Sunday, May 18, 2025

વાસ્તુ અનુસાર બાથરૂમ બનાવતી વખતે આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન, નહીં તો ધન-સ્વાસ્થ્યને થશે મોટુ નુકસાન

3 Min Read

Pay special attention to these things while making

  • વાસ્તુશાસ્ત્રમાં ઘરના બાથરૂમ માટે વાસ્તુના કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં ઘરમાં સમૃદ્ધિ આવે છે. જાણો આ વાસ્તુ નિયમો વિશે.

વાસ્તુશાસ્ત્રમાં (Vastu Shastra) ઘરના દરેક ખૂણા માટે ચોક્કસ દિશા આપવામાં આવી છે. કોઈપણ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બાથરૂમ છે. જો બાથરૂમ (Bathroom) ખોટી દિશામાં હોય અથવા વાસ્તુ અનુસાર તેમાં કંઈ ન રાખવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ થાય છે.

બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જેની અસર ઘરના સભ્યો પર પડે છે. ચાલો જાણીએ બાથરૂમ-ટોયલેટ (Bathroom-toilet) સંબંધિત વાસ્તુશાસ્ત્રના ખાસ નિયમો વિશે. જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

બાથરૂમ સાથે સંબંધિત વાસ્તુ નિયમો :

  • વાસ્તુ અનુસાર રસોડાની સામે કે બાજુમાં બાથરૂમ ન હોવું જોઈએ. બાથરૂમમાં ટોયલેટ સીટ હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ.
  • બાથરૂમ ક્યારેય દક્ષિણ, દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો આ દિશામાં પહેલાથી જ બાથરૂમ બનેલું હોય તો તેની પાસે કાળી વસ્તુ રાખો, તે તેની નકારાત્મક અસરોને શૂન્ય કરી દે છે.
  • દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. તેથી આ દિશામાં બાથટબ અથવા શાવર લગાવવાનું ટાળો. બાથરૂમમાં હંમેશા હળવા રંગનો પેઇન્ટ કરાવો. બ્રાઉન અને વ્હાઈટ કલર બાથરૂમ માટે સારા માનવામાં આવે છે.
  • બાથરૂમમાં વાદળી રંગનું ટબ અથવા ડોલ રાખવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. બાથરૂમમાં કાળા અને લાલ રંગની ડોલ કે ટબનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • બાથરૂમમાં અરીસો એવી રીતે મૂકવો જોઈએ કે તેનાથી ટોયલેટ સીટ દેખાઈ ન શકે. તેમજ બાથરૂમની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
  • વાસ્તુ અનુસાર બાથરૂમના નળમાં પાણી લીક ન થવું જોઈએ. કહેવાય છે કે નળમાંથી પાણી ટપકવાથી આર્થિક નુકસાન થાય છે.
  • બાથરૂમના દરવાજા ઉત્તર કે પૂર્વ દિશામાં હોવા જોઈએ. આ સિવાય બાથરૂમમાં લોખંડની જગ્યાએ લાકડાના દરવાજા લગાવો. સાથે જ અહીંના દરવાજા પર દેવી-દેવતાઓની તસવીરો ન લગાવો. બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ.
  • વેન્ટિલેશન માટે દરેક બાથરૂમમાં બારી હોવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. ધ્યાન રાખો કે બારી પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ તરફ ખુલ્લતી હોવી જોઈએ.

આ પણ વાંચો :-

Share This Article