HomeInternationalગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં...

ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે કારોબાર

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Gujarat-born business tycoon

  • શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ આયરલેંડના સૌથી ધનિક વ્યક્તિ હતા.

આયરલેંડ

શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Palonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Palonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, (Engineering, Construction,) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી (Cyrus Mistry) એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.

ગુજરાતમાં જન્મ બોમ્બેમાં નિધન :

પાલોનજી મિસ્ત્રીના બે દિકરા છે, જેમનું નામ શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી છે. શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના નાના દિકરા સાઈરસ મિસ્ત્રી વર્ષ 2012-2016ની વચ્ચે ટાટા સંસના ચેરમેન હતા. વિવાદ થતાં તેમને બોર્ડમાં કાઢી નાખવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. તેમનો જન્મ ગુજરાતમાં પારસી ફેમિલીમાં થયો હતો. અને તેમનું નિધન મુંબઈમાં થયું છે.

આયરલેંડના સૌથી અમીર વ્યક્તિ :

પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તે સૌથી અમીર આયરિશ હતા. એક રિપોર્ટ અનુસાર જેમની કુલ સંપત્તિ 28.9 બિલિયન ડોલર છે અને તે દુનિયાના 41માં સૌથી અમીર વ્યક્તિ છે. તે આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા.

ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી :

શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની મોટી જવાબદારી છે. SP ગ્રુપ પાસે ટાટા સંસમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં જઈને સેટલ થયો હતો. ત્યાર બાદ પોતાની ભાગીદારી વેચવા માગતા હતા. આ મામલે બે કોર્પોરેટ ગ્રુપ આમને સામને આવી ગયા છે.

આ પણ વાંચો –

  • ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

 

Subscribe

Latest stories

spot_img