Home Blog Page 1419

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPનો મોટો પ્લાન, કર્યું એવું એલાન કે …

0

AAP’s big plan before assembly

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ મોટો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં આગામી 15 જૂનથી રાજ્યમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલાં તમામ રાજકીય પાર્ટી પોતપોતાની રીતે સક્રિય થઇ ગઇ છે. ત્યારે હવે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ આંદોલનને (Thus the Aadmi Party movement) લઇને મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં વીજળીને લઈને આમ આદમી પાર્ટી આંદોલન કરશે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) જણાવ્યું કે, ‘ગુજરાતમાં 15 જૂનથી વીજળી આંદોલન શરૂ કરાશે. ગુજરાતમાં મોંઘી વીજળીને લઇને આંદોલન શરૂ કરાશે.’

ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ : ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે. જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. BJP જેટલી પણ વખત જનતાનો વોટ મેળવે છે તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.’

16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે : ગોપાલ ઇટાલિયા

વધુમાં જણાવ્યું કે, ‘વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે, સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે AAPએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે. એટલાં માટે આવનારી 15 તારીખથી તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર ડિસ્ટ્રિક્ટના જે નેતા હશે તેઓ મીડિયા બ્રિફિંગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે. આ સાથે 16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે. જેમાં અમે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડીશું. જેમાં રેલી થશે, પદયાત્રા થશે, મસાલ યાત્રા થશે.’

અમદાવાદીઓ હવે માસ્ક વિના બહાર ના નીકળતા નહીં તો, AMC કરશે દંડનીય કાર્યવાહી

AMC will take punitive action

  • અમદાવાદમાં આજથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે AMC દંડની કાર્યવાહી કરશે.

અમદાવાદ (Ahmedabad) શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Department of Health and Department of Solid Waste Management) દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 81 કેસ નોંધાયા :

સમગ્ર દેશ અને રાજ્ય (ગુજરાત) માં ધીરે-ધીરે હવે કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા હતાં. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 81 જેટલાં કેસ નોંધાયા હતાં. ત્યારે હવેથી અમદાવાદના જાહેર સ્થળો અને ભીડભાડવાળી જગ્યાઓ તેમજ મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યાઓ ઉપર માસ્ક પહરેવું ફરજિયાત કરાયું છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેઓને AMCની ટીમ દંડ ફટકારશે.

જે પણ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે :

તમને જણાવી દઇએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે દંડની કાર્યવાહી કરાશે. જેથી હવે ફરીવાર લોકોએ માસ્ક પહેરવું પડશે. જે પણ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

અમારી લોકોને અપીલ છે કે, ‘તેઓ માસ્ક પહેરે’ : આરોગ્ય વિભાગના વડા :

નોંધનીય છે કે, આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં અલગ-અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવાર (આજ) થી કરવામાં આવશે. જેની માટે અમારી લોકોને અપીલ છે કે, ‘તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસ.ટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર લાગશે તો આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરાશે.’

અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતની ડ્રગ્સ કેસમાં ધરપકડ, બેંગલોરની હોટલમાં પાર્ટી પર પોલીસે કરી હતી રેડ 

Actress Shraddha Kapoor’s brother Siddhant’s

  • બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીનો ભાઈ અને મિત્રો બેંગલોરની એક હોટલમાં પાર્ટી કરતાં હતા અને પોલીસે રેડ પાડી

બૉલીવુડ અભિનેત્રી (Bollywood actress) શ્રદ્ધા કપૂરના (Shraddha Kapoor) ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ બેંગ્લોરની એક હોટલમાં કેટલાક લોકો પાર્ટી કરી રહ્યા હતા. જેને લઈ પોલીસ રેડ કરી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિતના લોકોને ઝડપી પાડયા હતા. જે બાદમાં તમામનો ડ્રગ ટેસ્ટ (Drug test) કરવામાં આવતા શ્રદ્ધાના ભાઈ સહિત અન્ય છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બૉલીવુડની દુનિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના પીઢ એક્ટર શક્તિ કપૂરના પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ હોવાથી તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

બેંગલોરની હોટેલમાં થઈ હતી પાર્ટી :

બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં સિદ્ધાંત કપૂર સહિતના લોકો પાર્ટી કરી રહ્યા હતા. જ્યાં પોલીસ રેડ કરી તમામના ડ્રગ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ પોલીસે તમામની ધરપકડ કરી છે.

કોણ છે સિદ્ધાંત કપૂર ? 

સિદ્ધાંત કપૂર પીઢ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંત પોતે પણ ફિલ્મ લાઈનમાં છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતની કરિયર ફ્લોપ રહી છે. ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ આજ સુધી આવી કોઈ ભૂમિકા તેમને ઓળખ આપી શકી નથી.

શ્રદ્ધા કપૂર સાથે પણ ફિલ્મ કરી છે સિદ્ધાંત કપૂરે ? 

સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી. આ ફિલ્મની હાલત પણ તેની અન્ય ફિલ્મોની જેમ ફ્લોપ રહી હતી.

શ્રદ્ધા કપૂરનું નામ પણ અગાઉ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું :

તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBના રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રધ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે, તે ઘણી વખત લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં પાર્ટીમાં ગઈ હતી. જોકે પૂછપરછ દરમ્યાન અભિનેત્રીએ NCBને જણાવ્યું હતું કે, તે પાર્ટીમાં ગઈ હતી પરંતુ તેણે ડ્રગ્સ લીધું ન હતું. શ્રદ્ધાએ ડ્રગ્સ લેવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્મ છિછોરે કરી હતી.

સપ્તાહનો પહેલો જ દિવસ કેમ બન્યો કાળો સોમવાર ? માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે કેમ તળિયે બેસી ગયો રૂપિયો.

Why Black Monday became the first

  • સપ્તાહના પહેલાં જ દિવસે માર્કેટની તબીયત લથડતી જોવા મળી રહી છે. મજામાં રહેવાને બદલે માર્કેટ અને રોકાણકારો બન્નેની હાલત હાલ તો ખરાબ થઈ ગઈ છે. શું છે તેના કારણો અને શું છે નિષ્ણાતોનું મત એ પણ વિગતવાર જાણો…

વૈશ્વિક માર્કેટમાં (Global market) થઈ રહેલાં ઘટાડાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. એજ કારણ છેકે, સપ્તાહના પહેલાં જ દિવસે 1100 અંક ગગડીને ખૂલ્યો સેન્સેક્સ. અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં (Last trading session) ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ 53,000 પોઈન્ટની નીચે સરકી ગયો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો (Mumbai Stock Exchange) ઈન્ડેક્સ સેન્સેક્સ 1356 અને નિફ્ટી 373 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો :

વૈશ્વિક શેરમાર્કેટમાં નબળી સ્થિતિની સીધી અસર ઈન્ડિયન સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. જેને કારણે ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, એવું પહેલી જ વાર બન્યુ છેકે, ડોલર સામે રૂપિયો 78 રૂપિયાની નીચે ગયો છે. રૂપિયો 34 પૈસા ઘટીને 78.18 રૂપિયા પર પહોંચી ગયો છે. વાસ્તવમાં, વિદેશી રોકાણકારોની વેચવાલી અને યુએસમાં ફુગાવાના આંકડામાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં આટલો મોટો ઘટાડો થયો હોવાનું તારણ નિષ્ણાતો આપી રહ્યાં છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકાની અસર :

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતોમાં વધારો અને શેરબજારોમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચી લીધું હોવાથી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી રૂ. 78.26 પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું તે પહેલા ડોલરની સરખામણીમાં રૂપિયો 74.62 રૂપિયા પર હતો જે 10 જૂન 2022ના રોજ ઘટીને 77.82 રૂપિયા થઈ ગયો છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ ઘણા નવા પગલા લીધા છે.

ઉલ્લેખનીય છેકે, શુક્રવારે ડાઉન 880 પોઈન્ટ અથવા 2.7 ટકા ઘટ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 2.9 ટકા અને નાસ્ડેક 3.5 ટકા ડાઉન હતો. છેલ્લા સંપૂર્ણ સપ્તાહની વાત કરીએ તો, ડાઉ અને એસએન્ડપી 500 4.6 ટકા અને 5.1 ટકા ડાઉન હતા. જ્યારે નાસ્ડેકમાં 5.6 ટકાની નબળાઈ હતી. શુક્રવારે ફુગાવાના આંકડાએ યુએસમાં મૂડ બગાડ્યો હતો. રોકાણકારોએ આર્થિક મંદીના ડરથી વેચાણ કર્યું હતું. યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગયા મહિને વાર્ષિક ધોરણે 8.6 ટકા વધ્યો હતો. ડિસેમ્બર 1981 પછી ફુગાવામાં આ સૌથી મોટો વધારો છે.

બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 120 ડોલરની નજીક છે, જ્યારે અમેરિકન ક્રૂડ પણ પ્રતિ બેરલ 118 ડોલર પર છે. યુએસમાં 10-વર્ષના બોન્ડની ઉપજ 3.199 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લગભગ 2 ટકા અને નિક્કી 225 2.64 ટકાની નબળાઈ દર્શાવે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.95 ટકા અને હેંગ સેંગ 2.68 ટકા ડાઉન છે. તાઈવાન વેઈટેડ 2.36 ટકા, કોસ્પીમાં પણ 2.77 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 1.05 ટકા નબળો પડ્યો છે.

IND vs SA : આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક ન મળવા પર ઉઠી રહ્યા છે સવાલ, ભારતને બીજી હારનો સામનો કરવો પડ્યો 

0

This player is not getting a chance

  • IND vs SA બીજી T20 : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતને સતત બીજી હાર મળી છે.

IND vs SA બીજી T20 : દક્ષિણ આફ્રિકાએ (South Africa) બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતને (India) સતત બીજી હાર મળી છે. દક્ષિણ આફ્રિકાએ હવે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારત પર 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ શરમજનક હાર માટે ટીમ ઈન્ડિયાની નબળી ટીમ સિલેક્શનને (Poor team selection) જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

ઉમરાન મલિકને પ્લેઇંગ 11માં તક મળી ન હતી :

ભારતના સૌથી ઝડપી બોલર ઉમરાન મલિકને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ અને બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી જે ખૂબ જ ખોટો અને આશ્ચર્યજનક નિર્ણય હતો. ઉમરાન મલિકને તક ન આપીને ભારતીય ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

150 KMPHની ઝડપે સતત બોલિંગ કરવામાં સક્ષમ  :

સિરીઝની શરૂઆત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમરાન મલિકની વાત કરીએ તો તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત બોલિંગ કરવામાં માહેર છે.

IPL 2022માં 22 વિકેટ :

ઉમરાન મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ચાર અને એકવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. IPLની 15મી સિઝનમાં તેની શાનદાર બોલિંગને જોઈને દરેક તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે ઉમરાનને તક ન મળી તો ફેન્સ નિરાશ થઈ ગયા.

ગુજરાત સુધી લંબાયા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનાં તાર, શૂટર સંતોષ જાધવને પોલીસે દબોચી લીધો

Assassination of Sidhu Musewala extended to Gujarat

  • પૂણે પોલીસ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ મામલે શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી અટકાયત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રની પુણે પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા (Punjabi Singer Sidhu Musewala) હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની (Santosh Jadhav) અટકાયત કરી છે. આ સાથે આ હત્યાકાંડમાં સામેલ એક શંકાસ્પદ જાધવના સાથીની પણ ધરપકડ કરી હતી. આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા)  કુલવંતકુમાર સારંગલ (Kulwant Kumar Sarangal) સોમવારે (આજે) આ અંગે મીડિયાને ધરપકડ અંગે વિસ્તૃત વિગતો આપે તેવી શક્યતા છે. પોલીસે જણાવ્યું કે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય જાધવને 2021 માં પુણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. તે એક વર્ષથી ફરાર હતો. મુસેવાલા હત્યાકાંડમાં  તેમનું અને નાગનાથ સૂર્યવંશીનું નામ સામે આવ્યું હતું.

જાધવને શોધવા પુણે પોલીસે બે ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી :

પુણે ગ્રામીણ પોલીસે તેમની શોધખોળ કાર્યવાહી વધુ ઝડપી બનાવી હતી અને 2021 ની હત્યા પછી જાધવને આશ્રય આપવાના આરોપી  સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની પણ ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે મંચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકા કેસમાં પુણે  ગ્રામીણ પોલીસે બિશ્નોઇ ગેંગના સભ્ય મહાકાલની ધરપકડ કરી હતી. મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે પણ તેની પૂછપરછ કરી હતી. પટકથા લેખક સલીમ ખાન અને તેના અભિનેતા પુત્ર સલમાન ખાનને લખેલા ધમકીભર્યા પત્રના સંદર્ભમાં પણ મુંબઈ પોલીસે મહાકાલની પૂછપરછ કરી હતી. જાધવને શોધી કાઢવા માટે પુણે પોલીસે ગયા અઠવાડિયે અનેક ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી.

 

રાજકારણના ખેલાડી સી. આર. પાટીલ અને દર્શના જરદોશ ‘ભમરડા’ની રમત રમ્યા

રાજકારણ અને સમાજકારણના ખેલાડી ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ આજે શેરીમાં ભમરડાથી રમ્યા હતા. લોકોને ભાજપ સાથે માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મંત્રીઓ અને સાંસદોને નવી પેઢીના લોકોની વચ્ચે જઈને રમત-ગમતના માધ્યમથી લોકોને પક્ષ સાથે જોડવાની સકારાત્મક વ્યૂહરચના અપનાવી છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે શાળાઓમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી, જે આજે પણ ચાલુ છે.

સામાન્ય સંજોગોમાં શેરીઓમાં જઈને માત્ર રાજકીય કે સરકારની વાતો કરવામાં આવે તો એ હવે લોકોને ગમતુ નથી અને એટલે જ રાજકીય વ્યૂહરચનાનાં માહિર વડાપ્રધાન મોદીએ હાલમાં ચૂંટણીઓનો માહોલ નથી, એવા સમયે ‘ખાલી’ એટલે કે નવરાશના દિવસોમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને લોકોની વચ્ચે જવાનો ‘ખેલ મહોત્સવ’ના નામે રસ્તો કરી બતાવ્યો છે. કદાચ શરૂઆતના દિવસોમાં આ આઈડિયા ઘણાંને અનુકુળ આવ્યો નહીં હોય, પરંતુ વડાપ્રધાનનો આદેશ હોવાથી અમલ કર્યા વગર છુટકો નહીં હોવાથી ચારે તરફ ‘ખેલ મહોત્સવ’નાં નામે સામાજિક મેળાવડા થઈ રહ્યાં હતા, પરંતુ એક વખત ખેલ મહોત્સવમાં સહભાગી બન્યા બાદ ખરેખર આનંદ આવી રહ્યો છે. કારણ કે, ‘ખેલ મહોત્સવ’માં કોઈ રાજકીય વાતો કર્યા વગર પણ પોતાનો અને પક્ષનો પ્રચાર કરવાની તક મળવા ઉપરાંત ઉગતી પેઢીનાં લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવાની તક ઊભી થઈ રહી છે. ફળશ્રૃતિરૂપે નવી પેઢીના લોકો પણ ભાજપ અને વડાપ્રધાનની વિચારધારાથી આકર્ષાઈ રહ્યાં છે. યુવાનો રમત મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે, પરંતુ ઘરે પાછા ફરે છે ત્યારે ભાજપની સકારાત્મક વિચારધારા લઈને જાય છે.

અલબત આ સામાન્ય લાગતી બાબત દીર્ઘ દૃષ્ટિથી જોવામાં આવે તો ભાજપની વિચારધારાનાં લોકોની સંખ્યામાં વધારો કરી રહી છે અને આ બાબત જ નરેન્દ્ર મોદીની ખાસીયત છે. કેન્દ્રીય મંત્રી અને સુરતનાં સાંસદ દર્શના જરદોશના મત વિસ્તારમાં પાછલાં ઘણાં દિવસોથી ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે. વળી મહત્ત્વની બાબત એ છે કે, ખેલ મહોત્સવમાં માત્ર યુવકો, પક્ષ કાર્યકરો જ નહીં. શેરી-મહોલ્લાની મહિલાઓ અને ભાજપ સાથે નાતો નહીં ધરાવતા લોકો પણ ભાગ લઈ શકતા હોવાથી સમગ્ર કાર્યક્રમ રાજકીય હોવા છતાં બિનરાજકીય તરીકે યોજાઈ રહ્યાં છે અને લોકોને પણ ખરેખર મજા આવી રહી છે. સાંસદ દર્શના જરદોશ લગભગ સમગ્ર મત વિસ્તારમાં કાર્યક્રમો પુરા કરી ચૂક્યાં છે.

ખેલ મહોત્સવમાં જુના જમાનામાં શેરીઓમાં રમાતી રમતો કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, વોલીબોલ, લીંબુ ચમચી, કાંગારુ, ભમરડા દાવ, લખોટી, ક્રિકેટ, તરણ સ્પર્ધા વિગેરે રમતો યોજવામાં આવી હતી. પરિણામે સાંસદ ખેલ મહોત્સવ લોકો માટે મનોરંજન અને ભાજપ માટે પક્ષનો સકારાત્મક પ્રચાર કરવાનું માધ્યમ બની રહ્યો છે.

દર્શના જરદોશ બાદ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલે પણ પોતાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને ભુલાઈ ગયેલી ‘ભમરડા’ની રમત ખુદ સી. આર. પાટીલ પોતે રમ્યા હતા. અલબત તેમને ‘ભમરડો’ ફેંકવાનું બરાબર ફાવ્યું નહોતું, પરંતુ રમતોત્સવમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી વગેરેએ ભમરડા ઉપર દોરી વિંટાળીને ભમરડો ફેરવી બતાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ ભમરડાની રમતમાં ભાગ લીધો હતો. સાથે મેયર હેમાલી બોઘાવાલા પણ જોડાયા હતા.

નજીકના ભૂતકાળમાં દર્શના જરદોશ અને હેમાલી બોઘાવાલાને સુરતની શેરીઓમાં રમતો રમતા ઘણાંએ જોયા હશે.
આમ પણ દર્શના જરદોશ કોલેજકાળ દરમિયાન ખુબ જ સક્રિય હતા. એ જમાનાનું સુરત ખુબ નાનુ હતું અને ચૌટાપુલનો ફોટો સ્ટુડીઓ ‘તસવીર કેન્દ્ર’ સુરત શહેરનું સૌથી મોટું આકર્ષણ હતું.

આ તરફ સી. આર. પાટીલ પણ ભૂતકાળમાં તેમની પોલીસદળની ફરજો દરમિયાન ઘણાં જાણિતા હતા અને તેમણે ભલભલા ખેલાડીઓના ‘ખેલ’ બગાડી નાંખ્યા હતા. આજે સુરત શહેરના ભૂતકાળનાં ખેલાડીઓ રાજકીય ફલક ઉપર વિસ્તરીને શહેર, રાજ્ય અને દેશનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.

ખેલ મહોત્સવ’ના આધારે શેરી, મહોલ્લાના, ગામડાંઓના લોકોના ઘર સુધી પહોંચવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આઈડિયા ખરેખર કારગત નિવડશે .

સાંસદ ખેલમહોત્સવમાં લોકોને પણ ખૂબ મજા પડી અને ભાજપે રાજકીય પ્રચાર કર્યા વગર નવી પેઢીના લોકોમાં પણ  ભાજપના બીજનું વાવેતર કરી દીધું .

કબ્બડી, ખોખો, રસ્સા ખેંચ, વોલીબોલ, લીંબુ ચમચી, કાંગારુ, ભમરડા દાવ, લખોટી, ક્રિકેટ, લાંબી દોડ, તરણ સ્પર્ધા વગેરે ભુલાઈ ગયેલી રમતો તાજી થતાં લોકો પણ ખુશ થઈ ગયા

આ રીતે પણ લોકો સુધી અને સકારાત્મક પહોંચી શકાય એવું કદાચ ભાજપના લોકપ્રતિનિધિઓએ પણ વિચાર્યું નહીં, પરંતુ લોકોની વચ્ચે પહોચ્યા પછી ચોક્કસ સુખદ અનુભવ થયો હશે.

ભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો, વડોદરાની 2 મહિલા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

Dominance of Gujaratis

  • વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા ક્રિકેટ જગતમાં ગુજરાતનું નામ ખૂબ રોશન કર્યું છે ત્યારે હવે ફરી એકવાર ભારત માટે ગૌરવ અપાવવા છે તૈયાર

ફરી એકવાર વડોદરાની (Vadodara) દિકરીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડોદરાની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયાનો (Yastika Bhatia) વનડે અને ટી 20 ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. જ્યારે રાધા યાદવની (Radha Yadav) ટી 20 ફોર્મેટમાં પસંદગી થઇ છે. શ્રીલંકા (Sri Lanka) સામેની શ્રેણી માટે બંને ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ બંને મહિલા ક્રિકેટર બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી રમે છે.

યાસ્તિકાની વર્લ્ડ કપમાં પણ થઇ હતી પસંદગી :

મહત્વનું છે કે યાસ્તિકા ભાટિયાને ક્રિકેટ પ્રત્યેનાનપણથી જ લગાવ છે. તેણે 11 વર્ષની ઉંમરમાં જ વડોદારાની અંડર-19 મા જગ્યા મેળવી લીધી હતી. 21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન – ડે , ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસો.નું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા BCA અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. ICC વિમેન્સ વન – ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022 માટે પણ યાસ્તિકાની પસંદગી થઇ હતી. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ થયો હતો.

મિથાલી રાજે લીધો સંન્યાસ :

મહત્વનું છે કે ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી બેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તેણી 23 વર્ષથી ક્રિકેટ રમે છે. ભારતને અનેક મહત્વની મેચ જિતાડીને તેણે ગૌરવ અપાવ્યું હતું.  જે બાદ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી 20માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા હરમનપ્રિતને વનડે ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે સ્મૃતિને વાઇસ કેપ્ટનશિપ સોંપાઇ છે.

BMW કારથી તોડ્યું સિગ્નલ, પોલીસ સાથે ઝઘડી યુવતી બોલી-મારા પપ્પા ધારાસભ્ય છે પછી…

0

BMW car breaks signal

કર્ણાટકમાં (Karnataka) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની (Arvind Nimbavali) દીકરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોલીસકર્મીઓ સાથે બહેસ કરતી નજરે પડી રહી છે. ટ્રાફિક સિગ્નલ (Traffic signal) તોડવા પર પોલીસે તેને રોકી હતી, ત્યારબાદ યુવતીએ પોતાના તેવર દેખાડવાની શરૂઆત કરી દીધી અને માર્ગ પર ખૂબ હોબાળો મચાવ્યો. જોકે પોલીસકર્મીઓએ તેના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવીને બધી હેકડી કાઢી દીધી. આ ઘટના બેંગ્લોરમાં રાજભવન પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, ભાજપના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની દીકરી પોતાના મિત્રો સાથે BMW કારમાં સવાર થઈને ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન તેણે રેડ લાઇટને નજરઅંદાજ કરી અને ટ્રાફિક સિગ્નલ તોડતા આગળ વધી ગઈ. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત પોલીસકર્મીઓએ તેને રોકી લીધી અને તેના પર દંડ લગાવવાની વાત કહી. પોલીસકર્મીઓ દ્વારા રોક્યા બાદ યુવતીને ગુસ્સો આવી ગયો અને માર્ગ પર જ પોલીસકર્મીઓ સાથે ઝઘડો કરવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીએ સ્થાનિક પત્રકાર અને કેમેરામેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

દલિલ કરતા યુવતીએ પોતાના પિતા ધારાસભ્ય હોવાની વાત કહી અને કારને રોકવા પર ધમકી પણ આપી. આ દરમિયાન રાજભવન તરફથી જતા માર્ગ પર જામ પણ લાગી ગયો. જોકે પોલીસે યુવતીની કોઈ વાત ન સાંભળતા તેના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવી દીધો. ત્યારબાદ તે બેકફૂટ પર આવી. યુવતીએ કહ્યું કે, તેની પાસે પૈસા નથી એટલે તેને જવા દેવામાં આવે. એ વાતથી પોલીસ ન માની, ત્યારબાદ કારમાં બેઠા તેના મિત્રએ દંડ ભર્યો.

આ આખી ઘટના ગુરુવારે સાંજે 5.15 વાગ્યાની છે, જ્યારે ટ્રાફિક પોલીસે KSCA સ્ટેડિયમ પાસે ક્વીન્સ રોડ પરથી આવી રહેલી કારને રોકવાનો પ્રયત્ન કર્યો. કારમાં ત્યાં સુધી મિન્સ્ક સ્ક્વેરમાં રાજભવન રોડ પર પ્રવેશ કરી ચૂકી હતી. એ સમય સુધી કાર અનિલ કુંબલે સર્કલ પાસે એક પોલીસ અધિકારીના વાહનને પણ ઓવરટેક કરીને આગળ નીકળી ચૂકી હતી. કારમાં બે મહિલાઓ અને 2 પુરુષ હતા, જેમની ઉંમર 20-25 વર્ષની આસપાસ હતી. એક મહિલાએ ઉતરીને સ્પષ્ટીકરણ માંગ્યું. તેના પર પોલસકર્મીએ જણાવ્યું કે, સિગ્નલ તોડવાના કારણે વાહન રોકવામાં આવ્યું છે.

આ આખા ઘટનાક્રમને શરમજનક બતાવતા જનતા દળ (સેક્યૂલર)એ કહ્યું કે, ધારાસભ્યની દીકરીએ કાયદાનું પાલન કરવાની જરૂરિયાત છે, JDSના પ્રવક્તા તનવીર અહમદે પણ કાયદાવ્યવસ્થાનું પાલન ન કરવા પર ધારાસભ્યની દીકરીની નિંદા કરી. તેમણે કહ્યું કે આ અરવિંદ નિમ્બાવલીની દીકરીનો સવાલ નથી. આ આખા ભારતમાં થઈ રહ્યું છે. સંતાનોના મનમાં પિતા નેતા હોવાનું ઘમંડ રહે છે. સંતાનોને ખબર હોવી જોઈએ કે તેના માતા-પિતા જનતાના સેવક છે. આ શરમજનક છે.

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરમાં સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

0

Megharaja’s explosive

  • અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદથી રાહ જોઇ રહ્યા હતા આખરે આજે તેનો અંત આવ્યો છે અને મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે .

ગુજરાતમાં ગરમી અને બફારા વચ્ચે લોકો મેઘરાજાના આગમન (Gujarat Monsoon 2022)ની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં જ આજે ગુજરાતમાં મેઘરાજા (Gujarat Monsoon)એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદમાં તો મોડી રાત્રે મેઘો બારેમાસ હોય તેમ મન મૂકીને વરસી (Ahmedabad Rain) રહ્યો છે. સાથે જ મેઘરાજાનના આગમનથી શહેરીજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદથી રાહ જોઇ રહ્યા હતા આખરે આજે તેનો અંત આવ્યો છે અને મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને આવતીકાલે (13 જૂન) અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી પરંતુ મેઘરાજા એક દિવસની પણ રાહ જોયા વિના અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદીઓને પાણીથી તરબોળ કરી દીધા છે. ત્યાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા કોર્પોરેશનની પ્રી મુનસુન કામગીરીની પણ પોલ ખુલી ગઇ છે.

શહેરમાં વરસાદનું આગમન થતા જ શહેરીજનો ભજીયાની લિજ્જત માણવા રસ્તા પર ઉતરી આવ્યા છે. જેના કારણે અમદાવાદના એસજી હાઇવે, ચાંદલોડિયા, નવાવાડજ, આશ્રમ રોડ, નેહરૂનગર, વટવા, વસ્ત્રાલ સહિતના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યાં જ રોડ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદના પગલે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં પણ વીજળીના કડાકા થઈ રહ્યાં છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ વીજળીના જોરદાર કડાકા પણ થઇ રહ્યા છે. સાઉથ બોપલમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અમદાવાદ પૂર્વના વસ્ત્રાલમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં જ પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી લોકોને ગરમીથી રાહત મળી છે.