Home Blog Page 1401

ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે કારોબાર

Gujarat-born business tycoon

  • શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ આયરલેંડના સૌથી ધનિક વ્યક્તિ હતા.

આયરલેંડ

શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Palonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Palonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, (Engineering, Construction,) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી (Cyrus Mistry) એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.

ગુજરાતમાં જન્મ બોમ્બેમાં નિધન :

પાલોનજી મિસ્ત્રીના બે દિકરા છે, જેમનું નામ શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી છે. શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના નાના દિકરા સાઈરસ મિસ્ત્રી વર્ષ 2012-2016ની વચ્ચે ટાટા સંસના ચેરમેન હતા. વિવાદ થતાં તેમને બોર્ડમાં કાઢી નાખવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. તેમનો જન્મ ગુજરાતમાં પારસી ફેમિલીમાં થયો હતો. અને તેમનું નિધન મુંબઈમાં થયું છે.

આયરલેંડના સૌથી અમીર વ્યક્તિ :

પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તે સૌથી અમીર આયરિશ હતા. એક રિપોર્ટ અનુસાર જેમની કુલ સંપત્તિ 28.9 બિલિયન ડોલર છે અને તે દુનિયાના 41માં સૌથી અમીર વ્યક્તિ છે. તે આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા.

ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી :

શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની મોટી જવાબદારી છે. SP ગ્રુપ પાસે ટાટા સંસમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં જઈને સેટલ થયો હતો. ત્યાર બાદ પોતાની ભાગીદારી વેચવા માગતા હતા. આ મામલે બે કોર્પોરેટ ગ્રુપ આમને સામને આવી ગયા છે.

આ પણ વાંચો –

  • ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

 

ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

0

Gujarat has become a hookah bar

  • રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા

અમદાવાદ

ગુજરાતનું (Gujarat) યુવાધન બરબાદીના રવાડે ચઢી રહ્યું  છે. યુવાધન નશાના (Youth intoxication) ધુમાડામાં વહી રહ્યા છે. જો સમયસર લગામ લગાવવામાં નહિ આવે તો ગુજરાતનુ ભવિષ્ય બરબાદ થઈ જશે. અત્યાર સુધી અમદાવાદના કેટલાક કેફેની બહાર ડ્રગ્સ (Drugs) વેચાતુ હતું. ત્યારે હવે તો અમદાવાદમાં (Ahmedabad) જાહેરમાં હુક્કો પીવાનો (Drinking hookah) ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના એક ગાર્ડનમાં જાહેરમાં હુક્કા પીવાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માંડ 14-15 વર્ષના કિશોરો મણિનગર જેવા ભરચક વિસ્તારના એક ગાર્ડનમાં હુક્કો પીતા પકડાયા હતા. એક જાગૃત મહિલાએ તેનો વીડિયો બનાવીને શેર કર્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઇસનપુર આવકાર હોલ પાસે એક ગાર્ડન આવેલું છે. રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા. ગાર્ડનમા આવતા અન્ય બાળકો પર તેની વિપરીત અસર પડે તેથી જાગૃત નાગરિકોએ તેમને અટકાવ્યા હતા. ત્યારે કિશોરો ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, આ કિશોરોમાં કોઈ પ્રકારના ગભરાટ કે સંકોચ દેખાયો ન હતો. લોકોના વઢવા પર તેઓ હુક્કો પીતા પીતા જ ત્યાંથી નીકળી ગયા હતા.

જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેણે કહ્યુ કે, હુ દર રવિવારે મારા સંતાનોને લઈને અહી આવુ છું. અહી સ્મોકિંગ તો આસપાસ થતુ જ હોય છે. પહેલીવાર મેં અહી યુવકોને હુક્કો પીતા જોયા હતા. મેં તેમને ટોક્યા હતા. આ રવિવારે ફરીથી આવુ બન્યુ છે. આ વખતે મેં તેમનો વીડિયો ઉતાર્યો હતો. અમે ગાર્ડનમાં સંતાનોને રમાડવા માટે લઈ આવીએ છીએ ત્યારે તેઓ આવુ જુએ તો તેમના માનસ પર ખોટી અસર પડે. નાના બાળકો આ વિશે સવાલ પૂછે કે આ યુવકો શુ કરતા હતા, તો અમે શુ જવાબ આપવો.

એક જાગૃત યુવકે કહ્યુ કે, ગાર્ડનમાં છોકરાઓ રમી રહ્યા હતા, ત્યારે કેટલાક કિશોરો દ્વારા હુક્કો પીવાયો હતો. રવિવાર હોવાથી ગાર્ડનમાં ભીડ હતી, ત્યારે જ વચ્ચે આ કિશોરો હુક્કો પીતા હતા. લોકોના ટોકવા બાદ કિશોરો હુક્કો લઈને ભાગી ગયા હતા.

સમગ્ર મામલે ઈસનપુર પોલીસની બેદરકારી સામે આવી છે. જાહેરમાં આ રીતે હુક્કો પીવાય ત્યારે પોલીસ શુ કરતી હતી, આ વીડિયોને લઈને પોલીસ શુ કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો –

 

સુપ્રીમની રાહતથી શિવસેનાના બળવાખોરો ગેલમાં, હવે ફ્લોર ટેસ્ટની માગણીનો તખ્તો

0

Shiv Sena rebels in Gail

  • ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માગતી ઉદ્ધવ સરકારના હાથ સુપ્રીમમા હેઠા પડયા, ફ્લોર ટેસ્ટ માટે સ્ટે પણ ના મળ્યો .

મુંબઈ

શિવસેનાના (Shiv Sena) બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) આજે એક મોટી કાનૂની રાહત  રુપે તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) બ્રેક લગાવી દીધી છે. ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) દ્વારા બળવાખોરોને તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક કેમ ના ઠેરવવા તેની નોટિસનો જવાબ આપવાની મુદ્દત આજે સાંજે પૂર્ણ થતી હતી તે હવે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી લંબાવી આપી છે.

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ યોજવા પર પણ સ્ટે આપવાની માગણી કરતાં બળવાખોરોનું હવેનું પગલું રાજ્યપાલને ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે તેની રજૂઆત કરી ફ્લોર ટેસ્ટની માગણી કરવાનું રહેશે. ભાજપ પણ પોતાની સાથે ૧૭૦ ધારાસભ્યોના ટેકો હોવાના દાવા સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરી શકે છે. બીજી તરફ શિવસેનાએ બળવાખોરો પર આક્રમણના ભાગરુપે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે પરંતુ રાઉતે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.

બળવાખોરો પક્ષની મીટિંગમા નહીં આવ્યા હોવાથી તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માગણી શિવસેનાના નવા દંડક તરફથી ડેપ્યુટી સ્પીકરને કરવામાં આવી હતી. તેના સંદર્ભમાં ડેપ્યુટી સ્પીકરે બંડખોર ધારાસભ્યોને નોટિસ ફટકારી સોમવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

જોકે,ડેપ્યુટી સ્પીકરને તેમની કાર્યવાહીમાં આગળ વધતા અટકાવવા શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. બળવાખોરોને બહુ મોટી રાહત રુપે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે ડેપ્યુટી સ્પીકરની ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને તા. ૧૧ જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્ય સરકારે ફ્લોર ટેસ્ટ પર સ્ટેની માગણી કરી હતી પરંતુ તે પણ ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે આવી કોઈ કાર્યવાહીમાં કશું ગેરકાયદેસર થયું છે તેમ જણાય તો ત્યારે કોર્ટનો સંપર્ક સાધી શકાય છે.  સાથે સાથે સુપ્રીમ કોર્ટે બંડખોર ધારાસભ્યોના જીવન, મુક્તિ અને મિલ્કતોના સંરક્ષણનો પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમના આ ચુકાદાથી બળવાખોરો ગેલમાં આવી ગયા હતા. બળવાખોરોના નેતા એકનાથ શિંદેએ આ નિર્ણયથી બાળા સાહેબ ઠાકરેના વિચારોની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે હાલ ધારાસભ્ય પદ બચી ગયું હોવાથી હવે પછીનાં પગલાં તરીકે બળવાખોરો રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાની જાણ કરશે. ધારાસભ્યોએ ગુવાહાટીની હોટલમાં એક ઠરાવ કરી મહા વિકાસ આઘાડી સરકારને ટેકો પાછો ખેંચવાનું ઔપચારિક એલાન કર્યું હતું. આ ઠરાવની રાજ્યપાલને જાણ કરવાની સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરાશે. બીજી તરફ, ભાજપ પણ ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે અને પોતાને શિવસેનાના બળવાખોરો સહિત ૧૭૦ ધારાસભ્યોનો ટેકો છે તેમ જણાવી ફ્લોર ટેસ્ટની માગણી કરશે. સુપ્રીમે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપ્યો નથી અને આવા સ્ટે માટે હુકમ કરાવનું રાજ્યપાલની સત્તા હેઠળ હોવાથી રાજ્યપાલ વહેલી તકે તે દિશામાં નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમના ચુકાદાને પગલે ભાજપ દ્વારા માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બેઠક બાદ  ભાજપના નેતા સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ભાજપ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જ છે અને શિંદે તરફથી સમર્થન અંગે કોઈ પત્ર ભાજપને મળ્યો નથી.

આ વૈધાનિક લડાઈ વચ્ચે ઉદ્ધવ સરકારે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં હતાં અને તે બાકીના પ્રધાનો વચ્ચે વહેંચી દીધા હતાં. ઉદ્ધવ સરકારમાં હવે શિવસેના વતી ઉદ્ધવ પોતે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને વયોવૃદ્ધ નેતા સુભાષ દેસાઈ એમ ચાર જ પ્રધાનો રહ્યા છે. તેમાંથી માત્ર આદિત્ય જ વિધાનસભ્ય છે જ્યારે બાકીના ત્રણેય વિધાન પરિષદના સભ્ય છે.

અન્ય એક ઘટનાક્રમ રુપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પત્રાચાલ કૌભાંડ બાબતે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ મોકલાયા હતા. જોકે, રાઉતે આ બધું રાજકીય કાવતરું છે અને પોતે અલીબાગમાં એક કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર નહી રહે એમ સાફ સાફ જણાવી દીધું હતું.

રાજ્યમાં ઝડપભેર સર્જાઈ રહેલી રાજકીય ઘટનાઓ વચ્ચે શિવસેનાના કાર્યકરો અને બળવાખોર સમર્થકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે. કોલ્હાપુરમાં બળવાખોર મંત્રી પાટિલ યાદ્રવરકર અને શિવસેનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાતાં પોલીસે તેમને છૂટા પાડવા લાઠીચાર્જ કરવો પડયો હતો. થાણે સહિતના વિસ્તારોમાં પણ બળવાખોરોના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું.

આ પણ વાંચો –

 

49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલ

Millions of rupees

  • માસ્ટર માઈન્ડ “મુસ્કાન” : 49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા

ઉતરપ્રદેશ :

સહારનપુરની (Saharanpur) મુસ્કાન (Muskan) પર 49થી વધુ બિઝનેસમેન, ડોક્ટર અને પ્રોફેશનલ્સને (Professionals) ફસાવીને લાખોની છેતરપિંડી (Fraud) કરવાનો આરોપ છે. મુસ્કાને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપને લોકો સુધી પહોંચવાનું માધ્યમ બનાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મુસ્કાન વિરુદ્ધ 2020 અને 2022માં બે વખત FIR દાખલ કરવામાં આવી છે. હાલ તે જામીન પર જેલની બહાર છે.

કાશીના ગોલા ઘાટ રામનગર ભીટીની રહેવાસી મુસ્કાન બે વર્ષ પહેલા સહારનપુર આવી હતી. અહીં આવ્યા બાદ તે બ્લેકમેલિંગના ધંધામાં લાગી ગઈ હતી. તેની ગેંગમાં 6 લોકો છે. જેમાં 2 યુવતીઓનો સમાવેશ થાય છે. નેટ પરથી મળેલા નંબરો દ્વારા તે લોકોને પ્રેમની જાળમાં ફસાવતી હતી. તેમનું રેકેટ સહારનપુરથી શરૂ થયું અને 4 મહિનાની અંદર મુઝફ્ફરનગર, શામલી, નજીબાબાદ, બિજનૌર, મેરઠ અને મુરાદાબાદ સહિતના ઘણા શહેરોમાં પહોંચ્યું. પોલીસ રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં 49 થી વધુ લોકો ભોગ બન્યા છે.

25 નવેમ્બર 2020ના રોજ, થાણા મંડીમાં એક પ્રોપર્ટી ડીલર પ્રેમની જાળમાં ફસાઈ ગયો. તેની પાસે પૈસાની માંગણી કરી હતી. જો માંગ નહીં સંતોષાય તો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. વેપારી પકડાયો ન હતો. પોલીસની મિલીભગતથી તેના પર બળાત્કારનો ગુનો નોંધાયો હતો. આ પછી તેના પર છેડતી અને હનીટ્રેપનો કેસ પણ થયો. જોકે કોર્ટના આદેશ પર પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. 23 જૂન 2022ના રોજ પણ મુસ્કાનને ધરપકડ બાદ જામીન મળી ગયા હતા.

28 મે 2022ના રોજ અન્ય પ્રોપર્ટી ડીલરે SSPને ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, એક યુવતીએ તેના પુત્રને જીમમાં તેના પ્રેમ પ્રકરણમાં ફસાવી દીધો હતો. જે બાદ પૈસાની માંગણી કરી હતી. પૂરા થવા પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાની ધમકી આપી હતી. જેનાથી તેનો પુત્ર ડરી ગયો હતો. દીકરાએ આખી વાત પિતાને કહી.

પુત્રએ જણાવ્યું કે, તે જીમમાં એક છોકરીને મળ્યો હતો. પછી પરસ્પર સંપર્ક વધવા લાગ્યો. એકાંત સ્થળે બોલાવ્યા. અહીં મને શર્ટ ઉતારવાનું કહ્યું. ત્યારપછી વાંધાજનક હાલતમાં મારી અનેક તસવીરો લેવામાં આવી હતી. આ પછી કોલ પર 8 લાખ રૂપિયા માંગ્યા. કેટલાક પૈસા પણ આપ્યા હતા. મુસ્કાનની ગેંગમાં આલિયા, તેના પતિ શાહજાદા અને માનવવરનો સમાવેશ થાય છે. તેમનું કામ ઈન્ટરનેટની મદદથી નવા લોકોના નંબર શોધવાનું છે. જેથી તેમને હનીટ્રેપમાં ફસાવી શકાય.

પોલીસ રેકોર્ડમાં શંખલાપુરીના શહઝાદ, આર્યનગરના નરેન્દ્ર, ખાતાખેડીના અકબર, પીકી ગામના સુભાષ, તાહિર, મુકાવિલ, નદીમ અને ગ્રીન સિટીના જુલ્ફાનને તેનો શિકાર બનાવવામાં આવ્યા છે. તેમની પાસેથી કેટલી રકમની છેતરપિંડી થઈ છે તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. આ સમાચાર લખતી વખતે મુસ્કાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –

FASTag fraud fact check : જાણો કાર સાફ કરતી વખતે FASTagમાંથી પૈસા સાફ કરવાના વાયરલ વીડિયોનું સત્ય

0

FASTag fraud fact check

  • હાલમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ FASTagમાં રહેલી રકમની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ કરી છે. અનેક લોકો વિચારી રહ્યા છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર રકમ કેવી રીતે કપાઈ ગઈ. આ મામલે તપાસ કરતા એક અલગ જ મામલો સામે આવ્યો છે. આ મામલા સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટોલ પ્લાઝા (Toll Plaza) પર ટોલની ચૂકવણી કરવા માટે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર તરફથી ફાસ્ટેગ (FASTag)ની શરૂઆત કરવામાં આવી હતી. ફાસ્ટેગની મદદથી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ પ્લાઝા પર ઊભા રહ્યા વગર ટોલ ટેક્સની ચૂકવણી કરી શકાય છે. આ પરિસ્થિતિમાં ટોલ પ્લાઝા પર વધુ સમય સુધી રાહ જોવી પડતી નથી. હેકર્સ હવે ફાસ્ટેગ એકાઉન્ટ (Fastag account) પર નજર રાખી રહ્યા છે અને તેની ઉઠાંતરી કરી રહ્યા છે.

નવી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી :

ટોલ કલેક્શન સિસ્ટમમાં પહેલા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાઓ દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી સમગ્ર દેશમાં ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2014માં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (ફાસ્ટેગ) સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સ્કીમને વિસ્તારિત કરવામાં આવી હતી.

હેકર્સે હેક કરી સિસ્ટમ :

FASTag કોઈ ઓફિશિયલ ટેગ પાર્ટનર બેન્કમાંથી ખરીદી શકાય છે. વાહનો પર હવે FASTag લગાવવો જરૂરી છે. જેથી ટોલ પ્લાઝા પરથી પસાર થઈએ તો સ્કેનર આ ફાસ્ટેગને સ્કેન કરી લે છે અને એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે. હેકર્સ હવે ખૂબ જ એક્ટીવ થઈ ગયા છે અને તેઓ ફાસ્ટેગમાંથી પણ પૈસા કાઢી રહ્યા છે.

અલગ જ મામલો સામે આવ્યો :

હાલમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ FASTagમાં રહેલી રકમની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ કરી છે. અનેક લોકો વિચારી રહ્યા છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર રકમ કેવી રીતે કપાઈ ગઈ. આ મામલે તપાસ કરતા એક અલગ જ મામલો સામે આવ્યો છે. આ મામલા સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે આ વીડિયો કેટલો સાચો છે તેની પુષ્ટી gujaratguardian કરતું નથી.

આ પ્રકારે ચોરી થાય છે :

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાળક કારને સાફ કરવાના બહાને કાચ સુધી પહોંચી જાય છે. ત્યાર બાદ બાળક પોતાનો હાથ કાચ પર લાગેલ ફાસ્ટેગ પર વારંવાર ફેરવી રહ્યો છે. જેના પરથી લાગે છે કે, બાળક કારને સાફ કરી રહ્યો છે, પરંતુ તે કાચ પર લાગેલ ફાસ્ટેગને સ્કેન કરીને એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે.

ફાસ્ટેગમાંથી પૈસા કપાવા લાગે છે :

બાળકે હાથમાં ઘડિયાળ જેવું કોઈ ગેઝેટ પહેર્યું છે. આ એક સ્કેનર છે, આ સ્કેનરથી જેટલી વાર ફાસ્ટેગ પર ફેરવવામાં આવે છે, તેટલી વાર ફાસ્ટેગમાંથી પૈસા કપાવા લાગે છે. સ્કેનરમાં એમાઉન્ટ પણ ફિક્સ કરી દેવામાં આવે છે અને તે અનુસાર રકમ કપાવા લાગે છે. જ્યાં સુધીમાં મોબાઈલ ફોનમાં મેસેજ આવે ત્યાં સુધીમાં બાળક કાર સાફ કરીને ત્યાંથી જતો રહે છે.

જોકે FASTag NETC તરફથી આ મામલે એક ટ્વીટ કરીને જાણાવવામાં આવ્યું છે કે ફાસ્ટેગનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યુ છે કે, નમસ્તે, NETC FASTag વ્યવહારો ફક્ત સંબંધિત ભૌગોલિક સ્થાનોથી NPCI દ્વારા ઓનબોર્ડ કરાયેલા નોંધાયેલા વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે. કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહાર શરૂ કરી શકશે નહીં. તે એકદમ સલામત છે.

આ પણ વાંચો –

 

 

આ તારીખ પહેલા ભરી દેજો Income Tax નહીં તો ભરવો પડશે દંડ !  

0

Income Tax before

  • જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ-16 મળ્યું હોય તો વિલંબ કર્યા વગર ભરી દો. જો તમે સમયમર્યાદા પહેલા ન ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ કરદાતાઓ જ્યારે આવકવેરાની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પર રિટર્ન ફાઈલ કરે છે, ત્યારે તેનો લોડ વધી જાય છે.

જો તમે આવકવેરા (Income Tax)ના દાયરામાં નથી આવતા તો પણ ચોક્કસથી ITR ભરો. આપને જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ 2021-22 (Financial Year 2021-22) અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ભરવાની (Filing ITR) શરૂઆત 15 જૂન 2022થી થઈ ગઈ છે. જો તમે હજી સુધી રિટર્ન ફાઇલ (Return File) કર્યું નથી તો તેને છેલ્લી તારીખ (Last Date for ITR Filing) પહેલા ભરી શકો છો.

જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ-16 મળ્યું હોય તો વિલંબ કર્યા વગર ભરી દો. જો તમે સમયમર્યાદા પહેલા ન ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ કરદાતાઓ જ્યારે આવકવેરાની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પર રિટર્ન ફાઈલ કરે છે, ત્યારે તેનો લોડ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આવકવેરા ફાઇલિંગમાં સમસ્યાઓથી બચવા માંગતા હો તો પછી છેલ્લી ઘડીની રાહ જોશો નહીં.

આ તારીખ પહેલા ભરો રીટર્ન :

નાણાંકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે કોઈ પણ પ્રકારની લેટ ફી વગર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે. જો તમે સમયમર્યાદા પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પછી કલમ 234-એ હેઠળ અને આવકવેરાની કલમ 234-એફ હેઠળ તમારે દંડ સાથે ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે.

શું છે ડેડલાઇન ?

પર્સનલ એચયુએફ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે, જ્યારે ઓડિટની જરૂર હોય તેવા લોકો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2022 છે. જ્યારે જે વ્યવસાયોને ટીપી રિપોર્ટની જરૂર હોય છે, તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2022 છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ રીટર્ન ફાઇલ કરો છો, તો પછી તેને ભરવામાં થોડી ઝડપ રાખવી જોઇએ.

લેટ ફાઇલ કરવા પર દંડ થશે :

જો તમે વિભાગ દ્વારા નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો. તો તમારે 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે. પરંતુ જો કરદાતાની કુલ કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી હોય તો રૂપિયા 1000ની પેનલ્ટી ફી ભરવાની રહેશે.

આ પણ વાંચો –

 

28 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકો ભોળાનાથની અસીમ કૃપાથી ધંધામાં પાર કરશે સફળતાના શિખર

June 28, 2022, Horoscope :  Gujarat Guardian

મેષ રાશિ-
લોકોના વિશ્વાસ પર ખરા ઉતરશે. સરળતાથી કામ કરવાથી ધંધો આગળ વધશે. સારી માહિતી પ્રાપ્ત થશે. સુવિધાઓમાં વધારો થશે. નોકરી ધંધામાં સમય આપશે. યોજનાઓ બનશે.

વૃષભ રાશિ-
લક્ષ્ય પર ફોકસ રાખો. વ્યાવસાયિકો અને ઉદ્યમીઓ વધુ સફળ થશે. ધંધાકીય પ્રવૃત્તિઓને વેગ આપો. નફો અપેક્ષા કરતા સારો રહેશે. નજીકના લોકો મદદરૂપ થશે. વિવિધ કેસ તરફેણમાં કરવામાં આવશે. વિશ્વસનીયતામાં વધારો થશે.

મિથુન રાશિ-
આર્થિક પ્રવૃતિઓમાં સરેરાશ કરતા સારૂ રહેશે. વ્યાવસાયિક પ્રયાસોમાં ગતિ જાળવી રાખશો. કરિયર બિઝનેસ યથાવત્ રહેશે. વિવિધ મામલાઓ તરફેણમાં રહેશે. દરેકનો સહયોગ રહેશે. ખર્ચ અને રોકાણ વચ્ચે સંતુલન રાખો.

કર્ક રાશિ-
નાણાકીય લાભ વધુ સારો થશે. સ્પર્ધાની ભાવના રહેશે. વ્યવસાયિક હિતોને પ્રોત્સાહન મળશે. શુભતાનો સંચાર થશે. પ્રોફેશનલ ઑફર્સ પ્રાપ્ત થશે. તક ઝડપી લેશે. સંસાધનોમાં વધારો થશે.

સિંહ રાશિ-
કામમાં સારા પરિણામ મળશે. વહીવટી કાર્ય આગળ ધપાવશો. પેન્ડિંગ કેસોમાં ઝડપ આવશે. સકારાત્મકતા ધાર પર રહેશે. દરેકનો સહયોગ મળશે. કરિયર બિઝનેસમાં તેજી આવશે. સંબંધો સુધરશે. સર્જનાત્મક વિચારસરણી રહેશે. ઓફર્સ મળશે.

કન્યા રાશિ-
સરળતા અને સંવાદિતા સાથે આગળ વધીશું. સ્માર્ટ રીતે કામ કરતા રહેશે. વ્યવસાયિક સ્થિતિ સકારાત્મક રહેશે. વ્યવહારમાં સંતુલન રહેશે. કરિયરમાં ઉન્નતિ થશે. વ્યવસાયિકતા પર ભાર મૂકવામાં આવશે. અનુભવી લોકોની સલાહ લેશો. તમને સહયોગ મળશે.

તુલા રાશિ-
ઉદ્યોગમાં ધીરજ બતાવો. પરિસ્થિતિ પર નિયંત્રણ રાખો. અણધારીતા રહી શકે છે. વિવિધ બાબતો સામાન્ય રહેશે. જવાબદારીઓ પર વિશ્વાસ રાખો. નમ્ર બનો.

વૃશ્ચિક રાશિ-
સ્માર્ટ વર્કિંગ અપનાવો. કાર્ય યોજનાઓ સફળ થશે. પ્રવૃત્તિમાં વધારો થશે. મહત્વપૂર્ણ તકો મળશે. સારી ઑફર્સ મળશે. અનુભવીઓ સાથે સંપર્ક વધશે. કરિયર બિઝનેસમાં પ્રવૃત્તિ થશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. સંબંધો વધુ મજબૂત થશે. મોટા પ્રયાસોને વેગ મળશે. નફામાં વધારો થશે.

ધનુ રાશિ-
તમને કામ કરવાની ઓફર મળશે. સાથીઓનો સહયોગ મળશે. વિવિધ બાબતોમાં ધીરજ રાખો. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. સંપર્ક અને સુમેળ રહેશે. કરિયર બિઝનેસમાં સાવધાન રહો. નાણાકીય બાજુ પર ધ્યાન આપો. લોભ ટાળો.

મકર રાશિ-
શિસ્ત સાથે કામ થશે. સિસ્ટમ પર ભાર મૂકવામાં આવશે. કામ ધંધામાં ગતિ લાવશે. સહકર્મીઓ પર વિશ્વાસ વધશે. મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. સંબંધોમાં ફાયદો થશે. સાથીઓ હિંમત વધારશે. સ્પષ્ટતા હશે. આવકમાં વધારો થશે. શિસ્ત જાળવશે.

કુંભ રાશિ-
નોકરી ધંધામાં શુભતાનો સંચાર થશે. લાભદાયક સ્થિતિ રહેશે. વ્યવસાયિક રીતે કામ કરશે. યોજનાઓમાં ગતિ આવશે. સાહસિક પ્રયાસ કરવામાં આવશે. બાંધકામ પર ભાર મૂકવામાં આવશે. નફો સામાન્ય કરતા સારો રહેશે. સુવિધાઓમાં વધારો થશે.

મીન રાશિ-
સિદ્ધિઓમાં વધારો થશે. સારી માહિતી શેર કરશો. વાણિજ્યિક બાબતો તરફેણમાં આવશે. નાણાકીય બાજુ મજબૂત રહેશે. સંગ્રહ સંરક્ષણ પર ભાર મૂકશે. કામ ધંધામાં સમર્પિત રહેશે. સમય મર્યાદા રાખો. સંબંધોમાં ફાયદો થશે. સંબંધીઓનો સહયોગ મળશે.

આ પણ વાંચો –

દેશી ગર્લ પ્રિયંકાએ અમેરિકામાં શરુ કર્યો વધુ એક બિઝનેસ; રેસ્ટોરન્ટ બાદ હવે આ ક્ષેત્રે ઝંપલાવ્યું

Desi girl Priyanka

નવી મુંબઇ,

બોલીવુડ પછી હોલીવુડમાં (Hollywood) પણ પોતાના ટેલેન્ટથી અલગ સ્થાન પ્રાપ્ત કરનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) હવે બિઝનેસ કરવાનુ મન બનાવી લીધું છે. હા, દેશી ગર્લ (Desi Girl) હવે અમેરિકામાં (America) પોતાનો વધુ એક બિઝનેસ શરુ કરવા જઇ રહી છે.

અમેરિકામાં પ્રિયંકા ચોપરાની ભારતીય રેસ્ટોરન્ટ SONA શરૂ કર્યા બાદ હવે બીજો બિઝનેસ શરૂ કર્યો છે. આ પ્રખ્યાત અભિનેત્રીએ હવે Sona Home નામની નવી વેંચર સ્ટાર્ટ કરી રહી છે. આ માહિતી અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને આપી હતી. આ વેંચરમાં ક્રોકરીઝ, હોમ ડેકોર સિવાય ઘણી બધી સેવાઓ મળશે.

પ્રિયંકા ચોપરાએ એક ઈન્સ્ટાગ્રામ વીડિયો કર્યો શેર  :

સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ રહેતી અભિનેત્રીએ ઇન્સામાં વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી.વીડિયોનીમાં પ્રિંયકાની સાથે કો- ફાઉન્ડર મનીષ ગોયલ પણ નજરે આવ્યા હતા.વીડિયો શેર કરતાં પ્રિયંકાએ કહ્યું કે,” લોન્ચ ડે આવી ગયો છે, હું તમને બધાને SONA Home સાથે પરિચિત કરાવતી વખતે ગર્વ અનુભવી રહી છું. પણ મારી આ યાત્રાએ મને એવા સ્તાને પહોંચાવી દીધી છે, જ્યાં મને સારા મિત્રો અને પરિવાર મળ્યો, હું જે પણ કંઇ કરુ છુ તેમાં ભારતનો ભાગ જરુર હોય છે, અને આ એજ વિચારનો વિસ્તાર છે”.

આ પણ વાંચો –

કોંગ્રેસશાસિત રાજસ્થાન પર અંબાણી-અદાણી થયા મહેરબાન, આટલાં કરોડ રોકાણ કરવાની દર્શાવી તૈયારી 

0

Ambani-Adani were kind

  • કોંગ્રેસશાસિત રાજસ્થાન પર અંબાણી-અદાણી થયા મહેરબાન.

રાજસ્થાન

રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિતના તમામ કોંગ્રેસી નેતાઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi government) પર નિશાન સાધવા માટે મુકેશ અંબાણી (Mukesh Ambani) તથા ગૌતમ અદાણીનું (Gautam Adani) નામ લે છે. કોંગ્રેસીઓ દ્વારા આ સરકાર પર અંબાણી-અદાણીની સરકાર હોવાનો આરોપ લગાવવામાં આવે છે. ત્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતના (Ashok Gehlot) નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ‘ઈન્વેસ્ટ રાજસ્થાન’ અંતર્ગત જે સૌથી મોટા રોકાણ પ્રસ્તાવો મળ્યા છે તેમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી જૂથ તથા મુકેશ અંબાણીની અધ્યક્ષતાવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રસ્તાવનો સમાવેશ થાય છે.

આ અંગે કરવામાં આવેલી એક આરટીઆઈ (RTI)ના જવાબમાં બ્યુરો ઓફ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન (BOIP) દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંને કોર્પોરેટ હાઉસે ડિસેમ્બર 2021 અને માર્ચ 2022 દરમિયાન લેટર ઓફ ઈન્ટેટ (LOI)/MOUમાં 1.68 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેના રોકાણનું વચન આપ્યું હતું. તે 9,40,453 કરોડ રૂપિયાના આશરે 18 ટકા છે.

તેમ છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર ક્રોની કેપિટલિઝમનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેબ્રુઆરી મહિના દરમિયાન લોકસભામાં અદાણી તથા અંબાણીને ભારતીય અર્થતંત્રના ફેલ રહેલા ‘ડબલ એ વેરિએન્ટ’ તરીકે પરિભાષિત કર્યા હતા. અગાઉ પણ તેમણે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર આ પ્રકારના કટાક્ષ કર્યા હતા.

આ પણ વાંચો –

IRE vs IND : ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

0

Bhuvneshwar Kumar made history

  • ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડ વિરુદ્ધ 3 ઓવરમાં એક મેડન સાથે 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. ભુવીએ પ્રથમ ઓવરમાં જ આયર્લેન્ડના કેપ્ટનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

આયર્લેન્ડ

ભારત અને આયર્લેન્ડ (India and Ireland) વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી10 મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) ઈતિહાસ રચતા એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભુવીએ પોતાની 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. ભુવનેશ્વર કુમારને આયર્લેન્ડ (Ireland) વિરુદ્ધ એકમાત્ર વિકેટ પાવરપ્લેમાં મળી અને તે ટી20 ક્રિકેટમાં પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં સૈમુઅલ બદ્રી (Samuel Badri) અને ટિમ સાઉદીને (Tim Southee) પાછળ છોડી દીધા છે.

ભુવીને એકમાત્ર વિકેટ યજમાન ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબર્નીના રૂપમાં મળી, તેને ભુવીએ પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભુવીના નામે ટી20 આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં હવે 34 વિકેટ થઈ ગઈ છે અને તે પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ  વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે.

T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ :

34 વિકેટ – ભુવનેશ્વર કુમાર
33 વિકેટ – સેમ્યુઅલ બદ્રી
33 વિકેટ – ટિમ સાઉદી
27 વિકેટ – શાકિબ અલ હસન
27 વિકેટ – જોશ હેઝલવુડ

ભુવનેશ્વર કુમારના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો તેણે 65 મેચમાં 65 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રન આપી પાંચ વિકેટ રહ્યું છે.

જો મેચની વાત કરીએ તો વરસાદને કારણે મુકાબલો મોડો શરૂ થયો હતો. 12-12 ઓવરના આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યજમાન ટીમ માટે ટેક્ટરે 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. જેની મદદથી આયર્લેન્ડે ભારતને 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દીપક હુડ્ડાના 29 બોલમાં અણનમ 47 રનની મદદથી ભારતે 16 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. હવે બંને ટીમ વચ્ચે અંતિમ ટી20 મુકાબલો 28 જૂને રમાશે.

આ પણ વાંચો –