Home Blog Page 1227

સુરત સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજનો જાજરમાન ઈતિહાસ ડો. પી.કે. પટેલના શ્વાસ થંભી ગયા !

સુરત સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજનો જાજરમાન ઈતિહાસ ડો. પી.કે. પટેલના શ્વાસ થંભી ગયા !

  • ૧૯૮૦થી ૨૦૦૫ના સમયગાળામાં સિવિલ હોસ્પિ. ચોક્કસ લોકોનો અડ્ડો ગણાતી હતી ત્યારે ડો. પી.કે. પટેલે જબરદસ્ત ધાક ઉભી કરીને હોસ્પિ. અને મેડિકલ કોલેજને ધમધમતી રાખી હતી.
  • ડો. પી.કે. એક એવા તબીબી અધિકારી હતા કે તેમની ઓફિસમાં રાજનેતાઓ, સામાજિક આગેવાનો, પોલીસ અધિકારીઓ, પત્રકારો અને ઘણી વખત કુખ્યાત લોકોની હાજરી જોવા મળતી હતી.
  • હોસ્પિ. ફરતે ઝૂંપડપટ્ટી વિંટળાઇને પડી હતી, કેમ્પસમાં દારૂના અડ્ડા ચાલતા હતા એવા કપરાકાળમાં ડો. પી.કે.એ ભય અને પ્રેમ વચ્ચે જડબેસલાક અને અસરકારક ‌વહીવટ ચલાવ્યો હતો, ડો. પી.કે.નો એવો ધાક હતો કે ગુનેગારોને પણ પરસેવો છુટી જતો હતો.
  • મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી આંદોલનો ચાલતા હતા ત્યારે ડો. પી.કે. સામે પ્રથમ વખત ડો. મહેન્દ્ર ચૌહાણે મોરચો માંડયો હતો, આ તરફ નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાળાએ કેમ્પસમાં ભાજપના ટેબલ મુકી ૧૪૦૦ પૈકી ૧૨ મતો મેળવ્યા હતા.
  • સુરતના ડો. અકેન દેસાઇ મુંબઇની અંધારી આલમના ગુંડાને સારવાર આપવા મજબૂર બન્યા ત્યારે ડો. પી.કે. પટેલને પણ છાંટા ઉડયા હતા પરંતુ તેઓએ મક્કમ રહીને સામનો કર્યો હતો.
  • ડો. પી.કે.ની ગરીબોમાં લોકપ્રિયતા એટલી હદે હતી કે સફાઇ કામદારોના લગ્ન, મરણ પ્રસંગમા તેઓ હાજરી આપતા હતા અનેક પરિવારો લગ્નની કંકોત્રીમાં પણ ડો. પી.કે.નું નામ લખતા હતા.
  • છેલ્લે ડો. પ્રીતી અરોરાની પી.જી.ની ડિગ્રીના વિવાદમાં તેમને છાંટા ઉડયા હતા અને ડો. પી.કે.પટેલની બોટાદ ખાતે અને ડો. મેઘા મહેતાની સાવરકુંડલા બદલી કરવામાં આવી ત્યારે તેમને રોકવા ચોથા વર્ગના કર્મચારીઓ દિવાલ બનીને ઉભા રહી ગયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) જહોજલાલી ભર્યા ઇતિહાસના અને એક ભડવીર ભૂતપૂર્વ તબીબી અધિકારનો જીવદિપ બુઝાઈ જવા સાથે એક ઇતિહાસનો અંત આવી ગયો હતો. એક જમાનો હતો સુરત સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં (Medical College) ડો. પી.કે. પટેલનું (Dr. P.K. Patel) નામ ગાજતું હતું અને ધાક પણ એવી જ હતી. લગભગ ૧૯૮૦થી ૨૦૦૫ના અરસામાં સુરત સિવિલ હોસ્પિટલમાં બનતી લગભગ પ્રત્યેક ઘટનાઓ સાથે ડો. પી.કે.નું નામ હંમેશા જોડાયેલું રહેતું હતું. એ જમાનામાં સિવિલ હોસ્પિ.નો વિકાસ થયો નહોતો. હોસ્પિટલ ફરતે ઉધઈની માફક ચારેતરફ ઝૂંપડપટ્ટી પથરાયેલી રહેતી અને કેમ્પસમાં દારૂનું વેચાણ થતું. માફિયા તત્વો સિવિલ હોસ્પિ.માં પડયા પાથર્યા રહેતા હતા. એવા કપરાકાળમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓ ડો. પી.કે. પટેલ કોઈ ખુંખાર પોલીસ અધિકારી કરતા પણ વધુ રૂઆબ ધરાવતા હતા. ખાસ કરીને મધ્યમ અને શ્રીમંત વર્ગના મોટાભાગના લોકો સિવિલ હોસ્પિ.માં સારવાર લેવાનું ટાળતા હતા. ગામડાંના અને શહેરના ગરીબો માટે જ સિવિલ હોસ્પિ. માત્રને માત્ર હાથવગું સારવારનું કેન્દ્ર હતું. એવા સમયે સિવિલ હોસ્પિ.માં એક હથ્થુ શાસન ચલાવીને ડો. પી.કે. પટેલે હોસ્પિ.ની સેવાઓ ધમધમતી રાખી હતી.

સુરત શહેર અને દ‌‍િક્ષણ ગુજરાતમાં ક્રાઇમ સાથે સંકળાયેલી મોટાભાગની ઘટનાઓનું કેન્દ્ર સુરતની સિવિલ હોસ્પિ. જ રહેતી હતી. ડો. પી.કે.ની ઓફિસમાં ટોચના રાજકીય આગેવાનો, અધિકારીઓ, શહેરના જાણિતા તબીબો અને પત્રકારોનો લગભગ કાયમી મેળાવડો જામતો હતો. એ દિવસોમાં સુરતનો વિકાસ થયો નહોતો. રીંગરોડનો મજુરાગેટ નજીકનો વિસ્તાર પણ સાવ ‌ઉજ્જડ હતો એક માત્ર સિવિલ હોસ્પિ.માં મોડીરાત્રે લાઇટો સળગતી જોવા મળતી હતી. હાલમાં સુરત શહેરમાં પ્રેકટીસ કરતા મોટાભાગના ડોકટર્સ સિવિલ હોસ્પિ.માંથી (સરકારી મેડિકલ કોલેજ) ડીગ્રી લઇને બહાર પડ્યા હતા. અલબત એ જમાનામાં સુરતની ગર્વમેન્ટ મેડિકલ કોલેજની ડીગ્રીને કે કોલેજને કોઇ ગંભીરતાથી લેતુ નહોતું અને તોફાની ગણાતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ડો. પી.કે. પટેલની ભયાનક ધાક હતી. અહિંયા છાશવારે આંદોલનો થતા હતા. ગરીબ દરદીઓની સારવાર રઝળી પડતી હતી એવા સમયે ડો. પી.કે.ની ધાક કામ આવતી હતી.

એવું કહેવાય છે કે ડો. પી.કે. પટેલ આરએમઓની ઓફિસમાં ઇન્જેકશનની સાથે ‘ધોકો’ લઇને પણ બેસતા હતા! અને આ ધોકા જેવો જ તેમનો સ્વભાવ સિવિલ હોસ્પિ.ના વહિવટીતંત્રને કાબુમાં લાવવામાં સફળ રહ્યો હતો.  ડો. પી.કે. પટેલ અનેક વખત વિવાદમાં પણ આવ્યા હતા પરંતુ ક્યારેય પણ ઝુક્યા નહોતા. તેઓ ગણદેવીના મૂળ વતની અને ધોડિયા પટેલ સમાજમાંથી આવતા હતા પરંતુ તેમનો સ્વભાવ ઉત્તર ગુજરાતના પાટીદાર કરતા પણ આકરો હોવાથી લોકો તેમને ઉત્તર ગુજરાતના પાટીદાર હોવાનું માનતા હતા. ડો. પી.કે. પટેલના સમયમાં તેમના સહોયોગી તરીકે ડો. બાબુભાઈ (ઓર્થો) ડો. રમેશ દૂધાત (હાલ અમેરિકા) ડો. ગીતા અગ્રવાલ, ડો. જી.જી. વૈધ, ડો. અકેન દેસાઇ, ડો. મહેન્દ્ર ચૌહાણ, ડો. મેઘા મહેતા, ડો. બી.બી. સુબ્રહણ્યમ, ડો. અરબતી અને નર્સિંગ એસો.ના ઇકબાલ કડીવાળા આ બધાનો સૂર્ય મધ્યાહને હતો.

ડો. મહેન્દ્ર ચૌહાણે સૌ પ્રથમ વખત ડો. પી.કે. પટેલ સામે મોરચો માંડ્યો હતો અને ઇકબાલ કડીવાલાએ પણ એ સમય જ્યારે કોંગ્રેસનો સુંવર્ણકાળ હતો ત્યારે સૌ પ્રથમ સિવિલ હોસ્પિ. કેમ્પસમાં ભાજપનું ટેબલ મુકીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ડો. પી.કે. પટેલ કટ્ટર કોંગ્રેસી અને સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજમાં જબરજસ્ત વર્ચસ્વ છતા ઇકબાલ કડીવાલા ભાજપ તરફી ૧૪૦૦ પૈકી ૧૨ મતો લઇ ગયા હતા. જેના બદલામાં ઈકબાલ કડીવાલાને ઘણું ઘણું સહન કરવું પડયું હતું. આ તરફ ડો. મહેન્દ્ર ચૌહાણ પણ ડોકટર્સના મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. અને સિવિલ હોસ્પિ. કેમ્પસમાં લગભગ રોજીંદા વિવાદ અને ઘર્ષણ શરૂ થઈ ગયા હતા.

ખેર, ડો. પી.કે. પટેલનો સુરત સિવિલ હોસ્પિ.ની ફરજ દરમિયાન કરેલી કામગીરીનો ઇતિહાસ ખૂબ લાંબો છે તેઓ જેટલા આકરા હતા એટલા જ ગરીબ દરદીઓ માટે મૃદુ અને કોમળ હતા. હોસ્પિ.માં આવતા ગરીબોની સારવારની પોતે કાળજી રાખતા હતા. વોર્ડમાં રાઉન્ડ લેવા માટે તેમના કોઇ ચોક્કસ નિયમો નહોતા પરંતુ ગમે તે સમયે વોર્ડમાં પહોંચી જતા હતા અને ગરીબોની સારવારની કાળજી લેતા હતા આ ઉપરાંત અકસ્માત કે અપમૃત્યુના કેસમાં પણ મૃતકોના સંબંધીઓને કોઇ જ મુશ્કેલી પડે નહીં અને મૃતકની લાશનું શકય એટલી ઝડપથી પોસ્ટમોર્ટમ થાય તેના માટે તેઓ સતત આગ્રહી રહેતા હતા. ડો. પી.કે. પટેલે ચાલુ ફરજ દરમિયાન ફોરેન્સિકમાં એમડી પણ કર્યું હતું.

ડો. પી.કે.ની લોકપ્રિયતા માટે એક ઉદાહરણ આપી શકાય કે સફાઈ કામદાર પરિવારોના સંતાનોના લગ્ન પ્રસંગે કંકોત્રીમાં ડો. પી.કે.ના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો અને સફાઇ કામદાર પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ચાંદલો કરવા સાથે ફોટા પણ પડાવતા હતા. હજુ ઘણા પરિવારોના લગ્નના આલબમમાં ડો. પી.કે. પટેલના ફોટા હયાત હશે.

૧૯૯૪માં સુરતમાં કહેવાતો પ્લેગનો વાવર ફેલાયો ત્યારે ડો. પી.કે. પટેલે દિવસ-રાત મહેનત કરી હતી. સિવિલ હોસ્પિ.ને લશ્કરી હોસ્પિ.માં ફેરવી નાંખી હતી. અને સતત દોડતા રહ્યા હતા. દેશ અને દુનિયાના લોકો પ્લેગની સાચી માહિતી મેળવવા આવતા હતા ત્યારે એક માત્ર સિવિલ હોસ્પિ. એવું કેન્દ્ર હતું કે મુલાકાતીઓને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવતો હતો. શહેરના લોકોને અને મુલાકાતીઓને પ્લેગની બિમારીથી ભયમુક્ત કરવામાં ડો. પી.કે. પટેલની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી. એવું કહી શકાય કે ડો. પી.કે. પટેલ વહિવટમાં વજ્ર કરતા કઠોર હતા તો બીજી તરફ માનવીય સેવાઓ માટે મીણ કરતા પણ કોમળ હતા.

સુરતના ખૂબ જાણિતા ડો. અકેન દેસાઇ મુંબઇની અંધારી આલમના ગુનેગારોને રિવોલ્વરની અણીએ સારવાર આપવા મજબૂર બન્યા અને તેમની સામે ‘ટાડા’નો કેસ કરવામાં આવ્યો ત્યારે ડો. પી.કે. પટેલ સામે પણ છાંટા ઉડયા હતા. અલબત્ત ડો. અકેન દેસાઇ ગુનેગારને સારવાર આપવા માટે મજબૂર કરાયા હતા. એક ગુનેગારને ગોળી વાગી હતી અને એ ગોળી ડો. અકેન દેસાઇએ કાઢી આપવી પડી હતી. ડો. અકેન દેસાઇ પણ હવે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ સુરતની તબીબી આલમમાં ડો. અકેન દેસાઇનું નામ કાયમ માટે બહાદુર ડોકટર તરીકે અક્ષરે લખાયેલું રહેશે.

ખેર, દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક ઝંઝાવાત આવતો જ હોય છે લગભગ ૨૦૦૫ના વર્ષમાં ડો. પ્રિતી અરોરા નામની મેડિસીનની વિદ્યાર્થિનીની ડિગ્રીનો વિવાદ થયો હતો અને આ વિવાદના છાંટા ડો. પી.કે. પટેલને પણ ઉડયા હતા.

આ તરફ ગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદીનું શાસન આવી ગયું હતું અને એક દિવસ ડો. પી.કે. પટેલની ભાવનગર જિલ્લાના બોટાદ ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડો. મેઘા મહેતાની સાવરકુંડલા ખાતે બદલી કરવામાં આવી હતી. ડો. પી.કે. પટેલે જે દિવસે સુરત સિવિલ હોસ્પિ.નું કેમ્પસ છોડ્યું એ દિવસે અનેક લોકોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ ડો. પી.કે. પટેલને રોકવા દિવાલ બનીને ઊભા રહી ગયા હતા. કારણ ડો. પી.કે. ગરીબ વર્ગના લોકો માટે ‘મસીહા’ બરાબર હતા.

ડો. પી.કે. પટેલે સુરત સિવિલ હોસ્પિ. છોડયાને વર્ષો નીકળી ગયા પરંતુ આજના તબક્કે પણ સિવિલ હોસ્પિ. કેમ્પસમાં પગ મુકો એટલે કોઇકને કોઇક ખૂંણામાં ડો. પી.કે. પટેલનું નામ અવશ્ય સાંભળવા મળે જ. ડો. પી.કે. પટેલ ખુદ એક ઇતિહાસ હતા. આજે રવિવાર તા. ૧૧મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ડો. પી.કે. પટેલે અંતિમ શ્વાસ લીધા ત્યારે ડો. પી.કે. પટેલના અવસાનની વાત સાંભળનાર પ્રત્યેક વ્યક્તિના દિલની ધડકન થંભી ગઈ હશે. અને એક નિસાસો નીકળી ગયો હશે તેમના એક સમયના વિરોધીઓનો આત્મા પણ કકળી ઉઠયો હશે. ડો. પી.કે. પટેલ અસંખ્ય લોકોના હમદર્દ હતા. અસંખ્ય લોકોનો વિશ્વાસ હતા. અનેક લોકોનો ભરોસો હતા.

આવા વીરલ વ્યક્તિત્વના આત્મને ઈશ્વર શાંતિ અર્પે એનાથી વિશેષ કંઈ પ્રાર્થના હોઇ શકે. સુરત સિવિલ હોસ્પિ.માં ગુંજતું એક નામ શાંત થઈ ગયું પરંતુ ઇતિહાસમાં હંમેશ હંમેશ માટે લખાયેલું રહેશે.

આ પણ વાંચો :-

આ છે દુનિયાનો સૌથી મજબૂત અને સુરક્ષિત બેડ, ભૂકંપમાં પણ વાળ નહીં થાય વાંકો !

This is the strongest and safest bed

  • જ્યારે ધરતીકંપ જોરદાર હોય ત્યારે ઈમારત ધરાશાયી થવા લાગે છે, તેનો કાટમાળ પલંગ પર સૂતેલા માણસ પર પડવા લાગે છે, પથારી આપોઆપ ફોલ્ડ થઈને બોક્સનું રૂપ ધારણ કરી લે છે. બોક્સ બનાવતા પહેલા તે સૂતેલા વ્યક્તિને અંદર ધકેલી દે છે.

કુદરતી આફતોમાં (Natural disaster) ભૂકંપ એવો હોય છે કે તેની અગાઉથી કોઈ આગાહી કે ચેતવણી જારી કરી શકાતી નથી. સમયાંતરે આપણે વિશ્વના વિવિધ દેશોમાં આના કારણે થતા નુકસાન જોયા છે. જો ભૂકંપ ખૂબ જ જોરદાર હોય અને તે બિલ્ડિંગની (Building) અંદર હોય તો બચવાની શક્યતા બહુ ઓછી હોય છે.

પરંતુ આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને એન્જિનિયર્સે એક અદ્ભુત ટેક્નોલોજી લઈને આવી છે. આ ટેક્નોલોજીથી ભૂકંપ તમને નુકસાન નહીં પહોંચાડી શકે. આ બધું એક અનોખા પલંગથી શક્ય બનશે, જે જોખમના કિસ્સામાં આપમેળે બંકરમાં ફેરવાઈ જાય છે. આ અદ્ભુત બેડ જોઈને તમે પણ દંગ રહી જશો.

આ રીતે કરે છે કામ, બોક્સમાં ઘણી સુવિધાઓ :

અમે જે ટેક્નોલોજી વિશે વાત કરી રહ્યા છીએ તે એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહી છે. તે જણાવે છે કે ભૂકંપ આવે ત્યારે આ પલંગ કેવી રીતે આપોઆપ બંકરમાં ફેરવાઈ જાય છે અને તે એટલો મજબૂત છે કે તેના પર સૂતા વ્યક્તિને કંઈ થતું નથી. આટલું જ નહીં, જ્યારે પથારી બંકર બની જશે. તો વ્યક્તિની અંદર ઓક્સિજન અને અન્ય જરૂરી વસ્તુઓ મળશે જે જીવવા માટે જરૂરી છે. આ રીતે તમે તેમાં લાંબો સમય જીવી શકો છો.

આ રીતે બેડ કામ કરશે :

વાયરલ વીડિયોમાં તમે જોશો કે એક બેડ છે જેના પર એક માણસ સૂઈ રહ્યો છે. એનિમેશનમાં બતાવવામાં આવ્યું છે કે અચાનક ભૂકંપ આવે છે અને પલંગ પર સૂઈ રહેલા વ્યક્તિને કંઈ ખબર જ નથી પડતી. જ્યારે ધરતીકંપ જોરદાર હોય ત્યારે ઈમારત ધરાશાયી થવા લાગે છે.

તેનો કાટમાળ પલંગ પર સૂતેલા માણસ પર પડવા લાગે છે. પથારી આપોઆપ ફોલ્ડ થઈને બોક્સનું રૂપ ધારણ કરી લે છે. બોક્સ બનાવતા પહેલા તે સૂતેલા વ્યક્તિને અંદર ધકેલી દે છે. આ બોક્સમાં પાણી, ખોરાક અને મેડિકલ કીટ વગેરેની વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી છે.

લોકો કરી રહ્યાં છે પ્રશંસા :

તો આ વીડિયોને સોશિયલ મીડિયા પર Enezator નામના યૂઝરે અપલોડ કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો વ્યૂ અને લાઇક્સ મળી ચુકી છે. વીડિયો પર મોટી પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

ભારેખમ વીજબિલથી છો પરેશાન ? તો આજથી જ છત પર લગાવો આ ડિવાઈસ અને થઈ જાઓ ટેન્શન ફ્રી!

Are you troubled by high electricity bills

  • જો તમે વધારે પડતા વીજળી બિલથી પરેશાન છો અને તેને કેવી રીતે ઘટાડવું તે સમજાતું નથી, તો ચિંતા ન કરો. આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું બિલ કંટ્રોલ કરી શકો છો.

સામાન્ય માણસ માટે વધુ પડતુ વીજળીનું બિલ (Electricity bill) પરેશાનીનું કારણ બની શકે છે. જો તમે પણે વધારે પડતા વીજળી બિલથી ચિંતિત છો અને તેને કેવી રીતે ઘટાડવું તે સમજાતું નથી તો ચિંતા કરશો નહીં. ટેક્નોલોજીની (technology) દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે ફેરફારો થયા છે અને આવા ઉપકરણો એવા બની ગયા છે કે તેઓ ખૂબ ઓછી વીજળી વાપરે છે.

આ રીતે કંટ્રોલ કરો બીલ  :

આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું બિલ કંટ્રોલ કરી શકો છો. દરેક ઘરમાં લાઇટની જરૂર છે. પહેલા લોકો બલ્બનો ઉપયોગ કરતા હતા પછી સીએફએલનો યુગ આવ્યો અને હવે એલઈડીનો ટ્રેન્ડ છે. જો તમે ઘરે ઓછી વીજળીનો ઉપયોગ કરીને તમારું બિલ બચાવવા માંગો છો, તો તમે Solar LED ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો.

શું છે મોશન સેન્સર LED :

અમે જે ડિવાઈઝ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે LED Motion Sensor Sensor Light for Home Garden Outdoor Solar Light Set. આ ડિવાઈઝની વિશેષતા એ છે કે તે વીજળીથી નહીં પરંતુ સોલાર પેનલ પર ચાલે છે. બીજી ખાસ વાત એ છે કે તે લાઇટ સેન્સરથી સજ્જ છે અને મૂવમેન્ટ પ્રમાણે કામ કરે છે. જ્યારે કોઈ હિલચાલ હોય ત્યારે આ લાઈટ ચાલુ થાય છે અને 30 સેકન્ડમાં બંધ થઈ જાય છે.

કઈ રીતે કરે છે કામ? 

આ લાઈટમાં બેટરી લગાવવામાં આવી છે અને આ બેટરી આ યુનિટમાં ફીટ કરવામાં આવેલી સોલાર પેનલ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. આ લાઈટ સોલાર પેનલની મદદથી કામ કરે છે. તેને વીજળી સાથે કોઈ લેવાદેવા નથી. તમે આ લાઈટ ઓનલાઈન ખરીદી શકો છો. ઘરમાં આ પ્રકારની લાઇટિંગનો ઉપયોગ કરીને તમે તમારા વીજળીના બિલને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

આ પણ વાંચો :-

13 ડિસેમ્બર 2022 રાશિફળ : મહાદેવની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

13 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
ધર્મ નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચી વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય દામ્પત્ય સુખમાં વધારો. અપિરણીતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્યો મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી વિવાદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા અનુભવાય. આવકક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય, ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભતત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

આ પણ વાંચો :-

મારુતિની સસ્તી SUVએ લોકોને બનાવ્યાં દિવાના, 5 મહિનામાં 1.9 લાખ બુકિંગ, કંપનીએ ઉમેર્યા 3 શાનદાર ફીચર્સ

Maruti’s cheap SUV drives people crazy

  • મારુતિએ તેના બ્રેઝામાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ બ્રેઝાને હવે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી માટે સપોર્ટ મળે છે. તેના હેડ અપ ડિસ્પ્લે અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન પણ ઉમેરવામાં આવ્યું છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) માટે બ્રેઝા (Brezza) એક શાનદાર પ્રોડક્ટ સાબિત થઈ છે. કંપનીને સૌપ્રથમ વર્ષ 2016માં લાવવામાં આવી હતી. ત્યારથી તે ઘણી વખત દેશની સૌથી વધુ વેચાતી એસયુવી બની છે. મારુતિએ તેને 30 જૂન 2022ના રોજ નવા અવતારમાં લોન્ચ કર્યું હતું.

SUVને લોન્ચ કરવામાં આવી ત્યારથી જ તેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીની વાત માનીએ તો 5 મહિનામાં આ કારને 1.9 લાખથી વધુ બુકિંગ મળી ચૂક્યું છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કંપનીએ નવા ફીચર્સ ઉમેર્યા છે :

મારુતિએ તેના બ્રેઝામાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ સુઝુકી બ્રેઝાને હવે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી માટે સપોર્ટ મળે છે. આ સાથે તેના હેડ અપ ડિસ્પ્લે યુનિટ અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે (MID)માં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા પણ ઉમેરવામાં આવી છે. આ ફીચર્સ ઓવર-ધ-એર (OTA) અપડેટના રૂપમાં બહાર પાડવામાં આવ્યા છે. ગ્રાહકો તેને કંપનીની વેબસાઈટ દ્વારા ડાઉનલોડ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કંપનીની આ SUV ડ્યુઅલ ટોન ઈન્ટિરિયરમાં આવે છે. તે ઈલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ ડોક અને SmartPlayPro+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. તે 360 વ્યૂ કેમેરા સિસ્ટમ અને 40+ કનેક્ટેડ ફીચર્સ પણ મેળવે છે.

એન્જિન અને પાવરની વાત કરીએ તો :

મારુતિની આ SUVમાં કંપની 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપે છે. આ એન્જિન 103 bhp અને 137Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે Kia Sonet, Renault Kiger, Mahindra XUV300, Toyota Urban Cruiser, Tata Nexon અને Hyundai Venue જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

આ પણ વાંચો :-

 

વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા આ ઉમેદવારના ઘરે આજે પણ ચૂલા પર જમવાનું બને છે

0

At the house of this candidate who won

  • નર્મદા જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ઇતિહાસ રચી નાખ્યો. ગરીબ ઘરના ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને વિધાનસભાની ચૂંટણીમાં તેમને એવી લોકચાહના મેળવી કે ઇતિહાસ રચી નાખ્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) અને પરિણામ બંને જાહેર થઈ ગયા ભાજપ 156 સીટો જીતી રાજ્યમાં ઇતિહાસ રચ્યો. જયારે આમ આદમી પાર્ટીએ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું. પરંતુ સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા (Narmada) જિલ્લાની ડેડીયાપાડા (Dadiyapada) બેઠક પર જોવા મળી. અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા (Chaitar Vasava) એક લાખ મતો મેળવી ભાજપ-કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજાર લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો.

કેજરીવાલને બીટીપીના ગઢમાં મળી ગયા મજબૂત નેતા :

અરવિંદ કેજરીવાલ બીટીપીને શોધતા ઝઘડીયા આવ્યા ગઠબંધન કર્યું અને બાદમાં તૂટ્યું. પણ આ ગઠબંધમાં કેજરીવાલને આદિવાસી વિસ્તારનો એક મજબૂત નેતા મળી ગયો કે જેને હરાવવા અને ભાજપના મોદીથી લઇ અમિત શાહ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્રચારક મુક્યા હતા. કોંગ્રેસમાંથી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોત આવ્યા.

પણ ના કોઈ સ્ટાર પ્રચારક કે ના કોઈ રોડ શો માત્ર લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કરી ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ વોટ મેળવવાનો રેકોર્ડ કર્યો. ત્યારે ડેડીયાપાડા સાગબારામાં ઠેર ઠેર તેમનું સ્વાગત થઇ રહ્યું છે. તેમની જીત માટે તેમની પત્ની અને પૂરો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગ્યા હતા અંતે ભાજપ કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ જીત મેળવી રાજ્ય અને દેશના રાજકારણમાં નોંધ કરાવી.

નર્મદા જિલ્લાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઉમેવાદરને 1 લાખ વોટ :

નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજ દિન સુધી કોઈ ને નથી મળ્યા જયારે 39 હજાર ની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી આ જીત કોઈ ચૈતર વસાવાની કે આમ આદમી પાર્ટીની નથી પણ જનતા ની છે. ની ચૈતર વસાવા વાત કરી રહયા છે.

પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરવા ચૈતર વસાવાએ 10 વર્ષ પહેલા પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી શરૂ કરી. પછી નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે બંને બહેનો સગી બહેન જેવી રહે છે.

કાચા મકાનમાં રહે છે ચૈતર વસાવાનો પરિવાર :

એક કાચા મકાનમાં ચૈતર વસાવાનો આખો પરિવાર ભેગો રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, આજે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો છે.આજે એમની બન્ને પત્નીઓએ રાત-દિવસ ચૈતર વસાવા સાથે રહી પ્રચાર પ્રસાર કર્યો અને આજે એમની જીત થતા બન્ને પત્નીઓ આજે પણ એની સાથે જ્યાં જાય ત્યાં જાય છે.

આ પણ વાંચો :-

લાખો રૂપિયા આપીને તમે નકલી iPhone તો લાવ્યાં નથી ને ? આ રીતે ચેક કરી શકો છો 

You didn’t bring a fake iPhone

  • iPhoneનો ફ્રોડ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે અને અસલી પ્રોડક્ટના નામે નકલી પ્રોડક્ટ મોકલી દેવામાં આવે છે. આવુ તમારી સાથે પણ થવાની શંકા છે તો આજે અમે તમને આઈફોનને ચેક કરવાની પ્રક્રિયા જણાવી રહ્યાં છે.

આજે આઈફોનના સૌથી કિમતી મોડલની કિંમત આશરે રૂ. 50,000થી શરૂ થઇને રૂ. 1,50,000 સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો પૈસા ખર્ચ કર્યા બાદ પણ તમને અસલી આઈફોન (Original iPhone) મળશે આ વાતની કોઈ ગેરંટી નથી. કારણ કે આઈફોન સ્કેમ માર્કેટમાં ઝડપથી ફરી રહ્યું છે અને આ જ કારણ છે કે લોકોને હવે આઈફોન ખરીદવામાં ડર લાગી રહ્યો છે. આજે અમે તમને અમુક એવી સરળ ટીપ્સ આપવા જઇ રહ્યાં છે. જેના કારણે તમે ચેક કરી શકો છો કે તમારો આઈફોન (iPhone) મોડલ અસલી છે કે નહીં.

સૌથી પહેલા ડિઝાઈન પર નાખો નજર : 

જેમકે તમે બધા જાણો છો કે આઈફોનની ડિઝાઈન કોઈ અન્ય સ્માર્ટ ફોનની તુલનામાં ઘણુ વધારે યુનિક છે અને તેને તૈયાર કરવામાં ફર્નિશિંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તમે આઈફોનનું કોઈ પણ મોડલ ખરીદ્યુ હોય પરંતુ તેમાં ફર્નિશિંગની સમસ્યા આવી રહી છે તો શંકા થાય તે સ્વાભાવિક છે. કારણ કે એપલ આવી ભૂલ કરતુ નથી તો એવામાં તમારી સાથે ફ્રોડ થવાનો ડર છે.

ડિસ્પ્લેની સ્મૂધનેસ :

જેમ કે અમે તમને જણાવ્યું આઈફોન સ્પીડ મામલામાં ભારતમાં રહેલા અન્ય ઘણા સ્માર્ટ ફોનથી ઘણુ વધારે સારું છે. એવામાં જો ડિસ્પ્લે પર સ્ક્રોલિંગ કરતી વખતે તમને સ્પીડની સમસ્યા થાય છે અથવા ફરીથી ડિસ્પ્લે હેન્ગ થાય છે તો સમજો કે દાળમાં કઈક કાળુ છે.

બેટરી બેકઅપ ચેક કરવું છે જરૂરી :

સામાન્ય રીતે આઈફોનનું કોઈ પણ મોડલ સારી બેટરી ઓફર કરે છે. એવામાં જો બેટરીની લાઈફ 2 થી 3 કલાકમાં પૂરી થાય છે તો આ વાતના અણસાર છે કે તમને નકલી આઈફોન પકડાવી દેવામાં આવ્યો છે અને તમારે તેને બદલાવીને અસલી આઈફોન ખરીદવાનો છે.

 

 

રાજકીય જંગમાં બધા જ દાવ ખેલવામાં માહિર ! વડાપ્રધાન મોદીએ ગુજરાતનો દોર પોતાના હાથ લઇને નવા ઇતિહાસનું સર્જન કર્યું

Skilled in playing all stakes in political war

  • ગુજરાતમાં ભાજપના ધોવાણની રાહ જોઇને ઉભેલા રાજકીય હરીફોના મોઢા સુધી પહોંચેલો કોળિયો મોદી-શાહે ઝૂંટવી લીધો.
  • સજ્જડ નેતૃત્વના અભાવે ગુજરાત ભાજપમાં પેદા થયેલા આંતરિક ગજગ્રાહે મોદીની આંખ ખોલી નાંખી હતી અને બાજી હાથમાં લેવી પડી.
  • અમિત શાહ પણ ખરેખર ‘ચાણકય’ પુરવાર થયા અને મુશ્કેલ ગણાતી બેઠકોની જવાબદારી માથે લઇને વર્ષોથી નહીં મળતી બેઠકો પણ કબજે કરવામાં સફળ પુરવાર થયા.
  • ચૂંટણીના અંતિમ પડાવમાં મોદીએ આંખ કાઢીને જેને જે કહેવાનું હતું તે કહી દીધું હતું, સુરતમાં દોઢ દિવસનો પડાવ પણ સુચક હતો.
  • રાતો રાત સરકાર બદલી નાંખવાથી શરૂ કરીને ચૂંટણી વ્યુહરચના પણ પોતાના હાથમાં લઇને મોદી અને શાહે ગુજરાતમાં પડાવ નાંખ્યો હતો.

ગુજરાત ભાજપે માત્ર ઇ‌‌‌તિહાસનું પુનરાવર્તન કર્યુ નથી પરંતુ આખે આખા ઇ‌‌તિહાસને બદલી નાંખ્યો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષમાં કદાચ પ્રથમ વખત આવા ઐ‌‌તિહા‌સિક પ‌રિણામો આવ્યા હશે. કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અ‌‌‌મિત શાહ સ‌હિતની નેતાગીરીને પણ કલ્પના નહીં હોય કે ગુજરાતના લોકો ઘરભરીને વરસી પડશે. ‌વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપની હાલત કથળી રહી હતી. આંત‌‌‌રિક ટાં‌ટિયા ખેંચ અને પૂર્વગ્રહની લડાઇ ચાલી રહી હતી. એક તરફ કોરોનાની મહામારી હતી બીજી તરફ સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે મેળ નહોતો.

વડાપ્રધાન મોદી કેન્દ્ર સરકારમાં ગુંચવાયેલા હતા. અને તેમના રોકાણનો ગેરલાભ ગુજરાત ભાજપના કેટલાક લોકો ઉઠાવી રહ્યા હતા. એવું કહી શકાય કે ગુજરાત સરકારમાં એક તરફ રેઢા રાજ અને બીજી તરફ સત્તાના વર્ચસ્વની લડાઇ હતી. અને આખરે એક ‌દિવસ વડાપ્રધાને ગુજરાતની આખી સરકાર જ બદલી નાંખી હતી. આ ‌દિવસથી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો દોર પોતાના હાથમાં લીધો હતો અને ‌વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી દીધી હતી. મોદી જાણતા હતા કે આ વખતે ગુજરાત જીતવું કઠણ છે અને એટલે જ તેમણે કેન્દ્ર સરકારનો વહિવટ થોડા દિવસ બાજુમાં મુકીને ગુજરાતને પોતાનાં હાથમાં લીધું હતું.

ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનનાં એક એક નિર્ણય ઉપર વડાપ્રધાન મોદીએ બાજ નજર ગોઠવી દીધી હતી અને એટલે જ ગુજરાતમાં પ્રચંડ જીત મેળવી શકાય હતી. વડાપ્રધાન મોદીએ પક્ષનાં લોકોની વાત ઉપર આધાર રાખવાને બદલે સીધો લોકો સાથેનો સંપર્ક અને સંવાદ વધારી દેવા સાથે ગુજરાતમાં પ્રવાસોની હારમાળા સર્જી હતી. ઘણી વખત તો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ સ્થાનિક નેતાઓ માટે ત્રાસદાયક પુરવાર થતો હતો, પરંતુ વડાપ્રધાન ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવવા મક્કમ હતા. પાછળથી તેમણે ગૃહપ્રધાન અમિત શાહને પણ સાથે જોડ્યા હતા અને ગુજરાતની વાસ્તવિક સ્થિતિનો બારીકાઈથી અભ્યાસ કરીને એક એક બેઠક જીતવાની વ્યૂહરચના તૈયાર કરી હતી.

રાજકીય ‘ચાણક્ય’ માનવામાં આવતા અમિત શાહ ખરેખર ‘ચાણક્ય’ પુરવાર થયા હતા. કેટલીક નબળી અને હારવાની મનાતી બેઠકો ખુદ અમિત શાહે હાથમાં લીધી હતી. ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કાંઠા વિસ્તારની બેઠકો ભાજપ માટે મુશ્કેલી પેદા કરતી આવી છે. આ બેઠકોની અમિત શાહે જવાબદારી સ્વીકારીને આ વિસ્તારમાં વધુ પ્રવાસ કરવા સાથે ચાવીરૂપ ગણાતા લોકો સાથે સમન્વય ઉભો કરીને ગોઠવેલી વ્યૂહરચના ધાર્યા પરિણામો લઈ આવી હતી. વળી કોઈની પણ દાઢીમાં હાથ નાંખ્યા વગર ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકોની બાજી પલટવામાં અમિત શાહ સફળ ખેલાડી પુરવાર થયા હતા.

આ તરફ ખોડલધામનાં નરેશ પટેલનાં ઉપાડાને કારણે પાટીદારો એક તરફ થવાની ચિંતા હતી. પરંતુ પાટીદારોનાં રાજકારણને સારી રીતે જાણતા વડાપ્રધાન મોદીએ ખુબ જ આસાનીથી ઓપરેશન પાર પાડ્યું હતું. આના માટે તેઓએ જામકંડોરણા ખાતે સદ્‍ગત વિઠ્ઠલ રાદડિયાની શિક્ષણ સંસ્થામાં જાહેરસભા પણ કરી હતી. વડાપ્રધાન મોદીની જામકંડોરણાની જાહેરસભા બાદ ઘણાં ઈશારા મળી ગયા હતા.

નરેશ પટેલ સહિત ખોડલધામનાં કેટલાંક લોકો વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાતમાં પણ ઘણું બધુ કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કરી લીધું હતું. હેતુપર્વકની મુલાકાતને પાટીદાર સમાજનાં આગેવાનોએ માત્ર ‘ઔપચારિક’ મુલાકાત ગણાવી હતી. પરંતુ જાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, વડાપ્રધાન સાથેની મુલાકાત પાછળનો મૂળભૂત હેતુ શું હતો. આ મુલાકાત બાદ નરેશ પટેલ સહિતનાં આગેવાનો લગભગ શાંત થઈ ગયા હતા અને બદલામાં ખોડલધામનાં ટ્રસ્ટી રમેશ ટીલાળાને રાજકોટની ટિકિટ મળી હતી.

આ તરફ વડાપ્રધાન મોદીએ ચૂંટણીનાં અંતિમ તબક્કામાં સુરતમાં કરેલી જાહેરસભા પાછળનાં પણ ઘણાં સમીકરણો હતા. સુરતની ૧૨ બેઠકો પૈકી પાંચથી છ બેઠકો ઉપર પાટીદાર મતદારો વર્ચસ્વ ધરાવે છે. ઉપરાંત પાટીદાર આંદોલનનાં યુવા આગેવાનો ‘આમ આદમી પાર્ટી’નાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં હોવાથી સ્વભાવિક રીતે ભાજપને નુકસાન થવાનો ભય હતો. પરંતુ વડાપ્રધાન મોદીની મોટાવરાછા ખાતેની જાહેરસભા અને બીજા દિવસની બપોર સુધી સુરતમાં રોકાણ દરમિયાન વડાપ્રધાન મોદીએ જેને જે કહેવાનું હતું તે કહી દીધું હતું અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

બીજી તરફ ચૂંટણી વ્યૂહનાં ભાગરૂપે સી.આર. પાટીલને ઓપરેશનો પાર પાડવા કામે લગાડ્યા હતા અને ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણ સુધી વડાપ્રધાન અને અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહ્યો હતો.

સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન બેઠકો જીતવાનાં દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ભાજપ તરફથી એકપણ વખત કેટલી બેઠકો જીતશે એવો દાવો કરવામાં આવ્યો નહતો. દરેક વખતે ભાજપની ઐતિહાસિક જીત હશે એવું વારંવાર કહેવામાં આવતુ હતું. વડાપ્રધાન લગભગ દરેક સભામાં એવું કહેતા હતા કે, મારો એટલે કે ‘‘નરેન્દ્ર મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર એટલે ભૂપેન્દ્ર પટેલ તોડી નાંખશે.’’ નરેન્દ્ર મોદીનાં આ શબ્દોને ઘણાં લોકો ગંભીરતાથી લેતા નહોતા. પરંતુ વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકનો રેકોર્ડ તોડવાનું નક્કી કરી નાંખ્યુ હતું. માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ વડાપ્રધાન મોદી માટે એક મહેણું હતું અને આ મહેણું તેમણે આ વખતે ભાંગી નાંખ્યું હતું.

ખરેખર જોવા જઈએ તો આખી ચૂંટણીની જવાબદારી ખુદ વડાપ્રધાન મોદી અને અમિત શાહે પોતાના માથા ઉપર લીધી હતી. ચૂંટણી સભાઓથી શરૂ કરીને પ્રચાર તંત્રની જબરજસ્ત વ્યવસ્થા પણ પોતાની જ નજર હેઠળ કરવામાં આવી હતી. એવું ચોક્કસ કહી શકાય કે, નરેન્દ્ર મોદીની વ્યૂહરચના એક ચમત્કાર બનીને ઈતિહાસ સર્જી ગઈ હતી. તેમણે કાર્પેટ બેમ્બાડીંગ કર્યું હતું અને પ્રત્યેક નિશાન પાર પાડ્યું હતું.

આમ પણ આ વખતની ગુજરાતની ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી માટે અત્યંત વ્યૂહાત્મક હતી. ગુજરાત હાથમાંથી જાય એ કોઈપણ ભોગે પરવડી શકે તેમ નહોતું અને એટલે જ વડાપ્રધાન મોદી ‘મરણિયા’ બન્યા હતા. મોંઘવારી, બેરોજગારી અને એન્ટી ઈન્કમબન્સી ઉપરાંત ભાજપની છાવણીનો આંતરીક સંતોષ આ બધુ હતું અને તેમ છતાં ચૂંટણી જીતવી અનિવાર્ય હતી અને તેના માટે જે કંઈ કરવું પડે તે કરવાની વડાપ્રધાન મોદીની તૈયારી હતી.
છેલ્લી ચૂંટણી સભાઓને જોવામાં આવે તો વડાપ્રધાનનાં ભાષણો બદલાઈ ગયા હતા અને તેમના પ્રત્યેક પ્રવચનોમાં પોતીકાપણું અને લાગણીઓનો ધોધ વહેતો હતો અને મોદીએ ઉભા કરેલા લાગણીનાં પ્રવાહમાં લોકો ભળી ગયા હતા અને ભાજપની તરફેણમાં મતપેટીઓ ભરી દીધી હતી અને અકલ્પનિય જીત અપાવી હતી.

ગુજરાતની ૨૦૨૨નાં વર્ષની ચૂંટણીઓ દાયકાઓ સુધી ઈતિહાસમાં લખાયેલી રહેશે. ૧૫૬ બેઠકો કબજે કરવા ઉપરાંત ઘણી બેઠકોનાં હરીફપક્ષ કોંગ્રેસનાં ઉમેદવારો ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. આનાથી ભૂંડો પરાજ્ય બીજો કયો હોઈ શકે? બની શકે કે, આવનારા વર્ષોમાં ગુજરાતમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ જ ભુંસાઈ જશે અને કદાચ એટલે જ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં પગ મુકવાનું પણ મુનાસીબ માન્યું નહોતું.

આ તરફ નરેન્દ્ર મોદી સાથે બાથભીડીને પોતાની જાતને બાહુબલી પુરવાર કરવા નીકળેલા અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં સત્તા મળી નથી. પરંતુ ગુજરાત વિધાનસભામાં પગ મુકવાની જગ્યા કરીને કેજરીવાલે એક વાત પુરવાર કરી છે કે તે મોદી સાથે બાથ ભીડી શકે એટલી ક્ષમતા ચોક્કસ ધરાવે છે.

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પાંચ બેઠકો મળવા ઉપરાંત માત્ર ૧૩ ટકા મતો પણ મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ પ્રયાણ કર્યું છે. કેજરીવાલને પણ ચોક્કસ અંદાજ હશે કે, ગુજરાતમાં તેમને સત્તા મળવાની નથી, પરંતુ મોદી સાથે બાથ ભીડવાથી રાષ્ટ્રીય પ્રતિષ્‍ઠા ચોક્કસ મળશે. આમ પણ દિલ્હી મહાનગરપાલિકામાં બહુમતિ હાંસલ કરીને કેજરીવાલે રાજકીયક્ષેત્રે તેમનો વિસ્તાર વધાર્યો છે. મતલબ ગુજરાતની ચૂંટણી રાજકીય રીતે કેજરીવાલ માટે ફાયદાનો ધંધો થયો છે. વળી પોતાના પાંચ ધારાસભ્યો હોવાથી ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ચોક્કસ ઉભરી આવશે.

આ પણ વાંચો :-
 

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવા પ્લાન, હવે ડેટા પૂર્ણ થવાની ચિંતા છોડો

Jio has launched a new plan of Rs 222

  • Reliance Jio તરફથી 222 રૂપિયાની કિંમતનો નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 50જીબી એક્સ્ટ્રા ડેટાનો ફાયદો મળશે અને તેની વેલિડિટી વર્તમાન પ્રીપેડ પ્લાન જેટલી હશે.

Fifa World Cup 2022 ને સેલિબ્રિટ કરતા ભારતીય ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ (Reliance Jio) એક નવો ઈન્ટરનેટ ડેટા પ્લાન યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ પેકની કિંમત 222 રૂપિયા રાખવામાં આવી છે અને તે યૂઝર્સને વધારાનો ડેટા આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનનું નામ ‘ફુટબોલ વર્લ્ડ કપ ડેટા પેક‘ રાખવામાં આવ્યું છે.

ભલે કંપનીએ પ્લાનનું નામ ‘ફુટબોલ વર્લ્ડ કપ ડેટા પેક’ રાખ્યું હોય પરંતુ તેનો ફાયદો ગ્રાહકોને ફિફા વિશ્વકપ પૂર્ણ થયા બાદ પણ મળશે. આ પ્લાનનો ફાયદો પ્રીપેડ યૂઝર્સને મળશે અને તેની વેલિડિટી તેના વર્તમાન પ્લાન જેટલી હશે. એટલે કે નવા પ્લાનની સાથે કોલિંગ કે વેલિડિટીનો વધારાનો ફાયદો મળશે નહીં.

નવા પ્લાનમાં મળશે 50જીબી હાઈ સ્પીડ ડેટા :

પોતાના પ્રીપેડ નંબર પર 222 રૂપિયાના નવા પ્લાનથી રિચાર્જ કરાવનાર ગ્રાહકોને 50જીબી હાઈ-સ્પીડ ડેટાનો ફાયદો મળશે. તે વધારાનો ડેટા યૂઝર્સને MyJio એપમાં જોવા મળશે અને તેની વેલિડિટી વર્તમાન પ્રીપેડ પ્લાન જેટલી હશે. એટલે કે વર્તમાન પ્રીપેડ પ્લાન 30 દિવસ બાદ પૂરો થવાનો છે તો આ ડેટા પ્લાન પણ 30 દિવસ બાદ સમાપ્ત થઈ જશે.

જો તમારા ડેટી પ્લાનમાં મળનાર ડેટા પૂરો થઈ જાય છે તો અત્યારે બીજા દિવસની રાહ જોવી પડે છે, જેનાથી ડેટા રિન્યૂ થઈ શકે. આ પ્લાનથી રિચાર્જ કરાવવાની સ્થિતિમાં ડેલી ડેટા પૂર્ણ થવાનો ડર રહેશે નહીં અને આ પ્લાનમાં મળનાર એક્સ્ટ્રા ડેટા લાગૂ થઈ જશે.

બીજી કંપનીઓના મુકાબલે સસ્તો એક્સ્ટ્રા ડેટા :

જો નવા પ્લાનની વાત કરીએ તો 1જીબી એક્સ્ટ્રા ડેટા માટે યૂઝર્સે આશરે 4.44 રૂપિયા ખર્ચ કરવા પડશે. બાકી કંપનીઓના મુકાબલે આ પ્લાન સસ્તો ડેટા આપી રહી છે કારણ કે એરટેલ યૂઝર્સે 50જીબી ડેટા માટે 301 રૂપિયા ખર્ચ કરવા પડે છે અને 1જીબી ડેટા મેળવવા માટે ખર્ચ 6 હજાર રૂપિયાથી વધુ થાય છે.

આ પણ વાંચો :-