Home Blog Page 1313

Gold Silver Price Today : સોનાની કિંમતો સતત ઘટાડા તરફ, તહેવાર પહેલા કેટલું ઘટશે ?

0

Gold Silver Price Today: Gold prices continue

  • આજે આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.33 ટકા ઘટીને 49,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ તૂટીને રુ. 49 હજાર આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવ થોડા ઉપર ચડ્યા છે.

સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.33 ટકા ઘટીને 49,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.14 ટકા વધીને 56,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate) :

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.33 ટકા ઘટીને 49,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.14 ટકા વધીને 56,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price) :

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,215 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6976 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

અરેરે એક શ્વાન પર આવો જૂલમ ! જોધપુરના ડોક્ટરે કાર સાથે બાંધીને દોડાવ્યો, લોહિલુહાણ

0

Alas, oppression on a dog! Doctor from

  • રાજસ્થાનના જોધપુર શહેરના એક ડોક્ટરે અબોલ પ્રાણી સાથે ક્રૂરતા આચરી તેનો એક વીડિયો વાયરલ થયો છે.

રાજસ્થાનના (Rajasthan) જોધપુર શહેરમાં પાલતૂ શ્વાન (Pet dogs) સાથે ડોક્ટરની કૂરતાની ઘટના બની છે. ડોક્ટરે કૂતરાને પોતાની કાર સાથે દોરડાથી બાંધીને જોધપુરની (Jodhpur) ગલીઓમાં દોડાવ્યો હતો. હવે તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. માનવતાને શરમાવે તેવા આ વીડિયો અને ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ડોક્ટર સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે.

જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાની કરતૂત :

રવિવારે સવારે જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાએ કૂતરાના ગળામાં દોરડું બાંધીને તેને કાર સાથે બાંધી દીધો હતો પછી કાર ચાલુ કરીને ભગાવી મૂકી હતી અને તેને ઢસડાવું પડ્યું હતું. કાર સ્પીડમાં દોડતી હોવાથી કૂતરો પોતાનો જીવ બચાવવા મરણિયા દોડતો રહ્યો. દોડતી વખતે કૂતરો ઘણી વખત પડી ગયો હતો અને લોહી નીકળ્યું હતું અને તેને ઈજા થઈ હતી.

કેટલાક યુવાનો વચ્ચે બાઈક લાવીને શ્વાનને બચાવ્યો  :

કેટલાક યુવકોએ આ જોયું તો તેમણે કારની સામે બાઇક રોકીને કૂતરાને બચાવી લીધો હતો. ડોક્ટરે કહ્યું કે આ કૂતરો તેના ઘરની આસપાસ ભસે છે. તેઓ તેને કોર્પોરેશનના એન્ક્લોઝરમાં છોડી દેવા જઈ રહ્યા છે. ડોક્ટરની કૂતરાને લઈ જવાની રીત એટલી ક્રૂર હતી કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

એનિમલ કેર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અપર્ણા બિસાએ જણાવ્યું હતું કે, જ્યારે આ કૃત્ય માટે ડોક્ટરને રોકવામાં આવ્યા ત્યારે ડોક્ટર તેમને રોકનાર યુવકો સાથે ઝગડો કર્યો હતો.

સમાચાર મળતાં પ્રાણીઓ માટે કામ કરતી એનજીઓની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, ત્યારે ડોક્ટર તેમની સાથે પણ લડવા લાગ્યા. ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવક અને એનજીઓ કાર્યકર્તાઓને મદદ કરી કૂતરાને ડોક્ટરની ચુંગાલમાંથી છોડાવવા માટે મદદ કરી હતી.

આ પણ વાંચો :-

નેતા માટે પ્રતિબંધ ! ‘પ્રચાર માટે કોઈ નેતાએ આવવું નહીં’, સોસાયટીમાં નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધના લાગ્યા પોસ્ટર

0

Prohibition for the leader! ‘No leader should come

  • બોટાદમાં ગટર, સફાઇ અને શેરીઓમાં પેવર બ્લોકના આભાવને લઇને હાઉસિંગ સોસાયટીમાં નેતાoને ‘નો એન્ટ્રી’ના પોસ્ટર લાગ્યા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. ત્યારે બોટાદની સોસાયટીમાં રાજકીય લોકો માટે નો એન્ટ્રીના (No entry) બોર્ડ લાગતા રાજકીય ગરમાવો આવ્યો છે. પ્રાથમિક સમસ્યાને (The primary problem) લઇને ચૂંટણી પૂર્વે લોકો લડી લેવાના મૂડમાં છે. ગટર, સફાઇ અને બ્લોક નાખવાની કામગીરી વર્ષોથી લટકતી હોવાથી લોકોનો આક્રોશ આસમાને  છે.

જાણવા મળતી વિગત અનુસાર બોટાદ શહેરમાં ચૂંટણી પૂર્વે અધ્ધરતાલ રહેલા પારાવાર પ્રશ્નોના નિરાકરણ સ્થાનિકોએ તંત્ર સામે બાયો ચડાવી છે. આ વિસ્તારમાં ગટર, સફાઈ અને બ્લોક નાખવાની કામગીરી લાંબા સમયથી અટકી પડી છે. અનેક વખત રજૂઆત કરવા છતા પણ જવાબાદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આથી લોકો ન્યાયની માંગ સાથે રોષે ભરાયા છે.

સોસાયટી બહાર ‘નો એન્ટ્રી‘ના પોસ્ટર :

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા કર્મચારીઓ અને વેપારીઓમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ વિસ્તારના લોકોએ પ્રશ્નોનું નિરાકરણ ના થાય તો કોઈપણ રાજકીય પક્ષોના આગેવાનો ચૂંટણી પ્રચારના નામે આ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહિ.

તેવી ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી છે. સોસાયટીમાં રાજકારણીઓ માટે “નો એન્ટ્રી” ના બેનરો લગાવી દેતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.  બીજી તરફ  લોકોના આ વિરોધે જવાબદારોની પોલ પણ ખોલી નાખી છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં છપ્પન વર્ષની ઉંમરે મહિલા એવું કામ કરતા પકડાઈ કે મોટા ગુનેગારો પણ શરમાય

0

In Ahmedabad, at the age of fifty-six,

  • પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે, મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે.

અમદાવાદમાં (Ahmedabad) જાણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ રોજબરોજ ચોરી, મર્ડર અને છેડતીથી લઇ ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક મહિલાની ધરપકડ કરી છે જેની ઉમર 56 વર્ષની છે પરંતુ 56 વર્ષની ઉંમરમાં પણ આવું કામ કરતી હતી કે મોટા મોટા ગુનેગારને (Criminal) શરમાવી દે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં રહેતી મહિલાની ધરપકડ કરી છે જે પોતાના ભાઈની સાથે કારમાં ચોરી કરવા નીકળતી હતી અને ચોરી કરીને ફરાર થઈ જતી હતી.

મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલા 20 દિવસ પેહલા પોતાના ભાઈ સાથે કારમાં નીકળી સેટેલાઈટમાં આવેલ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ હરિત ઝવેરીના ત્યાં મુલાકાત લઈ સોનાના દાગીના જોવાના બહાને સોનાની બંગડી નજર ચૂકવીને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેને લાઈન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે અને તે સિવાય વર્ષ 2020માં એલિસબ્રીજ અને સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીના કેસમાં પકડાઈ ગયેલ છે અને જે મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

હાલમાં આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આ મહિલા આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરી છે કે કેમ અને આ મહિલા સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ કિસ્સાથી અન્ય જ્વેલર્સના માલિકોને સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

 

હૃદય વલોવી નાખનારી ઘટના, પત્નીની લાશ ખોળામાં રાખીને પતિને કરવી પડી 500 કિમી ટ્રેનની સફર

0

Heartbreaking incident, husband had to travel

  • બિહારના ઔરંગાબાદ જિલ્લામાં એક પતિને ખોળામાં પત્નીની લાશ રાખીને ટ્રેનની 500 કિમી મુસાફરી કરવી પડી હતી.

બિહારના (Bihar) ઔરંગાબાદ (Aurangabad) જિલ્લાનો રહેવાશી નવીન હૃદયરોગની સારવાર માટે પત્ની ઉર્મિલાને પંજાબના લુધિયાણા (Ludhiana) લઈને ગયો હતો. લુધિયાણાથી પાછા આવતા તેણે પત્ની સાથે ઔરંગાબાદની ટ્રેન પકડી હતી પરંતુ રસ્તામાં ફરી વાર ઉર્મિલાની તબિયત બગડી હતી અને થોડીવારમાં પત્નીનું મોત થયું હતું.

બીજો કોઈ હોત તો ત્યાંને ત્યાં મરણને શરણ થઈ જાત પરંતુ જે બન્યું તે બન્યું માનીને નવીન હિંમત ધારણ કરી અને કોઈ જોઈ ન જાય એટલે પત્નીની લાશને ખોળામાં લઈ લીધી અને તેની પર એક ચાદર ઓઢાડી દીધી એટલે કે બાજુના પ્રવાસીઓને કંઈ ડાઉટ ન જાય. કારણ કે નવીનને એવી બીક હતી કે જો આ વાતની જાણ બાજુવાળા મુસાફરોને થઈ જશે તો તેને લાશ સાથે ઉતારી મૂકવામાં આવશે અને પછી તે ઘેર કેવી રીતે જશે.

આ રીતે પત્નીની લાશ ખોળામા રાખીને નવીને 500 કિલોમીટરની સફર પૂરી કરી હતી. પરંતુ અંતે કેટલાક પ્રવાસીઓને શક પડતા રેલવે સ્ટેશને જાણ કરાઈ હતી અને ત્યાર બાદ રેલવે પોલીસ દ્વારા નવીન અને તેની પત્નીની ડેડબોડીને ઉતારી લેવાઈ હતી અને એમ્બ્યુલન્સ દ્વારા તેના ગામ રવાના કરાઈ હતી.

ટ્યૂશન કરીને પતિને ઘર ચલાવવામાં મદદ કરી હતી ઉર્મિલા :

આ ઘટનાથી ભાંગી પડેલા નવીને જણાવ્યું કે, તેના લગ્ન અરવલ જિલ્લાની રહેવાસી ઉર્મિલા સાથે થયા હતા. નવીન એક ફેક્ટરીમાં કામ કરે છે જ્યારે તેની પત્ની બાળકોને ટ્યુશન આપે છે અને તેમની મદદ કરે છે. નવીને જણાવ્યું કે તેમની પત્ની હૃદયની બીમારીથી પીડાતી હતી. જેના માટે તેઓ તેમને સારવાર માટે લુધિયાણા લઈ ગયા હતા.

શુક્રવારે રાત્રે જ્યારે તે ટ્રેનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેની પત્ની બીમાર પડી ગઈ હતી અને તેણે દમ તોડી દીધો હતો. મુસાફરોની ફરિયાદના પગલે ટ્રેનના કર્મચારીઓ અને શાહજહાંપુર જીઆરપીને જાણ કરવામાં આવી હતી.

ટ્રેન જ્યારે શાહજહાંપુર પહોંચી ત્યારે અહીં પ્લેટફોર્મ પર રેલવે પોલીસ પહેલેથી જ હાજર હતી. પોલીસે યુવક અને તેની પત્નીની લાશ નીચે ઉતારી હતી. પોસ્ટ મોર્ટમ બાદ એમ્બ્યુલન્સ દ્વારા લાશને તેના ગામ તરફ રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સરકારી યોજના છે બેસ્ટ, જાણો કેટલો થશે ફાયદો

0

If you are planning to invest, this government

  • રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સરકારી યોજના છે અને તેમાં પૈસા રોકવામાં કોઈ જોખમ નથી રહેતું.

જો તમારે તમારા પૈસાનું રોકાણ (Investment of money) કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સરકારી યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોકાણકારો (Investors) માટે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ (Deposit Scheme) ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સરકારી યોજના છે અને તેમાં પૈસા રોકવામાં કોઈ જોખમ નથી રહેતું.

મોટાભાગના લોકોને પોસ્ટ ઓફિસની યોજનાઓમાં વધુ વિશ્વાસ હોય છે. લોકો પોસ્ટ ઓફિસ અને બેંક એમ બે જગ્યાએ વધુ રોકાણ કરે છે અને બંનેમાં ફરક માત્ર એટલો છે કે પોસ્ટ ઓફિસમાં રોકાણ હંમેશા સુરક્ષિત રહે છે અને રિફંડ મેળવવાની સંપૂર્ણ ગેરંટી રહે છે.

એક લાખના રોકાણ પર 1,39,407 રૂપિયા :

જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસમાં 1 થી 5 વર્ષ સુધી Term Deposit Scheme નો લાભ તમે ઉઠાવી શકો છો કેમ કે આ એક નાની બચત યોજના (Small Savings Scheme) છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં 5 વર્ષ માટે 6.7% વાર્ષિક વ્યાજ દર મળે છે.

એટલે કે જો તમે 5 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે ટર્મ ડિપોઝિટમાં 1 લાખ રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવો છો તો Term Depositના વ્યાજ દર અનુસાર 5 વર્ષ પછી 139407 રૂપિયા મળશે. તેમાં એક વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની મુદતની થાપણો પર વાર્ષિક 5.5% વ્યાજ દર છે.

કોન ખોલાવી શકે છે ખાતું :

પોસ્ટ ઓફિસની આ યોજનામાં કોઈપણ ભારતીય ખાતું ખોલાવી શકે છે પણ તેની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ માનસિક રીતે નબળા છે તેઓ પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરીને તમે પછી તેમાં કોઈપણ રકમ મૂકી શકો છો.

આ ઉપરાંત ખાસ જણાવી દઈએ કે 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સમાં પણ છૂટ મળે છે. જો કે 6 મહિના પૂરા થયા પછી તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમ બંધ પણ કરાવી શકો છો.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 19 સપ્ટેમ્બર : વૃષભ રાશિના જાતકો પર મહાદેવની રહેશે મહેરબાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today’s Horoscope September 19: Taurus zodiac sign

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવરમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનાે સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવરમાં લાગણી શીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઈ-બહેનોની તબિયત સાચવવી. કર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજીંગ, કોમ્યુનિકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવંુ જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલિંગ તથા પાાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

જિંદગીની છેલ્લી પિકનિક : અમદાવાદના 2 યુવકોનું ઝાંઝરી ધોધમાં ડૂબતાં મોત, મેઘાણીનગરના હતા રહેવાસી

0

Last picnic of life : 2 youths

  • અમદાવાદના 2 યુવકો પિકનિક દરમિયાન ઝાંઝરી ધોધમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યાં હોવાના કરુણ સમાચાર સામે આવી રહ્યા છે.

અરવલ્લી (Aravalli) જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરીના ધોધમાં (Zanzri Falls) ડુબવાની વધુ એક ઘટના સામે આવી છે. જ્યા અમદાવાદથી પિકનિક માટે આવેલા 2 વ્યક્તિઓ નહાવા પડ્યા હતા. જે ધોધના જળપ્રવાહમાં ડૂબ્યાં બાદ બંને વ્યક્તિઓના મોત નિપજતા સનસનાટી મચી ગઇ છે. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.

અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ આવ્યા હતા :

અરવલ્લીના બાયડના ઝાંઝરી ધોધમાં નહાવા પડેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોચ્યા હતા. જે દરમિયાન ભોગીયા ધરામાં 6  વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા.

જેમાં જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના બચાવના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. અને બનેના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વધુમાં વતનમાં આ વાવડ મળતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.

મહત્વનું છે કે આ અગાઉ મે મહિનામાં ઈદના તહેવારોની રજાઓને લઈને અમદાવાદના યુવાનો ઝાંઝરીમાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં ઝાંઝરીના ધોધમાં નહાવા પડેલા અમદાવાદના ત્રણ યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો :-

ફ્લાઇંગ બાઇકની બુકિંગ શરૂ, 40 મિનિટ સુધી ઊડી શકે છે હવામાં, આટલી છે કિંમત, જાણો કયાં બુકિંગ કરવી શકો છે 

Booking of flying bike starts, can fly up to 40 minutes

  • ડેટ્રોઇટ ઓટો શો 2022માં હવામાં ઉડતી બાઇક જોવા મળી હતી અને ત્યારથી આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રસ્તા પર ચાલતી બાઇક હવામાં ઊડે એ જોવું કેટલું રોમાંચક હશે નહીં ? સામાન્ય રીતે બાઇકને રસ્તા પર ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે પણ ટેક્નોલોજીના (Technology) આ યુગમાં હવે બાઇક હવામાં પણ ઉડવા લાગી છે. દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક (Flying bike) હવામાં ઉડતી નજર આવી છે.

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇકે અમેરિકામાં તેનું ડેબ્યુ કર્યું છે. દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTurismo એક હોવરબાઇક છે. ડેટ્રોઇટ ઓટો શો 2022માં હવામાં ઉડતી બાઇક જોવા મળી હતી અને ત્યારથી આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેટલી હશે સ્પીડ ? 

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTURISMO છે અને આ અનોખી બાઇક 40 મિનિટ સુધી હવામાં ઉડવા માટે સક્ષમ છે. જો આ બાઈકની સ્પીડની વાત કરીએ તો તે 62 mphની સ્પીડ સુધી હશે અને આ વિશે સત્તાવાર રીતે ઓક્ટોબર 2021 માં જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકામાં પહેલીવાર જોવા મળેલી આ બાઇકને ‘ડાર્ક સાઇડ ઓફ લેન્ડ સ્પીડર’ નામ આપવામાં આવ્યું છે.

કેટલી છે બાઈકની કિંમત ? 

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTURISMO જાપાનની AERWINS Technologies દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ કંપની એર મોબિલિટી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે  અને આ કંપનીએ જાપાનમાં જ XTURISMO તૈયાર કર્યું છે. Airwins Technologiesના સ્થાપક અને ડિરેક્ટર Shuhei Komatsu તેને 2023 સુધીમાં યુએસ માર્કેટમાં લોન્ચ કરવા માંગે છે. XTurismo ની કિંમત વિશે વાત કરીએ તો  હાલમાં 7,70,000 ડોલરમાં એ વહેંચાઈ રહી છે.

આ રીતે ડીઝાઈન કરી :

બાઇકની ફ્યૂચરિસટીક ડિઝાઇનને છેલ્લા બે વર્ષથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાઇડરને સુરક્ષિત રાખવા માટે તેમાં વિવિધ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

હાલમાં આ બાઇક સિંગલ રાઇડર બાઇક છે. XTURISMO ની ડિઝાઇન વિશે વાત કરીએ તો તેની બોડી બાઇક જેવી લાગે છે પણ હેલિકોપ્ટરની જેમ હવામાં ઉડે છે અને સુરક્ષિત લેન્ડિંગ માટે સ્કિડ લગાવવામાં આવ્યું છે.

ખરીદવા માટે કરવું પડશે આ કામ :

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક  XTURISMOને ખરીદવા માટે AERWINS Technologiesની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓર્ડર કરી શકાય છે.  હાલમાં લિમિટેડ એડિશનમાં ઉપલબ્ધ છે અને તે રેડ, બ્લૂ અને બ્લેક એમ ત્રણ રંગોમાં મળશે. આ બાઇકને ખરીદવા માટે તમારે 6 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો :-

પાંચ બાળકોની માતાએ પ્રેમ લગ્ન કર્યા, પ્રેમીને પણ છે પાંચ બાળકો; 10 બાળકો થયા અનાથ

0

Mother of five married for love, lover also has

  • રાજસ્થાનમાં લવ મેરેજનો એક અનોખો કિસ્સો સામે આવ્યો. એક મહીલાએ તેના પતિ અને પાંચ બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે.

રાજસ્થાનમાં (Rajasthan) લવ મેરેજનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહીલાએ તેના પતિ અને પાંચ બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. મહીલાના પ્રેમીને (A lover of women) પણ પાંચ બાળકો છે. આ લગ્નથી 10 બાળકો માતાના પ્રેમથી વંચિત થઈ ગયા છે.

મહીલાએ તેના બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધા છે. પ્રેમીના પાંચ બાળકો અને તેની પહેલી પત્નીને તેના દાદા-દાદીએ રાખી લીધા છે. પ્રેમીના પિતાએ પુત્રના આ પગલાથી નારાજ થઈને તેને પરિવારમાંથી બેદખલ કરી દીધો છે.

મૌસમ ખાન પણ પરિણીત છે :

પોલીસના અનુસાર, મામલો રાજસ્થાનના અલવર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. હરિયાણાના તાવડુની રહેવાસી મહીલા નૂરજહાંના લગ્ન 2007માં અલવર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના જાજોર વાસના રહેવાસી તૈયબ ખાન સાથે થયા હતા.

લગ્નના 15 વર્ષ બાદ નૂરજહાંએ 5 બાળકોને છોડીને અલવરના તૂલેડા ગામના રહેવાસી તેના પ્રેમી મૌસમ ખાન સાથે લગ્ન કરી લીધા છે. મૌસમ ખાન પણ પરિણીત છે, તેને પણ પાંચ બાળકો છે.

માતા છોડીને જવા લાગી તો રડવા લાગ્યા બાળકો :

નૂરજહાં જ્યારે તેના બાળકોને બાળ સંરક્ષણ આયોગના સભ્યો પાસે છોડીને પ્રેમી સાથે તેના ઘરે જવા લાગી તો બાળકો રડવા લાગ્યા હતા. તે માતાની પાછળ ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસ અને બાળ કલ્યાણ સમિતિના સદસ્યો લાચાર હતા. તેમણે બાળકોને બાળગૃહ મોકલી દીધા.

બીજી તરફ મૌસમ દ્વારા પ્રેમીકા સાથે લગ્ન કર્યા બાદ તેના માતા-પિતાએ તેમના પૌત્રો અને પુત્રવધૂને તેમની પાસે રાખી લીધા હતા. તેમણે સદર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને મૌસમને પરિવારથી બેદખલ કરી દીધો છે.

પ્રેમીને તેના પિતાએ પરિવારમાંથી બેદખલ કર્યો :

મૌસમના પિતાએ પોલીસને કહ્યુ કે, જે વ્યક્તિ તેની પત્ની અને બાળકોનો ના થયો, તે ઘરડા મા-બાપનો શુ થશે. એટલા માટે અમે તેને ઘર અને સંપત્તિમાંથી બેદખલ કરીને તેને ત્યજી દીધો છે. અલવરના સદર પોલીસ સ્ટેશનના એએસઆઈ બ્રહ્મ પ્રકાસે કહ્યુ કે, નૂરજહાં અને મૌસમ ખાન ગુરૂવારની રાતે જયપુર હાઈકોર્ટ દ્વારા પ્રોટેક્શન લઈને અલવર આવ્યા હતા.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

નૂરજહાંનું કહેવુ છે કે, તેણે 3 મહીના પહેલા જયપુરમાં મૌસમ સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હવે તે 4 બાળકોને બાળ સંરક્ષમ સમિતિને સોંપીને જવા માંગે છે. એક બાળક હરિયાણામાં છે. તે ત્યાં મજૂરી કરે છે.

નૂરજહાંએ કહ્યુ,‘ઘણા વર્ષો સુધી પૂર્વ પતિને સહન કર્યો’ :

સદર પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ સમિતિએ નૂરજહાંને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ પર પહેલા તો તે બાળકોને સાથે રાખવા તૈયાર થઈ પરંતુ પછી પોતાની વાત પરથી ફરી ગઈ.

નૂરજહાંએ તેના પૂર્વ પતિ પર આરોપ લગાવ્યો કે તે એક ટ્રક ડ્રાઈવર છે. તે ઘરે આવે છે અને પાછો જતો રહે છે. ન તેની સંભાળ રાખે છે ન તો બાળકોની. તે દરરોજ દારૂ પીને આવે છે. એવામાં ઘણા વર્ષો તેને સહન કર્યો. પરંતુ હવે નહી.

આ પણ વાંચો :-