Home Blog Page 1265

અરે બાપ રે ! દિલ્હીમાં દિવાળી અગાઉના ત્રણ દિવસમાં રૂ. 100 કરોડના દારૂનું વેચાણ

0

Oh my God ! In the three days preceding

  • દારૂ નીતિ કૌભાંડની તપાસની વચ્ચે દુકાનદારોને રાહત. દિવાળી અગાઉ 21 થી 23 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં રૂ. 100 કરોડની દારૂની 48 લાખ બોટલો વેચાઈ

કોરોનાનો (Corona) પ્રકોપ સમાપ્ત થયા પછી આ વખતે લોકોએ દિવાળીની (Diwali) ધામ ધૂમથી ઉજવણી કરી છે. એક તરફ જ્યાં બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી. તો બીજી તરફ દારૂ પીનારાઓએ મન ભરીને દારૂ પીધો. દિવાળીના દિવસોમાં સમગ્ર દેશમાં દારૂનું ધૂમ વેચાણ થયું અને દારૂના વેચાણમાં (Sale of alcohol) દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે.

જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવાર થી રવિવાર એટલે કે ૨૧ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. આ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાની ૪૮ લાખ દારૂની બોટલો વેચાઇ હતી.

એક અહેવાલમાં આબકારી વિભાગના સિનિયર અધિકારીના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે દિવાળી પહેલાના ત્રણ દિવસમાં દિલ્હીમાં ૧૦૦ કરોડ રૂપિયાની દારૂની ૪૮ લાખ બોટલ વેચવામાં આવી હતી. આ ત્રણ દિવસો પૈકી ૨૩ ઓક્ટોબરે સૌથી વધુ દારૂ વેચાયો હતો. તેનું કારણ એ હતું કે દિવાળીના દિવસે દિલ્હીમાં ડ્રાય ડે હતો.

સામાન્ય રીતે દિલ્હીમાં દરરોજ ૧૧ થી ૧૨ લાખ દારૂની બોટલો વેચાય છે પણ દિવાળીના ત્રણ દિવસ પહેલા દારૂની બોટલોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ અહેવાલ મુજબ ૨૧ ઓક્ટોબરે ૧૩.૫૬ લાખ દારૂની બોટલો ૨૨ ઓક્ટોબરે ૧૫.૦૯ લાખ બોટલ અને ૨૩ ઓક્ટોબરે ૨૦ લાખ બોટલ વેચવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની દારૂ નીતિ અને તેના અમલમાં કથિત કૌભાંડની ચાલી રહેલી તપાસને કારણે રાજધાનીમાં દારૂના વ્યવસાય પર અસર પડી છે. સરકારે એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ને પરત લઇ લીધી છે. આ સ્થિતિમાં દિવાળી પહેલાના સપ્તાહમાં ૧૦૦ કરોડ રૂપિયાનુૂં દારૂ વેચાવાથી દુકાનકારોને રાહત મળી છે.

આ પણ વાંચો :-

AAPમાં ટિકિટ મુદ્દે કકળાટ ! આઠમી યાદી જાહેર થતા જ વલસાડમાં જિલ્લા ચૂંટણી પ્રભારીનું “રાજીનામું”

0

Uproar over ticket issue in AAP

  • ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની આઠમી યાદીની જાહેરાત કરવામાં આવી હતી. AAP દ્વારા નવા ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ પાર્ટીમાંથી આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે.

વલસાડ (Valsad) જિલ્લામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) જુના સંગઠનમાં ભંગાણ પડાવ વારો આવ્યો છે. AAPના મોવડી મંડળ (Mowdi Mandal) દ્વારા વલસાડ વિધાનસભાની પારડી, ધરમપુર (Dharampur) અને કપરાડામાં બેઠક માટે ઉમેદવારના નામોની જાહેરાત કરાઈ હતી.

જેમાં ત્રણ દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા બે ઉમેદવારોના નામ જાહેર થતા જુનું સંગઠન (Old association) નારાજ થયું છે. જિલ્લા ચૂંટણી પ્રભારી રાજીવ પાંડે એ સમગ્ર બાબતથી નારાજ થઈ રાજીનામુ (Disgruntled and Resignen) ધરી દેતા આંતરીક વિખવાદ બહાર આવ્યો છે.

વલસાડની ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈને કકળાટ :

આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ ત્રણ દિવસ પહેલા જોડાયેલા ધરમપુરના આદિવાસી વિકાસ પરિષદના કમલેશ પટેલ તેમજ વાપીના તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા કેતન પટેલના નામની પારડી વિધાનસભા બેઠક માટે જાહેરાત કરતાની સાથે જ ધરમપુર અને વાપીમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી માટે લોહી રેડનારા જુના સંગઠનના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે.

એટલું જ નહીં ટિકિટ આપવા પૂર્વે કે નામ જાહેર કરવા પૂર્વે જિલ્લામાં વિધાનસભાના પ્રભારી ડો.રાજીવ પાંડેને પણ સંકલનમાં લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે રાજીવ પાંડે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.

જિલ્લા ચૂંટણી પ્રભારીએ રાજીનામું આપ્યું :

મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસમાં જ જોડાયેલા લોકોને પાર્ટીએ ટિકિટ આપી દેતા જુના સંગઠનમાં ભારે નારાજગી વ્યાપી છે. જેને પગલે આ સમગ્ર બાબતની સીધી અસર આગામી ચૂંટણીમાં પડી શકે છે એટલું જ નહીં જુના સંગઠન પૈકી કપરાડામાં મનાલા ગામના સરપંચ અને આદિવાસીના અગ્રણી જયેન્દ્ર ગામીતને ઉમેદવારી જાહેર કરતાની સાથે જ તેમનો નાણા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

જેને પગલે તેમની સામે પણ આંગળી અને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે હવે વલસાડ જિલ્લામાં ઉમેદવારોના નામ જાહેર કરીને આમ આદમી પાર્ટીએ હાથના કર્યા હૈયે વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનું સંગઠન ભંગાણ થવાના આરે  છે આગામી દિવસમાં પારડી અને ધરમપુરમાં પણ રાજીનામાં પડે તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-

હે ભગવાન…સુરતમાં ખીચોખીચ ભરેલી બસમાં લટકતું મોત ! શું માણસના જીવની કોઈ ચિંતા નથી ?

0

Oh God…Death hanging in a crowded bus in Surat

  • સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ,બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.

હાલમાં જ મોરબીમાં બ્રિજ તુટવાની (Breaking the bridge in Morbi)  ગંભીર દુર્ઘટના સર્જાઈ છે પરંતુ સુરત શહેરમાં પાલિકાની બસો (Municipal buses) એટલી ભરાઈને જાય છે કે વાત ન પૂછો સુરત શહેરમાં ઘણી બસો છે જેમાં બસની કેપેસિટી કરતા વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે.

તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ શહેરની અંદર અનેક બસો આ જ રીતે મુસાફરો ભરીને બેફામ રીતે દોડે છે. મહિના અગાઉ બસની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં મુસાફરી કરતા એક યુવક ચાલુ બસે પટકાયો હતો તેમ છતાં બેફામ રીતે હાલમાં પણ બસો દોડી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ, બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.

શહેરની અંદર અનેક વિસ્તારમાં તમને સીટી બસ, બીઆરટીએસ બસની અંદર મોતની મુસાફરી કરતા દ્રશ્ય જોવા મળશે. મોરબીની ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં બસની કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં મુસાફરી કરતા લોકો નજરે પડી રહ્યા છે.

શહેરની અંદર ગીચોગીચ ભરીને જતી બસોમાં લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પોલીસ કોઈ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવી નિયમોનું પાલન કરાવવાની સાથે દંડ ફટકારતી હોય છે. પરંતુ શહેરની અંદર મનપાની સીટી બસો ગીચગીચ ભરીને મોતની સવારી કરતી હોય ત્યારે બસો ઉપર પોલીસ પણ કેમ કોઈક કાર્યવાહી કરતી નથી.

આ પણ વાંચો :-

PM મોદીની જાહેરસભામાં ચૂક ! થરાદમાં મંડપના નટ બોલ્ટ ખોલનાર શખ્સનો VIDEO વાયરલ, ક્યાં ગયાં હતાં સુરક્ષા અધિકારીઓ ?

0

Miss PM Modi’s public meeting

  • બનાસકાંઠાના થરાદમાં PM મોદીની જાહેરસભા દરમ્યાન મંડપનો નટ બોલ્ટ ખોલતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.

બનાસકાંઠાના (Banaskantha) થરાદ ખાતે PM મોદીની સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. ચાલુ સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલી રહ્યો છે. જોકે આ શખ્સની આવી હરકતના કારણે જો કોઈ મોટી દુર્ઘટના (Big tragedy) ઘટી હોત તો કદાચ મોટી જાનહાનિ થઈ હોત.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે કોઈ પણ સુરક્ષા અધિકારીને PMની સભામાં આ વ્યક્તિ કેમ ન દેખાયો? શું આમાં કોઇનું ષડયંત્ર છે કે પછી આ શખ્સ માનસિક રીતે અસ્થિર છે? જેવાં અનેક સવાલો અહીં ઊભા થઇ રહ્યાં છે.

શખ્સની આ હરકતના કારણે મોટી જાનહાનિ થઈ હોત :

આ વીડિયો બનાસકાંઠાના થરાદમાં આયોજિત વડાપ્રધાન મોદીની સભાનો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેમાં PMની ચાલુ સભા દરમ્યાન કોઇ એક શખ્સ ડોમના જે થાંભલા ઉભા કરવામાં આવ્યા હોય તેના નટ બોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે.

જોકે આ વાયરલ વીડિયોને લઇને કેટલાક સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. કારણ કે લાખો લોકો આ સભામાં હાજર હતા. આથી જો કોઇ દુર્ઘટના ઘટી હોત તો ચોક્કસથી આ શખ્સની હરકતના કારણે મોટી જાનહાનિ થઈ શકત.

આ પણ વાંચો :-

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, જાણો ચૂંટણી પંચ ક્યારે કરશે તારીખોની જાહેર ?

0

Big news regarding Gujarat assembly elections

  • કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે અથવા આવતી કાલે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. જેમાં નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં મતદાન (voting) યોજાઈ શકે છે અને 8 ડિસેમ્બરે પરિણામની શક્યતા જોવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

એવું માનવામાં આવે છે કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે.

મહત્વનું છે કે ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજકીય પાર્ટીઓ ભાજપ પર પ્રહાર કરી રહી છે કે આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.

આ પણ વાંચો :-

સફેદ ચંદનની ખેતી તમને બનાવશે કરોડપતિ, 1 કિલો લાકડાની કિંમત એટલી કે જાણીનો ચોંકી જશો !

0

Cultivation of white sandalwood will make you a millionaire

  • ચંદનના છોડની સાથે વિકાસમાં તુવેર ઘણી સહાયક હોય છે. જો તમે ચંદનની ખેતીની સાથે તુવેરની ખેતી કરો છો. તો તેનાથી ચંદનને નાઈટ્રોજન મળે છે અને તેના સ્ટેમ અને મૂળના લાકડામાં સુગંધિત તેલનું પ્રમાણ વધી જાય છે.

દેશના ઘણા વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને (Traditional farming) છોડીને તે પાકો તરફ ઘ્યાન આપવા લાગ્યા છે. જેનું વેચાણ સારું થાય છે અને જેનો ભાવ પણ સારો મળે છે. ઉત્તર ભારતમાં (North India) ઘણા ખેડૂતો હવે સફેદ ચંદનની (White Sandalwood) ખેતી કરવા લાગ્યા છે.

સફેદ ચંદનની ખેતીની સાથે એક ખાસ વાત એ છે કે જો તેના છોડને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે તો તેનું વેચાણ ઊંચી કિંમતે થાય છે. તેનું 1 કિલો લાકડું 25થી 30 હજાર રૂપિયામાં વેચાય છે. જ્યારે એક ઝાડ જ તમને 6થી 7 લાખની કમાણી કરાવી શકે છે.

એક ઝાડ 15 વર્ષ પછી 7 લાખ રૂપિયામાં વેચાઈ શકે :

ચંદનના છોડને વૃક્ષ બનવામાં 12થી 15 વર્ષ લાગે છે. જો તમે પણ તમારા ખેતરમાં સફેદ ચંદનની ખેતી કરવા માંગો છો. તે તમને એ ખબર હોવી જોઈએ કે તમારું સફેદ ચંદનનું એક ઝાડ 15 વર્ષ પછી 7 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે.

સફેદ ચંદનની ખેતી પૂરી ભારતમાં થઈ શકે છે. સફેદ ચંદનની ખેતી તે વિસ્તારોમાં કરવી જોઈએ જ્યાં, માટીનું પીએચ લેવલ 6થી 8.5 ની વચ્ચે હોય. જમીનમાં પાણી ભરાતુ ન હોય અને બરફ ન પડતો હોય. રેતાળ જમીનમાં ચંદનની ખેતી થઈ ન શકે. દેશના ઉત્તર વિસ્તારોમાં પણ ચંદનની ખેતી થઈ રહી છે.

ઉજ્જડ જમીન પર ખેતી :

સફેદ ચંદનની ખેતીની સાથે ખાસ વાત એ છે કે ઉજ્જડ જમીન પર પણ તેની ખેતી કરી શકાય છે. ચંદનના છોડને ઓછા પાણીની જરૂરત હોય છે. સફેદ ચંદનના વૃક્ષની ઉંચાઈ 18થી 25 ફુટ હોય છે. સફેદ ચંદનને વધવા માટે સહાયક છોડની જરૂર હોય છે. સફેદ ચંદન માટે સહાયક છોડ તુવેર હોઈ શકે છે.

એક વૃક્ષ પાંચ લાખનું :

ઘણા ખેડૂતોનું કહેવુ છે કે સફેદ ચંદનના છોડ વાવીને તેમની કમાણીમાં ઘણો વધારો થયો છે. સફેદ ચંદનના એક કિલ્લામાં 434 રોપાઓ છે. એક છોડ તમને 12-15 વર્ષ પછી ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાની કમાણી કરાવી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર, 17.2 ડિગ્રી સાથે અમદાવાદ​​​​​​​ રાજ્યનું ત્રીજું સૌથી ઠંડુ શહેર

0

Cold will increase in Gujarat for the next two

  • હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હવે ઠંડીનું જોર વધશે. 17.2 ડિગ્રી સાથે રાજ્યમાં હાલમાં અમદાવાદ​​​​​​​ ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર કહેવાઇ રહ્યું છે.

પવનની દિશા બદલાતા ગુજરાતમાં (Gujarat) હવેથી ઉત્તરના ઠંડા પવનો (Cold winds) શરૂ થઈ ગયા છે. જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે-ધીરે વધવા લાગ્યું છે. મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં (Temperature) ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં બે જ દિવસમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પંજાબથી કાશ્મીર સુધી પહોંચવા ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું પણ રાજ્યમાં જોર વધશે.

મંગળવારના રોજ સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડિગ્રીથી ઘટીને 34.7 તેમજ લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. અમદાવાદમાં અત્યારે 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જુઓ આજે ક્યાં કેવું વાતાવરણ રહેશે ?

ઉતર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 31 રહેશે. જ્યારે દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થઈ શકે છે. આ સિવાય ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે.

મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 36 નોંધાશે. તદુપરાંત રાજકોટમાં આજે દિવસ દરમિયાન 38 ટકા ભેજવાળું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો :-

Google ની ચેતવણી ! તાત્કાલીક અપડેટ કરી લો Chrome, નહીંતર..

Google warning ! Update Chrome

  • જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો તો સાવધાન રહેવાની જરૂર છે. એક ખતરનાક બગથી લોકો પરેશાન થઇ ગયા છે. ગૂગલે યૂઝર્સને કહ્યું કે તેમને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે.

જો Google Chrome તમારી ડેલી સર્ચ પાર્ટનર (Daily Search Partner) છે. તો આ રિપોર્ટ તમારા માટે છે. Google એ Chrome યૂઝર્સ માટે એક ખતરનાક બગ વિશે એક ઉચ્ચ ગંભીર ચેતાવણી જાહેર કરી છે જે તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે.

જોકે સિક્યોરિટી પર્પસ માટે Google એ ડિટેલને પ્રતિબંધિત રાખી છે. એક બ્લોગ પોસ્ટમાં Google નું કહેવું છે કે બગ અને લિંકની ડિટેલ્સ સુધી પહોંચ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જ્યાં સુધી મોટાભાગના યૂઝર લેટેસ્ટ Google Chrome અપડેટ ડાઉનલોડ કરી લેતા નથી.

સાઇબર ફર્મ અવોસ્ટના સાઇબર સિક્યોરિટી રિસર્ચર્સે 25 ઓક્ટોબરને આ હાઇ સીવીઇ-2022-3723 બગની શોધ કરી. ગૂગલે ઉલ્લેખ કર્યો કે ‘અમે તે તમામ સુરક્ષા શોધકર્તાઓને ધન્યવાદ આપવા માંગુ છે જેમણે ડેવલોપમેન્ટ સાઇકલ દરમિયાન અમારી સાથે કામ કર્યું જેથી સુરક્ષા બગને સ્થિર ચેનલ સુધી પહોંચતાં રોકી શકાય.’

ક્રોમ યૂઝર્સને શું કરવું જોઇએ? 

Google Chrome માં આ બગનો ફાયદો ઉઠાવવા માંગતા હેકર્સનો શિકાર થતાં બચવા માટે, કંપનીએ યૂઝર્સને સલાહ આપી કે તે પોતાના બ્રાઉઝરને મેક અને લિનક્સ માટે લેટેસ્ટ વર્જન 107.0.5304.87 અને વિંડોઝ માટે 107.0.5304.87/.88 પર અપડેટ કરો. જે આગામી દિવસો અથવા અઠવાડિયામાં રોલ આઉટ થશે. આ વર્જન મુદ્દાઓને ઠીક કરવા અને બ્રાઉઝરની ઉણપને સુધારવા માટે કહેવામાં આવે છે. એટલા માટે તમારે તમારા બ્રાઉઝરને અપડેટ કરવાનું ચૂકવું જોઇએ નહી.

 તમારા ક્રોમને અપડેટ કરવા માટે સૌથી પહેલાં સિસ્ટમ બ્રાઉઝર ખોલો.:

– વેબ સ્ક્રીન ઉપર જમણી તરફ ત્રણ ડોટ્સ પર ટેપ કરો.
– સેટિંગ્સ પર ક્લિક કરો.
– પછી ‘અબાઉટ ક્રોમ’ પર ક્લિક કરો જો આ લેટેસ્ટ વર્જન નહી હોય તો આ ઓટોમેટિક રીતે તમારા ગુગલ ક્રોમને અપડેટ કરી દેશે. નહીતર તમે અહીં મેન્યુઅલી કરી શકો છો.
– જો તમને હજુ સુધી અપડેટ મળ્યું નથી, તો મેક અને લિનક્સ માટે લેટેસ્ટ વર્જન 107.0.5304.87 અને વિંડોઝ માટે 107.0.5304.87/.88 નામથી અપડેટ કરવા માટે નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

ઘોડા છૂટયા પછી તબેલે તાળા : કચ્છનો 150 વર્ષ જૂનો પુલ કરાયો બંધ, ભાવનગર અને વડોદરામાં કેબલ સ્ટે બ્રિજને લઈ તંત્ર એલર્ટ

0

Stable locked after horse loose: Kutch

  • મોરબીની દુર્ઘટના બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ભાવનગરમાં કેબલ સ્ટેઇડ પુલની કલેક્ટરે મુલાકાત લીધી તો કચ્છનો રૂકમાવતી નદી પરનો પુલ કરાયો બંધ.

મોરબીમાં ઝૂલતા બ્રિજ (The suspension bridge) પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે. જે બાદ તંત્રની કામગીરીની પણ પોલ ખુલી રહી છે. મોરબીની (Morbi) દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

ભાવનગરના કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ કેબલ સ્ટેઇડ પુલની મુલાકાત લીધી હતી. ભાવનગરમાં વર્ષ 2012માં ગુજરાતના સૌ પ્રથમ સ્ટેઈટ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે આ પુલ લોકાર્પણના થોડા જ દિવસોમાં બેસી ગયો હતો. જેથી પુલના પિલરને ચણીને સપોર્ટ આપવામાં આવ્યો હતો.

મોરબીની ઘટના બાદ ભાવનગર તંત્ર એલર્ટ :

મોરબીની દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે અને 2012માં બનાવવામાં આવેલા સ્ટેઇડ પુલ ચેકિંગ હાથ ધર્યું હતું. કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ મુલાકાત સ્ટેઈડ પુલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2012માં લોકાર્પણ બાદ આ પુલ થોડા દિવસોમાં જ બેસી ગયો હતો. જે બાદ પુલનો પિલયર ચણીને સપોર્ટ આપવામા આવ્યો હતો.

કચ્છમાં પણ પુલ બંધ કરાયો :

મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ તંત્ર એકાએક હરકતમાં આવ્યું છે. મોરબીની ઘટના બાદ કચ્છનો ઐૈતિહાસિક પુલ બંધ કરાયો છે. માંડવીની રૂકમાવતી નદી પર આવેલો 150 વર્ષ જૂનો પુલ બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

2 નવેમ્બર 2022, આજનું રાશિફળ : જાણો આજે કઈ રાશિઓના લોકો બની જશે માલામાલ અને કોને કરવો પડશે નુકસાનનો સામનો

2 November 2022, Today’s Horoscope Gujarat

મેષઃ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. બપોર બાદ થોડો થાક વર્તાય. આવક જળવાય. પરિવારમાં શાંતિનો અનુભવ થાય. સંતાન તરફથી આનંદ. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

વૃષભઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ભાગ્યનો સાથ મળે છે. નોકરી-ધંધામાં પ્રગતિ. કુટુંબમાં મનમેળ જળવાય. ગેસટ્રબલ, પેટની તકલીફ રહે. નાણાંકીય બાબતો માટે દિવસ સારો છે. નાના યાત્રા પ્રવાસ સંભવે.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક માટે સામાન્ય દિવસ. કૌટુંબિક ક્ષેત્રે આનંદ વર્તાય. સ્થાવર-જંગમ મિલકત અંગે સાવધાની જરૂરી. સંતાન સુખ સારુ, ભાગ્યનો સાથ મળે છે. આરોગ્ય જળવાય.

કર્કઃ
બપોર સુધી સારો દિવસ છે. બપોર બાદ આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. પડવા-વાગતાથી ધ્યાન રાખવું. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા.

સિંહઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. આર્થિક બાબતોમાં ફાયદો, પરિવારમાં શાંતિનો અનુભવ થાય. સંતાન સંબંધી ચિંતા રહે. શરીરમાં ગરમી-એસીડીટીનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
નાણાંકીય આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. શેરબજારમાં લાભ સંભવે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. સ્વાસ્થ્ય સારું રહે, થોડો હાડકાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન:
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-