Home Blog Page 1315

રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સરકારી યોજના છે બેસ્ટ, જાણો કેટલો થશે ફાયદો

0

If you are planning to invest, this government

  • રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સરકારી યોજના છે અને તેમાં પૈસા રોકવામાં કોઈ જોખમ નથી રહેતું.

જો તમારે તમારા પૈસાનું રોકાણ (Investment of money) કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સરકારી યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોકાણકારો (Investors) માટે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ (Deposit Scheme) ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સરકારી યોજના છે અને તેમાં પૈસા રોકવામાં કોઈ જોખમ નથી રહેતું.

મોટાભાગના લોકોને પોસ્ટ ઓફિસની યોજનાઓમાં વધુ વિશ્વાસ હોય છે. લોકો પોસ્ટ ઓફિસ અને બેંક એમ બે જગ્યાએ વધુ રોકાણ કરે છે અને બંનેમાં ફરક માત્ર એટલો છે કે પોસ્ટ ઓફિસમાં રોકાણ હંમેશા સુરક્ષિત રહે છે અને રિફંડ મેળવવાની સંપૂર્ણ ગેરંટી રહે છે.

એક લાખના રોકાણ પર 1,39,407 રૂપિયા :

જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસમાં 1 થી 5 વર્ષ સુધી Term Deposit Scheme નો લાભ તમે ઉઠાવી શકો છો કેમ કે આ એક નાની બચત યોજના (Small Savings Scheme) છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં 5 વર્ષ માટે 6.7% વાર્ષિક વ્યાજ દર મળે છે.

એટલે કે જો તમે 5 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે ટર્મ ડિપોઝિટમાં 1 લાખ રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવો છો તો Term Depositના વ્યાજ દર અનુસાર 5 વર્ષ પછી 139407 રૂપિયા મળશે. તેમાં એક વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની મુદતની થાપણો પર વાર્ષિક 5.5% વ્યાજ દર છે.

કોન ખોલાવી શકે છે ખાતું :

પોસ્ટ ઓફિસની આ યોજનામાં કોઈપણ ભારતીય ખાતું ખોલાવી શકે છે પણ તેની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ માનસિક રીતે નબળા છે તેઓ પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરીને તમે પછી તેમાં કોઈપણ રકમ મૂકી શકો છો.

આ ઉપરાંત ખાસ જણાવી દઈએ કે 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સમાં પણ છૂટ મળે છે. જો કે 6 મહિના પૂરા થયા પછી તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમ બંધ પણ કરાવી શકો છો.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 19 સપ્ટેમ્બર : વૃષભ રાશિના જાતકો પર મહાદેવની રહેશે મહેરબાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today’s Horoscope September 19: Taurus zodiac sign

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવરમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનાે સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવરમાં લાગણી શીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઈ-બહેનોની તબિયત સાચવવી. કર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજીંગ, કોમ્યુનિકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવંુ જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલિંગ તથા પાાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

જિંદગીની છેલ્લી પિકનિક : અમદાવાદના 2 યુવકોનું ઝાંઝરી ધોધમાં ડૂબતાં મોત, મેઘાણીનગરના હતા રહેવાસી

0

Last picnic of life : 2 youths

  • અમદાવાદના 2 યુવકો પિકનિક દરમિયાન ઝાંઝરી ધોધમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યાં હોવાના કરુણ સમાચાર સામે આવી રહ્યા છે.

અરવલ્લી (Aravalli) જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરીના ધોધમાં (Zanzri Falls) ડુબવાની વધુ એક ઘટના સામે આવી છે. જ્યા અમદાવાદથી પિકનિક માટે આવેલા 2 વ્યક્તિઓ નહાવા પડ્યા હતા. જે ધોધના જળપ્રવાહમાં ડૂબ્યાં બાદ બંને વ્યક્તિઓના મોત નિપજતા સનસનાટી મચી ગઇ છે. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.

અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ આવ્યા હતા :

અરવલ્લીના બાયડના ઝાંઝરી ધોધમાં નહાવા પડેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોચ્યા હતા. જે દરમિયાન ભોગીયા ધરામાં 6  વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા.

જેમાં જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના બચાવના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. અને બનેના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વધુમાં વતનમાં આ વાવડ મળતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.

મહત્વનું છે કે આ અગાઉ મે મહિનામાં ઈદના તહેવારોની રજાઓને લઈને અમદાવાદના યુવાનો ઝાંઝરીમાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં ઝાંઝરીના ધોધમાં નહાવા પડેલા અમદાવાદના ત્રણ યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો :-

ફ્લાઇંગ બાઇકની બુકિંગ શરૂ, 40 મિનિટ સુધી ઊડી શકે છે હવામાં, આટલી છે કિંમત, જાણો કયાં બુકિંગ કરવી શકો છે 

Booking of flying bike starts, can fly up to 40 minutes

  • ડેટ્રોઇટ ઓટો શો 2022માં હવામાં ઉડતી બાઇક જોવા મળી હતી અને ત્યારથી આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રસ્તા પર ચાલતી બાઇક હવામાં ઊડે એ જોવું કેટલું રોમાંચક હશે નહીં ? સામાન્ય રીતે બાઇકને રસ્તા પર ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે પણ ટેક્નોલોજીના (Technology) આ યુગમાં હવે બાઇક હવામાં પણ ઉડવા લાગી છે. દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક (Flying bike) હવામાં ઉડતી નજર આવી છે.

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇકે અમેરિકામાં તેનું ડેબ્યુ કર્યું છે. દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTurismo એક હોવરબાઇક છે. ડેટ્રોઇટ ઓટો શો 2022માં હવામાં ઉડતી બાઇક જોવા મળી હતી અને ત્યારથી આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેટલી હશે સ્પીડ ? 

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTURISMO છે અને આ અનોખી બાઇક 40 મિનિટ સુધી હવામાં ઉડવા માટે સક્ષમ છે. જો આ બાઈકની સ્પીડની વાત કરીએ તો તે 62 mphની સ્પીડ સુધી હશે અને આ વિશે સત્તાવાર રીતે ઓક્ટોબર 2021 માં જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકામાં પહેલીવાર જોવા મળેલી આ બાઇકને ‘ડાર્ક સાઇડ ઓફ લેન્ડ સ્પીડર’ નામ આપવામાં આવ્યું છે.

કેટલી છે બાઈકની કિંમત ? 

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTURISMO જાપાનની AERWINS Technologies દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ કંપની એર મોબિલિટી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે  અને આ કંપનીએ જાપાનમાં જ XTURISMO તૈયાર કર્યું છે. Airwins Technologiesના સ્થાપક અને ડિરેક્ટર Shuhei Komatsu તેને 2023 સુધીમાં યુએસ માર્કેટમાં લોન્ચ કરવા માંગે છે. XTurismo ની કિંમત વિશે વાત કરીએ તો  હાલમાં 7,70,000 ડોલરમાં એ વહેંચાઈ રહી છે.

આ રીતે ડીઝાઈન કરી :

બાઇકની ફ્યૂચરિસટીક ડિઝાઇનને છેલ્લા બે વર્ષથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાઇડરને સુરક્ષિત રાખવા માટે તેમાં વિવિધ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

હાલમાં આ બાઇક સિંગલ રાઇડર બાઇક છે. XTURISMO ની ડિઝાઇન વિશે વાત કરીએ તો તેની બોડી બાઇક જેવી લાગે છે પણ હેલિકોપ્ટરની જેમ હવામાં ઉડે છે અને સુરક્ષિત લેન્ડિંગ માટે સ્કિડ લગાવવામાં આવ્યું છે.

ખરીદવા માટે કરવું પડશે આ કામ :

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક  XTURISMOને ખરીદવા માટે AERWINS Technologiesની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓર્ડર કરી શકાય છે.  હાલમાં લિમિટેડ એડિશનમાં ઉપલબ્ધ છે અને તે રેડ, બ્લૂ અને બ્લેક એમ ત્રણ રંગોમાં મળશે. આ બાઇકને ખરીદવા માટે તમારે 6 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો :-

પાંચ બાળકોની માતાએ પ્રેમ લગ્ન કર્યા, પ્રેમીને પણ છે પાંચ બાળકો; 10 બાળકો થયા અનાથ

0

Mother of five married for love, lover also has

  • રાજસ્થાનમાં લવ મેરેજનો એક અનોખો કિસ્સો સામે આવ્યો. એક મહીલાએ તેના પતિ અને પાંચ બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે.

રાજસ્થાનમાં (Rajasthan) લવ મેરેજનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહીલાએ તેના પતિ અને પાંચ બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. મહીલાના પ્રેમીને (A lover of women) પણ પાંચ બાળકો છે. આ લગ્નથી 10 બાળકો માતાના પ્રેમથી વંચિત થઈ ગયા છે.

મહીલાએ તેના બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધા છે. પ્રેમીના પાંચ બાળકો અને તેની પહેલી પત્નીને તેના દાદા-દાદીએ રાખી લીધા છે. પ્રેમીના પિતાએ પુત્રના આ પગલાથી નારાજ થઈને તેને પરિવારમાંથી બેદખલ કરી દીધો છે.

મૌસમ ખાન પણ પરિણીત છે :

પોલીસના અનુસાર, મામલો રાજસ્થાનના અલવર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. હરિયાણાના તાવડુની રહેવાસી મહીલા નૂરજહાંના લગ્ન 2007માં અલવર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના જાજોર વાસના રહેવાસી તૈયબ ખાન સાથે થયા હતા.

લગ્નના 15 વર્ષ બાદ નૂરજહાંએ 5 બાળકોને છોડીને અલવરના તૂલેડા ગામના રહેવાસી તેના પ્રેમી મૌસમ ખાન સાથે લગ્ન કરી લીધા છે. મૌસમ ખાન પણ પરિણીત છે, તેને પણ પાંચ બાળકો છે.

માતા છોડીને જવા લાગી તો રડવા લાગ્યા બાળકો :

નૂરજહાં જ્યારે તેના બાળકોને બાળ સંરક્ષણ આયોગના સભ્યો પાસે છોડીને પ્રેમી સાથે તેના ઘરે જવા લાગી તો બાળકો રડવા લાગ્યા હતા. તે માતાની પાછળ ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસ અને બાળ કલ્યાણ સમિતિના સદસ્યો લાચાર હતા. તેમણે બાળકોને બાળગૃહ મોકલી દીધા.

બીજી તરફ મૌસમ દ્વારા પ્રેમીકા સાથે લગ્ન કર્યા બાદ તેના માતા-પિતાએ તેમના પૌત્રો અને પુત્રવધૂને તેમની પાસે રાખી લીધા હતા. તેમણે સદર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને મૌસમને પરિવારથી બેદખલ કરી દીધો છે.

પ્રેમીને તેના પિતાએ પરિવારમાંથી બેદખલ કર્યો :

મૌસમના પિતાએ પોલીસને કહ્યુ કે, જે વ્યક્તિ તેની પત્ની અને બાળકોનો ના થયો, તે ઘરડા મા-બાપનો શુ થશે. એટલા માટે અમે તેને ઘર અને સંપત્તિમાંથી બેદખલ કરીને તેને ત્યજી દીધો છે. અલવરના સદર પોલીસ સ્ટેશનના એએસઆઈ બ્રહ્મ પ્રકાસે કહ્યુ કે, નૂરજહાં અને મૌસમ ખાન ગુરૂવારની રાતે જયપુર હાઈકોર્ટ દ્વારા પ્રોટેક્શન લઈને અલવર આવ્યા હતા.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

નૂરજહાંનું કહેવુ છે કે, તેણે 3 મહીના પહેલા જયપુરમાં મૌસમ સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હવે તે 4 બાળકોને બાળ સંરક્ષમ સમિતિને સોંપીને જવા માંગે છે. એક બાળક હરિયાણામાં છે. તે ત્યાં મજૂરી કરે છે.

નૂરજહાંએ કહ્યુ,‘ઘણા વર્ષો સુધી પૂર્વ પતિને સહન કર્યો’ :

સદર પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ સમિતિએ નૂરજહાંને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ પર પહેલા તો તે બાળકોને સાથે રાખવા તૈયાર થઈ પરંતુ પછી પોતાની વાત પરથી ફરી ગઈ.

નૂરજહાંએ તેના પૂર્વ પતિ પર આરોપ લગાવ્યો કે તે એક ટ્રક ડ્રાઈવર છે. તે ઘરે આવે છે અને પાછો જતો રહે છે. ન તેની સંભાળ રાખે છે ન તો બાળકોની. તે દરરોજ દારૂ પીને આવે છે. એવામાં ઘણા વર્ષો તેને સહન કર્યો. પરંતુ હવે નહી.

આ પણ વાંચો :-

ચંદીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ 60 છોકરીઓનો નહાતી વખતનો વીડિયો કર્યો વાયરલ પછી ન થવાનું થયું

0

A student in Chandigarh University made a video

  • મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીમાં (Chandigarh University) બપોરે 2.30 વાગ્યે હંગામો થયો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ 60 વિદ્યાર્થિનીનો નહાતી વખતનો વીડિયો બનાવીને અન્ય એક યુવકને મોકલી દીધો હતો.

યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા (Internet Media) પર વાયરલ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાની જાણ થતાં જ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો (suicide) પ્રયાસ કર્યો હતો. આ કેસમાં આરોપી વિદ્યાર્થિને કસ્ટડીમાં લેવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, એક વિદ્યાર્થિ લાંબા સમયથી અન્ય વિદ્યાર્થિનીઓના નહાતી વખતના વીડિયો બનાવી રહી હતી અને તેને શિમલાના એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયોઝ ઈન્ટરનેટ મીડિયા પર મુક્યા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓએ ઈન્ટરનેટ મીડિયા પર તેમનો વીડિયો જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ પર મામલો દબાવવા માટે દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ અંગે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી.

ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થિએ શનિવારે મોડી રાત્રે ચંદીગઢ યુનિવર્સિટીને ઘેરી લીધી અને ‘વી ફોર જસ્ટિસ’ના નારા લગાવવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર યુવતીને હોસ્ટેલના એક રૂમમાં બંધ રાખવામાં આવી છે, જેથી તેના પર હુમલો ન થાય.

હંગામો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડે મુખ્ય દરવાજો બંધ કરી દીધો, તેમજ પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટ્સે પીસીઆર વાહનો પણ પલટી નાખ્યા હતા અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો મોટો હોવાથી પોલીસ પ્રશાસન પણ કંઈ બોલી રહ્યું નથી.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ બાબતે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ મેનેજમેન્ટે આ મામલે મૌન સેવ્યું હતું. તેમણે આ બાબતે કોઈને પણ કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો :

થેલો ખોલ્યો તો અંદરથી દોઢ મહિનાની બાળકી નીકળી, ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર દીકરીને મરવા છોડીને ચાલી ગઈ મા

0

When the bag was opened, a one-and-a-half-month-old baby

  • ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં થેલામાંથી દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

કળીયુગના (Kali Yuga) એંધાણ અને માનવતા અસ્તિત્વ સામે સવાલો ઊભા કરે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચ (Bharuch) નજીક નેશનલ હાઈવે (National Highway) પરથી પસાર થતી મહિલાને એક થેલો નજરે પડ્યો હતો. આ થેલો ઉપયોગમાં લેવા માટે મહીલાએ (Women) થેલો ખોલતા મહીલાના પગ નીચેથી જામીન સરકી ગઇ હતી.

કારણ કે એમાંથી દોઢ માસની ફૂલ જેવી નવજાત બાળકી મળી આવી હતી. આથી મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

 થેલામાંથી દોઢ માસની બાળકી મળી આવી : 

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો. આ દરમિયાન શાંતાબેન રાઠોડ નામના મહિલા ત્યાંથી પસાર થતા હતા. જેને આ થેલો કામ લાગે તેવો હોવાથી તે થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો.

મહિલાએ થેલાની ચેઇન ખોલીને જોતાં અંદરથી અંદાજે દોઢ માસની બાળકી મળી આવી હતી આ ઘટનાને લઈને ચકચાર મચી ગઇ હતી.

પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી આવ્યો :

આથી માસુમ બાળકીને શાંતાબેન રાઠોડે વ્હાલ કરીને રમાડીને શાંત કરી હતી. ત્યારબાદ બાળકીના મોઢાના ભાગે ખોડખાપણ હોવાનું સામે આવ્યું હતું. આથી જ તેના માતા પિતાએ તેને બાળકીને નિર્દયતાથી તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.

ત્યારબાદ આ અંગે સ્થાનિકો દ્વારા ઇમર્જન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને માસૂમને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

વરસાદને લઇને ફરીવાર હવામાન વિભાગે કરી આગાહી, આજે આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

0

The Meteorological Department has again

  • ગુજરાતમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીવાર મેઘરાજાની પુન:પધરામણી થઇ છે. ત્યારે હવામાન વિભાગે આજે ફરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદની (The rain) ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓેને મેઘરાજા (Maharaja) ધમરોળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની હોવાને લઈને વરસાદનું જોર વધશે. રાજ્યમાં હજુ પણ સારા વરસાદની સ્થિતિ યથાવત છે. આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે એટલે કે આજે અને સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતના દ્વારકા, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.

24 કલાકમાં 16 તાલુકામાં મેઘરાજા વરસ્યા :

અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય કપરાડા, વલસાડમાં સવા 2 ઈંચ વરસાદ, પારડીમાં પોણા બે ઈંચ જ્યારે ગણદેવીમાં 1.5 ઈંચ, ખેરગામમાં સવા ઈંચ, જેસર અને તળાજામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.

નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે વરસાદ :

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસશે.

જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. તદુપરાંત હવામાન વિભાગે હાલ પૂરતી ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે કે, ચોમાસું જલ્દી વિદાય નહીં લે તો કદાચ આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે.

આ પણ વાંચો :-

ફક્ત 225 રૂપિયાનું રિચાર્જ કરાવી મેળવો લાઈફ ટાઈમની વેલિડિટી, આ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન

0

Get lifetime validity by recharging just 225 rupees

  • જો તમારા સ્માર્ટફોનમાં વેલિડિટી સમાપ્ત થવાને લઈને કોઈ ટેન્શન જ ના રહે તો શું થશે? અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન્સ વિશે જે ગ્રાહકોને ખૂબ જ સસ્તા પડશે.

જો તમારા સ્માર્ટફોનની (smartphone) વેલિવડિટી સમાપ્ત થઈ જાય છે તો તમને તમને મુશ્કેલી થઈ શકે છે. મોટાભાગના લોકોને એ યાદ પણ નથી હોતું કે તેમના પ્લાનની વેલિડિટી (Validity of the plan) પૂરી થઈ ગઈ છે અને તેમને ફરીથી રિચાર્જ કરાવવું પડશે. માટે લોકો એવો પ્લાન ઇચ્છે છે જેમાં તેમને આજીવન વેલિડિટી મળે અને વારંવાર રિચાર્જ (Recharge) કરાવવાના ટેન્શનમાંથી પણ રાહત મળે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો આજે અમે તમને માર્કેટમાં સૌથી સસ્તો લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો અને સાથે જ ખૂબ જ ખુશ પણ થઈ જશો. તો ચાલો જાણીએ કયો છે આ લોન્ગ વેલિડિટી પ્લાન અને કઈ કંપની તેને ઓફર કરી રહી છે.

કયો છે આ લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન

અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે MTNL દ્વારા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં તમારે રૂ.નું રિચાર્જ કરવું પડશે. આ પછી, તમને લાઇફ ટાઇમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે અને તમારે સિમ બંધ થવાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમને આ પ્લાન પસંદ આવ્યો હોય, તો તમે તેને એક્ટિવેટ કરાવી શકો છો.

આ પ્લાનમાં કયા કયા બેનિફિટ્સ મળશે ? 

જેવું અમે તમને જણાવ્યું કે આ પ્લાનની કિંમત 225 રૂપિયા છે. તમે જાણવા માગો છો કે આમાં શું ફાયદા આપવામાં આવ્યા છે. તો તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં યૂઝર્સને 100 કૉલિંગ મિનિટ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં ગ્રાહકોને વૉઇસ કૉલિંગ માટે 0.02 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરવામાં આવે છે.

જે એક પ્રકારે ખૂબ જ સસ્તુ કહી શકાય. સૌથી મોટો બેનિફિટ તો એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને આખા લાઈફટાઈમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે જેથી તમારે ટેન્શન લેવાની જરૂર નથી પડતી.

આ પણ વાંચો :-

સૂર્ય રાશિ પરિવર્તન : આજે સૂર્ય પોતાની સ્વગૃહી રાશિ સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જાણો તમારા જીવનમાં શું ફેરફાર આવશે

Surya Rashi Change: Today the

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનાે દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે

આ પણ વાંચો :-