Home Blog Page 1226

હવે FasTag ની જરૂર નથી, હવે આ રીત લેવામાં આવશે Toll Tax ! સ્કેન થઈને ખાતામાંથી કપાઈ જશે પૈસા

0

Now FasTag is not needed

  • કેન્દ્ર સરકાર હવે હાઈવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યાએ કેમેરા આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કપાઈ જશે.

દેશમાં જલદી જ ટોલ ટેક્સ (Toll tax) લેવાની રીત બદલાવવા જઈ રહી છે. હાલ ટોલ કલેક્શન માટે દેશભરમાં FASTag નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્ર સરકાર (Central Govt) હવે હાઇવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યા કેમેરાઅ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ (Toll Collection System) લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કાપી લેવામાં આવશે. આ કેમેરાને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરાના નામેથી ઓખવામાં આવશે.

કેમ બદલાઇ રહી છે ટોલ ટેક્સ સિસ્ટમ :

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) નો દાવો છે કે આ કેમેરાને લગાવવાથી ટોલ પ્લાઝા પર વાહનોનો વેટિંગ પીરિયડ ઓછો થઇ જશે. હાલ દેશમાં લગભગ 97 ટકા ટોલ કલક્શન FASTag દ્વારા થઇ રહ્યું છે. તેમછતાં પણ ટોલ પ્લાઝા પર જામ લાગી જાય છે. તો આવો જાણીએ જલદી જ લાગૂ થનારા ટોલ કલેક્શન સિસ્ટમ વિશે :

કેવી રીતે કામ કરશે ANPR?

રોડ મંત્રાલયનું કહેવું છે કે દેશભરના તમામ હાઇવે પરથી ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. ટોલ પ્લાઝાની જગ્યાએ ANPR લગાવવામાં આવશે. જે વાહનની નંબર પ્લેટને વાંચશે અને બેંક એકાઉન્ટમાંથી ટોલ ટેક્સ કાપી લેશે. હાઇવેના એન્ટ્રી અને એક્ઝિટ પર કેમેરાને સ્થાપિત કરવામાં આવશે. સિસ્ટમ નંબર પ્લેટનો ફોટો લઇને એડ્રેસ અને અંતર વિશે જાણી લેશે અને તે મુજબ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

ચલાવવામાં આવી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ :

કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે સરકાર તેને ટેસ્ટિંગ માટે એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સિસ્ટમનો એ પણ ફાયદો થશે કે વાહનોના અંતરના આધારે ટોલ લેવામાં આવશે. ગડકરીનું માનીએ તો આ નવી ટેક્નોલોજીથી બે ફાયદા મળી શકે છે-ટોલ બૂથ પર ટ્રાફીકની બેરોકટોક અવરજવર અને ઉપયોગ અનુસાર ચૂકવણી.

આ પણ વાંચો :-

FIFA World Cup 2022 માં આ ફૂટબોલ સ્ટારની પત્નીએ પાથર્યો જાદૂ, શરીર પર ટેટૂ જોઈ ફેન્સ થાય ફીદા

In FIFA World Cup 2022

  • ફીફા વર્લ્ડ કપમાં ખેલાડીઓની સાથે-સાથે તેમની પાર્ટનર્સ પણ ખૂબ ચર્ચામાં રહી. આ યાદીમાં ફ્રાંસની ટીમના ખેલાડી થિયો હર્નાડેઝની વાઈફ જો ક્રિસ્ટોફોલી પણ સામેલ છે. ક્રિસ્ટોફોલી પોતાના ટેટૂને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે શરીરના મોટાભાગ પર ટેટૂ બનાવ્યા છે.

થિયો હર્નાડેઝની (Theo Hernandez) વાઈફ ક્રિસ્ટોફોલી ઈન્સ્ટાગ્રામમોડલ અને બ્લોગર છે. તમને જણાવી દઈએ કે ક્રિસ્ટોફોલીને ટેટૂ મોડલ પણ કહેવામાં આવે છે.

ફ્રાંસની ટીમ ફીફા વર્લ્ડ કપ 2022 સુપર-16 માં જગ્યા બનાવનાર પ્રથમ ટીમ હતી. આ દરમિયાન ક્રિસ્ટોફોલી ફ્રાંસની તમામ મેચમાં મેદાન પર જોવા મળી હતી.

26 વર્ષની જો ક્રિસ્ટોફોલીના આર્ઝેટીની ખેલાડી સર્જિયો અગુએરો (Sergio Aguero)સાથે પણ અફેરની ચર્ચા રહી ચૂકી છે. વર્ષ 2018 દરમિયાન આ બંનેને એક ક્લબની બહાર સાથે જોવા મળી હતી.

ક્રિસ્ટોફોલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર 1.1 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝ ફેન્સની વચ્ચે ખૂબ છવાઈ જાય છે.

આ પણ વાંચો :-

મોજા પહેરી સુવાથી થાય છે ઘણા ફાયદા, પરંતુ આ એક ભૂલ પડી શકે છે ભારે

There are many benefits to sleeping with

  • શિયાળામાં ઘણા લોકો મોજા પહેરીને સુવે છે. મોજાના ઘણા ફાયદા છે, પરંતુ મોજાને પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

શિયાળાના (winter) દિવસોમાં ઠંડીના કહેરથી બચવા માટે મોટાભાગે લોકો મોજા પહેરીને સુવે છે. મોજા પગના તળિયાને ગરમ રાખે છે. આ ઉપરાંત મોજા પહેરીને (wearing gloves) સુવાના ઘણા ફાયદા થાય છે. પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. મોજા પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્ય પર ભારે સાબિત થઇ શકે છે. આવો જાણીએ મોજા પહેરીને સુવાના શું છે ફાયદા અને નુકસાન.

ઠંડી રહેશે દૂર :

મોજા પહેરીને સુવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. મોજા પહેરવાથી બ્લડ સર્કુલેશન વધી જાય છે. આ શરીરને ગરમ કરે છે. શિયાળાની ઠંડીના લીધે જલદી ઉંધ આવવી મુશ્કેલ હોય છે, પરંતુ મોજા પહેરીને સુવાથી શરીર ગરમ થાય છે અને જલદી ઉંઘ આવે છે.

સ્ટીફનેસમાંથી મુક્તિ :

ઠંડીના લીધે હાથ-પગ અકડાઇ જાય છે. તેના લીધે શરીર સુન્ન થઇ જવાની ફરિયાદ જોવા મળે છે. મોજા પહેરીને સુવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ રેનોડ સિંડ્રોમને ઓછું કરવામાં મદદ કરે છે.

ફાટેલી એડીઓ ઠીક કરે :

મોજા પહેરીને સુવાથી પગ ધૂળ અને હવાથી દૂર રહે છે. આ પ્રકારે સુવાથી પગને ફાટાતાં બચાવી શકાય છે. જો તમારી એડીઓ ફાટેલી રહે છે તો પગમાં ક્રીમ અથવા મોઇસ્ચરાઇઝર લગાવી ને મોજા પહેરો. પગ ફાટવાનું બંધ થઇ જશે અને એડીઓ મુલાયમ રહેશે.

ન કરો આ ભૂલ :

મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા છે. પરંતુ એક ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મોજા જો તમને ટાઇટ રહે છે તો તેનાથી બ્લડ ફ્લોમાં ઘટાડો આવી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત મોજા પહેરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે મોજા સ્વચ્છ હોય. ગંદા મોજા પગને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો :-

13 ડિસેમ્બર 2022 રાશિફળ : આજે ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોનો મંગળવાર રહેશે શુભ

13 December 2022 Horoscope Gujarat Guardian

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમાં તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો  સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

‌મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ
રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાવ એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતે અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃ‌શ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

લોન પર ગાડી લેવા માંગતા હોવ તો તમને આ ફોર્મ્યુલાથી થશે મોટો ફાયદો !

If you want to take a car on loan

  • કાર ખરીદવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. દરેક લોકો એકવારમાં કારની ખરીદી ન કરી શકે તે માટે લોન લેતા હોય છે. લોનથી કાર ખરીદનારાઓ માટે 20-10-4 ફોર્મ્યુલા વરદાન છે. આવો જાણીએ આ વિશે વધુ માહિતી. આ ફોર્મ્યુલા અનુસાર જો તમે કાર ખરીદો છો તો લોનનો વધુ બોજ નહીં પડે. તમે કાર લોન સરળતાથી ક્લિયર કરી શકશો. જો તમે ડાઉન પેમેન્ટમાં 20% વધારો કરો છો.

ઘણા લોકો માટે કાર ખરીદવી સરળ નથી હોતી. કાર ખરીદવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. દરેક લોકો એકવારમાં કારની ખરીદી ન કરી શકે તે માટે લોન લેતા હોય છે. હવે જે લોન (Loan) લીધી છે. તે પણ ચૂકવવી જરૂરી છે. આ માટે લોનની EMI કરવામાં આવે છે એટલે કે દર મહિને હપ્તાના સ્વરૂપમાં લોન ચૂકવવામાં આવે છે.

હવે જો કોઈ વ્યક્તિ કાર લોન લેતી વખતે સાવચેતી ન રાખે તો તે લીધેલી લોનની ચુકવણી કરતી વખતે તે પરેશાન થઈ શકે છે. તેથી આજે અમે તમને 20-10-4 ફોર્મ્યુલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો કાર લોન લે છે તેમના માટે આ ફોર્મ્યુલા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને કાર લોન લેનારાઓ સરળતાથી માસિક EMI ચૂકવી શકે છે.

શું છે 20-10-4 ફોર્મ્યુલા?

20-10-4 ફોર્મ્યુલા એટલે કે કોઈપણ વાહન ખરીદવા માટે, તેની ઓન-રોડ કિંમતના 20% ડાઉન પેમેન્ટ કરો અને બાકીની રકમ માટે લોન લો. લોન લેતી વખતે, ધ્યાનમાં રાખો કે તેની EMI તમારી માસિક આવકના 10%થી વધુ ન હોવી જોઈએ અને લોનની મુદત મહત્તમ ચાર વર્ષ હોવી જોઈએ. એટલે કે, 20-10-4 ફોર્મ્યુલામાં, 20નો અર્થ છે – 20% ડાઉન પેમેન્ટ (ઓન-રોડ કિંમતના), 10નો અર્થ – માસિક આવકના 10% EMI અને 4નો અર્થ – ચાર વર્ષની લોનની મુદત.

આ ફોર્મ્યુલા અનુસાર જો તમે કાર ખરીદો છો તો લોનનો વધુ બોજ નહીં પડે. તમે કાર લોન સરળતાથી ક્લિયર કરી શકશો. જો તમે ડાઉન પેમેન્ટમાં 20% વધારો કરો છો. તો તમે લોન ચૂકવવામાં વધુ આરામદાયક બનશો. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ડાઉન પેમેન્ટ (ઓન-રોડ કિંમતના) 20%થી વધુ કરવાનો પ્રયાસ કરો, જેથી લોનની રકમ ઘટાડી શકાય અને EMI પણ ઓછી રાખી શકાય.

આ પણ વાંચો :-

રામકથામાં મોરારીબાપુનો રાજવી પ્રેમ, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરી 

0

The royal love of Moraribapu in Ramakatha

  • મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી.

ભાવનગરના (Bhavnagar) આંગણે મોરારીબાપુની (Moraribapu) રામકથા આયોજિત કરાઈ હતી. ત્યારે રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુએ આ રામકથાને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને (Maharaja Krishnakumarsinghji) સમર્પિત કરી છે. ત્યારે મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી.

ભાવનગરના ઉદ્યોગપતિ બુધાભાઇ વાનાણી પરિવાર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ સોંપી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા ઘણા સમયથી માંગ ઉઠી છે.

ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળવું જોઈએ તેવી વાત અનેકવાર મોરારીબાપુ કહી ચૂક્યા છે. ત્યારે રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે, ભારતરત્ન કોઈ કઈ આપે કે ન આપે એમાં નથી પડવું. પણ તલગાજરડાનો બાવો ભાવનગરમાં યોજાયેલ આખેઆખી રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરું છું.

મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી. આ પ્રસંગે નવા ચૂંટાયેલા ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

પઠાણની રિલીઝ પહેલાં મક્કામાં અને હવે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો શાહરૂખ

Before the release of Pathan, Shahrukh

  • પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. શાહરૂખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન મુવીઝ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનનો વાઈરલ વીડિયો જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.

બોલિવૂડના કિંગ ખાન (King Khan of Bollywood) લાંબા વિરામ બાદ પોતાની ફિલ્મી કારકિર્દી ફરી શરૂ કરવા જઈ રહ્યાં છે. બ્રેક બાદ શાહરૂખ ખાનની (Shah Rukh Khan) પહેલી ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણની (Pathan) રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટારે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધાં હતાં.

શાહરૂખ ખાને મા વૈષ્ણો દેવીના દર્શન કર્યા :

શાહરૂખ ખાન રવિવારે મોડી રાત્રે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન મોડી રાત્રે લગભગ 12 વાગ્યે માતાની કોર્ટમાં હાજર થયો હતો. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ રવિવારે જમ્મુના કટરા પહોંચ્યા, ત્યાં હોટલમાં થોડો સમય આરામ કર્યા બાદ તેઓ વૈષ્ણોદેવી ભવન જવા રવાના થયા. શાહરૂખ ખાનનો તેની માતાના દરબારમાં પહોંચવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન મુવીઝ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનનો વાઈરલ વીડિયો જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને મક્કા ઉમરાહ થોડા દિવસ પહેલા મક્કામાં ઉમરાહ કરી હતી. એવું માનવામાં આવે છે કે ફિલ્મોમાંથી લાંબા બ્રેક બાદ પરત ફરેલો શાહરૂખ ખાન ફરી એકવાર નવી શરૂઆત કરવા માંગે છે.

આવી સ્થિતિમાં તે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને વધુ ફિલ્મોની ઈચ્છા ધરાવે છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની એક્શનથી ભરપૂર ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મના ગોસિપ કોરિડોરમાં ખૂબ જ ધૂમ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

ટીમ ઈન્ડિયામાં ચાન્સ ન મળતા સેમસનને આ દેશમાંથી રમવાની ઓફર મળી, સંજૂનો જવાબ દિલ જીતી લેશે

0

Not getting a chance in Team India

  • ટીમ ઈન્ડિયાના સ્ટાર અને ટેલેન્ટેડ બેટ્સમેન તથા વિકેટકીપર સંજૂ સેમસનને સતત તક આપવામાં આવી રહી છે. ભારતીય ટીમમાં તક મળે ત્યારે સારું પ્રદર્શન કરવા છતાં ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે.

તેને ટી-20 વર્લ્ડકપની (T-20 World Cup) સ્ક્વોડમાં સ્થાન ન મળ્યું. તાજેતરની બાંગ્લાદેશ સામેની સીરીઝમાં પણ તેને તક આપવામાં આવી નથી. આ બધા વચ્ચે અન્ય એક દેશ દ્વારા સંજૂ સેમસનને (Sanju Samson) તેમના માટે રમવાની ઓફર આપવામાં આવી છે.

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડની સેમસનને ઓફર :

ક્રિકઈન્ફોર્મરના એક રિપોર્ટ મુજબ, સંજૂ સેમસનને આયરલેન્ડ ક્રિકેટ દ્વારા તેમના દેશ માટે રમવાની ઓફર આપવામાં આવી છે.સાથે જ આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટે સંજૂને ટીમની તમામ મેચોમાં રમવાની તક અપાશે તેવી પણ ગેરંટી આપી છે.

દરેક મેચમાં રમાડવાની ઓફર મળી :

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટના કહેવા મુજબ, જો તે અમારી નેશનલ ટીમમાં હશે તો અમે તેને અમારી દરેક મેચમાં રમવાની તક આપીશું. અમે તેને અમારી નેશનલ ટીમ માટે મેચ રમવાની ઓફર આપી રહ્યા છીએ. અમારી ટીમને તેમના જેવા કેપ્ટન અને બેટ્સમેનની જરૂર છે. જો ભારતીય ટીમ તેને નજરઅંદાજ કરી રહી હોય તો તે અમારી સાથે જોડાઈ શકે છે. અમે તેનો આદર કરીએ છીએ અને દરેક મેચમાં તેને રમાડીશું.

જવાબમાં સંજૂએ શું કહ્યું ?

જોકે જવાબમાં સંજૂ સેમસને આયરલેન્ડની ક્રિકેટ ટીમના પ્રેસિડેન્ટનો આભાર માન્યો અને કહ્યું કે, હું સમજી શકું છું કે ઘણીવાર આપણે રાહ જોવી પડતી હોય છે. હાલમાં હું અહીં જ છું અને મારા સિલેક્ટર્સના ફોન કોલની રાહ જોઈ રહ્યો છું. પરંતુ મારું સપનું હજુ પણ ભારતીય ટીમ માટે રમવાનું છે અને હું ક્યારેય અન્ય કોઈ દેશ માટે નહીં રમું.

આ પણ વાંચો :-

યુવતીના ફેક એકાઉન્ટ બનાવી યુવતીઓને જ બનાવતો શિકાર, બદનામ વિકૃતની મોડસ ઓપરેન્ડી લાલબત્તી સમાન

The modus operandi of the infamous pervert

  • ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો. ફ્રેન્ડશીપ માટે મેસેજ મોકલ્યા બાદ અશ્લીલ ફોટો મુકતો, બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ.

ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર યુવતી બની એકાઉન્ટ ખોલ્યા બાદ યુવતીઓને ફ્રેન્ડશીપ (Friendship to Girls) માટે મેસેજ મોકલ્યા બાદ તેમને પોતાના કહી અન્ય યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો મોકલી તેમની પાસે તેમના અતરંગ ફોટો માગી બ્લેકમેઈલ (Blackmail) કે હેરાનગતિ કરતાં વિકૃતની ચોથી વખત ધરપકડ કરાઇ.

ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો :

સુરતમાં ગુરૂવારે પીપલોદ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને થોડાંક દિવસ પહેલાં જ સોનુ વસાવાના નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. આ રિકવેસ્ટ એકસેપ્ટ કરી તે સાથે જ તે યુવતીના એકાઉન્ટમાં સ્ટોરીમાં પોતાનો ફોટો જોવા મળતાં ચોંકી હતી. આ એકાઉન્ટ ઉપરથી આ યુવતીને અશ્લીલ ફોટો મોકલી હેરાનગતિ કરવામાં આવતાં છેવટે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હતા.

બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ :

પોલીસે આ ગુનામાં બોટાદના ખાભંડા ગામના 20 વર્ષીય જગદીશ પ્રકાશ મકવાણાની ધરપકડ કરી હતી. વ્યવસાયે રત્નકલાકાર જગદીશની 2019માં તેના સાયબર ક્રાઈમે જ પ્રથમ વખત ધરપકડ કરી હતી. જગદીશ ઈન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલાવી મહિલાઓની હેરાનગતિ માટે જાણીતો છે. 2019માં સાયબર ક્રાઇમ તેમજ બોટાદ જિલ્લાના બળવાળા અને થોડાંક સમય પહેલાં વ્યારા પોલીસે પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

સ્ત્રીનો પહેરવેશ પહેરીને ઢોંગી ભુવાએ અનેક મહિલા સાથે કર્યું ‘ગંદું’ કામ

Dressing as a woman, Bhuwa did

  • રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી તાલુકાના વઘીયા મહુડી ગામે ઢોંગી ભુવો જયેશભાઈ નર્સિંગભાઈ ભીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો વેશ ધારણ કરીને ફરે છે.

નસવાડી તાલુકાના વાઘીયા મોહુડી ગામે વિજ્ઞાન જાથા સંસ્થા Vigyan Jatha Institute() દ્વારા ઢોંગી ધતિંગ કરતા ઢોંધી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ તો નસવાડી પોલીસે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ ધટનાની મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકો એ આદિવાસી પટ્ટો છે અને અહીંના લોકો અંધશ્રદ્ધામાં વધુ માનતા હોવાથી જેને લઈને રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી તાલુકાના વઘીયા મહુડી ગામે ઢોંગી ભુવો જયેશભાઈ નર્સિંગભાઈ ભીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો વેશ ધારણ કરીને ફરે છે.

એટલું જ નહીં, તે પોતે માતાજી હોય તેવો ઢોંગ કરી લોકોના દુઃખ, દર્દ, રોગ, બાધા, જુવાર, નિ:સંતાન પ્રાપ્તિ, પતિ પત્નીના ઝઘડા પીડિત લોકોની હકીકત જાણી દુઃખ દર્દ મટાડવાનું કામ કરી જુવારી વાળાના નામે 3 હજાર થી 15 હજારની ફી વસુલે છે. ઢોંગ કરતા આ બાવાને ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી પોલીસને સાથે રાખી ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો હતો.

No description available.

ઢોંગી ભવો ઉર્ફે જયું માતાજી દ્વારા મહિલાઓ સાથે બિભસ્ત વર્તન કરતો હતો અને શારીરિક અડપલા પણ કરતો હોવાથી જેને લઈને ભારત જન વિજ્ઞાન જાથાને જાણ કરતા ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવા માટે એક મહિનાથી ભુવાની સામે વોચ ગોઠવી હતી. તમામ હકીકતો જાણી ભુવા દ્વારા ઢોંગ કરતો હોવાની જાણ થતાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ભવો ઉર્ફે જયું માતાજીનો પર્દાફાશ કર્યો હતો.

હાલ તો આ વઘીયા મહુડીયાના ભુવા દ્વારા ઢોંગ કરતો હોય તેવું કબુલ કરવામાં આવ્યું છે અને નસવાડી પોલીસ દ્વારા જયેશભાઇ ઉર્ફે જયું ભીલ સામે અટકાયતી પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :-