Home Blog Page 1291

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પતિદેવોમાં ફફડાટ, લગ્ન કરશો તો હવે નઈ ચાલે લાલિયાવાડી

0

With the verdict of the Supreme Court

  • લગ્ન બાદ કોઈક વિવાદ કે ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને તો પતિએ ભરણપોષણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટે આ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

ઘણીવાર લગ્ન જીવનમાં (married life) કોઈને કોઈક કારણે ખટરાગ થતો હોય છે. ઘણીવાર લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતને લઈને અણબનાવ કે તકરાર થતી હોય છે. જો કે ક્યારેક આ વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી સ્થિતિમાં પત્ની (Wife) અને જો બાળકો હોય તો તેમની જવાબદારી કોની ? આ એક મોટો સવાલ છે. આવા કિસ્સામાં મહિલા દ્વારા કોર્ટના ધ્વાર ખખડાવવામાં આવતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) જ હવે આ પ્રકારના કેસોને ધ્યાનમાં રાખીને મહત્ત્વનું ચુકાદો આપી દીધો છે.

પત્ની અને બાળકોના ભરણપોષણ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિએ પોતાની પત્ની અને સગીર બાળકોને શારીરિક શ્રમ કરીને આર્થિક મદદ કરવી જોઈએ જે તેની ફરજ છે. ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે અવલોકન કર્યું કે CrPC ની કલમ 125 હેઠળ જાળવણી માટેની જોગવાઈ એ સામાજિક ન્યાયનું એક સાધન છે.

જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે રચાયેલ છે. આ નિર્ણય સાથે કોર્ટે એક વ્યક્તિની અરજીને ફગાવી દીધી જેમાં તેણે કહ્યું હતું કે તેનો વ્યવસાય બંધ થવાને કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “પતિ શારીરિક રીતે સક્ષમ હોવાના કારણે તે તેની ફરજ છે કે તે કાયદેસર રીતે કમાય અને તેની પત્ની અને સગીર બાળકોનું ભરણપોષણ કરે. પત્નીની અપીલ અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે જણાવ્યું હતું કે પતિ પાસે આવકના પૂરતા સ્ત્રોત હોવા છતાં અને શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ભરણપોષણમાં નિષ્ફળ ગયો છે અને તેમની ઉપેક્ષા કરી છે.

આ પણ વાંચો :-

ગાયના દૂધથી બનેલું ઘી કે ભેંસના દૂધથી બનેલું ઘી ? જાણો કયું છે વધારે ફાયદાકારક

Ghee made from cow milk or ghee made

  • દેશી ઘીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન K ભરપૂર માત્રામાં હોય છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ સારા રહે છે.

દેશી ઘી (Desi Ghee) માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરમાં પોષક તત્વોની (Nutrients in the body) ઉણપને પણ દૂર કરે છે. આ જ કારણ છે કે સદીઓથી ભારતીયો દરરોજ ઘીનું સેવન કરે છે. દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન Kથી ભરપૂર છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ (Hair) સારા રહે છે.

દેશી ઘી ભોજનને જલ્દી અને સારી રીતે પચાવવા અને હાર્ટ હેલ્થ માટે યોગ્ય માનવામાં આવે છે. બજારમાં અનેક પ્રકારના ઘી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મૂંઝવણમાં છે કે ગાયના દૂધમાંથી ધી સારું હોય છે કે ભેંસના દૂધમાંથી બનેલું ઘી સારૂ હોય છે. ચાલો જાણીએ કયું ઘી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

ગાયના ઘી અને ભેંસના ઘી વચ્ચેનો તફાવત :

ગાયનું કે ભેંસનું બન્ને પ્રકારના ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ભેંસના ઘીનો રંગ સફેદ હોય છે. જ્યારે ગાયના ઘીનો રંગ પીળો હોય છે. ફાયદાની વાત કરીએ તો ગાયનું ઘી ભેંસના ઘી કરતાં વધુ ફાયદાકારક છે. ગાયના ઘીમાં રહેલા પોષક તત્વો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે.

ગાયને ઘીને માનવામાં આવે છે શ્રેષ્ઠ :

આયુર્વેદમાં ગાયના ઘીનો ઉપયોગ શ્રેષ્ઠ કહેવાય છે. ગાયના ઘીનો ઉપયોગ અનેક ઉપચારાત્મક કાર્યોમાં થાય છે. ગાયના ઘીમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાં જ ભેંસના ઘીમાં ખૂબ ચરબી હોય છે.

આ પણ વાંચો :-

છાનીમાની રીતે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને OTT પ્લેટફોર્મ પર કરવામાં આવી રિલીઝ, ફેન્સ પણ ચોંકી ગયા

Aamir’s film Lal Singh Chadha was released

  • આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાને લઈને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને OTT પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ (Big movie) બનશે. પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. રીલીઝ બાદથી જ લાલ સિંહ ચઢ્ઢાએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને ફરી એક વખત આમિર ખાનની (Aamir Khan) એ જ ફિલ્મ એ બધાને ચોંકાવી દીધા છે.

એક મીડિયા રીપોર્ટ અનુસાર આમિર ખાને આ ફિલ્મને ચાર વર્ષ આપ્યા હતા પણ તેના ચાર વર્ષની મહેનત પાણીમાં ગઈ હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થઇ હતી અને હવે આ ફિલ્મ ખૂબ જ શાંતિથી OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી છે. (The film Lal Singh Chadha turned out to be a disaster at the box office and now the film has quietly been released on the OTT platform Netflix.)

આપણે બધા જાણીએ જ છીએ કે ફિલ્મની રિલીઝ પહેલા આમિર ખાને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ તેની ફિલ્મ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને Netflix પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા‘ નેટફ્લિક્સ પર 6 ઓક્ટોબરે એટલે કે આજે રિલીઝ કરવામાં આવી. આ રીતે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાના 55 દિવસ પછી જ OTT પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ પાછળનું કારણ એમ કહેવામાં આવી રહ્યું છે કે ‘ફિલ્મને થયેલ મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવ્યું છે.’

લાલ સિંહ ચઢ્ઢાના બજેટની વાત કરીએ તો તે લગભગ 180 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 60-70 કરોડનું ક્લેશન કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન હતા અને ફિલ્મની વાર્તા અતુલ કુલકર્ણીએ લખી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક હતી પણ દર્શકોને આ વાર્તા પસંદ આવી નથી.

આ પણ વાંચો :-

રાજકારણ ! શિવસેના બાદ ઠાકરે પરિવારમાં ભાગલા, ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા

0

Politics! After Shiv Sena split in Thackeray family

  • ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા.

શિવસેના પ્રમુખ (Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) મોટા ભાઈ જયદેવ ઠાકરે (Jaydev Thackeray) બુધવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શિવસેના સામે બળવો કરનાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથ દ્વારા આયોજિત દશેરા રેલીના (Dussehra rally) સ્ટેજ પર દેખાયા હતા.

બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર શિંદેના નેતૃત્વવાળા જૂથની રેલીમાં જયદેવ ઠાકરેથી અલગ થઈ ગયેલી તેમની પત્ની સ્મિતા પણ હાજર હતી અને ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ દિવંગત બિંદુમાધવ ઠાકરેનો પુત્ર નિહાર પણ હાજર હતો.

રસપ્રદ વાત એ છે કે થાણેમાં અંતિમ રેલી દરમિયાન શિવસેના સંસ્થાપક બાલ ઠાકરે દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ખુરશી સ્ટેજ પર વચ્ચે ખાલી રાખવામાં આવી હતી. શિંદેના સ્ટેજ પર ઉદ્ધવ ઠાકરેના ભાઈ અને ભત્રીજા ઉપરાંત બાળ ઠાકરેના 27 વર્ષથી નજીકના સાથી ચંપા સિંહ થાપા પણ હાજર હતા.

પત્રકારો સાથે વાત કરતા સ્મિતા ઠાકરેએ કહ્યું કે શિંદેએ તેમને રેલી માટે આમંત્રણ આપ્યું હતું. બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેને તેમના નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ન હોવાનું કહેવાય છે.

પોતાના સંક્ષિપ્ત ભાષણમાં જયદેવ ઠાકરેએ શિંદેના ‘સાહસિક કદમ’ ની પ્રશંસા કરી હતી અને કાર્યકર્તાને તેમનો સાથ ન છોડવાની વિનંતી કરી હતી. બીજી તરફ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે જૂથે મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં પોતાની દશેરા રેલીનું આયોજન કર્યું હતું.

શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને પોત પોતાની ટીમને ‘સાચી’ શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે શિંદેના બળવાને કારણે 29 જૂને શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી.

આ પણ વાંચો :-

વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની ફરીવાર બદલીના એંધાણ, CR પાટીલે આપ્યું મોટું નિવેદન

0

Vadodara Manpa Commissioner Banchanidhi Pani

  • વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની બદલી મુદ્દે સુરતથી CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત રીતે શરૂ છે. તાજેતરમાં જ સુરત અને વડોદરાના (Vadodara) મનપા કમિશનરની (Municipal Commissioner) આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલનું બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.

CR પાટીલે સુરતના એક કાર્યક્રમમાં હાલ વડોદરા મનપા કમિશનર તરીકે ફરજ બજાવનાર બંછાનિધિ પાનીને લઇને નિવેદન આપતા કહ્યું કે, ‘બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઈચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.’ (We want Banchanidhi Pani to go to Ahmedabad. The post of Ahmedabad Commissioner is vacant)

તાજેતરમાં જ બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી :

ઉલ્લેખનીય છે કે હજુ ચાર-પાંચ દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરોની પરસ્પર બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા હતા તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. બંછાનિધિ પાની કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે રહ્યાં હતા.

બંછાનિધિ પાની કે જેઓ હવે વડોદરા મનપાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકાર સુધી લેવાઈ હતી.

આ પણ વાંચો :-

વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો !

0

Everyone’s eyes are fixed on Virat’s watch

  • દુનિયાના ધુરંધર બેટ્સમેનમાં સામેલ વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર પ્લેયર્સ સાથે એક તસવીર લીધી હતી. જેમાં માત્ર વિરાટની ઘડિયાળની જ ચર્ચા થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા (Australia) જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે.

ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. જીતના લક્ષ્યાંક સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીએ શેર કરી તસવીર :

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી પ્લેયર્સ સાથેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તેમની સાથે યજુવેન્દ્ર ચહલ અને  હર્ષલ પટેલ નજર આવી રહ્યાં છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયા માટે જવા રવાના. આવનારા દિવસો શાનદાર હશે. તેની સાથે જ ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યાં છે.

વિરાટની ઘડિયાળ તો જુઓ :

વિરાટ કોહલીની આ તસવીરમાં તેમની ઘડિયાળ પણ નજર આવી રહી છે. તેના પર અનેક ફેન્સની નજર અટકી ગઈ હતી. લોકોએ તેની કિંમત પણ માલૂમ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે આ રોલેક્સ કંપનીની ઘડિયા છે.

રોલેક્સની સાઈટ પરથી માલૂમ પડ્યું કે આ મોડલ Dayton છે. જેની કિંમત 28 લાખ રૂપિયા છે. એટલુ જ નહિ, આ મોડલને પોતાના ઈચ્છા મુજબ બનાવી શકાય છે. વિરાટે જે મોડલ પહેર્યું છે તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે અનેક ઘડિયાળનું કલેક્શન છે.

આ પણ વાંચો :-

નેપાળી ચોકીદારે 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલો લૂંટ્યો, રાજકોટના પોશ એરિયામાં લૂંટથી ચકચાર

0

Nepali watchman takes 14-year-old boy

  • નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને બંગલામાં લૂંટ મચાવી

રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં (A posh area of Rajkot) દિલ ધડકાવી દે તેવી લૂંટની ઘટના બની છે. રોયલ પાર્ક 7 માં આવેલ માતોશ્રી બંગલામાં પરિવારના 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલામાં (Bungalow) જ કામ કરતા શખ્સે લૂંટને અંજામ આપી હતી.

14 વર્ષનો બાળક ઘરે એકલો હતો ત્યારે બંગલામાં કામ કરતો નેપાળી શખ્સે અન્ય નેપાળી મિત્રોને (Nepali friends) બોલાવી લૂંટ કરી હતી. લૂંટારુંઓ 10 લાખ રોકડ અને અંદાજીત 25 લાખના દાગીના લૂંટીને ભાગી ગયા. વહેલી સવારે 6:30 થી 7 વાગ્યે નેપાળી ચોકીદાર અનિલે મિત્રો સાથે મળીને ઘટનાને અંજામ આપી હતી.

14 વર્ષના કિશોરને બાંધી લૂંટ ચલાવી  :

બન્યું એમ હતું કે રાજકોટના રોયલ પાર્ક શેરી નંબર 7 માં માતોશ્રી બંગલો આવેલો છે. બંગલામાં પ્રભાતભાઈ દૂધાતનો પરિવાર રહે છે. પ્રભાતભાઈ દૂધાત પરિવાર સાથે કામ સંદર્ભે અમદાવાદ ગયા હતા. તેમનો 14 વર્ષનો પુત્ર જશ દૂધાત ઘરમાં એકલો હતો. ત્યારે બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદાર અનિલે ઘરમાં લૂંટ ચલાવી હતી. નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને લૂંટને અંજામ આપ્યો હતો.

હાઈફાઈ લૂંટથી પોલીસ દોડતી થઈ :

લૂંટની પગલે રાજકોટના ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2 સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપી ચોકીદારે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ આરંભી છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

રાજકોટ પોલીસે આરોપીના ફોટા જાહેર કર્યાં :

તો બીજી તરફ પોશ વિસ્તારમાં થયેલી ઘટનાથી રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. ઘરઘાટી નેપાળી શખ્સ અનિલ સહિતના શંકાસ્પદ શખ્સોને ફોટા જાહેર કર્યાં છે. ફોટામાં દેખાતા આ શખ્સો ક્યાંય જોવા મળે તો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી થઈ, ટપોરીના હુમલાથી કિશોરીનો ગાલ ચીરાયો, 17 ટાંકા આવ્યા

Grishmawali hits again in Surat, girl’s

  • પાંડેસરામાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના થતી રહી ગઈ, યુવક સંબંધ રાખવા દબાણ કરતો હતો, 14 વર્ષની કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચ્યું, ગાલ ચીરાઈ ગયો, 17 ટાંકા આવ્યા.

સુરતીઓ ગ્રીષ્મા વેંકરિયાની (GRISHMA VENKARIA) દર્દનાક ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં તેનુ ગળુ કપાયું હતું તે યાદ કરીને હચમચી જવાય છે. ત્યારે સુરતના પાંડેસરામાં (Pandesara of Surat) ગ્રીષ્મા વેંકરિયા હત્યાકાંડ (massacre) જેવી ઘટના થતી રહી ગઈ. 14 વર્ષની કિશોરી પર એક ટપોરીએ હુમલો કર્યો હતો. યુવકે તેને સંબંધ બાંધવા દબાણ કરીને કિશોરીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનો ગાલ ચીરાયો હતો. લોહી લુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ગાલ પર 17 ટાંકા લેવામાં આવ્યાં છે. 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.  (A young man has fled to Maharashtra after fatally attacking a 14-year-old girl. Then the police have set in motion to find him.)

પીડિત કિશોરીએ પોલીસને જણાવ્યું કે પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. બુધવારના રોજ તે તેના રૂમમાંથી બહાર નીકળી બાથરૂમમાં ગઈ હતી. તે જ સમયે કાલુ નામના યુવકે તેની નજીક આવી તારૂ કોની સાથે લફડુ ચાલે છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ગાલ ચીરાઈ ગયો હતો. તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

કિશોરીએ જણાવ્યું કે કાલુ નામનો યુવક કેટલાય દિવસોથી તેનો પીછો કરતો હતો. તે તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો. મારા પાડોશમાં એક મહિલા રહે છે. જેના ઘરે તે આવતોજતો હતો. યુવકે અનેકવાર કિશોરી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ તેની સાથે વાત કરી ન હતી. છતા યુવક તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી ગુસ્સાયેલા કાલુએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો.

યુવકે બપોરના સમયે કિશોરી પર હુમલો કર્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. કિશોરી પર સર્જરી કરાતા તેના ચહેરાના ભાગ પર 17 ટાંકા લેવા પડ્યા હતા.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો કોલ

0

Threat to kill Ambani family, call received

  • મુંબઈ પોલીસે જણાવ્યું કે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી અને અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને ધમકી આપવામાં આવી છે.

મુંબઈમાં (Mumbai) ગઈ કાલે બપોરે 12 કલાક 57 મિનિટ પર તે સમયે હડકંચ મચી ગયો જ્યારે શહેરની એક હોસ્પિટલને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. મુંબઈ પોલીસે આપેલા નિવેદન પ્રમાણે મામલો સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Foundation Hospital) સાથે જોડાયેલો છે. હોસ્પિટલના લેન્ડલાઇન પર અચાનક ફોન આવ્યો. કોલ કરનારે હોસ્પિટલને (Hospital) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસ પ્રમાણે કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રો પ્રમાણે કોલરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ જાનથી મારવાની ધમકી આપી. પોલીસે કહ્યું કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. પોલીસ પ્રમાણે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  (Police said that a case has been registered at DB Marg police station in this incident. According to the police, the matter is being investigated.)

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

આ પહેલા પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલના લેન્ડ લાઈન પર કોલ આવ્યો હતો અને કોલરે અંબાણી પરિવારને ધમકી આપી હતી. આ મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

હોટલ લીલાને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી :

ઓગસ્ટ મહિનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈની જાણીતી લીલા હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં 5 કરોડની માંગ કરનાર બે શંકાસ્પદોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ મામલામાં હોટલમાં કોલ કરી પાંચ કરોડની માંગ કરવામાં આવી હતી. બાદમાં ત્રણ કરોડની માંગ કરવામાં આવી હતી. ફોન પર એક વ્યક્તિએ ધમકી આપી હતી કે બ્લાસ્ટે તે માટે હોટલ તંત્રને પાંચ કરોડ આપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 6 ઓક્ટોબર: આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0

Today’s Horoscope October 6 Gujarat Guardian

મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ-સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખામાં વધારો થાય.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઊભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે.

ધનઃ
વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઈ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
મોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષક, ફાયનાન્સ તથા મીકેનીકલ એંજીનીયરીંગના ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટ તથા કીડની સંબંધીત રોગોથી સાવધઆની રાખવી.

મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

આ પણ વાંચો :-