Home Blog Page 1212

ચાલુ મેચમાં કેમેરા સાથે અથડાયો બોલર પછી જે થયું તે જોઈ દર્શકોના વધી ગયા ધબકારા

0

After the bowler collided with the camera

  • ખેલાડીઓ પર ફરતો ઉડતો કેમેરો મેચ દરમિયાન એટલો નીચે ઉતરી ગયો કે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરને જોરદાર અથડાયું.

બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના (Boxing-Day Test Match) બીજા દિવસે મંગળવારે જોરદાર મુશ્કેલી ઉભી થવા પામી હતી. એક રીતે ડેવિડ વોર્નર ઈનિંગ રમી રહ્યો હતો તો બીજી તરફ સાઉથ આફ્રિકાના (South Africa) બેટ્સમેનો યજમાન ટીમની સાથે-સાથે મશીનને પણ માત આપી રહ્યા હતા. વાસ્તવમાં બ્રોડકાસ્ટર્સ ક્ષેત્રની દરેક નાની વસ્તુને આવરી લેવા માટે મેદાન પર સ્પાઈડર કેમેરાનો ઉપયોગ કરે છે. આ કેમેરા કેબલની મદદથી એક ખૂણેથી બીજા ખૂણે ચાલે છે અને ત્યારે જ અકસ્માત થયો હતો.

ઈજા પહોંચી ન હતી :

ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન નોર્ટેજે બેકવર્ડ સ્કવેર પર ઊભો હતો. જ્યારે સત્તાવાર પ્રસારણકર્તા ફોક્સ ક્રિક્રેટનાં સ્પીડી સ્પાઈડર કેમેરાએ તેને અથડાતા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર જમીન પર પડી ગયો. સદનસીબે પ્રોટીઝ પેસર ઝડપથી તેના પગ પર હતો. જોરદાર અથડાયો હતો. પરંતુ ક્રિકેટરો નસીબદાર હતા કે તેમને કોઈ ઈજા પહોંચી ન હતી.

ટેસ્ટ મેચની વાત કરીએ તો બીજા દિવસની રમતના અંતે યજમાન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 386/3 હતો. જેના કારણે દક્ષિણ આફ્રિકા પર તેની લીડ વધીને 197 રન થઈ ગઈ છે. ઓપનર ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારીને 200 રન બનાવ્યા હતા. અત્યંત થાકી ગયા બાદ તેણે હર્ટને કારણે રિટાયર થવું પડ્યું અને મેદાન છોડવું પડયું.

સ્ટમ્પ સમયે ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરી અનુક્રમે 48 અને 9 રને અણનમ હતા. બોલિંગમાં, એનરિચ નોર્ટજે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચેની જબરદસ્ત બેવડી સદીની ભાગીદારીને તોડી હતી. પૂર્વ સુકાની સ્ટીવ સ્મિથ 85 રન બનાવીને રમી રહ્યો હતો. નોર્ટજે ઉપરાંત કાગિસો રબાડાને પણ એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો :-

હવે ખોવાયેલો ફોન ચપટી વગાડતા મળી જશે પાછો ! તરત ખબર પડી જશે લોકેશન, ગૂગલ લાવી રહ્યું છે શાનદાર ફિચર

Now the lost phone will be found back by tapping

  • ગુગલ ટૂંક સમયમાં જ પોતાના ફાઈન્ડ માય ડિવાઈસ ફિચરને અપડેટ કરી શકે છે. આ અપડે બાદ યુઝર્સ માટે પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધવું સરળ થઈ જશે.

Google એન્ડ્રોયડ ફોન્સમાં (Android phones) એક ખાસ ફિચર આપે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનના લોકેશનને ટ્રેક કરી શકે છે. આ ફિચરનું નામ Find My Device છે. ગુગલ એન્ડ્રોયડ સ્માર્ટફોન્સમાં મળતા આ ફિચરને વધુ સારૂ બનાવવા પર મહેનત કરી રહ્યું છે જેનાથી એપ્પલને ટક્કર આપવામાં આવી શકે.

એપલમાં મળે છે આ સર્વિસ :

એપલ પોતાના યુઝર્સને ફાઈન્ડ માય નેટવર્ક ફિચર ઓફ કરે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા આઈફોન, આઈપેડ, મેક અને એરટેગ્સને ટ્રેક કરી શકે છે.

એપલનું આ ફિચર ત્યારે પણ કામ કરે છે જ્યારે ડિવાઈસ વાઈફાઈ અથવા બ્લૂટૂથ રેન્જની બહાર હોય. અહીં સુધી કે ડિવાઈસના ઓફ થવા પર પણ તે ફિચર તેનું લોકેશન જણાવી શકે છે.

Google લાવી શકે છે નવું અપડેટ  :

ત્યાં જ બીજી તરફ Googleનું ફાઈન્ડ માય ડિવાઈસ ફિચર ફક્ત તે ફોન્સને ટ્રેક કરી શકે છે જે યુઝરના ગુગલ એકાઉન્ટ સાથે લિંક હશે. જલ્દી જ તેમાં ફેરફાર થઈ શકે છે. ડિસેમ્બર 2022માં જાહેર થયેલા આ પ્લે સિસ્ટમ અપડેટ પેચ નોટમાં તેના હિન્ટ્સ મળે છે.

Googleએ સંકેત આપ્યો છે કે જલ્દી જ એન્ડ્રોયડ યુઝર્સને ફાઈન્ડ માય ડિવાઈસ નેટવર્ક જેવું ફિચર મળી શકે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા એન્ડ્રોયડ ફોન્સને ટ્રેક કરી શકશે. ગુગલ જલ્દી જ આ અપડેટને રોલઆઉટ કરી શકે છે.

સરળતાથી મળી જશે ફોનનું લોકેશન  :

ગુગલનું ફાઈન્ડ માય ડિવાઈસ ફિચર નવી પ્રાઈવસી સેન્ટ્રિક ફ્રેમવર્કને યુઝ કરે છે. સાથે જ એન્ક્રિપ્ટેડ લાસ્ટ-નોન-લોકેશન સેન્ડ કરે છે. કારણ કે ડિવાઈસની લોકેશન એન્ક્રિપ્ટેડ હોય છે. તે ઉપરાંત ડિવાઈસ ઓનર જ તેની લોકેશનની જાણકારી હાસિલ કરી શકે છે.

ફોન ઉપરાંત તમે આ ફિચરનો ઉપયોગ Wear OS ડિવાઈસની પણ લોકેશન મેળવીને કરી શકે છે. જોકે આ ફિચર વિશે ગુગલે ઓફિશ્યલ રીતે કોઈ જાણકારી આપી નથી. આશા છે કે કંપની તેની જાહેરાત જલ્દી કરશે.

આ પણ વાંચો :-

ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં થઈ શકે છે ફેરફાર, જાણી લો કઈ રીતે કરશો

0

Reservation dates can be changed

  • રેલવેનો નિયમ છે કે તમે એ જ ટિકિટની તારીખને આગળ કે પાછળ કરી શકો છો. જે માટે તમારે તમારી ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર 48 કલાક પહેલાં ટ્રેન સ્ટેશનથી રવાના થાય એ પહેલાં આપી દેવાની જરૂર છે.

ઘણી વાર એવું બને છે કે તમે ક્યાંય પણ બહાર જવા માટે ટ્રેનની ટિકિટ બુક (Book train tickets) કરો છો પરંતુ કેટલાક અણધાર્યા સંજોગોને કારણે તમે નિર્ધારિત તારીખે મુસાફરી કરી શકતા નથી.

આવી સ્થિતિમાં તમારે ટ્રેનની ટિકિટ કેન્સલ (Cancel the train ticket) કરવી પડે છે. જેને પગલે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે કારણ કે રેલવે તમારી પાસેથી કેન્સલેશન ચાર્જ તરીકે કેટલીક ફી વસૂલ કરે છે. જો તમને લાગે છે કે તમે આ યાત્રા નિશ્ચિત તારીખથી થોડો સમય પહેલાં અથવા થોડા સમય પછી કરી શકો છો તો તમારે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી.

રેલવેનો નિયમ છે કે તમે એ જ ટિકિટની તારીખને આગળ કે પાછળ કરી શકો છો. જે માટે તમારે તમારી ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર 48 કલાક પહેલાં ટ્રેન સ્ટેશનથી રવાના થાય એ પહેલાં આપી દેવાની જરૂર છે.  આ જ સમયે તમારે નવી તારીખ માટે પણ અરજી કરવી પડશે. તમે આ સમય દરમિયાન ક્લાસને અપગ્રેડ કરી શકો છો. અરજી આપ્યા બાદ તારીખ અને ક્લાસ બદલાય છે. તારીખ બદલવા માટે કોઈ ચાર્જ નથી. જો ક્લાસ બદલવામાં આવે છે, તો તમારે બે ભાડા વચ્ચેનો તફાવત ચૂકવવો પડશે.

બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર :

તમે જ્યાંથી ટ્રેન પકડવા માંગો છો તે સ્ટેશન પણ બદલી શકો છો. આ માટે તમારે ટ્રેનનો પહેલો ચાર્ટ તૈયાર થતા પહેલાં મુખ્ય રિઝર્વેશન સુપરવાઈઝર અથવા ફરજ પરના રિઝર્વેશન સુપરવાઈઝરને અરજી કરવી પડશે. તમે કામકાજના કલાકો દરમિયાન પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર પણ આ કરી શકો છો. આ સિવાય આ IRCTCની વેબસાઇટ અને 139 દ્વારા પણ પૂર્ણ કરી શકાય છે. આ સુવિધા રિઝર્વેશન સેન્ટર અને ઓનલાઈન બંને દ્વારા બુક કરાયેલી ટ્રેનો માટે ઉપલબ્ધ છે.

બોર્ડિંગ સ્ટેશન પણ બદલો :

જો તમે તમારી મુસાફરીને આગળ વધારવા માંગતા હોવ તો તે ટ્રેનની અંદરથી જ કરી શકાય છે. આ માટે તમારે ટિકિટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કરવો પડશે. તમે આ કામ ટ્રેનના સ્ટેશન પર અથવા તે પહેલાં પણ કરી શકો છો જ્યાં તમારે પહેલા ઉતરવાનું હતું. વધેલી મુસાફરી માટે જે પણ ભાડું હશે તે TTE દ્વારા વસૂલવામાં આવશે. એ જ રીતે તમે TTE નો સંપર્ક કરીને તમારી મુસાફરી દરમિયાન ક્લાસ પણ બદલી શકો છો.

આ પણ વાંચો :-

28 ડિસેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકોને ગણપતિબાપાની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

28 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમિયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઈમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બંનેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારું ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સા‌બિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પ‌રિવારના સભ્યો સાથે શાં‌તિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
‌દિવસ દર‌મિયાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઈ-બહેનની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભ‍વે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો ‌દિવસ. સરકારી કામકાજમાં સળતા. અનાજ ક‌રિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્સ કન્સલટન્ટ, એકાઉન્ટ્સ, હોટલના ક્ષેત્રે ‌વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગ‌તિથી આનંદ થાય. સ્વાર્થવૃ‌ત્તિ વધે. પ્ર‌તિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય. એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે ‌વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં ‌દિવસ શાં‌તિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં ‌વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ‌ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કે‌મિકલ, ‌બિ‌લ્ડિંગ મ‌ટિ‌રિયલના ધંધાર્થીઓ માટે શુભ ‌દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકૂળતા રહે. પ‌રિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની ત‌બિયતની કાળજી રાખવી. આદ્યા‌ત્મિક બાબતોમાં રૂ‌ચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારું રહે.

મકરઃ
વકની દૃ‌ષ્ટિએ સારો ‌દિવસ છે. પ‌રિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ ‌મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારું છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પ‌ત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ
માન‌સિક રીતે મજબૂતાઈ જણાય. વાંચવાનો શોખ વધશે. આક‌સ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સા‌હિત્ય, સંશોધન, ફાઈનાન્સના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

અમદાવાદીઓ 31 ડિસેમ્બરે પાર્ટી કરતા પહેલા પોલીસનો પ્લાન જાણી લેજો, નહીંતર જેલનાં સળિયા ગણતાં થઈ જશો 

Ahmedabadites should know the police plan before partying on December 31

  • ૩૧ ડિસેમ્બરની રાત્રે ડ્રગ્સ અને દારૂની બદી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી ૧૪ હજાર પોલીસ જવાનો સહિત ૧૮ હજાર જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.

શહેરની ફરતે આવેલા ફાર્મ હાઉસો પર પોલીસ વોચ રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ (illegal activity) સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરી દેવાયા છે. દારૂડીયાઓને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરની (Breath Analyzer) જેમ આ વખતે ડ્રગ્સના નશા કરતા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કિટનો (Drug Testing Kit) ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરની રાત્રે ૧૧.૫૫ થી ૧૨.૩૦ સુધી ઉજવણી અને ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ સમય બાદ ગેરકાયદે કૃત્ય કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

રાત્રે ૩૫ મિનિટ સુધી ફટાકડા ફોડી ઉજવણીની છૂટ :

૩૧ ડિસેમ્બરની રાત્રે ન્યુ યરની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા બંદોબસ્ત અને તૈયારીઓની જાહેરાત કરતા કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, ૧૪ હજાર પોલીસ જવાનો, ૪ હજાર હોમગાર્ડ જવાનો અને એસઆરપીની ૧૫ કંપની થઈ ૧૮ હજારથી વધુ પોલીસ જવાનો બદોબસ્તમાં ખડેપગે રહેશે. સીસીટીવી સર્વેલન્સ વેન, બોડી ઓન કેમેરાથી સજજ પોલીસ કમીઓ, ૩૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર કિટ, ડ્રગ્સ ટેસ્ટીંગ કિટોથી સજજ રહેલા પોલીસ કર્મચારીઓ નશાખોરો પર નજર રાખશે.

યુવતીઓની છેડતી, મોબાઈલની તફડંચી અને ચિલઝડપ સહિતના બનાવો રોકવા માટે પોલીસની સી ટીમ સહિતના જવાનો ખાનગી ડ્રેસમાં જૂદા જૂદા વિસ્તારોમાં વોચ રાખશે. ખાસ કરી એસજી હાઈવે, એસપી રિંગ રોડ આસપાસના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ શહેરના એસ.જી.હાઈવે, સી.જી.રોડ અને સિંધુભવન રોડ પર પોલીસનો ચાંપતો બદોબસ્ત રાખવાનું આયોજન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરી દારૂની મહેફીલો થતી હોય તેવા પોકેટ પર ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો ગોઠવાયેલા રહેશે.

ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રૂટ ડાઈવર્ઝનની સ્કીમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે રૂટ પર ન્યૂ યરના ઉજવણી માટે માનવ મહેરામણ ઉમટી પડે તેવા રૂટને વાહન ચાલકો માટે બંધ કરીને અન્ય રૂટ પરથી પસાર કરવા માટે મેપ તૈયાર થઈ રહ્યો છે. ખાસ કરીને સીજી રોડ પર અગાઉ ન્યૂ યરની ઉજવણીને લઈને ભારે ભીડ જોવા મળતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંધુ ભવન રોડ પર લોકોની ભીડ વધી રહી છે.

આ પણ વાંચો :-

લો બોલો… ‘સભા’માં સૂઈ ગયા ‘સરકાર’ના સલાહકાર ! નસકોરા બોલાવતો વીડિયો વાયરલ

0

Speak up… The adviser of the ‘government’

  • સંયમ લોઢા આરામના મૂડમાં જોવા મળ્યા. CM ગેહલોતના સલાહકાર છે સંયમ લોઢા.મીટિંગ દરમિયાન નસકોરા લેતા જોવા મળ્યા.

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot) સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢા (Sanyam Lodha) હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે સરકારના 4 વર્ષ પૂરા થયા છે. સંયમ લોઢાએ મીટિંગમાં કંઈક એવું કર્યું જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર જિલ્લા મુખ્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા નસકોરા લેતા જોવા મળ્યા હતા.

સંયમ લોઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિરોહી જિલ્લાના પ્રભારી મંત્રી મહેન્દ્ર ચૌધરી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા દરમિયાન મળેલી ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા નસકોરાં લઈ રહ્યા હતા. મીટિંગમાં હાજર એક યુવકે વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સીએમ ગેહલોતના સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢા સિરોહી જિલ્લાના પ્રભારી મંત્રી મહેન્દ્ર ચૌધરી અને અધિકારીઓ સાથે સરકારના 4 વર્ષ પૂરા થવાના અવસર પર સરકારના વિકાસ કાર્યો જણાવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા પ્રભારી મંત્રીની ખુરશીની બાજુની ખુરશી પર બેઠા હતા અને સૂઈ ગયા હતા. તેમણે સભાની વચ્ચે નસકોરા મારવાનું શરૂ કર્યું. વિધાનસભ્ય સંયમ લોઢાને પ્રભારી મંત્રીએ ઊંઘમાંથી જગાડ્યા ત્યાં સુધીમાં તેમનો વીડિયો બની ગયો હતો.

આ પણ વાંચો :-

માત્ર 40 મિનિટમાં ભૂકંપના 2 ઝટકાથી ધ્રુજી ઉઠી ગુજરાતની આ ધરા, છેલ્લાં દોઢ માસમાં અનેક આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ

0

This stretch of Gujarat shook with 2 shocks of earthquake in just 40 minutes

  • અમરેલીના મીતીયાળા પંથકમાં 40 મિનિટમાં બે ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) તાલુકાના મીતીયાળા પંથકમાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવતાં અને છાસવારે આવતાં ધરતીકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

સ્થાનિકોમાં ફફડાટ :

આજ સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકો પોતા પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક માસમાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળા પંથકમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.  પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

2022માં અનુભવાયા 225 જેટલા ભૂકંપના આંચકા :

સિસમોલોજી વિભાગનું કહેવું છે કે નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે. મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું વિચારી રહ્યાં છો ? તો જતાં પહેલાં આ જ નિયમો જાણી લેજો 

0

Thinking of visiting the Statue of Unity

  • જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે.

દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસ (Corona virus) વકરે નહીં તે માટે ગાઈડલાઈન અપાઇ રહી છે. બીજી બાજુ ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે. જેના કારણે ગુજરાતીઓ રજાઓમાં ફરવાનાં મૂડમાં છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પણ કોવિડ માટેની ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. આજથી એટલે 27મી ડિસેમ્બરથી કોરોના સંકટને પગલે નિયમ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માસ્ક વગર કોઇપણ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.

આપને જણાવીએ કે નાતાલની બે દિવસની રજાઓમાં એક લાખ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મજા માણી હતી. જે બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ખાતે આવતા પ્રવાસીઓએ માસ્ક ફરજિયાતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા પ્રવાસીઓને જણાવવામાં આવ્યું. સોશિયલ મીડિયા થકી પ્રવાસીઓને માહિતી આપવામાં આવી રહી છે.

એટલે જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવનાર હોય બુકિંગ ફૂલ હોય સંક્રમણ ના વધે એ માટે SOU તંત્ર દ્વારા આ ફરજીયાત માસ્કની જાહેરાત કરવામાં આવી છે.

 એટલે જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવનાર હોય બુકિંગ ફૂલ હોય સંક્રમણ ના વધે એ માટે SOU તંત્ર દ્વારા આ ફરજીયાત માસ્કની જાહેરાત કરવામાં આવી છે.

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ સરકાર હવે એલર્ટ મોડ પર છે. ચીનની સ્થિતિ જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર દેશમાં વધવા લાગ્યો છે. જો કે નવા વર્ષને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. જો તમે પણ નવા વર્ષમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો.

તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગોવા, દિલ્હી, હિમાચલમાં પણ કોરોનાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દેશની રાજધાનીમાં કોરોનાને લઈને દિલ્હી સરકાર ઘણી સક્રિય દેખાઈ રહી છે. સોમવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કોવિડની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આમાં, તેમણે કોવિડને લગતી તૈયારીઓની પણ નોંધી લીધી હતી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોવિડની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી હતી.

આ પણ વાંચો :-

સોસાયટી માટે ડૂબી મરવા જેવું ! આણંદમાં ઓવરબ્રિજ નીચેથી નવજાતની લાશ મળતા ચકચાર

Like drowning for the city

  • આણંદના ભાલેજ ઓવરબ્રિજ નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

રાજ્યમાં નવજાત બાળકો (Newborn babies) ત્યજી દેવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મા ની મમતા લાજે તેવા  અવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. આણંદમાં (Aanand) માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આણંદના ભાલેજ ઓવરબ્રિજ (Bhalej Overbridge) નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત મળી આવ્યું છે.

ભાલેજ ઓવરબ્રિજ નજીકથી મૃત નવજાત મળ્યું :

આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ નજીકથી ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત બાળક મળ્યું છે. આણંદ રેલવે પોલીસે નવજાત બાળકનો મૃતદેહનો કબજે મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

દૂધ બાદ હવે અમૂલના લૂઝ ઘીના ભાવમાં ભડકો ! જાણો સાબરડેરીએ કેટલો વધારો ઝીંક્યો ?

0

After milk, the price of Amul’s loose ghee

  • મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે, તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે.

રાજ્યની સામાન્ય જનતા મોંઘવારીના બોજ તળે પીસાતી જઈ રહી છે. કારણ કે એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) બાદ સ્થાનિક લેવલે હવે દૂધ-ઘીના ભાવ પણ મારી નાંખે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતની જનતાને મોંઘવારીનો (inflation) વધુ એક માર પડ્યો છે. કારણ કે દૂધ-તેલ બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો થયો છે.

મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે. તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં (Amul Loose Ghee) પ્રતિ એક કિલોએ 23 અને 15 કિલો ધીમાં 345 રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ 11 દિવસમાં બીજી વખત ભાવ વધારો કર્યો છે.

સાબરકાંઠાની કે જ્યા ઉલટી ગંગા વહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ઘીના ભાવમાં સાબર ડેરીએ વધારો કરતા લોકોને હવે શીરાનું જમણ જનતાને મોંઘુ પડશે. આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગું કરાયો છે. ભાવ વધારા બાદ લોકોને એક કિલો લુઝ ઘીમાં રૂ 23 નો ભાવ વધારો કરાયો છે.

જ્યારે 15 કિલો ઘીમાં રૂ 345 નો ભાવ વધારો થયો છે. 15 કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.9450 અને એક કિલોના રૂ 630 થયા છે. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો છે. જ્યારે 11 દિવસ બાદ ફરી લુઝ ઘીના ભાવમાં વધારો ઝીંકાયો છે.

મહત્વનું છે કે વર્ષ 2022 માં આઠ વખત લુઝ ઘી ભાવ વધારો થયો હતો. 15 કિલોમાં રૂ 2400 નો અને એક કિલોમાં રૂ 160 નો ભાવ વધારો થયો છે.  આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાં પણ અસર પડી છે. ઘી અને દૂધના ભાવમાં થયેલો વધારો અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિકોએ ભોગવવો પડશે. શિયાળામાં ઘીની માગ વધારે હોય છે એવા સમયે આ વધારો ઘરના બજેટને પણ ખોરવી નાંખશે.

આ પણ વાંચો :-