Home Blog Page 1256

પગની ફાટેલ એડીને કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો પેડીક્યોર

Beautify cracked heels with this home remedy pedicure

  • ફાટેલી પગના તળિયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી પગની સુંદરતા તો ઓછી થાય જ છે સાથે સાથે દુખાવો પણ થાય છે. આ માટે તમારે મોંઘી ક્રીમની જરૂર નહીં પડે.

ફાટેલી પગના (Torn leg) તળિયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી પગની સુંદરતા તો ઓછી થાય જ છે. સાથે સાથે દુખાવો પણ થાય છે. આ માટે તમારે મોંઘી ક્રીમની (Expensive cream) જરૂર નહીં પડે.

ફાટેલા પગની ઘૂંટીને નરમ કરવા માટે ઘરે પેડિક્યોર થઇ શકે છે. કેટલાક લોકોને આખું વર્ષ આ સમસ્યા રહે છે. જો કે ફાટેલી એડીને રિપેર કરવા માટે માર્કેટમાં ઘણી ક્રીમ તો મળશે જ પરંતુ તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો (Home remedies) પણ અપનાવી શકો છો.

પેડિક્યોર પહેલાં નખ સાફ કરવા ખૂબ જ જરૂરી છે. તમારા નખ કાપો અને નેઈલ પેઇન્ટને દૂર કરો. તમે ઇચ્છો તો નખને શેપ પણ આપી શકો છો.

ઘરે જ પેડિક્યોર કરવાની સરળ ટિપ્સ :-

  • સૌથી પહેલા 2-4 કપ દૂધમાં થોડું પાણી ભેળવો.
  • ત્યારબાદ તેને ગેસ પર ગરમ કરવા મૂકો.
  • દૂધને ઉકાળો નહીં, ફક્ત નવશેકું કરવું.
  • દૂધ ગરમ થાય એટલે તેને એક નાના ટબમાં નાખી દો.
  • પછી તેમાં 4 ચમચી બેકિંગ સોડા ઉમેરો.
  • હવે આ મિશ્રણમાં તમારા પગને લગભગ 5-10 મિનિટ સુધી તેમાં રહેવા દો.
  • આમ કરવાથી ડેડ સ્કિન સોફ્ટ થઈ જશે.

પગની તળિયાને સ્ક્રબ કરો. :

હવે બ્રશની મદદથી તમારા પગ અને પગની તળિયાને ઘસો. આ મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરશે. હવે એક ડોલમાં 2 ટીસ્પૂન એપલ સીડર સરકો મૂકો. જે લોકોની ત્વચા રૂક્ષ અને શુષ્ક હોય છે. તેઓએ મકાઈ કોર્નનો ઉપયોગ કરવો જોઈએ. તે સખત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે.

આ ઉપાય કરો :

પગ ધોયા પછી 2 ચમચી સૂર્યમુખીનું તેલ, 2 ચમચી લીંબુનો રસ અને 3 ચમચી દળેલી ખાંડ લો. જ્યાં સુધી તે પેસ્ટ ન બને ત્યાં સુધી તેમને એક સાથે ભેળવી દો. આ મિશ્રણને પગની ત્વચા પર લગાવો અને તેને હળવા હાથથી ઘસો. 15 મિનિટ પછી ધોઈ લો. તે ત્વચાને પોષણ આપવા અને ત્વચાના રંગને સુધારવામાં મદદ કરે છે.

મોઇશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવો :

પગ પર મોઈશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવો ત્યારબાદ હળવા હાથે પગની મસાજ કરો. ફાટેલા પગની ઘૂંટીની સમસ્યાને ઓછી કરવા માટે રાત્રે મલમ લગાવ્યા બાદ મોજા પહેરવાનું ભૂલશો નહીં. તેનાથી આ સમસ્યા ઝડપથી ઠીક થઈ જાય છે.

આ પણ વાંચો :-

25 પૈસામાં 1 કિમી ચાલશે નવું જોરદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત પણ છે આપના બજેટની આસપાસ

25 paise new powerful electric scooter

  • ઈલેક્ટ્રીક વાહન કંપની Ola Electric એ એક નવું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર કંપનીના ફ્લેગશીપ પ્રોડક્ટ Ola S1થી પણ સસ્તું છે. આ ઈલેક્ટ્રીક વાહન માત્ર 25 પૈસાનાં ખર્ચે એક કિલોમીટર જેટલું અંતર કાપી શકશે.

દિવાળીનાં શુભ અવસર પર ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની (Electric Vehicle Company) ઓલા ઇલેક્ટ્રીકએ પોતાનું નવું ઇલેક્ટ્રીક સ્કૂટર Ola S1 Air લોન્ચ કર્યું છે. કંપનીના પ્રમુખ ભાવેશ અગ્રવાલએ આ સ્કૂટરની ડિટેલ્સ શેર કરતાં કહ્યું કે આ સ્કૂટર આશરે 25 પૈસા પ્રતિ કિલોમીટરનાં ખર્ચ પર ચાલી શકે છે.

Ola S1 Airની કિંમત  :

Ola S1થી ઘણી ઓછી કિંમત  Ola S1 Airની છે. Ola S1 Airને કંપનીએ 84,999 રૂપિયામાં લોન્ચ કરેલ છે. તો દિવાળીના તહેવાર પર કંપનીએ 24 ઓક્ટોબર સુધી એક ઓફર પણ જાહેર કરી છે. હાલમાં ઓફરને લીધે  આ સ્કૂટર કંપની 79,999 રૂપિયામાં વેંચી રહી છે. જેને 999 રૂપિયામાં રિઝર્વ કરાવી શકાશે.

100 કિ.મીથી વધુની રેન્જ :

કંપનીએ દાવો કર્યો છે તે Ola S1 Air સિંગલ ચાર્જમાં ઇકો મોડમાં 101 કિલોમીટરથી વધુ ટ્રાવેલ કરી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ પણ 90 કિ.મી પ્રતિ કલાક છે. આ સિવાય તે 0-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપ આશરે 4.3 સેકેન્ડમાં પકડી શકે છે. સ્કૂટરનું વજન આશરે 99 કિલોગ્રામ છે અને કંપનીએ તેમાં 4.5kWની ઈલેક્ટ્રિક મોટર પણ આપી છે. જેમાં 2.5 kWhનું બેટરી પેક પણ આપવામાં આવ્યું છે અને 3 રાઇડ મોડ પણ ઉપલબ્ધ છે.

4.5 કલાકનો ચાર્જ ટાઈમ, 5 રંગમાં ઉપલબ્ધ :

Ola S1 Airને ફુલ ચાર્જ કરવામાં 4.5 કલાલ લાગશે. જેમાં 3 રાઈડ મોડ આપવામાં આવ્યાં છે. એક ઇકો, નોર્મલ અને સ્પોર્ટસ્. કંપનીએ આ સ્કૂટર 5 અલગ-અલગ કલરમાં રજૂ કર્યાં છે. નિયો મિંટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સીલેન વાઇટ, અને લિક્વિડ સિલ્વર છે.

34 લિટરનાં સ્ટોરેજ સાથે અઢળક ફિચર્સ :

Ola S1 Airમાં કંપનીએ 34 લિટરનું અંડર સીટ સ્ટોરેજ આપ્યું છે. આ સાથે જ સ્કૂટરની સ્ક્રીન અને સાઉન્ડને તમે તમારા મૂડને હિસાબે બદલી પણ શકશો. આ સ્પીકર 10Wનો છે જે તમને ક્યાંય પણ પાર્ટી કરવાની આઝાદી આપે છે.

આવતાં વર્ષે થશે ડિલીવરી :

Ola S1 Airની પરચેઝ વિન્ડો ફેબ્રુઆરી 2023થી ખુલશે. તેની ડેલિવરી એપ્રિલ 2023માં શરૂ થશે.

આ પણ વાંચો :-

 

હવે પતિ-પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા, જાણી લો પીએમ કિસાન યોજનાના નવા નિયમ

0

Now both husband and wife will get

  • પીએમ કિસાન યોજના અંતગર્ત કિસાનોના ખાતામાં 12મા હપ્તાના પૈસા આવી ગયા છે. આ દરમિયાન સવાલ સામે આવી રહ્યો છે કે હવે આ યોજના અંતગર્ત પતિ-પત્ની બંનેને રકમ મળશે.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતગર્ત સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલે કે 2000 રૂપિયાની ત્રણ હપ્તા મોકલે છે. પરંતુ અત્યાર સુધી આ યોજના ઘણા ફેરફાર થઇ ચૂક્યા છે.

ક્યારેક અરજીની લઇને તો ક્યારેક પાત્રતાને લઈને યોજના બનાવવાને લઇને અત્યાર સુધી ઘણા નવા નિયમ બની ચૂક્યા છે. હવે આ યોજનામાં પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે. આવો જાણીએ તેના નિયમ.

જાણો કેવી રીતે મળશે લાભ ? 

પીએમ કિસાન યોજના નિયમ અનુસાર પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ (PM Kisan Benefits) ઉઠાવી શકતા નથી. જો કોઇ આમ કરે છે તો તેને છેતરપિંડી (Fraud) ગણાવતાં સરકાર તેને રિકવરી કરશે. આ ઉપરાંત પણ ઘણી એવી જોગવાઇ છે જે ખેડૂતોને અપાત્ર બનાવે છે. જો અપાત્ર ખેડૂત આ યોજનાનો લાભ ઉઠાવે છે તો તેમને સરકારને તમામ હપ્તા પરત આપવા પડશે. આ યોજનાનો લાભ નહી મળે.

કોણ છે અપાત્ર

નિયમ અંતગર્ત જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરીને બીજા કામોમાં કરી રહ્યા છે અથવા બીજાના ખેતરો પર ખેડૂતોનું કામ તો કરે છે, અને ખેતર તેમનું નથી. એવા ખેડૂત પણ આ યોજનાનો લાભ ઉઠાવવાના હકદાર નથી. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યા છે. પરંતુ ખેતર તેમના નામે ન હોઇ તેમના પિતા અથવા દાદાના નામે છે તો તેમને પણ આ યોજનાનો લાભ નહી મળે.

તેમને પણ નહી મળે લાભ :

જો કોઈ ખેતીની જમીનનો માલિક છે. પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા નિવૃત થઈ ચૂક્યા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ કિસાન યોજનાનો લાભ માટે અપાત્ર છે. અપાત્રોની યાદીમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટટ અથવા તેમના પરિવારજનો પણ આવે છે. ઇનકમ ટેક્સ આપનાર પરિવારોને પણ આ યોજનાનો ફાયદો નહી મળે.

આ પણ વાંચો :-

12 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકો પર લક્ષ્મીજી થશે મહેરબાન – શ્રધ્ધા રાખીને લખો “જય માતાજી”

12 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી.

વૃષભઃ દિવસ દરમિયાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વીજળીના સામાન, ટેલિફોન, ટીવી તેમજ કોન્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેેં. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. મા‌તાપિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ વારેરવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણીશીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતું જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતાપિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ ઉતાવળિયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ દિવસ દરમિયાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્રફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબૂ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારો બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

આ પણ વાંચો :-

એક સમયે પ્રિયંકાના પતિ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી આ એક્ટ્રેસ, બ્રેકઅપ બાદ થઇ ગયા હતા કંઇક આવા હાલ

This actress once wanted to marry Priyanka

  • પ્રિયંકા ચોપડા પહેલા નિક ઓલિવિયા કુલ્પો સાથે રીલેશનશીપમાં હતો. ત્યારે હવે ઓલિવિયા કુલ્પો બ્રેકઅપ બાદની પરિસ્થિતિ વર્ણવી રહી છે.

બોલીવુડ (Bollywood) કલાકાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલીવુડનાં મશહૂર સિંગર નિક જોનાસ (Singer Nick Jonas) તેમના લગ્નનો આનંદ માણી રહ્યા છે. બંને સ્ટાર કલાકારોએ લગ્ન કરી લીધા છે. ત્યારે હાલમાં જ બંને માતા-પિતા બન્યા છે અને એક દિકરીનો જન્મ થયો છે. દર્શકોને બંનેની જોડી ખૂબ જ ગમી છે.

પરંતુ પ્રિયંકા અને નિકને પહેલા પણ અન્ય વ્યક્તિઓ સાથે સબંધ હતા. નિકને પ્રિયંકા સાથે લગ્ન પહેલા ઘણી બધી કલાકારો સાથે સબંધ હતો અને તેની પહેલાની ગર્લફ્રેન્ડનું એક નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

પ્રિયંકા પહેલા નિક અમેરિકન મોડલ અને એક્ટ્રેસ ઓલિવિયા કુલ્પો સાથે રિલેશનશિપમાં હતો. રિપોર્ટ્સ અનુસાર બંનેનો સંબંધ વર્ષ 2013માં શરૂ થયો હતો અને વર્ષ 2015 સુધી ચાલ્યો હતો. જ્યારે બંને અચાનક અલગ થઈ ગયા ત્યારે ચાહકોને આશ્ચર્ય થયું હતું. હવે લાંબા સમય બાદ ઓલિવિયાએ નિક જોનાસથી અલગ થવાની વાત કરી છે.

ઓલિવિયા નિક સાથે લગ્ન કરવાનું વિચારતી હતી :

રિયાલિટી સિરીઝ ‘ધ કલ્પો સિસ્ટર્સ’ના પ્રીમિયર દરમિયાન ઓલિવિયાએ નિક સાથેના તેના બ્રેકઅપ વિશે ઘણી વાતો શેર કરી હતી. આ રિયાલિટી શો દ્વારા ચાહકોને કુલ્પો વિશે ઘણું જાણવા મળશે. આ શો દરમિયાન ઓલિવિયાએ કહ્યું કે રિલેશનશિપ દરમિયાન તે વિચારતી હતી કે તે નિક સાથે લગ્ન કરી લે.

“હું નિકના પ્રેમમાં પડી હતી”

ઓલિવિયાએ અચકાતા કહ્યું, “મેં નિકને ડેટ કર્યો હતો અને તે મારા માટે ખૂબ જ મહત્વ ધરાવતો હતો. હું તેની સાથે લોસ એન્જલસ ગઈ હતી. મારી પાસે કોઈ ઓળખાણ ન હતી, પૈસા ન હતા અને હું પ્રેમમાં પડી ગઈ હતી. તે બધું અદ્ભુત હતું, તે હવે નથી, પરંતુ જ્યારે તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે ત્યારે અત્યારે મારી કોઈ ઓળખાણ જ રહી નથી.

આ પણ વાંચો :-

જેલમાંથી છૂટી ગયા રાજીવ ગાંધીના હત્યારા, સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું…

0

Rajiv Gandhi’s killer released from jail

  • સુપ્રિમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે (Supreme Court) રાજીવ ગાંધીના (Rajiv Gandhi) હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી રાજ્યપાલે કોઈ નિર્ણય નથી લીધો જેથી અમે નિર્ણય લઈ રહ્યા છીએ. અદાલતે જણાવ્યું હતું કે આ કિસ્સામાં દોષિત જાહેર કરાયેલ પેરારિવલનને (Pararivalan) છોડી મુકવાનો આદેશ બાકીના દોષિતો પર પણ લાગુ પડશે. પરંતુ એ પહેલા સુપ્રિમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં પેરારિવલનનો છોડવાનો આદેશ કર્યો છે.

આ ગુનેગારોને છોડી મુકાશે :

રાજીવ ગાંધી હત્યા કાંડમાં નલિની, નવિચંદ્રન, મુરૂગન, જયકુમાર અને રોબર્ટ પોયસને છોડી મુકવાના આદેશ આપવામાં આવ્યો છે અને પેરારિવલન પહેલેથી જ આ કેસમાં છોડી મુકવામાં આવ્યા છે.

31 વર્ષ પહેલા થઈ હતી રાજીવ ગાંધીની હત્યા :

21 મે 1991ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેને એક મહિલાએ માળા પહેરાવી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ 41 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ નાસી છૂટ્યા હતા.

જ્યારે બાકીના 26 પકડાયા હતા. તેમાં શ્રીલંકાના અને ભારતીય નાગરિકો હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અકિલાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાનૂની કાર્યવાહી બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

19 દોષિતોને પહેલા જ છોડી મુકવામાં આવ્યા છે :

આ નિર્ણય ટાડા કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. એટલે તો આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ સુપ્રિમ કોર્ટને ત્રણ જજની બેંચ દ્વારા આ નિર્ણયને બદલી દેવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે 26 થી 19 દોષીઓને છોડી દીધા હતા. માત્ર 7 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. ત્યારપછી તે સજાને બદલીને ઉંમર કેદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

ડેન્ગ્યુ અને કોરોનાના આ લક્ષણો છે એક જેવા, જાણો તમે કઈ રીતે કરી શકો બન્ને વચ્ચે અંતર

These symptoms of dengue and corona

  • હાલ કોરોનાના ખતરાની સાથે ડેન્ગ્યુનો હાહાકાર પણ છે. કોવિડ અને ડેન્ગ્યુના મોટાભાગના લક્ષણ એક જેવા પણ છે જેના કારણે બીમારીને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે.

આ સમયે કોરોના વાયરસ, ડેન્ગ્યુ (Dengue) અને વાયુ પ્રદુષણે એકસાથે આપણા બધાના સ્વાસ્થ્ય (Health) માટે ઘાતક સ્થિતિ સર્જી છે. ખાસ કરીને દિલ્હી (Delhi) અને આસપાસના વિસ્તારોમાં, જ્યાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી છે અને નવેમ્બરમાં ડેન્ગ્યુના 295 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને કોવિડના ઘણા લક્ષણો સમાન છે. જેમ કે તાવ, શરદી, માથાનો દુખાવો (Headache) અને શરીરમાં દુખાવો. તો આ બન્ને વચ્ચેનો તફાવત કેવી રીતે સમજી શકાય ?

ડેન્ગ્યુના ચેતાવણીના સંકેત :

  • અમેરિકાન સીડીસી અનુસાર, ડેન્ગ્યુના લક્ષણ :
  • સતત ઉલ્ટી થવી
  • મ્યુકોસલ બ્લીડિંગ
  • શ્વાસ લેવામાં મુશ્કેલી
  • થાક કે બેચેની
  • લિવરનો આકાર વધવો

કોવિડ-19ના લક્ષણ :

  • શ્વાસ લેવામાં તકલીફ
  • સતત છાતીમાં દુખાવો
  • કન્ફ્યુઝન થવું
  • જાગવામાં મુશ્કેલી
  • હોઠ કે ચહેરાનું બ્લૂ પડવું

આ લિસ્ટ ઉપરાંત પણ કોવિડ-19ના ઘણા લક્ષણ હોય છે. કોરોના દરેક વ્યક્તિને અલગ પ્રકારે સંક્રમિત કરે છે.

કોવિડ અને ડેન્ગ્યુમાં સંક્રમણના લક્ષણ કેટલા દિવસમાં જોવા મળે છે ? 

ડેન્ગ્યુથી સંક્રમિત થવા પછી 3થી 10 દિવસોમાં દર્દીને લક્ષણ જોવા મળી શકે છે. ત્યાં જ કોવિડના મામલામાં 14 દિવસ સુધી લાગે છે. સામાન્ય રીતે સંક્રમણના લપેટામાં આવ્યા બાદ લક્ષણ 4થી 5 દિવસમાં જોવા મળે છે.

કોવિડ-19નો તાવ ડેન્ગ્યુથી કઈ રીતે છે અલગ

આ બન્ને સંક્રમણોમાં તાવ અલગ પ્રકારનો આવે છે. કોવિડમાં સામાન્ય રીતે તાવ હલકો અથવા તેનાથી થોડો વધારે હોય છે. જેને ડોક્ટરની બનાવેલી દવાઓ, હેલ્ધી ડાયેટ અને હાઈડ્રેશનથી ઘર પર જ મેનેજ કરી શકાય છે. ત્યાં જ ડેન્ગ્યુના મામલામાં તાવ ખૂબ જ વધારે આવે છે. જેના માટે તરત મેડિકલ હેલ્પની જરૂર પડે છે. આ ઉપરાંત ડેન્ગ્યુમાં તાવ સતત રહે છે. જ્યારે કોવિડમાં આવતો જતો રહે છે.

આ પણ વાંચો :-

ભાવના બાલકૃષ્ણન T20 WC માં જલવો પાથરી રહી છે આ ભારતીય એન્કર, સિંગિંગ-ડાન્સિંગમાં પણ લાજવાબ

0

Bhavna Balakrishnan makes a splash in T20 WC

  • ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022  માં કેટલાક નવા એન્કરોની લાઇન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે, જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.

ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ (Female Anchors) પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022  માં કેટલાક નવા એન્કરોની લાઈન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે. જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ચેન્નઇની રહેવાસી છે. ટી20 વર્લ્ડકપ 2022 માં તે એન્કર તરીકે ફેન્સની વચ્ચે ખૂબ ચર્ચા મેળવી રહી છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) એ એક કમેંટટરના રૂપમાં ઓળખ બનાવ્યા બાદ એન્કરીંગની દુનિયામાં પગ મુક્યો. તે ટીવીમાં એન્કરીંગ કરવા ઉપરાંત એક પ્લેબેક સિંગર અને ડાન્સર પણ છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) એ ગ્રેટ લેક્સ ઈસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ચેન્નઇથી એમબીએ કર્યું છે. 2017માં ભાવના એક ટીવી પ્રેજેંટના રૂપમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક થઈ અને આઇપીએલ અને પ્રો કબડ્ડી લીગની મેજબાની કરી.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના સાડા છ લાખથી વધુ ફોલોવર્સ છે. તમને જણાવી દઈએ કે 36 વર્ષની ભાવના પરણિત છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ભારતની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ પત્રકારોમાંથી છે. ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ની ઓળખ વીજે ભાવનાના નામથી વધુ છે. તે કેરિયરની શરૂઆતમાં ચેન્નઇ લાઇવ રેડિયોમાં જોકીના રૂપમાં પણ કામ કરી ચૂકી છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતની આ બેઠક પર જંગ બની રોચક : બે સગા ભાઈઓ સામસામે જયારે એક ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે મંત્રી

0

A war has become interesting on this seat of

  • ભારતીય જનતા પાર્ટીએ અંકલેશ્વરથી પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. મતદારને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસાથે 160 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

પાર્ટીએ અંકલેશ્વરથી (Ankleshwar) પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને (Former Minister Ishwar Singh Patel) ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે (Congress) ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને (વિજયસિંહ) મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે. આ ચૂંટણીમાં ભરૂચની (Bharuch) અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે જોવા મળશે મુકાબલો :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે અંકલેશ્વર બેઠક પરથી ઈશ્વરસિંહ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલને પાંચમી વખત રિપીટ કરવામા આવ્યા છે.

ઈશ્વરસિંહ પટેલ ગુજરાત સરકારમાં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે. તો કોંગ્રેસે પણ ઈશ્વરસિંહ પટેલના સગાભાઈ વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

છેલ્લી 4 ટર્મથી ઈશ્વર પટેલ ધારાસભ્ય :

ગત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી.

આ પણ વાંચો :-

રિયલ એસ્ટેટમાં ધમાલ મચાવશે મુકેશ અંબાણી ! અહીં બનશે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી

0

Mukesh Ambani will create a stir in real estate

  • રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે તેની સંપૂર્ણ માલિકીવાળી એકમ મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે.

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની એક સહયોગી ગુરૂગ્રામથી (Gurugram) અડીને આવેલા વિસ્તારમાં સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે. તેમાં જાપાની કંપનીઓ (Japanese company) પણ સામેલ રહેશે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે તેની માલિકીવાળી મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ  (Model Economic Township Ltd.) (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે.

જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર :

આરઆઇએલએ જણાવ્યું કે તેને ‘મેટ સિટી‘નું નામ આપવામાં આવ્યું છે. કંપનીના અનુસાર આ સ્માર્ટ સિટી એક એકિકૃત ઔદ્યોગિક શહેર હશે જેમાં જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર હશે. તેમાંથી એક જાપાની કંપની નિહોન કોડેને પોતાના ફાળવેલ પ્લોટ પર તાજેતરમાં ભૂમિપૂજન સમારોહ કર્યો છે. નિહોન ઉપરાંત મેટ સિટીમાં પેનાસોનિક, ડેંસો અને ટી-સુઝુકી પણ હાજર રહેશે.

8,000 એકરથી વધુ ક્ષેત્રમાં થઇ રહ્યો છે વિકાસ :

મેટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારી એસવી ગોયલે કહ્યું કે આ ઉત્તર ભારતની સૌથી ઝડપથી વધતી સ્માર્ટ સિટી છે. તેમાં 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો સાથે વિશ્વસ્તરીય માળખું હશે. તેનો વિકાસ ગુરૂગ્રામથી અડીને આવેલા ઝઝરમાં 8,000 એકરથી વધુ ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-