Home Blog Page 1271

30 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિઓ પર કુળદેવી વર્ષાવશે અસીમ કૃપા અને જીવનમાં આવશે જબરદસ્ત બદલાવ

30 October 2022, Today’s Horoscope

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનં ધ્યાન રાખવંું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્યજીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદવિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્ની પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનત સફળતા મળતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જૂની ઉઘરાણી છુટી થતાં નાણાની છુટ વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનંું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકે જીવ ખોયો, કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારી કરાઈ હત્યા

Another Gujarati youth lost his life abroad

  • દુર્ભાગ્યવશ 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

વિદેશમાં (Abroad) વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. ઠાસરા તાલુકામાં (Thasara Taluka) આવેલ સાંઢેલી ગામના 24 વર્ષીય કુતંજ પટેલની યુગાન્ડામાં (Uganda) કરપીણ હત્યા કરાઈ છે.

ચાર વર્ષ પહેલા કુતંજના લગ્ન થયા હતા. લગ્ન બાદ કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાઈ થયા હતા. માસીના ગ્રોસરીના સ્ટોર પર કુંતજ સેલ્સમેન તરીકે કામ કરતો હતો. પરંતુ દુર્ભાગ્યવશ 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો.

ત્યારે આ ઘટના બની હતી. સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના બાદ યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કરતા જ ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યા કરી ભાગનાર હત્યારો યુગાન્ડા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજું સુધી જાણી શકાયું નથી કે હત્યા શા માટે કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે.

આ પણ વાંચો :-

રવિ શાસ્ત્રી કહ્યુ આ ખેલાડી હવે ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવશે, શ્રેયસ અય્યર માટે બનશે ખતરો

0

Ravi Shastri said this player will make a

  • ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે અને આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવને આ ફોર્મેટ માટે ટીમમાં સ્થાન મળે છે કે કેમ તેના પર નજર રહેશે.

હાલમાં આ દિવસોમાં માત્ર ટી-20 ક્રિકેટ માટે જ વાતાવરણ ચાલી રહ્યું છે. ટેસ્ટ કે વનડે ફોર્મેટની (Test or ODI format) કોઈને પરવા નથી. ઓસ્ટ્રેલિયામાં (Australia) T20 વર્લ્ડ કપ વિશ્વભરના દિગ્ગજો અને સ્ટાર્સથી સજાવવામાં આવ્યો છે અને વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બનવાની સ્પર્ધામાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા માટે પણ વર્લ્ડ કપ સારો સાબિત થયો છે.

જેણે શરુઆતની પોતાની બંને મેચ જીતી છે. આમાં સૂર્યકુમાર યાદવે ખાસ ભૂમિકા ભજવી છે. આ સ્ટાઇલિશ બેટ્સમેને પોતાની સ્ટાઈલમાં ધમાકેદાર અડધી સદી ફટકારી છે. સતત સારા પ્રદર્શન બાદ આખરે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તે વાત કરી છે જે ઘણા ભારતીય ચાહકોના મનમાં છે.

નેધરલેન્ડ સામેની વર્લ્ડકપ મેચમાં ભારતની બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને 179 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. નેધરલેન્ડ માટે આ સ્કોર ઘણો મોટો સાબિત થયો અને ભારતે આ મેચ 56 રને જીતી લીધી. સૂર્યાને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે, તેની ઇનિંગ્સથી કોઈને આશ્ચર્ય થયું ન હતું કારણ કે તે છેલ્લા દોઢ વર્ષથી આમ જ કરી રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં તોફાન મચાવશે :

આ બધાની વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક એવો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પર હાલમાં કોઈનું ધ્યાન નથી, પરંતુ આવનારા સમયમાં તે ચર્ચામાં આવશે તે નિશ્ચિત છે. નેધરલેન્ડ સામેની જીત બાદ સૂર્યકુમાર સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું કે તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે.

શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તે ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. હું જાણું છું કે ટેસ્ટ ક્રિકેટમાં લોકો તેના વિશે વાત કરતા નથી. આ છોકરો ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે અને લોકોને સરપ્રાઈઝ પણ કરી શકે છે. તેને પાંચ નંબર પર મોકલો અને તેને ગભરાટ પેદા કરવા દો.

સૂર્યાએ આ અંગે કંઈ ન કહ્યું, પરંતુ પોતાના ડેબ્યૂને યાદ કરતા કહ્યું કે કેવી રીતે પૂર્વ કોચે તેને મુક્તપણે રમવાની સલાહ આપી હતી. સૂર્યાએ 2021માં શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. સૂર્યાએ કહ્યું, મને હજુ યાદ છે કે તેણે મને બોલાવ્યો હતો. મારા ડેબ્યુ પહેલા, તે પૂલ પાસે બેઠો હતો અને કહ્યું–જેક બિન્દાસ ખેલ. મને તે હજુ પણ યાદ છે અને મને તે ગમે છે.

ટેસ્ટમાં એન્ટ્રી, શ્રેયસને ખતરો ?

સૂર્યકુમાર યાદવે પોતાની કારકિર્દીમાં 77 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 44ની એવરેજથી 5326 રન બનાવ્યા છે. તેણે 14 સદી પણ ફટકારી છે. હવે આવું થશે કે નહીં તે તો થોડા અઠવાડિયા પછી જ ખબર પડશે. ભારતીય ટીમે વર્લ્ડકપ બાદ ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે.

આવી સ્થિતિમાં જો શાસ્ત્રીની વાત સાચી હોય અને સુર્યાને સ્થાન મળે તો તે શ્રેયસ અય્યર માટે ખતરાની ઘંટડી સાબિત થઈ શકે છે. શ્રેયસને એક વર્ષ પહેલા ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું અને તે ટીમ માટે પાંચમા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. જોકે, શ્રેયસનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે જોરદાર ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો :-

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુશ્કેલી વધી : ડ્રગ્સ કેસમાં એક્શનમાં આવી NCB, ચાર્જશીટ દાખલ

Trouble increased for Bharti Singh and Harsh Limbachia

  • ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

કોમેડી ક્વીન ભારતી સિંહ (Comedy Queen Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની (Husband Harsh Limbachia) મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને (Drugs case) લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ભારતી-હર્ષની મુશ્કેલીઓ વધી :

મળતી જાણકારી અનુસાર મુંબઈ NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટ ડ્રગ્સ કેસના મમામલે દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જામીન પર બહાર છે. પણ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે.

NCB એ 2020માં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી અને સાથે એમના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ સમયે 86.50 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

ત્યારે એનસીબીએ દાવો કર્યો હતો કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ પૂછપરછ દરમિયાન ગાંજાનું સેવન કર્યું હોવાનું કબૂલ્યું હતું અને આ પછી ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંને જામીન પર બહાર આવ્યા હતા.

આ પણ વાંચો :-

કાળમુખો શનિવાર : ભરૂચમાં નેશનલ હાઈવે પાસે 5 વાહનો અથડાયા, માછી પરિવારના 2 સદસ્યોનું મોત

0

Kalamukho Saturday: 5 vehicles collide near

  • ભરૂચના નબીરપુર પાસે 5 વાહનોનો અકસ્માત. કન્ટેઈનર, કાર અને 3 બસ વચ્ચે  અકસ્માત થતાં 2 લોકોના ઘટનાસ્થળે મોત. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા.

લાભપાંચમની (Labh Pancham) સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના (Bharuch) નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં (an accident) 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

મુત્યુ પામેલા લોકોના નામ :

1 હર્ષદ ભાઇ મગન ભાઈ માછી
2 અશોક ભાઇ સોમાભાઈ માછી

No description available.

ઈજાગ્રસ્તોના નામ :

1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી

તો ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે મહામુસીબતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો :-

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

0

Vandebharat train met with accident for the third time

  • ગુજરાતભરમાં રખડતાં ઢોર આધુનિક ભારતની ટ્રેનમાં બેસતા મુસાફરો માટે પણ બન્યાં જોખમી. તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડયો છે.

પ્રધાનમંત્રીએ (Prime Minister) તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને (Vandebharat Train) લીલીઝંડી આપી હતી. જેના બાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત થયો છે. વલસાડના (Valsad) અતુલ નજીક વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. ગાય આડે આવી જતા ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો હતો. સાથે જ એન્જિનને (engine) પણ નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના અતુલ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. દોડતી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે.

એક જ મહિનામાં ત્રીજો અકસ્માત :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. ત્યારે એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો છે. જોવાની વાત એ છે કે, ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા છે.

ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા :

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનોને અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે.

આ પણ વાંચો :-

AAP ગુજરાતમાં મોટો ધડાકો કરશે, મુખ્યમંત્રીના ચહેરાને લઈને કરશે મોટી જાહેરાત

0

AAP will make a big splash in Gujarat

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર. વિધાનસભા ચૂંટણીને લઈ AAPની મોટી તૈયારી. પંજાબની જેમ ગુજરાતમાં AAP ઉતારશે મુખ્યમંત્રી ચહેરો.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સતત કંઈક નવુ લાવી રહી છે. પહેલા લોકોને વચનોની લ્હાણી, બાદમાં ઉમેદવારોનું લિસ્ટ. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સતત જમાવટ કરી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે.

આપ પાર્ટી પંજાબની જેમ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો મેદાનમાં લાવશે. મુખ્યમંત્રીના પદના ચહેરા માટે પાર્ટી કેમ્પેઈન ચલાવશે, આપ પાર્ટી આ માટે લોકો પાસેથી સૂચનો મંગાવશે. આજે અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી શકે છે.

આમ આદમી પાર્ટી આક્રમક રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમા ઉતરી ચૂકી છે. તે તમામ સીટ પર ઉમેદવારો ઉતારશે. અત્યાર સુધી 80 થી વધુ ઉમેદવારોની જાહેરાત આપ પાર્ટી કરી ચૂક્યું છે. ત્યારે હવે આપ પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરશે.

હકીકતમાં, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી હતી. હવે કહેવાય છે કે, પાર્ટી ગુજરાતમાં આ પ્રકારનું જ પગલુ ઉઠાવી શકે છે. જે માટે પાર્ટી લોકો પાસેથી નામ પર સૂચન માંગશે.

તો બીજી તરફ, ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90 થી 92 સીટ જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂરી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં જલ્દી જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થી જશે.

આ પણ વાંચો :-

શોપિંગ મોલમાં બની હૃદયદ્રાવક ઘટના, સ્ટાર ખેલાડીને જાહેરમાં માર મારવામાં આવ્યો

In a heartbreaking incident at

  • આર્સેનલ ફૂટબોલ ખેલાડી પાબ્લો માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. ક્લબે એક અપડેટ આપતા કહ્યું કે પાબ્લોને ગંભીર ઈજા થઈ નથી.

આર્સેનલનો (Arsenal) સ્ટાર ખેલાડી પાબ્લો (Star player Pablo) મારી ગુરુવારે ઇટાલીના મિલાનમાં (Milan, Italy) એક ખતરનાક ઘટનાનો શિકાર બન્યો હતો. તેને ચાકુ મારી ધાયલ કર્યો હતો. પાબ્લોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેના ક્લબે પોતાના સ્ટાર ખેલાડીની હાલત પર મોટું અપટેડ આપ્યું છે.

આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે

આ સમગ્ર ઘટના શોપિગ મોલમાં થઈ છે 46 વર્ષના એક વ્યક્તિએ ચાકુ ઉઠાવી અને 5 લોક પર વાર કર્યો હતો જેમાં પાબ્લો પણ સામેલ હતો. આ સમગ્ર ઘટનામાં શોપિંગ મોલમાં એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે હોસ્પિટલમાં જતા પહેલા તેનું મૃત્યું થયુ હતું.

આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે.

પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, તે વ્યક્તિએ આવું કેમ કર્યું પરંતુ શરુઆતની તપાસમાં એ વાત સામે આવી રહી છે કે, તેની માનસિક સ્થિતિ સારી ન હતી જેના કારણે તેણે આવું કર્યું છે.

આર્સેનલે આ ઘટના પછી ચાહકોને કહ્યું કે મારી હોસ્પિટલમાં છે પરંતુ ગંભીર રીતે ઘાયલ નથી. મોન્ઝા ક્લબના સીઈઓ એડ્રિને ગેલિયાનોએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો :-

 

29 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ સાત રાશિના જાતકો પર લક્ષ્મી માં કરશે ધનવર્ષા- લખો “જય માતાજી”

29 October 2022, Today’s Horoscope

મેષઃ દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી થતાં જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આધ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઈજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્‍ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ દિવસ દરમિયાન થોડી ઉદાસ‌ીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારું છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-