Home Blog Page 1306

દાહોદની દીકરી એમેઝોનમાં રૂ. 80 હજારના પગારથી કરશે ઇન્ટર્નશીપ, પસંદગી થશે તો…..

0

Dahod’s daughter in Amazon Rs. Will do

  • દાહોદની સરકારી ઇજનેરી કોલેજની વિદ્યાર્થીનીએ કોમ્પ્યુટર અને કોડિંગમાં માસ્ટરી મેળવીને એમેઝોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીમાં રૂ. 80 હજારના પગારથી ઇન્ટર્નશીપ મેળવી છે. છ મહિનાના ઇન્ટર્નશીપ પૂર્ણ થયે જો તેની પસંદગી થશે તો રૂ. 30 લાખનું વાર્ષિક પેકેજ તેને ઓફર કરાશે.

દાહોદમાં (Dahod) રાષ્ટ્રીય કક્ષાના સુખ્યાત વિદ્યાલયોની સ્પર્ધા કરી શકે તેવું શિક્ષણ મળી રહ્યું છે. ત્યારે સરકારી ઇજનેરી (Government Engineering) કોલેજની આ વિદ્યાર્થીનીએ આઇઆઇટી સહિતના ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય સ્તરની (National level) મુશ્કેલ સ્પર્ધામાં અંતિમ પસંદગી પામી છે.

દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં કમ્પ્યુટર એન્જીનિયરિંગનો કોર્ષ કરતી અમીષા પુર્સવાનીએ અભ્યાસકાળના છેલ્લા વર્ષમાં જ એમેઝોન જેવી જાઇન્ટ કંપનીમાં ઇન્ટનર્શીપ મેળવી છે. અમીષાએ આ માટે બે કોડિંગ ટેસ્ટ પાસ કરવી પડી હતી અને દિલ્હી ખાતેના ઇન્ટરવ્યુ બાદ તેની આખરી પસંદગી કરાઇ હતી.

અમીષાને કમ્પયુટર અને કોડિંગમાં ખૂબ રસ હોવાથી તેણે આ કોર્ષ પસંદ કર્યો હતો અને મૂળ અમદાવાદની અમીષા દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે 4 વર્ષનો કોર્ષ જોઇન કર્યો હતો. અહીંના નિષ્ણાંત પ્રોફેસરો પાસેથી ખૂબ સરસ માર્ગદર્શન અપાયું હતું અને પોતાનો રસનો વિષય હોવાથી તે ફટાફટ કોડિંગની આટીઘુંટી શીખી ગઇ હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

એમેઝોન વાવમાં સોફ્ટવેર ડેવલપર એન્જિનિંયરિંગની પોસ્ટ માટે અમીષાએ ઓનલાઇન અરજી કરી હતી. આ માટેની યોજાયેલી સ્પર્ધામાં દેશભરમાંથી કમ્પ્યુટર અને કોડિંગના હોનહાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે 60 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇ કોડિંગ માટેની આ પરીક્ષા આપી હતી. કોડિંગના મશ્કેલ પેપરોને સોલ્વ કરી પાસ કર્યા બાદ દિલ્હી ખાતે અમીષાનું ઇન્ટરવ્યુ લેવાયું હતું.

એક કલાક ચાલેલા ઇન્ટરવ્યુમાં કમ્પ્યુટર અને કોડિંગ બાબતના અમીષાના જ્ઞાનની પૂરી ચકાસણી કર્યા બાદ તેનું અંતિમ પસંદગી કરાઇ હતી. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં અમીષાની સ્પર્ધામાં આઇઆઇટીના વિદ્યાર્થીઓ પણ હતા. તેમ છતાં અમીષાએ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી હતી.

અમીષા પુર્સવાની જણાવે છે કે મારા શિક્ષકોનો અથાક પરિશ્રમ અને માર્ગદર્શન તેમજ આ ક્ષેત્રનો મારો રસ ખૂબ કામ આવ્યો છે. જે વિષયમાં તમને રસ હોય તેમાં પરિશ્રમ કરી આગળ વધવું જોઇએ. મે કમ્પ્યુટર અને કોડિંગ શીખવા માટે દિવસ રાત એક કર્યા છે. જેના પરિણામે આજે આટલી સ્પર્ધા હોવા છતા એમેઝોનમાં હું પસંદગી પામી છું.

આ પણ વાંચો :-

સીટ બેલ્ટ માટે સરકાર કાયદો લાવીને જ રહેશે, ગડકરીના મંત્રાલયે લોકો પાસે માંગી આ સલાહ

0

Gadkari’s ministry asked the

  • અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું- કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ લગાવવો એટલો જ જરૂરી છે જેટલો આગળની સીટ પર બેઠેલા વ્યક્તિ માટે.

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ પાછળની સીટ પર બેલ્ટ રિમાઇન્ડર ફરજિયાત બનાવવા અંગે ડ્રાફ્ટ સૂચના જાહેર કરી છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 5 ઓક્ટોબર સુધી લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. પબ્લિક કમેન્ટના આધારે ડ્રાફ્ટ ફેરફારમાં ફેરફાર કરી શકાય છે.

N અને M વાહનો માટે આ નિયમ :

નોટિફિકેશન અનુસાર મંત્રાલયે N અને M વાહનો માટે આ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. કેટેગરી M એટલે ફોર વ્હીલર જેમાં મુસાફરોને લઈ જવામાં આવે છે. બીજી તરફ કેટેગરી Nમાં એવા મોટર વાહનોનો સમાવેશ થાય છે. જેમાં ઓછામાં ઓછા ચાર પૈડાં હોય છે અને તેનો ઉપયોગ માલસામાન તેમજ પેસેન્જરોને લઈ જવા માટે કરવામાં આવે છે.

કાર અકસ્માતમાં થયું હતું સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ :

4 સપ્ટેમ્બરે કાર અકસ્માતમાં 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું ત્યારથી કેન્દ્ર સરકાર રિયલ સીટ બેલ્ટ રિમાઇન્ડરને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. મિસ્ત્રી ઉપરાંત તેમના મિત્ર જહાંગીર પંડોલે (49)નું કાર અકસ્માતમાં મોત થયું હતું. સાયરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા અને બંનેએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. જ્યારે આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેના પતિ દર્યાસ પંડોલેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને અડધા કરવાનો હેતુ :

આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઈ-કોમર્સ કંપનીઓને કાર સીટ બેલ્ટ એલાર્મને ડિસેબલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઉપકરણોનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે તેમનું મંત્રાલય 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતો અને સંબંધિત મૃત્યુને અડધા કરવાનો લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.

પાછળની સીટમાં સીટ બેલ્ટ પહેરવો ફરજીયાત :

કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે પાછળની સીટ પર સીટ બેલ્ટ પહેરવો પહેલાથી જ ફરજિયાત છે. પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા. કારની પાછળ બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવો એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો આગળની સીટ પર બેઠેલા લોકો માટે છે. હવે પાછળની સીટ પર બેઠેલા મુસાફરો સીટ બેલ્ટ ન પહેરે તો પણ દંડ થશે. તેમણે જણાવ્યું  કે તેમનો ઉદ્દેશ્ય જાગૃતિ ફેલાવવાનો છે.

આ પણ વાંચો :-

સુરતના પુણામાં ઈ-બાઈકના શો-રૂમમાં આગ, 10 જેટલા વાહન બળીને ખાખ

0

Fire breaks out in E-bike

  • સુરતમાં આવેલા પુણા વિસ્તારમાં એક ઈ બાઇકના શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં 10થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર બળીના ખાખ થઇ ગયા હતા.

સુરતમાં (Surat) આવેલા પુણા વિસ્તારમાં એક ઇ બાઇકના (E bike) શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં 10થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) બળીના ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 5 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પુણા વિસ્તારમાં જે.કે. નગર પાસે આવેલા એક ઇ-બાઈકના શો-રૂમમાં સવારે આગ લાગ્યાની ઘટના બની હતી. શો-રૂમ બંધ હતો એ સમયે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરા-તફરી મચી હતી. બનાવ અંગે તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગડની 5 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

ફાયર વિભાગની ટીમે પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં 10 જેટલા સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

જોકે બાઈકના શો-રૂમમાં ચાર્જિંગ પોઇન્ટ હોવાના કારણે બની શકે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હઇ શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :-

‘માપ’માં રહેજો ! નવરાત્રિને લઈ શહેર પોલીસ સજ્જ ; જાણો કેવી કરી છે ખાસ તૈયારીઓ ?

0

Stay in measure! City police gear up for

  • અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવરાત્રીના (Navratri 2022) પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા નવરાત્રીમાં પાર્ટી પ્લોટ (Party Plot) અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ-અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શી ટીમ અલગ-અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના મહત્ત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય

મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરશે. જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રેધ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે.

આ પણ વાંચો :-

પત્ની પાવર ! રાજકોટમાં મહિલા પીઆઈનો પતિ પત્નીની સર્વિસ રિવોલ્વરથી ગરીબોને ધમકાવતા ઝડપાયો

wife power! In Rajkot, the husband of a female PI

  • શખ્સે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો.

કાયદાનું રક્ષણ (Protection of the law) કરવા માટે પોલીસ અધિકારીઓને સર્વિસ રિવોલ્વર આપવામાં આવે છે. પરંતુ અનેક વખત એવા બનાવો પણ સામે આવે છે કે જ્યારે સર્વિસ રિવોલ્વરનો (Service Revolver) ઉપયોગ જે તે અધિકારી નહીં પરંતુ તેના કોઈ પરિજન કરતા હોય છે. કેટલાક કિસ્સાઓ બહાર આવે છે જ્યારે કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં નથી આવતા. રાજકોટમાં (Rajkot) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે.

રાજકોટ શહેરમાં સીઆઈડી ક્રાઇમ તરીકે ફરજ બજાવનારા પીઆઈના પતિ તેમની પત્નીની સર્વિસ રિવોલ્વરથી રૌફ જમાવતા ઝડપાયા છે. સાથે જ એક સ્ટાર્ટર પણ તેમની પાસેથી મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગરુડ ગરબીચોકમાં ટુવ્હીલર સાથે નીકળેલા એક શખ્સે ગરબી માટે મંડપનું કામ કરી રહેલા શ્રમિક સાથે ઝઘડો કર્યો હતો. તેમજ રસ્તા પરથી મંડપના લાકડા સામાન દૂર હટાવી લેવા બાબતે ગાળાગાળી પણ કરી હતી.

બાદમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં રૌફ જમાવનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ CID Crime માં ફરજ બજાવનારા મહિલા પીઆઈ મનિન્દર શેરગીલના પતિ હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર અન્ય કોઈની નહીં પરંતુ પોતાની જ પત્નીની હોવાનું સામે આવ્યું હતું.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

સાથે જ તે શખ્સ પાસેથી એક સ્ટાર્ટર પણ મળી આવ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વ્યક્તિને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ ઝડપાયેલ પીઆઇના પતિ શા માટે પોતાના પાસે પોતાની પત્નીની સર્વિસ રિવોલ્વર રાખતા હતા તે પણ એક મોટો સવાલ છે.

આ પણ વાંચો :-

છોટાઉદેપુરમાં વેવાઈઓ વચ્ચે જંગ ! ‘રાજ’ કરવા રાઠવા બ્રધર્સ પારિવારિક સંબંધો ભૂલ્યા

0

Chotaudepur war between the Wewais

  • પોતાના અને વેવાઈ મોહનસિંહના દીકરાઓને થાળે પાડવા નારણ રાઠવાએ સુખરામનું પત્તુ કાપવા પ્રયાસ કર્યો એથી સુખરામ રાઠવા અકળાઈ ગયા છે. નારણ રાઠવાએ પોતાનો મત વ્યક્ત કર્યા પછી સુખરામ રાઠવાએ હું તો ચૂંટણી લડીશ જ એવો હુંકાર કરી દીધો છે.

ગુજરાત (Gujarat) ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિવાદ, પરિવારવાદ સામે આવી રહ્યો છે. જેને કારણે ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. છોટાઉદેપુર કોંગ્રેસની (Chotaudepur Congress) અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને વિખવાદ ઉભો થયો છે.

ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્રોને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. તો સાથે જ સુખરામ રાઠવા હવે લોકસભા લડે તેવો પણ મત વ્યક્ત કર્યો છે. છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો છે.

છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી વખત આવીએ પણ સાબિત થઈ જાય છે. ચૂંટણીના પરચમ લહેરાયા એટલે ત્રણેય રાઠવા બ્રધર્સ સામસામે આવી ગયા. ટિકિટની લાલચે તેમને એકબીજાના હરીફ બનાવી દીધા અને સંબંધ ભૂલાયો.

નારણ રાઠવાએ પોતાની રીતે જ એવો પ્લાન બનાવી લીધો કે મારો દીકરો સંગ્રામસિંહ રાઠવા છોટા ઉદેપુરની વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરે. મોહનસિંહનો દીકરો રણજીતસિંહ પાવી જેતપુરની બેઠક પરથી ઉમેદવારી કરે. તો વર્તમાન ધારાસભ્ય સુખરામ રાઠવા શું મંજીરા વગાડે ? નારણ રાઠવાએ તેમનો ય પ્લાન બતાવી દીધો અને કહ્યું કે સુખરામ રાઠવા લોકસભાની ચૂંટણી લડે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

પોતાના અને વેવાઈ મોહનસિંહના દીકરાઓને થાળે પાડવા નારણ રાઠવાએ સુખરામનું પત્તુ કાપવા પ્રયાસ કર્યો એથી સુખરામ રાઠવા અકળાઈ ગયા છે. નારણ રાઠવાએ પોતાનો મત વ્યક્ત કર્યા પછી સુખરામ રાઠવાએ હું તો ચૂંટણી લડીશ જ એવો હુંકાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર કકળાટ જોવા મળ્યો છે. નારણ રાઠવાએ એમ પણ કહ્યું કે, અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું, જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા.

હવે જોવું એ રહ્યુ કે, રાઠવા ત્રિપુટી કેવી રીતે અકબંધ રહે છે. છોટાઉદેપુર જીલ્લામાં વર્ચસ્વ ધરાવતા રાઠવા ત્રિપુટીમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો છે. પુત્ર પ્રેમના મોહમાં કોંગ્રેસને છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે. વેવાઈઓની આંતરિક લડાઈ કોંગ્રેસની નાવ ડુબાડી શકે છે.

છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનું આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.

આ પણ વાંચો :-

મેચની શરૂઆત પહેલા જ સૂર્યાએ કરી દીધી હતી ભવિષ્યવાણી, અને છેલ્લે જે કહ્યું હતું એ જ થયું

0

Surya made a prediction before

  • ભારત ઓસ્ટ્રેલીયા સામે ટી20 સીરીઝનાં બીજા મુકાબલામાં જીતી ગયું છે, જેની ભવિષ્યવાણી પહેલા જ સૂર્યકુમાર યાદવે કરી હતી.

ભારતીય ટીમનાં (Indian team) સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ઘણા મહત્વનાં મુકાબલાઓમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચુક્યા છે. તેમાંથી એક પ્રતિભા છે ભવિષ્ય જણાવવાની. આ પ્રતિભાની ઝલક તેમણે નાગપુરમાં (Nagpur) ઓસ્ટ્રેલિયા (Australia) સામે બીજી ટી20 મેચમાં આપી દીધી છે. જેવું તેમણે મેચ શરુ થતા પહેલા કહ્યું હતું એવું જ થયું.

ઓસ્ટ્રેલિયા અને ભારત બરાબર  :

નાગપુરમાં વરસાદને કારણે બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું અને છ  વિકેટથી જીત મેળવી. આ સાથે ત્રણ મેચોની સીરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારે 25 સપ્ટેમ્બરનાં રોજ રમવામાં આવશે. આ મુકાબલામાં ઓસ્ટ્રેલીયાએ આઠ ઓવરમાં 5 વિકેટ પર 90 રન બનાવ્યા.  ત્યાર બાદ ભારતીય ટીમે 7.2 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.

મેચ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી :

સૂર્યકુમાર યાદવે આ મુકાબલામાં સારું પ્રદર્શન કર્યું ન હતું અને ખાતું ખોલ્યા વગર જ એડમ જ્મ્પાનો શિકાર બની ગયા હતા. જો કે તેમને જીતનો ભરોસો હતો અને આ જ વાત તેમણે મેચ શરુ થતા પહેલા કહી દીધી હતી. મેચ પહેલા તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે નંબર 1 ટી20 ટીમ સાથે છો અને હાલમાં 0-1થી સીરીઝમાં પાછળ છો. આજે શું લાગે છે તો મુંબઈના આ બેટ્સમેને જવાબ આપ્યો કે આજે રાત્રે 1-1. ત્યાર બાદ થોડી વારમાં તેમને કહેવામાં આવ્યું કે ફૂલ સ્ટોપ. તમારો જોશ જોઇને સારું લાગ્યું, મેચમાં સારું કરજો.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

વરસાદને કારણે આ મેચને 8-8 ઓવરની જ રાખવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં રમતા રમતા 46 રન બનાવ્યા. તેમણે 20 બોલ પર ચાર ચોક્કા અને ચાર સિક્સર ફટકારી. રોહિતને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. રોહિત અને કેએલ રાહુલે માત્ર 2.4 ઓવરમાં જ 39 રન ફટકારી દીધા. જોકે રાહુલનું યોગદાન આમાં 10 રનનું જ રહ્યું છે. અક્ષર પટેલે પણ મેચમાં બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-

તમારુ સંતાન ફ્રી ફાયર અને પબજી ગેમ રમતું હોય તો સાવધાન, ગુજરાતની કિશોરીનું થયું અપહરણ

Be careful if your child is playing

  • LCBએ કર્ણાટક ખાતેથી વિધર્મી નરાધમને ઝડપી પાડી જેલભેગો કર્યો છે. પોલીસે નરાધમ અસદુલ અપચાર ગાઝીને ઝડપી અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

જો તમારુ સંતાન ફ્રી ફાયર (Free fire) અને પબજી ગેમના (Pubg game) રવાડે છે તો આ કિસ્સો તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. અંકલેશ્વરના (Ankleshwar) એક ગામની કિશોરીનું ફ્રી ફાયર ગેમના રવાડે ચઢતા અપહરણ થયું છે. સાંભળીને ઝાટકો લાગ્યોને… પણ જી હા..ભરૂચ પોલીસે (Bharuch Police) સૂઝબૂઝથી બેસ્ટ બંગાળ પહોંચતા પહેલા કિશોરીને બચાવી લેવાઈ છે.

આ ઘટનામાં LCBએ કર્ણાટક ખાતેથી વિધર્મી નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પોલીસે નરાધમ અસદુલ અપચાર ગાઝીને ઝડપી અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ હતું. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

જો કે ભરૂચ પોલીસે સૂઝબુઝથી કિશોરીને બંગાળ પહોંચતાં બચાવી છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કર્ણાટકથી એક વિધર્મી નરાધમને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં આ નરાધમનું નામ અસ્દુલ અપચાર ગાઝી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપી સામે અપહરણ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો બાળકોને લાગેલી મોબાઈલની લત પરિવારને કેવી રીતે ભારે પડી શકે છે તેનો આ ચોંકાવનારો દાખલો છે.

 આ પણ વાંચો :-

આ સરકારી વેબસાઇટ એટલા સસ્તામાં વેચે છે સામાન કે બીજી તમામ શૉપિંગ Apps ડિલીટ કરી દેશો !

0

This government website sells goods

  • આ સરકારી વેબસાઈટ પરથી ખરીદી કરવા પર તમને બીજી એપ્સની તુલનામાં 10 હજાર રૂપિયા સુધીની બચત થશે.

જો તમારે ઓનલાઈન શોપિંગ (Online shopping) કરવી હોય તો કઈ વેબસાઈટનું નામ સૌથી પહેલા યાદ આવે છે? એમેઝોન? ફ્લિપકાર્ટ ? અથવા મિંત્રા ? આ સિવાય બીજી ઘણી વેબસાઈટ (Website) છે જ્યાંથી આપણે આપણી રોજિંદી જરૂરીયાતનો ઓર્ડર આપીએ છીએ.

કારણ કે આપણને લાગે છે કે આ વેબસાઈટસ ખૂબ જ વ્યાજબી ભાવે વસ્તુઓ આપે છે. મતલબ કે ત્યાં માલ બજાર કરતા ઓછા ભાવે મળે છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે એક બીજો વિકલ્પ છે જે સૌથી સસ્તો છે, જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે તો ?

ડાઉનલોડ કરો Gem :

આ વેબસાઈટનું નામ Gem એટલે કે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ છે. આ એક સરકારી વેબસાઈટ છે અને તેમાં સામાન અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ કરતા સસ્તો સામાન મળે છે.

વ્યાજબી ભાવે મળે છે વસ્તુઓ :

Gemએ સરકારી માર્કેટ પ્લેસ છે. તે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) તેને ઓપરેટ કરે છે. Gem 9મી ઓગસ્ટ, 2016થી ચાલી રહ્યું છે. અહીં ગ્રાહકો વ્યાજબી ભાવે પ્રોડક્ટ્સ ખરીદી શકે છે. આજની તારીખે જેમ પર 150 અલગ અલગ કેટેગરીમાં 7,000થી વધુ પ્રોડક્ટ લિસ્ટ છે. કોઈપણ પ્રોડક્ટની લિસ્ટિંગથી પહેલા તમામ જરૂરી પરિમાણોનું ધ્યાન રાખવામાં આવે છે.

સામાન સસ્તો કેમ હોય છે ? 

તમારી સમજણ માટે જણાવી દઈએ કે જે સામાન બજારમાં સો રૂપિયામાં મળે છે તો એ જ માલ Gemપર 90 રૂપિયામાં મળે છે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

ઉદાહરણ તરીકે, LG કંપનીનું લેપટોપ જે Gem પર રૂ. 99,959 બતાવી રહ્યું છે તે અન્ય લોકપ્રિય એપ્સ પર રૂ. 1,05,999 અને  રૂ. 1,10,000 પર મળી રહ્યું હશે. એટલે કે કિંમતમાં ચારથી 10 હજારનો તફાવત છે. ત્યાં જ ઈન્ટેક્સનું LED ટીવી 34,999નું છે. જે ઓપન માર્કેટ અને બીજા શોપિંગ એપ પર 35,200 અને 38,799 રૂપિયામાં મળી રહ્યા છે. અહીં પણ કિંમતમાં 200થી 3700 રૂપિયા સુધીનું અંતર છે. જોકે સેલ અથવા સામાનની ઉપલબ્ધતાના હિસાબથી કિંમત ઉપર નીચે થાય છે.

22 પ્રોડક્ટ્સની કરવામાં આવી તુલના :

વર્ષ 2021-22માં થયેલા ઈકોનોમિક સર્વેમાં કુલ 22 પ્રોડક્ટ્સની તુલના જેમ અને બીજી ઈ-કોમર્સ વેબસાઈટ પર કરવામાં આવી તો જાણકારી મળી કે દસ જેવા પ્રોડક્ટ્સ છે જે જેમ માર્કેટ પ્લસ પર લગભગ 10 ટકા સસ્તા છે. જેમ એક પુર્ણઃ પેપરલેસ અને કેશલેસ વેબસાઈટ છે.

વેબસાઈટનું યુઝર ઈન્ટેરફેસ ખૂબ જ સરળ છે અને ખરીદમાં આવેલા પ્રોડક્ટને પરત કરવા પણ મુશ્કેલ નથી. સેલર્સ માટે પણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન અને પોતાના પ્રોડક્ટની લિસ્ટિંગ ખૂબ જ સરળ છે. જેમ પર આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે પ્રોડક્ટની લિસ્ટિંગથી લઈને પ્લેસમેન્ટ સુધીમાં તેની દખલ નહીંના બરાબર હોય.

આ પણ વાંચો :-

અમદાવાદની નજીક આવેલું છે બાબા બર્ફાનીનું ધામ, એક જ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

0

Near Ahmedabad is Baba Barfani’s

  • દરેક લોકોને એક વખત અમરનાથ (Amarnath) જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી. ગુજરાતમાં જ આવેલ છે મીની અમરનાથ (Mini Amarnath)

મહાદેવનાં (Mahadev) દર્શનની વાત આવે ત્યારે શિવભક્તોના મનમાં સૌથી પહેલા અમરનાથ યાદ આવે. દરેક લોકોને એક વખત અમરનાથ જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં (Bholenath) દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ (Amarnath) જવાની જરૂર નથી.

મીની અમરનાથ (Mini Amarnath Dham)

હા, શ્રાવણ મહિનામાં જો ભોલેનાથનાં દર્શન કરવાની ઈચ્છા હોય અને અમરનાથ જવાનું મન હોય તો તમને જણાવી દઈએ કે અમદાવાદ નજીક પણ એક અમરનાથ ધામ આવેલું છે. અમદવાદની આગળ ગાંધીનગર નજીકના અમરનાથ ધામ આવેલ છે જ્યાં બાબા અમરનાથની સાથે સાથે બીજા 12 દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે.

આ ગુજરાતનું અમરનાથ ધામ ગાંધીનગરની પાસે મહુડી રોડ પર અમરાપુર ગામમાં આવેલ છે અને ગુજરાતના આ અમરનાથ ધામને મીની અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું મીની અમરનાથ ધામ એ જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ મંદિરની યાદ અપાવે છે. અમરનાથની યાત્રા ઘણી અઘરી છે અને ઘણાં લોકો એવા પણ છે જે આટલે દુર કાશ્મીરમાં અમરનાથ જઇ શકતા નથી અને એવા લોકો માટે ગુજરાતમાં આ મીની અમરનાથ ધામ બનાવવામાં આવ્યું છે.

બાબા બર્ફાની :

અમરનાથની જેમ ગુજરાતમાં આવેલ મીની અમરનાથમાં પણ બરફની શિવલિંગ જોવા મળે છે અને લોકો શિવલિંગને સ્પર્શ કરીને મહાદેવનો આશીર્વાદ પણ લઇ શકે છે. અમરનાથમાં કુદરતી રીતે ઠંડીમાં શિવલિંગની રચના થાય છે પણ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ ન હોવાને કારણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ને શિવલિંગને -13 ડીગ્રીનાં તાપમાને રાખવામાં આવે છે. મીની અમરનાથ ધામમાં આવેલ શિવલિંગ પંચધાતુનું શિવલિંગ છે અને 365 દિવસ સુધી બાબા બર્ફાનીનાં દર્શન ત્યાં થઇ શકે છે.

ક્યારે થઇ હતી સ્થાપના :

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

અમદાવાદની નજીક આવેલ મીની અમરનાથ ધામની સ્થાપના વર્ષ 2003 માં કરવામાં આવી હતી. મીની અમરનાથ ધામનું ઉદ્ઘાટન હાલના પીએમ અને પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મીની અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન સુધી પહોચવા માટે 100 સીડીઓ બનાવવામાં આવી છે. સાથે જ ત્યાં એક પથ્થરની ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગુફાની અંદર રાખવામાં આવેલા બરફના બનેલા શિવલિંગ એ જમ્મુ અને કાશ્મીરના અમરનાથની પ્રતિકૃતિ છે.

અમરનાથ અને ગુજરાતના મીની અમરનાથ ધામ વચ્ચે શું સંબંધ :

જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ અને ગુજરાતમાં આવેલ અમરનાથ કોઈ વધુ ફરક નથી. કાશ્મીરમાં આવેલ અમરનાથનાં શિવલિંગમાંથી જે શ્વેત ભસ્મ નીકળે છે તેને ગુજરાતમાં લાવી અને મીની અમરનાથમાં લાવીને તેનું પૂજન કરીને શિવલિંગ નીચે સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચો :-