વડાપ્રધાન આવશે ગુજરાતના પ્રવાસે, ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

Share this story

The Prime Minister will

  • ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ પક્ષોનાં દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે.

સરકાર દ્વારા અનેક કામોના લોકાર્પણ (Launch of works) કરવામાં આવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 27 અને 28 ઓગસ્ટે વતન ગુજરાતમાં આવશે. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન મોદી કચ્છના ભુજમાં (Bhuj of Kutch) સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

શું છે સ્મૃતિવન ?

ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં એક દુર્ઘટના ઘટી હતી. ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કર્યો હતો.

સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે.

ભૂકંપનો અનુભવ કરાવશે થિયેટર :

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ થિયેટ વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળશે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.

ડિજીટલ મશાલથી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ :

રાજ્યમાં 2001ના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. મુલાકાતીઓ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને ગેલેરીમાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ :

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો :-