Home Blog Page 1432

VIDEO : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરના થઇ ગયા લગ્ન, જાણો કોણ છે દુલ્હન

0

fast bowler Deepak Chahar

  • બુધવારે(1 જૂન) ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહર અને જયા ભારદ્વાજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. જુઓ મેરેજના દ્રશ્યો

લગ્ન સમારોહ બુધવારે આગ્રામાં થયા છે. દીપક બેન્ડવાજાની સાથે ધૂમધામથી જાન લઇન પહોંચ્યા. દુલ્હન જયા અને ઘરવાળાઓએ દીપકનું જોરદાર સ્વાગત કર્યું. 29 વર્ષના દીપક સજાવેલા રથ પર સવાર થઇને દુલ્હનને લેવા પહોંચ્યા. મૈરિન ગાર્ડનમાં (Marine Garden) પહોંચ્યા બાદ દીપક અને જયાએ એકબીજાને વરમાળા પહેરાવી અને લગ્નની બાકી વિધિ પૂર્ણ કરી. આ લગ્ન સમારોહમાં એકદમ ખાસ 200થી 250 મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.

કોણ છે દુલ્હન જયા ભારદ્વાજ ?

દિલ્હીની રહેવાસી જયા ભારદ્વાજ એક કોર્પોરેટ ફર્મથી જોડાયેલી છે. જયાએ મુંબઈ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર જયાએ ખુદને ડાયનામિક ઇન્ટરપ્રન્યોર અને એક નૉન ટેક્નિકલ ટેકી ગણાવી છે.

જયાના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ છે, જે બિગ બૉસ ફેમ છે. સિદ્ધાર્થ એમટીવી સ્પ્લિટ્સ વિલા સીઝન 2ના વિનર પણ છે. બહેન જયાની સગાઈ પર સિદ્ધાર્થે પણ ફોટોઝ શેર કરી શુભેચ્છા પાઠવી દીધી હતી.

આઈપીએલ સ્ટાર છે દીપક ચાહર :

ત્યારે, દીપક ચાહર 2016થી IPL રમી રહ્યા છે. તેમણે આઈપીએલથી જ નામના મળી છે. દીપકે આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, પુણે સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ક્રિકેટ રમી છે. ચેન્નઈએ આઈપીએલ 2022ના મેગા ઓક્શન દરમિયાન 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યું હતું. જોકે, પીઠની ઇજાને લઇને દીપક આખી આઈપીએલ સીઝનથી બહાર જ રહ્યા. ચેન્નઈ ટીમ પણ 14માંથી અંદાજિત 4 મેચ જીતી અને પ્લેઑફથી બહાર થઇ ગયા હતા.

દીપકે ટીમ ઇન્ડિયા માટે 7 વિકેટ અને 20 ટી20 મેચ પણ રમાઇ છે. તેમણે વનડેમાં 10 અને ટી20માં 26 વિકેટ પોતાના નામે કરી છે. દીપકને ઇજાના કારણે આગામી સાઉથ આફ્રિકા સીરીઝ માટે પણ ટીમ ઇન્ડિયામાં જગ્યા નહતી મળી. ભારતી ટીમને 9 જૂનથી આફ્રિકા સામે 5 ટી20ની સીરીઝ રમવાની છે.

fast bowler Deepak Chahar

કાશ્મીરમાં આંતકીઓ બન્યા બેફામ, વધુ એક હિંદુની ગોળી મારી કરાઈ હત્યા

0
Terrorists in Kashmir go berserk
  • જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે પણ ટાર્ગેટ કિલિંગની એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું મોત નિપજ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં (Kashmir) ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે પણ ટાર્ગેટ કિલિંગની (Target Killing) એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું (Bank Manager Vijaykumar) મોત નિપજ્યું છે. મૃતક રાજસ્થાનના હનુમાનગઢના રહીશ હતા.

મૃતક વિજયકુમાર કુલગામના મોહનપોરામાં Ellaqie Dehati Bank માં ફરજ બજાવતા હતા. આતંકીઓ તેમના પર ફાયરિંગ કર્યું. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. હાલ વિસ્તારની ઘેરાબંધી  કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અત્રે જણાવવાનું કે આતંકીઓ કાશ્મીર ખીણમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. હાલમાં જ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ અને કુલગામમાં મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન થયું. કાશ્મીરી પંડિતોની માંગણી છે કે તમામ પ્રવાસી સરકારી કર્મચારીઓને સુરક્ષિત સ્થળો પર તૈનાત કરવામાં આવે.

ટાર્ગેટ કિલિંગ પર સરકારનો નિર્ણય :

અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હિન્દુ કર્મચારીઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે પ્રદેશના એલજી મનોજ સિન્હાએ બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. જેમાં સેનાના ટોપ ઓફિસર, પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીઓ સામેલ થયા. બેઠકમાં કાશ્મીરી હિન્દુઓને બચાવવા માટે મોટો નિર્ણય લેવાયો.

સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ પેકેજ હેઠળ સરકારી નોકરી કરવા માટે કાશ્મીર ઘાટીમાં પાછા  ફરેલા હિન્દુઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે તેમની તૈનાતી હવે જિલ્લા મુખ્યાલયો પર કરાશે. અહીં તે કર્મચારીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરાશે. આ સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એકદમ ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા અપાશે. આવા હિન્દુ કર્મચારીઓને હવે તહસીલો કે રિમોટ એરિયાની ડ્યૂટીમાંથી હટાવી દેવાશે.

મહત્વની બેઠકમાં નિર્ણય લેવાયો કે કાશ્મીર ઘાટીમાં કામ કરતા કાશ્મીરી હિન્દુઓને જમ્મુ રિલોકેટ કરવાની માંગણી સ્વીકારાશે નહીં. કારણ કે જો આમ કરવામાં આવે તો તેનાથી પ્રદેશમાં સાંપ્રદાયિક ધ્રુવિકરણ વધુ ઝડપી થશે. આ સાથે જ આતંકીઓનું મનોબળ પણ પહેલા કરતા વધશે અને તેઓ અન્ય ભાગમાં પણ આવી જ હિંસક ગતિવિધિઓને અંજામ આપશે. જો કે વિશેષ પરિસ્થિતિઓમાં કેટલાક કાશ્મીરી હિન્દુઓને જમ્મુ ટ્રાન્સફર કરવા પર વિચાર થઈ શકે છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Terrorists in Kashmir go berserk

ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો, બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો : ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ

0

Hardik Patel after joining BJP

  • હાર્દિકે ભાજપમાં જોડાય બાદ કહ્યું કે, ‘હું ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો, બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો.

પાટીદાર યુવા નેતા (Patidar youth leader) હાર્દિક પટેલે (Hardik Patel) આજે C.R. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે હાર્દિક પટેલે જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ (Press conference) દ્વારા મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘હું આજે ભાજપમાં જોડાયો છું ત્યારે 2015માં સમાજના હિતની ભાવના સાથે કામની શરૂઆત કરીશ.

જ્યારે રાષ્ટ્રના હિતનું કામ હોય ત્યારે રાજા જ નહીં સૈનિકની પણ જરૂર છે, એટલે હું આજે એક સૈનિકની ભૂમિકામાં જોડાઉ છું ત્યારે હું રાષ્ટ્રના હિત માટે ભાજપમાં જોડાયો છું. ગુજરાતના અસંખ્ય લોકો રાષ્ટ્રહિત માટે કામ કરવા તત્પર છે. મે અનેક વાર કોંગ્રેસમાં જનહિત માટે ચર્ચા કરી છે પરંતુ કોંગ્રેસે કોઈ જ કાર્ય કર્યું નથી. હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, રાજ્યમાં એક નાના કાર્યકરના રૂપમાં કામ કરીશ.’

આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું પણ આંદોલન પૂર્ણ પણ સરકારે જ કર્યું : હાર્દિક પટેલ

આગામી 2 મહિનામાં શહીદ પાટીદાર યુવા નેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અને માંગણી છે તે પૂરી કરીશું. હાર્દિકે કહ્યું કે, ‘ભાજપે જે ગુજરાત માટે, જનતા માટે અને દેશ માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર માત્ર હાર્દિક પટેલ જ નહીં પરંતુ ગુજરાતના કરોડો લોકો તેમાં સહયોગ આપવા તત્પર છે.’

Hardik Patel after joining BJP

ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા સમયે જો નિયમ તોડ્યા તો આવી બન્યું સમજો, રાજકોટ પોલીસે જુઓ શું કર્યું

0

Instagram reels see what Rajkot

  • રિલ્સ બનાવવા નિયમો તોડવા પડી શકે ભારે, BRTS રૂટ પર વાહન ચલાવી વીડિયો પોસ્ટ કરતા કાર્યવાહી
રાજકોટમાં (Rajkot) બીઆરટીએસ રુટમાં બસની ઝડપ જળવાઇ રહે તે માટે કોરિડોરમાં એમ્બ્યુલન્સ (Ambulance in the corridor) અને પોલીસનાં વાહન સિવાય બીજા કોઇ પણ ખાનગી વાહન ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. તે બાદ એસ ટી બસ જેવી જાહેર સેવાઓને આ રુટમાં હંકારવાની પરમીશન આપવામાં આવી છે જ્યારે ખાનગી વાહન ચાલકો (Private motorists) માટે આ રુટનો વપરાશ કરવો તદ્દન નિયમ વિરુધ્ધ છે.
ઈસમે BRTS રૂટ પર કાર દોડાવી :
ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવાના ચક્કરમાં રાજકોટમાં BRTS રૂટમાં નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે ત્યારે હવે નિયમોને તોડનારા લોકો ચેતી જજો, BRTS રૂટ પર વાહન ચલાવી વીડિયો પોસ્ટ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. 15મે ના રોજ રોકી સ્ટાર નામના ઇન્સ્ટા આઈડી પર BRTS રૂટમાં કાર હંકારી વીડિયો બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો જે વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને વીડિયો મૂકનારની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે.સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક ઈસમો નિયમો નેવે મૂકતાં હોય છે.

કોના પૈસે તાગડધિન્ના ? જીટીયુના કુલપતિ સ્ટાફને બે વખત ફિલ્મ બતાવવા લઈ ગયા, 70 હજારનો ધુમાડો કોણે કર્યો ?

0

Whose money is it Chancellor of GTU

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (Gujarat University of Technology) એક યા બીજા કારણસર સતત મીડિયામાં ચમકતી રહે છે. એમાંય વળી, તાજેતરમાં તો જીટીયુના કુલપતિએ (Chancellor of GTU) હદ વટાવી દીધી હોય એવી હકીકત પ્રકાશમાં આવી છે. વિદ્યા અને શિક્ષાના પાઠ ભણાવવાનું કાર્ય કરતી યુનિવર્સિટીના સત્તાધીશોને ચાલુ ફરજ દરમિયાન જ કર્મચારીઓને ફિલ્મ જોવા લઈ જવાનો ચસકો લાગ્યો હોય એવું દેખાઇ રહ્યું છે.

એક વખત નહીં, બલકે છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ફિલ્મ જોવા લઈ ગયા હતા. ત્યાં સુધી કે આ ફિલ્મની ટિકિટનાં પૂરેપૂરાં નાણાં પણ કર્મચારીઓએ કાઢ્યા ન હતા અને તેમને ટિકિટની રકમમાં જીટીયુ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ ડિસ્કાઉન્ટ 5-10 રૂપિયા નહીં, બલકે તગડું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ડિસ્કાઉન્ટનાં નાણાં ચૂકવ્યાં કોને ? એ તપાસનો વિષય છે.

જો આ વધારાનાં નાણાં યુનિવર્સિટીએ પણ ભોગવ્યા હોય તો એવું તો શું રહી જતું હતું કે યુનિવર્સિટી દ્વારા ફિલ્મ જોવા માટે પોતાના પૈસે કર્મચારીઓને ફિલ્મ બતાવી હતી. આ ડિસ્કાઉન્ટની રકમ પણ જોઈએ તો 5-10 હજાર નહીં, બલકે અંદાજે 70 હજાર થતી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે યુનિવર્સિટીના કુલપતિ તરફથી કર્મચારીઓને ટિકિટ પેટે આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ સ્પોન્સરરે આપ્યું હોવાનું જણાવ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સ્પોન્સરર છે કોણ ? તેણે કેમ આપ્યું હશે ડિસ્કાઉન્ટ ?

જીટીયુને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી તમામ ક્ષેત્રે આગળ હોવાનું વારંવાર રટણ કરવામાં આવે છે, ત્યારે પોતાના સ્ટાફને ફિલ્મો બતાવવામાં પણ આગળ હોવાનું સાબિત કરી દીધું હોય એમ લાગી રહ્યું છે. કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન ફિલ્મો જોવા જતા હોવાને કારણે યુનિવર્સિટીમાં કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને ધરમધક્કા પડી રહ્યા છે.

એક નહીં બે-બે વાર ફિલ્મ જોવા લઈ ગયા :

નૈતિકતા અને સમાજસેવાની સુફિયાણી વાતો કરતા જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે અગાઉ માર્ચ મહિનામાં તેમના ટવિટ્રર એકાઉન્ટ પરથી કાશ્મીર ફાઇલ્સ ટેક્સ ફ્રી કરવાની અપીલ કરી હતી . ત્યાર બાદ જીટીયુના તમામ કર્મચારીઓ, એટલે કે લગભગ 300 જેટલા કર્મચારીઓને જોવા લઈ ગયા હતા. એમાં કર્મચારીઓ પાસેથી ટિકિટ પેટે 50 રૂપિયાનું ઉઘરાણું કરીને બાકીનાં નાણાં જીટીયુએ ભોગવ્યા હતા.

જીટીયુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

એટલું જ નહીં, વળી પાછા આ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા દરેક કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન જ લઈ ગયા હતા. વાત આટલેથી અટકતી નથી. ત્યાં વળી સોમવારે 30મી મેના રોજ પાછા જીટીયુના કુલપતિ તેમની ગુડબુકમાં આવતા 100 કર્મચારીને ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી જોવા લઈ ગયા હતા, એ પણ ચાલુ ફરજ દરમિયાન જ બતાવી હતી.

65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો :

આમ, છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળામાં જ ફરી એકવાર યુનિવર્સિટી કોના પૈસે તાડગધિન્ના કરાવી રહી છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. માર્કેટ રેટ પ્રમાણે પીવીઆર સિનેમાની ટિકિટના 150 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. કાશ્મીર ફાઇલ્સ મૂવીનું 300 કર્મચારીનું 15,000 અને‌ નાયકા દેવી ફિલ્મ વખતે 100 કર્મચારી પાસેથી 8 હજારનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે કર્મચારીઓને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટની રકમ જોઈએ તો આ બે ફિલ્મમાં અનુક્રમે 50,000થી વધુ અને‌ 15,000 મળીને અંદાજિત 65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ પ્રકારના તાયફા યોજીને સરકારી નાણાંનો વ્યય તેમજ કચેરી સમય દરમિયાન આ પ્રવૃત્તિનું આયોજન કરવાને કારણે યુનિવર્સિટીના કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ધક્કા ખાવાનો વારો આવે છે.

યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર બીઓજી મેમ્બરના અંગત હોવાને‌ કારણે દરખાસ્ત સ્વીકારાતી હોવાની ચર્ચા થઈ રહી છે.

સગાવાદને કારણે દરખાસ્ત સ્વિકારાઈ ?

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર આકાશ ગોહિલ બોર્ડ ઓફ ગવર્નન્સ ( બીઓજી ) મેમ્બરના અંગત હોવાને‌ કારણે કુલપતિ તથા રજિસ્ટ્રાર તેમની દરખાસ્ત સ્વીકારી લેતા હોવાનું યુનિવર્સિટીમાં ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય કે ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈપણ સરકારી સંસ્થા કચેરીના સમય દરમિયાન કરી શકે છે ?

Whose money is it Chancellor of GTU

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે ? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક

0

girl caught with Bharatsinh Solanki

  • પતિ, પત્ની ઔર વો….! મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે.

ગઈ કાલે સવારે કોંગ્રેસના દિગ્ગજ (Congress veterans) નેતા ભરતસિંહ સોલંકીની (Bharatsinh Solanki) રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ (Wife Reshma Patel) જ્યારે ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશે ત્યારે ભરતસિંહ તેમની પત્નીને દરવાજા પર અટકાવે છે તે જ સમયે એક યુવતી જોવા મળે છે. ત્યારે ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે.

પતિ, પત્ની ઔર વો….! મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે. પરંતુ રેશમા પટેલ ભરતસિંહ સોલંકીને મનાવવા આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેશમા પટેલ ઘરમાં પ્રવેશે છે ત્યાં જ ભરતસિંહ સોંલકી અન્ય યુવતી સાથે પકડાયા હતા.

ત્યારે જે યુવતી સાથે ભરતસિંહ પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે. ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા તે યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસ નેતાની ભાણી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ જ આ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.

તો બીજી તરફ રેશ્મા પટેલે વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે બની હોવાની વાત રેશ્મા પટેલ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મારા પતિને ઘણા વખતથી હું શોધતી હતી. પણ ગઇકાલે આણંદ વિદ્યાનગર રોડ પર એક યુવતી સાથે તેમને આઇસ્ક્રીમ ખાતા જોયા હતા.

ત્યારબાદ મેં તમને ફોલો કર્યા અને આશ્રય બંગલો ખાતે પહોંચી ગઈ. જ્યાં એક અજાણી યુવતી સાથે બંગલામાં રંગરેલિયા માનવતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ત્યાં ભરતસિંહને મનાવવા ગઈ હતી. પરંતુ અહીં મેં ચિત્ર કંઈક અલગ જ જોયું હતું. હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું…

girl caught with Bharatsinh Solanki

ખૂબ ઓછા રોકાણ સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બંપર કમાણી

0

Start this business sitting at home

  •  જો તમને અભ્યાસમાં રસ છે. જો તમારી પાસે કોઈપણ વિષય પર સારી કમાન્ડ હોય તો તમે ઑનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. એકવાર આ ક્લાસ શરૂ થયા પછી તમારી કમાણી વધશે. તમે બેંક, SSC થી સિવિલ સર્વિસ સુધીની તૈયારી માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી શકો છો.

કોરોના મહામારી બાદના આ યુગમાં, જો તમારી વધારાની કમાણી (Extra earnings) કરવાની ઈચ્છા હોય, તો અમે તમને ઘરે બેસીને કેટલાક એવા બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જ્યાં તમે સારી કમાણી કરી શકો છો. આ એવા બિઝનેસ છે, જેમાં વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે અને તમારી આવક પણ સારી થશે.

જો તમને અભ્યાસમાં રસ છે. જો તમારી પાસે કોઈપણ વિષય પર સારી કમાન્ડ હોય તો તમે ઑનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. એકવાર આ ક્લાસ શરૂ થયા પછી તમારી કમાણી વધશે. તમે બેંક, SSC થી સિવિલ સર્વિસ સુધીની તૈયારી માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી શકો છો. આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે ઓનલાઈન શિક્ષકોની પણ સારી માંગ છે. આવા ઘણા પ્લેટફોર્મ છે જે ઓનલાઈન કોર્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે તેમાં વધારે રોકાણની જરૂર નથી.

તમે YouTube ચેનલ દ્વારા પણ સારા પૈસા કમાઈ શકો છો. જો તમે કેમેરા ફ્રેન્ડલી છો અને તમારી પાસે જરૂરી ઉપકરણો છે તો તમે વીડિયો બનાવીને સારા પૈસા કમાઈ શકો છો. આ માટે, તમારે યુટ્યુબ પર એક ચેનલ બનાવવી પડશે અને પછી તેના પર વીડિયોઝ અપલોડ કરવા પડશે. દેશમાં ઘણી એવી ચેનલો છે જે ઘરે બેઠા જ મોટી કમાણી કરી રહી છે. તમારા વીડિયો જેટલા વધુ જોવામાં આવશે, તેટલી જ વધુ કમાણી કરશો.

જો તમને લખવાનો શોખ છે, તો તમે બ્લોગિંગ દ્વારા પણ સારી કમાણી કરી શકો છો. જો તમે મોટા પાયે બ્લોગિંગ કરવા માંગો છો, તો તમે તમારી પોતાની વેબસાઇટ બનાવી શકો છો. તેના પ્રમોશન માટે પણ ઘણા પ્લેટફોર્મ છે. જેમાં થોડા મહિનામાં કમાણી શરૂ થઈ જશે. તમે જે વિષય પર બ્લોગ લખવા માંગો છો તેના પર તમારી સારી પકડ હોવી જોઈએ. જલદી તમારો બ્લોગ વાંચનારા લોકોની સંખ્યા વધવા લાગે છે, તમે તમારા બ્લોગ પર જાહેરાત કરીને સારા પૈસા કમાઈ શકો છો.

જો તમે કપડાં, પગરખાં, ખાદ્યપદાર્થો અથવા અન્ય કોઈપણ વસ્તુ વેચવાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, પરંતુ દરરોજ દુકાનમાં બેસવું પસંદ નથી, તો તમે આ માટે ઑનલાઇન શોપિંગ વેબસાઇટ્સની મદદ લઈ શકો છો. આ માટે, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ અને અન્ય ઘણા ઓનલાઈન શોપિંગ પોર્ટલ મદદરૂપ સાબિત થઈ શકે છે, જ્યાં તમે તમારા સામાનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને વેચાણ કરી શકો છો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Start this business sitting at home

પાટિલની હાજરીમાં આજે ‘પટેલ’ વિજય મૂહર્તમાં કરશે કેસરિયો, શ્વેતા બહ્મભટ્ટ 11 વાગ્યે જોડાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

0

Shweta Bahmbhatt will join Gujarat Guardian

પાટીદાર યુવા નેતા (Patidar youth leader) હાર્દિક પટેલ (Hardik Patel) અને યુવા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt) આજે વિધિવત ભાજપમાં જોડાશે. આજે સવારે 11 વાગ્યે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (BJP office Kamalam) ખાતે સીઆર પાટીલની (CR Patil) હાજરીમાં બંને કેસરિયા કરશે. તો ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ પૂજાવિધિ પણ કરશે. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ (Durgapath) કરશે, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કરશે. હાર્દિકનાં ભાજપમાં જોડાવવાથી ભાજપનાં કેટલાક નેતાઓ તેમજ કાર્યકરો નારાજ હોવાની વાત વહેતી હતી છે પણ હજુ સુધી કોઈ મીડિયા સામે આવીને નારાજગી દર્શાવી નથી.

નોંધનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હતા અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation from Congress) આપી ચૂક્યા છે. તો શ્વેતા બ્રહ્મભટ્ટે થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે પોતાના સમર્થકો સાથે બંને ભાજપનો ખેસ ધારણ કરશે.

નોંધનીય છે કે, શ્વેવા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2000થી 2005 સુધી કોંગ્રેસના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહ્યા હતા.

મહત્વનું છે કે, હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના વિધિવત ભાજપમાં જોડાવવાને લઈને મહત્વના સમાચાર છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક  જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદલાવ થયો છે.

Shweta Bahmbhatt will join Gujarat Guardian

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

દરવાજે ઊભી હતી જાન, પરંતુ એવું તો શું થયું કે કન્યાપક્ષે લગ્ન કરવાની પાડી દીધી ના ?

0
  • bride refused to get married ?
  •  કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત અને પોલીસ સુધી પહોંચી

દુલ્હનના (Bride) હાથ પર મહેંદી રચાઇ હતી અને જાન દરવાજા પર ઊભી હતી. વરરાજા પણ સાફો બાંધીને દરવાજા સુધી પહોંચી ગયા હતા. લગ્નની વિધિ (Wedding ceremony) શરૂ થઈ ગઇ હતી. ત્યારે કંઈક એવું થયું કે અચાનક કન્યા પક્ષે લગ્ન (Marriage)કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ પરિવારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મામલો પૂર્ણિયાના (purnia) શ્રીનગર પોલીસ સ્ટેશન હેઠળની જગેલીનો છે.

ભાગલપુર જિલ્લાના પીરપંથી બ્લોકના ગોવિંદપુરના રહેવાસી રામજી શાહના પુત્ર અમિત કુમારના સોમવારે રાત્રે અહીં લગ્ન (Marriage) થવાના હતા. જાન ટેકન સાહના દરવાજે આવી પહોંચી હતી. પરંતુ અચાનક છોકરી પક્ષે કહ્યું કે આ લગ્ન નહીં (girl refused to marry) થાય. આ સાંભળીને વરપક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા. કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત સુધી પહોંચી, પંચાયત આખી રાત ચાલી પરંતુ કન્યા પક્ષના લોકો ટસના મસ થયા નહીં.

પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો મામલો :

મંગળવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો જાણવા મળ્યું કે છોકરાના લગ્ન થઈ ચૂક્યા છે અને આ તેના બીજા લગ્ન છે. વરપક્ષ આ હકીકત છુપાવીને છોકરાને બીજીવાર પરણાવી રહ્યા હતા. વરરાજા કહે છે કે તેઓએ કંઈપણ છુપાવ્યું નથી. પરંતુ 6 મહિના પહેલા તેમના પુત્રને બળજબરીથી પકડીને તેના લગ્ન કરવામાં આવ્યા હતા. બાદમાં પંચાયત યોજાઇ હતી. જેમાં લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી લગ્ન નક્કી કરીને જાન જગેલી ખાતે લઈ જવામાં આવી હતી.

જાનૈયાઓની કરાઇ સંપૂર્ણ મહેમાનગતિ

ગામના મુખિયા મો. આઝાદ હુસેને જણાવ્યું હતું કે તેમણે બંને પક્ષો સાથે વાત કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ દરમિયાન કન્યાપક્ષના દ્વારે આવેલા તમામ જાનૈયાઓને આદરપૂર્વક ખવડાવી પીવડાવી વિદાય આપવામાં આવી હતી. રાત્રે લગ્ન બંધ રહ્યા હતા. પરંતુ બંને પક્ષ સાથે વાતચીત બાદ નક્કી થયું કે, હવે યુવતી બુધવારે તે જ છોકરા સાથે લગ્ન કરશે. જાન તો જતી રહી પણ વરરાજા અને તેના પરિવારને રોકવામાં આવ્યા અને બાદમાં બંને પક્ષે લગ્ન માટે સહમતિ દર્શાવી હતી.

વરરાજાના બીજા લગ્ન માત્ર અફવા !

આ સમગ્ર ઘટના દરમિયાન એક એવી પણ વાત સામે આવી છે કે, અમુક દલાલો વરપક્ષ પાસેથી 20000 રૂપિયા વસુલવા માંગતા હતા. જ્યારે તેમને રૂપિયા ન આપ્યા તો તેમણે છોકરાના બીજા લગ્નની અફવા ફેલાવી દીધી. જ્યારે આ વાત કન્યાપક્ષ સુધી પહોંચી તો તેમણે લગ્ન માટે ના પાડી દીધી. જોકે, સત્ય બહાર આવતા બંને પક્ષો લગ્ન માટે તૈયાર થઇ ગયા છે. પોલીસ સ્ટેશનના પ્રભારી કુંદન કુમારે જણાવ્યું કે લગ્નના કોઈ જાનૈયાને બંધક બનાવવામાં આવ્યા નથી. તેનાથી ઉલટું કન્યા પક્ષે આરોપ લગાવ્યો છે કે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને તેની પુત્રીના લગ્ન પરિણીત છોકરા સાથે કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

bride refused to get married ?

ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન, જાણો પેનની વિશેષતાઓ

0

Two and a half lakh expensive pens

  • ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન જેની વિશેષતા એ છે કે, ગુજરાતમાં અઢી લાખની કીમતી મોંઘેરી પેન તો બને જ છે સાથે અયોધ્યામાં નિર્માણ પામનાર 350 મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની પ્રતિમાની આબેહૂબ કૃતિ સમક્ષ પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે.

આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે. ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્યના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી (Work professionally) જોડાયેલા છે. ગુજરાતમાં અહીં એટલે કે જામનગરમાં (fountain pen selling in Jamnagar) અઢી લાખથી વધુ કીમતી મોંઘેરી અવનવી ફાઉન્ટન પેન (fountain pen) બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે. ગુજરાતમાં અહીં બને અઢી લાખની મોંઘીદાટ પેનની માંગ ભારતમાં જ નહિ વિદેશમાં દેશમાં પણ છે।

જામનગરના ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરાના વંશજો હિરેનભાઈ કનખરા, હાર્દિકભાઈ કનખરા, કૃણાલભાઈ કનખરા અને ધરમભાઈ કનખરા દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે.