Home Blog Page 1255

તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે કોઈ દિવસ તકલીફ

How many SIMs are activated in your

  • SIM Cardની મદદથી કૌભાંડીઓ ઘણા પ્રકારના ફ્રોડ કરે છે. કૌભાંડીઓ કોઈ બીજા વ્યક્તિના નામ પર સિમ લઇ લે છે. સ્વાભાવિક છે કે આ સિમને ફેક રીતે કાઢવામાં આવે છે. જેથી સામાન્ય માણસના મનમાં સવાલ આવે છે કે તેના નામ પર કેટલા સિમ કાર્ડ નિકળ્યાં છે. તે અંગે જાણકારી મેળવી શકાય છે કે નહીં.

આ અંગે જાણકારી મેળવી શકાય છે. જેના માટે ખૂબ સરળ રીત છે. તમે એક સરકારી વેબસાઈટની મદદથી આવુ કરી શકો છો. આ કામ માટે તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનની (Department of Telecommunication) એક વેબસાઈટની મદદ લેવી પડશે.

તમારે સૌથી પહેલા ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર અથવા TAFCOPની વેબસાઈટ પર જવુ પડશે. જેના માટે તમે તમારા ફોન અથવા પીસીમાં https://tafcop.dgtelecom.gov.in/ વેબસાઈટને ઓપન કરી શકો છો.

નંબરને બંધ કરાવવાની રિકવેસ્ટ અહીં નોંધાવી શકશો :

પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે. મોબાઈલ નંબર મુક્યા બાદ તમને એક ઓટીપી મળશે. જેની વેરિફાઈ કરી લો. પછી તમને તમારા નંબર પરથી લિન્ક બધા મોબાઈલ નંબરની જાણકારી અહીં દેખાશે.

જો તમને લાગે છે કે કોઈ નંબરને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો છે તો તમે તેને બંધ કરાવવાની રિક્વેસ્ટ અહીં નોંધાવી શકો છો. જેના માટે તમારે અનઓથોરાઈજ્ડ મોબાઈલ નંબરની સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.

સર્વિસ હાલ સિલેક્ટેડ રાજ્યોમાં જ છે  :

વેબસાઈટ મુજબ આ સર્વિસ અત્યારે સિલેક્ટેડ રાજ્યોમાં જ છે. પરંતુ અમે તેને યાદીમાં રહેલ રાજ્યો સિવાય બીજા રાજ્યો માટે પણ ટ્રાય કર્યુ. આ અમારા માટે કામ કરી રહ્યું હતુ. એટલેકે મોટાભાગના રાજ્યોમાં આ સર્વિસ ચાલુ છે.

આ પણ વાંચો :-

14 નવેમ્બર 2022, આજનું રાશિફળ: આ 8 રાશિના જાતકો પર રહેશે માં ખોડીયારની અસીમ કૃપા “જય ખોડીયાર માં”

14 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ 
ગઇ કાલની જેમ આજે પણ ‌દિવસ આનંદથી પસાર થાય. આ‌‌ર્થિક પાસું થોડું નબળું થતું જણાય. શેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફ‌રિયાદ રહે. સામાન્ય શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો ‌વિખવાદ રહે. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય.  આદ્યો‌ત્મિક ઉન્ન‌તિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

મિથુન
વાણી ‌વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનો ના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લીબીન ઘટે, થાક લાગે. બહેનોને મા‌સિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્ક
ખંતીલા, કરકસરીયાં. ચોક્કસ, વ્યવ‌સ્થિત તથા આત્મ‌વિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધા વાળા ને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહ
આત્મ‌વિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક ‌વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. ‌પિતૃ સુખ સારૂ મળે.

કન્યા
કોઇની ઉપર ‌વિશ્વાસ મુકતા પહેલા ‌વિચાર કરવો. ‌વિશ્વાસુ વ્ય‌ક્તિ દ્વારા જ ‌વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલા
મન ઉપર ‌ચિંતાઓ ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આ‌‌ર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પ‌રિવારના સભ્યોની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળું રહે. અપચનની સમસ્યાની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃ‌શ્ચિક
મહેનત જેટલું જ ફળ મળતું જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આ‌‌ર્થિક બાબતોથી અસંતોષ રહે. પ‌રિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન
નાણાંભીડ વર્તાય. માન‌સિક અશાં‌તિ રહે. શરદી, ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારી વાળા ધંધામાં ‌વિશેષ ધ્યાન આપવું.

મકર
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભ ના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. સંતાનની ત‌બિયતની કાળજી રાખવી. શરદી, તાવથી સાવચેતી રાખવી.

કુંભ
આત્મ ‌વિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ‌ચિંતામાં વધારો થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. માતૃસુખ સારૂ મળે. દવા ના ધંધા વાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીન
સંતાનની પ્રગ‌તિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધા‌ર્મિક આયોજનો શકય બનતા જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

સાવધાન, ભવિષ્યમાં ખતરામાં છે આ નોકરીઓ, સમય રહેતા જ બદલી દેજો

0

Be careful, these jobs are in danger in

  • જો તમે કે તમારા પરિવારજનો આ વ્યવસાયમાં હોવ તો સાવધાન થઈ જાઓ. સમય સાથે જો આ વ્યવસાયમાંથી બદલાવ ન કરાય તો તમારી નોકરી ખતરામાં પડી શકે છે.

જરા વિચાર કરો કે તમારી આસપાસ એવી અનેક વસ્તુઓ છે જે દિવસેને દિવસે ગાયબ થતી જઈ રહી છે. સમય બદલાતો જાય છે અને કેટલીક વસ્તુઓની માંગ ઓછી થતી જાય છે. સમયાંતરે તે વસ્તુઓ આપણી દુનિયામાંથી ગાયબ થતી જાય છે.

જરા યાદ કરો કે પહેલા તમે ફોન કરવા માટે STD/PCO બૂથ પર જતા હતા. હવે મોબાઈલ આવી ગયા. પહેલા આપણે કેબલ નેટવર્કથી (Cable network) ટીવી જોઈને મનપસંદની ચેનલ લગાવી લેતા હતા. પરંતુ હવે મોબાઈલમાં જ ફિલ્મો જોઈ લઈએ છીએ. પહેલા પગાર કે પેન્શન (Salary or Pension) લેવા માટે બેંકોમાં લાઈનો પડતી હતી તો હવે પહેલી તારીખે ખાતામાં જ રૂપિયા આવી જાય છે.

પરંતુ આ બદલાવને કારણે અનેક નોકરીઓ ખતરામાં આવી ગઈ છે. આ બદલાવને કારણે કેટલાક એવા કરિયર છે જે ભવિષ્યમાં નાબૂદ થઈ જશે અથવા ભવિષ્યમાં તેનો સ્કોપ સાવ ઓછો થઈ જશે. જો તમે કે તમારા પરિવારજનો આ વ્યવસાયમાં હોવ તો સાવધાન થઈ જાઓ. સમય સાથે જો આ વ્યવસાયમાંથી બદલાવ ન કરાય તો તમારી નોકરી ખતરામાં પડી શકે છે.

ટ્રાવેલ એજન્ટ :

થોડા સમય પહેલા લોકો બસ, રેલવેમાં રિઝર્વેશન કરવા માટે એજન્ટનો સંપર્ક કરતા હતા અથવા તો જાતે લાઈનમાં ઉભા રહેતા હતા. પરંતું હવે તો બધુ જ ઓનલાઈન થઈ ગયુ છે. સમયની સાથે ટેકનોલોજી સારી બની રહી છે. જેથી આ સુવિધા હવે ઓનલાઈન મળવા લાગી છે. તેથી ભવિષ્યમાં ટ્રાવેલ એજન્ટનો સ્કોપ ઘટી શકે છે.

કેશિયર/એકાઉન્ટન્ટ/બેંકર :

ATM મશીન આવી જવાથી લોકોનું બેંકોમાં જવાનું લગભગ ઓછુ થઈ ગયું છે. બેંકના મોટાભાગના કામકાજ જેમ કે, મની ટ્રાન્ઝેક્શન, બેંક લોન, એફડી વગેરે કામગીરી ઓનલાઈન થઈ રહી છે. ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન ટેકનોલોજીથી બેકિંગ સેક્ટર રિડિઝાઈન થઈ રહ્યાં છે. તેથી આ સેક્ટરના લોકોએ હવે વેલ્યૂ ચેનમાં નવી સ્કીલ્સ શીખીને આગળ આવવુ જોઈએ.

ટ્રાન્સલેટર અને ઈન્ટરપ્રેટર્સ :

એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે ભાષાકીય એક્સપર્ટની જરૂર પડતી હતી. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા કોઈ પણ ભાષાનો અર્થ મફતમાં જાણી શકે છે. એક ક્લિક પર અર્થ સમજી શકાય છે. ત્યારે બહુ ક્વોલિટીની જરૂર ન હોય તો આજે કોઈ પણ ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને પોતાનું કામ કરી શકે છે. તેમજ કેટલીક ભાષા શીખવડાતી વેબસાઈટ પણ ઉપલબ્ધ છે. તેથી આ ફિલ્ડના લોકોએ હવે બીજા ઓપ્શન તરફ ધ્યાન આપવુ જોઈએ.

ફિલ્મ થિયેટર વર્કર્સ :

ફિલ્મ થિયેટરનો વ્યવસાય તો પહેલાથી જ ખતરામાં છે. મોટાભાગના લોકો હવે ઘરે હોમ થિયેટર પર અથવા સ્માર્ટ ટીવી પર ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તેથી તેની સાથે જોડાયેલા લોકોનો વ્યવસાય પણ ખતરામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

13 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

13 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

મિથુન
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાકી શકાય. નાણાંકીય, બાબતો માટે ઉત્તમ ‌દિવસ, નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહ
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રો ને મળવાનું થાય. ‌મિત્રો નો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ આવક વધશે.

કન્યા
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાં‌તિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ અનુભવાશે.

તુલા
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિક
ભાગ્યના બળે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન
માન‌સિક અશાં‌તિ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીન
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગ‌તિ થી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ થાય. બીજા ને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

“આયારામ ગયારામ ” માત્ર ૩૯ કલાકમાં જ કેસરીસિંહનો ‘કેસરિયો’ ! બે વાર પાર્ટી બદલશે 

0

“Ayaram Gayaram” Kesrisingh’s ‘rs

  • વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે.

ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટા ઉલટફેર જોવા મળી શકે છે. ભાજપે અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ આ સમાચારો વચ્ચે કેસરીસિંહને (Kesarisingh) લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં (Aap Gujarat) જોડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Matar MLA Kesrisinh Solanki) ફરી ભાજપમાં જોડાશે. માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. પરંતુ 39 કલાકમાં જ કેસરીસિંહનું મન બદલાયું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા॰ ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

39 કલાકમાં જ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરશે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેસરીસિંહની નારાજગી દૂર થતાં ફરી ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ કેસરીસિંહને ટિકિટ ન મળતા નારાજ થયા હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

ભાજપે 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. ત્યારબાદ કેસરીસિંહ નારાજ થયા હતા અને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી.

આ પણ વાંચો :-

ATMમાંથી 2000ની નોટો થઈ રહી છે ગાયબ ! જાણો કેમ, RBI રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

0

2000 notes are disappearing from the ATM

  • છેલ્લા કેટલાક સમયથી બજારમાં 2000 રૂપિયાની નોટો ભાગ્યે જ જોવા મળે છે. તેની પાછળ એક મોટું કારણ છે.

છેલ્લી વખત ક્યારે તમારા હાથમાં 2000 રૂપિયાની ગુલાબી નોટ આવી હતી ? મન પર થોડો જોર લગાવો કે બે હજાર રૂપિયાની (Two thousand rupees) નોટ કાઢી લેવા માટે તમે છેલ્લી વાર ક્યારે અહીં-તહીં ફરતા હતા. તે લાંબો સમય થઈ શકે છે. કારણ કે આ દિવસોમાં આપણા ચલણની સૌથી મોટી નોટનું સર્ક્યુલેશન (Circulation) ઘટી ગયું છે.

રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં આ વિશે મોટી માહિતી આપી છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટની અછતને લઈને એક મોટું કારણ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટનું ચલણ ઘટી ગયું છે.

શું નોટો બંધ થઈ ગઈ છે ?

31 માર્ચ 2017ના રોજ ચલણમાં રહેલી નોટોના કુલ મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 50.2 ટકા હતો. તે જ સમયે, 31 માર્ચ, 2022 ના રોજ ચલણમાં રહેલી કુલ નોટોના મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 13.8 ટકા હતો. જો કે રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરી નથી. પરંતુ તે છાપવામાં આવી રહી નથી.

ક્યારથી નથી છપાઈ નોટો ?

દેશમાં 2000 ની નોટો વધાર ચલણમાં વર્ષ 2017-18 દરમ્યાન રહી હતી. એ સમય દરમ્યાન બજારમાં 2000 નાં 33630 લાખ નોટો ચલણમાં હતી. જેનું કુલ મુલ્ય 6.72 લાખ કરોડ હતું. 2021 માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એવી જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 ની એક પણ નોટ છપાઈ નથી. સરકાર દ્વારા RBI સાથે વાતચીત કર્યા બાદ પણ નોટોને છાપવાને લઈને નિર્ણય કરીએ છીએ. એપ્રિલ 2019 પછી કેન્દ્રીય બેંકે 2000 ની એકપણ નોટ છાપી નથી.

2000 રૂપિયાની નોટો ન છાપવાના કારણે હવે તે લોકોના હાથમાં ઓછી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે એટીએમમાંથી પણ આ નોટો ભાગ્યે જ બહાર આવી રહી છે. આગામી સમયમાં રિઝર્વ બેંક તેને છાપવાનું શરૂ કરશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચો :-

આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર સામે ઊઠ્યાં વિરોધનાં સૂર ? કમલમમાં ગોઠવાયો પોલીસનો બંદોબસ્ત

0

Protest against the BJP candidate at this meeting

  • મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં અમુક સીટો પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારો (Candidates) સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. મહેસાણાની વિજાપુર (Bijapur of Mehsana) બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ (Raman Patel) સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. જેથી મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ગાંધીનગર કમલમ (Gandhinagar Kamalam) ખાતે પહોંચી વિરોધ કરી રહ્યા છે. કાર્યકરો ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરી રહ્યા છે.

મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર રમણ પટેલનો તેમને જબરદસ્ત વિરોધ કરીને પ્રદર્શન કર્યું હતું.

ઉમેદવાર સામે નારાજ લોકોએ કમલમમાં રજૂઆત કરી હતી કે વિજાપુરમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. બીજી બાજુ કમલમ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે વડોદરા જિલ્લાની બેઠકો પર ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે. વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, કરજણના સતીષ નિશાળિયા અને પાદરામાં નારાજ દિનુ મામા સાથે ગૃહ રાજ્યમંત્રી બેઠક કરશે. ત્રણેય નારાજ નેતાઓએ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી છે. જેથી કોઈ મોટો બળવો ના થાય તેના માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે.

આ પણ વાંચો :-

ભારતના નાગરિક હોવા છતાં ગુજરાતની ચૂંટણીમાં વોટ નહીં આપી શકે આટલા મતદારો, જાણો કેમ ?

0

Despite being citizens of India

  • ચૂંટણી પંચ દરેક નાગરિકને મતદાન કરવા અપીલ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કેટલાક એવા નાગરિકો છે જેમને મત આપવાનો અધિકાર છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

ગુજરાતની ચૂંટણીનું મેદાન તૈયાર થઈ ગયો છે. રાજકીય પક્ષો (Political parties) પણ તૈયારીમાં લાગેલા છે. ત્યારે ચૂંટણી પંચ દરેક નાગરિકને મતદાન (Voting) કરવા અપીલ કરી રહ્યું છે. આ બધામાં કેટલાક એવા નાગરિકો છે જેમને મત આપવાનો અધિકાર છે. પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં. આંકડા મુજબ આવા એક-બે નહીં પરંતુ 17 હજાર લોકો છે.

આ લોકો એવા કેદીઓ છે જેઓ કોઈ ગુનામાં સજા કાપી રહ્યા છે અથવા કોઈ અપરાધિક કેસમાં (Criminal case) વિચારણા હેઠળ છે. જેલના નિયમો અનુસાર તે ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈ શકે નહીં. હવે આચારસંહિતા (Code of Conduct) લાગુ થઈ ગઈ હોવાથી તેમને પેરોલ (Parole) પણ આપી શકાય તેમ નથી.

જેલમાંથી ચૂંટણી લડી શકાય પણ વોટ આપી શકતો નથી :

જો જેલમાં કોઈ કેદીના કેસ પર વિચારણા થઈ રહી હોય તો તે ચૂંટણી લડી શકે છે. પરંતુ મતદાન કરી શકે નહીં. બંધારણમાં 1951ની કલમ 62(5) મુજબ ન્યાયિક આદેશ દ્વારા અથવા જેલમાં વ્યક્તિને મતદાન કરવાની તક આપી શકાતી નથી. કોર્ટના આદેશ પર હેઠળ અટકાયતમાં રહેલા કેદીઓને જ તક મળી શકે છે.

જો કોઈ કેદી તેના મતાધિકારનો ઉપયોગ કરવા માંગે છે. તો તેણે પેરોલ લેવી પડશે પરંતુ તે પણ મતદાનના નામે નથી મેળવી શકાતા. જો કોઈ ગંભીર બાબત હોય અથવા તેના માટે કોઈ મોટી જરૂરિયાત હોય તો જ કોર્ટ મંજૂરી આપે છે. જો કે આચારસંહિતા લાગુ થયા બાદ આ તક પણ હાથમાંથી નીકળી જાય છે.

આટલા કેદીઓ છે બંધ  :

આંકડાની વાત કરીએ તો ગુજરાતની 32 જેલોમાં 17 હજારથી વધુ કેદીઓ બંધ છે. જેમાં પુરૂષ કેદીઓની સંખ્યા વધુ છે. આંકડાની વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલમાં 3400, રાજકોટમાં 1500, સુરતમાં 2800, જામનગરમાં 600 કેદીઓ બંધ છે.

ઉપરાંત સાબરમતી જેલમાં 3400 કેદીઓ છે. આમાંથી કેટલા પેરોલ પર બહાર છે તેનો ચોક્કસ આંકડો કોર્ટ પાસે નથી. પરંતુ સંખ્યા ઘણી ઓછી છે. મતલબ કે આ કેદીઓને પણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મતદાન કરવાની તક નહીં મળે.

આ પણ વાંચો :-

જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા તો આ બેઠક પર લડી શકે છે ચૂંટણી, અટકળો થઈ તેજ

0

If Shankar Singh Vaghela joins the Congress

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘેલા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રસમાં જોડાયા બાદ શંકરસિંહ બાપુ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી છે. જેમાં અનેક નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં (Congress Party) એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરી શકે છે. શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ફરી કોંગ્રેસમા જોડાઈ શકે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Khadge) હાજરીમાં તેઓ જોડાશે. ફરી વાર ખડગેની હાજરીમાં શંકરસિંહની કોંગ્રેસમા જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટથી પંચમહાલ (Panchmahal) જિલ્લાની શહેરા બેઠક પર ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે :

ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શંકરસિંહ બાપુ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં વાપસી બાદ શંકરસિંહ શહેરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર ભાજપે જેઠાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી.

આ પણ વાંચો :-

ભાજપના 40 સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે, પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે લેવાયા

0

40 star campaigners of BJP will campaign

  • પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના 40 સ્ટાર પ્રચારકો સંભાળશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી. સ્ટાર પ્રચારકોના પ્રવાસ માટે ભાજપે 5 હેલિકોપ્ટર લીધાં ભાડે.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે કાંટે કી ટક્કર સમાન છે. બે મજબૂત વિરોધ પક્ષો આ વખતે મેદાનમાં છે. ભાજપની સીધી જંગ કોંગ્રેસ (Congress) અને આપ સાથે છે. આવામા ભાજપ ગુજરાતનો ગઢ કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

આ વખતે ભાજપ ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ પ્રચાર માટે મેદાનમાં ઉતારશે. લગભગ 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ફાયરબ્રાન્ડ પ્રચાર (Firebrand propaganda) કરશે. ભાજપે અંદાજે 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.

કોણ કોણ આવશે  :

તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ (મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ), આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Deputy Chief Minister Devendra Fadnavis) પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે.

તો સ્ટાર પ્રચારકોમાં જોઈએ તો અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા લાલ યાદવ નિરહુઆ અને ભોજપુરી ગાયક મનોજ તિવારી જેવા સ્ટાર્સ પણ ગુજરાતની રણભૂમિમાં ભાજપના પ્રચાર માટે મેદાને ઉતરશે. આ ઉપરાંત અભિનેતા પરેશ રાવલ પણ સ્ટાર પ્રચારની યાદીમાં સામેલ છે. આમ, ભાજપે 40 થી વધુ સ્ટાર પ્રચારકોને ચૂંટણીના મેદાને ઉતારવાનું મન બનાવી લીધું છે.

વિજય રૂપાણી, નીતિન પટેલ પણ પ્રચાર કરશે :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. એક તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. તો બીજી તરફ ગુજરાતમાં 10થી વધુ કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભલે ચૂંટણી નહિ લડે. પરંતુ ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે.

ચૂંટણી પ્રચારકો માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા  :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપ સજજ બન્યું છે. ત્યારે ચૂંટણીના સ્ટાર પ્રચારકો માટે ભાજપે વિશેષ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમના પાછળના ભાગમાં વિશેષ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપે 5 વિશેષ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. આ વિશેષ હેલિકોપ્ટર દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી પ્રદેશ કાર્યાલય કમલમમાંથી લાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :-