Home Blog Page 1272

આ બેઠકો પર કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા, 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી 

0

The Murtias of the Congress have been finalized

  • સૌરાષ્ટ્રની 54 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લગભગ નક્કી… સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી. વર્ષ 2017માં સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોંગ્રેસની થઈ હતી જીત.

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ (A political party) ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચુટણી માટે કોગ્રેસના ઉમેદવાર (Congress candidate) લગભગ નકકી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પ્રભારી અશોક ગેહલોત (Ashok Gehlot) હાલ ગુજરાતમા બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે. તેના પરિણામ સ્વરૂપે અનેક ઉમેદવારોના નામ લગભગ નક્કી કરાયા છે.

સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં ૨3 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જો કે કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જાહેરાત બાકી :

  • અબડાસા – રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર
  • માંડવી – વલ્લભ ભેલાણી, મુકેશ ગોર, કલ્પનાબેન જોશી
  • ભુજ – રાજેન્દ્રસિંહ જાડેજા, અરજન પટેલ,નવલસિંહ જાડેજા
  • અંજાર – રમેશ ડાંગર, અરજણ ખાટરિયા
  • ગાંધીધામ – મિતેષ લાલન,ભરત સોલંકી,જગદીશ દાફડા
  • લીંબડી – કલ્પના મકવાણા,મુળજી પલાળિયા,ભગીરથસિંહ
  • વઢવાણ -મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશી
  • ધ્રાંગધ્રા – ધર્મેન્દ્ર એરવડિયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોર
  • મોરબી – મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારા
  • રાજકોટ ઈસ્ટ – મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુબેન સારણી
  • રાજકોટ વેસ્ટ – ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી
  • રાજકોટ દક્ષિણ – ડો.હેમાંગ વસાવાડા, હિતેષ વોરા
  • રાજકોટ ગ્રામ્ય – સુરેશ બથવા

  • જસદણ-વીંછિયા – ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા
  • ગોંડલ – જગદીશ દેસાઈ, લલિત પાટોરિયા
  • જેતપુર – પી.કે.વેકરિયા, કિરીટ પાનલિયા
  • જામનગર ગ્રામ્ય – જીવણભાઈ આહીર, અંકિત ગાડીયાઝ, હારુન ક્લેજા
  • જામનગર ઉત્તર – બિપેન્દ્ર જાડેજા, કર્ણદેવ જાડેજા, નયનાબા જાડેજા
  • જામનગર દક્ષિણ – મનોજ કથીરિયા, ધવલ નંદા, મનોજ ચોવટિયા
  • દ્વારકા – મેરામણ ગોરિયા, મુળુભાઇ કંડોરીયા, પાલ આંબલિયા
  • માણાવદર – અરવિંદ લાડાણી, હરિભાઈ પટેલ
  • વિસાવદર – કરશન વડોદરિયા, ભરત વીરડિયા, ભાવેશ ત્રાપસિયા
  • કેશોદ – ધર્મિષ્ઠા પટેલ, હીરાભાઈ જોટવા, પ્રગતિ આહીર
  • ધારી – ડો કિર્તી બોરીસાગર, પ્રદીપ કોટડીયા
  • મહુવા – ડૉ.કનુ કલસરીયા, રાજ મહેતા,
  • ગારીયાધાર – ગોવિંદભાઇ પટેલ, પરેશ ખેની,પ્રવિણ ઝાલા
  • પાલિતાણા – પ્રવિણ રાઠોડ,મનુભાઇ પરમાર, અમિત લવતુકા
  • ભાવનગર ગ્રામ્ય – પ્રદિપસિંહ ગોહિલ, રેહવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ-નીતાબેન રાઠોડ, જીતુભાઇ ઉપાધ્યાય, બળદેવ સોલંકી
  • ભાવનગર પશ્ચિમ – કે.કે.ગોહિલ, પારુલ ત્રિવેદી,બળદેવ સોલંકી
  • ગઢડા (SC) – જગદીશ ચાવડા, સંજય અમરાણી, વિઠ્ઠલ વાજા
  • બોટાદ – મનહર પટેલ, રમેશ શીલુ, રમેશ મેર

આ પણ વાંચો :-

 

Reels ના રવાડે ચઢ્યા ગુજરાતીઓ, પોપ્યુલર થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને દોડ લગાવી

0

Gujarati people climbed on the bandwagon

  •  રીલ્સ બનાવવાની ઘેલછામાં ગુજરાતના યુવકો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આ દિવાળીએ એવા જોખમી વીડિયો સામે આવ્યા, જે જોઈને તમે કહેશો કે ગુજરાતનું યુવાધન આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે.

આજના યંગસ્ટર્સ (Youngsters) માટે સોશિયલ મીડિયા (Social media) જ મહત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના (Diwali) દિવસે ફટાકડા ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી (fireworks) જીવલેણ ઘટના બની શકે છે.

છતાં જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા (Social media) પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં. વલસાડના (Valsad) એક યુવકે મોઢામાં સળગતુ રોકેટ મૂકીને સ્ટંટ કર્યુ હતું.

વલસાડના સિટી પેલેસ વિસ્તારની આ ઘટના છે. સિટી પેલેસ વિસ્તારમાં યુવકના એક સ્ટંટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવકનો મોઢામાં રોકેટ મૂકી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકે જોખમી રીતે મોઢામાં રોકેટ મૂકીને રોડ પર દોટ મૂકી હતી. યુવકે રોકેટને મોઢામાં જ સળગાવ્યુ હતું. ત્યારે યુવકનો આવો જોખમી વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આવી રીતે સ્ટંટ કરવું એ જોખમ છે. અનેક લોકો જીવના જોખમે અખતરા કરીને રીલ્સ બનાવી રહ્યાં છે. ત્યારે વલસાડ પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકો અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું. સરખેજ પોલીસે તમામ યુવકોની ધરપકડ કરી હતી.

જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તોફાન મચાવનારા લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. દિવાળીની રાત્રે સ્ટંટ કરનારા તત્વોને પોલીસે સિંધુ ભવન રોડ પર જ કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી. જેથી અન્ય લોકોને સબક મળે.

આ પણ વાંચો :-

ક્યારેય નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ્સ ! દરરોજ ફોલો કરો આ 6 ટિપ્સ, રહેશો એકદમ ફિટ

Heart problems will never happen

  • હાર્ટની બિમારી દુનિયાભરમાં મોતના કારણમાં સૌથી ઉપર છે. જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછી કરવા માંગો છો તો દરરોજ આ 6 ટિપ્સને ફોલો કરો.

એવા ઘણા કારણ છે જે હાર્ટની બિમારીના (Heart disease) ખતરાને વધારી શકે છે. તેમાંથી ઘણી એની બિમારી (Disease) છે જેને તમે નિયંત્રિત કરી શકો છો. માટે જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછુ કરવા માંગો છો તો નીચે દર્શાવવામાં આવેલી વસ્તુઓ દરરોજ ફોલો કરો.

સ્મોકિંગ ન કરો  :

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ તો તમને ખબર હશે. પરંતુ આ ચેતાવણી ફક્ત સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થવા પહેલા આપવા માટે નથી હોતી. તમારે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર, સિગરેટના ઘુમાડામાં 7,000થી વધુ રસાયણોનું ઝેરી મિશ્રણ હોય છે.

જે શ્વાસ લેવા પર મહત્વપૂર્ણ શારીરિક કાર્યોમાં હસ્તક્ષેપ કરી શકે છે. જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમને હાર્ટ અને શરીરના બાકી ભાગોમાં ઓક્સીજન યુક્ત બ્લડ પહોંચવું આ પ્રક્રિયાઓમાંથી એક છે.

સ્વસ્થ ખોરાક લો  :

જ્યારે તમારા હાર્ટ હેલ્થની વાત આવે છે તો ડાયેટ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સુનિશ્ચિત કરો કે તમે પોતાની ડાયેટમાં શાકભાજી, ફળ, હોલ ગ્રેઈન્સ, ફળો, નટ્સ, છોડ આધારિત પ્રોટીન અને માછલી શામેલ કરો. રિફાઈન્ડ કાર્બ્સ, ગળ્યુ ભોજન, સેચ્યુરેટેડ ફેડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછુ કરો.

 

વધારે ચાલવાની આદત પાડો :

હૃદયરોગથી બચવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ છે. કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિનમાં ફ્રંટિયર્સમાં એક અભ્યાસમાં સતત કસરત અને હૃદયના મૃત્યુના ઓછા જોખમ તેમજ હૃદય રોગના વિકાસ વચ્ચેની લિંક મળી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દરરોજ ઓછામાં ઓછા 150 મિનિટ મીડિયમ ચાલવાની અથવા 75 મિનિટ ઝડપી ચાલવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી પહેલા AAPમાં ટિકિટ માટે ભડકો ! ધોરાજીમાં ‘આયાતી ઉમેદવારને દૂર કરો’ના પોસ્ટરો લાગ્યા

0

Before the election, the AAP is in a frenzy

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉપલેટામાંથી આમ આદમી પાર્ટી (AAP) માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

ચૂંટણી પહેલા જ ધોરાજી-ઉપલેટા (Dharoji-upaleta) વિધાનસભા બેઠકમાં AAPના ઉમેદવારનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાથે જ તેમાં આયાતી ઉમેદવારને (Imported candidate) હટાવવા માટે વિરોધના સૂર ઉઠ્યા છે.

AAPમાં ટિકિટ માટે ભડકો :

ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પર AAP દ્વારા વિપુલ સખીયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ચૂંટણી પહેલા જ આ બેઠક પર AAPમાં ભડકો થયો છે અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. સાથે જ વિપુલ સખીયા વિરુદ્ધના પોસ્ટરો પણ શહેરમાં લગાવવામાં આવ્યા છે.

શું લખ્યું છે પોસ્ટરમાં ?

આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, કેજરીવાલ સાહેબ જીંદાબાદ, ઉમેદવાર વિપુલ સખીયા મુર્દાબાદ. 75- ધોરાજી-ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારોનો એક જ સુર આયાતી ઉમેદવારને દૂર કરો. આમ આદમી પાર્ટી કો બચાઓ, પાર્ટી કે દલાલ કો ભગાઓ.

આમ આદમી પાર્ટી માટે સંદેશ જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનો વિશ્વાસ પણ ના જીતી શકે તે પબ્લિકનું શું ભલું કરી શકે. આ સાથે જ પોસ્ટરમાં વિપુલ સખિયાના ફોટો પર ચોકડી મારવામાં આવી છે.

રાજકીય પાર્ટીઓમાં ટિકિટ માટે વિખવાદ :

નોંધનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પહેલા જ ટિકિટને લઈને આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ભાજપ તથા કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપારી પર આવી ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટને લઈને સ્થાનિક ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-

 

દેશ આગળ વધશે…: ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીરને લઈને CM કેજરીવાલનો PM મોદીને પત્ર

0

The country will move forward…: CM Kejriwal

  • ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે.

ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ માટે પ્રચાર કરવા જઈ રહેલા દિલ્હીના સીએમ (CM of Delhi) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પીએમ મોદીને પત્ર લખ્યો છે. ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને (PM Modi) પત્ર લખીને અપીલ કરી છે.

પત્રમાં અરવિંદ કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે દરેક લોકો તેમની માંગ સાથે સહમત છે અને તેમણે આ વાત પર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દલીલ કરી છે કે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાથી દેશની પ્રગતિ થશે.

એક બાજુ ગાંધીજી તો બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર :

કેજરીવાલે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીરની માંગને દેશના 130 કરોડ લોકોની ઈચ્છા ગણાવતા પીએમ ને સવાલ કર્યો હતો કે આજે પણ દેશમાં આટલા બધા લોકો ગરીબ કેમ છે. કેજરીવાલે કહ્યું હતું કે ‘130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.

આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. આજે પણ આપણા દેશમાં આટલા લોકો ગરીબ છે. કેમ?

આ મુદ્દે મને જનતાનું ઘણું સમર્થન મળી રહ્યું છે – કેજરીવાલ 

કેજરીવાલે આગળ કહ્યું હતું કે, ‘એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે. જેથી આપણા કરેલ દરેક પ્રયત્નો સફળ થાય. યોગ્ય નીતિ,  સખત મહેનત અને ઈશ્વરના આશીર્વાદ- આ સંગમથી જ દેશની પ્રગતિ થશે. દિલ્હીના સીએમએ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જનતા આ મુદ્દે એમનું ઘણું સમર્થન કરી રહી છે.

દરેક લોકો આ માટે સંમત છે. કેજરીવાલે લખ્યું હતું કે, “ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં મેં સાર્વજનિક રૂપે આ વિશે માંગણી કરી હતી અને આ મુદ્દે મને સામાન્ય લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. લોકો આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરેક લોકો ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.’

આ પણ વાંચો :-

પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કરનાર પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રાની ધરપકડ, ઘટનાની CCTV ફૂટેજ આવી સામે

0

Producer Kamal Kishore Mishra who tried

  • આ આખી ઘટનનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કમલ કિશોર મિશ્રા તેની પત્નીને કાર વડે ટક્કર મારવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

તેની પત્નીને કાર સાથે ટક્કર મારવાના આરોપમાં નિર્માતા કમલ કિશોર મિશ્રાની (Producer Kamal Kishore Mishra) અંબોલી પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે શુક્રવારે એટલે કે આજે કમલકિશોર મિશ્રાને અંધેરી કોર્ટમાં (Andheri Court) રજૂ કરવામાં આવશે અને મુંબઈની (Mumbai) અંબોલી પોલીસે મિશ્રા સામે આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધ્યો છે. કમલ કિશોર મિશ્રાની પત્ની યાસ્મીન (Wife Yasmin) આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને પત્નીની ફરિયાદ પછી પોલીસે કમલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઘટનાની CCTV ફૂટેજ આવી સામે :

જણાવી દઈએ કે જ્યારે કમલ કિશોર મિશ્રાએ તેની પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે કમલ કિશોર મિશ્રા ગાડીમાં અન્ય મહિલા સાથે હતો અને તે રંગે હાથ ઝડપાયો હતો. એ બાદ જ કમલ કિશોર મિશ્રાએ તેની પત્ની પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટનનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કમલ કિશોર મિશ્રા તેની પત્નીને કાર વડે ટક્કર મારવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

વિડીયોમાં જોવા મળ્યું છે કે પાર્કિંગ સ્થળ પર હાજર એક વ્યક્તિએ યાસ્મીનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની પત્નીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પંહોચી હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગઈકાલે રાત્રે કમલ કિશોર મિશ્રાની ધરપકડ પણ કરી હતી.

બોલીવુડ ફિલ્મો પ્રોડ્યુસ કરે છે કમલ કિશોર મિશ્રા :

કમલ કિશોર મિશ્રા ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને એમનું One Entertainment Film Productions  નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. કમલ કિશોર મિશ્રાએ દેહતી ડિસ્કો, શર્મા જી કી લગ ગયી, ફ્લેટ નંબર 420, ભૂતિયાપા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

તેની છેલ્લી ફિલ્મ દેહતી ડિસ્કો આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગણેશ આચાર્ય, રાજેશ શર્મા, મનોજ જોશી, રવિ કિશન જેવા સ્ટાર્સ હતા અને આ ફિલ્મનું પ્રમોશન વરુણ ધવન અને રણબીર કપૂર જેવા સ્ટાર્સે કર્યું હતું.

આ પણ વાંચો :-

સેન્સ પહેલાની સૂચક તસ્વીર ! હાર્દિકે અમિત શાહ સાથે કરી મુલાકાત, શું વિરમગામથી ટિકિટ મળશે ?

0

Indicative picture before sense! Hardik met Amit Shah

  • વિરમગામમાં હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કેમ્પઈન કરી રહ્યો છે. એટલું જ નહીં, ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. આવતી કાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેશે.

ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે (Hardik Patel) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી છે. હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્ચા મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ સાથે પહેલી સત્તાવાર મુલાકાતની તસ્વીર સામે આવી છે. ત્યારે હવે વિરમગામમાંથી (Viramgam) હાર્દિક પટેલને ભાજપ ટિકિટ આપે એવી શક્યતા દેખાઈ રહી છે.

વિરમગામમાં હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કેમ્પઈન કરી રહ્યો છે. એટલું જ નહીં, ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. આવતી કાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેશે, ત્યારે સેન્સ પહેલા હાર્દિક પટેલ અને અમિત શાહની તસ્વીર સૂચક માનવામાં આવે છે.

સોશિયલ મીડિયામાં હાલ કેન્દ્રિય ગૃહમંત્રી શાહ અને ભાજપના નેતા હાર્દિક પટેલ વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાતની તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં હાર્દિક પટેલ અમિત શાહ પાસેથી નવા વર્ષની ભેટ સ્વીકારતા દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયારીઓ દર્શાવી છે. ત્યારે અમિત શાહ સાથેની મુલાકાત બાદ ભાજપ આ વખતે હાર્દિક પટેલને ટિકિટ મળે છે કે કેમ તે આગામી સમય દેખાડશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડયા બાદ 2 જુને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓની હાજરીમાં કમલમ ખાતે કેસરિયા કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલે કોબાથી કમલમ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં ભાજપના વખાણ કર્યાં હતા.

નોંધનીય છે કે, ગઈકાલે નવા વર્ષ બાદ અમિત શાહે પોતાના નિવાસ સ્થાને સવારથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પણ વાંચો :-

28 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ 6 રાશિના લોકોને ભગવાન રામની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા અને આખું વર્ષ ભરેલી રહેશે તિજોરી

28 October 2022, Today’s Horoscope

મેષઃ- સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. બપોર સુધી આવક સામાન્ય રહે. ત્યારબાદ સુધારો જણાય. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી શુભ ફળ મળતું જણાય.

વૃષભઃ- દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આર્થિક લાગણીશીલતા વધે. જીવનસાથી સાથે પ્રેમનો અનુભવ થાય. બપોર બાદ સામાન્ય દિવસ.

મિથુનઃ- સ્વભાવમાં જીકનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. આવકનો સ્ત્રોત જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ- સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યૂબ, કલર, કેમીકલ તથા બાંધકામના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ- દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહ તાજગી વધતા જણાય. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં શાંતીનો અનુભવ થાય. માતાનું આરોગ્ય જળવાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. શરદી-ખાંસીની કાળજી રાખવી.

કન્યાઃ- સરળ સ્વભાવ રહે. વાણીના પ્રભાવ દ્વારા સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આંખના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. સ્થાવર જંગમ મિલકતો અંગેના વ્યવહારોમાં સાવચેતી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

વૃશ્ચિકઃ- મન ચંચળ રહે. વિચારોનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતો અંગે સંતોષ વર્તાય. દામ્પત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ- પરોપકારની ભાવના પ્રબળ બનતી જણાય. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધે. ત્યારબાદ આવક જળવાય. શરદી, ખાંસીની સમસ્યા રહે. દામ્પત્ય સુખ જળવાય, ખોટો વિચારો ટાળવા.

મકરઃ- કામકાજમાં ઉદાસીનતા વર્તાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળે. નવી ઓળખાણ ફાયદાકારક સાબિત થાય.

કુંભઃ- નોકરીયાતનો શાંતિનો અનુભવ થાય. ધંધામાં યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. ખોટા વિચાર ટાળવા. પાણીથી થતા રોગોથી સાવધાની જરૂરી. ખોટા ખર્ચા ટાળવા.

મીનઃ- ભાગ્યનો સાથ મળતાં આવક વધતી જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસન શક્ય બને. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ભડકાઉ ભાષણ કેસમાં ફસાયા સપા નેતા આઝમખાન, કોર્ટે કરી 3 વર્ષની સજા, ધારાસભ્ય પદ પણ જશે

0

SP leader Azam Khan caught in inflammatory

  • યુપીની રામપુર કોર્ટે હેટ સ્પીચ મામલે દોષી ઠરેલા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાનને 3 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

યુપીના રામપુરની (Rampur of UP) કોર્ટે સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને (Former Minister Azam Khan) ભડકાઉ ભાષણ આપવા બદલ 3 વર્ષની સજા અને 25000 નો દંડ ફટકાર્યો છે જોકે કોર્ટે સજા આપવાની સાથે તેમને જામીન પણ આપી દીધા હતા. આઝમખાનની (Azam Khan) ઉપરાંત બીજા પણ બે આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા તથા 2000 રુપિયાનો દંડ કર્યો છે. 2019ની સાલમાં ભડકાઉ ભાષણ મામલે તેમને સજા થઈ છે.

આઝમખાનનું ધારાસભ્યનું પદ પણ જશે  :

આઝમ ખાનને જે કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં ત્રણ વર્ષની કેદની જોગવાઈ છે. આઝમખાનને 3 વર્ષની સજા થઈ હોવાથી હવેથી તેમનું ધારાસભ્યનું પદ પણ જશે.

શું હતો મામલો :

2019ની સાલમાં યુપીના રામપુરની મિલક વિધાનસભા બેઠકના પ્રચાર દરમિયાન આઝમખાને તત્કાલિકન ડીએમ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી મોદીને લઈને વાંધાજનક ટીપ્પણીઓ કરી હતી. તે વખતે ભાજપ નેતા આકાશ સક્સેનાએ આઝમખાન વિરૃદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. 

સંઘર્ષ ચાલુ રહેશે, હવે સેશન્સ કોર્ટ જઈશું :

3 વર્ષની સજાની જાહેરાત બાદ આઝમખાને એવું જણાવ્યું કે અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું અને હવે સજાના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવશે. 

મારી સામેનો હેટ સ્પીચ કેસ બનાવટી- આઝમખાન  :

આઝમ ખાનના વકીલ વિનોદ શર્માએ કહ્યું હતું, અમે અમારી આખી દલીલો કરી છે. ત્યાંનાં બધાં ભાષણો છે, આ આપણી વાણી નથી. આ તમામને છેતરપિંડીથી બનાવવામાં આવ્યા છે. ફરિયાદી કોર્ટમાં પોતાનો કેસ સાબિત કરી શક્યો નથી.

ફરિયાદી અને અમે અમારી દલીલો પૂરી કરી છે. અમે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેનો તે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. અમને આ પ્રકારનું કોઈ નફરતભર્યું ભાષણ આપવામાં આવ્યું નથી અને અમારી સામે બનાવટી કેસ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

બ્રિટનના ક્વીન કરતાં પણ અમીર છે ઋષિ સુનકના પત્ની, રિચ લાઈફસ્ટાઈલની સાથે કરે છે આ કામ 

Rishi Sunak’s wife is richer than Queen of Britain

  • અક્ષતા ભારતીય અને પશ્ચિમી ફ્યુઝન કપડાં બનાવવા માટે દૂરના ગામડાઓમાં કલાકારો સાથે કામ કરે છે. અક્ષતા મૂર્તિ બ્રિટનની દિવંગત રાણી કરતા પણ વધુ અમીર.

બ્રિટનના (Britain) નવા વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક (Rishi Sunak) બાદ હવે તેમની પત્નીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.  આ સમયે બ્રિટનમાં જેની ચર્ચા સૌથી વધુ છે તે છે – ઋષિ સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિ. તાજેતરમાં જ બ્રિટનના નાણામંત્રી (British Chancellor of the Exchequer) રહેલા ઋષિ સુનકને નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અક્ષતા મૂર્તિ સેલ્ફ-મેડ ટેક બિલિયોનેર અને ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિની દીકરી છે.

અક્ષતાની માતા અને નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ પણ એક બિઝનેસવુમન, શિક્ષિત, લેખક અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષતા મૂર્તિની સંપત્તિ બ્રિટનની દિવંગત રાણી એલિઝાબેથ દ્વિતીય કરતા પણ વધુ છે.

અક્ષતા મૂર્તિએ વર્ષ 2010 માં પોતાનું ફેશન લેબલ અક્ષતા ડિઝાઇન્સ બનાવ્યું. 2011ની વોગ પ્રોફાઇલ મુજબ અક્ષતા ભારતીય અને પશ્ચિમી ફ્યુઝન કપડાં બનાવવા માટે દૂરના ગામડાઓમાં કલાકારો સાથે કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષતા મૂર્તિ બ્રિટનની દિવંગત રાણી કરતા પણ વધુ અમીર છે.

42 વર્ષીય અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં લગભગ $1 બિલિયનના શેરની માલિકી ધરાવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અક્ષતાને ગયા વર્ષે ઇન્ફોસિસ તરફથી ડિવિડન્ડ તરીકે 11.16 મિલિયન પાઉન્ડ મળ્યા હતા. તેમની સંપત્તિ તેમને બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય કરતાં વધુ અમીર બનાવે છે.

મહત્વનું છે કે બ્રિટિશ રાણીની અંગત સંપત્તિ લગભગ 350 મિલિયન પાઉન્ડ અથવા $46 મિલિયન છે.  આ સાથે અક્ષતા અને ઋષિ ઓછામાં ઓછી ચાર પ્રોપર્ટી ધરાવે છે. જેમાં લંડનમાં અપસ્કેલ કેન્સિંગ્ટનમાં £7 મિલિયનનું પાંચ બેડરૂમનું ઘર અને કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં એક ફ્લેટનો સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર સુનકની કુલ સંપત્તિ લગભગ 730 મિલિયન પાઉન્ડ છે. તો અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગ ધરાવે છે. જેના કારણે તેમની નેટવર્થ લગભગ $1.2 બિલિયન છે. બંને બ્રિટનના સૌથી ધનિક કપલમાંથી એક છે.

આ પણ વાંચો :-