Tuesday, Apr 29, 2025

T20માં પંડયા સોંપાઈ કમાન, ODIમાં આ સ્ટાર ખેલાડી કેપ્ટન : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમનું એલાન

2 Min Read

Pandya given command in T20

  • ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમાશે,T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના સોંપાઈ જ્યારે વન ડે ટીમનો કેપ્ટન શિખર ધવન.

ટી-20 વર્લ્ડ કપ 2022 પછી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ (Team India New Zealand) ના પ્રવાસે જશે. સોમવારે BCCIએ જે બાબતે ટીમની જાહેરાત કરી છે. ભારત ન્યૂઝિલેન્ડની સામે ત્રણ ટી-20 વર્લ્ડ કપ અને ત્રણ વન ડે મેચ રમશે.

આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને (Senior player) આરામ આપવામાં આવ્યો છે. જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડયાના સોંપવામાં આવી છે. વન ડે ટીમની કેપ્ટન શિખર ધવનને (Captain Shikhar Dhawan) બનાવવામાં આવ્યાં છે.

ટી 20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા :

હાર્દિક પંડયા (C), ઋષભ પંત (vc & wk), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), ડબલ્યુ સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

વન ડે ટીમ ઈન્ડિયા :

શિખર ધવન (C), ઋષભ પંત (vc& wk), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), ડબલ્યુ સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન, ઉમરાન મલિક.

આ પણ વાંચો :-

Share This Article