Home Blog Page 1283

બસ, બે દિવસ બાકી…ચૂંટણી પહેલા શાંત દેખાતી કોંગ્રેસ 15 ઓક્ટોબરે કરી શકે છે મોટી જાહેરાત

0

That’s it, two days left…Congress, which seems calm

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 15 ઓક્ટોમ્બરની આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને (Voters) રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની (Gujarat Congress) રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી (Diwali) પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નથી કરાઈ જાહેરાત  :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.

15 ઓક્ટોમ્બર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી કરી શકે છે જાહેર  :

આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપી દેવાશે.

કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી 15 ઓક્ટોબરની આસપાસ જાહેર થઈ શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. જો કે આ અંગે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ત્રણથી ચાર તબક્કામાં જાહેર કરાશે ઉમેદવાર : રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવારો જાહેર કરાશે અને પ્રથમ યાદી દિવાળી પહેલા જાહેર કરાશે. તો તેમણે મુખ્યમંત્રી ચહેરાને લઈને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે. કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરાતું નથી.

આ પણ વાંચો :-

Paper Leak : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય, હવેથી તમામ પરીક્ષાઓમાં આ સ્ટાઈલથી પેપરો કઢાશે

0

Paper Leak: Saurashtra University has

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) પેપર લીક થયા બાદ નિર્ણય લીધો છે કે હવેની તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કઢાશે. પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં (Question Papers Hardcopy) મોકલવામાં નહીં આવે.

હવેથી તમામ કોલેજોને સોફટકોપીમાં (Soft copy) પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે BBAની પરીક્ષાનું પેપર યુનિવર્સિટી (University) દ્વારા ગઈકાલે રાત્રે જ તાત્કાલિક બદલી દેવાયું હતું. જ્યારે B.COMના પેપરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ : 

મહત્વનું છે કે ગુજરાતમાં હવે તો જાણે કે પેપર ફૂટ્યાની ઘટનાની તો જાણે કોઇ જ નવાઇ નથી રહી એવું દેખાઇ રહ્યું છે. કારણ કે રાજ્યમાં પેપર ફૂટ્યાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક પેપર ફૂટ્યાની ઘટના ઘટી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર BBA અને BComની પરીક્ષાના પેપર ફૂટી ગયા છે.

જો કે આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવતા પૂછ્યું કે ‘આવાં તત્વો સામે યુનિવર્સિટી ફરિયાદ દાખલ શા માટે નથી કરતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.’

ધોરાજીમાં પણ વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો :

બીજી બાજુ ધોરાજીમાં પણ વિધાર્થીઓએ પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનો આક્ષેપ લગાવ્યો. ધોરાજીના કોલેજના વિધાર્થીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો :-

જેલમાં જ લાઈફ-પાર્ટનર સાથે એકાંત માણી શકશે કેદી, વંશ વધારવા માટે કોર્ટે આપી સ્પેશ્યલ મંજૂરી

0

Prisoner can enjoy solitude with life-partner

  • પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે નિર્ણય લીધો છે કે હવે જેલમાં પણ કેદી પોતાના વંશને આગળ વધારી શકશે. આ માટે જેલમાં અલગ રૂમ પણ બનાવવામાં આવશે. જાણો વિગતવાર

જેલ પણ હવે વંશ વધારવાની સાક્ષી બનશે. જેલમાં કેદ પતિ અથવા પત્ની (Imprisoned husband or wife) પોતાના લાઈફ પાર્ટનરને (Life partner) એકાંતમાં મળી શકશે. આ પહેલ પંજાબ સરકારે (Punjab Govt) કરી છે અને આનું કારણ છે પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં (Haryana High Court) આ વર્ષે પહોંચેલા મામલાઓ. આ કેવી રીતે શક્ય થયું એ પહેલા જાણી લઈએ કે કઈ કઈ દલીલો સાથે આવી પેટીશન પહોંચી.

પહેલો મામલો :

માર્ચ 2022મા ગુરુગ્રામની એક મહિલા પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટ પહોંચી હતી. તેની પેટીશન બીજા કેસ કરતાં થોડી અલગ હતી. મહિલાએ જેલમાં કેદ પતિ સાતે શારીરિક સંબંધ બનાવવાની મંજૂરી માંગી. મહિલાએ દલીલ કરી કે તે જેલમાં કેદ પતિ સાથે પોતાના વંશને આગળ વધારવા માંગે છે. તેણે કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય અપરાધોનો દોશી ઠેરવ્યો છે. 2018 બાદથી જ તે ભોંડસી જિલ્લાની કેન્દ્રીય જેલમાં કેદ છે.

બીજો મામલો  :

આ પહેલા જાન્યુઆરી 2022નાં રોજ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પત્નીએ પોતાના પતિથી અલગ રૂમમાં મળવાનો સમય માંગ્યો હતો. તેણે બંધારણનાં આર્ટીકલ 21નો સહારો લીધો. જેમાં તેને આ અધિકાર આપવામાં આવ્યો છે.

ત્રીજો મામલો :

જસવીર સિંહે અરજી દાખલ કરી હતી કે તે પોતાનો વંશ આગળ વધારવા માંગે છે. પત્ની ગર્ભવતી થવા સુધી તેને પણ જેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. હાઇકોર્ટે આ માંગને રદ્દ કરી હતી.

હાઇકોર્ટનો નિર્ણય  :

આ જ જસવીર સિંહ તથા પંજાબ સરકાર વચ્ચેના કેસમા હાઇકોર્ટે હરિયાણા, પંજાબ અને ચંદીગઢની જેલ રીફોર્મ્સ કમિટી બનાવીને આ વિશે નીતિ બનાવવા કહ્યું હતું.

પંજાબની ચાર જેલોમાં સુવિધા મળી :

પંજાબ સરકારે માહત્વની પહેલ કરી. અહીંની જેલના કેદીઓને જીવનસાથી સાથે એકાંતમાં થોડો સમય વિતાવવાની મંજૂરી આપી દીધી. આ માટે જેલમાં અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ સુવિધા ઈંદવાલ સાહિબ, નાભા, લુધિયાણા અને બઠિંડા જેલમાં શરૂ થઈ ચૂકી છે. આ સુવિધા બધી જ જેલોમાં શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

સુવિધા ગેંગસ્ટર અને યૌન અપરાધીઓ માટે નહીં  :

આ સુવિધા દરેક અપરાધી માટે નથી. કુખ્યાત અપરાધી, ગેંગસ્ટર અને યૌન અપરાધો સાથે જોડાયેલા મામલાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને આ સુવિધા નહીં મળે. જેલ અધિકારીએ જણાવ્યું કે આ માટે કેદી પહેલા જેલ પ્રશાસનને એપ્લિકેશન આપી શકે છે.

અરજી મંજૂર થયા બાદ સારા આચરણવાળા કેદીઓને બે કલાક સુધી પોતાના જીવનસાથી સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે જેલ પ્રશાસને અલગ રૂમ તૈયાર કર્યા છે, જેમાં અલગ ડબલ બેડ, ટેબલ અને અટેચ બાથરૂમ પણ હશે.

મેડિકલ ટેસ્ટ ફરજિયાત  :

આવી મુલાકાત પહેલા પંજાબ સરકારે કેટલાક નિયમોની યાદી પણ તૈયાર કરી છે. સૌ પ્રથમ લગ્નનું પ્રમાણપત્ર છે. આ માટે તમારે પહેલા પતિ-પત્ની હોવાનું મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડશે. આ પછી બીજું સૌથી મોટું પ્રમાણપત્ર તબીબી પ્રમાણપત્ર હશે. જેમાં એચઆઈવી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી), કોરોના સંક્રમણ અને આવી કોઈ અન્ય બીમારી ન હોવી જોઈએ. આ પછી, જેલ પ્રશાસન બે કલાક આપશે, જેના પર પતિ-પત્ની એકલા સમય પસાર કરી શકશે.

આ પણ વાંચો :-

તાલાલામાં પિતાએ પોતાની જ 14 વર્ષની બાળકીની બલિ ચડાવી હોવાની આશંકા- ઘટના જાણીને ધ્રુજી ઉઠશો

In Talala, father is suspected to have

  • ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગ. વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી. તાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર માર. વાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતી.

ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા (Talala) તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીની બલિ ચઢાવાના મામલે આખરે પોલીસે (Police) ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. અંધશ્રદ્ધાના મામલે બાળકીનો ભોગ લેવાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. વળગાડની વિધીના નામે બાળકીને મોતને ઘાટ ઉતારાઇ હતી અને તાર અને લાકડી વડે બાળકીને ઢોર માર માર્યો હતો.

તલાલા પોલીસે ગુનો નોંધ્યો :

તલાલા પોલીસે સમગ્ર બનાવ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધી હતી. પોલીસે IPC સેક્શન 302, 201, અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. સમગ્ર બનાવમાં ભાવેશ ગોપાલ ભાઈ અકબરી અને દિલીપભાઈ ગોપાલ ભાઈ અકબરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી :

પોલીસે નોંધેલી ફરિયાદમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ફરિયાદમાં માસૂમ બાળકીના પિતા તથા બાળકીના કાકા એ ભેગા મળી ધૈર્યાનો જીવ લઈ લીધો હોવાનો ખુલાસો થયો હતો. માસૂમ બાળકીના પિતાના તથા તેમના.ભાઈને શંકા હતી કે તેની દીકરીને કોઇ વળગાડ છે.

જૂના કપડા સળગાવ્યા :

બાળકી ધૈર્યને બાળકીના પિતા અને તેના ભાઈએ 1લી ઓક્ટોબરના રોજ ચકલીઘર નામની વાડીએ લાવ્યા હતા. ત્યારબાદ તેમણે માસૂમ બાળકીના જુના કપડા સળગાવી દીધા હતા.

બાળકીને 2 કલાક સુધી આગ પાસે બેસાડી :

બનાવની ચોંકાવનારી વિગતો મુજબ માસૂમ બાળકીને આગ પાસે બે કલાક બેસાડી રાખવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ શેરડીની વાડમાં બાળકીને લાકડી તથા વાયર વડે માર મારવામાં આવ્યો હતો.

બાળકી પર અમાનુષી અત્યાચાર :

વળગાડની વિધિના નામે બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. માસૂમ બાળકીના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી હતી. સતત અત્યાચાર ગુજારાતા આખરે માસૂમ બાળકીનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

ત્યારબાદ બાળકીના ભાઈએ પોતાની બહેનની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટમાં લપેટી દીધી હતી. લાશને બાદમાં ફોર વ્હીલર ગાડીની ડેકીમાં મૂકી દેવાઇ હતી અને ચેપી રોગ થયો છે તેમ કહીને સ્મશાને લઈ જઈને અંતિમ વિધિ પૂર્ણ કરી નાંખી હતી.

આ પણ વાંચો :-

માત્ર આટલા રૂપિયામાં આવે છે માત્ર એક સફરજન, નામ છે બ્લેડ ડાયમંડ, આ દેશમાં થાય છે તેની ખેતી 

Only one apple, named Blade Diamond

  • બ્લેક ડાયમંડ સફરજન સામાન્ય સફરજન (Apple) કરતાં વધુ મીઠા અને ક્રન્ચિયર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ડાયમંડ એપલની કિંમત 500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની હોય છે.

બ્લેક ડાયમંડ (Black Diamond) સફરજન (Apple) સામાન્ય સફરજન કરતાં વધુ મીઠા અને ક્રન્ચિયર હોય છે. પરંતુ જો આપણે તેના ફાયદા વિશે વાત કરીએ. તો તે લાલ સફરજન જેટલા ફાયદાકારક નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ડાયમંડ એપલની કિંમત 500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની હોય છે.

સામાન્ય રીતે લોકો જાણે છે કે સફરજન માત્ર લાલ અને લીલા રંગના જ હોય ​​છે. કેટલાકને લાલ કાશ્મીરી સફરજન ખાવાનું ગમે છે તો કેટલાકને લીલા હિમાચલી સફરજન ગમે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સફરજનનો રંગ પણ કાળો હોય છે.

ખાસ વાત એ છે કે આ ઘેરા જાંબલી રંગના સફરજનને બ્લેક ડાયમંડ એપલ તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્લભ સફરજનની ખેતી તિબેટની ટેકરીઓ પર જ થાય છે. ખાસ વાત એ છે કે તિબેટમાં (Tibet) આ સફરજનનું નામ ‘હુઆ નીયુ’ છે. તે તિબેટના સૌથી મહત્વપૂર્ણ ફળોમાંનું એક છે. તેની માંગ આખી દુનિયામાં છે.

આ સફરજન જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. પરંતુ તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી દેશે. દરેક સફરજનની કિંમત $7 અને $20 વચ્ચે હોઈ શકે છે. આ સફરજન મોંઘા પણ છે કારણ કે તેની ખેતી દરિયાની સપાટીથી 3100 મીટરની ઉંચાઈ પર થાય છે. બ્લેક ડાયમંડ સફરજન સફરજન ઉત્પાદકો માટે કોઈ રહસ્યથી ઓછું નથી.

એક રિપોર્ટ અનુસાર બ્લેક ડાયમંડ સફરજન દિવસભર સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી અને રાત્રે ઠંડા તાપમાનને કારણે તેમનો રંગ અને સ્વાદ મેળવે છે. બ્લેક ડાયમંડ એપલની ખાસિયતએ છે કે તેના વૃક્ષો શરૂઆતના પાંચથી આઠ વર્ષ સુધી ફળ પણ આપતા નથી.

કાળા સફરજનના તાજા ફળને જોઈને એવું લાગે છે કે તેના પર મીણ લગાવવામાં આવ્યું છે. તેનું ટેક્સચર જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. એવું નથી કે આ પ્રકારના સફરજનની ખેતી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. બ્લેક એપલની ખેતી વર્ષ 2015થી શરૂ થઈ હતી. આમાંથી મોટા ભાગના સફરજન બેઇજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને શેનઝેનમાં સુપરમાર્કેટમાં ખવાય છે.

બ્લેક ડાયમંડ સફરજન સામાન્ય સફરજન કરતાં વધુ મીઠા અને ક્રન્ચિયર હોય છે. પરંતુ જો આપણે તેના ફાયદા વિશે વાત કરીએ તો તે લાલ સફરજન જેટલા ફાયદાકારક નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ડાયમંડ એપલની કિંમત 500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની હોય છે.

આ પણ વાંચો :-

આ વર્ષનું દિવાળી વેકેશન મોંઘુ પડશે ! ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો

0

This year’s Diwali vacation will be expensive

  • દિવાળીના તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવા લાગે છે. ST નિગમે પણ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો થયો છે.

સુરતમાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના (Private buses) ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યા છે.

ટ્રેનનું બુકિંગ ફૂલ થતા બસોના ભાડામાં વધારો :

સુરતમાં ટ્રેનો ફૂલ થતાં બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200 વસુલવામાં આવી રહ્યું છે.

સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2 હજારે પહોચ્યું :

તો સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલાય રહ્યું છે.

વધારાની બસો દોડવવાનો નિર્ણય :

અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે. આગામી દિવાળીના તહેવારમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1550 જેટલી બસો સુરત વિભાગમાંથી દોડાવાશે :

જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે SP આકરા પાણીએ, મહિલા PSI ની તાબડતોબ શિક્ષાત્મક બદલી

0

In the case of the attack on MLA Anant Patel in

  • ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે શિક્ષાત્મક બદલી કરી મહિલા PSI ને લિવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે.

નવસારીના (Navsari) ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર તાજેતરમાં હુમલાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને લઇને ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મહિલા PSIની બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ ખેરગામના PSI એસ.એસ.માલની બદલીનો ઓર્ડર કર્યો છે. એટલું જ નહિ શિક્ષાત્મક બદલી (Punitive Substitution) કરી મહિલા PSIને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ટાઉન PSI જે.વી.ચાવડાને ખેરગામમાં મુકાયા છે.

મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો :

ગત શનિવારની રાત્રીએ ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામ બજારમાં હુમલો થયા બાદ તેના પ્રત્યાઘાતો હજુ પણ શાંત પડ્યા નથી. હાલ ધારાસભ્ય અનંતભાઈ પટેલ વાંસદા શિવમ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે અને આરોપીઓની ધરપકડ ન થતાં આદિવાસી સમાજ રસ્તા પર ઊતરી પડ્યો છે. તો બીજી તરફ તેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે.

કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે હોસ્પિટલ પહોંચીને અનંત પટેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી. મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો હતો.

આદિવાસી સમાજે નેશનલ હાઇવે નંબર 56 પર કર્યો ચક્કાજામ :

હુમલા બાદ નવસારી જિલ્લા પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે 72 કલાકની સમય મર્યાદા માંગી હતી. જે આજે પૂર્ણ થઈ ગઈ હતી છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી આથી રોષે ભરાયેલા આદિવાસી સમાજે વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ઉપર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો. પ્રકૃતિપુજક આદિવાસી સમાજે હાઇવે પર પ્રકૃતિની પૂજા અર્ચના પણ કરી હતી.

જેના કારણે મહારાષ્ટ્રથી ડાંગ થઈ આવતા વાહનો અને વલસાડથી ધરમપુર થઈ નવસારી અથવા શામળાજી જતા વાહનોની લાગી લાંબી લાઈનો લાગી હતી. આદિવાસીઓએ પોલીસ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સામે રોષ ઠાલવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતની બદલાઇ રહેલી હવાને પારખી ગયેલા મોદીનો પ્રવાસ ઘણા રાજકીય સમીકરણો બદલી નાંખશે

Sensing the changing climate of Gujarat

  • રાજકોટ,જામકંડોરણા, જામનગરના પ્રવાસ દરમિયાન રાજકીયને બદલે સામાજિક સંબંધો તાજા કરીને બદલાઇ રહેલા મન, અસંતોષને ઠારવામા સફળ ખેલાડી પુરવાર થયા

  • સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તીર્થધામ અને લાખો શ્રધ્ધાળુઓ ધરાવતા જૂનાગઢ જિલ્લાના પરબ ખાતે અમરમાંની ‘સતદેવીદાસ અમર દેવીદાસ’’ સંસ્થાના ગાદીપતિ કરસનદાસ બાપુને મળીને, ભેટીને  આશીર્વાદ પણ મેળવ્યા, કરસનદાસ બાપુનો આદેશ, શ્રધ્ધાળુઓ માટે મીનમેખ ગણાય છે
  • બાકી હતુ તો બેટ દ્વારકામા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની ઘટનાને સાંકળીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પીઠ થપથપાવવા સાથે ‘‘સફાઇ’’ શબ્દ પ્રયોગ કરીને સ્પષ્ટતા કર્યા વગર ઘણાને સંદેશો આપી દીધો
  • સૌરાષ્ટ્રના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને પૂર્વમંત્રી જયેશ રાદડિયાની જાહેરમાં જવાબદારી સ્વીકારીને લઇને પાટીદાર સમાજને સંદેશો પણ આપી દીધો, સમસ્ત લેઉવા પાટીદાર સમાજે મોદીને સન્માનિત કરવા સાથે રાજકોટ જિલ્લાની પાંચે પાંચ બેઠકો જીતાડવાની ખાતરી આપી દીધી

ગુજરાતના ડોહળાયેલા રાજકીય હવામાન વચ્ચે વડાપ્રધાન મોદીના (Prime Minister Modi) ત્રણ દિવસનાં ગુજરાતનાં પ્રવાસ દરમિયાન રાજકીય હવામાનમાં અપે‌િક્ષત પલટો આવ્યો હોવાનાં અણસારની અનુભૂતિ થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં (Saurashtra Diocese) જામનગર, રાજકોટ અને જામકંડોરણાની મુલાકાત વખતે વડાપ્રધાન મોદીએ જાદુઈ છડી ફેરવી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં (Aam Aadmi Party) પગ પેસારા કરતાં ગુજરાત ભાજપમાં આંતરિક ગજગ્રાહ ભાજપ માટે વધુ નુકસાનકારક થવાનો ભય હતો. આ વખતે ગુજરાત ભાજપનાં આંતરિક વિવાદનું કેન્દ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર રહ્યું છે. વિજય રૂપાણી (Vijay Rupani) સહિત આખી સરકારને બદલી નાંખવામાં આવી તે પૂર્વેથી જ ભાજપમાં ગજગ્રાહ પેદા થવા પામ્યો હતો. ઘણાં સત્તાથી વંચિત રહી ગયેલા ધારાસભ્યો, ટેકેદારોમાં નારાજગી ઉકળી રહી હતી. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને રાતોરાત મંત્રીપદ છીનવાઈ જવાથી કુંવરજી બાવળિયા (Kunwarji Bavaliya), જવાહર ચાવડા જેવા ઘણા લોકો નારાજ થઈ ગયા હતા. આ તરફ ઉત્તર ગુજરાતમાં વર્ષો સુધી સરકારમાં પદ ભોગવવા છતાં પોતે જ મુખ્યમંત્રીનાં દાવેદાર હોવાનું માનતા નીતિન પટેલ પણ અંદરખાને નારાજ છે. અલબત્ત તેઓ ભાજપ વિરોધી નિવેદન કરતાં નથી, પરંતુ વખતે આવ્યે વાંકુ બોલવામાં પણ વાંધો નથી.

ખેર, ચૂંટણીઓ જાહેર થવાની આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે અને ચૂંટણીની જાહેરાત પૂર્વે થઈ રહેલા રાજકીય અવલોકનોમાં ભાજપ માટે ચિંતાજનક દૃશ્ય ઉપસી રહ્યું છે. સરકારી એજન્સીઓનાં અભ્યાસમાં પણ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ઉભરી રહી હોવાથી આખરે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની બાગડોર હાથમાં લીધી અને સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતનાં મંત્રીઓનાં ઉપરાછાપરી પ્રવાસથી ગુજરાત ભાજપમાં નવો સંચાર થવા પામ્યો છે. ખુદ વડાપ્રધાન મોદીને પણ અહેસાસ થઈ ચૂક્યો છે કે, ગુજરાત ભાજપની આંતરિક સ્થિતિ સંતોષકારક નથી જ અને એટલે જ તેઓ આક્રમક બનીને ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યાં છે. વડાપ્રધાને ગુજરાતનો કોઈ ખૂંણો બાકી રાખ્યો નથી અને ચૂંટણી પૂર્વેનાં પ્રવાસના અંતિમ ચરણમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને નિશાન બનાવ્યું છે.

હવે આગામી તા.૧૯મીએ ફરી પાછા રાજકોટનાં પ્રવાસે આવી રહ્યાં છે. ૧૯ ઓક્ટોબરનો પ્રવાસ કદાચ ચૂંટણી પૂર્વેનો તેમનો છેલ્લો પ્રવાસ હશે. અલબત્ત ગાંધીનગર ખાતે આગામી ૨૨મી ઓક્ટોબરથી યોજાઈ રહેલા ‘ડિફેન્સ એક્સ-પો’નું તેઓ ઉદ્‍ઘાટન કરવા માટે આવનાર છે અને આ મુલાકાત બાદ લગભગ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાશે. પરંતુ ચૂંટણી જાહેર કરતાં પહેલા ગુજરાત ભાજપ લગભગ એક થઈ ચૂક્યું હશે. શામ, દામ, દંડ, ભેદ સહિતનાં તમામ રસ્તા અપનાવવામાં લેશમાત્ર વિલંબ નહીં કરવામાં માનતા વડાપ્રધાન મોદી ગુજરાતની નબળી રાજકીય કડીઓ અને ગુજરાત ભાજપનાં નબળી માનસિકતા ધરાવતા નેતાઓને બરાબર ઓળખી ચૂક્યાં છે. એટલે જ છેલ્લાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને નિશાન બનાવવા સાથે જે લોકોને વ્યક્તિગત મળવાની જરૂર હતી એ બધાને જ મળ્યા હતાં.

ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પાટીદારો સહિત સર્વ સમાજમાં જબરજસ્ત વર્ચસ્વ ધરાવતા અને પક્ષની નહીં પરંતુ પોતાની તાકાત ઉપર ચૂંટાઈ આવતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની જામકંડોરણા ખાતેની શિક્ષણ સંસ્થામાં વિશેષ કાર્યક્રમ યોજવા સાથે લાંબા સમય સુધી હાજરી આપી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેના તેમના સ્મરણો વાગોળ્યા હતા. અસલ કાઠીયાવાડી લહેકા સાથે લગભગ પોણો કલાક સંબોધન પણ કર્યું હતું. આનાથી પણ આગળ વધીને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનાં ધર્મપત્ની ચેતનાબેનને રૂબરૂ મળીને પુત્ર જયેશની ચિંતા નહીં કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતુ કે  જયેશ રાદડિયા હવે મારી જવાબદારી છે! વડાપ્રધાન મોદીનાં ‘મારી જવાબદારી’ શબ્દો ઘણાં અસરકારક રહ્યાં હતાં અને જયેશ રાદડિયાની છાવણીમાં રહી સહી ચિંતાનો છેદ ઉડી ગયો હતો. મતલબ સૌરાષ્ટ્રમાં પાટીદાર સહિત સર્વસમાજમાં જબરજસ્ત પ્રભુત્વ ધરાવતા જયેશ રાદડિયાની ટિકિટનું વડાપ્રધાનનું અભય વચન મળી જવાથી જયેશ રાદડિયા જુથનો અસંતોષ ઓસરી ગયો હતો.

એક વાત એવી પણ ચાલી રહી છે કે, લેઉવા પાટીદાર સમાજમાં નારાજગી છે. પરંતુ વડાપ્રધાન મોદીની રાજકોટ, જામકંડોરણા ખાતેની મુલાકાત વખતે ખુદ લેઉવા પાટીદાર ટ્રસ્ટનાં આગેવાનોએ સમગ્ર પાટીદાર સમાજ વતી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને લેઉવા પટેલો તેમની એટલે કે ભાજપની સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. બની શકે કે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખોડલધામની મુલાકાત પણ લઇ શકે.

જામકંડોરણા ખાતે જયેશ રાદડિયા સંચાલિત શાળા સંકુલમાં યોજવામાં આવેલા જાહેર કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો ફરી કબજે કરવાની ખાતરી સાથે ભાજપના જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા, મહામંત્રી મનસુખ રામાણી, નાગદાન ચાવડા વગેરેએ વડાપ્રધાનનું સ્વાગત, સન્માન કરવા સાથે ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી તથા ઉપલેટા બેઠકો ફરી કબજે કરવા વિશ્વાસ અપાવ્યો હતો.

વડાપ્રધાન મોદી રાજકોટના સ્વ.ચીમનભાઈ શુકલના પરિવારના સભ્યોને એરપોર્ટ ઉપર બોલાવીને ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી ભાજપના પ્રચારક હતા ત્યારે તેમણે સદ્‍ગત ચીમનભાઈ શુકલ સાથે ગાળેલા દિવસો યાદ કર્યા હતા. વડાપ્રધાન મોદીની શુકલ પરિવારની મુલાકાતથી રાજકોટમાં એક સકારાત્મક સંદેશ ફરતો થયો હતો. આ ઉપરાંત સ્વ. અભય ભારદ્વાજના પરિવારને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જામનગરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરાહના કરવા સાથે સુચક ટિપ્પણી કરી હતી. છેલ્લાં કેટલાંક દિવસથી બેટ દ્વારકાનાં દરિયા કિનારાના વિસ્તારમાં તાણી બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામોનું મોટાપાયે ડિમોલિશન ચાલી રહ્યું છે. એવું કહેવાય છે કે, મોટાભાગનાં ગેરકાયદે બાંધકામો લઘુમતી લોકોનાં છે. વળી આ બાંધકામો ગેરકાયદે હોવા ઉપરાંત બેટ દ્વારકામાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે પણ દરિયા કિનારાનાં દબાણો અવરોધરૂપ હતા. વડાપ્રધાન મોદીએ બરાબર તક ઝડપી લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સફાઈ’ અભિયાન ચલાવી રહ્યાં હોવાનું કહીને ભૂપેન્દ્ર પટેલની પીઠ થપ થપાવવા સાથે ‘સફાઈ’નાં ઘણાં અર્થ કર્યા હતાં.

વડાપ્રધાન મોદી જામકંડોરણાની મુલાકાત વખતે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અને લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું સ્થાન ધરાવતા જુનાગઢ જિલ્લાના પરબ ખાતે આવેલા અમરમાંના ‘‘અમર દેવીદાસ સત દેવીદાસ’’ તીર્થધામના ગાદીપતિ કરસનદાસબાપુને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, કરસનદાસ બાપુનો આદેશ એટલે મીનમેખ ગણાય છે.

વડાપ્રધાન મોદીનો આ વખતનો ત્રણ દિવસનો પ્રવાસ રાજકીય સમીકરણો બદલવા સાથે ભાજપનાં આંતરિક અસંતોષને ઠારવા માટે સફળ રહ્યો હતો અને ભાજપને ફરી મજબૂતાઈથી બેઠો કરવાની હવા ફેલાવી ગયા હતા. વડાપ્રધાન મોદીએ પીઠ થપ થપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગમાં પણ નવું જોમ ઉમેરાયું હતું. સ્વભાવે મૃદુ અને આંતરમુખી ભૂપેન્દ્ર પટેલ પણ ચૂંટણી પૂર્વે પોતાનું કૌવત બતાવશે એવા નિર્દેશ મળી રહ્યાં છે. ત્રણ દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘણાં નજીક આવવાની તક મળી હતી. એવું માનવામાં આવે છે કે, ભૂપેન્દ્ર પટેલે મન ખોલીને જે કહેવાનું હતું તે કહી દીધું હતું. આ તરફ વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલને દેશભરમાં વિક્રમીલીડ જીતનાર નેતા ગણાવી  અને મારા સાથી કહીને સરાહના કરી હતી.

એક વાત ચોક્કસ છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની ઉપરાછાપરી મુલાકાતોને પગલે ગુજરાતમાં પગ પેસારો કરવા ઈચ્છતા ‘આપ’ની મુરાદને ચોક્કસ ધક્કો પહોંચશે તથા ‘આમ આદમી પાર્ટી’ તરફ જવાનું મન બનાવી રહેલા લોકો ચોક્કસ ભાજપ તરફ પાછા ફરી જશે.

એક વાત ચોક્કસ છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપનાં બદલાયેલા આંતરિક હવામાનને સમજી ગયા છે અને આવનારી ચૂંટણીમાં ટિકિટ અને જવાબદારીઓની ફાળવણી વખતે ચોક્કસ અસરો જોવા મળશે.

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, 1 વર્ષમાં મળશે બેંકથી પણ વધુ ફાયદો, જાણો વિગત

0

Invest in this post office scheme

 

જો તમે પણ સુરક્ષિત અને નફાવાળા રોકાણ (A safe and profitable Investment) કરવા માંગો છો તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસમાં ફીક્સ્ડ ડિપોઝીટમાં (Fixed Deposit) રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં (Post Office) એફડી કરાવતા તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. જેમાં તમને નફાની સાથે સરકારી ગેરંટી પણ મળશે. જેમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા મળે છે.

પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ  :

પોસ્ટ ઓફિસમાં FD કરાવવું ખૂબ સરળ પણ છે. ભારતીય પોસ્ટે પોતાની વેબસાઈટ પર તેની માહિતી આપી. આ માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ 1,2,3, 5 વર્ષ માટે એફડી કરાવી શકો છો. આવો જાણીએ કે આ સ્કીમમાં કયા-કયા ફાયદા મળે છે.

  1. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવાથી તમને ભારત સરકાર ગેરંટી આપે છે.
  2. જેમાં રોકાણકારોના પૈસા પૂરી રીતે સુરક્ષિત રહે છે.
  3. જેમાં એફડી ઓફલાઈન અથવા ઓનલાઈન દ્વારા કરી શકો છો.
  4. જેમાં તમે 1થી વધુ એફડી કરી શકો છો.
  5. આ ઉપરાંત એફડી એકાઉન્ટ જોઈન્ટ કરી શકો છો.
  6. જેમાં 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ પર તમને આઈટીઆર ફાઈલ કરતી સમયે ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળશે.
  7. એક પોસ્ટ ઓફિસમાંથી એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.

આ પણ વાંચો :-

મોબાઈલના ચાર્જર Black&White જ કેમ હોય છે ? આખું લોજિક જાણીને માથું પકડી લેશો

Why are mobile chargers only Black & White

  • મોબાઈલ ચાર્જરને બ્લેક અથવા વ્હાઈટ બનાવવા માટે ઘણા તર્ક લગાવવામાં આવ્યાં છે અને ખૂબ સમજી વિચારીને આ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે આખરે તેની પાછળનુ કારણ શું છે.

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે મોબાઈલ ચાર્જર (Mobile charger) માત્ર વ્હાઈટ અથવા કાળા કેમ હોય છે? આખરે એવુ કેમ થાય છે કે ચાર્જરને કોઈ બીજા કલરના (Color) બનાવવામાં આવતા નથી? જો તમે ક્યારેય આ વાત પર ધ્યાન ના આપ્યું તો આજે અમે તમને તેનું કારણ જણાવી રહ્યાં છે.

ચાર્જરને બ્લેક અથવા વ્હાઈટ બનાવવા માટે ઘણા તર્ક લગાવવામાં આવ્યાં છે અને બહૂ સમજી વિચારીને આ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે આખરે તેની પાછળનુ કારણ શું છે.

ચાર્જર કાળા કેમ હોય છે? 

ચાર્જર કાળા કેમ હોય છે તેની પાછળનો તર્ક એવો છે કે આ રંગ બીજાની તુુલનામાં હીટ સારી રીતે ઓબ્ઝર્વ કરે છે. બ્લેક કલર એક આદર્શ ઉત્સર્જક કહેવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. જેનું ઉત્સર્જન માન 1 હોય છે. આ સાથે એવુ પણ કહેવામાં આવે છે કે જો બ્લેક મટીરિયલને ખરીદવામાં આવે તો આ સારું હોય છે. બીજા રંગના મટીરિયલ થોડા મોંઘા હોય છે. બસ આ જ કારણ હોય છે કે ચાર્જર બ્લેક કલરના બનાવવામાં આવે છે.

ચાર્જર વ્હાઈટ કેમ હોય છે?

પહેલા તો ચાર્જર કાળા જ આવતા હતા. પરંતુ ફરીથી ચાર્જરને વ્હાઈટ કલરમાં બનાવવામાં આવ્યાં. ઘણી કંપનીઓ તો એવી પણ છે. જે માત્ર વ્હાઈટ રંગનુ ચાર્જર આપે છે. જેનો તર્ક એવો આપવામાં આવે છે કે તેની રિફ્લેટર ક્ષમતા ઓછી હોય છે. આ રંગ બહારથી આવતી ગરમીને અંદર સુધી પહોંચવા દેતો નથી. આ તેને કંટ્રોલ કરે છે.

આ પણ વાંચો :-