Home Blog Page 1213

રાતે છોકરી પર ચાર છોકરીઓના પડવા લાગ્યા ધડાધડ ધોકા, લુખ્ખાગીરીનો વીડિયો વાયરલ

0

At night, four girls started falling on the girl

  • ઉત્તરાખંડના રુડકીમાં ચાર છોકરીઓએ ધોકા અને ડંડા લઈને એક છોકરી પર તૂટી પડી હતી જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમને ઝડપી પાડી.

ઉત્તરાખંડના (Uttarakhand) રુડકીમાં છોકરીઓની મારપીટનો એક વીડિયો વાયરલ થયા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. જેમાં 4 યુવતીઓ રોડ પર એક યુવતીને લાકડીઓ વડે માર મારતી જોવા મળી હતી. જેની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કાર્યવાહી કરવાની સાથે સાથે આ ચારેયને ભવિષ્યમાં આવું ન કરવા પણ સૂચના આપી છે.

રુડકી સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં કેટલીક યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે એટલી વધી ગઇ હતી કે યુવતીઓએ હોટલ સેન્ટર પોઇન્ટની સામે જ એક યુવતી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે યુવતીઓની અટકાયત કરી :

4 છોકરીઓ જ્યારે એક છોકરીને મારી રહી હતી ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેના મોબાઈલમાં આ ઘટના કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને સિવિલ લાઈન કોતવાલી પોલીસે 4 યુવતીઓની અટકાયત કરી હતી.

શું હતું ઝગડાનું મૂળ :

રામપુરમાં પીડિત છોકરીના જૂથ અને માર મારનાર 4 છોકરીઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને છોકરીઓએ તેને દાઝમાં રાખી હતી અને આજે લાગ મળ્યો તેમાં છોકરીનો ઘડયો લાડવો કરી નાખ્યો.

આ પણ વાંચો :-

ગુજરાતના ધારાસભ્યોને કોઈ નાનમ નથી છતાં કરોડપતિઓએ પણ મેડિકલના લાખોનાં બિલ પાસ કરાવ્યા

0

Even though the MLAs of Gujarat have no reward

  • રાજનીતિમાં આવતા લોકો કહેતા હોય છે કે અમે પ્રજાની સેવા માટે આવીએ છીએ. ધારાસભ્યોને પગાર અને ભથ્થા પણ મળતા હોય છે. તો ઘણા ધારાસભ્યો તો કરોડપતિ હોય છે. તેમ છતાં સરકારી સુવિધાનો લાભ લેવાનું છોડતા નથી.

પગાર તો છોડો ધારાસભ્યો કંઈ પણ છોડે એમ નથી. રાજ્યમાં 156 ધારાસભ્યો કરોડપતિ હોવા છતાં માત્ર 2 ધારાસભ્યોએ પગાર ભથ્થાં લેવાની ના પાડી છે. એક બાજુ ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડના (Card in CM Amritham) માધ્યમ ગરીબ લોકોને મફતમાં તબીબી સારવાર આપવામાં આવે છે. બીજી તરફ, ભાજપ-કોંગ્રેસના કરોડપતિ ધારાસભ્યો તમામ સુવિધાઓથી સજજ સરકારી હોસ્પિટલમાં (Government Hospital) સારવાર લેવામાં નાનમ અનુભવે છે.

પ્રજાના ટેક્સના પૈસે અન્ય રાજ્યમાં જઈને કોર્પોરેટ હોસ્પિટલોમાં કરોડોના ખર્ચે અદ્યતન સારવાર મેળવે છે. એટલુ જ નહીં આ તબીબી સારવારની સુવિધા લઈને લાખો-કરોડોના બિલ મંજૂર કરાવે છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યોની સારવાર પાછળ ગુજરાત સરકારે રૂ.૫.૭૨ કરોડ ખર્ચ્યા છે.

પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.ડો.અનિલ જોશીયારાનું કુલ મેડિકલ બિલ રૂ.૧.૨૫ કરોડ રજૂ કરાયુ હતું. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૂ.૩,૧૪,૮૮૦, રૂ.૬.૦૭ ૪૫૧ અને રૂ.૨,૨૭,૫૮૪ એમ કુલ મળીને રૂ.૧૧,૪૯,૯૧૫ના મેડિકલ બિલ રજૂ કર્યા હતાં. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય ખુદ ડોક્ટર છે. આ ઉપરાંત તેમની પોતાની હોસ્પિટલ હોવા છતાંય તેમણે રૂ.૧ લાખથી વધુના મેડિકલ બિલ મંજૂર કરવા મુક્યા હતાં.

ખાદીના પહેરવેશમાં સજ્જ થઇને લોકસેવા કરતા ચૂંટાયેલાં ધારાસભ્યો આમ જનતાને સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવવા ભલામણ કરતા હોય છે પણ જયારે પોતે અથવા તેમના પરિવારજનો બિમાર પડે કે ગંભીર બિમારીનો ભોગ બને તો તે ખાનગી હોસ્પિટલમાં જ સારવાર મેળવવાનો આગ્રહ રાખે છે.

ગુજરાતમાં રૂ.૧,૩૭,૫૯૨ મહિને પગાર મેળવતા ધારાસભ્યો મફતની સારવાર લેવાનું જરાયે ચૂકતા નથી. આરટીઆઇની માહિતીમાં ખુલાસો થયો છે કે લાખો-કરોડોપતિ ધારાસભ્યોના મેડિકલ બિલો તરત જ મંજૂર કરી દેવાય છે. ૧૪મી વિધાનસભાના ધારાસભ્યોએ રૂ.૫,૭૨,૫૪,૧૭૫ના મેડિકલ બિલ મંજૂર કરાવ્યા છે.

વિધાનસભામાં વિવિધ મુદ્દે આમને સામને આવતા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આર્થિક- તબીબી લાભ લેવામાં એક સૂર હોય છે. યાદ રહે કે ભાજપના એક મંત્રીએ મુંબઈમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઉપરાંત ભાજપના એક મંત્રીની બાયપાસ સર્જરી પણ મુંબઈ કરાઈ હતી. અન્ય એક મંત્રીના જડબાની સર્જરી પણ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો કરોડપતિ ધારાસભ્યોને મેડિકલ બિલ ન લેવા ખાસ આગ્રહ કર્યો હતો તેમ છતાંય કરોડોની સંપતિના માલિક એવા ભાજપ-કોંગ્રેસના એકેય ધારાસભ્યએ મેડિકલ બિલ લેવાનું મન બનાવ્યું ન હતું. જો કે આર્થિક રીતે નબળા ધારાસભ્યોની સારવાર પાછળ ખર્ચ કરવો જરૂરી છે.

કયા ધારાસભ્યોએ મેડિકલનું બિલ રજૂ કર્યુ :

ધારાસભ્ય                  મેડિકલ બિલ
હર્ષ સંઘવી ( ભાજપ )    રૂ.૧૧,૪૯,૯૧૫
વિરજી ઠુમર ( કોંગ્રેસ )    રૂ.૮૯,૪૯૯
રાજેન્દ્ર ચાવડા ( ભાજપ)    રૂ.૮,૩૮,૩૫૪
રમણલાલ વોરા ( ભાજપ)   રૂ,૪૮,૧૪૪
નિરંજન પટેલ  ( કોંગ્રેસ)    રૂ.૪,૮૩,૪૧૩
ભીખાભાઇ જોશી ( કોંગ્રેસ)  રૂ.૨,૭૭,૦૦૦
મોહનસિંહ રાઠવા (કોંગ્રેસ)  રૂ.૩,૮૨,૦૨૫
સુનિલ ગામીત ( કોંગ્રેસ)    રૂ.૪,૧૪,૭૧૨
વિમલ ચુડાસમા (કોંગ્રેસ)    રૂ.૧,૭૧,૯૪૭
રાઘવજી પટેલ (ભાજપ)    રૂ.૩,૦૦,૩૧૫
જીજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ)    રૂ.૮૯,૭૧૧
કનુ ભાલાળા (ભાજપ)    રૂ.૧,૫૧,૮૦૦
કાંતિ સોઢા ( કોંગ્રેસ)    રૂ.૨,૬૪,૨૯૮

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં ઠંડીનો પારો આસમાને : અમદાવાદમાં ગગડયો તાપમાનનો પારો, નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી

0

Cold weather in Gujarat: Ahmedabad temperature drops

  • વર્ષ 2022 સમાપ્તિની આરે છે નવું વર્ષ શરૂ થવામાં માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં એકદમથી જ ઠંડીમાં વધારો થયો છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે. રાજ્યમાં ઠંડીમાં એકદમથી જ વધારો થયો છે.  દિવસે પણ લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે.

રાતે તો હાડ થિજવતી ઠંડી પડી જ રહી છે. જ્યારે સવારે ઘરની બહાર નીકળતાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પારો ગગડયો છે.

ધીમે-ધીમે ગગડી રહ્યો છે પારો :

ગુજરાતમાં 8 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં તાપમાન ગગડયું છે. અમદાવાદમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર :

જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં  11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમદાવાદમાં 13.2 ડિગ્રી, વડોદરામાં 14.4  ડિગ્રી, સુરતમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-

આગામી 24 કલાકમાં તમારા મોબાઈલનું સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો શું છે સમગ્ર મામલો

In next 24 hours your mobile sim card will be disabled

  • BSNL ના સીમધારકો માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ બીએસએનએલનું સીમ છે તો શું આગામી 24 કલાકમાં તમારું સીમ બંધ થઈ જશે..? કંપની તરફથી આ વિશે નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપવામાં આવી છે.

BSNLનું મોબાઈલ સીમ ધરાવનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ BSNLનું સીમકાર્ડ (BSNLનું કાર્ડ) છે તો તમારા માટે આ મોટા સમાચાર છે. શું તમારું મોબાઈલ સીમ (Mobile SIM) આગામી 24 કલાકમાં બંધ થઈ જશે…? કંપની તરફથી આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપવામાં આવી છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો…

સીમ 24 કલાકમાં બંધ થઈ જશે :

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી ટેલિકોમ કંપની BSNLના મોબાઈલ સીમ આગામી 24 કલાકમાં બંધ થઈ જશે. આ પોસ્ટ જોયા પછી તેની હકીકત કંઇક અલગ જ જોવા મળી.

પીઆઈબીએ હકીકત તપાસી હતી :

પીઆઈબીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને ફેક્ટ ચેકની સત્યતા વિશે માહિતી આપી છે. PIBએ લખ્યું છે કે TRAI દ્વારા ગ્રાહકનું KYC સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આગામી 24 કલાકમાં ગ્રાહકોના સિમ બ્લોક કરી દેવામાં આવશે. જોકે, આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. પીઆઈબીએ આ દાવાને નકારી કાઢ્યો છે. કોઈના પણ મોબાઈલના સીમ બંધ થવાના નથી. આ એક ફેક સમાચાર છે.

વાયરલ સમાચારની હકીકત તપાસો :

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ન કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચો :-

નવી કારની ખરીદી જાન્યુઆરી કે ડિસેમ્બરમાં ? જાણો આ હકીકત નહી તો પસ્તાશો

Buying a new car in January or December

  • ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે ડિસેમ્બરમાં કાર ખરીદવી જોઈએ કે જાન્યુઆરીમાં. અહીં આપણે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરશું.

કાર ખરીદવી એ એક મોટો નિર્ણય છે. લાખો રૂપિયાના આ સોદામાં તમારું દરેક પગલું નફો કે નુકસાન કરી શકે છે. તમને કઈ કાર અને કયું વેરિઅન્ટ (Variant) મળી રહ્યું છે. તેનાથી કિંમતમાં ફરક પડે છે. તેમજ તમે કયા મહિનામાં કાર ખરીદી રહ્યા છો. આ નિર્ણયની સીધી અસર ખિસ્સા પર પણ પડે છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે ડિસેમ્બરમાં કાર ખરીદવી જોઈએ કે જાન્યુઆરીમાં. અહીં આપણે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ છીએ.

ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ક્યારે નવી કાર ખરીદશો?

ઘણા લોકો માને છે કે તેઓ જાન્યુઆરીમાં કાર ખરીદવાનું પસંદ કરે છે કારણ કે માત્ર એક મહિનાની રાહ જોવાથી તમને એક વર્ષ પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ મળશે. જો કે જો સસ્તામાં કાર ખરીદવાની વાત આવે છે તો ડિસેમ્બર તમારા માટે શ્રેષ્ઠ મહિનો બની શકે છે. આના કેટલાક કારણો છે.

27 ડિસેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મહાદેવની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

27 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય.  પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતી થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળ મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેવું અનુભવાય.

‌મિથુન
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભો મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃ‌શ્ચિક
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ-સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

ધન
આવક વધતા માનસિક‌ ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર
ગુરુ-ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની થતા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન
મિત્રોથી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉઘરાણી છૂટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રી વર્ગ તરફથી વિશેષ લાભ. સંતાનની પ્રગતી અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

વાયરસની બીકે ચીની કપલે શોધી કાઢ્યો ઉપાય, કોરોના પ્રૂફ છત્રીમાં પુરાઈને ઉપડ્યો ખરીદી કરવા

A Chinese couple found a solution

  • ચીનમાં લોકોના કોરાનાથી ફફડી ઉઠ્યાં છે અને પોતાની જાતને વાયરસથી બચાવવા માટે હવે લોકો જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. એક કપલે પણ અલગ ઉપાય શોધી કાઢ્યો.

કોરોનાના (Corona) કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. લોકો કોરાનાને દૂર રાખવા માટે જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. બહાર કોરોનાથી બચવા માટે એક ચીની કપલે અલગ ઉપાય શોધી કાઢ્યો છે.

કોરોના પ્રૂફ છત્રીમાં દેખાયું કપલ :

ચીનનું એક કપલ કોરોના પ્રૂફ છત્રમાં જોવા મળ્યું હતું. બજારમાં જ્યારે કપલ ખરીદી કરવા નીકળ્યું ત્યારે તેઓ કોરોના પ્રૂફ છત્રીમાં પુરાયા હતા અને તેની અંદર રહીને જ માલસામાનની ખરીદી કરી હતી.

ચાઈનીઝ કપલનો વીડિયો વાયરલ :

કોરોના પ્રૂફ છત્રીમાં ખરીદી કરી રહેલા ચાઈનીઝ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છત્રી પોલિથીનની મદદથી કપલને ચારે બાજુથી જમીન સુધી નીચે સુધી કવર કરી રહી છે.

દરમિયાન શોપિંગ સમયે કપલ પોલિથીન નીચેથી ઊંચકીને માલ લઈ રહ્યું છે. સાથે જ કપલની આસપાસના લોકો તેમને આ રીતે જોઈને ચોંકી ગયા હતા. ઈન્ટરનેટ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :- 

Aadhaar Card માં અપડેટ કરવા માંગો છો મોબાઈલ નંબર, આ સરળ રીતે તરત થઈ જશે કામ

0

Want to update mobile number in Aadhaar Card

  • સરકારી કામકાજ માટે આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. જેનું કામ લગભગ દરેક સરકારી કામો માટે થાય છે.

પરંતુ જો તમારો ફોન ખોવાઈ જાય અથવા નંબર સ્વિચ ઓફ થઈ જાય તો તમે તમારા આધાર કાર્ડ (aadhar card) પર મોબાઈલ નંબર (Mobile number) અપડેટ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને સીધી છે જેને માત્ર થોડા જ સ્ટેપ્સમાં પૂરી કરી શકાય છે. ચાલો જાણીએ કે તમે આધાર કાર્ડ પર મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરી શકો છો.

  • આ સ્ટેપ્સ ફોલો કરીને મોબાઈલ નંબર અપડેટ કરો :
  • સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. જે આધાર કાર્ડ જારી કરવા માટે જવાબદાર સરકારી એજન્સી છે. અથવા વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
  • આ પછી UIDAI વેબસાઇટ પર આવ્યા પછી ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Update Aadhaar Detail (Online)’ પસંદ કરો. આ તમને ‘Aadhaar Self Service Update Portal’ પર લઈ જશે જ્યાં તમે તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો.
  • હવે ‘Aadhaar Self Service Update Portal’ પેજ પર ‘Update Your Address Online’ ટેબ પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર અને સ્ક્રીન પર પ્રદર્શિત સુરક્ષા કોડ દાખલ કરવાની જરૂર છે.
  • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર પર OTP (વન-ટાઇમ પાસવર્ડ) મેળવવા માટે “Send OTP” બટન પર ક્લિક કરો, જે હાલમાં તમારા આધાર કાર્ડ સાથે લિંક છે.
  • એકવાર તમને OTP પ્રાપ્ત થઈ જાય, તે દાખલ કરો અને તમારા આધાર એકાઉન્ટમાં લોગિન કરવા માટે “Login” બટન પર ક્લિક કરો.
  • હવે લોગ ઈન કર્યા પછી, તમે “મોબાઇલ નંબર” ફીલ્ડ પર ક્લિક કરીને અને અહીં તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરીને તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકશો.
  • એકવાર તમે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરી લો, પછી તમારા આધાર કાર્ડ પર મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારી રિકવેસ્ટ સબમિટ કરવા માટે “સબમિટ અપડેટ રિકવેસ્ટ” બટન પર ક્લિક કરો.
  • તમારી રિકવેસ્ટ સબમિટ કર્યા પછી, તમારે તમારી ઓળખ અને તમારા દ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબરની ચકાસણી કરવા માટે સહાયક દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે.
  • ઓળખના પુરાવા તરીકે સ્વીકૃત દસ્તાવેજો અને મોબાઇલ નંબર UIDAIની વેબસાઇટ પર સૂચિબદ્ધ છે.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારા આધાર કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવાની તમારી વિનંતી પર UIDAI દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. એકવાર અપડેટ પૂર્ણ થયા પછી તમને તમારા નવા મોબાઈલ નંબર પર Notification મળશે.

આ પણ વાંચો :-

વડોદરા એમ.એસ.યુનિ.ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતો વીડિયો વાયરલ ! વિવાદ થતાં મચ્યો હડકંપ

0

Viral video of praying outside the Sanskrit department of Vadodara

  • શા માટે ધાર્મિક બાબતોને સામે ધરીને આ પ્રકારે વીડિયો બનાવવામાં આવ્યો છે? આ વીડિયો બનાવીને વાયરલ કરવા પાછળ શું આશય હોઈ શકે? આ પ્રકારે વીડિયો બનાવવાનું કારસ્તાન કોનું છે? શું એમએસ યુનિવર્સિટી આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું છે ખરાં? આવા અનેક સવાલો હાલ આ વિવાદને પગલે ઉઠી રહ્યાં છે.

ફરી એકવાર સંસ્કારનગરી વડોદરા (Sanskarnagari Vadodara) આવી છે વિવાદમાં. આ વખતે વડોદરા MS યુનિવર્સિટી ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતા યુવક યુવતી નો વીડિયો વાયરલ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે હાલ ભારે ઓહાપોહ મચ્યો છે. શા માટે ધાર્મિક બાબતોને (Religious Matters) સામે ધરીને આ પ્રકારે વીડિયો બનાવવામાં આવ્યો છે?

આ વીડિયો બનાવીને વાયરલ કરવા પાછળ શું આશય હોઈ શકે? આ પ્રકારે વીડિયો બનાવવાનું કારસ્તાન કોનું છે? શું એમએસ યુનિવર્સિટી આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું છે ખરાં? આવા અનેક સવાલો હાલ આ વિવાદને પગલે ઉઠી રહ્યાં છે.

એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતાં ભારે હંગામો મચ્યો છે. ત્યારે સમગ્ર મામલે સંસ્કૃત વિભાગના ડીન ડો રામપાલ શુક્લ એ પોતાનો બચાવ કર્યો છે. ડો.રામપાલ શુક્લએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટના ક્યારે બની તેની અમને કોઈ જાણકારી નથી. અમારા ગેટની બહાર ઘટના બને તો અમને કઈ રીતે જાણકારી મળે. સંસ્થાના ગેટની બહાર કોણ શું કરે છે એની જાણકારી અમારી પાસે ક્યાંથી હોય.

વધુમાં આ વિવાદ અંગે ડો.શુક્લએ જણાવ્યુંકે, સંસ્થાના ગેટની બહાર નમાઝ પઢતો વીડિયો કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો અને એની પાછળ શું મનછા છે તે અંગે અમારી પાસે કોઈ જાણકારી નથી. અમને વિડીયો અંગે કોઈ માહિતી નથી. તેમ છતાં કોઈ પણ ધર્મ હોય તેની પુજા કે નમાજ નિશ્ચિત સ્થાને જ યોગ્ય લાગે. પુંજા કે નમાજ માટે જો કોઈ જ્ઞાન ન હોય તો જ્યાં ત્યાં થાય નહિ.

યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થીઓ એ નમાઝ અદા કરતા વિવાદ થયો હતો. ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિજિલન્સ ને જાણ કરાઈ હતી. વિજિલન્સની ટીમે બંને વિદ્યાર્થીઓને અટકાવ્યા હતાં. વિદ્યાર્થીઓ ના આઈ.કાર્ડ તપાસી કાર્યવાહી હાથ ધરાઇ છે. વિજિલન્સ અધિકારી ચંદન રાઠોડે જણાવ્યુંકે, નમાઝ નો વિરોધ નથી. અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. પરંતુ શૈક્ષણિક સંકુલની ગરિમા જાળવવી પણ એટલી જ જરૂરી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ના નિવેદન લેવાશે.

આ પણ વાંચો :-

 

બેન્ક ઓફ બરોડાની બંપર ઓફર, સસ્તામાં ઘર, દુકાન કે જમીન ખરીદવી હોય તો વાંચો અહેવાલ

0

Bank of Baroda’s bumper offer

  • જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા (bank of baroda mega e auction) ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય.

જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા (bank of baroda mega e auction) ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય. તમે 28 ડિસેમ્બર 2022ના રોજ સસ્તામાં મકાન ખરીદી શકો છો.

સમગ્ર ભારતમાં ગમે ત્યાં ખરીદી શકો છો પ્રોપર્ટી :

અત્રે જણાવવાનું કે બેંક ઓફ બરોડા મેગા ઈ ઓક્શન ઓફર લઈને આવ્યું છે. જેમાં તમે સસ્તામાં અનેક પ્રકારની પ્રોપર્ટી ખરીદી શકો છો. આ અંગે બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ હરાજી હેઠળ તમે સમગ્ર ભારતમાં અચલ સંપત્તિ  ખરીદવા માટે બોલી લગાવી શકો છો.

કયા પ્રકારની પ્રોપર્ટી માટે લગાવી શકશો બોલી :

આ હરાજીમાં તમે મકાન, ઓફિસ જગ્યા, જમીન કે પછી પ્લોટ, ઔદ્યોગિક સંપત્તિ અને ફ્લેટ માટે અરજી કરી શકો છો. આ હરાજી સરફેસી અધિનિયમ હેઠળ કરવામાં આવશે જે સંપૂર્ણ રીતે પારદર્શક હશે.

BoB એ ટ્વીટ કરીને આપી માહિતી :

બેંક ઓફ બરોડાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું છે કે બેંક ઓફ બરોડાની મદદથી તમારું સંપત્તિ ખરીદવાનું સપનું સાકાર  કરો. તારીખ 28 ડિસેમ્બર 2022ના રોજ બેંક ઓફ બરોડાની મેગા ઈ ઓક્શનમાં ભાગ લો અને તમારા માટે ઉત્તમ સંપત્તિઓની પસંદગી કરો.

આ પણ વાંચો :-