Home Blog Page 1271

 સાઉથનો આ સુપરસ્ટાર છે ઉર્વશી રૌતેલાનો અસલી RP ! પોસ્ટ વાયરલ થતાં પંતના ચાહકો પણ ચોંક્યા

This superstar of South is Urvashi Rautela

  • ઋષભ પંત અને ઉર્વશીની સ્ટોરીમાં આવ્યો મોટો વળાંક, જાણો કોણ છે ઉર્લશી રૌતેલાના જીવનનો રીયલ RP.

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) છેલ્લા ઘણા મહિનાઓથી હેડલાઈન્સમાં છે. હકીકતમાં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આરપી નામનો વ્યક્તિ આખી રાત લોબીમાં તેની રાહ જોતો હતો. એવામાં લોકોને ગેર સમજ થઈ કે આ આરપી કોઈ બીજુ નહી પરંતુ ક્રિકેટર ઋષભ પંત (Cricketer Rishabh Pant) છે. બન્નેની વચ્ચે સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વિવાદ જોવા મળ્યો હતો.

ઉર્વશીએ અફવાઓનો લાવી દીધો અંત  :

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ દરેક અફવાઓનો અંત લાવી દીધો છે અને રિયલ આરપી સાથેની એક તસવીર શેર કરી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રામ પોથિનેની છે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં આ ગલતફેમીના કારણે ઋષભ પંત પાસેથી માફી પણ માંગી હતી.

ઉર્વશીએ શેર કર્યો ફોટો :

ઉર્વશી રૌતેલાએ રામની સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- #આરપી… સાથે રોઝ અને હાર્ટ વાળુ ઈમોજી પણ શેર કર્યું છે.

ઉર્વશી અને રામની તસવીર પર ફેન્સની ફની કોમેન્ટ જોવા મળી રહી છે. જેને વાંચીને તમે ચોક્કસ હસવું નહીં રોકી શકો. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- આચ્છા આ હતો RP… બીચારો ઋષભ પંથ.. ત્યાં જ બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે- આ આર પીને તો આ સ્ટોરીમાં ફિલ્મી કહાની કરતા પણ વળાંક આવી ગયો છે.

આ પણ વાંચો :-

મોરબીનો “ઝુલતો પુલ” મચ્છુમાં ડુબ્યો, મુસાફરો ભરેલી આખી ટ્રેન નદીમાં ખાબકી… આ છે 22 વર્ષ, 11 સૌથી ભયાનક પુલ દુર્ઘટનાઓ

0

Morbi’s “suspension bridge” sinks in Machhu

  • મોરબી પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, આ પ્રથમ વખત નથી કે અધિકારીઓની બેદરકારીના કારણે પુલ અકસ્માતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોય. આવો અમે તમને જણાવીએ પાછલા વર્ષોના કેટલાક સૌથી ભયાનક પુલ અકસ્માતો…

30 ઓક્ટોબરની મોડી સાંજે ગુજરાતના મોરબીમાં (Morbi) મચ્છુ નદી (Machhu river) પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. રિનોવેશન (Renovation) બાદ માત્ર 5 દિવસ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેના કારણે સંબંધિત અધિકારીઓની બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી. બેદરકારીના કારણે પુલ અકસ્માતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો અમે તમને જણાવીએ પાછલા વર્ષોના કેટલાક સૌથી ભયાનક પુલ અકસ્માતો…

1.) કાદલુંડી નદી પુલની ઘટના (કેરળ, 2001)

કેરળમાં 2001માં કાદલુન્ડી નદી રેલ પુલ દુર્ઘટનામાં 50 થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 300 લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા 57 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે. ટ્રેન કેરળના કોઝિકોડ પાસે કાદલુન્ડી નદી પર પુલ પાર કરી રહી હતી. જ્યારે એક કોચ તૂટી પડ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ભારે ચોમાસા અને ટ્રેનમાં જ કેટલીક ખામીઓને કારણે આ દુર્ઘટના બની હતી.

2) રફીગંજ રેલ બ્રિજ (બિહાર, 2002)

10 સપ્ટેમ્બર 2002ના રોજ ઉત્તર-મધ્ય ભારતમાં ધાવે નદી પરના પુલ પર ઝડપી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 130 લોકોના મોત થયા હતા. શરૂઆતમાં અકસ્માતનું કારણ જૂના બ્રિજમાં કાટ લાગવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે આ દુર્ઘટના વિસ્તારના નક્સલવાદીઓ દ્વારા જાણી જોઈને કરવામાં આવી હતી.

3) વેલીગોંડા રેલ્વે બ્રિજ (તેલંગાણા, 2005)

હૈદરાબાદ નજીક વેલીગોંડા ખાતે આવેલ એક નાનો પુલ અચાનક પૂરના કારણે ધોવાઈ ગયો હતો. 29 ઓક્ટોબર 2005ના રોજ એક ટ્રેન પુલના આ ભાગને પાર કરી રહી હતી. બ્રિજનો એક ભાગ ગાયબ હોવાની ટ્રેનને જાણ નહોતી અને ટ્રેન તેના મુસાફરો સહિત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 114 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

4) ભાગલપુર (બિહાર, 2006)

ડિસેમ્બર 2006માં હાવડા જમાલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર 150 વર્ષ જૂનો ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં લગભગ 30 લોકોના મોત થયા હતા.

5) પંજગુટ્ટા બ્રિજ (તેલંગાણા, 2007)

સપ્ટેમ્બર 2007માં હૈદરાબાદના પંજગુટ્ટા ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર ક્રેશ થયો હતો. ફ્લાયઓવરનો કાટમાળ બ્રિજની નીચેથી પસાર થતા વાહનો પર પડ્યો હતો, જેના કારણે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત પણ થયા હતા.

6) કોટા ચંબલ બ્રિજ (રાજસ્થાન, 2009)

ડિસેમ્બર 2009 માં રાજસ્થાનના કોટા જિલ્લામાં ચંબલ નદી પર એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જેમાં 28 કામદારો કાટમાળ નીચે દટાઇ મર્યા હતા. પ્રોજેક્ટના ઈન્ચાર્જ હ્યુન્ડાઈ અને ગેમનના 14 અધિકારીઓ સામે પણ બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

7) કોલકાતા ફ્લાયઓવર (પશ્ચિમ બંગાળ, 2016)

31 માર્ચ 2016 ના રોજ, કોલકાતામાં નિર્માણાધીન વિવેકાનંદ ફ્લાયઓવર તૂટી પડ્યો જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો અને 80 જેટલા ઘાયલ થયા. કન્સ્ટ્રક્શન ફર્મ, IVRCL વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

8) મુંબઈ-ગોવા હાઈવે બ્રિજ (મહારાષ્ટ્ર, 2016)

2 ઓગસ્ટ 2016ની મોડી રાત્રે મુંબઈ-ગોવા હાઈવે પર સાવિત્રી નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 41 લોકોનાં મોત થયાં હતાં. લગભગ એક ડઝન વાહનો નદીમાં પડ્યા. જેમાં અનેક લોકો ઘાયલ થયા.

9) મુંબઈ ફૂટ ઓવર બ્રિજ, (મહારાષ્ટ્ર, 2017)

એલ્ફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશન પર 29 સપ્ટેમ્બર, 2017 ના રોજ એક ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 29 મુસાફરોના મોત થયા હતા.

10) માજેરહાટ બ્રિજ, કોલકાતા (પશ્ચિમ બંગાળ, 2018)

કોલકાતામાં 04 સપ્ટેમ્બર, 2018ના રોજ એક મોટો પુલ ધરાશાયી થયો હતો. માજેરહાટ બ્રિજ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ કોલકાતા વચ્ચેના મુખ્ય જોડાણોમાંનો એક હતો. સાંજના ટ્રાફિકના ભારણને કારણે આખો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા.

11) પેડેસ્ટ્રિયન બ્રિજ, મુંબઈ (મહારાષ્ટ્ર, 2019) 

14 માર્ચ, 2019 ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર એક ઓવરહેડ પેડેસ્ટ્રિયન બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

 

બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન ? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આરામ

Are you troubled by cough-cough in the changing

  • હવામાન બદલાઈ રહ્યું છે એવામાં લોકો બિમાર પણ થઇ રહ્યાં છે. અત્યારે મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન રહે છે. જેના કારણે લોકોના ગળામાં દુ:ખાવાની અને ઉધરસની સમસ્યા જોવા મળે છે. એવામાં વરાળ લેવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે ઉધરસ (Cough) થવાથી પાણીમાં શુ મિક્સ કરીને તેની વરાળ લેવી? ચાલો, અમે અહીં તમને જણાવીશુ કે ઉધરસ થવાથી પાણીમાં તમે કઈ વસ્તુને મિક્સ કરીને સ્ટીમ લો.

ઉધરસ થતા વરાળ લેવા માટે પાણીમાં મિક્સ કરો આ વસ્તુ  :

ફૂદીનાનુ તેલ :

ફૂદીનાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આ બંધ નાકને ખોલવા અને ગળાના સોજાને ઘટાડવાનુ કામ કરે છે. તેથી જો તમને શરદી અથવા ઉધરસ છે તો તમે પાણીમાં 4 ટીપા ફૂદીનાના તેલના નાખીને આ પાણીની વરાળ લઇ શકો છો. આ ગળાની ખારાશ અને બલગમને દૂર કરવાનુ કામ કરશે.

સિંધાલુ નાખો :

આ વરાળ લેવા માટે સૌથી સરળ રીત છે. જેના માટે તમે પાણીમાં સિંધાલુ નાખીને વરાળ લો. આમ કરવાથી તમને શરદી, ઉધરસ અને ગળાની ખારાશ, સોઝો અને ગળાના દુ:ખાવાની સમસ્યામાંથી આરામ મળશે.

તુલસીના પત્તા, હળદર :

ઉધરસમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાન, અજવાઈન અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે આ પાણીનો વરાળ માટે ઉપયોગ કરો. આ પાણીને તમે પણ પી શકો છો. આમ કરવાથી તમને ઉધરસમાંથી તાત્કાલિક છૂટકારો મળી જશે.

આ પણ વાંચો :-

આઉટ થઈ શકતો હતો છતાં અશ્વિને મિલરને કેમ છોડ્યો ? પરાજય બાદ ઉઠી રહ્યા છે સવાલ

0

Why did Ashwin leave Miller even though

  • પર્થમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની સામે ટી 20 વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટથી પરાજય મળ્યો છે. ઓફ સ્પિનર અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી. પરંતુ તેણે છોડી દીધી.

ભારતીય ઓફ સ્પિનર (Indian off spinner) રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ટી20 વર્લ્ડ કપની મેચમાં રવિવારે ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 10થી પણ વધુ ઈકોનોમી રેટથી રન આપ્યાં. આ દરમ્યાન અશ્વિનની પાસે એક એવી તક હતી જ્યારે તે ડેવિડ મિલરને (David Miller) આઉટ કરી શકતો

નંબર-2 પર આવ્યું ભારત  :

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપની હાલની એડિશનમાં પહેલી વખત હારનો સામનો કર્યો. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને પર્થમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટથી હરાવી. ભારત હવે પોતાના ગ્રુપમાં નંબર-2 પર જતુ રહ્યું છે. ભારતીય ટીમના ત્રણ મેચમાંથી 4 પોઈન્ટ છે. જ્યારે ટોપમાં રહેલી દક્ષિણ આફ્રિકાના આટલી જ મેચમાં 5 પોઈન્ટ થયા છે. ત્રીજા નંબરે બાંગ્લાદેશ છે. જેના 4 પોઈન્ટ છે અને 3 પોઈન્ટની સાથે ઝીમ્બાબ્વે ચોથા ક્રમાંકે છે.

અશ્વિને ગુમાવી તક :

આ દરમ્યાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પર્થ ટી-20 વખતનો છે. આ મેચમાં અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી, પરંતુ તેણે છોડી દીધી. ટી20 વર્લ્ડ કપના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. અશ્વિને આ મેચમાં 4 ઓવરમાં 43 રન આપ્યાં અને એક વિકેટ લીધી.

આ પણ વાંચો :-

ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વીમા ક્લેમ સુધી, 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર

0

From gas cylinder prices to insurance claims

  • નવેમ્બર મહિનાની શરૂઆતથી કયા 5 બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

ઓક્ટોબર (October) મહિનો આજે પૂરો થઈ જશે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એવા માં દર મહિનાની જેમ નવેમ્બરની શરૂઆતમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ ફેરફારની અસર ફક્ત તમારા ખિસ્સા પર જ નહીં પણ તમારા જીવનમાં પણ પડશે.

જણાવી દઈએ કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સાથે વીમા દાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. સાથે આ બધા સિવાય ભારતીય રેલવે ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરી શકે છે. નવેમ્બર મહિનાથી કયા કયા બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવીશું.

ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર :

દર મહિનાની પહેલી તારીખની જેમ આવતીકાલે પણ 1 નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે અને નવી કિંમત બહાર પાડવામાં આવશે. જણાવી દઈએ કે કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં 14 કિલોવાળા ઘરેલું અને 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બદલાવ કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી પણ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારાને જોતા એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે.

OTP કહ્યા પછી જ ગેસ સિલિન્ડરની ડિલિવરી :

1 નવેમ્બરથી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત ફેરફાર થવા જઈ રહ્યો છે. નવેમ્બરની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિલિવરી હવે વન ટાઇમ પાસવર્ડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. એટલે કે ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે અને એ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનું રહેશે. સિસ્ટમને OTP સાથે મેચ કર્યા પછી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.

વીમા ક્લેમના નિયમો બદલાશે :

વીમા નિયમનકાર IRDAI તરફથી નવેમ્બરની પહેલી તારીખથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે વીમા કંપનીઓ માટે 1 નવેમ્બર, 2022 થી KYC વિગતો આપવી ફરજિયાત બનાવી શકાય છે. હાલ નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે પણ આવતીકાલથી તેને ફરજિયાત બનાવવામાં આવી શકે છે. એટલે કે જો વીમાના ક્લેમ સમયે KYC દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. તો દાવો રદ કરી શકાય છે.

GST રિટર્નમાં કોડ આપવાનો રહેશે :

આવતીકાલથી GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર મુજબ હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GST રિટર્નમાં ચાર અંકનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. આ પહેલા પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલથી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટથી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

મોરબી : માતા સહિત 3 સંતાનોના મોત, એક જ ઘરમાંથી ચાર-ચાર અર્થી નીકળતા પરિવારમાં આક્રંદ

0

Morbi: Death of 3 children including mother

  • મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકો ગુમ છે.

બીજી તરફ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં (Hospital) ઈજાગ્રસ્ત લોકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ બાદ હવે અંતિમ સંસ્કાર (Funeral) માટે સ્મશાનમાં પણ લાઈનો લાગી છે. ત્યારે આ દુર્ઘટનામાં એક માતા અને ત્રણ સંતાનોના પણ કરુણ મોત નિપજ્યા હતા. એક પરિવારમાંથી ચાર-ચાર અર્થી ઉઠતા હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

પતિ બચી ગયો, પત્ની-ત્રણ સંતાનો મોતને ભેટ્યા :

મોરબીમાં રવિવારે રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝુલતા બ્રિજ પર ફરવા માટે ગયા હતા. જોકે સાંજના સમયે બ્રિજ તૂટી પડતા રૂપેશભાઈ તથા તેમના પત્ની હંસાબેન અને ત્રણ સંતાનો તુષાર, શ્યામ અને માયા પણ મચ્છુ નદીમાં ખાબક્યા હતા. રૂપેશભાઈ તરીને નદીમાંથી બહાર નીકળી ગયા.

પરંતુ તેમના પત્ની અને સંતાનો નદીમાં જ ડૂબી ગયા હતા. એક જ પરિવારમાંથી ચાર-ચાર શબને કાંધ આપવાના કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પળવારમાં જ કોઈની બેદરકારીથી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો.

સિવિલમાંથી 132 મૃતદેહો પરિવારજનોને સોંપાયા :

મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી મૃત્યુ પામેલા 132 જેટલા મૃતદેહોને પરિવારજનોને પાછા સોંપવામાં આવ્યા છે. જેમાં મતૃકોની અંતિમ વિધિ દરમિયાન પરિવારજનો સહિત સામાજિક આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

તંત્રએ ફિટનેસ સર્ટિ. આપ્યું હતું ? ક્ષમતા કરતાં વધારે લોકો કેમ જવા દેવાયા ? મોરબી હોનારત બાદ ઊભા થતાં 5 સવાલ 

0

Tantra Fitness Certificate. was given Why were

  • આઠ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો અને દુર્ઘટના બની.

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી (Machu River in Morbi) પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ (Cable Bridge) રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના (Big tragedy) સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

આ તરફ ગુજરાત માહિતી વિભાગના (Gujarat Information Department) જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુજરાત પોલીસની (Gujarat Police) મરીન ટાસ્ક ફોર્સે રાતભર મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

મહત્વનું છે કે બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. બ્રિજના સમારકામમાં આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ દર્દનાક અકસ્માત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સળગતા સવાલ  :

  1. ઓરેવા કંપનીએ બ્રિજનું સમારકામ સાત મહિના સુધી કર્યું હતું પરંતુ પાલિકાનું ફિટનેસ સર્ટિફિકેટ ન મળતાં દુર્ઘટનાના ચાર દિવસ પહેલા તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આખરે ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ કેમ ખુલ્લો મુકાયો ?
  2. બ્રિજની ક્ષમતા લગભગ 100 લોકોની હતી પરંતુ 250થી વધુ લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ પુલ આટલા લોકોનું વજન સહન કરી શક્યો ન હતો. બ્રિજ પર અચાનક આટલી ભીડ ક્યાંથી આવી ?
  3. બ્રિજ પર પહોંચેલા લોકોને કેમ રોકવામાં ન આવ્યા ?
  4. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્રિજ ખોલવામાં આવ્યો ત્યારે કર્મચારીઓનું ધ્યાન ભીડ પર નહોતું, તેઓ વધુને વધુ ટિકિટો વેચવામાં વ્યસ્ત હતા. શું કંપનીએ માત્ર નફો કરવા માટે ધાર્યા કરતાં વધુ ટિકિટો વેચી હતી ?
  5. પુલને ફરીથી ખોલવા માટે કંપનીને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું નથી. આ પછી પણ બ્રિજ ખોલવાનું જોખમ કેમ લેવામાં આવ્યું ?

આ પણ વાંચો :-

T20 World Cup 2022 : 15 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કરશે રોહિત એન્ડ કંપની, દક્ષિણ આફ્રિકાથી હાર સાથે 2011નો વિશ્વકપ યાદ આવ્યો

0

T20 World Cup 2022: Rohit & Co to end

  • દક્ષિણ આફ્રિકાએ ભારતને 2 બોલ પહેલા હરાવ્યું હતું. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતની આ પહેલી હાર છે. 2011 ODI વર્લ્ડ કપમાં પણ આવું જ કંઈક થયું હતું.

ભારતીય ટીમની (Indian team) સળંગ બે જીત બાદ ત્રીજી મેચમાં હાર થઈ છે. દક્ષિણ આફ્રિકા (South Africa) સામે આસાન લક્ષ્ય રાખવા છતા જબરદસ્ત લડાઈ આપીને રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં હાર મેળવી હતી. જો કે ભારતીય ચાહકો (Indian Fans) આ હારને લઈ સહેજ પણ દુઃખી નથી. કારણ કે આ હારમાં પણ જીતનો સંયોગ જોવા મળી રહ્યો છે.

આ હાર સાથે જ 15 વર્ષનો દુષ્કાળ હવે ખતમ થશે તેવી આશા જાગી છે. વર્ષ 2011 માં વનડે વિશ્વકપ ભારતે જીત્યો હતો એ વખતની યાદો તાજી થઈ ગઈ છે. કારણ કે પ્રથમ ત્રણ મેચોના પરીણામને હવે એક આશા ભર્યા સંજોગોથી ચાહકો જોવા માંડ્યા છે.

ટીમ ઈન્ડિયાએ વર્ષ 2011 માં વન ડે વિશ્વકપ જીત્યો હતો. તે સમયે જે પ્રમાણેનુ પ્રદર્શન ભારતનુ રહ્યુ હતુ એ જ પ્રમાણેનુ પ્રદર્શન ટીમ ઈન્ડિયાનું હાલમાં જોવા મળી છે. તે વખતે ભારત માત્ર એક જ મેચ હાર્યુ હતું અને એ પણ દક્ષિણ આફ્રિકા સામે.

દક્ષિણ આફ્રિકા સામેની મેચ હારી :

T20 વર્લ્ડ કપ 2022માં પણ ભારત અત્યાર સુધી માત્ર એક જ મેચ હાર્યું છે અને તે ટીમ અન્ય કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા છે. આ સંયોગ માત્ર વિપક્ષી ટીમમાં જ નહીં. પરંતુ જીત અને હારમાં પણ બને છે, જેનાથી ચાહકોમાં ચેમ્પિયન બનવાની આશા જાગી છે.

2 બોલ પહેલા મેચ જીતી  :

2011માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 2 બોલ પહેલા જ જીત અપાવી હતી. આ વખતે પણ દક્ષિણ આફ્રિકાએ પર્થમાં 2 બોલમાં જીત મેળવી હતી. એટલે કે હાર પણ ભારતની જીતની ગાથા લખવાની તૈયારી કરી રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ફરી એકવાર 2 બોલ પહેલા જીતી :

પર્થમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર 12 મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

આ પણ વાંચો :-

“ધારાસભ્યો બકરા મંડીની માફક વેચાય છે, તેમની કિંમત કરાય છે અને ખરીદવામાં આવે છે” : ગેહલોત

0

Members of Parliament are sold like goats

  • સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા.

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મા (Khedra Brahma) ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) સભા સંબોધી હતી. અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર વખતે પોતાની જ સરકાર મુસીબતમાં મૂકાઈ ગઈ હોવાની વાતો કરીને કોંગ્રેસીઓને સ્તબ્ધ કરી દીધા હતા. ગેહલોતે એમ પણ કહ્યું કે ધારાસભ્યો (MLAs) બકરા મંડીની માફક વેચાય છે. તેમની કિંમત કરવામાં આવે છે અને ખરીદવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેમને એજન્સીઓની ધાક બતાવાઈ હશે. જેથી તેઓ કોંગ્રેસ છોડી જોડાઈ ગયા હશે. ગેહલોતે જોકે આ દરમિયાન ધારાસભ્યોને બકરા મંડીની માફક લે વેચ કરવામાં આવતા હોવાની વાત કહી હતી.

તેઓ કહ્યું કે ધારાસભ્યો કરોડોમાં વેચાય છે અને એક બાદ એક રાજ્યોની  સરકાર તૂટી છે. રાજસ્થાનની તાજેતરમાં સર્જાયેલી સ્થિતીની યાદ તાજી કરવાતા ગેહલોતે કહ્યુ હું પણ અહીં તમારી સામે ના ઉભો હોત. આમ કહી તેઓએ સરકાર તેમની તૂટવાના અને બદલાવની સ્થિતીને યાદ કરાવી લીધી હતી. આમ ગુજરાતમાં સરકાર બનાવવાની આશાએ પ્રચાર કરી રહેલા અશોક ગેહલોતે પોતાની જ આપવીતી રજૂ કરી દીધી હતી.

આ પણ વાંચો :-

૪૩ વર્ષ પૂર્વેની એક મધરાત્રે મચ્છુએ મોરબીને તહસનહસ કરી નાંખ્યુ હતું, લગભગ દોઢ હજાર લોકો મોતને ભેટ્યાં હતા

0

One midnight 43 years ago

  • કાદવ-કીચડમાં, મકાનોની છત ઉપર અને ઝાડ ઉપર માનવ લાશો દિવસો સુધી સડતી રહી હતીઃ જાનવરો ખીલે બાંધેલી હાલતમાં મોતને ભેટ્યા હતાઃ એ સમયે RSSના સ્વંયમ સેવકો દેવદૂત બનીને મદદે આવ્યા હતા.

ઔદ્યોગિક નગરી મોરબી (Morbi) આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પરંતુ મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ (suspension bridge) તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૪૦૦ જેટલા લોકોના પાણીમાં ખાબક્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ૪૩ વર્ષ અગાઉ કુદરતી આપદાઓએ આ શહેરને શ્મશાનભૂમિ (The burial ground) બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં (Morbi) બંને આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોઝારા દિવસે જીવનરૂપી જળે મોરબીવાસીઓનાં (Jale Morbivasi) જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે.

૧૦ ઓગસ્ટ ૧૯૭૯ની રાત્રીના મોરબીમાં ૨૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં ૬૧૫૮ મકાન, ૧૮૦૦ ઝુંપડા નાશ પામ્યા તો ૩૯૦૦ જેટલા મકાનને નુકસાન થયું હતુ. સરકારી આંકડા મુજબ ૧૪૩૯ માનવ અને ૧૨,૮૪૯ પશુઓના જીવ ગયા હતા.

સૌથી મોટી કરુણતા એ છે કે આટલી મોટી વિપદા કુદરતી હતી કે માનવીય ભૂલ તે સાચા કારણથી મોરબીવાસીઓ આજે પણ અજાણ છે. જળ હોનારતના ૪૩ વર્ષ થવા છતાં આજે પણ મોરબીવાસીઓના માનસપટ્ટમાં એ કાળનો દિવસ સામે આવી જાય છે. ૧૧ ઓગસ્ટના સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે ગણતરીની કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-૨ ડેમમાં નવાગામ તરફના માટીના પાળો તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને ૨૫થી ૩૦ ફૂટ ઉંચા પાણીનાં મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા હતા.

મોરબીમાં આવેલ જળ હોનારતનું સરકારે સાચું કારણ રજુ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હતું. જેના કારણે લોકો આ પ્રલયનું સાચું કારણ જાણી શક્યા ન હતાં પરંતુ આ કારણ બહાર લાવવાંનું બીડું મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યાં છે.

જેમાં સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન અને સ્થળમાં ભૂલો સામે આવી છે. લેખકનાં મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાને ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

કેન્દ્ર સરકારે સુચવેલા પગલાંને અવગણી તેમજ ડેમમાં મહત્તમ પાણી આવે તૌ તેને છોડવાની ગણતરી પણ ખોટી હતી, પધ્ધતિ પણ જૂની હતી અને આ જ કારણે બનાવવામાં આવેલ આ ડેમ ખરેખર મોરબી માટે અભિશાપ બન્યો. આ ઉપરાંત ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધું લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મચ્છુની હોનારત વખતે આરએસએસના સભ્યોએ કાદવ, કીચડમાં ઉતરીને પણ લોકોના મૃતદેહોને બહાર કાઢવા સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. RSSની કામગીરી આજે પણ ઘણાને યાદ હશે.

એક દંતકથા એવીપણ છે કે મોરબીનો રાજા એક અતિસુંદર મહિલાની પાછળ પડ્યો હતો  પરંતુ ચારિત્ર્ય અને શીલવાન મહિલાએ રાજાને શરણે થવાને બદલે મોરબીના રાજાને શ્રાપ આપ્યો હતો. અલબત્તા આ દંતકથા છે. આના કોઈ પુરાવા નથી પરંતુ ગુજરાતના લોકગીતોમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-