Home Blog Page 1263

23 દિવસની બાળકીના પેટમાંથી એવી વસ્તુ મળી… ડોક્ટર બોલ્યા – આ તો દુનિયાનો પહેલો કેસ !

0

Such a thing was found in the stomach

  • 10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે.

ઝારખંડના (Jharkhand) પાટનગર રાંચીમાં 23 દિવસની એક નવજાત બાળકીના (Newborn baby girl) પેટમાંથી આઠ ભ્રૂણ મળી આવ્યા છે. અહીંના ડોક્ટર્સનો દાવો છે કે કદાચ સમગ્ર દુનિયામાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. મેડિકલ ટર્મમાં (A medical term) બાળકના પેટમાં ભ્રૂણ મળી આવવાના મામલાને ફીટસ ઈન ફીટૂ કહેવાય છે.

નવજાત બાળકના પેટમાં એક કે બે ભ્રૂણના કેસ (Two fetal cases) રેર હોય છે. પરંતુ આવા કેસ અનેક જગ્યાએ આવ્યા છે. એક સાથે 8 ભ્રૂણ મળવાનો પોતાની રીતે આવો પહેલો મામલો સામે આવ્યા બાદ ડોક્ટરો પણ અવાક થઈ ગયા છે. શહેરના રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી તમામ ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા છે. બાળકી ઝારખંડના રામગઢની રહીશ છે.

10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. બુધવારે તેનું ઓપરેશન થયું તો એક સાથે આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા.

બાળકીનું ઓપરેશન કરનારા પીડિયાટ્રિક એક્સપર્ટ ડો.ઈમરાનના જણાવ્યાં મુજબ દુનિયામાં 5-10 લાખ બાળકોમાંથી કોઈ એકમાં આવો ફીટસ ઈન ફીટૂ કેસ સામે આવે છે. અત્યાર સુધીમાં આવા 200થી પણ ઓછા કેસ મળ્યા છે. હકીકતમાં ગર્ભમાં જ્યારે એક કરતા વધુ બાળક ઉછરી રહ્યા હોય છે ત્યારે ભ્રૂણના વિકાસ સમયે બીજા ભ્રૂણના સેલ્સ કોઈ એક ભ્રૂણની અંદર જતા રહે છે.

જેનાથી ગર્ભસ્થ બાળકના પેટમાં હજુ બીજુ બાળક ઉછરવા લાગે છે. તેના કારણો પર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે પણ તેને લઈને અત્યાર સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. હવે એક સાથે બાળકના પેટમાં આટલી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવવું એ પોતાનામાં એક દુર્લભ કેસ છે.

આ પણ વાંચો :-

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર, જાણો AAP નેતા અલ્પેશ કથીરિયા ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?

0

The biggest news of Gujarat politics

  • AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતના રાજકારણના (Politics of Gujarat) સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે AAP નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) ગોંડલથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અલ્પેશ કથીરિયાને ગોંડલથી (Gondal) ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.

AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે પણ અલ્પેશ કથીરિયાને સમર્થન આપ્યુ છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાએ AAPની ટોપી પહેરી છે. AAPએ ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યું છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી ઉમેદવાર બદલાઈ શકે છે. ત્યારે હવે AAP અલ્પેશ કથીરિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. અલ્પેશ કથીરિયાને ગોંડલ બેઠકથી ટિકિટ મળે તેવી શક્યતા છે.

અલ્પેશને લઈને “આપની” સ્ટ્રેટેજી :

અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.

આ પણ વાંચો :-

 

ભારતને હરાવો, તમારા છોકરા સાથે લગ્ન કરીશ : પોપ્યુલર એક્ટ્રેસે ઝીમ્બાબ્વેને આપી અનોખી ઓફર

0

Beat India, marry your boy

  • પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી સેહર શિનવારીએ ઓફર આપી છે કે જો તે આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી નાખે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે. ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત તેના અંતિમ સુપર-12 મેચમાં ઝીમ્બાબ્વે સામે 6 નવેમ્બરે ટકરાવવાનું છે.

ટી-20 વર્લ્ડ કપ 2022નો (T-20 World Cup 2022) રોમાંચ ચરમસીમાએ છે અને સુપર-12ની થોડી મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમી ફાઈનલમાં (Semi Finals) પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનું પણ નામ સત્તાવાર કન્ફર્મ થયુ નથી. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ઝીમ્બાબ્વે (Pakistan Zimbabwe) સામે હારી ગયું હતું.

હવે જ્યારે ઝીમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાને (South Africa) હરાવ્યું તો તેની આશા લાગી ગઈ. જો કે તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝીમ્બાબ્વેએ ભારત સામે જીતવુ પડશે. જેના માટે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક આકર્ષક ઓફર પણ આપી છે.

ભારતને હરાવો તો લગ્ન કરીશ  :

સેહર શિનવારીએ ટવિટ કરીને ઝીમ્બાબ્વેને ઓફર આપી છે કે જો તેઓ આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી દે છે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે.

તેમણે ટવિટ કર્યુ હું ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ. જો તેમની ટીમ પ્રભાવશાળી રીતે આગામી મેચમાં ભારતને હરાવી નાખે તો. ત્યારબાદ તેમના ટવિટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યાં છે તો સેકડો લોકોએ રિટવિટ કર્યા છે.

6 નવેમ્બરે છે મેચ  :

ભારતીય ટીમ છેલ્લી મેચ ઝીમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એટલે કે આ મેચ એ જ હશે જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં 4 વિકેટથી જીત નોંધાવી હતી.

આ પણ વાંચો :-

દિલ્લીનો શ્વાસ રૂંધાયો ! શાળાઓ “લોક”, વાહનો માટે ઓડ-ઈવનની તૈયારી, ઝેરી હવાના એટેક બાદ પ્રતિબંધો લાગુ

0

Delhi breathless! Schools  locked

  • દિલ્હીમાં પ્રદૂષણના વધતાં સ્તરની વચ્ચે સરકારે લગાવ્યા પ્રતિબંધો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.

દિલ્હીમાં (Delhi) શાળાઓને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ વાહનો માટે પણ ઓડ ઈવનની (Odd Even) પદ્ધતિ અમલમાં આવી શકે છે.

દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. ત્યાંનું પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં પહોચી ગયું છે અને આ પોલ્યુશનનો કિસ્સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. દિલ્હી-NCR માં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર 10 નવેમ્બર પર સુનાવણી થશે.

દિલ્હી-NCR માં વધતાં પ્રદૂષણ વિશે વાત કરતાં CM કેજરીવાલ બોલ્યા હતા કે, ‘પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસ કર્યા છે અને આશા છે કે આગામી વર્ષ સુધીમાં આ ઘટનાઓમાં ઘટાડો આવશે.’

શુક્રવારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે અને ધુમ્મસની ગાઢ ચાદરને કારણે એવું લાગી રહ્યું છે કે જાણે આખું દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. જણાવી દઈએ કે પ્રદૂષણનો સૌથી મોટો પુરાવો ગણાતા AQIનું સ્તર દિલ્હીના ઘણા વિસ્તારોમાં 750ને પણ પાર કરીને 800ની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે જ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મોરબી હોનારતનું 5 દિવસે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરે કરી જાહેરાત, ગોઝારી ઘટનામાં 136 લોકોના થયા મોત

0

Morbi disaster rescue operation completed

  • મોરબી ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયૂ ઓપરેશન આજે 5માં દિવસે પૂર્ણ થયું છે.

મોરબીમાં (Morbi) ઝૂલતા પુલની (suspension bridge) દુર્ઘટનાના 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે. આ અંગે રાહત કમિશનરે (Relief Commissioner) રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ (Rescue operation complete) થયું હોવાનું જાહેર કર્યું છે. મચ્છુ નદીમાં (Machhu river) વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ  ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા :

આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે.

6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :-

 

 

નેતાઓ  રહેજો સાવધાન ! ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ‘ઠગ્સ ઓફ પોલિટિક્સ’, રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ટિકિટના નામે કોંગી નેતાઓ…..

0

Leaders be careful! Congolese leaders

  • ગુજરાતમાં વડોદરા કોંગ્રેસના બે નેતાઓ સાથે ટિકિટના નામે છેતરપિંડીનો પ્રયાસ. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઈ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો (Cyber fraud) સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટસએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો (Rahul Gandhi) PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ (Assembly ticket) જોઈતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી (Fraud) આચર્યાનો પ્રયાસ કરાયો.

બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી :

પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

સત્યજીત ગાયકવાડ વાઘોડિયા અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ રાવપુરા બેઠકના છે દાવેદાર :

ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો હતો :

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ પણ વાંચો :-

Bharat Jodo Yatra દરમિયાન પોથરાજૂ કેમ બન્યા રાહુલ ગાંધી ? પોતાને માર્યા કોરડા

0

Why Pothraju became Rahul Gandhi

  • તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ.રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress leader Rahul Gandhi) ગુરૂવારે તેલંગાણાના સંગારેડ્ડી (Sangareddy of Telangana) જિલ્લામાં ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન પોતાને ચાબૂક મારવાની પ્રથામાં ભાગ લીધો અને પોથરાજૂની ભૂમિકા ભજવી. તેલંગાણાના (Telangana) પારંપારિક તહેવાર બોનાલૂમાં પાર્ટીના ધારાસભ્ય જગ્ગા રેડ્ડી (MLA Jagga Reddy) સાથે ભાગ લેતાં રાહુલ ગાંધી પોતાને ચાબૂક માર્યા.

પોથરાજૂ તેલંગાણામાં કાઢવામાં આવતી વાર્ષિક બોનાલૂ જુલુસમાં એક પાત્ર છે. તેમણે ‘મહાકાલી’ દેવીના વિભિન્ના રૂપોની સાત બહેનોનો ભાઇ ગણવામાં આવે છે. જુલુસનું નેતૃત્વ કરતાં પોથરાજૂ એક ચાબુક લઇને ચાલે છે અને ઢોલની થાપના અવાજની સાથે પોતાને ચાબુક વડે કોરડા મારે છે.

પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદે સ્થાનિક લોકોની સાથે વાતચીત કરી. સ્થાનિક સાંસ્કૃતિક કલાકારોની સાથે ડાન્સ કર્યો અને બાળકો સાથે રમત પણ રમી. પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસ અને તેમની પત્ની અને સામાજિક કાર્યકર્તા લલિતા રામદાસ પણ યાત્રામાં જોડાયા હતા.

તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ. રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.

તેલંગાણામાં પગપાળા માર્ચ 7 નવેમ્બર સુધી ચાલશે અને 4 નવેમ્બરના રોજ એક દિવસનો બ્રેક હશે. આ રાજ્યની 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાં કુલ 375 કિલોમીટરનું અંતર પુરૂ કરશે. યાત્રા તેલંગાણાથી સાત નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો ચૂંટણીપંચના નિયમોના બંધનમાં, જાણો આચારસંહિતા વિશે બધુ જ

0

As elections in Gujarat are announced

  • લાંબા સમયથી રાજ્યમાં સૌનુ ધ્યાન ખેંચી રહેલી ગુજરાત વિધાનસભા ચુંટણીની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રાજ્યમાં આચારસંહિતા અમલી બની છે.

ગઈ કાલે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.

આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો (Code of Conduct) અમલ શરુ થઇ ગયો છે. જેને લઇને હવે તમામ સરકારી કાર્યક્રમોનો અંત આવી જશે અને સરકારી તંત્ર (Government system) પુરી રીતે ચૂંટણી ફરજ પર લાગી જશે.

શું હોય છે આચારસંહિતા નિયમો :

ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ થતાંની સાથે જ મુખ્યમંત્રી કે કોઈ મંત્રી સરકારી જાહેરાત કરી શકતા નથી. એટલે કે હવે સરકારી જાહેરાત પર ગુજરાતમાં રોક લગી જશે. વધુમાં ચુંટણી માટેની ઝુંબેશ પણ અટકશે. એટલુ જ નહિ કોઈ પણ પક્ષો તેના પ્રચાર માટે બેનર કે પોસ્ટર મૂકી શકશે નહિ. આ નિયમનું ઉલ્લંઘન બદલ જેલ અથવા દંડ થઇ શકે છે.

આચારસંહિતાને પગલે તંત્ર હરકતમાં :

ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઈ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, નવસારી સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં કોર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે.

 

 

 

આ પણ વાંચો :-

WhatsAppએ લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, યુઝર્સ જાણીને થઈ જશે ખુશખુશાલ

WhatsApp has launched the coolest feature

  • વોટસએપ યુઝર્સ માટે સતત નવા ફીચર્સ જાહેર કરે છે. તેણે હવે એક નવું ફીચર કમ્યુનિટીઝ બહાર પાડયું છે. આની મદદથી યુઝર્સ ગ્રુપમાં સબગ્રુપ બનાવી શકે છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે (Facebook founder Mark Zuckerberg) વોટસએપ (WhatsApp) પર કોમ્યુનિટી ફીચરના રોલઆઉટની જાહેરાત કરી છે. આ સુવિધા આજથી વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી છે. જો કે દરેકને આ સુવિધા મેળવવામાં થોડો સમય લાગી શકે છે.

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વોટસએપના કોમ્યુનિટી ફીચર વિશે જાહેરાત કરી હતી. કંપની અનેક ઝોનમાં તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. આ ફીચરથી યુઝર્સ ગ્રુપમાં કનેક્ટ થઈ શકશે. આ એક જૂથની અંદરનું જૂથ છે. એટલે કે, ગ્રૂપમાં તમે સબ-ગ્રુપ બનાવીને પસંદ કરેલા લોકોને સંદેશ મોકલી શકો છો.

વોટસએપ કોમ્યુનિટી ફીચર સાથે કંપની પાડોશ, શાળા અને કાર્યસ્થળના માતાપિતાને લક્ષ્ય બનાવશે. વપરાશકર્તાઓ મોટા જૂથમાં પણ એકથી વધુ જૂથોમાં જોડાઈ શકશે. કંપની આ માટે 50 થી વધુ સંસ્થાઓ સાથે 15 દેશોમાં કામ કરી રહી છે.

વપરાશકર્તાઓ કેવી રીતે તેનો ઉપયોગ કરશો?

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓ Android મોબાઇલમાં ચેટની ટોચ પર કોમ્યુનિટી ટેબ પર ક્લિક કરી શકે છે જ્યારે iOSમાં નીચે. ત્યાંથી વપરાશકર્તાઓ નવા જૂથ અથવા અગાઉ ઉમેરાયેલા જૂથમાંથી સમુદાયની શરૂઆત કરી શકે છે.

યુઝર્સ હાઈ-લેવલ સિક્યોરીટી અને પ્રાઈવસી મળશે

વપરાશકર્તામાં યુઝર સહેલાઈથી ગ્રુપમાં સ્વીચ કરી શકે છે. એડમિન જરુરી જાણકારી વપરાશકર્તાનાં તમામ સભ્યોને મોકલી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે યુઝર્સ હાઈ-લેવલ સિક્યોરીટી અને પ્રાઈવસી મળશે. આ ફીચરથી યુઝરને અલગ-અલગ ગ્રુપ બનાવવાની કોઈ જરુર નહીં રહે અને કોઈપણ એક મેસેજ અલગ-અલગ ગ્રુપમાં મોકલવાનો જરુર નહી રહે. કંપનીઁએ જણાવ્યું કે આ એન્ડ ટુ એન્ડ એન્સક્રિપ્શનનો ઉપયોગ કરી શકશો. જેથી યૂઝર્સને ડેટાનો ઉપોયગ પણ નહીં કરે શકે.

હવે યુઝર્સ 32 લોકો સાથે વિડિયો કોલમાં જોડાઈ શકે  છે. એ સિવાય ગ્રુપમાં 512 મેમ્બરોની જગ્યાએ 1024 કરી દીધા છે. વોટસએપ ગ્રપમાં ઈન ચેટ પોલ પણ આયોજીત કરી શકાય છે. આ જૂથના સભ્યો કોઈપણ મુદ્દા પર પોતાના મત આપી શકે છે.

આ પણ વાંચો :-

04 નવેમ્બર 2022 રાશિફળ : રામદેવપીરની કૃપાથી આ રાશિના જાતકોને પારિવારિક જીવન રહેશે સુખી

04 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવ જીદ્દી થતો જણાય. આર્થિક ઉપાર્જન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. નવું જાણવના યોગ બને. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. યાત્રા પ્રવાસ દરમિયાન સાચવવું.

મિથુનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય, નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. હયાત રોકાણો ફળદાયી નીવડે. જીવનસાથી સાથે આનંદ. ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભ‍વે.

કર્કઃ
નિર્ણય લેવમાં અસમર્થતા જણાય. ધારેલી આવક અટકતી જણાય. પરિવારમાં શાંતિ જળવાય. જીવનસાથીની તબિયત નરમ-ગરમ રહે. મિત્રોથી લાભ. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

સિંહઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકાય. બંનેનું આરોગ્ય જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નસીબનો સાથ મળે. પાણીથી સાચવવું.

કન્યાઃ
સ્વભાવમાં સરળતા અનુભવાય. પરંતુ બીજા તેનો ગેરલાભ ન ઉઠાવે એ સાચવવું. આર્થિક દૃષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળતી જણાય. સંતાન સંબંધી સમસ્યાઓ હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

તુલાઃ
દિવસ દરમિયાન આળસનો અનુભવ થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. હૃદયમાં થોડો અજંપો વર્તાય. સંતાન સુખ સારું, સ્વાસ્થ્ય સારું, ધાર્મિક ભાવના વધે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવરમાં મતભેદ ટાળવ જરૂરી બનશે. હયાત રોકાણોમાંથી લાભ મળતો જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

ધનઃ
નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આર્થિક બાબતો માટે શુભ દિવસ. માતા સાથે મતભેદની શક્યતા છે. સંતાનો તરફથી શાંતિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે સંતોષ.

મકરઃ
આત્મવિશ્વાસ જળવાય. આર્થિક મોરચે સફળતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ અનુુભવાય. અગત્યના કાર્યો ટાળવા. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્યનો સથ મળે છે. આંખની કાળજી રાખવી.

કુંભઃ
સ્વભાવમાં આનંદ વર્તાય. આર્થિક પાસુ મજબૂત બને. સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય. ખાવા-પીવામાં સંયમ રાખવો હિતાવહ.

મીનઃ
ઉદારદીલ અને દાન કરવાની ભાવના પેદા થાય, ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કોઈને નાણાં ઉછીના આપવા નહીં. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-