HomeGujaratનેતા માટે પ્રતિબંધ ! 'પ્રચાર માટે કોઈ નેતાએ આવવું નહીં', સોસાયટીમાં નેતાઓની...

નેતા માટે પ્રતિબંધ ! ‘પ્રચાર માટે કોઈ નેતાએ આવવું નહીં’, સોસાયટીમાં નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધના લાગ્યા પોસ્ટર

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Prohibition for the leader! ‘No leader should come

  • બોટાદમાં ગટર, સફાઇ અને શેરીઓમાં પેવર બ્લોકના આભાવને લઇને હાઉસિંગ સોસાયટીમાં નેતાoને ‘નો એન્ટ્રી’ના પોસ્ટર લાગ્યા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. ત્યારે બોટાદની સોસાયટીમાં રાજકીય લોકો માટે નો એન્ટ્રીના (No entry) બોર્ડ લાગતા રાજકીય ગરમાવો આવ્યો છે. પ્રાથમિક સમસ્યાને (The primary problem) લઇને ચૂંટણી પૂર્વે લોકો લડી લેવાના મૂડમાં છે. ગટર, સફાઇ અને બ્લોક નાખવાની કામગીરી વર્ષોથી લટકતી હોવાથી લોકોનો આક્રોશ આસમાને  છે.

જાણવા મળતી વિગત અનુસાર બોટાદ શહેરમાં ચૂંટણી પૂર્વે અધ્ધરતાલ રહેલા પારાવાર પ્રશ્નોના નિરાકરણ સ્થાનિકોએ તંત્ર સામે બાયો ચડાવી છે. આ વિસ્તારમાં ગટર, સફાઈ અને બ્લોક નાખવાની કામગીરી લાંબા સમયથી અટકી પડી છે. અનેક વખત રજૂઆત કરવા છતા પણ જવાબાદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આથી લોકો ન્યાયની માંગ સાથે રોષે ભરાયા છે.

સોસાયટી બહાર ‘નો એન્ટ્રી‘ના પોસ્ટર :

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા કર્મચારીઓ અને વેપારીઓમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ વિસ્તારના લોકોએ પ્રશ્નોનું નિરાકરણ ના થાય તો કોઈપણ રાજકીય પક્ષોના આગેવાનો ચૂંટણી પ્રચારના નામે આ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહિ.

તેવી ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી છે. સોસાયટીમાં રાજકારણીઓ માટે “નો એન્ટ્રી” ના બેનરો લગાવી દેતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.  બીજી તરફ  લોકોના આ વિરોધે જવાબદારોની પોલ પણ ખોલી નાખી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img