રેગ્યુલેટરી ફાઈલિંગમાં AIBEA દ્વારા બોલાવવામાં આવેલી હડતાળ વિશે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે બેંકે જરૂરી પગલાં લીધાં છે. પરંતુ આ દરમિયાન જો તમને પૈસાની જરૂર હોય અને હડતાલના એક દિવસ પછી અથવા રવિવારે બેંકમાં જવાનું હોય તો રાહ ન જુઓ અને આ બે દિવસમાં તમારું કામ પૂર્ણ કરો.

આ પણ વાંચો :-

AAPના કંચન જરીવાલાનો આક્ષેપ, ‘કોંગ્રેસ ઉમેદવારના માણસો મને……

0

AAP’s Kanchan Jariwala alleges

  • AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

ગુજરાતની ચૂંટણીમાં (Gujarat election) હવે બરાબરનો રંગ જામ્યો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. સુરત કોર્પોરેશનમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટીની (Aap Gujarat) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી બાદ સુરતની બેઠકો પર સૌ કોઈની નજર છે.

બીજી બાજુ સુરતની પૂર્વ બેઠક (Surat East seat) પરના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ (Kanchan Jariwala) ફોર્મ પાછું ખેંચતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજકીય ડ્રામામાં આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તેમના ઉમેદવાર પર દબાણ કરી ફોર્મ પાછું ખેંચાવામાં આવ્યું છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

આ સાથે જ સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેને લઈને સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવાર કંચન જરીવાલાએ જણાવ્યું હતું કે મારા જીવને જોખમ હોવાની અરજી કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ હવે નવી રાજનીતિ શરૂ થઈ છે.

કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને જે લેખિત અરજી કરવી છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate) અસલમ સાયકલવાલાના (Aslam Cyclwala) માણસો મને મારી નાખે તેવો ડર છે. જેથી મને સુરક્ષા આપવામાં આવે. લેખિતમાં કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને સુરક્ષા માંગવા માટેની અરજી કરી છે.

આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ સુરત પોલીસ કમિશ્નરને સુરક્ષા આપવા પત્ર લખતા કહ્યું કે 159 પૂર્વ વિધાનસભાની મેં મારું ઉમેદવારી પત્ર રાજીખુશીથી પાછું ખેંચી લીધું છે અને હવે મને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો જાનથી મારી નાખે તેઓ ડર છે જેથી મને અને મારા પરિવારને પોલીસ રક્ષણ મળે તેવી આજીજી પૂર્વક અરજી કરી છું.

આ પણ વાંચો :-

મધુ શ્રીવાસ્તવની દબંગાઈ ! પાટીલ સાથેની મિટિંગ બાદ પણ બોલ્યા, ‘હું અપક્ષમાંથી જ ફોર્મ ભરીશ’

0

Madhu Srivastava’s tyranny

  • પાટિલ સાથે સવા કલાકની બેઠકમાંથી બહાર નિકળી મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમના દબંગ તેવર ફરીથી દેખાયા હતા.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના (Candidates) નામો જાહેર થયા બાદ વડોદરા (Vadodara) જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડેમેજ કંટ્રોલની ટીમ સક્રિય બની છે. જો કે વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ (Damage control) કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ જતુ હોય તેવું પણ બહાર આવી રહ્યુ છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R. Patile) નારાજ મધુ શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે, સવા કલાકની બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) માન્યા નથી. બેઠક બાદ મધુ શ્રીવાસ્ત્વે કહ્યુ કે ‘હું અપક્ષમાંથી ચૂંટણી લડવાનો છું અને હું આવતીકાલે ફોર્મ ભરીશ.’ તો આજે જોવાનું એ રહેશે કે મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) આજે શું કરશે ? ભાજપનો સાથ આપશે કે વિરુદ્ધમાં જશે.

‘હું મધુ શ્રીવાસ્તવ છું’ :

પાટિલ સાથે સવા કલાકની બેઠકમાંથી બહાર નિકળી મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમના દબંગ તેવર ફરીથી દેખાયા હતા. તેમણે જણાવ્યું હતુ કે, “સતીશ નિશાળિયા (Satish Nishaliya) ભલે માન્યા, હું મધુ શ્રીવાસ્તવ છું. હું અપક્ષ ચૂંટણી લડવાનો છું અને આવતીકાલે ફોર્મ ભરીશ.”

ભાજપનાં બે નેતાઓ અપક્ષ લડશે ? 

ભાજપનાં નારાજ ત્રણ નેતાઓ પૈકી માત્ર સતીશ નિશાળિયા માન્યા હતા. મધુ શ્રીવાસ્તવ અને દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ રહ્યા હોવાનું સપાટી પર આવી રહ્યું છે. મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બંને અપક્ષ તરીકે ચુંટણી લડશે તેવું પણ કહેવામાં આવી રહ્યુ છે.

ડેમેજ કંન્ટ્રોલ ટીમના પ્રયાસો નિષ્ફળ ?

આપને જણાવીએ કે બળવો દબાવવા માટે ભાજપે ડેમેજ કંન્ટ્રોલ ટીમ બનાવી હતી. થોડા દિવસ પહેલા વડોદરા અને નર્મદા જિલ્લાના ડેમેજ કંન્ટ્રોલ માટેની જવાબદારીના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત સંગઠનની ટીમે વડોદરા જિલ્લાના વાઘોડિયા, પાદરા, કરજણ તથા નર્મદા જિલ્લાના નાંદોદના આગેવાનોની સાથે ચર્ચા કરી હતી.

આ વિસ્તારના બળવાખોર મનાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયા તથા દીનુમામા સાથે કોઇ જ વાતચીત કરવામાં આવી નથી કે તેઓને વાતચીત માટે બોલાવવામાં આવ્યા ન હોવાનું તેમના સમર્થકો દ્વારા કહેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :-

AAPના ઉમેદવારની દાદાગીરી ! ટોલ બુથ પર હંગામો કરી કર્મચારીને લાફો ઝીંકી દીધો

0

Bully of AAP candidate

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો એક વિવાદિત વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીના ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉમેદવાર જગમલ વાળાનો (Jagamal vala) ટોલ બુથના કર્મચારી (Toll Booth Employee) સાથે દાદાગીરી કરવાનો અને માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે ટોલ કર્મચારી દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં (Prabhas Patan Police Station) ફરિયાદ નોંધાઈ છે.

ટોલ કર્મચારીને લાફો મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ :

ઘટનાની વિગતો મુજબ 15 નવેમ્બરની રાત્રે જગમલ વાળાનો કાફલો વેરાવળ પાસે સ્થિત ડારી ટોલ બુથ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે કોઈ બાબતને લઈને તેઓ ગુસ્સે થઈ જાય છે અને ગાડીમાંથી ઉતરીને ટોલ બુથ પર ઊભેલા કર્મચારીને લાફો ઝીંકી દે છે.

આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. ટોલ કર્મીએ આમ આદમી પાર્ટીના નેતા પર ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અગાઉ પણ મારામારીના આક્ષેપમાં જેલ જઈ ચૂક્યા છે જગમાલ વાળા :

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે જગમલ વાળા આ પ્રકારે વિવાદમાં સપડાયા હોય. આ પહેલા પણ તેઓ ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યા છે. જગમલ વાળા પર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને તેના કેબિનમાં ઘુસીને ધમકાવવાના અને મારપીટ કરવાના આરોપ લાગ્યા હતા.

આ મામલે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. જગમલ વાળા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે અને પોતે ઉમેદવાર પણ છે. એવામાં આ પ્રકારની ઘટનાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની શાખને પણ નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા જ ગુજરાત પોલીસ એક્શનમાં : 25 હજાર લોકો કસ્ટડીમાં, સૌથી વધુ ધરપકડ આ શહેરમાં

Gujarat police in action just before the election

  • વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની (Security system) કામગીરીમાં લાગી ગઈ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન (voting) પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડો એકલા અમદાવાદ (Ahmedabad) અને સુરતમાંથી (Surat) કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ (Criminal Act) અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ (Anti-Social Activities Act) હેઠળ કરવામાં આવી છે.

મહત્વનું છે કે અગાઉ 3 નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે અહીં અત્યાર સુધીમાં 12965 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદમાંથી 12315 લોકો અને વડોદરામાં પોલીસે 1600 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે.

આ ચૂંટણીમાં 70 હજાર જવાનો ફરજ બજાવશે :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં 70,000 સૈનિકો સામેલ થશે. આમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યની 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીમાં 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 51 હજારથી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 34,000થી વધુ મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં છે.

આ પણ વાંચો :-

LPG સિલિન્ડરમાં સરકારે કર્યો મોટો ફેરફાર, દેશના દરેક ગ્રાહકને થશે સીધો ફાયદો

0

Government has made a big change in LPG cylinders

  • જો તમારા ઘરમાં પણ LPG સિલિન્ડરનો ઉપયોગ રસોઈ કરવા માટે થતો હોય તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઈએ. જાણો તમને આ નવા ફેરફારથી શું ફાયદો થશે.

જો તમારી પાસે પણ ઘરેલુ ગેસ સિલિન્ડરનું (Domestic Gas Cylinder) કનેક્શન હોય તો આ ખબર તમારા ખુબ કામની છે. આ સમાચાર વાંચીને તમે ખુશીથી ઉછળી પડશો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) તરફથી QR કોડ બેસ્ડ સિલિન્ડર લોન્ચ (QR Code Based Cylinder Launch) કરવામાં આવ્યા છે. તેનાથી તમે સિલિન્ડરને ટ્રેક કરી શકશો.

એલપીજી સિલિન્ડર ટ્રેક કરી શકાશે :

ઈન્ડિયન ઓઈલ (IOCL) ના ચેરમેન શ્રીકાંત જાધવે જણાવ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ક્યુઆર કોડ હશે. વર્લ્ડ એલપીજી વીકના અવસરે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આ એક ક્રાંતિકારી ફેરફાર છે કારણ કે ગ્રાહકો એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકશે.

વેલ્ડ કરાશે QR કોડ :

તેમણે જણાવ્યું કે QR કોડ દ્વારા ગ્રાહકો સિલિન્ડર વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકશે. એટલે કે સિલિન્ડરને ક્યાં રિફિલિંગ કરાયું છે અને સિલિન્ડર સંલગ્ન શું સેફ્ટી ટેસ્ટ કરાયા છે. QR કોડને હાલના સિલિન્ડર પર લેબલના માધ્યમથી ચિપકાવવામાં આવશે. જ્યારે નવા સિલિન્ડર પર તેને વેલ્ડ કરવામાં આવશે.

QR કોડ એમ્બેડેડ 20 હજાર એલપીજી સિલિન્ડર :

યુનિક કોડ બેસ્ડ ટ્રેક હેઠળ પહેલા ફેઝમાં ક્યુઆર કોડ સાથે એમ્બેડેડ 20 હજાર એલપીજી સિલિન્ડર જારી કરાયા છે. અત્રે જણાવવાનું કે આ એક પ્રકારનો બાર કોડ છે જેને ડિજિટલ ડિવાઈસ દ્વારા રીડ કરી શકાય છે. પુરીએ કહ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડર પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) લોન્ચ થતા પહેલા દેશમાં સ્વચ્છ ભોજન પકાવવાના ઈંધણની ઉપલબ્ધતા ગ્રામીણ પરિવારો માટે મોટો પડકાર હતો. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ઉજ્વલા યોજના શરૂ થયા બાદ ગ્રામીણ વિસ્તારના લોકોને રાહત મળી છે.

આ પણ વાંચો :-

7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો ? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના

Thinking of buying a 7 Seater Car

  • જો તમે પણ 7 સીટર કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો. તો તમારે આ કાર વિશે એક વાર જરૂરથી જાણી લેવું જોઈએ. આ યાદીમાં અમે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાતી 7 સીટર MPV કાર વિશેની માહિતી છે.

ભારતીય બજારમાં (Indian market) SUVને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.સાથે જ મલ્ટી-પર્પઝ વ્હીકલ (એમપીવી) પણ ખૂબ લોકપ્રિય છે. MPV કારને પસંદ કરવાનું એક કારણ એ હોઈ શકે છે કે તેમાં 5 થી વધુ લોકો બેસી શકે છે. તેમને સામાન્ય રીતે બજારમાં 7 સીટર કાર પણ કહેવામાં આવે છે. જો તમે પણ માર્કેટમાં 7 સીટર MPV ખરીદવાનું વિચારી રહ્યા છો.

1. મારુતિ સુઝુકી અર્ટિગા :

Maruti Suzuki Ertiga ભારતમાં ગયા મહિને સૌથી વધુ વેચાતી MPV રહી છે. ઓક્ટોબર 2022 માં આ વાહનના 10,494 એકમોનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 12,923 એકમોનું વેચાણ થયું હતું. મતલબ કે વાર્ષિક ધોરણે Ertigaના વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ કારમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ છે. તેમાં સીએનજીનો વિકલ્પ પણ છે. તે CNG પર 25kmથી વધુની માઈલેજ આપે છે.

2. મારુતિ સુઝુકી Eeco :

મારુતિ સુઝુકી Eeco આ યાદીમાં બીજા નંબરે છે. ઓક્ટોબર 2022 માં આ વાહનના 8,861 એકમોનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષે સમાન મહિનામાં 10,320 એકમોનું વેચાણ થયું હતું. આ કારની કિંમત 4.63 લાખ રૂપિયાથી 5.94 લાખ રૂપિયા સુધીની છે.

3. મહિન્દ્રા બોલેરો :

મારુતિ સુઝુકી Eeco આ યાદીમાં બીજા નંબરે છે. ઓક્ટોબર 2022 માં આ વાહનના 8,772 એકમોનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે સમાન મહિનામાં 6.375 એકમોનું વેચાણ થયું હતું. આ કારની કિંમત 9.53 લાખ રૂપિયાથી લઈને 10.48 લાખ રૂપિયા સુધીની છે.

આ પણ વાંચો :-

રેલવે કર્મચારીઓ આનંદો ! દર મહિને ચાર હજાર સુધીનો ફાયદો થાય તેવો નિર્ણય લીધો મોદી સરકારે

0

Railway employees rejoice

  • રેલવેના લગભગ 80,000 કર્મચારીઓને લાભ મળે એવો એક નિર્ણય મોદી સરકારે લીધો છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnave) રેલવે કર્મચારીઓ માટે આજે ઘણા સારા સમાચાર આપ્યા છે. રેલવેના સુપરવાઇઝર (Supervisor of Railways) ગ્રેડ એટલે કે ગ્રેડ 7 હેઠળ આવતા રેલવેના 80 હજાર કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવેમાં એંસી હજારનો કેડર છે, જે રેલવેની કરોડરજ્જુ છે. તેમાં સ્થિરતાની સમસ્યા હતી. એટલે કે તેમને બઢતી મળતી નહોતી પરંતુ હવે તેમની બઢતીનો મુદ્દો ઉકેલ દેવાયો છે અને તેઓ હવે સુપરવાઇઝર તરીકે પ્રમોટ (Promoted to Supervisor) થઈ શકશે.

લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે :

રેલવે મંત્રીએ કહ્યું કે હવે લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે અને કેટલાક લોકો લેવલ 9 સુધી પણ પહોંચી શકશે. એટલે કે તેઓ ગ્રુપ એ અધિકારીઓની સમકક્ષ પહોંચી શકશે. તેનાથી રેલવે પરિવારમાં મોટી ખુશી આવશે. અગાઉ રેલવે કર્મચારીઓની અંદર પ્રમોશનના અભાવે ભારે હતાશા જોવા મળી હતી. તેની અસર કામ પર પણ પડી હતી.

કર્મચારીઓનું શું ફાયદો મળશે  :

રેલવે મંત્રીએ કહ્યું કે સુપરવાઇઝર્સ ગ્રેડ લેવલ 6માં આવે છે. જેમાં સ્ટેશન માસ્ટર, જુનિયર એન્જિનિયર્સ, પાથ-વે ઇન્સ્પેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. આ ડેપ્યુટી ડિરેક્ટરની નીચેની પોસ્ટ્સ છે. આ નવા નિર્ણયથી દરેક કર્મચારીને દર મહિને અઢીથી ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે. કેટલાક ખર્ચા ઓછા થયા છે.

તેના બદલે આ લાભ આપવામાં આવશે. આનાથી રેલવે પર કોઈ આર્થિક બોજ નહીં પડે. આમાં કોઈ પાત્રતા વગેરેની તપાસ કરવાની નથી, પરંતુ તમામ એંસી હજાર કર્મચારીઓને તેનો લાભ મળશે. એટલે કે દરેક માટે સારા સમાચાર છે. આ એક ખૂબ જ મોટું નૈતિક બૂસ્ટર છે. આજે તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

વાસ્તુ અનુસાર બાથરૂમ બનાવતી વખતે આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન, નહીં તો ધન-સ્વાસ્થ્યને થશે મોટુ નુકસાન

Pay special attention to these things while making

  • વાસ્તુશાસ્ત્રમાં ઘરના બાથરૂમ માટે વાસ્તુના કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં ઘરમાં સમૃદ્ધિ આવે છે. જાણો આ વાસ્તુ નિયમો વિશે.

વાસ્તુશાસ્ત્રમાં (Vastu Shastra) ઘરના દરેક ખૂણા માટે ચોક્કસ દિશા આપવામાં આવી છે. કોઈપણ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બાથરૂમ છે. જો બાથરૂમ (Bathroom) ખોટી દિશામાં હોય અથવા વાસ્તુ અનુસાર તેમાં કંઈ ન રાખવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ થાય છે.

બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જેની અસર ઘરના સભ્યો પર પડે છે. ચાલો જાણીએ બાથરૂમ-ટોયલેટ (Bathroom-toilet) સંબંધિત વાસ્તુશાસ્ત્રના ખાસ નિયમો વિશે. જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

બાથરૂમ સાથે સંબંધિત વાસ્તુ નિયમો :

  • વાસ્તુ અનુસાર રસોડાની સામે કે બાજુમાં બાથરૂમ ન હોવું જોઈએ. બાથરૂમમાં ટોયલેટ સીટ હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ.
  • બાથરૂમ ક્યારેય દક્ષિણ, દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો આ દિશામાં પહેલાથી જ બાથરૂમ બનેલું હોય તો તેની પાસે કાળી વસ્તુ રાખો, તે તેની નકારાત્મક અસરોને શૂન્ય કરી દે છે.
  • દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. તેથી આ દિશામાં બાથટબ અથવા શાવર લગાવવાનું ટાળો. બાથરૂમમાં હંમેશા હળવા રંગનો પેઇન્ટ કરાવો. બ્રાઉન અને વ્હાઈટ કલર બાથરૂમ માટે સારા માનવામાં આવે છે.
  • બાથરૂમમાં વાદળી રંગનું ટબ અથવા ડોલ રાખવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. બાથરૂમમાં કાળા અને લાલ રંગની ડોલ કે ટબનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • બાથરૂમમાં અરીસો એવી રીતે મૂકવો જોઈએ કે તેનાથી ટોયલેટ સીટ દેખાઈ ન શકે. તેમજ બાથરૂમની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
  • વાસ્તુ અનુસાર બાથરૂમના નળમાં પાણી લીક ન થવું જોઈએ. કહેવાય છે કે નળમાંથી પાણી ટપકવાથી આર્થિક નુકસાન થાય છે.
  • બાથરૂમના દરવાજા ઉત્તર કે પૂર્વ દિશામાં હોવા જોઈએ. આ સિવાય બાથરૂમમાં લોખંડની જગ્યાએ લાકડાના દરવાજા લગાવો. સાથે જ અહીંના દરવાજા પર દેવી-દેવતાઓની તસવીરો ન લગાવો. બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ.
  • વેન્ટિલેશન માટે દરેક બાથરૂમમાં બારી હોવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. ધ્યાન રાખો કે બારી પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ તરફ ખુલ્લતી હોવી જોઈએ.

આ પણ વાંચો :-