AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, ભાજપનાં ઉમેદવારો વચ્ચે થશે કાંટે કી ટક્કર

Share this story

AAP’s CM candidate Yesudan Gadhvi may

  • આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરેલા CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM ઉમેદવાર ઈસુદાન ગઢવી (Isudan gadhvi) દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

AAPના સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો :

તમને જણાવી દઇએ કે AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જો કે દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-